01-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે બાપ ની પાસે આવ્યાં છો રિફ્રેશ થવા , બાપ અને વારસા ને યાદ કરો તો સદા રિફ્રેશ રહેશો”

પ્રશ્ન :-
સમજદાર બાળકો ની મુખ્ય નિશાની શું હશે?

ઉત્તર :-
જે સમજદાર છે એમને અપાર ખુશી હશે. જો ખુશી નથી તો બુદ્ધુ છે. સમજદાર અર્થાત્ પારસ બુદ્ધિ બનવા વાળા. તે બીજાઓ ને પણ પારસ બુદ્ધિ બનાવશે. રુહાની સર્વિસ માં વ્યસ્ત રહેશે. બાપ નો પરિચય આપ્યાં વગર રહી નહીં શકે.

ઓમ શાંતિ!
બાપ બેસીને સમજાવે છે, આ દાદા પણ સમજે છે કારણકે બાપ દાદા દ્વારા સમજાવે છે. તમે જેમ સમજો છો તેમ દાદા પણ સમજે છે. દાદા ને ભગવાન નથી કહેવાતાં. આ છે ભગવાનુવાચ. બાપ મુખ્ય શું સમજાવે છે કે દેહી-અભિમાની બનો. આ કેમ કહે છે? કારણકે પોતાને આત્મા સમજવા થી આપણે પતિત-પાવન પરમપિતા પરમાત્મા દ્વારા પાવન બનવા વાળા છીએ. આ બુદ્ધિ માં જ્ઞાન છે. બધાને સમજાવવાનું છે, પોકારે પણ છે કે અમે પતિત છીએ. નવી દુનિયા જરુર પાવન જ હશે. નવી દુનિયા બનાવવા વાળા, સ્થાપન કરવા વાળા બાપ છે. એમને જ પતિત-પાવન બાબા કહી બોલાવે છે. પતિત-પાવન, સાથે એમને બાપ કહે છે. બાપ ને આત્માઓ બોલાવે છે. શરીર નહીં બોલાવશે. આપણા આત્માઓ નાં બાપ પારલૌકિક છે, એ જ પતિત-પાવન છે. આ તો સારી રીતે યાદ રહેવું જોઈએ. આ નવી દુનિયા છે કે જૂની દુનિયા છે, આ સમજી તો શકો છો ને? એવાં પણ બુદ્ધુ છે, જે સમજે છે અમને સુખ અપાર છે. અમે તો જાણે સ્વર્ગ માં બેઠાં છીએ. પરંતુ આ પણ સમજવું જોઈએ કે કળિયુગ ને ક્યારેય સ્વર્ગ કહી ન શકાય. નામ જ છે કળિયુગ, જૂની પતિત દુનિયા. અંતર છે ને? મનુષ્યો ની બુદ્ધિ માં આ પણ બેસતું નથી. બિલકુલ જ જડજડીભૂત અવસ્થા છે. બાળકો નથી ભણતા તો કહે છે ને કે તમે તો પથ્થરબુદ્ધિ છો. બાબા પણ લખે છે તમારા ગામ નિવાસી તો બિલકુલ પથ્થરબુદ્ધિ છે. સમજતા નથી કારણકે બીજાઓ ને પણ સમજાવતા નથી. પોતે પારસબુદ્ધિ બને છે તો બીજાઓ ને પણ બનાવવા જોઈએ. પુરુષાર્થ કરવો જોઈએ. આમાં શરમ વગેરે ની તો વાત જ નથી. પરંતુ મનુષ્યો ની બુદ્ધિ માં અડધોકલ્પ ઉલ્ટા શબ્દો પડ્યાં છે તો તે ભૂલતા નથી. કેવી રીતે ભૂલાય? ભૂલાવવા ની તાકાત પણ તો એક બાપ ની પાસે જ છે. બાપ વગર આ જ્ઞાન તો કોઈ આપી ન શકે. એટલે બધા અજ્ઞાની થયાં. એમનું જ્ઞાન પછી ક્યાંથી આવે? જ્યાં સુધી જ્ઞાન સાગર બાપ આવીને ન સંભળાવે. તમોપ્રધાન એટલે જ અજ્ઞાની દુનિયા. સતોપ્રધાન એટલે દૈવી દુનિયા. ફરક તો છે ને? દેવી-દેવતાઓ જ પુનર્જન્મ લે છે. સમય પણ ફરતો રહે છે. બુદ્ધિ પણ કમજોર થતી જાય છે. બુદ્ધિ નો યોગ લગાવવા થી જે તાકાત મળે તે પછી ખલાસ થઈ જાય છે.

હમણાં તમને બાપ સમજાવે છે તો તમે કેટલાં રિફ્રેશ થાઓ છો. તમે રિફ્રેશ હતાં અને વિશ્રામ માં હતાં. બાપ પણ લખે છે ને - બાળકો, આવીને રિફ્રેશ પણ થઈ જાઓ અને વિશ્રામ પણ કરો. રિફ્રેશ થયા પછી તમે સતયુગ માં વિશ્રામપુરી માં જાઓ છો. ત્યાં તમને બહુ જ વિશ્રામ મળે છે. ત્યાં સુખ-શાંતિ-સંપત્તિ વગેરે બધું જ તમને મળે છે. તો બાબા ની પાસે આવે છે રિફ્રેશ થવા, વિશ્રામ કરવાં. રિફ્રેશ પણ શિવબાબા કરે છે. વિશ્રામ પણ બાબા ની પાસે લો છો. વિશ્રામ એટલે શાંત. થાકીને વિશ્રામી થાય છે ને? કોઈ ક્યાં, કોઈ ક્યાં જાય છે વિશ્રામ કરવાં. તેમાં તો રીફ્રેશમેન્ટ ની વાત જ નથી. અહીં તમને બાપ રોજ સમજાવે છે તો તમે અહીંયા આવીને રિફ્રેશ થાઓ છો. યાદ કરવાથી તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. સતોપ્રધાન બનવા માટે જ તમે અહીં આવો છો. એનાં માટે શું પુરુષાર્થ છે? મીઠાં-મીઠાં બાળકો બાપ ને યાદ કરો. બાપે બધી શિક્ષા તો આપી છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે? તમને વિશ્રામ કેવી રીતે મળે છે? બીજું કોઈ પણ આ વાતો જાણતું નથી તો એમને પણ સમજાવવું જોઈએ, જેથી તે પણ તમારી જેમ રિફ્રેશ થઈ જાય. આપણી ફરજ જ આ છે, બધાને પૈગામ આપવો. અવિનાશી રિફ્રેશ થવાનું છે. અવિનાશી વિશ્રામ કરવાનો છે. બધાને આ પૈગામ આપો. આ જ યાદ અપાવવાની છે કે બાપ અને વારસા ને યાદ કરો. છે તો ખૂબ સહજ વાત. બેહદ નાં બાપ સ્વર્ગ રચે છે. સ્વર્ગ નો જ વારસો આપે છે. હમણાં તમે છો સંગમયુગ પર. માયા નાં શ્રાપ અને બાપ નાં વારસા ને તમે જાણો છો. જ્યારે માયા રાવણ નો શ્રાપ મળે છે તો પવિત્રતા પણ ખતમ, સુખ-શાંતિ પણ ખતમ, તો ધન પણ ખતમ થઈ જાય છે. કેવી રીતે ધીરે-ધીરે ખતમ થાય છે - તે પણ બાપે સમજાવ્યું છે. કેટલાં જન્મ લાગે છે, દુઃખધામ માં કોઈ વિશ્રામ થોડી થાય છે? સુખધામ માં વિશ્રામ જ વિશ્રામ છે. મનુષ્યો ને ભક્તિ કેટલી થકાવે છે. જન્મ-જન્માંતર ભક્તિ થકાવી દે છે. કંગાળ કરી દે છે. આ પણ હવે તમને બાપ સમજાવે છે. નવાં-નવાં આવે છે તો કેટલું સમજાવાય છે. દરેક વાત પર મનુષ્ય ખૂબ વિચાર કરે છે. સમજે છે ક્યાંક જાદુ ન હોય. અરે તમે કહો છો જાદુગર. તો હું પણ કહું છું - જાદુગર છું. પરંતુ જાદુ કોઈ તે નથી જે ઘેટા-બકરા વગેરે બનાવી દેશે. જનાવર તો નથી ને? આ બુદ્ધિ થી સમજાય છે. ગાયન પણ છે સુરમંડળ નાં સુર થી… આ સમયે મનુષ્ય જાણે રીઢ જેવાં છે. આ વાતો અહીં નાં માટે છે. સતયુગ માં નથી ગાતા, આ સમય નું જ ગાયન છે. ચંડિકા નો કેટલો મેળો લાગે છે. પૂછો તે કોણ હતી? કહેશે દેવી. હવે એવું નામ તો ત્યાં હોતું નથી. સતયુગ માં તો સદૈવ શુભ નામ હોય છે. શ્રી રામચંદ્ર, શ્રી કૃષ્ણ... શ્રી કહેવાય છે શ્રેષ્ઠ ને. સતયુગી સંપ્રદાય ને શ્રેષ્ઠ કહેવાય છે. કળિયુગી વિકારી સંપ્રદાય ને શ્રેષ્ઠ કેવી રીતે કહેવાશે? શ્રી એટલે શ્રેષ્ઠ. હમણાં નાં મનુષ્ય તો શ્રેષ્ઠ નથી. ગાયન પણ છે મનુષ્ય થી દેવતા… પછી દેવતા થી મનુષ્ય બને છે કારણકે ૫ વિકારો માં જાય છે. રાવણ રાજ્ય માં બધા મનુષ્ય જ મનુષ્ય છે. ત્યાં છે દેવતાઓ. તેને દૈવી દુનિયા, આને હ્યુમન (મનુષ્ય) દુનિયા કહેવાય છે. દૈવી દુનિયા ને દિવસ કહેવાય છે. મનુષ્ય દુનિયા ને રાત કહેવાય છે. દિવસ અજવાળા ને કહેવાય છે. રાત અજ્ઞાન અંધકાર ને કહેવાય છે. આ ફરક ને તમે જાણો છો. તમે સમજો છો આપણે પહેલાં કાંઈ પણ નહોતાં જાણતાં. હમણાં બધી વાતો બુદ્ધિ માં છે. ઋષિ-મુનિઓ ને પૂછે છે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો તો તે પણ નેતી-નેતી કરીને ગયાં. અમે નથી જાણતાં. હમણાં તમે સમજો છો આપણે પણ પહેલાં નાસ્તિક હતાં. બેહદ નાં બાપ ને જાણતા નહોતાં. એ છે અસલ અવિનાશી બાબા, આત્માઓ નાં બાબા. આપ બાળકો જાણો છો આપણે એ બેહદ નાં બાપ નાં બન્યાં છીએ, જે ક્યારેય બળતા નથી. અહીંયા તો બધા બળે છે, રાવણ ને પણ બાળે છે. શરીર છે ને? તો પણ આત્મા ને તો ક્યારેય કોઈ બાળી ન શકે. તો બાળકો ને બાપ આ ગુપ્ત જ્ઞાન સંભળાવે છે, જે બાપ ની પાસે જ છે. આ આત્મા માં ગુપ્ત જ્ઞાન છે. આત્મા પણ ગુપ્ત છે. આત્મા આ મુખ દ્વારા બોલે છે એટલે બાપ કહે છે - બાળકો, દેહ-અભિમાની ન બનો. આત્મ-અભિમાની બનો. નહીં તો જાણે ઉલ્ટા બની જાઓ છો. પોતાને આત્મા ભૂલી જાઓ છો. ડ્રામા નાં રહસ્ય ને પણ સારી રીતે સમજવાના છે. ડ્રામા માં જે નોંધ છે તે હૂબહૂ રિપીટ થાય છે. આ કોઈને ખબર નથી. ડ્રામા અનુસાર સેકન્ડ બાય સેકન્ડ કેવી રીતે ચાલતી રહે છે, આ પણ નોલેજ બુદ્ધિ માં છે. આકાશ નો કોઈ પણ પાર નથી મેળવી શકતાં. ધરતી નો મેળવી શકે છે. આકાશ સૂક્ષ્મ છે, ધરતી તો સ્થૂળ છે. ઘણી વસ્તુઓ નો પાર મેળવી નથી શકતાં. જ્યારે કહે પણ છે આકાશ જ આકાશ, પાતાળ જ પાતાળ છે. શાસ્ત્રો માં સાંભળ્યું છે ને, તો ઉપર પણ જઈને જુએ છે. ત્યાં પણ દુનિયા વસાવવા ની કોશિશ કરે છે. દુનિયા વસાવી તો ઘણી છે ને? ભારત માં ફક્ત એક જ દેવી-દેવતા ધર્મ હતો બીજા ખંડ વગેરે નહોતાં પછી કેટલું વસાવ્યું છે. તમે વિચાર કરો. ભારત નાં પણ કેટલાં થોડા ટુકડા (ભાગ) માં દેવતાઓ હોય છે. જમુના નો કાંઠો હોય છે. દિલ્લી પરિસ્તાન હતું, આને કબ્રસ્તાન કહેવાય છે, જ્યાં અકાળે મૃત્યુ થતું રહે છે. અમરલોક ને પરિસ્તાન કહેવાય છે. ત્યાં ખૂબ નેચરલ બ્યુટી (કુદરતી સૌન્દર્ય) હોય છે. ભારત ને હકીકત માં પરિસ્તાન કહેતાં હતાં. આ લક્ષ્મી-નારાયણ પરિસ્તાન નાં માલિક છે ને? કેટલાં શોભનિક છે. સતોપ્રધાન છે ને? નેચરલ બ્યુટી હતી. આત્મા પણ ચમકતો રહે છે. બાળકો ને દેખાડ્યું હતું કૃષ્ણ નો જન્મ કેવી રીતે થાય છે? આખાં ઓરડા માં જ જાણે ચમત્કાર થઈ જાય છે. તો બાપ બાળકો ને સમજાવે છે. હમણાં તમે પરિસ્તાન માં જવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. નંબરવાર તો જરુર જોઈએ. એક જેવાં બધા હોય ન શકે. વિચાર કરાય છે, આટલો નાનો આત્મા કેટલો મોટો પાર્ટ ભજવે છે. શરીર માંથી આત્મા નીકળી જાય છે તો શરીર નો શું હાલ થઈ જાય છે. આખી દુનિયા નાં એક્ટર્સ એ જ પાર્ટ ભજવે છે જે અનાદિ બનેલો હોય છે. આ સૃષ્ટિ પણ અનાદિ છે. આમાં દરેક નો પાર્ટ પણ અનાદિ છે. આને તમે વન્ડરફુલ ત્યારે કહો છો જ્યારે કે જાણો છો આ સૃષ્ટિ રુપી ઝાડ છે. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. ડ્રામા માં છતાં પણ જેનાં માટે જેટલો સમય છે એટલો સમજવામાં સમય લે છે. બુદ્ધિ માં ફરક છે ને? આત્મા મન-બુદ્ધિ સહિત છે ને તો કેટલો ફરક રહે છે? બાળકો ને ખબર પડે છે મારે સ્કોલરશિપ લેવાની છે. તો દિલ માં અંદર ખુશી થાય છે ને? અહીં પણ અંદર આવવાથી જ મુખ્ય લક્ષ સામે દેખાય છે તો જરુર ખુશી થશે ને? હમણાં તમે જાણો છો આ બનવા માટે અહીંયા ભણવા આવ્યાં છો. નહીં તો ક્યારેય કોઈ આવી ન શકે. આ છે મુખ્ય ઉદ્દેશ. એવી કોઈ સ્કૂલ ક્યાંય પણ નહીં હશે જ્યાં બીજા જન્મ નાં મુખ્ય ઉદ્દેશ ને જોઈ શકે. તમે જોઈ રહ્યાં છો આ સ્વર્ગ નાં માલિક છે, આપણે જ આ બનવા વાળા છીએ. આપણે હમણાં સંગમયુગ પર છીએ. નથી એ રાજાઈ નાં, નથી આ રાજાઈ નાં. આપણે વચ્ચે છીએ, જઈ રહ્યાં છીએ. ખેવૈયા (બાપ) પણ છે નિરાકાર. નાવ (આત્મા) પણ છે નિરાકાર. નાવ ને ખેંચીને પરમધામ માં લઈ જાય છે. નિરાકાર બાપ નિરાકાર બાળકો ને લઈ જાય છે. બાપ જ બાળકો ને સાથે લઈ જશે. આ ચક્ર પૂરું થાય છે પછી હૂબહૂ રીપીટ કરવાનું છે. એક શરીર છોડી બીજું લઈશું. નાનાં બનીને પછી મોટા બનીશું. જેમ કેરી ની ગોટલી ને જમીન માં નાખી દે છે તો એનાથી પછી કેરી નીકળી આવશે. તે છે હદ નું ઝાડ. આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ છે, આને વેરાયટી ઝાડ કહેવાય છે. સતયુગ થી લઈને કળિયુગ સુધી બધા પાર્ટ ભજવતા રહે છે. અવિનાશી આત્મા ૮૪ નાં ચક્ર નો પાર્ટ ભજવે છે. લક્ષ્મી-નારાયણ હતાં જે હમણાં નથી. ચક્ર લગાવી હવે ફરી આ બને છે. કહેશે પહેલાં આ લક્ષ્મી-નારાયણ હતાં પછી એમનો આ છે છેલ્લો જન્મ બ્રહ્મા-સરસ્વતી. હવે બધાએ પાછા જરુર જવાનું છે. સ્વર્ગ માં તો આટલાં મનુષ્ય હતાં નહીં. ન ઈસ્લામી, ન બૌદ્ધી… કોઈ પણ ધર્મવાળા એક્ટર્સ નહોતાં, સિવાય દેવી-દેવતાઓ નાં. આ સમજણ પણ કોઈ માં નથી. સમજદાર ને ટાઇટલ (પદવી) મળવું જોઈએ ને? જેટલું જે ભણે છે નંબરવાર પુરુષાર્થ થી પદ મેળવે છે. તો આપ બાળકો ને અહીંયા આવવા થી જ આ મુખ્ય ઉદ્દેશ જોઈ ખુશી થવી જોઈએ. ખુશી નો તો પારો નથી. પાઠશાળા કે સ્કૂલ હોય તો આવી. છે કેટલી ગુપ્ત, પરંતુ જબરજસ્ત પાઠશાળા છે. જેટલું ઊંચું ભણતર, એટલી ઊંચી કોલેજ. ત્યાં બધી ફેસીલીટી (વ્યવસ્થા) મળે છે. આત્મા ને ભણવાનું છે પછી ભલે સોના નાં તખ્ત પર કે લાકડી નાં તખ્ત પર ચઢે. બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ કારણકે શિવ ભગવાનુવાચ છે ને? પહેલાં નંબર માં છે આ વિશ્વ નાં પ્રિન્સ. બાળકો ને હવે ખબર પડી છે. કલ્પ-કલ્પ બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે. હું આમનાં માં પ્રવેશ કરી આપ બાળકો ને ભણાવી રહ્યો છું. દેવતાઓ માં આ જ્ઞાન થોડી હશે? જ્ઞાન થી દેવતા બની ગયા પછી ભણતર ની જરુર નથી, આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ સમજવાની. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ પતિત દુનિયા નો બુદ્ધિ થી સંન્યાસ કરી જૂનાં દેહ અને દેહ નાં સંબંધીઓ ને ભૂલી પોતાની બુદ્ધિ બાપ અને સ્વર્ગ તરફ લગાવવાની છે.

2. અવિનાશી વિશ્રામ નો અનુભવ કરવા માટે બાપ અને વારસા ની સ્મૃતિ માં રહેવાનું છે. બધાને બાપ નો સંદેશ આપી રિફ્રેશ કરવાના છે. રુહાની સર્વિસ માં શરમ નથી કરવાની.

વરદાન :-
સંગઠન માં એકમત અને એકરસ સ્થિતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરવા વાળા સાચાં સ્નેહી ભવ

સંગઠન માં એકે કહ્યું બીજાએ માન્યું - આ છે સાચાં સ્નેહ નો રેસ્પોન્ડ (પ્રત્યુતર). એવાં સ્નેહી બાળકો નું ઉદાહરણ જોઈ બીજા પણ સંપર્ક માં આવવા માટે હિંમત રાખે છે. સંગઠન પણ સેવા નું સાધન બની જાય છે. જ્યાં માયા જુએ છે કે આમની યુનિટી સારી છે, ઘેરાવ છે તો ત્યાં આવવાની હિંમત નથી રાખતી. એકમત અને એકરસ સ્થિતિ નાં સંસ્કાર જ સતયુગ માં એક રાજ્ય ની સ્થાપના કરે છે.

સ્લોગન :-
કર્મ અને યોગ નું બેલેન્સ રાખવા વાળા જ સફળ યોગી છે.

સંગમયુગી સર્વ તીવ્ર પુરુષાર્થી ભાઈ બહેનો ને નવાં યુગ ની સાથે નવાં વર્ષ ની ખૂબ - ખૂબ શુભ વધાઈઓ !

નવાં વર્ષ નો આ પહેલો જાન્યુઆરી મહિનો મીઠાં સાકાર બાબા ની સ્મૃતિ નો મહિનો છે, આપણે બધા બાબા નાં બાળકો અવ્યક્ત વતન ની સૂક્ષ્મ લીલાઓ નો અનુભવ કરવાનો તથા સ્વયં ને બ્રહ્મા બાપ સમાન સંપન્ન તથા સંપૂર્ણ બનાવવા માટે પૂરો જ મહિનો પોતાને બંધનમુક્ત, જીવનમુક્ત સ્થિતિ બનાવવા માટે મન અને મુખ નું મૌન રાખીએ. બુદ્ધિબળ થી અવ્યક્ત વતન ની સૈર કરીએ, આ જ લક્ષ થી આ મહિના નાં અવ્યક્તિ ઇશારા મોકલી રહ્યાં છીએ:-

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો .

બાપદાદા ઈચ્છે છે - મારાં એક-એક બાળક મુક્તિ-જીવનમુક્તિ નાં વારસા નાં અધિકારી બને. હમણાં નાં અભ્યાસ ની સતયુગ માં નેચરલ લાઈફ હશે પરંતુ વારસા નો અધિકાર હમણા સંગમ પર છે એટલે જો કોઈ પણ બંધન ખેંચે છે તો કારણ વિચારી અને નિવારણ કરો.