01-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - પ્રીત અને વિપરીત આ પ્રવૃત્તિ માર્ગ નાં શબ્દો છે , હમણાં તમારી પ્રીત એક બાપ સાથે થઈ છે , આપ બાળકો નિરંતર બાપ ની યાદ માં રહો છો”
પ્રશ્ન :-
યાદ ની યાત્રા ને બીજું કયું નામ આપીશું?

ઉત્તર :-
યાદ ની યાત્રા પ્રીત ની યાત્રા છે. વિપરીત બુદ્ધિ વાળા માંથી નામ-રુપ માં ફસાવાની દુર્ગંધ આવે છે. તેમની બુદ્ધિ તમોપ્રધાન થઈ જાય છે. જેમની પ્રીત એક બાપ સાથે છે તે જ્ઞાન નું દાન કરતા રહેશે. કોઈ પણ દેહધારી સાથે તેમની પ્રીત નથી થઈ શકતી.

ગીત :-
યહ વક્ત જા રહા હૈં…

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવી રહ્યાં છે. હવે આને યાદ ની યાત્રા પણ કહીએ તો પ્રીત ની યાત્રા પણ કહીએ. મનુષ્ય તો તે યાત્રાઓ પર જાય છે. આ જે રચના છે એમની યાત્રા પર જાય છે, ભિન્ન-ભિન્ન રચના છે ને? રચયિતા ને તો કોઈ પણ જાણતા જ નથી. હમણાં તમે રચયિતા બાપ ને જાણો છો, એ બાપ ની યાદ માં તમારે ક્યારેય અટકવાનું નથી. તમને યાત્રા મળી છે યાદ ની. આને યાદ ની યાત્રા અથવા પ્રીત ની યાત્રા કહેવાય છે. જેમની વધારે પ્રીત હશે તે યાત્રા પણ સારી કરશે. જેટલાં પ્રેમ થી યાત્રા પર રહેશે, પવિત્ર પણ બનતા જશે. શિવ ભગવાનુવાચ છે ને? વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને વિનાશકાળે પ્રીત બુદ્ધિ. આપ બાળકો જાણો છો હમણાં વિનાશકાળ છે. આ તે જ ગીતા એપિસોડ (અધ્યાય) ચાલી રહ્યો છે. બાબાએ શ્રીકૃષ્ણ ની ગીતા અને ત્રિમૂર્તિ શિવ ની ગીતા નો તફાવત પણ બતાવ્યો છે! હવે ગીતા નાં ભગવાન કોણ? પરમપિતા શિવ ભગવાનુવાચ. ફક્ત શિવ શબ્દ નથી લખવાનો કારણકે શિવ નામ પણ ઘણાઓનું છે એટલે પરમપિતા પરમાત્મા લખવાથી એ સુપ્રિમ (સર્વોચ્ચ) થઈ ગયાં. પરમપિતા તો કોઈ પોતાને કહી ન શકે. સંન્યાસી લોકો શિવોહમ્ કહી દે છે, તે તો બાપ ને યાદ પણ કરી ન શકે. બાપ ને જાણતા જ નથી. બાપ સાથે પ્રીત જ નથી. પ્રીત અને વિપરીત આ પ્રવૃત્તિ માર્ગ માટે છે. કોઈ બાળકો ની બાપ સાથે પ્રીત બુદ્ધિ હોય છે, કોઈ ની વિપરીત બુદ્ધિ પણ હોય છે. તમારા માં પણ એવાં છે. બાપ સાથે પ્રીત તેમની છે, જે બાપ ની સર્વિસ (સેવા) માં તત્પર છે. બાપ સિવાય બીજા કોઈ સાથે પ્રીત થઈ ન શકે. શિવબાબા ને જ કહે છે બાબા અમે તો તમારા જ મદદગાર છીએ. બ્રહ્મા ની આમાં વાત જ નથી. શિવબાબા ની સાથે જે આત્માઓ ની પ્રીત હશે તે જરુર મદદગાર હશે. શિવબાબા ની સાથે તે સર્વિસ કરતા રહેશે. પ્રીત નથી તો વિપરીત થઈ જાય છે, વિપરીત બુદ્ધિ વિનશયન્તી. જેમની બાપ સાથે પ્રીત હશે તો મદદગાર પણ બનશે. જેટલી પ્રીત એટલાં સર્વિસ માં મદદગાર બનશે. યાદ જ નથી કરતા તો પ્રીત નથી. પછી દેહધારીઓ સાથે પ્રીત થઈ જાય છે. મનુષ્ય, મનુષ્ય ને પોતાની યાદગાર ની ચીજ પણ આપે છે ને? તે યાદ જરુર આવે છે.

હમણાં આપ બાળકો ને બાપ અવિનાશી જ્ઞાન-રત્નો ની સૌગાત (ભેંટ) આપે છે, જેનાથી તમે રાજાઈ પ્રાપ્ત કરો છો. અવિનાશી જ્ઞાન-રત્નો નું દાન કરે છે તો પ્રીત બુદ્ધિ છે. જાણે છે બાબા બધા નું કલ્યાણ કરવા આવ્યા છે, આપણે પણ મદદગાર બનવાનું છે. એવાં પ્રીત બુદ્ધિ વિજયન્તી બને છે. જે યાદ જ નથી કરતા તે પ્રીત બુદ્ધિ નથી. બાપ સાથે પ્રીત હશે, યાદ કરશે તો વિકર્મ વિનાશ થશે અને બીજાઓને પણ કલ્યાણ નો રસ્તો બતાવશે. આપ બ્રાહ્મણ બાળકો માં પણ પ્રીત અને વિપરીત નો આધાર છે. બાપ ને વધારે યાદ કરે છે તો પ્રીત છે. બાપ કહે છે મને નિરંતર યાદ કરો, મારા મદદગાર બનો. રચના ને એક રચયિતા બાપ જ યાદ રહેવા જોઈએ. કોઈ રચના ને યાદ નથી કરવાની. દુનિયામાં તો રચયિતા ને કોઈ જાણતા જ નથી, નથી યાદ કરતાં. સંન્યાસી લોકો પણ બ્રહ્મ ને યાદ કરે છે, તે પણ રચના થઈ ગઈ. રચયિતા તો બધા નાં એક જ છે ને? બીજી જે પણ ચીજો આ આંખો થી જુઓ છો તે બધી તો છે રચના. જે નથી દેખાતા એ છે રચયિતા બાપ. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં પણ ચિત્ર છે. તે પણ રચના છે. બાબાએ જે ચિત્ર બનાવવા માટે કહ્યું છે ઉપર લખવાનું છે પરમપિતા પરમાત્મા ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. ભલે કોઈ પોતાને ભગવાન કહે પરંતુ પરમપિતા કહી ન શકે. તમારો બુદ્ધિયોગ છે શિવબાબા સાથે, નહીં કે શરીર ની સાથે. બાપે સમજાવ્યું છે સ્વયં ને અશરીરી આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. પ્રીત અને વિપરીત નો બધો આધાર છે સર્વિસ પર. સારી પ્રીત હશે તો બાપ ની સર્વિસ પણ સારી કરશે, ત્યારે વિજયન્તી કહેવાશે. પ્રીત નથી તો સર્વિસ પણ નહીં થશે. પછી પદ પણ ઓછું. ઓછા પદ ને કહેવાય છે ઊંચ પદ થી વિનશયન્તી. આમ વિનાશ તો બધાનો થાય જ છે, પરંતુ આ ખાસ પ્રીત અને વિપરીત ની વાત છે. રચયિતા બાપ તો એક જ છે, એમને જ શિવ પરમાત્માય નમઃ કહે છે. શિવજયંતિ પણ મનાવે છે. શંકરજયંતિ ક્યારેય સાંભળ્યું નથી. પ્રજાપિતા બ્રહ્મા નું નામ પણ પ્રસિધ્ધ છે, વિષ્ણુ ની જયંતિ નથી મનાવતા, શ્રીકૃષ્ણ ની મનાવે છે. આ પણ કોઈને ખબર નથી-શ્રીકૃષ્ણ અને વિષ્ણુ માં શું ફરક છે? મનુષ્યો ની છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. તો તમારા માં પણ પ્રીત અને વિપરીત બુદ્ધિ છે ને? બાપ કહે છે તમારો આ રુહાની ધંધો તો બહુ જ સારો છે. સવારે અને સાંજે આ સર્વિસ માં લાગી જાઓ. સાંજ નો સમય ૬ થી ૭ સુધી સારો કહે છે. સત્સંગ વગેરે પણ સાંજે અને સવારે કરે છે. રાત્રે તો વાયુમંડળ ખરાબ થઈ જાય છે. રાત્રે આત્મા સ્વયં શાંતિ માં ચાલ્યો જાય છે, જેને નિંદ્રા (નિંદર) કહેવાય છે. પછી સવારે જાગે છે. કહે પણ છે રામ સિમર પ્રભાત મોરે મન. હવે બાપ બાળકોને સમજાવે છે મુજ બાપ ને યાદ કરો. શિવબાબા જ્યારે શરીર માં પ્રવેશ કરે ત્યારે તો કહે કે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે. આપ બાળકો જાણો છો આપણે કેટલાં બાપ ને યાદ કરીએ છીએ અને રુહાની સેવા કરીએ છીએ. બધા ને આ જ પરિચય આપવાનો છે-સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. ખાદ નીકળી જશે. પ્રીત બુદ્ધિ માં પણ પર્સન્ટેજ (ટકાવારી) છે. બાપ સાથે પ્રીત નથી તો જરુર પોતાનાં દેહ માં પ્રીત છે અથવા મિત્ર-સંબંધીઓ વગેરે સાથે પ્રીત છે. બાપ સાથે પ્રીત હશે તો સર્વિસ માં લાગી જશે. બાપ સાથે પ્રીત નથી તો સર્વિસ માં પણ નહીં લાગશે. કોઈને ફક્ત અલ્ફ અને બે નું રહસ્ય સમજાવવું તો ખૂબ સહજ છે. હે ભગવાન, હે પરમાત્મા કહી યાદ કરે છે પરંતુ એમને જાણતા બિલકુલ નથી. બાબાએ સમજાવ્યું છે દરેક ચિત્ર માં ઉપર પરમપિતા ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ જરુર લખવાનું છે તો કોઈ કાંઈ કહી ન શકે. હમણાં આપ બાળકો તો પોતાનું સેપલિંગ (કલમ) લગાવી રહ્યાં છો. બધાને રસ્તો બતાવો તો બાપ પાસે થી આવીને વારસો લે. બાપ ને જાણતા જ નથી એટલે પ્રીત બુદ્ધિ નથી. પાપ વધતા-વધતા એકદમ તમોપ્રધાન બની ગયા છે. બાપ સાથે પ્રીત તેમની હશે જે ખૂબ યાદ કરશે. તેમની જ ગોલ્ડન એજ (સતોપ્રધાન) બુદ્ધિ હશે. જો બીજી તરફ બુદ્ધિ ભટકતી હશે તો તમોપ્રધાન જ રહેશે. ભલે સામે બેઠાં છે તો પણ પ્રીત બુદ્ધિ નહીં કહેવાશે કારણકે યાદ જ નથી કરતાં. પ્રીત બુદ્ધિ ની નિશાની છે યાદ. તે ધારણા કરશે, બીજા પર પણ રહેમ કરતા રહેશે કે બાપ ને યાદ કરો તો તમે પાવન બનશો. આ કોઈને પણ સમજાવવું તો ખૂબ સહજ છે. બાપ સ્વર્ગ ની બાદશાહી નો વારસો બાળકોને જ આપે છે. જરુર શિવબાબા આવ્યા હતાં ત્યારે તો શિવજયંતિ પણ મનાવે છે ને? કૃષ્ણ, રામ વગેરે બધા થઈને (આવીને) ગયા છે ત્યારે તો મનાવતા આવે છે ને? શિવબાબા ને પણ યાદ કરે છે, કારણકે એ આવીને બાળકો ને વિશ્વ ની બાદશાહી આપે છે, નવાં કોઈ આ વાતો ને સમજી ન શકે. ભગવાન કેવી રીતે આવીને વારસો આપે છે, બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે. યાદ કરવાની બુદ્ધિ નથી. બાપ સ્વયં કહે છે તમે અડધાકલ્પ નાં આશિક છો. હું હમણાં આવેલો છું. ભક્તિમાર્ગ માં તમે કેટલાં ધક્કા ખાઓ છો. પરંતુ ભગવાન તો કોઈને મળ્યા જ નથી. હમણાં આપ બાળકો સમજો છો બાપ ભારત માં જ આવ્યા હતાં અને મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો બતાવ્યો હતો. શ્રીકૃષ્ણ તો આ રસ્તો બતાવતા નથી. ભગવાન સાથે પ્રીત કેવી રીતે જોડાય તે પણ ભારતવાસીઓને જ બાપ આવીને શીખવાડે છે. આવે પણ ભારત માં છે. શિવજયંતિ મનાવે છે. આપ બાળકો જાણો છો ઊંચા માં ઊંચા છે ભગવાન, એમનું નામ છે શિવ એટલે તમે લખો છો શિવજયંતિ જ હીરાતુલ્ય છે, બાકી બધાની જયંતિ છે કોડીતુલ્ય. આવું લખવાથી બગડે છે એટલે દરેક ચિત્ર માં જો શિવ ભગવાનુવાચ હશે તો તમે સેફ્ટી માં (સુરક્ષિત) રહેશો. કોઈ-કોઈ બાળક પૂરું નથી સમજતા તો નારાજ થઈ જાય છે. માયાની ગ્રહચારી, પહેલો વાર બુદ્ધિ પર જ કરે છે. બાપ સાથે જ બુદ્ધિયોગ તોડી દે છે, જેનાથી એકદમ ઉપર થી નીચે પડી જાય છે. દેહધારીઓ સાથે બુદ્ધિયોગ અટકી (ફસાઈ) જાય છે તો બાપ સાથે વિપરીત થયા ને? તમારે પ્રીત રાખવાની છે એક વિચિત્ર વિદેહી બાપ સાથે. દેહધારી સાથે પ્રીત રાખવી નુકસાનકારક છે. બુદ્ધિ ઉપર થી તૂટે છે તો એકદમ નીચે પડી જાય છે. ભલે આ અનાદિ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, છતાં પણ સમજાવશે તો ખરા ને? વિપરીત બુદ્ધિ થી તો જાણે દુર્ગંધ આવે છે, નામ-રુપ માં ફસાવાની. નહીં તો સર્વિસ માં ઉભા થઈ જવું જોઈએ. બાબાએ કાલે પણ સારી રીતે સમજાવ્યું-મુખ્ય વાત છે જ ગીતા નાં ભગવાન કોણ? આમાં જ તમારો વિજય થવાનો છે. તમે પૂછો છો કે ગીતા નાં ભગવાન શિવ કે શ્રીકૃષ્ણ? સુખ આપવાવાળા કોણ છે? સુખ આપવાવાળા તો શિવ છે તો એમને વોટ (મત) આપવો જોઈએ. એમની જ મહિમા છે. હવે વોટ આપો ગીતા નાં ભગવાન કોણ? શિવ ને વોટ આપવાવાળા ને કહેવાશે પ્રીત બુદ્ધિ. આ તો બહુ જ ભારે ઇલેક્શન (ચૂંટણી) છે. આ બધી યુક્તિઓ તેમની બુદ્ધિ માં આવશે જે આખો દિવસ વિચાર સાગર મંથન કરતા રહેતાં હશે.

ઘણાં બાળકો ચાલતાં-ચાલતાં રિસાઈ જાય છે. હમણાં જુઓ તો પ્રીત છે, હમણાં જુઓ તો પ્રીત તૂટી જાય, રિસાઈ જાય છે. કોઈ વાત થી બગડે તો ક્યારેય યાદ પણ નહીં કરશે. ચિઠ્ઠી પણ નહીં લખશે. એટલે પ્રીત નથી. તો બાબા પણ ૬-૮ માસ ચિઠ્ઠી નહીં લખશે. બાબા કાળો નાં કાળ પણ છે ને? સાથે ધર્મરાજ પણ છે. બાપ ને યાદ કરવાની ફુરસદ નથી તો તમે શું પદ મેળવશો? પદ ભ્રષ્ટ થઈ જશે. શરુ માં બાબાએ ખૂબ યુક્તિ થી પદ બતાવ્યા હતાં. હમણાં તો તેઓ છે થોડી? હવે તો ફરીથી માળા બનવાની છે. સર્વિસેબલ (સેવાધારી) ની તો બાબા પણ મહિમા કરતા રહેશે. જે પોતે બાદશાહ બને છે તો કહેશે અમારા હમજીન્સ પણ બને. આ પણ અમારી જેમ રાજ્ય કરે. રાજા ને અન્નદાતા, માત-પિતા કહે છે. હવે માતા તો છે જગત અંબા, એમનાં દ્વારા તમને સુખ ઘનેરા (અથાહ) મળે છે. તમારે પુરુષાર્થ થી ઊંચ પદ મેળવવાનું છે. દિવસે-દિવસે આપ બાળકોને ખબર પડતી જશે - કોણ-કોણ શું બનશે? સર્વિસ કરશે તો બાપ પણ તેમને યાદ કરશે. સર્વિસ જ નથી કરતા તો બાપ યાદ કેમ કરે? બાપ યાદ એ બાળકોને કરશે જે પ્રીત બુદ્ધિ હશે.

આ પણ બાબાએ સમજાવ્યું છે - કોઈની આપેલી કોઈ વસ્તુ પહેરશો તો તેમની યાદ જરુર આવશે. બાબા નાં ભંડારા થી લેશો તો શિવબાબા જ યાદ આવશે. બાબા સ્વયં અનુભવ બતાવે છે. યાદ જરુર આવે છે એટલે કોઈની પણ આપેલી ચીજ રાખવી ન જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) એક વિદેહી વિચિત્ર બાપ સાથે દિલ ની સાચ્ચી પ્રીત રાખવાની છે. સદા ધ્યાન રહે-માયા ની ગ્રહચારી ક્યારેય બુદ્ધિ પર વાર ન કરી દે.

2) ક્યારેય પણ બાપ થી રીસાવાનું નથી. સર્વિસેબલ બની પોતાનું ભવિષ્ય ઊંચું બનાવવાનું છે. કોઈની પણ આપેલી ચીજ પોતાની પાસે નથી રાખવાની.

વરદાન :-
શુદ્ધિ ની વિધિ દ્વારા કિલ્લા ને મજબૂત કરવા વાળા સદા વિજયી અને નિર્વિઘ્ન ભવ

આ કિલ્લા માં દરેક આત્મા સદા વિજયી અને નિર્વિઘ્ન બની જાય એનાં માટે વિશેષ સમય પર ચારેય તરફ એક સાથે યોગ નો પ્રોગ્રામ રાખો. પછી કોઈપણ આ તાર ને કાપી નહીં શકશે કારણકે જેટલી સેવા વધારતા જશો એટલી માયા પોતાનાં બનાવવાની કોશિશ પણ કરશે એટલે જેવી રીતે કોઈપણ કાર્ય શરુ કરતી વખતે શુદ્ધિ ની વિધિ અપનાવો છો, એવી રીતે સંગઠિત રુપ માં આપ સર્વશ્રેષ્ઠ આત્માઓ નો એક જ શુભ સંકલ્પ હોય-વિજયી, આ છે શુદ્ધિ ની વિધિ-જેનાથી કિલ્લો મજબૂત થઈ જશે.

સ્લોગન :-
યુક્તિયુક્ત તથા યથાર્થ સેવા નું પ્રત્યક્ષ ફળ છે ખુશી.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

બ્રાહ્મણ-જીવન માં ફર્સ્ટ નંબર નું કલ્ચર છે “સત્યતા અને સભ્યતા”. તો દરેક નાં ચહેરા અને ચલન માં આ બ્રાહ્મણ-કલ્ચર પ્રત્યક્ષ થાય. દરેક બ્રાહ્મણ હર્ષિત મુખ સાથે દરેક નાં સંપર્ક માં આવે. કોઈ કેવાં પણ હોય તમે પોતાનું આ કલ્ચર ક્યારેય ન છોડો તો સહજ પરમાત્મ-પ્રત્યક્ષતા નાં નિમિત્ત બની જશો.