01-04-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ નોલેજફુલ છે , એમને જાની - જાનનહાર કહેવું , આ ઉલ્ટી મહિમા છે , બાપ આવે જ છે તમને પતિત થી પાવન બનાવવાં”

પ્રશ્ન :-
બાપ ની સાથે-સાથે સૌથી વધારે મહિમા બીજા કોની છે અને કેવી રીતે?

ઉત્તર :-
૧. બાપ ની સાથે ભારત ની મહિમા પણ ખૂબ છે. ભારત જ અવિનાશી ખંડ છે. ભારત જ સ્વર્ગ બને છે. બાપે ભારતવાસીઓ ને જ ધનવાન, સુખી અને પવિત્ર બનાવ્યાં છે. ૨. ગીતા ની પણ અપરમઅપાર મહિમા છે, સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા છે. ૩. આપ ચૈતન્ય જ્ઞાન ગંગાઓની પણ ખૂબ મહિમા છે. તમે ડાયરેક્ટ જ્ઞાનસાગર થી નીકળેલી છો.

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો અર્થ તો નવાં તથા જૂનાં બાળકોએ સમજ્યો છે. આપ બાળકો જાણી ગયા છો - આપણે સર્વ આત્માઓ પરમાત્મા નાં સંતાન છીએ. પરમાત્મા ઊંચા માં ઊંચા અને ખૂબ પ્રિય માં પ્રિય સર્વ નાં માશૂક છે. બાળકો ને જ્ઞાન અને ભક્તિ નું રહસ્ય તો સમજાવ્યું છે. જ્ઞાન એટલે દિવસ - સતયુગ-ત્રેતા, ભક્તિ એટલે રાત - દ્વાપર-કળિયુગ. ભારત ની જ વાત છે. પહેલાં-પહેલાં તમે ભારતવાસી આવો છો. ૮૪ નું ચક્ર પણ આપ ભારતવાસીઓ માટે છે. ભારત જ અવિનાશી ખંડ છે. ભારત ખંડ જ સ્વર્ગ બને છે, બીજા કોઈ ખંડ સ્વર્ગ નથી બનતાં. બાળકો ને સમજાવાયું છે-નવી દુનિયા સતયુગ માં ભારત જ હોય છે. ભારત જ સ્વર્ગ કહેવાય છે. ભારતવાસી જ ફરી ૮૪ જન્મ લે છે, નર્કવાસી બને છે. તેઓ જ પછી સ્વર્ગવાસી બનશે. આ સમયે બધા નર્કવાસી છે છતાં પણ બીજા બધા ખંડ વિનાશ થઈ બાકી ભારત રહેશે. ભારતખંડ ની મહિમા અપરમઅપાર છે. ભારત માં જ બાપ આવીને તમને રાજયોગ શીખવાડે છે. આ ગીતા નો પુરુષોત્તમ સંગમયુગ છે. ભારત જ પછી પુરુષોત્તમ બનવાનો છે. હમણાં તે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પણ નથી, રાજ્ય પણ નથી તો તે યુગ પણ નથી. આપ બાળકો જાણો છો વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી (વિશ્વ ની સર્વશક્તિવાન સત્તા) એક ભગવાન ને જ કહેવાય છે. ભારતવાસી આ બહુ જ ભૂલ કરે છે જે કહે છે એ અંતર્યામી છે. બધા નાં અંદર ને એ જાણે છે. બાપ કહે છે હું કોઈ નાં પણ અંદર ને નથી જાણતો. મારું તો કામ જ છે પતિતો ને પાવન બનાવવાનું. ઘણાં કહે છે શિવબાબા તમે તો અંતર્યામી છો. બાબા કહે છે હું નથી, હું કોઈ નાં પણ દિલ ને નથી જાણતો. હું તો ફક્ત આવીને પતિતો ને પાવન બનાવું છું. મને બોલાવે જ પતિત દુનિયામાં છે. અને હું એક જ વાર આવું છું જ્યારે જૂની દુનિયા ને નવી બનાવવાની છે. મનુષ્ય ને એ ખબર નથી કે આ જે દુનિયા છે તે નવી થી જૂની, જૂની થી નવી ક્યારે થાય છે? દરેક ચીજ નવી થી જૂની સતો, રજો, તમો માં જરુર આવે છે. મનુષ્ય પણ આમ જ હોય છે. બાળક સતોપ્રધાન છે પછી યુવા બને છે પછી વૃદ્ધ થાય છે અર્થાત્ રજો, તમો માં આવે છે. વૃદ્ધ શરીર થાય છે તો તે છોડીને પછી બાળક બનશે. બાળકો જાણે છે નવી દુનિયામાં ભારત કેટલું ઊંચ હતું! ભારત ની મહિમા અપરમપાર છે. આટલો સુખી, ધનવાન, પવિત્ર બીજો કોઈ ખંડ નથી. ફરી સતોપ્રધાન બનાવવા બાપ આવ્યાં છે. સતોપ્રધાન દુનિયા ની સ્થાપના થઈ રહી છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને ક્રિયેટ (બનાવ્યાં) કોણે કર્યાં? ઊંચા માં ઊંચા તો શિવ છે. કહે છે ત્રિમૂર્તિ બ્રહ્મા, અર્થ તો સમજતા નથી. હકીકત માં કહેવું જોઈએ ત્રિમૂર્તિ શિવ, નહીં કે બ્રહ્મા. હવે ગાય છે દેવ-દેવ મહાદેવ. શંકર ને ઊંચા રાખે છે તો ત્રિમૂર્તિ શંકર કહે ને? પછી ત્રિમૂર્તિ બ્રહ્મા કેમ કહે છે? શિવ છે રચયિતા. ગાયન પણ છે પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા સ્થાપના કરે છે બ્રાહ્મણો ની. ભક્તિમાર્ગ માં નોલેજફુલ બાપ ને જાની-જાનનહાર કહી દે છે, હવે તે મહિમા અર્થ સહિત નથી. આપ બાળકો જાણો છો બાપ દ્વારા આપણને વારસો મળે છે, એ સ્વયં આપણ ને બ્રાહ્મણો ને ભણાવે છે કારણકે એ બાપ પણ છે, સુપ્રીમ શિક્ષક પણ છે, વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રાફી કેવી રીતે ચક્ર લગાવે છે, તે પણ સમજાવે છે, એ જ નોલેજફુલ છે. બાકી એવું નથી કે એ જાની-જાનનહાર છે. આ ભૂલ છે. હું તો ફક્ત આવીને પતિતો ને પાવન બનાવું છું, ૨૧ જન્મો માટે રાજ્ય-ભાગ્ય આપું છું. ભક્તિમાર્ગ માં છે અલ્પકાળ નું સુખ, જેને સંન્યાસી હઠયોગી જાણતા જ નથી. બ્રહ્મ ને યાદ કરે છે. હવે બ્રહ્મ તો ભગવાન નથી. ભગવાન તો એક નિરાકાર શિવ છે, જે સર્વ આત્માઓ નાં બાપ છે. આપણું આત્માઓ નું રહેવાનું સ્થાન બ્રહ્માંડ સ્વીટ હોમ છે. ત્યાં થી આપણે આત્માઓ અહીં પાર્ટ ભજવવા આવીએ છીએ. આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું-ત્રીજું લઉં છું. ૮૪ જન્મ પણ ભારતવાસીઓ નાં જ છે, જેમણે ખૂબ ભક્તિ કરી છે તે જ પછી જ્ઞાન પણ વધારે ઉઠાવશે.

બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં ભલે રહો પરંતુ શ્રીમત પર ચાલો. તમે બધા આત્માઓ આશિક છો એક પરમાત્મા માશૂક નાં. ભક્તિમાર્ગ થી લઈને તમે યાદ કરતા આવ્યાં છો. આત્મા બાપ ને યાદ કરે છે. આ છે જ દુઃખધામ. આપણે આત્માઓ અસલ શાંતિધામ નાં નિવાસી છીએ. પછી આવ્યાં સુખધામ માં પછી આપણે ૮૪ જન્મ લીધાં. “હમ સો, સો હમ” નો અર્થ પણ સમજાવ્યો છે. તે તો કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. હવે બાપે સમજાવ્યું છે - હમ સો દેવતા, ક્ષત્રિય, વૈશ્ય સો શુદ્ર. હમણાં આપણે જ બ્રાહ્મણ બન્યાં છીએ દેવતા બનવા માટે. આ છે યથાર્થ અર્થ. તે છે બિલકુલ ખોટું. સતયુગ માં એક દેવી-દેવતા ધર્મ, અદ્વૈત ધર્મ હતો. પછી બીજા ધર્મ આવ્યાં છે તો દ્વૈત થયો. દ્વાપર થી આસુરી રાવણ રાજ્ય શરુ થઈ જાય છે. સતયુગ માં રાવણ રાજ્ય જ નથી તો ૫ વિકાર પણ ન હોઈ શકે. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી.

હમણાં તમે છો ગોડલી સ્ટુડન્ટ (ઈશ્વરીય વિદ્યાર્થી). તો આ શિક્ષક પણ થયાં, ફાધર પણ થયાં. પછી આપ બાળકો ને સદ્દગતિ આપી, સ્વર્ગ માં લઈ જાય છે. તો બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય થઈ ગયાં. એમનાં તમે બાળકો બન્યાં છો તો તમને કેટલી ખુશી થવી જોઈએ? મનુષ્ય તો કાંઈ પણ નથી જાણતા, રાવણ રાજ્ય છે ને? દર વર્ષે રાવણ ને બાળતા આવ્યાં છે પરંતુ રાવણ છે કોણ? આ નથી જાણતાં. આપ બાળકો જાણો છો-આ રાવણ ભારત નો સૌથી મોટો દુશ્મન છે. આ નોલેજ આપ બાળકો ને જ નોલેજફુલ બાપ પાસે થી મળે છે. એ બાપ જ જ્ઞાન નાં સાગર, આનંદ નાં સાગર છે. જ્ઞાન સાગર થી તમે વાદળ ભરીને પછી જઈને વર્ષા વરસાવો છો. જ્ઞાનગંગા તમે છો, તમારી જ મહિમા છે. બાપ કહે છે હું તમને હમણાં પાવન બનાવવા આવ્યો છું, આ એક જન્મ પવિત્ર બનો, મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. હું જ પતિત-પાવન છું, જેટલું થઈ શકે યાદ ને વધારો. મુખ થી શિવબાબા કહેવાનું પણ નથી. જેમ આશૂક માશૂક ને યાદ કરે છે, એક વખત જોયાં, બસ, પછી બુદ્ધિ માં તેમની જ યાદ રહેશે. ભક્તિમાર્ગ માં જે, જે દેવતા ને યાદ કરે છે, પૂજા કરે, તેમનો સાક્ષાત્કાર થઈ જાય છે. તે છે અલ્પકાળ માટે. ભક્તિ કરતા નીચે ઉતરતા આવ્યાં છે. હવે તો મોત સામે છે. હાય-હાય પછી ફરી જય-જયકાર થવાનો છે. ભારત માં જ લોહી ની નદી વહેવાની છે. સિવિલ વોર (ગૃહયુદ્ધ) નાં અણસાર પણ દેખાઈ રહ્યાં છે. તમોપ્રધાન બની ગયા છે. હવે તમે સતોપ્રધાન બની રહ્યાં છો. જે કલ્પ પહેલાં દેવતા બન્યાં છે, તે આવીને બાપ પાસે થી વારસો લેશે. ઓછી ભક્તિ કરી હશે તો જ્ઞાન થોડું ઉઠાવશે. પછી પ્રજા માં પણ નંબરવાર પદ મેળવશે. સારા પુરુષાર્થી શ્રીમત પર ચાલી સારું પદ મેળવશે. મેનર્સ (શિષ્ટાચાર) પણ સારા જોઈએ. દૈવીગુણ પણ ધારણ કરવાના છે તે પછી ૨૧ જન્મ ચાલશે. હમણાં છે બધા નાં આસુરી ગુણ. આસુરી દુનિયા, પતિત દુનિયા છે ને? આપ બાળકો ને વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી પણ સમજાવેલી છે. આ સમયે બાપ કહે છે યાદ કરવાની મહેનત કરો તો તમે સાચ્ચું સોનું બની જશો. સતયુગ છે ગોલ્ડન એજ, સાચ્ચું સોનું પછી ત્રેતા માં ચાંદી ની એલોય (કાંટ) પડે છે. કળા ઓછી થતી જાય છે. હમણાં તો કોઈ કળા નથી, જ્યારે આવી હાલત થઈ જાય છે ત્યારે બાપ આવે છે, આ પણ ડ્રામા માં નોંધ છે.

આ રાવણ રાજ્ય માં બધા બેસમજ બની ગયા છે, જે બેહદ ડ્રામા નાં પાર્ટધારી બની ને પણ ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં. તમે એક્ટર્સ છો ને? તમે જાણો છો આપણે અહીં પાર્ટ ભજવવા આવ્યાં છીએ. પરંતુ પાર્ટીધારી થઈને જાણતા નથી. તો બેહદ નાં બાપ કહેશે ને કે તમે કેટલાં બેસમજ બની ગયા છો? હવે હું તમને સમજદાર હીરા જેવાં બનાવું છું. પછી રાવણ કોડી જેવાં બનાવી દે છે. હું જ આવીને બધા ને સાથે લઈ જાઉં છું પછી આ પતિત દુનિયા પણ વિનાશ થાય છે. મચ્છરો સદૃશ્ય બધા ને લઈ જાઉં છું. તમારો મુખ્ય ઉદ્દેશ સામે છે. એવાં તમારે બનવાનું છે ત્યારે તો તમે સ્વર્ગવાસી બનશો. તમે બ્રહ્માકુમાર-કુમારીઓ આ પુરુષાર્થ કરી રહ્યાં છો. મનુષ્યો ની બુદ્ધિ તમોપ્રધાન છે તો સમજતા નથી. આટલાં બી.કે. છે તો જરુર પ્રજાપિતા બ્રહ્મા પણ હશે. બ્રાહ્મણ છે ચોટલી, બ્રાહ્મણ પછી દેવતા… ચિત્રો માં બ્રાહ્મણો ને અને શિવ ને ગુમ કરી દીધાં છે. તમે બ્રાહ્મણ હમણાં ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઊંચ પદ માટે શ્રીમત પર ચાલી સારા મેનર્સ ધારણ કરવાના છે

2. સાચાં આશૂક બની એક માશૂક ને જ યાદ કરવાના છે. જેટલો થઈ શકે યાદ નો અભ્યાસ વધારતા જવાનો છે.

વરદાન :-
નિમિત્તપણા ની સ્મૃતિ થી માયા નો ગેટ બંધ કરવા વાળા ડબલ લાઈટ ભવ

જે સદા સ્વયં ને નિમિત્ત સમજી ને ચાલે છે એમને ડબલ લાઈટ સ્થિતિ નો અનુભવ સ્વતઃ થાય છે. કરનકરાવનહાર કરાવી રહ્યાં છે, હું નિમિત્ત છું - આ સ્મૃતિ થી સફળતા મળે છે. હું-પણું આવ્યું અર્થાત્ માયા નો ગેટ ખુલ્યો, નિમિત્ત સમજ્યા અર્થાત્ માયા નો ગેટ બંધ થયો. તો નિમિત્ત સમજવા થી માયાજીત પણ બની જવાય અને ડબલ લાઈટ પણ બની જવાય. સાથે-સાથે સફળતા પણ અવશ્ય મળે છે. આ જ સ્મૃતિ નંબરવન લેવાનો આધાર બની જાય છે.

સ્લોગન :-
ત્રિકાળદર્શી બનીને દરેક કર્મ કરો તો સફળતા સહજ મળતી રહેશે.

માતેશ્વરીજી નાં મહાવાક્ય

૧ ) “ મનુષ્ય આત્મા પોતાની પૂરી ( બધી ) કમાણી અનુસાર ભવિષ્ય પ્રારબ્ધ ભોગવે છે”

જુઓ, ઘણાં મનુષ્ય એવું સમજે છે અમારા પૂર્વજન્મ ની સારી કમાણી થી હમણાં આ જ્ઞાન પ્રાપ્ત થયું છે પરંતુ એવી વાત નથી, પૂર્વ જન્મ નું સારું ફળ છે આ તો આપણે જાણીએ છીએ. કલ્પ નું ચક્ર ફરતું રહે છે સતો, રજો, તમો બદલાતું રહે છે પરંતુ ડ્રામા અનુસાર પુરુષાર્થ થી પ્રારબ્ધ બનાવવા નું માર્જિન (જગ્યા) રાખ્યું છે ત્યારે તો ત્યાં સતયુગ માં કોઈ રાજા-રાણી, કોઈ દાસી, કોઈ પ્રજા પદ મેળવે છે. તો આ જ પુરુષાર્થ ની સિદ્ધિ છે ત્યાં દ્વૈત, ઈર્ષા હોતી નથી, ત્યાં પ્રજા પણ સુખી છે. રાજા-રાણી પ્રજા ની એવી સંભાળ કરે છે જેમ મા-બાપ પોતાનાં બાળકો ની સંભાળ કરે છે, ત્યાં ગરીબ, સાહૂકાર બધા સંતુષ્ટ છે. આ એક જન્મ નાં પુરુષાર્થ થી ૨૧ પેઢી માટે સુખ ભોગવશે, આ છે અવિનાશી કમાણી, જે આ અવિનાશી કમાણી માં અવિનાશી જ્ઞાન થી અવિનાશી પદ મળે છે, હવે આપણે સતયુગી દુનિયા માં જઈ રહ્યાં છીએ આ પ્રેક્ટિકલ ખેલ ચાલી રહ્યો છે, અહીં કોઈ છૂ-મંત્ર ની વાત નથી.

૨ ) “ ગુરુ મત , શાસ્ત્રો ની મત કોઈ પરમાત્મા ની મત નથી”

પરમાત્મા કહે છે બાળકો, આ ગુરુ મત, શાસ્ત્ર મત કોઈ મારી મત નથી, આ તો ફક્ત મારા નામ ની મત આપે છે પરંતુ મારી મત તો હું જાણું છું, મને મળવાનું એડ્રેસ હું આવીને આપું છું, એની પહેલાં મારું એડ્રેસ (ઠેકાણું) કોઈ નથી જાણતું. ગીતા માં ભલે ભગવાનુવાચ છે પરંતુ ગીતા પણ મનુષ્યોએ બનાવી છે, ભગવાન તો સ્વયં જ્ઞાન નાં સાગર છે, ભગવાને જે મહાવાક્ય સંભળાવ્યાં છે તેની યાદગાર પછી ગીતા બની છે. આ વિદ્વાન, પંડિત, આચાર્ય કહે છે પરમાત્મા એ સંસ્કૃત માં મહાવાક્ય ઉચ્ચારણ કર્યા, તેને શીખ્યા વગર પરમાત્મા મળી નહીં શકે. આ તો વધારે જ ઉલ્ટા કર્મકાંડ માં ફસાવે છે, વેદ, શાસ્ત્ર વાંચી જો સીડી ચઢી જાય તો પછી એટલું જ ઉતરવું પડે અર્થાત્ તેને ભૂલી એક પરમાત્મા સાથે બુદ્ધિયોગ જોડવો પડે કારણકે પરમાત્મા સ્પષ્ટ કહે છે આ કર્મકાંડ, વેદ, શાસ્ત્ર વાંચવાથી મારી પ્રાપ્તિ નથી થતી. જુઓ ધ્રુવ, પ્રહલાદ, મીરા એ શું શાસ્ત્ર વાંચ્યાં? અહીં તો વાંચેલું પણ બધું ભૂલવું પડે છે. જેમ અર્જુને વાંચ્યું હતું તો તેને પણ ભૂલવું પડ્યું. ભગવાન નાં સચોટ મહાવાક્ય છે - શ્વાસો-શ્વાસ મને યાદ કરો એમાં કાંઈ પણ કરવાની જરુર નથી. જ્યાં સુધી આ જ્ઞાન નથી તો ભક્તિમાર્ગ ચાલે છે પરંતુ જ્ઞાન નો દીપક જાગી જાય છે તો કર્મકાંડ છૂટી જાય છે કારણકે કર્મકાંડ કરતા-કરતા જો શરીર છૂટી જાય તો ફાયદો શું થયો? પ્રારબ્ધ તો બની નહીં, કર્મબંધન નાં હિસાબ-કિતાબ થી તો મુક્તિ મળી નહીં. લોકો તો સમજે છે જુઠ્ઠું ન બોલવું, ચોરી ન કરવી, કોઈ ને દુઃખ ન આપવું… આ સારા કર્મ છે. પરંતુ અહીં તો સદાકાળ માટે કર્મો ની બંધાયમાની થી છૂટવાનું છે અને વિકર્મો નાં જડ ને કાઢવાનું છે. આપણે તો હવે ઈચ્છીએ છીએ, એવાં બીજ વાવીએ જેનાં થી સારા કર્મો નું ઝાડ નીકળે, એટલે મનુષ્ય જીવન નાં કાર્ય ને જાણી શ્રેષ્ઠ કર્મ કરવાના છે. અચ્છા - ઓમ્ શાંતિ.

અવ્યક્ત ઈશારા - “કમ્બાઈન્ડ રુપ ની સ્મૃતિ થી સદા વિજયી બનો”

શિવ શક્તિ નો અર્થ જ છે કમ્બાઈન્ડ. બાપ અને આપ બંને ને મિલાવી ને કહે છે શિવ શક્તિ. તો જે કમ્બાઈન્ડ છે, એને કોઈ અલગ ન કરી શકે. આ જ યાદ રાખો કે અમે કમ્બાઈન્ડ રહેવાનાં અધિકારી બની ગયાં. પહેલાં શોધવા વાળા હતાં અને હવે સાથે રહેવાવાળા છીએ - આ નશો સદા રહે.