01-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે બેહદ નાં બાપ પાસે થી બેહદ નો વારસો લેવા આવ્યાં છો , અહીં હદ ની કોઈ વાત નથી , તમે ખૂબ ઉમંગ થી બાપ ને યાદ કરો તો જૂની દુનિયા ભૂલાઈ જશે”

પ્રશ્ન :-
કઈ એક વાત તમારે વારંવાર પોતાની સાથે ઘૂંટીને પાક્કી કરવી જોઈએ?

ઉત્તર :-
અમે આત્મા છીએ, અમે પરમાત્મા બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છીએ. આત્માઓ છે બાળકો, પરમાત્મા છે બાપ. હમણાં બાળકો અને બાપ નો મેળો થયો છે. આ વાત વારંવાર ઘૂંટી-ઘૂંટી પાક્કી કરો. જેટલાં આત્મ-અભિમાની બનતા જશો, દેહ-અભિમાન ખતમ થઈ જશે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ…

ઓમ શાંતિ!
બાળકો જાણે છે કે આપણે બાબા ની સાથે બેઠેલા છીએ-આ છે ઊંચા માં ઊંચા બાબા, બધા નાં બાબા છે. બાબા આવેલા છે. બાપ પાસે થી શું મળે છે, આ તો સવાલ જ નથી ઉઠતો. બાપ પાસે થી મળે છે જ વારસો. આ છે બધા નાં બેહદ નાં બાપ, જેમની પાસે થી બેહદ નું સુખ, બેહદ ની પ્રોપર્ટી (મિલકત) મળે છે. તે છે હદ ની મિલકત. કોઈની પાસે હજાર, કોઈની પાસે ૫ હજાર હશે. કોઈની પાસે ૧૦-૨૦-૫૦ કરોડ, અરબ હશે. હવે તે તો બધા છે લૌકિક બાબાઓ અને હદ નાં બાળકો. અહીં આપ બાળકો પણ સમજો છો આપણે બેહદ નાં બાપ ની પાસે આવ્યાં છીએ બેહદ ની મિલકત લેવાં. દિલ માં આશા તો રહે છે ને? સ્કૂલ સિવાય બીજા સત્સંગ વગેરે માં કોઈ આશા નથી રહેતી. કહેશે શાંતિ મળે, તે તો મળી નથી શકતી. અહીં આપ બાળકો સમજો છો આપણે આવ્યાં છીએ વિશ્વ નવી દુનિયા નાં માલિક બનવાં. નહીં તો અહીં કેમ આવીએ? બાળકો ની કેટલી વૃદ્ધિ થતી રહે છે! કહે છે બાબા, અમે તો વિશ્વ નાં માલિક બનવા આવ્યાં છીએ, હદ ની કોઈ વાત જ નથી. બાબા તમારી પાસે થી અમે બેહદ સ્વર્ગ નો વારસો લેવા આવ્યાં છીએ. કલ્પ-કલ્પ આપણે બાપ પાસે થી વારસો લઈએ છીએ પછી માયા બિલાડી છીનવી લે છે એટલે આને હાર-જીત ની રમત કહેવાય છે. બાપ બેસીને બાળકો ને સમજાવે છે. બાળકો પણ નંબરવાર સમજે છે, આ કોઈ સાધુ-સંત નથી. જેમ તમે કપડા પહેર્યા છે તેમ આમણે પહેર્યા છે. આ તો બાબા છે ને? કોઈ પૂછશે કોની પાસે જાઓ છો? કહેશો અમે બાપદાદા ની પાસે જઈએ છીએ. આ તો ફેમિલી (પરિવાર) થઈ ગયું. કેમ જાઓ છો, શું લેવા જાઓ છો? આ તો બીજું કોઈ સમજી ન શકે. કહી ન શકે કે અમે બાપદાદા ની પાસે જઈએ છીએ, વારસો એમની પાસે થી મળે છે. દાદા ની પ્રોપર્ટી (મિલકત) નાં બધા હકદાર છે. શિવબાબાનાં અવિનાશી બાળકો (આત્માઓ) તો છો જ પછી પ્રજાપિતા બ્રહ્મા નાં બનવાથી એમનાં પોત્રા-પૌત્રીઓ છો. હમણાં તમે જાણો છો આપણે આત્મા છીએ. આ તો બહુજ પાક્કું ઘૂંટવું જોઈએ. આપણે આત્માઓ પરમાત્મા બાપ પાસે થી વારસો લઈએ છીએ. આપણે આત્માઓ બાપ ને આવીને મળ્યાં છીએ. પહેલાં તો શરીરનું ભાન હતું. ફલાણા-ફલાણા નામવાળા જ મિલકત લે છે. હમણાં તો છે આત્માઓ, પરમાત્મા પાસે વારસો લે છે. આત્માઓ છે બાળકો, પરમાત્મા છે બાપ. બાળકો અને બાપ નો ખૂબ સમય નાં પછી મેળો લાગે છે. એક જ વખત. ભક્તિમાર્ગ માં પછી અનેક આર્ટિફિશિયલ (બનાવટી) મેળા લાગતા રહે છે. આ છે સૌથી વન્ડરફુલ મેળો. આત્માઓ, પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… કોણ? તમે આત્માઓ. આ પણ તમે સમજો છો આપણે આત્માઓ પોતાનાં સ્વીટ સાઈલેન્સ ઘર માં રહેવાવાળા છીએ. હમણાં અહીં પાર્ટ ભજવતાં-ભજવતાં થાકી ગયાંં છીએ. તો સંન્યાસી ગુરુ વગેરેનાં પાસે જઈને શાંતિ માંગે છે. સમજે છે તે ઘરબાર છોડી જંગલ માં જાય છે, તેમનાથી શાંતિ મળશે. પરંતુ એવું છે નહીં. હમણાં તો બધા શહેરમાં આવી ગયાં છે. જંગલ માં ગુફાઓ ખાલી પડી છે. ગુરુ બનીને બેઠાં છે. નહીં તો તેમણે નિવૃત્તિ માર્ગ નું જ્ઞાન આપી પવિત્રતા શીખવાડવાની છે. આજકાલ તો જુઓ લગ્ન કરાવતાં રહે છે.

આપ બાળકો તો પોતાનાં યોગબળ થી પોતાની કર્મેન્દ્રિયો ને વશ માં કરો છો. કર્મેન્દ્રિયો યોગબળ થી શીતળ થઇ જશે. કર્મેન્દ્રિયો માં ચંચળતા હોય છે ને? હવે કર્મેન્દ્રિયો પર જીત મેળવવાની છે, જે કોઈ ચંચળતા ન ચાલે. સિવાય યોગબળ નાં કર્મેન્દ્રિય નું વશ થવું અસંભવ છે. બાપ કહે છે કર્મેન્દ્રિયો ની ચંચળતા યોગબળ થી જ તૂટશે. યોગબળ ની તાકાત તો છે ને? આમાં ખૂબ જ મહેનત લાગે છે. આગળ ચાલીને કર્મેન્દ્રિયો ની ચંચળતા નહીં રહે. સતયુગમાં તો કોઇ ગંદી બિમારી નથી હોતી. અહીં તમે કર્મેન્દ્રિયો ને વશ કરી જાઓ છો તો કોઈ પણ ગંદી વાત ત્યાં હોતી નથી. નામ જ છે સ્વર્ગ. તેને ભૂલી જવાનાં કારણે લાખો વર્ષ કહી દે છે. હમણાં સુધી પણ મંદિર બનાવતાં રહે છે. જો લાખો વર્ષ થયા હોય તો પછી વાત જ યાદ ન હોય. આ મંદિર વગેરે કેમ બનાવે? તો ત્યાં કર્મેન્દ્રિયો શીતળ રહે છે. કોઈ ચંચળતા નથી રહેતી. શિવબાબા ને તો કર્મેન્દ્રિયો નથી. બાકી આત્મા માં જ્ઞાન તો બધું છે ને? એ જ શાંતિ નાં સાગર, સુખ નાં સાગર છે. તે લોકો કહે છે કર્મેન્દ્રિયો વશ નથી થઈ શકતી. બાપ કહે છે યોગબળ થી તમે કર્મેન્દ્રિયો ને વશ કરો. બાપ ની યાદ માં રહો. કોઈ પણ બેકાયદેસર કામ કર્મેન્દ્રિયો થી નથી કરવાનું. આવાં લવલી (પ્રેમાળ) બાપ ને યાદ કરતાં-કરતાં પ્રેમ માં આંસુ આવવાં જોઈએ. આત્મા પરમાત્મા માં લીન તો થતો નથી. બાપ એક જ વખત મળે છે, જ્યારે શરીર ની લોન લે છે તો એવાં બાપ સાથે કેટલાં પ્રેમ થી ચાલવું જોઈએ. બાબા ને ઉછળ આવીને? ઓહો! બાબા વિશ્વનાં માલિક બનાવે છે પછી આ ધન-સંપત્તિ શું કરીશું, છોડો બધું. જેમ પાગલ હોય છે ને! બધા કહેવા લાગ્યા આમને બેઠાં-બેઠાં શું થયું? ધંધો વગેરે બધું છોડી ને આવી ગયાં. ખુશી નો પારો ચઢી ગયો. સાક્ષાત્કાર થવા લાગ્યાં. રાજાઈ મળવાની છે પરંતુ કેવી રીતે મળશે? શું થશે? આ કંઈ પણ ખબર નથી. બસ મળવાનું છે, એ જ ખુશીમાં બધું છોડી દીધું. પછી ધીરે-ધીરે નોલેજ મળતી રહે છે. આપ બાળકો અહીં સ્કૂલ માં આવ્યાં છો, મુખ્ય-ઉદ્દેશ્ય તો છે ને? આ છે રાજયોગ. બેહદ નાં બાપ થી રાજાઈ લેવા આવ્યાં છો. બાળકો જાણે છે આપણે એમનાથી ભણીએ છીએ, જેમને યાદ કરતાં હતાં કે બાબા આવીને અમારા દુઃખ હરો, સુખ આપો. બાળકીઓ કહે છે અમને શ્રીકૃષ્ણ જેવું બાળક મળે. અરે, તે તો વૈકુંઠ માં મળશે ને? કૃષ્ણ વૈકુંઠ નાં છે, તેમને તમે ઝૂલાવો છો તો તેમનાં જેવું બાળક તો વૈકુંઠમાં જ મળશે ને? હમણાં તમે વૈકુંઠની બાદશાહી લેવા આવ્યાં છો. ત્યાં જરુર પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) જ મળશે. પવિત્ર બાળક મળે, આ આશ પણ પૂરી થાય છે. આમ તો પ્રિન્સ-પ્રિન્સેસ અહીં પણ બહુજ જ છે પરંતુ નર્કવાસી છે. તમે ઈચ્છો છો સ્વર્ગવાસી ને. ભણતર તો ખૂબ સહજ છે. બાપ કહે છે તમે ખૂબ ભક્તિ કરી છે, ધક્કા ખાધાં છે. તમે કેટલાં ખુશી થી તીર્થો વગેરે પર જાઓ છો. અમરનાથ પર જાઓ છો, સમજે છે શંકરે પાર્વતી ને અમરકથા સંભળાવી. અમરનાથ ની સાચ્ચી કથા તમે હમણાં સાંભળો છો. આ તો બાપ બેસીને તમને સંભળાવે છે. તમે આવ્યાં છો-બાપ ની પાસે. જાણો છો આ ભાગ્યશાળી રથ છે, એમને આ લોન પર લીધો છે. આપણે શિવબાબા ની પાસે જઈએ છીએ, તેમની જ શ્રીમત પર ચાલીશું. કાંઈ પણ પૂછવું હોય તો બાબા થી પૂછી શકો છો. કહે છે - બાબા, અમે બોલી નથી શકતાં. આ તો તમે પુરુષાર્થ કરો, આમાં બાબા શું કરી શકે છે.

બાપ આપ બાળકોને શ્રેષ્ઠ બનવાનો સહજ રસ્તો બતાવે છે-એક તો કર્મેન્દ્રિયોને વશ કરો, બીજું દૈવીગુણ ધારણ કરો. કોઈ ગુસ્સો વગેરે કરે તો સાંભળો નહીં. એક કાને થી સાંભળી બીજા કાને થી કાઢી નાખો. જે ખરાબ વાત માં રુચિ ન આવે, તેને સાંભળો જ નહીં. જુઓ પતિ ક્રોધ કરે છે, મારે છે તો શું કરવું જોઈએ? જ્યારે જુઓ, પતિ ગુસ્સો કરે છે તો તેનાં પર ફૂલ વરસાવો. હસતાં રહો. યુક્તિઓ તો ખૂબ છે. કામેશું, ક્રોધેશું હોય છે ને? અબળાઓ પોકારે છે. એક દ્રૌપદી નથી, બધી છે. હવે બાપ આવ્યાં છે નગ્ન થવાથી બચાવવાં. બાપ કહે છે આ મૃત્યુલોક માં આ તમારો અંતિમ જન્મ છે. હું આપ બાળકો ને શાંતિધામ લઇ જવા આવ્યો છું. ત્યાં પતિત આત્મા તો જઈ ન શકે, એટલે હું આવીને બધાને પાવન બનાવું છું. જેમને જે પાર્ટ મળેલો છે તે પૂરો કરી હવે બધાએ પાછાં જવાનું છે. આખાં ઝાડ નું રહસ્ય બુદ્ધિમાં છે. બાકી ઝાડ નાં પત્તા થોડી કોઈ ગણી શકે છે. તો બાપ પણ મૂળ વાત સમજાવે છે-બીજ અને ઝાડ. બાકી મનુષ્ય તો અનેક છે. એક-એક નાં અંદર થોડી બેસી જાણશે. મનુષ્ય સમજે છે ભગવાન તો અંતર્યામી છે, દરેક નાં અંદર ની વાતને જાણે છે. આ બધી છે અંધશ્રદ્ધા.

બાપ કહે છે તમે અમને બોલાવો છે કે આવીને અમને પતિત થી પાવન બનાવો, રાજયોગ શીખવાડો. હમણાં તમે રાજયોગ શીખી રહ્યાં છો. બાપ કહે છે મને યાદ કરો. બાપ આ મત આપે છે ને? બાપની શ્રીમત અને ગત સૌથી ન્યારી છે. મત એટલે સલાહ, જેનાથી આપણી સદ્દગતિ થાય છે. એજ એક બાપ આપણી સદ્દગતિ કરવાવાળા છે, બીજું ન કોઈ. આ સમયે જ બોલાવે છે. સતયુગ માં તો બોલાવતાં નથી. હમણાં જ કહે છે સર્વ નાં સદ્દગતિ દાતા એક રામ. જ્યારે માળા ફેરવે છે તો ફેરવતા-ફેરવતા જ્યારે ફૂલ આવે છે તો તેને રામ કહી આંખો પર લગાવે છે. જપવાનું છે એક ફૂલ ને. બાકી છે તેમની પવિત્ર રચના. માળા ને તમે સારી રીતે જાણી ગયાં છો. જે બાપ ની સાથે સર્વિસ કરે છે તેમની આ માળા છે. શિવબાબા ને રચતા નહીં કહેશે. રચતા કહેશે તો પ્રશ્ન ઉઠશે કે ક્યારે રચના રચી? પ્રજાપિતા બ્રહ્મા હમણાં સંગમ પર જ બ્રાહ્મણો ને રચે છે ને? શિવબાબા ની રચના તો આનાદિ છે જ. ફક્ત પતિત થી પાવન બનાવવા માટે બાપ આવે છે. હમણાં તો છે જૂની સૃષ્ટિ. નવાં માં રહે છે દેવતાઓ. હવે શૂદ્રો ને દેવતા કોણ બનાવે? હવે તમે ફરી થી બનો છો. જાણો છો બાબા આપણને શુદ્ર થી બ્રાહ્મણ, બ્રાહ્મણ થી દેવતા બનાવે છે. હમણાં તમે બ્રાહ્મણ બનો છો, દેવતા બનવા માટે. મનુષ્ય સૃષ્ટિ રચવા વાળા થઈ ગયાં બ્રહ્મા, જે મનુષ્ય સૃષ્ટિ નાં મુખ્ય છે. બાકી આત્માઓનાં અવિનાશી બાપ શિવ તો છે જ. આ બધી નવી વાતો તમે સાંભળો છો. જે બુદ્ધિવાન છે તે સારી રીતે ધારણ કરે છે. ધીરે-ધીરે તમારી પણ વૃદ્ધિ થતી જશે. હમણાં આપ બાળકો ને સ્મૃતિ આવી છે, આપણે અસલ માં દેવતા હતાં પછી ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ? બધું રહસ્ય તમે જાણો છો. વધારે વાતો માં જવાની દરકાર જ નથી.

બાપ થી પૂરો વારસો લેવા માટે મુખ્ય વાત બાપ કહે છે - એક તો મને યાદ કરો, બીજું પવિત્ર બનો. સ્વદર્શન ચક્રધારી બનો અને આપ સમાન બનાવો. કેટલું સહજ છે. ફક્ત યાદ રહેતી નથી. નોલેજ તો ખૂબ સહજ છે. હવે જૂની દુનિયા ખતમ થવાની છે. પછી સતયુગમાં નવી દુનિયામાં દેવી-દેવતાઓ રાજ્ય કરશે. આ દુનિયામાં જૂનાં થી જૂનાં આ દેવતાઓનાં ચિત્ર છે કે તેમનાં મહેલ વગેરે છે. તમે કહેશો જૂનાં થી જૂનાં અમે વિશ્વનાં મહારાજા-મહારાણી હતાં. શરીર તો ખતમ થઈ જાય છે. બાકી ચિત્ર બનાવતાં રહે છે. હમણાં આ થોડી કોઈને ખબર છે, આ લક્ષ્મી-નારાયણ જે રાજ્ય કરતાં હતાં તે ક્યાં ગયાં? રાજાઈ કેવી રીતે લીધી? બિરલા આટલાં મંદિર બનાવે છે, પરંતુ જાણતા નથી. પૈસા મળતા જાય છે અને બનાવતાં રહે છે. સમજે છે આ દેવતાઓની કૃપા છે. એક શિવ ની પૂજા છે અવ્યભિચારી ભક્તિ. જ્ઞાન આપવા વાળા તો જ્ઞાન સાગર એક જ છે, બાકી છે ભક્તિમાર્ગ. જ્ઞાન થી અડધોકલ્પ સદ્દગતિ થાય છે પછી ભક્તિ ની દરકાર નથી રહેતી. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. હવે ભક્તિ થી, જૂની દુનિયા થી વૈરાગ્ય. જૂની હવે ખતમ થવાની છે, આમાં આસક્તિ શું રાખીએ? હવે તો નાટક પૂરું થાય છે, આપણે જઈએ છીએ ઘરે. તે ખુશી રહે છે. કોઈ સમજે છે મોક્ષ મેળવવો તો સારું છે પછી આવશું નહીં. આત્મા પરપોટો છે જે સાગર માં મળી જાય છે. આ બધા ગપોડા છે. એક્ટર તો એક્ટ (કર્મ) કરશે જરુર. જે ઘરે બેસી જાય તે કોઈ એક્ટર થોડી થયો? મોક્ષ થતો નથી. આ ડ્રામા અનાદિ બનેલો છે. અહીં તમને કેટલી નોલેજ મળે છે. મનુષ્યો ની બુદ્ધિમાં તો કાંઈ પણ નથી. તમારો પાર્ટ જ છે-બાપ પાસે થી જ્ઞાન લેવાનો, વારસો મેળવવાનો. તમે ડ્રામા માં બંધાયમાન છો. પુરુષાર્થ જરુર કરશો. એવું નહીં ડ્રામા માં હશે તો મળશે. પછી તો બેસી જાઓ. પરંતુ કર્મ વગર કોઈ રહી નથી શકતું. કર્મ સંન્યાસ થઈ જ નથી શકતો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગબળ ની તાકાત થી પોતાની કર્મેન્દ્રિયો ને શીતળ બનાવાની છે. વશ માં રાખવાની છે. ઇવિલ વાતો ન તો સાંભળવાની છે, ન સંભળાવવાની છે. જે વાત પસંદ નથી આવતી, તેને એક કાન થી સાંભળી બીજા થી કાઢી નાખવાની છે.

2. બાપ થી પૂરો વારસો લેવા માટે સ્વદર્શન ચક્રધારી બનવાનું છે, પવિત્ર બની આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
મોરલી નાં સાઝ દ્વારા માયા ને સરેન્ડર કરવાવાળા મોરલીધર ભવ

મોરલીઓ તો ઘણી સાંભળી છે હવે એવા મોરલીધર બનો જે માયા મોરલી ની આગળ ન્યોછાવર (સરેન્ડર) થઈ જાય. મોરલી નાં રાઝ નો સાઝ જો સદૈવ વગળતા રહો તો માયા સદા માટે સરેન્ડર થઈ જશે. માયા નું મુખ્ય સ્વરુપ કારણ નાં રુપ માં આવે છે. જ્યારે મોરલી દ્વારા કારણ નું નિવારણ મળી જશે તો માયા સદા માટે સમાપ્ત થઈ જશે. કારણ ખતમ અર્થાત્ માયા ખતમ.

સ્લોગન :-
અનુભવી સ્વરુપ બનો તો ચહેરા થી ખુશનસીબી ની ઝલક દેખાશે.

અવ્યક્ત ઇશારા - રુહાની ની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

સંગમયુગી બ્રાહ્મણ જીવન ની વિશેષતા પવિત્રતા છે. પ્રવૃત્તિમાં રહેતા અપવિત્રતા થી નિવૃત રહેવું, સ્વપ્ન માત્ર પણ અપવિત્રતા નાં સંકલ્પ થી મુક્ત રહેવું-આ જ વિશ્વ ને ચેલેન્જ કરવાનું સાધન છે, આ જ આપ બ્રાહ્મણો ની રુહાની રોયલ્ટી અને પર્સનાલિટી છે.