01-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 21.10.2005
બાપદાદા મધુબન
“ સંપૂર્ણ અને સંપન્ન
બનવાની તારીખ નિશ્ચિત કરી સમય પ્રમાણે હવે એવરરેડી બનો”
આજે બાપદાદા ચારેય
તરફ નાં બાળકો નાં ત્રણ રુપ જોઈ રહ્યાં છે. જેમ બાપ નાં વિશેષ ત્રણ સંબંધ યાદ રહે
છે, તેમ બાળકો નાં પણ ત્રણ રુપ જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. પોતાનાં ત્રણેય રુપ જાણો
છો ને? આ સમયે બધા બાળકો બ્રાહ્મણ રુપ માં છે અને બ્રાહ્મણો ની લાસ્ટ સ્ટેજ,
બ્રાહ્મણ સો ફરિશ્તા છે પછી ફરિશ્તા સો દેવતા છે. સૌથી વિશેષ વર્તમાન બ્રાહ્મણ-જીવન
છે. બ્રાહ્મણ-જીવન અમૂલ્ય છે. બ્રાહ્મણ-જીવન ની વિશેષતા છે પ્યોરિટી. પ્યોરિટી જ
બ્રાહ્મણ જીવન ની રોયલ્ટી છે. પ્યોરિટી જ બ્રાહ્મણ-જીવન ની પર્સનાલિટી છે. પ્યોરિટી
જ સુખ-શાંતિ ની જનની છે. જેટલી પ્યોરિટી હશે એટલાં સુખ અને શાંતિ જીવન માં નેચરલ અને
નેચર હશે. અને પ્યોર આત્માઓ નું લક્ષ છે બ્રાહ્મણ સો દેવતા નહીં પરંતુ પહેલાં
ફરિશ્તા બનવાનું છે, ફરિશ્તા સો દેવતા છે. તો બ્રાહ્મણ સો ફરિશ્તા, ફરિશ્તા સો દેવતા
- આ ત્રણેય રુપ બાપદાદા બધા બાળકો નું જોઈ રહ્યાં છે. તમને બધાને તમારા ત્રણ રુપ
સામે આવી ગયાં? આવી ગયાં? બ્રાહ્મણ તો બની ગયા, હવે લક્ષ છે ફરિશ્તા બનવાનું. આ જ
લક્ષ છે ને? ફરિશ્તા બનવાનું જ છે, ચેક કરો ફરિશ્તાપણા ની વિશેષતાઓ જીવન માં કેટલી
દેખાય છે? ફરિશ્તા અર્થાત્ જેમનો જૂનો સંસાર અને જૂનાં સંસ્કાર સાથે કોઈ સંબંધ નથી.
ફરિશ્તા અર્થાત્ ફક્ત સમસ્યા નાં સમયે ડબલ લાઈટ નહીં, પરંતુ સદા મન્સા-વાચા,
સંબંધ-સંપર્ક માં ડબલ લાઈટ, હલ્કા. હલ્કી વસ્તુ ગમે છે કે બોજ વાળી વસ્તુ ગમે છે,
શું ગમે છે? હલ્કું પસંદ છે ને? ફરિશ્તા અર્થાત્ જે સર્વ નાં, થોડા નાં નહીં, સર્વ
નાં પ્યારા અને ન્યારા છે. ફક્ત પ્યારા નથી, જેટલાં પ્યારા એટલાં જ ન્યારા છે.
ફરિશ્તા ની નિશાની છે - તે સર્વ નાં પ્રિય હશે, જે પણ જોશે, જે પણ મળશે, જે પણ
સંબંધ માં આવશે, સંપર્ક માં આવશે તે અનુભવ કરશે કે મારા છે. જેમ બાપ માટે બધા અનુભવ
કરે છે, મારા છે. અનુભવ કરે છે ને? એમ ફરિશ્તા અર્થાત્ દરેક અનુભવ કરે - આ મારા છે.
પોતાપણા નો અનુભવ થાય કારણકે હલ્કા હશે ને તો હલ્કાપણું બધાને પ્રિય બનાવી દે છે.
આખો બ્રાહ્મણ-પરિવાર અનુભવ કરે કે મારા છે. ભારેપણું ન હોય કારણકે ફરિશ્તા નો અર્થ
જ છે ડબલ લાઈટ. ફરિશ્તા અર્થાત્ સંકલ્પ, બોલ, કર્મ, સંબંધ, સંપર્ક માં બેહદ હોય. હદ
ન હોય. બધા પોતાનાં છે અને હું બધાનો છું. જ્યાં વધારે પોતાનાં-પણું હોય છે ને ત્યાં
હલ્કાપણું હોય છે. સંસ્કાર માં પણ હલ્કાપણું, તો ચેક કરો કેટલાં પર્સન્ટેજ ફરિશ્તા
સ્ટેજ સુધી પહોંચ્યાં છો? ચેક કરતા આવડે છે? ચેકર પણ બની ગયા છો. મેકર પણ બની ગયા
છો. મુબારક છે.
બાપદાદા ની આ જ શુભ
આશા છે કે બધા હવે સમય ને જોતા જે પોતાને મહારથી સમજે છે એમની સ્ટેજ તો ૯૫ ટકા હોવી
જોઈએ. હોવી જોઈએ ને? (કોઈએ કહ્યું ૯૮ ટકા થઈ જશે) મુબારક છે, મુખ માં ગુલાબજાંબુ
ખાઈ લો, કારણકે જોઈ તો રહ્યાં છો, જાણો પણ છો કે થઈ જવાનું જ છે. થઈ જશે નહીં, થવાનું
જ છે. ગે, ગે નહીં કરો, થઈ જશે, જોઈ લઈશું… કોશિશ કરીશું… હવે આ ભાષા પરિવર્તન કરો.
જે પણ સંકલ્પ કરો, ચેક કરો કેટલાં ટકા નિશ્ચય અને સફળતાપૂર્વક છે? હવે ચેક કરવાની
સ્પીડ તીવ્ર કરો. પહેલાં ચેક કરો પછી કર્મ માં આવો. એવું નહીં જે પણ સંકલ્પ આવ્યો,
જે પણ બોલ માં આવ્યું, જે પણ સંબંધ-સંપર્ક માં થયું, ના. જે વી. વી. આઈ. પી. હોય છે
એમની ચેકિંગ કેટલી હોય છે, ખબર છે ને? દરેક વસ્તુ પહેલાં ચેક થાય છે પછી કદમ રાખે (આગળ
વધે) છે. તો હવે બે કલાક, ચાર કલાક પછી ચેકિંગ નહીં ચાલશે. પહેલાં ચેકિંગ પછી કદમ
કારણકે આજકાલ નાં વી.વી.આઈ.પી. જે છે તે તો એક જન્મ નાં છે. તે પણ થોડા સમય માટે છે
અને તમે તો સૃષ્ટિ ડ્રામા નાં બ્રાહ્મણ સો ફરિશ્તા કેટલાં પણ વી.વી. લગાવી દો, એટલાં
છો. જુઓ, તમે પોતાની આગળ તો વી.વી.વી. લગાવતા જાઓ. તમે તમારા ચિત્ર તો જોયા છે ને
જે પૂજાઈ રહ્યાં છે, તે જોયા છે ને? ચાલો, મંદિર નથી જોયા, ફોટા તો જોયા છે, હમણાં
પણ એમની કેટલી વેલ્યુ છે! કેટલાં મોટા-મોટા મંદિર બનાવે છે અને તમારા ચિત્ર જે છે
તે તો ત્રણ ફૂટ માં આવી જાય છે, તો કેટલી તમારી વેલ્યુ છે. જડચિત્ર ની પણ વેલ્યુ
છે. વેલ્યુ છે ને? તમારા ચિત્ર નાં દર્શન કરવા માટે કેટલી ક્યુ (લાઈન) લાગે છે. અને
ચૈતન્ય માં કેટલાં વી.વી.આઈ.પી. છો. તો કદમ ઉઠાવતા પહેલાં ચેક કરો, કર્યા પછી ચેક
કર્યુ, તે કદમ તો ગયું. તે કદમ પછી તમારા હાથ માં નહીં આવશે. અજ્ઞાનકાળ માં પણ કહે
છે, સમજી-વિચારી ને કામ કરો. કામ કરીને વિચારો નહીં. પહેલાં વિચારો પછી કરો. તો
પોતાનાં સ્વમાન ની સીટ પર રહો. જેટલી પોઝિશન માં રહો તો અપોઝિશન નથી થઈ શકતી. માયા
ની અપોઝિશન ત્યારે થાય છે જ્યારે પોઝિશન માં નથી રહેતાં. તો હમણાં બાપદાદા નો સવાલ
છે, બધા નું લક્ષ તો છે સંપૂર્ણ બનવાનું, સંપન્ન બનવાનું. લક્ષ છે કે થોડું-થોડું
બનવાનું છે? લક્ષ છે? બધા નું લક્ષ છે તો હાથ ઉઠાવો. સંપૂર્ણ બનવાનું છે? સારું.
ક્યાં સુધી? તમે લોકો ને ક્વેશ્ચન કરો છો ને, સ્ટુડન્ટ ને પણ ટીચર્સ ક્વેશ્ચન કરે
છે ને-તમારું શું લક્ષ છે? તો આજે બાપદાદા વિશેષ જ ટીચર્સ ને પૂછે છે. ૩૦ વર્ષ વાળા
બેઠાં છે ને? તો ૩૦ વર્ષ વાળાઓએ કાલે જ પરસ્પર બેસીને પ્રોગ્રામ બનાવવો જોઈએ.
મીટીંગ તો ખૂબ કરો છો. બાપદાદા જુએ છે મીટીંગ સીટીંગ, મીટીંગ સીટીંગ. પરંતુ હવે એવી
મીટીંગ કરો કે, ક્યાં સુધી સંપન્ન બનીશું? બીજા બધા ફંક્શન મનાવો છો, ડેટ ફિક્સ કરો
છો, ફલાણો પ્રોગ્રામ, ફલાણી તારીખ, આની તારીખ નથી. જેટલાં વર્ષ જોઈએ એટલાં બતાવો.
કેમ? બાપદાદા કેમ કહે છે? કારણકે બાપ ને પ્રકૃતિ પૂછે છે કે ક્યારે વિનાશ કરીએ? તો
બાપદાદા શું જવાબ આપે? બાપદાદા બાળકો ને જ પૂછશે ને? ક્યાં સુધી? આજ નો વિશેષ ટોપિક
છે ક્યાં સુધી? ડબલ ફોરેનર્સ બેઠાં છે ને, તો ડબલ પુરુષાર્થ હશે ને? કમાલ કરો.
ફોરેનર્સ ઉદાહરણ બનો - બસ, બ્રાહ્મણ પરિવાર ની આગળ, વિશ્વ ની આગળ સંપન્ન અને
સંપૂર્ણ. સર્વ શક્તિઓ, સર્વ ગુણો થી સંપન્ન અર્થાત્ સંપૂર્ણ, સર્વ છો. મન્સા, વાચા,
સંબંધ-સંપર્ક ચારેય માં, ચારેય માંથી જો એક માં પણ કમજોર રહી ગયા, તો સંપન્ન નહીં
કહેવાશે. ચાર વાતો યાદ છે ને - મન્સા, વાચા, સંબંધ-સંપર્ક માં કર્મ આવી ગયું, ચારેય
વાતો માં. એવું નહીં મન્સા, વાચા માં તો અમે ઠીક છીએ, સંબંધ-સંપર્ક માં થોડા છીએ.
સંભળાવ્યું ને-જેમની સામે પણ જાય, ભલે જેનાં પણ સંપર્ક માં જાય તે અનુભવ કરે કે મારા
છે. મારા ની ઉપર હુજ્જત થાય છે ને? બીજા ઉપર આટલું હલ્કાપણું નથી હોતું, થોડું ભારે
હોય છે પરંતુ પોતાની ઉપર હલ્કાપણું હોય છે. તો સૌથી હલ્કા, એવું નહીં ફક્ત પોતાનાં
ઝોન માં હલ્કા, પોતાનાં સેન્ટર માં હલ્કા, ના. જો ઝોન માં હલ્કા કે સેન્ટર માં હલ્કા
તો વિશ્વ રાજન કેવી રીતે બનશો? ન વિશ્વ-કલ્યાણકારી બની શકો છો, ન વિશ્વ-રાજન બની શકો
છો. રાજન નો અર્થ આ નથી કે તખ્ત પર બેસે, રાજધાની માં રોયલ ફેમિલી માં પણ રાજ્ય
અધિકાર છે, રાજ્ય નો. તો શું કરશો? ક્યાં સુધી પ્રશ્ન નો જવાબ આપશો ને? મીટીંગ કરીશું!
મીટીંગ કરીને ફાઈનલ કરજો. ઠીક છે? અચ્છા.
બધા ઠીક છો, ઉમંગ આવે
છે કે કરવાનું જ છે, થવાનું જ છે. બાપદાદા ઉમંગ-ઉત્સાહ અપાવે છે. માયા જુએ છે
ઉમંગ-ઉત્સાહ માં છે તો કાંઈ ને કાંઈ કરી લે છે કારણકે તેનો પણ હવે અંતિમ કાળ નજીક
છે ને? તો તે પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર જે પણ છે તે યુઝ કરે છે અને એવી પાલના કરે છે
જે સમજી નથી શકતા કે આ માયા ની પાલના છે, માયા ની મત છે કે બાપ ની મત છે, એમાં
મિક્સ કરી દે છે. આ ફરિશ્તાપણા માં કે પુરુષાર્થ માં વિશેષ જે અડચણ આવે છે, એનાં બે
શબ્દો જ છે - જે કોમન શબ્દ છે, મુશ્કેલ પણ નથી અને બધા અનેકવાર યુઝ પણ કરે છે. તે
શું છે? હું અને મારું. બાપદાદાએ ખૂબ સહજ વિધિ પહેલાં પણ બતાવી છે, આ હું અને મારા
ને પરિવર્તન કરવાની, યાદ છે? જુઓ, જે સમયે તમે હું શબ્દ બોલો છો ને, એ સમયે સામે આવે
કે હું છું જ આત્મા, હું શબ્દ બોલો અને સામે આત્મા રુપ ને લાવો. હું શબ્દ એવી રીતે
ન બોલો, હું, આત્મા. આ નેચરલ સ્મૃતિ માં લાવો. હું શબ્દ ની પાછળ આત્મા લગાવી દો.
હું આત્મા. જ્યારે મારો શબ્દ બોલો છો તો પહેલાં કહો મારા બાબા, મારો રુમાલ, મારી
સાડી… મારું આ. પરંતુ પહેલાં મારા બાબા. મારો શબ્દ બોલ્યાં, બાબા સામે આવ્યાં? હું
શબ્દ બોલ્યાં, આત્મા સામે આવ્યો, આ નેચર અને નેચરલ બનાવો, સહજ છે ને કે મુશ્કેલ છે?
જાણો જ છો હું આત્મા છું. ફક્ત એ સમયે માનતા નથી. જાણવાનું ૧૦૦ ટકા છે, માનવાનું
ટકાવારી માં છે. જ્યારે બોડી-કોન્શિયસ નેચરલ થઈ ગયું, યાદ કરવું પડે છે કે હું બોડી
(શરીર) છું, નેચરલ યાદ છે ને? તો હું શબ્દ મુખ ની પહેલાં તો સંકલ્પ માં આવે છે ને?
તો સંકલ્પ માં પણ હું શબ્દ આવે તો તરત આત્મા સ્વરુપ સામે આવે. આ અભ્યાસ કરવો સહજ નથી?
ફક્ત હું શબ્દ નહીં બોલતા, આત્મા સાથે બોલજો, પાક્કું થઈ જશે. જેમ શરીર નું નામ
પાક્કું છે ને? બીજા ને પણ કોઈ બોલાવશે તો તમે આમ-આમ કરશો. તો હું આત્મા છું. આત્મા
નો સંસાર બાપદાદા, આત્મા નાં સંસ્કાર બ્રાહ્મણ સો ફરિશ્તા, ફરિશ્તા સો દેવતા. તો
શું કરશો? આ મન ની ડ્રિલ કરજો. આજકાલ ડોક્ટર્સ પણ કહે છે કે ડ્રિલ કરો, ડ્રિલ કરો.
એક્સરસાઇઝ કરો. તો આ એક્સરસાઇઝ કરો. હું આત્મા, મારા બાબા કારણકે સમય ની ગતિ ને
ડ્રામા અનુસાર સ્લો કરવી પડે છે. તીવ્ર થવું જોઈએ ક્રિયેટરે, ક્રિયેશને નહીં પરંતુ
હમણાં નાં સમય પ્રમાણે સમય તેજ જઈ રહ્યો છે. પ્રકૃતિ એવરરેડી છે, ફક્ત ઓર્ડર માટે
રોકાયેલી છે. ડ્રામા નો સમય જ ઓર્ડર કરશે ને? સ્થાપના વાળા જો એવરરેડી નહીં હશે તો
વિનાશ પછી શું પ્રલય થશે? થવાની છે પ્રલય? કે વિનાશ પછી સ્થાપના થવાની જ છે? તો
સ્થાપના નાં નિમિત્ત બનેલા હમણાં સમય પ્રમાણે એવરરેડી હોવા જોઈએ. બાપદાદા આ જ જોવા
ઈચ્છે છે, જેવી રીતે બ્રહ્મા બાપ અર્જુન બન્યાં ને, એક્ઝામ્પલ બન્યા ને? એવી રીતે
બ્રહ્મા બાપ ને ફોલો કરવાવાળા કોણ બને છે? સ્વયં ને પણ જુઓ, સમય ને પણ જુઓ.
બાપદાદાએ પહેલાં પણ
કહ્યું કે વર્તમાન સમયે આપ સર્વ બ્રાહ્મણ સો ફરિશ્તા આત્માઓ ને નિમિત્ત ભાવ અને
નિર્માણ ભાવ, આ બંને શબ્દો ને અન્ડરલાઇન કરવાના છે. આમાં બોડી-કોન્શિયસ નું હું-પણું
ખતમ થઈ જશે. મારાપણું પણ ખતમ થઈ જશે. નિમિત્ત છું અને નિર્માણ સ્વભાવ. જેટલાં
નિર્માણ હોય છે ને એટલું માન મળે છે કારણકે જે નિર્માણ હોય છે તે બધા નાં પ્રિય બની
જાય છે. અને જ્યારે પ્રિય બની જાય છે તો માન તો ઓટોમેટિક મળશે. તો નિમિત્ત અને
નિર્માણ ભાવ અને ભાવના, શુભ ભાવના. ભાવ અને ભાવના બે વસ્તુ હોય છે. તો નિમિત્ત અને
નિર્માણ ભાવ અને ભાવના દરેક નાં પ્રત્યે શુભ ભાવના, શુભ કામના. કેવાં પણ હોય, તમારો
નિમિત્ત, નિર્માણ ભાવ અને શુભ ભાવના વાયુમંડળ એવું બનાવશે, જે સામેવાળા પણ
વાયબ્રેશન થી બદલાઈ જશે. ઘણાં બાળકો રુહરિહાન કરે છે ને - તો કહે છે અમે એક મહિના
થી શુભ ભાવના રાખી, તે બદલાતા જ નથી. પછી થાકી જાય છે, દિલ શિકસ્ત થઈ જાય છે. હવે એ
બિચારા ની જે વૃત્તિ છે કે દૃષ્ટિ છે તે છે જ પથ્થર જેવી, તેમાં થોડો તો સમય લાગશે
ને? સારું, સમજો તે નથી બદલાતા તો તમે પોતાને તો ઠીક રાખો ને? તમે તો પોતાની પોઝિશન
માં રહો ને. તમે કેમ દિલશિકસ્ત થઈ જાઓ છો? દિલશિકસ્ત ન બનો. સારું, તે નથી બદલાતા
તો હું તો એમની સાથે બદલાઈ ન જાઉં. જો તમે દિલશિકસ્ત થઈ ગયા તો તે પાવરફુલ થયા જે
તેણે તમને બદલી લીધાં. તમે તમારા સ્વમાન ની સીટ કેમ છોડો છો? વ્યર્થ વિચાર પણ ન ઉઠવા
જોઈએ, કેમ? કેમ કહ્યું અને વ્યર્થ વિચારો નો દરવાજો ખુલ્યો. તે દરવાજો બંધ ખૂબ
મુશ્કેલ થાય છે એટલે કેમ નહીં વિચારો, મર્સીફુલ થઈને વાયબ્રેશન આપતા રહો. તમે તમારી
સીટ છોડીને કેમ દિલશિકસ્ત થઈ જાઓ છો? યાદ રાખ્યું ને - પોઝિશન થી નીચે ન આવો, પછી
ખૂબ અપોઝિશન થઈ જાય છે. વ્યક્તિ-વ્યક્તિ માં અપોઝિશન થઈ જાય છે, સ્વભાવ-સંસ્કાર માં
અપોઝિશન થઈ જાય છે, વિચારો માં અપોઝિશન થઈ જાય છે એટલે પોઝિશન માં રહો. તો કાલે શું
કરશો? યાદ છે? બાપદાદા નો પ્રેમ છે ને, તો બાપદાદા સમજે છે બધા બ્રહ્મા બાપ સમાન બની
જાય. શું બાપ ની આગળ અપોઝિશન નથી આવી, બ્રહ્મા બાપ ની આગળ અપોઝિશન નથી થઈ, માયા ની
પણ આવી, આત્માઓ ની પણ આવી, પ્રકૃતિ ની પણ આવી, પરંતુ બ્રહ્મા બાપે પોઝિશન છોડી? નહીં
છોડી ને? ત્યારે ફરિશ્તા બન્યા ને? તો હવે પોતાને તો ફરિશ્તા સમજીને ચાલો, હું
ફરિશ્તા છું… પરંતુ એક બીજા ને પણ ફરિશ્તા રુપ માં જુઓ, બધા ફરિશ્તા છે. ન મારો જૂનાં
સંસાર સાથે સંબંધ, ન જૂનાં સંસ્કારો થી સંબંધ, ન આ કોઈ બ્રાહ્મણો સાથે. બસ, ખતમ. આ
પણ ફરિશ્તા, આ પણ ફરિશ્તા આ જ નજર થી જુઓ. વાયુમંડળ ફેલાવો. અચ્છા.
હવે એક મિનિટ એવી
પાવરફુલ સર્વ શક્તિઓ સંપન્ન વિશ્વ નાં આત્માઓ ને કિરણો આપો જે ચારેય તરફ તમારી
શક્તિઓ નાં વાયબ્રેશન વિશ્વ માં ફેલાઈ જાય. (ડેડ સાઇલેન્સ) અચ્છા.
ચારેય તરફ નાં
બ્રાહ્મણ સો ફરિશ્તા બાળકો ને, સદા સ્વદર્શન દ્વારા સ્વ ને ચેક અને ચેન્જ કરવા વાળા,
બ્રહ્મા બાપ ને ફોલો કરવાવાળા ફરમાન વરદાર બાળકો ને, સદા ડબલ લાઈટ બની સેવા અને
પુરુષાર્થ કરવાવાળા ફરિશ્તા આત્માઓ ને, સદા પોતાની પોઝિશન ની સીટ પર સેટ થઈ અપોઝિશન
ને સમાપ્ત કરવા વાળા માસ્ટર સર્વશક્તિવાન્ બાળકો ને, સંગમયુગ નું પ્રત્યક્ષ ફળ
અનુભવ કરવા વાળા બાપ નાં સમીપ બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
પ્રત્યક્ષતા
નાં સમય ને સમીપ લાવવા વાળા સદા શુભચિંતક અને સ્વચિંતક ભવ
સેવા માં સફળતા નો
આધાર છે શુભચિંતક વૃત્તિ કારણકે તમારી આ વૃત્તિ આત્માઓ ની ગ્રહણ શક્તિ તથા જિજ્ઞાસા
ને વધારે છે, આનાંથી વાણી ની સેવા સહજ સફળ થઈ જાય છે અને સ્વ નાં પ્રત્યે સ્વચિંતન
કરવા વાળા સ્વચિંતક આત્મા સદા માયા પ્રૂફ, કોઈ ની પણ કમજોરીઓ ને ગ્રહણ કરવાથી,
વ્યક્તિ તથા વૈભવ નાં આકર્ષણ થી પ્રૂફ થઈ જાય છે. તો હવે આ બંને વરદાન પ્રેક્ટિકલ
જીવન માં લાવો ત્યારે પ્રત્યક્ષતા નો સમય સમીપ આવે.
સ્લોગન :-
પોતાનાં
સંકલ્પો ને પણ અર્પણ કરી દો તો સર્વ કમજોરીઓ સ્વતઃ દૂર થઈ જશે.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો
પરમાત્મ-પ્રેમ નો
અનુભવ કરવા માટે અંતર્મુખી બની આ દેહ થી ન્યારા દેહી (આત્મિક) રુપ માં સ્થિત રહેવાનો
અભ્યાસ વધારો. સદા અંતર્મુખતા ની ગુફા માં રહો તો જૂની દુનિયાનાં વાતાવરણ થી પરે થતા
જશો. વાતાવરણ નાં પ્રભાવ માં નહીં આવશો.