01-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે આ પુરુષોત્તમ સંગમયુગ પર જ ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનવાનું છે , સૌથી ઉત્તમ પુરુષ છે આ લક્ષ્મી - નારાયણ”

પ્રશ્ન :-
આપ બાળકો બાપ ની સાથે-સાથે કયું એક ગુપ્ત કાર્ય કરી રહ્યાં છો?

ઉત્તર :-
આદિ સનાતન દેવી-દેવતા ધર્મ અને દૈવી રાજધાની ની સ્થાપના - તમે બાપ ની સાથે ગુપ્ત રુપ થી આ કાર્ય કરી રહ્યાં છો. બાપ બાગવાન છે જે આવીને કાંટાઓનાં જંગલ ને ફૂલો નો બગીચો બનાવી રહ્યાં છે. તે બગીચા માં કોઈ પણ ખોફનાક (ભયાનક) દુઃખ આપવા વાળી વસ્તુઓ હોતી નથી.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. સમજાવશે તો જરુર શરીર દ્વારા. આત્મા શરીર વગર કોઈ પણ કાર્ય કરી નથી શકતો. રુહાની બાપ ને પણ એક જ વાર પુરુષોત્તમ સંગમયુગ પર શરીર લેવું પડે છે. આ સંગમયુગ પણ છે, આને પુરુષોત્તમ યુગ પણ કહેવાશે કારણકે આ સંગમયુગ પછી ફરી સતયુગ આવે છે. સતયુગ ને પણ પુરુષોત્તમ યુગ કહેવાશે. બાપ આવીને સ્થાપના પણ પુરુષોત્તમ યુગ ની કરે છે. સંગમયુગ પર આવે છે તો જરુર તે પણ પુરુષોત્તમ યુગ થયો. અહીં જ બાળકો ને પુરુષોત્તમ બનાવે છે. પછી તમે પુરુષોત્તમ નવી દુનિયામાં રહો છો. પુરુષોત્તમ અર્થાત્ ઉત્તમ થી ઉત્તમ પુરુષ આ રાધા-કૃષ્ણ અથવા લક્ષ્મી-નારાયણ છે. આ જ્ઞાન પણ તમને છે. બીજા ધર્મવાળા પણ માનશે બરોબર આ હેવન (સ્વર્ગ) નાં માલિક છે. ભારત ની ખૂબ ભારે મહિમા છે. પરંતુ ભારતવાસી પોતે નથી જાણતાં. કહે પણ છે ને - ફલાણા સ્વર્ગવાસી થયા પરંતુ સ્વર્ગ શું વસ્તુ છે, એ સમજતા નથી. જાતે જ સિદ્ધ કરે છે સ્વર્ગ ગયાં, તેનો અર્થ નર્ક માં હતાં. હેવન તો જ્યારે બાપ સ્થાપન કરે. તે તો નવી દુનિયા ને જ કહેવાય છે. બે વસ્તુ છે ને - સ્વર્ગ અને નર્ક. મનુષ્ય તો સ્વર્ગ ને લાખો વર્ષ કહી દે છે. આપ બાળકો સમજો છો કાલે સ્વર્ગ હતું, આમની રાજાઈ હતી ફરી બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો.

બાપ કહે છે - મીઠાં લાડલા બાળકો, તમારો આત્મા પતિત છે એટલે હેલ (નર્ક) માં જ છે. કહે પણ છે હજી કળિયુગ નાં ૪૦ હજાર વર્ષ બાકી છે, તો જરુર કળિયુગ વાસી કહેવાશે ને? જૂની દુનિયા તો છે ને? મનુષ્ય બિચારા ઘોર અંધકાર માં છે. અંત માં જ્યારે આગ લાગશે તો આ બધા ખતમ થઈ જશે. તમારી પ્રીત બુદ્ધિ છે નંબરવાર પુરુષાર્થ અનુસાર. જેટલી પ્રીત બુદ્ધિ હશે એટલું ઊંચ પદ મેળવશે. સવારે ઉઠીને ખૂબ પ્રેમ થી બાપ ને યાદ કરવાના છે. ભલે પ્રેમ નાં આંસુ પણ આવે કારણકે ઘણાં સમય પછી બાપ આવીને મળે છે. બાબા આપ આવીને અમને દુઃખ થી છોડાવો છો. અમે વિષય સાગર માં ગોતા ખાતા કેટલાં દુઃખી થતા આવ્યાં છીએ. હમણાં આ છે રૌરવ નર્ક. હવે તમને બાબાએ આખાં ચક્ર નું રહસ્ય સમજાવ્યું છે. મૂળવતન શું છે - તે પણ આવીને બતાવ્યું છે. પહેલાં તમે નહોતાં જાણતાં, આને કહે જ છે કાંટાઓ નું જંગલ. સ્વર્ગ ને કહેવાય છે ગાર્ડન ઓફ અલ્લાહ, ફૂલો નો બગીચો. બાપ ને બાગવાન પણ કહે છે ને? તમને ફૂલ થી પછી કાંટા કોણ બનાવે છે? રાવણ. આપ બાળકો સમજો છો ભારત ફૂલો નો બગીચો હતો, હમણાં જંગલ છે. જંગલ માં જનાવર, વીંછી વગેરે રહે છે. સતયુગ માં કોઈ ખોફનાક જનાવર વગેરે હોતાં નથી. શાસ્ત્રો માં તો ખૂબ વાતો લખી દીધી છે. શ્રીકૃષ્ણ ને સાપે ડંખ્યો, આ થયું. શ્રીકૃષ્ણ ને પછી દ્વાપર માં લઈ ગયા છે. બાપે સમજાવ્યું છે ભક્તિ બિલકુલ અલગ વસ્તુ છે, જ્ઞાન સાગર એક જ બાપ છે. એવું નથી કે બ્રહ્મા-વિષ્ણુ-શંકર જ્ઞાન નાં સાગર છે. ના, પતિત-પાવન એક જ જ્ઞાન સાગર ને કહેવાશે. જ્ઞાન થી જ મનુષ્ય ની સદ્દગતિ થાય છે. સદ્દગતિ નાં સ્થાન છે બે - મુક્તિધામ અને જીવન મુક્તિધામ. હમણાં આપ બાળકો જાણો છો આ રાજધાની સ્થાપન થઈ રહી છે, પરંતુ ગુપ્ત. બાપ જ આવીને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે, તો બધા પોત-પોતાનાં મનુષ્ય ચોલા (શરીર) માં આવે છે. બાપ ને પોતાનું શરીર તો નથી, એટલે એમને નિરાકાર ગોડફાધર કહેવાય છે. બાકી બધા છે સાકારી. આમને કહેવાય છે ઇનકોરપોરિયલ ગોડફાધર (નિરાકાર પરમપિતા), ઇનકોરપોરિયલ આત્માઓ નાં. આપ આત્માઓ પણ ત્યાં રહો છો. બાપ પણ ત્યાં રહે છે. પરંતુ છે ગુપ્ત. બાપ જ આવીને આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. મૂળવતન માં કોઈ દુઃખ નથી. બાપ કહે છે તમારું કલ્યાણ છે જ એક વાત માં - બાપ ને યાદ કરો, મનમનાભવ. બસ, બાપ નાં બાળક બન્યાં, બાળક ને વારસો અંડરસ્ટુડ (નિશ્ચિત) છે. અલ્ફ ને યાદ કર્યા તો વારસો જરુર છે - સતયુગી નવી દુનિયાનો. આ પતિત દુનિયા નો વિનાશ પણ જરુર થવાનો જ છે. અમરપુરી માં જવાનું જ છે. અમરનાથ આપ પાર્વતીઓ ને અમરકથા સંભળાવી રહ્યાં છે. તીર્થો પર કેટલાં મનુષ્ય જાય છે - અમરનાથ પર કેટલાં જાય છે. ત્યાં છે કાંઈ પણ નથી. બધા છે ઠગી. સાચાં રત્તી માત્ર પણ નથી. ગવાય પણ છે જુઠી કાયા જુઠી માયા… આનો પણ અર્થ હોવો જોઈએ. અહીં છે જ જુઠ્ઠું. આ પણ જ્ઞાન ની વાત છે. એવું નથી કે ગ્લાસ ને ગ્લાસ કહેવું જૂઠ્ઠું છે. બાકી બાપ માટે જે કાંઈ બોલે છે તે જુઠ્ઠું બોલે છે. સાચ્ચું બોલવા વાળા એક જ બાપ છે. હમણાં તમે જાણો છો બાબા આવીને સાચ્ચી-સાચ્ચી સત્ય નારાયણ ની કથા સંભળાવે છે. જુઠ્ઠા હીરા-મોતી પણ હોય છે ને? આજકાલ જુઠ્ઠા નો ખૂબ શો (દેખાવ) છે. તેની ચમક એવી હોય છે સાચાં કરતાં પણ સારી. આ જુઠ્ઠા પથ્થર પહેલાં નહોતાં. અંત માં વિલાયત થી આવ્યાં છે. જુઠ્ઠા સાચાં સાથે મળાવી દે છે, ખબર નથી પડતી. પછી એવી વસ્તુ પણ કાઢી જેનાંથી પારખે છે. મોતી પણ એવાં જુઠ્ઠા નીકળ્યાં છે જે જરા પણ ખબર નથી પડી શકતી. હવે આપ બાળકો ને કોઈ સંશય નથી રહેતો. સંશય વાળા પછી આવતા જ નથી. પ્રદર્શન માં કેટલાં અનેકાનેક આવે છે. બાપ કહે છે હવે મોટી-મોટી દુકાન કાઢો (બનાવો), આ એક જ તમારી સાચ્ચી દુકાન છે. તમે સાચ્ચી દુકાન ખોલો છો. મોટાં-મોટાં સંન્યાસીઓ ની મોટી-મોટી દુકાન હોય છે, જ્યાં મોટાં-મોટાં મનુષ્ય જાય છે. તમે પણ મોટાં-મોટાં સેવાકેન્દ્ર ખોલો. ભક્તિમાર્ગ ની સામગ્રી બિલકુલ અલગ છે. એવું નહીં કહેવાશે કે ભક્તિ શરુઆત થી જ ચાલી આવી છે. ના. જ્ઞાન થી થાય છે સદ્દગતિ અર્થાત્ દિવસ. ત્યાં સંપૂર્ણ નિર્વિકારી વિશ્વ નાં માલિક હતાં. મનુષ્યો ને આ પણ ખબર નથી કે આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક હતાં. સૂર્યવંશી અને ચંદ્રવંશી, બીજો કોઈ ધર્મ હોતો નથી. બાળકોએ ગીત પણ સાંભળ્યું. તમે સમજો છો અંતે તે દિવસ આવ્યો આજે સંગમ નો, જે આપણે આવીને પોતાનાં બેહદ નાં બાપ ને મળ્યાં. બેહદ નો વારસો મેળવવા માટે પુરુષાર્થ કરીએ છીએ. સતયુગ માં તો એવું નહીં કહેવાશે - અંતે તે દિવસ આવ્યો આજે. તે લોકો સમજે છે - ખૂબ અનાજ હશે, આ હશે. સમજે છે સ્વર્ગ ની સ્થાપના અમે કરીએ છીએ. સમજે છે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) નું નવું લોહી છે, આ ખૂબ મદદ કરશે એટલે ગવર્મેન્ટ (સરકાર) ખૂબ મહેનત કરે છે તેમનાં પર. અને પછી પથ્થર વગેરે પણ તે જ મારે છે. હંગામા કરવામાં પહેલાં-પહેલાં સ્ટુડન્ટ જ આગળ હોય છે. તે ખૂબ હોંશિયાર હોય છે. તેમનું નવું લોહી કહેવાય છે. હવે નવાં લોહી ની તો વાત નથી. તે છે બ્લડ કનેક્શન (લોહીનો સંબંધ), હમણાં તમારું આ છે રુહાની કનેક્શન (આત્મિક સંબંધ). કહે છે ને બાબા હું તમારું બે મહિનાં નું બાળક છું. ઘણાં બાળકો રુહાની બર્થ ડે મનાવે છે. ઈશ્વરીય બર્થ ડે જ મનાવવો જોઈએ. તે શરીર નો બર્થ ડે કેન્સલ (અમાન્ય) કરી દેવો જોઈએ. આપણે બ્રાહ્મણોને જ ખવડાવીશું. મનાવવો તો આ જોઈએ ને? તે છે આસુરી જન્મ, આ છે ઈશ્વરીય જન્મ. રાત-દિવસ નો ફરક છે, પરંતુ જ્યારે નિશ્ચય માં બેસે. એવું નહીં, ઈશ્વરીય જન્મ મનાવીને પછી જઈ આસુરી જન્મ માં પડે. એવું પણ થાય છે. ઈશ્વરીય જન્મ મનાવતાં-મનાવતાં પછી રફૂ-ચક્કર થઈ જાય છે. આજકાલ તો મેરેજ ડે (લગ્ન દિવસ) પણ મનાવે છે, લગ્ન ને જાણે સારું શુભ કાર્ય સમજે છે. જહન્નુમ માં જવાનો પણ દિવસ મનાવે છે. વન્ડર છે ને? બાપ બેસીને આ બધી વાતો સમજાવે છે. હવે તમારે તો ઈશ્વરીય બર્થ ડે બ્રાહ્મણો ની સાથે જ મનાવવાનો છે. આપણે શિવબાબા નાં બાળકો છીએ, આપણે બર્થ ડે મનાવીએ છીએ તો શિવબાબા ની જ યાદ રહેશે. જે બાળકો નિશ્ચય બુદ્ધિ છે તેમણે જન્મ દિવસ મનાવવો જોઈએ. તે આસુરી જન્મ જ ભૂલાઈ જાય. આ પણ બાબા સલાહ આપે છે. જો પાક્કા નિશ્ચયબુદ્ધિ છે તો. બસ આપણે તો બાબા નાં બની ગયાં, બીજું ન કોઈ પછી અંત મતિ સો ગતિ થઈ જશે. બાપ ની યાદ માં મર્યા તો બીજો જન્મ પણ એવો મળશે. નહીં તો અંતકાલ જો સ્ત્રી સિમરે… આ પણ ગ્રંથ માં છે. અહીં પછી કહે છે અંત સમયે ગંગા નો તટ હોય. આ બધી છે ભક્તિમાર્ગ ની વાતો. તમને બાપ કહે છે શરીર છૂટે તો પણ સ્વદર્શન ચક્રધારી હોય. બુદ્ધિ માં બાપ અને ચક્ર યાદ હોય. તે જરુર જ્યારે પુરુષાર્થ કરતા રહેશો ત્યારે તો અંતકાળે યાદ આવશે. સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો કારણકે આપ બાળકોએ હવે પાછા જવાનું છે અશરીરી બનીને. અહીં પાર્ટ ભજવતા-ભજવતા સતોપ્રધાન થી તમોપ્રધાન બન્યાં છો. હવે ફરી સતોપ્રધાન બનવાનું છે. આ સમયે આત્મા જ ઇમપ્યોર (અપવિત્ર) છે, તો શરીર પ્યોર પછી કેવી રીતે મળી શકે? બાબાએ ખૂબ દૃષ્ટાંત સમજાવ્યાં છે તો પણ ઝવેરી છે ને? ખાદ ઘરેણા માં નહીં, સોના માં પડે છે. ૨૪ કેરેટ થી ૨૨ કેરેટ બનાવવાનું હશે તો ચાંદી નાખશે. હમણાં તો સોનું છે નહીં. બધા પાસે થી લેતા રહે છે. આજકાલ નોટ પણ જુઓ કેવી રીતે બનાવે છે. કાગળ પણ નથી. બાળકો સમજે છે કલ્પ-કલ્પ આવું થતું આવ્યું છે. પૂરી સંભાળ રાખે છે. લોકર્સ વગેરે ખોલાવે છે. જેમ કોઈ ની તલાશી (જાણકારી) વગેરે લેવાય છે ને? ગાયન પણ છે - કિનકી દબી રહી ધૂલ મેં… આગ પણ જોર થી લાગે છે. આપ બાળકો જાણો છો આ બધું થવાનું છે એટલે બેગ-બેગેજ તમે ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યાં છો. બીજા કોઈને ખબર થોડી છે, તમને જ વારસો મળે છે ૨૧ જન્મ માટે. તમારા જ પૈસા થી ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છે, જેમાં પછી તમે જ નિવાસ કરશો.

આપ બાળકો પોતાનાં જ પુરુષાર્થ થી પોતે જ રાજતિલક લો છો. ગરીબ નિવાઝ બાબા સ્વર્ગ નાં માલિક બનાવવા આવ્યાં છે પરંતુ બનશે તો પોતાનાં ભણતર થી. કૃપા અથવા આશીર્વાદ થી નહીં. શિક્ષક નો તો ભણાવવાનો ધર્મ છે. કૃપા ની વાત નથી. શિક્ષક ને ગવર્મેન્ટ પાસે થી પગાર મળે છે. તો તે જરુર ભણાવશે. આટલો મોટો ઇજાફો (આટલું બધું વળતર) મળે છે. પદમાપદમપતિ બનો છો. શ્રીકૃષ્ણ નાં પગ માં પદમ ની નિશાની આપે છે. તમે અહીં આવ્યાં છો ભવિષ્ય માં પદમપતિ બનવાં. તમે ખૂબ સુખી, સાહૂકાર, અમર બનો છો. કાળ પર વિજય મેળવો છો. આ વાતો ને મનુષ્ય સમજી ન શકે તમારી આયુ પૂરી થઈ જાય છે, અમર બની જાઓ છો. તેમણે પછી પાંડવો નાં ચિત્ર લાંબા-લાંબા બનાવી દીધાં છે. સમજે છે પાંડવ આટલાં લાંબા હતાં. હવે પાંડવ તો તમે છો. કેટલો રાત-દિવસ નો ફરક છે! મનુષ્ય કોઈ વધારે લાંબા તો હોતાં નથી. ૬ ફૂટ નાં જ હોય છે. ભક્તિમાર્ગ માં પહેલાં-પહેલાં શિવબાબા ની ભક્તિ થાય છે. તે તો મોટા બનાવશે નહીં. પહેલાં શિવબાબા ની અવ્યભિચારી ભક્તિ ચાલે છે. પછી દેવતાઓ ની મૂર્તિઓ બનાવે છે. તેમનાં પછી મોટાં-મોટાં ચિત્ર બનાવે છે. પછી પાંડવો નાં મોટાં-મોટાં ચિત્ર બનાવે છે. આ બધા પૂજા માટે ચિત્ર બનાવે છે. લક્ષ્મી ની પૂજા ૧૨ મહિના માં એક વાર કરે છે. જગતઅંબા ની પૂજા રોજ કરતા રહે છે. આ પણ બાબાએ સમજાવ્યું છે તમારી ડબલ પૂજા થાય છે. મારી તો ફક્ત આત્મા એટલે લિંગ ની જ થાય છે. તમારી સાલિગ્રામ નાં રુપ માં પણ પૂજા થાય છે અને પછી દેવતાઓ નાં રુપ માં પણ પૂજા થાય છે. રુદ્ર યજ્ઞ રચે છે તો કેટલાં સાલિગ્રામ બનાવે છે તો કોણ મોટું થયું? ત્યારે બાબા બાળકો ને નમસ્તે કરે છે. કેટલું ઊંચ પદ પ્રાપ્ત કરાવે છે.

બાબા કેટલી ગુહ્ય-ગુહ્ય વાતો સંભળાવે છે, તો બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ? આપણને ભગવાન ભણાવે છે ભગવાન-ભગવતી બનાવવા માટે. કેટલો ધન્યવાદ (આભાર) માનવો જોઈએ. બાપ ની યાદ માં રહેવા થી સ્વપ્ન પણ સારા આવશે. સાક્ષાત્કાર પણ થશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનો ઇશ્વરીય રુહાની બર્થ ડે મનાવવાનો છે, રુહાની કનેક્શન રાખવાનું છે, બ્લડ કનેક્શન નહીં. આસુરી શરીર નો બર્થ ડે પણ કેન્સલ. તે પછી યાદ પણ ન આવે.

2. પોતાનાં બેગ-બેગેજ ભવિષ્ય માટે તૈયાર કરવાના છે. પોતાનાં પૈસા ભારત ને સ્વર્ગ બનાવવાની સેવા માં સફળ કરવાનાં છે. પોતાનાં પુરુષાર્થ થી પોતાને રાજતિલક આપવાનું છે.

વરદાન :-
સ્નેહ અને સહયોગ ની વિધિ દ્વારા સહજયોગી ભવ

બાપદાદા ને બાળકો નો સ્નેહ જ પસંદ છે જે યજ્ઞ સ્નેહી અને સહયોગી બને છે તે સહજયોગી સ્વતઃ બની જાય છે. સહયોગ સહજયોગ છે. દિલવાળા બાપ ને દિલ નો સ્નેહ અને દિલ નો સહયોગ જ પ્રિય છે. નાનાં દિલ વાળા નાનો સોદો કરી ખુશ થઈ જાય છે અને મોટા દિલ વાળા બેહદ નો સોદો કરે છે. વેલ્યુ સ્નેહ ની છે વસ્તુ ની નથી એટલે સુદામા નાં કાચ્ચા ચોખા ગવાયેલા છે. આમ ભલે કોઈ કેટલું પણ આપે પરંતુ સ્નેહ નથી તો જમા નહીં થશે. સ્નેહ થી થોડું પણ જમા કરે તો તે પદમ થઈ જાય છે.

સ્લોગન :-
સમય અને શક્તિ વ્યર્થ ન જાય એટલાં માટે પહેલાં વિચારો પછી કરો.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

બાપદાદા બાળકો ને વિશેષ ઈશારો આપી રહ્યાં છે - બાળકો હવે તીવ્ર પુરુષાર્થ ની લગન ને અગ્નિ રુપ માં લાવો, જ્વાળામુખી બનો. જે પણ મન નાં, સંબંધ-સંપર્ક નાં હિસાબ-કિતાબ રહેલા છે - એને જ્વાળા સ્વરુપ ની યાદ થી ભસ્મ કરો.