02-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
પરસ્પર બહુ જ - બહુ જ રુહાની સ્નેહ થી રહેવાનું છે , ક્યારેય પણ મતભેદ માં નથી
આવવાનું”
પ્રશ્ન :-
દરેક બ્રાહ્મણ બાળકોએ
પોતાનાં દિલ થી કઈ વાત પૂછવી જોઈએ ?
ઉત્તર :-
પોતાનાં દિલ થી પૂછો - ૧. હું ઈશ્વર નાં દિલ પર ચઢેલો છું? ૨. મારા માં દૈવી ગુણો
ની ધારણા ક્યાં સુધી છે? ૩. હું બ્રાહ્મણ ઈશ્વરીય સર્વિસ માં બાધા (બંધન) તો નથી
નાખતો? ૪. સદા ક્ષીરખંડ રહું છું? અમારી પરસ્પર એકમત છે? ૫. હું સદા શ્રીમત નું
પાલન કરું છું?
ગીત :-
ભોલેનાથ સે
નિરાલા…
ઓમ શાંતિ!
આપ બાળકો છો
ઈશ્વરીય સંપ્રદાય. પહેલાં હતાં આસુરી સંપ્રદાય. આસુરી સંપ્રદાય ને આ ખબર નથી કે
ભોળાનાથ કોને કહેવાય છે? આ પણ નથી જાણતા કે શિવ-શંકર અલગ-અલગ છે. તે શંકર દેવતા છે,
શિવ બાપ છે. કાંઈ પણ નથી જાણતાં. હમણાં તમે છો ઈશ્વરીય સંપ્રદાય અથવા ઈશ્વરીય ફેમિલી
(પરિવાર). તે છે આસુરી પરિવાર રાવણ નો. કેટલો ફરક છે! હમણાં તમે ઈશ્વરીય પરિવાર માં
ઈશ્વર દ્વારા શીખી રહ્યાં છો કે એક-બીજા સાથે રુહાની પ્રેમ કેવો હોવો જોઈએ! એક-બીજા
માં બ્રાહ્મણ કુળ માં આ રુહાની પ્રેમ અહીં થી ભરવાનો છે. જેમનો પૂરો પ્રેમ નહીં હશે
તે પૂરું પદ પણ નહીં મેળવશે. ત્યાં તો છે જ એક ધર્મ, એક રાજ્ય. પરસ્પર કોઈ ઝઘડો નથી
થતો. અહીં તો રાજાઈ નથી. બ્રાહ્મણો માં પણ દેહ-અભિમાન હોવાનાં કારણે મતભેદ માં આવી
જાય છે. એવી રીતે મતભેદ માં આવવા વાળા સજાઓ ખાઈને પછી પાસ થશે. પછી ત્યાં એક ધર્મ
માં રહે છે, તો ત્યાં શાંતિ રહે છે. હવે એ તરફ છે આસુરી સંપ્રદાય અથવા આસુરી
ફેમિલી-ટાઈપ. અહીંયા છે ઈશ્વરીય ફેમિલી ટાઈપ. ભવિષ્ય માટે દૈવીગુણ ધારણ કરી રહ્યાં
છે. બાપ સર્વગુણ સંપન્ન બનાવે છે. બધા તો નથી બનતાં. જે શ્રીમત પર ચાલે છે તે જ
વિજય માળા નાં દાણા બને છે. જે નહીં બનશે તે પ્રજા માં આવી જાય છે. ત્યાં તો ડીટી
ગવર્મેન્ટ છે. ૧૦૦ ટકા પ્યોરિટી, પીસ, પ્રોસપર્ટી (પવિત્રતા, શાંતિ, સુખ) હોય છે. આ
બ્રાહ્મણ કુળ માં હવે દૈવી ગુણ ધારણ કરવાના છે. કોઈ તો સારી રીતે દૈવીગુણ ધારણ કરે
છે, બીજા ને કરાવતા રહે છે. ઈશ્વરીય કુળ નો પરસ્પર રુહાની સ્નેહ પણ ત્યારે થશે
જ્યારે દેહી-અભિમાની હશે, એટલે પુરુષાર્થ કરતા રહે છે. અંત માં પણ બધાની અવસ્થા
એકરસ, એક જેવી તો નથી થઈ શકતી. પછી સજાઓ ખાઈને પદ ભ્રષ્ટ થઈ પડશે. ઓછું પદ પ્રાપ્ત
થશે. બ્રાહ્મણો માં પણ જો કોઈ પરસ્પર ક્ષીરખંડ થઈને નથી રહેતાં, પરસ્પર લુણપાણી થઈને
રહે છે, દૈવી ગુણ ધારણ નથી કરતા તો ઊંચ પદ કેવી રીતે મેળવી શકશે? લુણપાણી હોવાને
કારણે ક્યાંક ઈશ્વરીય સર્વિસ માં પણ બાધા નાખતા રહે છે. જેનું પરિણામ શું હોય છે એ
એટલું ઊંચું પદ નથી મેળવી શકતાં. એક તરફ પુરુષાર્થ કરે છે ક્ષીરખંડ બનવાનો, બીજી
તરફ માયા લુણપાણી બનાવી દે છે, જેનાં કારણે સર્વિસ નાં બદલે ડીસસર્વિસ કરે છે. બાપ
સમજાવે છે તમે છો ઈશ્વરીય ફેમિલી. ઈશ્વર ની સાથે રહો પણ છો. કોઈ સાથે રહે છે, કોઈ
બીજા-બીજા ગામ માં રહે છે પરંતુ છો તો સાથે ને? બાપ પણ ભારત માં આવે છે. મનુષ્ય આ
નથી જાણતા, શિવબાબા ક્યારે આવે છે? શું આવીને કરે છે? તમને બાપ દ્વારા હવે પરિચય
મળ્યો છે. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને હમણાં તમે જાણો છો. દુનિયા ને ખબર
નથી કે આ ચક્ર કેવી રીતે ફરે છે? હમણાં કયો સમય છે? બિલકુલ ઘોર અંધકાર માં છે.
આપ બાળકો ને રચયિતા
બાપે આવીને બધા સમાચાર સંભળાવ્યાં છે. સાથે-સાથે સમજાવે છે કે સાલીગ્રામો, મને યાદ
કરો. આ શિવબાબા કહે છે પોતાનાં બાળકો ને. તમે પાવન બનવા ઈચ્છો છો ને? પોકારતા આવ્યાં
છો. હમણાં હું આવ્યો છું. શિવબાબા આવે જ છે - ભારત ને ફરી થી શિવાલય બનાવવા, રાવણે
વૈશ્યાલય બનાવ્યું છે. પોતે જ ગાય છે કે અમે પતિત વિશશ છીએ. ભારત સતયુગ માં સંપૂર્ણ
નિર્વિકારી હતું. નિર્વિકારી દેવતાઓ ને વિકારી મનુષ્ય પૂજે છે. પછી નિર્વિકારી જ
વિકારી બને છે. આ કોઈને ખબર નથી. પૂજ્ય તો નિર્વિકારી હતાં પછી પુજારી વિકારી બને
છે ત્યારે તો બોલાવે છે હે પતિત-પાવન આવો, આવીને નિર્વિકારી બનાવો. બાપ કહે છે આ
અંતિમ જન્મ તમે પવિત્ર બનો. મામેકમ્ યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે અને તમોપ્રધાન
થી સતોપ્રધાન દેવતા બની જશો પછી ચંદ્રવંશી ક્ષત્રિય ફેમિલી ટાઈપ માં આવશો. આ સમયે
છો ઈશ્વરીય ફેમિલી-ટાઈપ પછી દૈવી ફેમિલી માં ૨૧ જન્મ રહેશો. આ ઈશ્વરીય ફેમિલી માં
તમે અંતિમ જન્મ પસાર કરો છો. આમાં તમારે પુરુષાર્થ કરી ફરી સર્વગુણ સંપન્ન બનવાનું
છે. તમે પૂજ્ય હતાં - બરોબર રાજ્ય કરતા હતાં પછી પુજારી બન્યાં છો. આ સમજાવવું પડે
ને? ભગવાન છે બાપ. આપણે એમનાં બાળકો છીએ તો ફેમિલી થયા ને? ગાય પણ છે તુમ માતા પિતા
હમ બાલક તેરે… તો ફેમિલી થયા ને? હવે બાપ પાસે થી સુખ ઘનેરા (અથાહ) મળે છે. બાપ કહે
છે તમે અમારી ફેમિલી બેશક છો. પરંતુ ડ્રામા પ્લાન અનુસાર રાવણ રાજ્ય માં આવ્યાં પછી
તમે દુઃખ માં આવો છો તો પોકારો છો. આ સમયે તમે એક્યુરેટ ફેમિલી છો. પછી તમને ભવિષ્ય
૨૧ જન્મ માટે વારસો આપું છું. આ વારસો પછી દૈવી ફેમિલી માં ૨૧ જન્મ કાયમ રહેશે. દૈવી
ફેમિલી સતયુગ-ત્રેતા સુધી ચાલે છે. પછી રાવણ રાજ્ય હોવાથી ભૂલી જાય છે કે અમે દૈવી
ફેમિલી નાં છીએ. વામ માર્ગ માં જવાથી આસુરી ફેમિલી થઈ જાય છે. ૬૩ જન્મ સીડી ઉતરતા
આવ્યાં છો. આ બધી નોલેજ તમારી બુદ્ધિ માં છે. કોઈને પણ તમે સમજાવી શકો છો. અસલ તમે
દેવી-દેવતા ધર્મ નાં છો. સતયુગ ની પહેલાં હતો કળિયુગ. સંગમ પર તમને મનુષ્ય થી દેવતા
બનાવાય છે. વચ્ચે છે આ સંગમ. તમને બ્રાહ્મણ ધર્મ થી પછી દૈવી ધર્મ માં લઈ આવે છે.
સમજાવાય છે લક્ષ્મી-નારાયણે રાજ્ય કેવી રીતે લીધું. એનાં પહેલાં આસુરી રાજ્ય હતું
પછી દૈવી રાજ્ય ક્યારે અને કેવી રીતે થયું? બાપ કહે છે કલ્પ-કલ્પ સંગમ પર આવીને તમને
બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય ધર્મ માં લઈ આવે છે. આ છે ભગવાન ની ફેમિલી. બધા કહે છે
ગોડ ફાધર. પરંતુ બાપ ને ન જાણવાનાં કારણે નિધણ નાં બની ગયા છે એટલે બાપ આવે છે ઘોર
અંધકાર થી સોજરુ (પ્રકાશ) કરવા. હવે સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે. આપ બાળકો ભણી રહ્યાં
છો, દૈવી ગુણ ધારણ કરી રહ્યાં છો. આ પણ ખબર હોવી જોઈએ - શિવ જયંતી મનાવે છે, શિવ
જયંતી પછી શું હશે? જરુર દૈવી રાજ્ય ની જયંતી થઈ હશે ને? હેવીનલી ગોડ ફાધર હેવન ની
સ્થાપના કરવા હેવન માં નહીં આવશે. કહે છે કે હું હેલ અને હેવન ની વચ્ચે સંગમ પર આવું
છું. શિવરાત્રી કહેવાય છે ને? તો રાત્રે હું આવું છું. આ તમે બાળકો સમજી શકો છો. જે
સમજે છે તે બીજાઓ ને પણ ધારણ કરાવે છે. દિલ પર પણ તે ચઢે છે જે મન્સા-વાચા-કર્મણા
સર્વિસ પર તત્પર રહે છે. જેવી-જેવી સર્વિસ એટલાં દિલ પર ચઢે છે. કોઈ ઓલરાઉન્ડ
વર્કર્સ હોય છે. બધા કામ શીખવા જોઈએ. ભોજન બનાવવાનું, રોટલી બનાવવાની, વાસણ માંજવા…
આ પણ સેવા છે ને? બાપ ની યાદ છે ફર્સ્ટ. એમની યાદ થી જ વિકર્મ વિનાશ થાય છે. અહીં
નો વારસો મળેલો છે. ત્યાં સર્વગુણ સંપન્ન રહો છો. યથા રાજા રાણી તથા પ્રજા. દુઃખ ની
વાત નથી હોતી. આ સમયે બધા નર્કવાસી છે. બધાની ઉતરતી કળા છે. પછી હવે ચઢતી કળા થશે.
બાપ બધાને દુઃખ થી છોડાવી સુખ માં લઈ જાય છે, એટલે બાપ ને લિબરેટર કહેવાય છે. અહીં
તમને નશો રહે છે અમે બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છીએ, લાયક બની રહ્યાં છીએ. લાયક
તો એમને કહેવાશે જે બીજાઓ ને રાજાઈ પદ મેળવવા ને લાયક બનાવે છે. આ પણ બાબાએ સમજાવ્યું
છે કે ભણવા વાળા તો બહુ જ આવશે. એવું નથી કે બધા ૮૪ જન્મ લેશે. જે થોડું પણ ભણશે તે
પછી થી પણ આવશે, તો જન્મ પણ ઓછા હશે ને? કોઈ ૮૦, કોઈ ૮૨, કોઈ જલ્દી આવે, કોઈ પાછળ
થી આવે… બધો આધાર ભણતર પર છે. સાધારણ પ્રજા પાછળ આવશે. એમનાં ૮૪ જન્મ હોઈ ન શકે.
પાછળ આવતા રહે છે. જે બિલકુલ અંત માં હશે તે ત્રેતા અંત માં આવીને જન્મ લેશે. પછી
વામમાર્ગ માં જાય છે. ઉતરવાનું શરુ થઈ જાય છે. ભારતવાસીઓએ કેવી રીતે ૮૪ જન્મ લીધાં
છે, એમની આ સીડી છે. આ ગોળો છે ડ્રામા નાં રુપ માં. જે પાવન હતાં એ જ હવે પતિત બન્યાં
છે પછી પાવન દેવતા બને છે. બાપ જ્યારે આવે છે તો બધાનું કલ્યાણ થાય છે એટલે આને
ઓસ્પીશિયસ (કલ્યાણકારી) યુગ કહેવાય છે. બલિહારી બાપ ની છે જે બધાનું કલ્યાણ કરે છે.
સતયુગ માં બધાનું કલ્યાણ હતું, કોઈ દુઃખી નહોતાં. આ તો સમજાવવું પડે કે આપણે
ઈશ્વરીય ફેમિલી ટાઈપ નાં છીએ. ઈશ્વર બધાનાં બાપ છે. અહીં જ તમે માતા-પિતા ગાઓ છો.
ત્યાં તો ફક્ત ફાધર કહેવાય છે. અહીં આપ બાળકો ને મા-બાપ મળે છે. અહીં આપ બાળકો ને
એડોપ્ટ કરાય છે. ફાધર ક્રિયેટર (રચયિતા) છે તો મધર પણ હશે. નહીં તો ક્રિયેશન (રચના)
કેવી રીતે થશે? હેવનલી ગોડ ફાધર કેવી રીતે હેવન સ્થાપન કરે છે, આ નથી ભારતવાસી જાણતા,
નથી વિલાયત વાળા જાણતાં. હમણાં તમે જાણો છો નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયા
નો વિનાશ તો જરુર સંગમ પર જ હશે. હમણાં તમે સંગમ પર છો. હવે બાપ સમજાવે છે મામેકમ્
યાદ કરો. આત્માએ યાદ કરવાના છે - પરમપિતા પરમાત્મા ને. આત્માઓ અને પરમાત્મા અલગ
રહ્યાં બહુકાળ… સુંદર મેળો ક્યાં થશે? સુંદર મેળો જરુર અહીં જ થશે. પરમાત્મા બાપ અહીં
આવે છે, આને કહેવાય છે કલ્યાણકારી સુંદર મેળો. જીવનમુક્તિ નો વારસો બધાને આપે છે.
જીવનબંધન થી છૂટી જાય છે. શાંતિધામ તો બધા જશે - પછી જ્યારે આવે છે તો સતોપ્રધાન રહે
છે. ધર્મસ્થાપન અર્થ આવે છે. નીચે જ્યારે એમની જનસંખ્યા વધે ત્યારે રાજાઈ માટે
પુરુષાર્થ કરે ત્યાં સુધી કોઈ ઝઘડા વગેરે નથી રહેતાં. સતોપ્રધાન થી રજો માં આવે છે
ત્યારે લડાઈ-ઝઘડા શરુ કરે છે. પહેલાં સુખ પછી દુઃખ. હમણાં બિલકુલ જ દુર્ગતિ થયેલી
છે. આ કળિયુગી દુનિયા નો વિનાશ પછી સતયુગી દુનિયા ની સ્થાપના થવાની છે. વિષ્ણુપુરી
ની સ્થાપના કરી રહ્યાં છે બ્રહ્મા દ્વારા. જે જેવો પુરુષાર્થ કરે છે એ અનુસાર
વિષ્ણુપુરી માં આવીને પ્રારબ્ધ મેળવે છે. આ સમજવાની બહુ જ સારી-સારી વાતો છે. આ સમયે
આપ બ્રાહ્મણો ને ખૂબ ખુશી થવી જોઈએ કે આપણે ઈશ્વર પાસે થી ભવિષ્ય ૨૧ જન્મો નો વારસો
મેળવી રહ્યાં છીએ. જેટલો પુરુષાર્થ કરી પોતાને એક્યુરેટ બનાવશો… તમારે એક્યુરેટ
બનવાનું છે. ઘડિયાળ પણ લીવર અને સલેન્ડર હોય છે ને? લીવર ખૂબ એક્યુરેટ હોય છે. બાળકો
માં ઘણાં એક્યુરેટ બની જાય છે. ઘણાં અનએક્યુરેટ થઈ જાય છે તો ઓછું પદ થઈ જાય છે.
પુરુષાર્થ કરીને એક્યુરેટ બનવું જોઈએ. હમણાં બધા એક્યુરેટ નથી ચાલતાં. તદબીર (પુરુષાર્થ)
કરાવવા વાળા તો એક જ બાપ છે. તકદીર બનાવવા નાં પુરુષાર્થ માં કમી છે એટલે પદ ઓછું
મેળવે છે. શ્રીમત પર ન ચાલવાને કારણે, આસુરી ગુણ ન છોડવાને કારણે, યોગ માં ન રહેવાને
કારણે આ બધું થાય છે. યોગ માં નથી તો પછી જેવી રીતે પંડિત. યોગ ઓછો છે એટલે શિવબાબા
તરફ લવ નથી રહેતો. ધારણા પણ ઓછી થાય છે, તે ખુશી નથી રહેતી. ચહેરો જ જાણે મડદા જેવો
રહે છે. તમારા ફીચર્સ તો સદૈવ હર્ષિત રહેવા જોઈએ. જેવાં દેવતાઓ નાં હોય છે. બાપ તમને
કેટલો વારસો આપે છે. કોઈ ગરીબ નાં બાળકો સાહુકાર ની પાસે જાય તો એમને કેટલી ખુશી થશે!
તમે બહુ જ ગરીબ હતાં. હમણાં બાપે એડોપ્ટ કર્યા છે તો ખુશી થવી જોઈએ. અમે ઈશ્વરીય
સંપ્રદાય નાં બન્યાં છીએ. પરંતુ તકદીર માં નથી તો શું કરી શકાય છે? પદ ભ્રષ્ટ થઈ
જાય છે. પટરાણી બનતા નથી. બાપ આવે જ છે પટરાણી બનાવવાં. આપ બાળકો કોઈને પણ સમજાવી
શકો છો કે બ્રહ્મા-વિષ્ણુ-શંકર ત્રણેય છે શિવ નાં બાળકો. ભારત ને ફરી થી સ્વર્ગ
બનાવે છે બ્રહ્મા દ્વારા. શંકર દ્વારા જૂની દુનિયા નો વિનાશ થાય છે, ભારત માં જ બાકી
થોડા બચે છે. પ્રલય તો થતો નથી, પરંતુ ઘણાં ખલાસ થઈ જાય છે તો જાણે પ્રલય થઈ જાય
છે. રાત-દિવસ નું અંતર પડી જાય છે. તે બધા મુક્તિધામ માં ચાલ્યાં જશે. આ પતિત-પાવન
બાપ નું જ કામ છે. બાપ કહે છે દેહી-અભિમાની બનો. નહીં તો જૂનાં સંબંધો યાદ આવતા રહે
છે. છોડ્યું પણ છે તો પણ બુદ્ધિ જતી રહે છે. નષ્ટમોહા નથી, આને વ્યભિચારી યાદ
કહેવાય છે. સદ્દગતિ મેળવી ન શકે કારણકે દુર્ગતિ વાળા ને યાદ કરતા રહે છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપદાદા
નાં દિલ પર ચઢવા માટે મન્સા-વાચા-કર્મણા સેવા કરવાની છે. એક્યુરેટ અને ઓલરાઉન્ડર
બનવાનું છે.
2. એવાં દેહી-અભિમાની
બનવાનું છે જે કોઈ પણ જૂનાં સંબંધી યાદ ન આવે. પરસ્પર બહુ જ-બહુ જ રુહાની પ્રેમ થી
રહેવાનું છે, લુણપાણી નથી થવાનું.
વરદાન :-
વિશ્વ -
પરિવર્તન નાં શ્રેષ્ઠ કાર્ય માં પોતાની આંગળી આપવા વાળા મહાન સો નિર્માણ ભવ
જેવી રીતે કોઈ સ્થૂળ
વસ્તુ બનાવે છે તો એમાં બધી વસ્તુ નાખે છે, કોઈ સાધારણ ગળ્યું અથવા મીઠું પણ ઓછું
થઈ હોય તો સારી વસ્તુ પણ ખાવા યોગ્ય નથી બની શકતી. એવી રીતે જ વિશ્વ પરિવર્તન નાં આ
શ્રેષ્ઠ કાર્ય માટે દરેક રત્ન ની આવશ્યક્તા છે. બધાની આંગળી જોઈએ. બધા પોત-પોતાની
રીતે બહુ જ-બહુ જ આવશ્યક, શ્રેષ્ઠ મહારથી છે એટલે પોતાનાં કાર્ય ની શ્રેષ્ઠતા નાં
મુલ્ય ને જાણો, બધા મહાન આત્માઓ છો. પરંતુ જેટલાં મહાન છો એટલા નિર્માણ પણ બનો.
સ્લોગન :-
પોતાની નેચર
ને ઇઝી (સરળ) બનાવો તો બધા કાર્ય ઈઝી થઈ જશે.
અવ્યક્ત ઈશારા - આ
અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
જીવન માં રહેતાં, સમય
નાજુક હોવા છતાં, પરિસ્થિતિઓ, સમસ્યાઓ, વાયુમંડળ ડબલ દૂષિત હોવા સાથે પણ એનાં
પ્રભાવ થી મુક્ત, જીવન માં રહેતાં આ સર્વ ભિન્ન-ભિન્ન બંધનો થી મુક્ત રહેવાનું છે.
એક પણ સૂક્ષ્મ બંધન ન હોય. એવાં દરેક બ્રાહ્મણ બાળકોએ બંધનમુક્ત, જીવનમુક્ત બનવાનું
છે. સંગમયુગ પર જ આ જીવનમુક્ત સ્થિતિ ની પ્રારબ્ધ નો અનુભવ કરવાનો છે.