02-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - યાદ માં રહો તો દૂર હોવાં છતાં પણ સાથે છો , યાદ થી સાથ નો પણ અનુભવ થાય છે અને વિકર્મ પણ વિનાશ થાય છે”

પ્રશ્ન :-
દૂરદેશી બાપ બાળકો ને દૂરાંદેશી બનાવવા માટે કયું જ્ઞાન આપે છે?

ઉત્તર :-
આત્મા કેવી રીતે ચક્ર માં ભિન્ન-ભિન્ન વર્ણો માં આવે છે, આનું જ્ઞાન દૂરાંદેશી બાપ જ આપે છે. તમે જાણો છો હમણાં આપણે બ્રાહ્મણ વર્ણ નાં છીએ આનાં પહેલાં જ્યારે જ્ઞાન નહોતું તો શૂદ્ર વર્ણનાં હતાં, તેનાં પહેલાં વૈશ્ય… વર્ણ નાં હતાં. દૂરદેશ માં રહેવા વાળા બાપ આવીને આ દૂરાંદેશી બનવાનું બધું જ્ઞાન બાળકો ને આપે છે.

ગીત :-
જો પિયા કે સાથ હૈ…

ઓમ શાંતિ!
જે જ્ઞાન સાગર ની સાથે છે એમનાં માટે જ્ઞાન વરસાદ છે. તમે બાપ ની સાથે છો ને? ભલે વિલાયત માં પણ છો કે ક્યાંય પણ છો, સાથે છો. યાદ તો રાખો છો ને? જે પણ બાળકો યાદ માં રહે છે, તે સદૈવ સાથે છે. યાદ માં રહેવાથી સાથે રહે છે અને વિકર્મ વિનાશ થાય છે પછી શરુ થાય છે વિકર્માજીત સંવત. પછી જ્યારે રાવણ રાજ્ય થાય છે ત્યારે કહે છે રાજા વિક્રમ નું સંવત. તે વિકાર્માજીત, એ વિક્રમી. હમણાં તમે વિકર્માજીત બની રહ્યાં છો. પછી તમે વિક્રમી બની જશો. આ સમયે બધાંં અતિ વિકર્મી છે. કોઈને પણ પોતાનાં ધર્મ ની ખબર નથી. આજે બાબા એક નાનો-એવો પ્રશ્ન પૂછે છે- સતયુગ માં દેવતાઓ આ જાણે છે કે અમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છીએ? જેમ તમે સમજો છો અમે હિન્દુ ધર્મ નાં છીએ, કોઈ કહેશે અમે ક્રિશ્ચન ધર્મ નાં છીએ. એમ ત્યાં દેવતાઓ પોતાને દેવી-દેવતા ધર્મ નાં સમજે છે? વિચાર ની વાત છે ને? ત્યાં બીજો કોઈ ધર્મ તો છે નહીં જે સમજે કે અમે ફલાણા ધર્મ નાં છીએ. અહીં અનેક ધર્મ છે, તો ઓળખ આપવા માટે અલગ-અલગ નામ રાખ્યાં છે. ત્યાં તો છે જ એક ધર્મ એટલે કહેવાની દરકાર નથી રહેતી કે અમે આ ધર્મ નાં છીએ. એમને ખબર પણ નથી કે કોઈ ધર્મ હોય છે, એમની જ રાજાઈ છે. હમણાં તમે જાણો છો આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છીએ. દેવી-દેવતા બીજા કોઈને કહી ન શકાય. પતિત હોવાનાં કારણે પોતાને દેવતા કહી ન શકે. પવિત્ર ને જ દેવતા કહેવાય છે. ત્યાં એવી કોઈ વાત હોતી નથી. કોઈ થી ભેટ નથી કરી શકાતી. હમણાં તમે સંગમયુગ પર છો, જાણો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ફરીથી સ્થાપન થઈ રહ્યો છે. ત્યાં તો ધર્મ ની વાત જ નથી. છે જ એક ધર્મ. આ પણ બાળકો ને સમજાવ્યું છે, આ જે કહે છે - મહાપ્રલય થાય છે અર્થાત્ કાંઈ પણ નથી રહેતું, આ પણ ખોટું થઈ જાય છે. બાપ બેસી સમજાવે છે - સાચું શું છે? શાસ્ત્રો માં તો જળમયી દેખાડી દીધું છે. બાપ સમજાવે છે સિવાય ભારત બાકી જળમયી થઈ જાય છે. આટલી આખી સૃષ્ટિ શું કરશે? એક ભારત માં જ જુઓ કેટલાં ગામ છે. પહેલાં જંગલ હોય છે પછી એનાથી વૃદ્ધિ થતી જાય છે. ત્યાં તો ફક્ત તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં જ રહો છો. આ આપ બ્રાહ્મણો ની બુદ્ધિ માં બાબા ધારણા કરાવી રહ્યાં છે. હમણાં તમે જાણો છો ઊંચે થી ઊંચાં શિવબાબા કોણ છે? એમની પૂજા કેમ કરાય છે? અક વગેરે નાં ફૂલ કેમ ચઢાવે છે? એ તો નિરાકાર છે ને? કહે છે નામ-રુપ થી ન્યારા છે, પરંતુ નામ-રુપ થી ન્યારી કોઈ વસ્તુ તો હોતી નથી. તો શું છે - જેમને ફૂલ વગેરે ચઢાવે છે? પહેલાં-પહેલાં પૂજા એમની થાય છે. મંદિર પણ એમનાં બને છે કારણકે ભારતની અને આખી દુનિયાનાં બાળકો ની સર્વિસ (સેવા) કરે છે. મનુષ્યો ની જ સર્વિસ કરાય છે ને? આ સમયે તમે પોતાને દેવી-દેવતા ધર્મ નાં કહી ન શકો. તમને ખબર પણ નહોતી કે આપણે દેવી-દેવતા હતાં ફરી હમણાં બની રહ્યાં છીએ. હમણાં બાપ સમજાવી રહ્યાં છે તો સમજવું જોઈએ - આ નોલેજ સિવાય બાપ નાં કોઈ આપી ન શકે. એમને જ કહે છે જ્ઞાન નાં સાગર, નોલેજફુલ. ગવાયેલું છે રચતા અને રચના ને ઋષિ-મુની વગેરે કોઈ પણ નથી જાણતું. નેતી-નેતી કરતાં ગયાં છે. જેમ નાનાં બાળક ને નોલેજ છે શું? જેમ મોટાં થતાં જશે, બુદ્ધિ ખુલતી જશે. બુદ્ધિમાં આવતું જશે, વિલાયત ક્યાં છે, આ ક્યાં છે? આપ બાળકો પણ પહેલાં આ બેહદ નાં નોલેજ ને કંઈ પણ નહોતાં જાણતાં. આ પણ કહે છે ભલે હું શાસ્ત્ર વગેરે વાંચતો હતો પરંતુ સમજતો કાંઈ પણ નહોતો. મનુષ્ય જ આ ડ્રામા માં એક્ટર છે ને?

આખી રમત બે વાતો પર બનેલી છે. ભારત ની હાર અને ભારત ની જીત. ભારત માં સતયુગ આદિ નાં સમયે પવિત્ર ધર્મ હતો, આ સમયે છે અપવિત્ર ધર્મ. અપવિત્રતા નાં કારણે પોતાને દેવતા નથી કહી શકતાં છતાં પણ શ્રી શ્રી નામ રાખી દે છે. પરંતુ શ્રી એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ કહેવાય જ છે પવિત્ર દેવતાઓ ને. શ્રીમદ્દ ભગવાનુવાચ કહેવાય છે ને? હવે શ્રી કોણ થયાં? જે બાપ ની સન્મુખ સાંભળીને શ્રી બને છે કે જેમણે પોતાને શ્રી શ્રી કહ્યું છે? બાપ નાં કર્તવ્ય પર જે નામ પડ્યાં છે, તે પણ પોતાનાં ઉપર રાખી દીધા છે. આ બધી છે રેજગારી વાતો. છતાં પણ બાપ કહે છે-બાળકો, એક બાપ ને યાદ કરતાં રહો. આ જ વશીકરણ મંત્ર છે. તમે રાવણ પર જીત મેળવી જગતજીત બનો છો. ઘડી-ઘડી પોતાને આત્મા સમજો. આ શરીર તો અહીં ૫ તત્વો નું બનેલું છે. બને છે, છૂટે છે પાછું બને છે. હવે આત્મા તો અવિનાશી છે. અવિનાશી આત્માઓ ને હવે અવિનાશી બાપ ભણાવી રહ્યાં છે સંગમયુગ પર. ભલે કેટલાં પણ વિઘ્ન વગેરે પડે છે, માયા નાં તોફાન આવે છે, તમે બાપ ની યાદ માં રહો. તમે સમજો છો આપણે જ સતોપ્રધાન હતાં પછી તમોપ્રધાન બન્યાં છીએ. તમારા માં પણ નંબરવાર જાણે છે. આપ બાળકોની બુદ્ધિ માં છે - આપણે જ પહેલાં-પહેલાં ભક્તિ કરી છે. જરુર જેમણે પહેલાં-પહેલાં ભક્તિ કરી છે તેમણે જ શિવ નું મંદિર બનાવ્યું કારણકે ધનવાન પણ તે હોય છે ને? મોટાં રાજાને જોઈ બીજા પણ રાજાઓ અને પ્રજા પણ કરશે. આ બધી છે વિસ્તાર ની વાતો. એક સેકન્ડ માં જીવનમુક્તિ કહેવાય છે. પછી કેટલાં વર્ષ લાગી જાય છે સમજાવવામાં. જ્ઞાન તો સહજ છે, એમાં એટલો સમય નથી લાગતો, જેટલો યાદ ની યાત્રા પર લાગે છે. પોકારે પણ છે બાબા આવો, આવીને અમને પતિત થી પાવન બનાવો, એવું નથી કહેતાં કે બાબા અમને વિશ્વનાં માલિક બનાવો. બધાંં કહેશે પતિત થી પાવન બનાવો. પાવન દુનિયા કહેવાય છે સતયુગ ને, આને પતિત દુનિયા કહેશે, પતિત દુનિયા કહેવાં છતાં પણ પોતાને સમજતા નથી. પોતાના પ્રતિ ઘૃણા નથી રાખતાં. તમે કોઈ નાં હાથ નું નથી ખાતાં, તો કહે છે અમે અછૂત છીએ શું? અરે, તમે પોતે જ કહો છો ને? પતિત તો બધાંં છે ને? તમે કહો પણ છો અમે પતિત છીએ, આ દેવતાઓ પાવન છે. તો પતિત ને શું કહેશું? ગાયન છે ને - અમૃત છોડી વિષ શું કામ ખાઈએ! વિષ તો ખરાબ છે ને? બાપ કહે છે આ વિષ તમને આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે પરંતુ આને પોઈઝન (ઝેર) સમજે થોડી છે! જેમ અમલી અમલ વગર રહી નથી શકતાં, દારુ ની આદત વાળા દારુ વગર રહી ન શકે. લડાઈ નો સમય થાય છે તો તેમને દારુ પીવડાવીને નશો ચઢાવી ને લડાઈ પર મોકલી દે છે. નશો મળ્યો બસ, સમજશે અમારે આમ કરવાનું છે. એ લોકોને મરવાનો ડર નથી રહેતો. ક્યાંય પણ બોમ્બ્સ લઈ જઈને બોમ્બ્સ સહિત પડે છે. ગાયન પણ છે મૂસળો ની લડાઈ લાગી, સાચ્ચી વાત હમણાં તમે પ્રેક્ટિકલ માં જોઈ રહ્યાં છો. પહેલાં તો ફક્ત વાંચતા હતાં, પેટ થી મૂસળ નીકાળ્યાં પછી આ કર્યું. હમણાં તમે સમજો છો પાંડવ કોણ છે, કૌરવ કોણ છે? સ્વર્ગવાસી બનવા માટે પાંડવોએ જીવતે-જીવ દેહ-અભિમાન થી ગળવાનો પુરુષાર્થ કર્યો. તમે હમણાં આ જૂની જુત્તી છોડવાનો પુરુષાર્થ કરો છો. કહો છો ને-જૂની જુત્તી છોડી નવી લેવી છે. બાપ બાળકોને જ સમજાવે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું. મારું નામ છે શિવ. શિવ જયંતી પણ મનાવે છે. ભક્તિ માર્ગ માટે કેટલાં મંદિર વગેરે બનાવે છે. નામ પણ ખુબ રાખી દીધા છે. દેવીઓનાં પણ એવાં નામ રાખી દે છે. આ સમયે તમારી પૂજા થઈ રહી છે. આ પણ આપ બાળકો જ જાણો છો જેમની આપણે પૂજા કરતાં હતાં તે આપણને ભણાવી રહ્યાં છે. જે લક્ષ્મી-નારાયણ નાં આપણે પુજારી હતાં તે હમણાં આપણે પોતે બની રહ્યાં છીએ. આ જ્ઞાન બુદ્ધિ માં છે. સિમરણ કરતાં રહો પછી બીજાઓ ને પણ સંભળાવો. ઘણાં છે જે ધારણા નથી કરી શકતાં. બાબા કહે છે વધારે ધારણા નથી કરી શકતાં તો વાંધો નહીં. યાદ ની તો ધારણા છે ને? બાપ ને જ યાદ કરતાં રહો. જેમની મોરલી નથી ચાલતી તો અહીં બેસી સિમરણ કરે. અહીં કોઈ બંધન, ઝંઝટ વગેરે નથી. ઘર માં બાલ-બચ્ચા વગેરે નું વાતાવરણ જોઇ તે નશો લોપ થઈ જાય છે. અહીં ચિત્ર પણ રાખ્યાં છે. કોઈને પણ સમજાવવું ખુબ સહજ છે. તે લોકો તો ગીતા વગેરે પૂરી કંઠ કરી લે છે. સિક્ખ લોકો ને પણ ગ્રંથ કંઠે રહે છે. તમારે શું કંઠ કરવાનું છે? બાપ ને. તમે કહો પણ છો બાબા, આ છે બિલકુલ નવી વસ્તુ. આ એક જ સમય છે જ્યારે કે તમારે સ્વયં ને આત્મા સમજી એક બાપ ને યાદ કરવાનાં છે. ૫ હજાર વર્ષ પહેલાં પણ શીખવાડ્યું હતું, બીજા કોઈની તાકાત નથી જે આવું સમજાવી શકે. જ્ઞાન સાગર છે જ એક બાપ, બીજા કોઈ હોઈ ન શકે. જ્ઞાન સાગર બાપ જ તમને સમજાવે છે, આજકાલ એવાં પણ ઘણાં નીકળ્યાં છે જે કહે છે અમે અવતાર લીધો છે એટલે સત્ય ની સ્થાપના માં કેટલાં વિઘ્ન પડે છે પરંતુ ગાયન છે સચ કી નાવ હિલેગી, ડુલેગી પરંતુ ડૂબેગી નહીં.

હવે આપ બાળકો બાપ ની પાસે આવો છો તો તમારા દિલ માં કેટલી ખુશી રહેવી જોઈએ? પહેલાં યાત્રા પર જતા હતાં, તો દિલ માં શું આવતું હતું? હમણાં ઘરબાર છોડી અહીં આવો છો તો શું વિચાર આવે છે? અમે બાપદાદા ની પાસે જઈએ છીએ. બાપે આ પણ સમજાવ્યું છે - મને ફક્ત શિવબાબા કહે છે જેમાં પ્રવેશ કર્યો છે, તે છે બ્રહ્મા. સંપ્રદાય હોય છે ને? પહેલી-પહેલી સંપ્રદાય બ્રાહ્મણોની છે પછી દેવતાઓની સંપ્રદાય થઈ જાય છે. હમણાં દૂરદેશી બાપ બાળકો ને દૂરાંદેશી બનાવે છે. તમે જાણો છો આત્મા કેવી રીતે આખાં ચક્ર માં ભિન્ન-ભિન્ન વર્ણો માં આવી છે, આનું જ્ઞાન દૂરાંદેશી બાપ જ આપે છે. તમે વિચાર કરશો હમણાં આપણે બ્રાહ્મણ વર્ણ નાં છીએ, એનાં પહેલાં જ્યારે જ્ઞાન નહોતું તો શૂદ્ર વર્ણ નાં હતાં. અમારા છે ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર. ગ્રેટ શુદ્ર, ગ્રેટ વૈશ્ય, ગ્રેટ ક્ષત્રિય… તેનાં પહેલાં ગ્રેટ બ્રાહ્મણ હતાં. હવે આ વાતો સિવાય બાપ નાં બીજું કોઈ સમજાવી ન શકે. આને કહેવાય છે દૂરાંદેશ નું જ્ઞાન. દૂરદેશ માં રહેવા વાળા બાપ આવીને દૂરાંદેશ નું બધું જ્ઞાન આપે છે બાળકો ને. તમે જાણો છો અમારા બાબા દૂરદેશ થી આમનામાં આવે છે. આ પારકો દેશ, પારકું રાજ્ય છે. શિવ બાબા ને પોતાનું શરીર નથી અને એ છે જ્ઞાન નાં સાગર, સ્વર્ગ નું રાજ્ય પણ એમને આપવાનું છે. શ્રીકૃષ્ણ થોડી આપશે. શિવ બાબા જ આપશે. શ્રીકૃષ્ણ ને બાબા નહીં કહેશે. બાપ રાજ્ય આપે છે, બાપ થી જ વારસો મળે છે. હવે હદ નાં વારસા બધાં પૂરા થાય છે. સતયુગ માં તમને આ ખબર નહીં રહેશે કે અમે આ સંગમ પર ૨૧ જન્મો નો વારસો લીધેલો છે. આ હમણાં જાણો છો આપણે ૨૧ જન્મો નો વારસો અડધાકલ્પ માટે લઇ રહ્યાં છીએ. ૨૧ પેઢી એટલે પૂરું આયુષ્ય. જ્યારે શરીર ઘરડું થશે ત્યારે સમય પર શરીર છોડીશું. જેમ સર્પ જૂની ખાલ છોડી નવી લઈ લે છે. આપણો પણ પાર્ટ ભજવતા-ભજવતા આ ચોલો જૂનો થઈ ગયો છે.

તમે સાચાં-સાચાં બ્રાહ્મણ છો. તમને જ ભ્રમરી કહેવાય છે. તમે કીડા ને આપ સમાન બ્રાહ્મણ બનાવો છો. તમને કહેવાય છે કે કીડા ને લઇ આવીને બેસી ભૂં-ભૂં કરો. ભ્રમરી પણ ભૂં-ભૂં કરે છે પછી કોઈને તો પાંખ આવી જાય છે, કોઈ મરી જાય છે. દૃષ્ટાંત બધાંં હમણાં નાં છે. તમે લાડલા બાળકો છો, બાળકો ને નૂરે રતન કહેવાય છે. બાપ કહે છે નૂરે રતન. તમને પોતાનાં બનાવ્યાં છે તો તમે પણ મારાં થયાં ને? આવાં બાપ ને જેટલાં યાદ કરશો પાપ કપાઈ જશે. બીજા કોઈને પણ યાદ કરવાથી પાપ નહીં કપાશે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. જીવતેજીવ દેહ-અભિમાન થી ગળવાનો પુરુષાર્થ કરવાનો છે. આ જૂની જુત્તી માં જરા પણ મમત્વ ન રહે.

2. સાચાં બ્રાહ્મણ બની કીડા પર જ્ઞાન ની ભૂં-ભૂં કરી તેમને આપ સમાન બ્રાહ્મણ બનાવવાનાં છે.

વરદાન :-
અમૃતવેલા નું મહત્વ જાણીને ખુલ્લા ભંડારા થી પોતાની ઝોલી ભરપૂર કરવા વાળા તકદીરવાન ભવ

અમૃતવેલા વરદાતા, ભાગ્ય વિધાતા પાસે થી જે તકદીર ની રેખા ખેંચવા ઈચ્છો ખેંચી લો કારણ કે આ સમયે ભોળા ભગવાન નાં રુપ માં લવફુલ છે એટલે માલિક બનો અને અધિકાર લો. ખજાનાઓ પર કોઈ પણ તાળા ચાવી નથી. આ સમયે ફક્ત માયા નાં બહાનાબાજી ને છોડી એક સંકલ્પ કરો કે હું જે પણ છું, જેવી પણ છું, તમારી છું. મન બુદ્ધિ બાપ નાં હવાલે કરી તખ્તનશીન બની જાઓ તો બાપ નાં સર્વ ખજાનાઓ પોતાનાં ખજાના અનુભવ થશે.

સ્લોગન :-
સેવા માં જો સ્વાર્થ મિક્સ છે તો સફળતા પણ મિક્સ થઈ જશે એટલે નિસ્વાર્થ સેવાધારી બનો.

અવ્યક્ત ઇશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો .

એવાં કોઈ પણ બ્રાહ્મણ નહીં હશે જે આત્મ-અભિમાની બનવાનો પુરુષાર્થી ન હોય. પરંતુ નિરંતર આત્મ-અભિમાની, જેનાથી કર્મેન્દ્રિયો નાં ઉપર સંપૂર્ણ વિજય થઈ જાય, દરેક કર્મેન્દ્રિય સતોપ્રધાન સ્વચ્છ થઈ જાય, દેહ નાં જુના સંસ્કાર અને સંબંધ થી સંપૂર્ણ મરજીવા થઈ જાઓ, એનાં માટે અંતર્મુખી બનો, આ પુરુષાર્થ થી જ નંબર બનશે.