03-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે તમે નવાં સંબંધ માં જઇ રહ્યાં છો , એટલે અહીં નાં કર્મબંધની સંબંધો ને ભૂલી , કર્માતીત બનવાનો પુરુષાર્થ કરો”

પ્રશ્ન :-
બાપ કયા બાળકો ની વાહ-વાહ કરે છે? સૌથી અધિક (વધારે) પ્રેમ કોને આપે છે?

ઉત્તર :-
બાબા ગરીબ બાળકો ની વાહ-વાહ કરે છે, વાહ ગરીબી વાહ! આરામ થી બે રોટલી ખાવાની છે, હબચ (લાલચ) નથી. ગરીબ બાળકો બાપ ને પ્રેમ થી યાદ કરે છે. બાબા અભણ બાળકો ને જોઈ ખુશ થાય છે કારણકે તેમને ભણેલું ભૂલવાની મહેનત નથી કરવી પડતી.

ઓમ શાંતિ!
હવે બાપે બાળકો નાં પ્રત્યે રોજ-રોજ બોલવાની જરુર નથી રહેતી કે સ્વયં ને આત્મા સમજો. આત્મ-અભિમાની ભવ અથવા દેહી-અભિમાની ભવ... શબ્દ છે તો એ જ ને? બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો. આત્મા માં જ ૮૪ જન્મો નો પાર્ટ ભરાયેલો છે. એક શરીર લીધું, પાર્ટ ભજવ્યો પછી શરીર ખલાસ થઈ જાય છે. આત્મા તો અવિનાશી છે. આપ બાળકો ને આ જ્ઞાન હમણાં જ મળે છે બીજા કોઈને આ વાતો ની ખબર નથી. હવે બાપ કહે છે - કોશિશ કરીને જેટલું થઈ શકે બાપ ને યાદ કરો. ધધાંદોરી માં લાગી જવાથી તો એટલી યાદ નથી રહેતી. ગૃહસ્થ વ્યવહાર માં રહીને કમળફૂલ સમાન પવિત્ર બનવાનું છે. પછી જેટલું થઈ શકે મને યાદ કરો. એવું નથી કે આપણે નેષ્ઠા માં બેસવાનું છે. નેષ્ઠા શબ્દ પણ રોંગ (ખોટો) છે. હકીકત માં છે જ યાદ. ક્યાંય પણ બેઠાં છો, બાપ ને યાદ કરો. માયા નાં તોફાન તો ખૂબ આવશે. કોઈને શું યાદ આવશે, કોઈને શું? તોફાન આવશે જરુર પછી તે સમયે તેને ભગાડવા પડે છે કે ન આવે. અહીં બેઠાં-બેઠાં પણ માયા ખૂબ હેરાન કરતી રહેશે. આ જ તો યુદ્ધ છે. જેટલાં હલકા થશો એટલાં બંધન ઓછા થશે. પહેલાં તો આત્મા નિર્બન્ધન છે, જ્યારે જન્મ લે છે તો મા-બાપ માં બુદ્ધિ જાય છે પછી સ્ત્રી ને એડોપ્ટ કરે છે, જે વસ્તુ સામે નહોતી તે સામે આવી જાય, પછી બાળકો જન્મશે તો તેમની યાદ વધશે. હવે તમારે બધાએ આ ભૂલી જવાનું છે, એક બાપ ને જ યાદ કરવાના છે, એટલે જ બાપ ની મહિમા છે. તમારા માતા-પિતા વગેરે બધું એ જ છે, એમને જ યાદ કરો, એ તમને ભવિષ્ય માટે બધું નવું આપે છે. નવાં સંબંધ માં લઈ આવે છે. સંબંધ તો ત્યાં પણ હશે ને? એવું તો નથી કે કોઈ પ્રલય થઈ જાય છે. તમે એક શરીર છોડી પછી બીજું લો છો. જે ખૂબ સારા-સારા છે તે જરુર ઊંચા કુળ માં જન્મ લેશે. તમે ભણો જ છો ભવિષ્ય ૨૧ જન્મો માટે. ભણતર પૂરું થયું અને પ્રારબ્ધ શરું થશે. સ્કૂલ માં ભણીને ટ્રાન્સફર થાય છે ને? તમે પણ ટ્રાન્સફર થવાનાં છો - શાંતિધામ પછી સુખધામ માં. આ છી-છી દુનિયા માંથી છૂટી જશો. આનું નામ જ છે નર્ક. સતયુગ ને કહેવાય છે સ્વર્ગ. અહીં મનુષ્ય કેટલાં ઘોર અંધકાર માં છે. ધનવાન જે છે તે સમજે છે અમારી માટે અહીં જ સ્વર્ગ છે. સ્વર્ગ હોય જ છે નવી દુનિયા માં. આ જૂની દુનિયા તો વિનાશ થઈ જવાની છે. જે કર્માતીત અવસ્થા વાળા હશે તે કોઈ ધર્મરાજ પુરી માં સજાઓ થોડી ભોગવશે? સ્વર્ગ માં તો સજા હશે જ નહીં. ત્યાં ગર્ભ પણ મહેલ રહે છે. કોઈ દુઃખ ની વાત નથી. અહીં તો ગર્ભ જેલ છે જે સજાઓ ખાતા રહે છે. તમે કેટલી વાર સ્વર્ગવાસી બનો છો - આ યાદ કરો તો પણ આખું ચક્ર યાદ રહે. એક જ વાત લાખો રુપિયાની છે. આ ભૂલી જવાથી, દેહ-અભિમાન માં આવવા થી માયા નુકસાન કરે છે. આ જ મહેનત છે. મહેનત વગર ઊંચ પદ નથી મેળવી શકાતું. બાબા ને કહે છે-બાબા અમે અભણ છીએ, કાંઈ નથી જાણતાં. બાબા તો ખુશ થાય છે કારણકે અહીં તો ભણેલું બધું ભૂલવાનું છે. આ તો થોડા સમય માટે શરીર નિર્વાહ વગેરે માટે ભણવાનું છે. જાણો છો ને-આ બધું ખલાસ થવાનું છે. જેટલું થઈ શકે બાપ ને યાદ કરવાના છે અને રોટલી ટુકડો ખુશી થી ખાવાનો છે. વાહ ગરીબી આ સમય ની. આરામ થી રોટલી ટુકડો ખાવાનો છે. હબચ (લાલચ) નથી. આજકાલ અનાજ મળે ક્યાં છે? ખાંડ વગેરે પણ ધીરે-ધીરે કરીને મળશે જ નહીં. એવું નથી, તમે ઈશ્વરીય સર્વિસ (સેવા) કરો છો તો તમને ગવર્મેન્ટ (સરકાર) આપી દેશે. તેઓ તો કાંઈ પણ જાણતા નથી. હા, બાળકો ને કહેવાય છે - ગવર્મેન્ટ ને સમજાવો કે અમે બધા મળીને મા-બાપ ની પાસે જઈએ છીએ, તેમણે બાળકો માટે ટોલી મોકલવાની હોય છે. અહીં તો સ્પષ્ટ કહી દે છે કે છે જ નહીં. લાચારી થોડીક આપી દે છે. જેમ ફકીર લોકો ને કોઈ સાહૂકાર હશે તો મુઠ્ઠી ભરીને આપી દેશે. ગરીબ હશે તો થોડું કંઈક આપી દેશે. ખાંડ વગેરે આવી શકે છે પરંતુ બાળકોનો યોગ ઓછો થઈ જાય છે. યાદ ન રહેવાના કારણે, દેહ-અભિમાન માં આવવાનાં કારણે કોઈ કામ થઈ નથી શકતું. આ કામ ભણતર થી એટલું નહીં થાય જેટલું યોગ થી થશે. તે ખૂબ ઓછા છે. માયા યાદ ને ઉડાવી દે છે. રુશ્તમ ને ખૂબ સારી રીતે પકડે છે. સારા-સારા ફર્સ્ટ ક્લાસ બાળકો પર પણ ગ્રહચારી બેસે છે. ગ્રહચારી બેસવાનું મુખ્ય કારણ યોગ ની કમી છે. ગ્રહચારી નાં કારણે જ નામ-રુપ માં ફસાઈ જાય છે. આ મોટી મંઝિલ છે. જો સાચ્ચી મંઝિલ મેળવવી છે, તો યાદ માં રહેવું પડે.

બાપ કહે છે - ધ્યાન કરતાં પણ જ્ઞાન સારું. જ્ઞાન થી યાદ સારી. ધ્યાન માં વધારે જવાથી માયા નાં ભૂતો ની પ્રવેશતા થઈ જાય છે. એવાં ઘણાં છે જે ફાલતુ ધ્યાન માં જાય છે. શું-શું બોલે છે, તેમનાં પર વિશ્વાસ નહીં કરતાં. જ્ઞાન તો બાબા ની મોરલી માં મળતું રહે છે. બાપ ખબરદાર કરતા રહે છે. ધ્યાન કોઈ કામ નું નથી. ખૂબ માયા ની પ્રવેશતા થઈ જાય છે. અહંકાર આવી જાય છે. જ્ઞાન તો બધાને મળતું રહે છે. જ્ઞાન આપવા વાળા શિવબાબા છે. મમ્મા ને પણ અહીં થી જ્ઞાન મળતું હતું ને? એમને પણ કહેવાશે મનમનાભવ. બાપ ને યાદ કરો, દૈવીગુણ ધારણ કરો. સ્વયં ને જોવા નાં છે અમે દૈવીગુણ ધારણ કરીએ છીએ? અહીં જ દૈવીગુણ ધારણ કરવાના છે. કોઈને જુઓ હમણાં ફર્સ્ટક્લાસ અવસ્થા છે, ખુશી થી કામ કરે, કલાક પછી ક્રોધ નું ભૂત આવ્યું, ખતમ. પછી સ્મૃતિ આવે છે, આ તો અમે ભૂલ કરી. પછી સુધરી જાય છે. ઘડી-ઘડી નાં ઘડિયાળ - બાબા પાસે ઘણાં છે, હમણાં જુઓ ખૂબ મીઠાં બાબા કહેશે આવાં બાળકો પર તો કુરબાન જાઉં. કલાક પછી ફરી કોઈ ને કોઈ વાત માં બગડી પડે છે. ક્રોધ આવ્યો, બધી કરેલી કમાણી ખતમ થઈ ગઈ. હમણાં-હમણાં કમાણી, હમણાં-હમણાં નુકસાન થઈ જાય છે. બધો આધાર યાદ પર જ છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. નાનાં બાળકો પણ સમજાવી લે. પરંતુ હું જે છું, જેવો છું યથાર્થ રીતે જાણે. સ્વયં ને આત્મા સમજે, આવી રીતે નાનાં બાળકો થોડી યાદ કરી શકશે? મનુષ્યો ને મરવા નાં સમયે કહેવાય છે ભગવાન ને યાદ કરો. પરંતુ યાદ કરી ન શકે કારણકે યથાર્થ કોઈ પણ જાણતા નથી. કોઈ પણ પાછા જઈ નથી શકતાં. નથી વિકર્મ વિનાશ થતાં. પરંપરા થી ઋષિ-મુની વગેરે બધા કહેતાં આવ્યાં છે કે રચયિતા અને રચના ને અમે નથી જાણતાં. તે તો છતાં પણ સતોગુણી હતાં. આજ નાં તમોપ્રધાન બુદ્ધિ પછી કેવી રીતે જાણી શકે? બાપ કહે છે આ લક્ષ્મી-નારાયણ પણ નથી જાણતાં. રાજા-રાણી જ નથી જાણતા તો પછી પ્રજા કેવી રીતે જાણશે? કોઈ પણ નથી જાણતાં. હમણાં ફક્ત આપ બાળકો જ જાણો છો. તમારા માં પણ કોઈ છે જે યથાર્થ રીતે જાણે છે, કહે છે બાબા ઘડી-ઘડી ભૂલી જઈએ છીએ. બાપ કહે છે-ક્યાંય પણ જાઓ ફક્ત બાપ ને યાદ કરો. ખૂબ ભારે કમાણી છે. તમે ૨૧ જન્મો માટે નિરોગી બનો છો. એવાં બાપ ને અંતર્મુખ થઈને યાદ કરવા જોઈએ ને? પરંતુ માયા ભૂલાવી તોફાન માં લાવી દે છે, આમાં અંતર્મુખ થઈ વિચાર સાગર મંથન કરવાનું છે. વિચાર સાગર મંથન કરવાની વાત પણ હમણાં ની છે. આ છે પુરુષોત્તમ બનવાનો સંગમયુગ. આ પણ વન્ડર છે, આપ બાળકોએ જોયું છે-એક જ ઘર માં તમે કહો છો અમે સંગમયુગી છીએ અને હાફ પાર્ટનર કે બાળક વગેરે કળિયુગી છે. કેટલો ફરક છે? ખૂબ સુક્ષ્મ વાત બાપ સમજાવે છે. ઘર માં રહેવા છતાં પણ બુદ્ધિ માં છે કે અમે ફૂલ બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં છીએ. આ છે અનુભવ ની વાતો. પ્રેક્ટિકલ માં મહેનત કરવાની છે. યાદ ની જ મહેનત છે. એક જ ઘર માં એક હંસ તો બીજો બગલો. પછી કોઈ બહુ જ ફર્સ્ટ ક્લાસ હોય છે. ક્યારેય વિકાર નો વિચાર પણ નથી આવતો. સાથે રહેતાં પણ પવિત્ર રહે છે, હિંમત દેખાડે છે તો તેમને કેટલું ઊંચું પદ મળશે! એવાં પણ બાળકો છે ને? ઘણાં તો જુઓ વિકાર નાં માટે કેટલું મારે, ઝઘડા કરે છે, અવસ્થા એ હોવી જોઈએ જે સંકલ્પ માં પણ ક્યારેય અપવિત્ર બનવાનો વિચાર ન આવે. બાપ દરેક પ્રકાર થી સલાહ આપતા રહે છે. તમે જાણો છો શ્રી શ્રી ની મત થી આપણે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ બનીએ છીએ. શ્રી એટલે જ શ્રેષ્ઠ. સતયુગ માં છે નંબરવન શ્રેષ્ઠ. ત્રેતામાં બે ડિગ્રી ઓછી થઈ જાય છે. આ જ્ઞાન આપ બાળકો ને હમણાં મળે છે.

આ ઈશ્વરીય સભા નો કાયદો છે - જેમને જ્ઞાન-રત્નો ની કદર છે, ક્યારેય બગાસા વગેરે નથી લેતા તેમણે આગળ-આગળ બેસવું જોઈએ. કોઈ-કોઈ બાળકો બાપ ની સામે બેઠાં પણ જોકું ખાય, બગાસા ખાતા રહે છે. તેમણે પછી પાછળ જઈને બેસવું જોઈએ. આ ઈશ્વરીય સભા છે બાળકો ની. પરંતુ કોઈ બ્રાહ્મણી ઓ એવાં-એવાં ને પણ લઈ આવે છે, આમ તો બાપ પાસે થી ધન મળે છે, એક-એક વરશન્સ લાખો રુપિયા નાં છે. તમે જાણો છો જ્ઞાન મળે જ છે સંગમ પર. તમે કહો છો બાબા અમે ફરીથી આવ્યાં છીએ બેહદ નો વારસો લેવાં. મીઠાં-મીઠાં બાળકો ને બાબા વારંવાર સમજાવે છે આ છી-છી દુનિયા છે, તમારો છે બેહદ નો વૈરાગ, બાપ કહે છે આ દુનિયા માં તમે જે કાંઈ જુઓ છો તે કાલે હશે નહીં. મંદિરો વગેરે નું નામ નિશાન જ નહીં રહેશે. ત્યાં સ્વર્ગ માં તેમને જૂની વસ્તુ જોવાની જરુર નથી. અહીં તો જૂની વસ્તુ નું કેટલું મૂલ્ય છે. હકીકત માં કોઈ વસ્તુ નું મૂલ્ય નથી એક બાપ સિવાય. બાપ કહે છે હું ન આવું તો તમે રાજાઈ કેવી રીતે લો? જેમને ખબર છે એ જ આવીને બાપ પાસે થી વારસો લે છે, એટલે કોટો માં કોઈ કહેવાય છે. કોઈ પણ વાત માં સંશય ન આવવો જોઈએ. ભોગ વગેરે નાં પણ રીત-રિવાજ છે. આની સાથે જ્ઞાન અને યાદ નું કોઈ કનેક્શન (સંબંધ) નથી. બીજી કોઈ વાત સાથે તમારો સંબંધ નથી. ફક્ત બે વાતો છે અલ્ફ અને બે, બાદશાહી. અલ્ફ ભગવાન ને કહેવાય છે. આંગળી થી પણ આમ ઈશારો કરે છે ને? આત્મા ઈશારો કરે છે ને? બાપ કહે છે ભક્તિ માર્ગ માં તમે મને યાદ કરો છો. તમે બધા મારા આશિક છો. આ પણ જાણો છો બાબા કલ્પ-કલ્પ આવીને બધા મનુષ્ય માત્ર ને દુઃખ થી છોડાવી શાંતિ અને સુખ આપે છે, ત્યારે બાબાએ કહ્યું હતું કે ફક્ત આ બોર્ડ લખી દો કે વિશ્વ માં શાંતિ બેહદ નાં બાપ કેવી રીતે સ્થાપન કરી રહ્યાં છે તે આવીને સમજો. એક સેકન્ડ માં વિશ્વ નાં માલિક ૨૧ જન્મો માટે બનવું છે તો આવીને સમજો. ઘર માં બોર્ડ લગાવી દો, ત્રણ પગ પૃથ્વી પર તમે મોટાં માં મોટી હોસ્પિટલ, યુનિવર્સિટી ખોલી શકો છો. યાદ થી ૨૧ જન્મો માટે નિરોગી અને ભણતર થી સ્વર્ગ ની બાદશાહી મળી જાય છે. પ્રજા પણ કહેશે કે અમે સ્વર્ગ નાં માલિક છીએ.આ જે મનુષ્યો ને શરમ આવે છે કારણકે નર્કવાસી છે. પોતે કહે છે અમારા બાપ સ્વર્ગવાસી થયા, તો નર્કવાસી છો ને? જ્યારે મરશો તો સ્વર્ગ માં જશો. કેટલી સહજ વાત છે. સારું કામ કરવાવાળા માટે ખાસ કહે છે આ ખૂબ મહાદાની હતાં. આ સ્વર્ગ ગયાં. પરંતુ જતું કોઈ પણ નથી. નાટક જયારે પૂરું થાય છે તો બધા સ્ટેજ પર આવીને ઉભા રહે છે. આ લડાઈ પણ ત્યારે લાગશે જ્યારે બધા એક્ટર્સ અહીં આવી જશે પછી જશે. શિવ ની બારાત (જાન) કહે છે ને? શિવબાબા ની સાથે બધા આત્માઓ જશે. મૂળ વાત હમણાં ૮૪ જન્મ પૂરા થયાં. હવે આ જુત્તી ને છોડવાની છે. જેમ સાપ જૂની ખાલ છોડી નવી લે છે. તમે નવી ખાલ સતયુગ માં લેશો. શ્રીકૃષ્ણ કેટલાં ખૂબસૂરત છે, કેટલી તેમનામાં કશિશ છે. ફર્સ્ટ ક્લાસ શરીર છે. એવું આપણે લઈશું. કહે છે ને - અમે તો નારાયણ બનીશું. આ તો સડેલી છી-છી ખાલ છે. આ આપણે છોડીને જઈશું નવી દુનિયામાં. આ યાદ કરતા ખુશી કેમ નથી થતી, જ્યારે કહો છો અમે નર થી નારાયણ બનીએ છીએ! આ સત્યનારાયણ ની કથા ને સારી રીતે સમજો. જે કહો છો તે કરીને દેખાડો. કહેવું, કરવું એક જોઈએ. ધંધો વગેરે પણ ભલે કરો. બાપ કહે છે હાથે થી કામ કરો, દિલ બાપ ની યાદ માં રહે. જેટલી-જેટલી ધારણા કરશો એટલી તમારી પાસે નોલેજ ની વેલ્યુ થતી જશે, નોલેજ ની ધારણા થી તમે કેટલાં ધનવાન બનો છો! આ છે રુહાની નોલેજ. તમે આત્મા છો, આત્મા શરીર થી બોલે છે. આત્મા જ જ્ઞાન આપે છે. આત્મા જ ધારણ કરે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયા ની જૂની વસ્તુ ને જોવા છતાં પણ નથી જોવાની. નર થી નારાયણ બનવા માટે કહેવાનું, કરવાનું એક સમાન બનાવવાનું છે.

2. અવિનાશી જ્ઞાન-રત્નો ની કદર રાખવાની છે, આ ખૂબ ઊંચી કમાણી છે, આમાં બગાસા અથવા ઝોકું ન આવવું જોઈએ. નામ-રુપ ની ગ્રહચારી થી બચવા માટે યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
બાપ ની છત્રછાયા ની નીચે નાજુક પરિસ્થિતિ માં પણ કમળ ફૂલ સમાન ન્યારા અને પ્યારા ભવ

સંગમયુગ પર જ્યારે બાપ સેવાધારી બનીને આવે છે તો છત્રછાયા નાં રુપ માં બાળકો ની સદા સેવા કરે છે. યાદ કરતા જ સેકન્ડ માં સાથ નો અનુભવ થાય છે. આ યાદ ની છત્રછાયા કેવી પણ નાજુક પરિસ્થિતિ માં કમળ પુષ્પ સમાન ન્યારા અને પ્યારા બનાવી દે છે. મહેનત નથી લાગતી. બાપ ને સામે લાવવા થી, સ્વસ્થિતિ માં સ્થિત થવાથી કેવી પણ પરિસ્થિતિ પરિવર્તિત થઈ જાય છે.

સ્લોગન :-
વાતો નો પડદો વચ્ચે આવવા ન દો, તો બાપ નાં સાથ નો અનુભવ થતો રહેશે.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો

કોઈ પણ વિઘ્ન થી મુક્ત થવાની યુક્તિ છે - સેકન્ડ માં સ્વયં નું સ્વરુપ અર્થાત્ આત્મિક જ્યોતિ સ્વરુપ સ્મૃતિ માં આવી જાય અને કર્મ માં નિમિત્ત ભાવ નું સ્વરુપ - આ ડબલ લાઈટ સ્વરુપ માં સ્થિત થઈ જાઓ તો સેકન્ડ માં હાઈ જમ્પ આપી શકશો. કોઈ પણ વિઘ્ન આગળ વધવામાં અડચણ નહીં નાખી શકે.