03-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સત્ય પન્ડા આવ્યાં છે તમને સાચ્ચી - સાચ્ચી યાત્રા શીખવાડવા , તમારી યાત્રા માં મુખ્ય છે પવિત્રતા , યાદ કરો અને પવિત્ર બનો”

પ્રશ્ન :-
આપ મેસેન્જર અથવા પૈગમ્બર નાં બાળકોએ કઈ એક વાત સિવાય બીજી કોઈ પણ વાત માં આરગ્યુ (દલીલ) નથી કરવાની?

ઉત્તર :-
આપ મેસેન્જર નાં બાળકો બધાને આ જ મેસેજ આપો કે સ્વયં ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો તો આ યોગ-અગ્નિ થી તમારા વિકર્મ વિનાશ થશે. આ જ ઓના (ધૂન) રાખો, બાકી બીજી વાતો માં જવાથી કોઈ ફાયદો નથી. તમારે ફક્ત બધાને બાપ નો પરિચય આપવાનો છે, જેનાંથી તે આસ્તિક બને. જ્યારે રચયિતા બાપ ને સમજી લેશે તો રચના ને સમજવી સહજ થઈ જશે.

ગીત :-
હમારે તીર્થ ન્યારે હૈં…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો જાણે છે કે આપણે સત્ય તીર્થવાસી છીએ. સાચાં પન્ડા અને આપણે જે એમનાં બાળકો છીએ તે પણ સાચાં તીર્થ પર જઈ રહ્યાં છીએ. આ છે જૂઠખંડ અથવા પતિતખંડ. હવે સચખંડ અથવા પાવનખંડ માં જઈ રહ્યાં છીએ. મનુષ્ય યાત્રા પર જાય છે ને? કોઈ-કોઈ ખાસ યાત્રાઓ લાગે છે, જ્યાં કોઈ ક્યારે પણ જઈ શકે છે. આ પણ યાત્રા છે, આમાં જવાનું ત્યારે થાય છે જ્યારે સત્ય પન્ડા સ્વયં આવે. એ આવે છે કલ્પ-કલ્પ નાં સંગમ પર. આમાં નથી ઠંડી, નથી ગરમી ની વાત. નથી ધક્કા ખાવાની વાત. આ તો છે યાદ ની યાત્રા. તે યાત્રાઓ માં સંન્યાસી પણ જાય છે. સાચ્ચી-સાચ્ચી યાત્રા કરવાવાળા જે હોય છે તે પવિત્ર રહે છે. તમારા માં બધા યાત્રા પર છે. તમે બ્રાહ્મણ છો. સાચાં-સાચાં બ્રહ્માકુમાર-કુમારીઓ કોણ છે? જે ક્યારેય પણ વિકાર માં નથી જતાં. પુરુષાર્થી તો જરુર છે. મન્સા સંકલ્પ ભલે આવે, મુખ્ય છે જ વિકાર ની વાત. કોઈ પૂછે નિર્વિકારી બ્રાહ્મણ કેટલાં છે તમારી પાસે? આ પૂછવાની જરુર નથી. આ વાતો થી તમારું શું પેટ ભરાશે? તમે યાત્રી બનો. યાત્રા કરવા વાળા કેટલાં છે, આ પૂછવાથી કોઈ ફાયદો નથી. બ્રાહ્મણ તો કોઈ સાચાં પણ છે, તો જુઠ્ઠા પણ છે. આજે સાચાં છે, કાલે જુઠ્ઠા બની જાય છે. વિકાર માં ગયા તો બ્રાહ્મણ ન થયાં. પછી શૂદ્ર થી શૂદ્ર થઈ ગયાં. આજે પ્રતિજ્ઞા કરે કાલે વિકાર માં પડી અસુર બની જાય છે. હવે આ વાતો ક્યાં સુધી સમજાવે? આનાં થી પેટ તો નહીં ભરાશે તથા મુખ મીઠું નહીં થશે. અહીં આપણે બાપ ને યાદ કરીએ છીએ અને બાપ ની રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણીએ છીએ. બાકી બીજી વાતો માં કાંઈ રાખ્યું નથી. બોલો, અહીં બાપ ની યાદ શીખવાડાય છે અને પવિત્રતા છે મુખ્ય. જે આજે પવિત્ર બની પછી અપવિત્ર બની જાય છે, તો તે બ્રાહ્મણ જ નથી રહ્યાં. તે હિસાબ ક્યાં સુધી તમને સંભળાવશે. એવાં તો ખૂબ પડતા હશે માયા નાં તોફાનો માં, એટલે બ્રાહ્મણો ની માળા નથી બની શકતી. આપણે તો પૈગમ્બર નાં બાળકો પૈગામ સંભળાવીએ છીએ, મેસેન્જર નાં બાળકો મેસેજ આપીએ છીએ. સ્વયં ને આત્મા સમજી અને બાપ ને યાદ કરો તો આ યોગ અગ્નિ થી વિકર્મ વિનાશ થશે. આ ધૂન રાખો. બાકી પ્રશ્ન તો અનેકાનેક મનુષ્ય પૂછશે. એક વાત સિવાય બીજી કોઈ વાતો માં જવાથી કોઈ ફાયદો જ નથી. અહીં તો આ જાણવાનું છે કે નાસ્તિક થી આસ્તિક, નિધન નાં થી ધણી નાં કેવી રીતે બનીએ, જે ધણી પાસે થી વારસો મેળવીએ - આ પૂછો. બાકી તો બધા પુરુષાર્થી છે. વિકાર ની વાત માં જ ખૂબ ફેલ (નપાસ) થાય છે. ઘણાં દિવસો પછી સ્ત્રી ને જુએ છે તો વાત ન પૂછો. કોઈ ને દારુ ની આદત હોય છે, તીર્થો પર જશે તો દારુ અથવા બીડી ની જેમને આદત હશે તે તેનાં વગર રહી નહીં શકે. છુપાવીને પણ પીવે છે. કરી જ શું શકે? ઘણાં છે જે સાચ્ચું નથી બોલતાં. છુપાવતા રહે છે.

બાબા બાળકો ને યુક્તિયો બતાવે છે કે કેવી રીતે યુક્તિ થી જવાબ આપવો જોઈએ. એક બાપ નો જ પરિચય આપવાનો છે, જેનાંથી મનુષ્ય આસ્તિક બને. પહેલાં જ્યાં સુધી બાપ ને નથી જાણ્યાં ત્યાં સુધી કોઈ પ્રશ્ન પૂછવો જ ફાલતું છે. એવાં ઘણાં આવે છે, સમજતા કાંઈ પણ નથી. ફક્ત સંભળાવતા રહે છે, ફાયદો કાંઈ પણ નથી. બાબા ને લખે છે હજાર બે હજાર આવ્યાં, એમાંથી એક-બે સમજવા માટે આવતા રહે છે. ફલાણા-ફલાણા મોટા માણસ આવતા રહે છે, હું સમજી જાઉં છું, તેમને જે પરિચય મળવો જોઈએ તે મળ્યો નથી. પૂરો પરિચય મળે તો સમજે આ તો ઠીક કહે છે, આપણા આત્માઓ નાં પિતા પરમપિતા પરમાત્મા છે, એ ભણાવે છે. કહે છે સ્વયં ને આત્મા સમજી મને યાદ કરો. આ અંતિમ જન્મ પવિત્ર બનો. જે પવિત્ર નથી રહેતા તે બ્રાહ્મણ નથી, શૂદ્ર છે. લડાઈ નું મેદાન છે. ઝાડ વધતું રહેશે અને તોફાન પણ લાગશે. ખૂબ પાંદડા ખરતા રહેશે. કોણ બેસીને ગણતરી કરશે કે સાચાં બ્રાહ્મણ કોણ છે? સાચાં તે જે ક્યારેય શૂદ્ર ન બને. જરા પણ દૃષ્ટિ ન જાય. અંત માં કર્માતીત અવસ્થા બને છે. ખૂબ ઊંચી મંઝિલ છે. મન્સા માં પણ ન આવે, તે અવસ્થા અંત માં થવાની છે. આ સમયે એક ની પણ એવી અવસ્થા નથી. આ સમયે બધા પુરુષાર્થી છે. નીચે-ઉપર થતા રહે છે. મુખ્ય આંખો ની જ વાત છે. આપણે આત્મા છીએ, આ શરીર દ્વારા પાર્ટ ભજવીએ છીએ - આ પાક્કો અભ્યાસ જોઈએ. જ્યાં સુધી રાવણ રાજ્ય છે, ત્યાં સુધી યુદ્ધ ચાલતું રહેશે. અંત માં કર્માતીત અવસ્થા થશે. આગળ ચાલીને તમને ફીલિંગ આવશે, સમજતા જશો. હમણાં તો ઝાડ ખૂબ નાનું છે, તોફાન લાગે છે, પાન ખરી પડે છે. જે કાચ્ચા છે તે નીચે પડે છે. દરેક પોતાને પૂછે - મારી અવસ્થા ક્યાં સુધી છે? બાકી જે પ્રશ્ન પૂછે છે તે વાતો માં વધારે જાઓ જ નહીં. બોલો, અમે બાપ ની શ્રીમત પર ચાલી રહ્યાં છીએ. એ બેહદ નાં બાપ આવીને બેહદ નું સુખ આપે છે અથવા નવી દુનિયા સ્થાપન કરે છે. ત્યાં સુખ જ હોય છે. જ્યાં મનુષ્ય રહે છે તેને જ દુનિયા કહેવાય છે. નિરાકારી દુનિયામાં આત્માઓ છે ને? આ કોઈની બુદ્ધિ માં નથી કે આત્મા કેવું બિંદુ છે! આ પણ પહેલાં કોઈ નવાં ને નથી સમજાવવાનું. પહેલાં-પહેલાં તો સમજાવવાનું છે - બેહદ નાં બાપ બેહદ નો વારસો આપે છે. ભારત પાવન હતું, હમણાં પતિત છે. કળિયુગ પછી સતયુગ આવવાનો છે. બીજું કોઈ પણ સમજાવી ન શકે, બી.કે. સિવાય. આ છે નવી રચના. બાપ ભણાવી રહ્યાં છે - આ સમજણ બુદ્ધિ માં રહેવી જોઈએ. કોઈ ડિફિકલ્ટ (મુશ્કેલ) વાત નથી, પરંતુ માયા ભુલાવી દે છે, વિકર્મ કરાવી દે છે. અડધાકલ્પ થી વિકર્મ કરવાની આદત પડેલી છે. તે બધી આસુરી આદતો કાઢવાની છે. બાબા સ્વયં કહે છે - બધા પુરુષાર્થી છે. કર્માતીત અવસ્થા મેળવવા માં ખૂબ સમય લાગે છે. બ્રાહ્મણ ક્યારેય વિકાર માં નથી જતાં. યુદ્ધ નાં મેદાન માં ચાલતાં-ચાલતાં હાર ખાઈ લે છે. આ પ્રશ્નો થી કોઈ ફાયદો નથી. પહેલાં પોતાનાં બાપ ને યાદ કરો. આપણને શિવબાબાએ કલ્પ પહેલાં ની જેમ ફરમાન આપ્યું છે કે પોતાને આત્મા સમજી મને યાદ કરો. આ એ જ લડાઈ છે. બાપ એક છે, કૃષ્ણ ને બાપ નહીં કહેવાશે. કૃષ્ણ નું નામ લખી દીધું છે. રોંગ (ખોટાં) થી રાઈટ (સાચ્ચું) બનાવવા વાળા બાપ છે. ત્યારે તો એમને ટ્રુથ (સત્ય) કહેવાય છે ને? આ સમયે આપ બાળકો જ આખી સૃષ્ટિ નાં રહસ્ય ને જાણો છો. સતયુગ માં છે ડીટી ડિનાયસ્ટી (દૈવી રાજધાની). રાવણ રાજ્ય માં પછી છે આસુરી ડિનાયસ્ટી. સંગમયુગ ક્લિયર (સ્પષ્ટ) કરીને દેખાડવાનો છે, આ છે પુરુષોત્તમ સંગમયુગ, તે તરફ દેવતાઓ, આ તરફ અસુર. બાકી તેમની લડાઈ થઈ નથી. લડાઈ આપ બ્રાહ્મણો ની છે વિકારો થી, આને પણ લડાઈ નહીં કહેવાશે. સૌથી મોટો છે કામ વિકાર, આ મહાશત્રુ છે. આનાં પર જીત મેળવવાથી જ તમે જગતજીત બનશો. આ વિષ પર જ અબળાઓ માર ખાય છે. અનેક પ્રકાર નાં વિધ્નો પડે છે. મૂળ વાત છે પવિત્રતા ની. પુરુષાર્થ કરતા-કરતા, તોફાન આવતા-આવતા તમારી જીત થઈ જશે. માયા થાકી જશે. કુસ્તી માં પહેલવાન જે હોય છે, તે ઝટ સામનો કરી લે છે. તેમનો ધંધો જ છે સારી રીતે લડીને જીત મેળવવી. પહેલવાન નો ખૂબ નામાચાર (પ્રસિદ્ધિ નો ફેલાવો) થાય છે. ઈનામ મળે છે. તમારી તો આ છે ગુપ્ત વાત.

તમે જાણો છો આપણે આત્માઓ પવિત્ર હતાં. હમણાં અપવિત્ર બન્યાં છીએ ફરી પવિત્ર બનવાનું છે. આ જ મેસેજ બધાને આપવાનો છે બીજા કોઈ પણ પ્રશ્ન પૂછે, તમારે આ વાતો માં જવાનું નથી. તમારો છે જ રુહાની ધંધો. આપણા આત્માઓ માં બાબાએ જ્ઞાન ભર્યુ હતું, પછી પ્રારબ્ધ મેળવી, જ્ઞાન ખતમ થઈ ગયું. હવે ફરી બાબા જ્ઞાન ભરી રહ્યાં છે. બાકી નશા માં રહો, બોલો બાપ નો મેસેજ આપીએ છીએ કે બાપ ને યાદ કરો તો કલ્યાણ થશે. તમારો ધંધો જ આ રુહાની છે. પહેલી-પહેલી વાત કે બાપ ને જાણો. બાપ જ જ્ઞાન નાં સાગર છે. એ કોઈ પુસ્તક થોડી સંભળાવે છે. તે લોકો જે ડોક્ટર ઓફ ફિલોસોફી (તત્વજ્ઞાની) વગેરે બને છે, તે પુસ્તક વાંચે છે. ભગવાન તો નોલેજફુલ છે. એમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ છે. એ કાંઈ ભણ્યાં છે શું? એ તો બધા વેદો-શાસ્ત્રો વગેરે ને જાણે છે. બાપ કહે છે મારો પાર્ટ છે તમને નોલેજ સમજાવવાનો. જ્ઞાન અને ભક્તિ નો કોન્ટ્રાસ્ટ (તફાવત) બીજું કોઈ બતાવી ન શકે. આ છે જ્ઞાન નું ભણતર. ભક્તિ ને જ્ઞાન નથી કહેવાતું. સર્વ નાં સદ્દગતિ દાતા એક જ બાપ છે. વર્લ્ડ ની હિસ્ટ્રી જરુર રિપીટ (પુનરાવૃત્તિ) થશે. જૂની દુનિયા નાં પછી નવી દુનિયા જરુર આવવાની છે. આપ બાળકો જાણો છો બાબા આપણને ફરી થી ભણાવે છે. બાપ કહે છે મને યાદ કરો, જોર બધો આનાં પર છે. બાબા જાણે છે ખૂબ સારા-સારા પ્રસિદ્ધ બાળકો આ યાદ ની યાત્રા માં ખૂબ કમજોર છે અને જે પ્રસિદ્ધ નથી, બાંધેલીઓ છે, ગરીબ છે, તે યાદ ની યાત્રા માં ખૂબ રહે છે. દરેક પોતાનાં દિલ ને પૂછે - હું બાપ ને કેટલો સમય યાદ કરું છું? બાબા કહે છે - બાળકો, જેટલું થઈ શકે તમે મને યાદ કરો. અંદર ખૂબ હર્ષિત રહો. ભગવાન ભણાવે છે તો કેટલી ખુશી થવી જોઈએ. બાપ કહે છે તમે પવિત્ર આત્મા હતાં પછી શરીર ધારણ કરી પાર્ટ ભજવતા-ભજવતા પતિત બન્યાં છો. હવે ફરી પવિત્ર બનવાનું છે. ફરી એ જ દૈવી પાર્ટ ભજવવાનો છે. તમે દૈવી ધર્મ નાં છો ને? તમે જ ૮૪ નું ચક્ર લગાવ્યું છે. બધા સૂર્યવંશી પણ ૮૪ જન્મ થોડી લે છે? પાછળ આવતા રહે છે ને? નહીં તો ફટ થી બધા આવી જાય. સવારે ઉઠીને બુદ્ધિ થી કોઈ કામ લે તો સમજી શકે છે. બાળકોએ જ વિચાર સાગર મંથન કરવાનું છે. શિવબાબા તો નથી કરતાં. એ તો કહે છે ડ્રામા અનુસાર જે કાંઈ સંભળાવું છું, એવું જ સમજો કલ્પ પહેલાં ની જેમ જે સમજાવ્યું હતું, એ જ સમજાવ્યું. મંથન તમે કરો છો. તમારે જ સમજાવવાનું છે, જ્ઞાન આપવાનું છે. આ બ્રહ્મા પણ મંથન કરે છે. બી.કે.એ મંથન કરવાનું છે, શિવબાબાએ નહીં. મૂળ વાત કોઈ સાથે પણ વધારે વાત નથી કરવાની. આરગ્યું (દલીલ) શાસ્ત્રવાદી પરસ્પર ખૂબ કરે છે, તમારે દલીલ નથી કરવાની. તમારે ફક્ત પૈગામ આપવાનો છે. પહેલાં ફક્ત મુખ્ય એક વાત પર સમજાવો અને લખાવો. પહેલા-પહેલા આ સબ્ક (પાઠ) રાખો કે આ કોણ ભણાવે છે, તે લખો. આ વાત તમે પાછળ લઈ જાઓ છો એટલે સંશય પડતો રહે છે. નિશ્ચયબુદ્ધિ ન હોવાનાં કારણે સમજતા નથી. ફક્ત કહી દે છે વાત ઠીક છે. પહેલાં-પહેલાં મુખ્ય વાત જ આ છે. રચયિતા બાપ ને સમજો પછી રચના નાં રહસ્ય સમજો. મુખ્ય વાત ગીતા નાં ભગવાન કોણ? તમારી વિજય પણ આમાં થવાની છે. પહેલાં-પહેલાં કયો ધર્મ સ્થાપન થયો? જૂની દુનિયા ને નવી દુનિયા કોણ બનાવે છે. બાપ જ આત્માઓ ને નવું જ્ઞાન સંભળાવે છે, જેનાંથી નવી દુનિયા સ્થાપન થાય છે. તમને બાપ અને રચના નો પરિચય મળે છે. પહેલાં-પહેલાં તો અલ્ફ પર પાક્કું કરાવો તો બે બાદશાહી છે જ. બાપ પાસે થી જ વારસો મળે છે. બાપ ને જાણ્યાં અને વારસા નાં હકદાર બન્યાં. બાળક જન્મ લે છે, મા-બાપ ને જોયા અને બસ પાક્કું થઈ જશે. મા-બાપ સિવાય કોઈની પાસે જશે પણ નહીં કારણકે મા પાસે થી દૂધ મળે છે. આ પણ જ્ઞાન નું દૂધ મળે છે. માતા-પિતા છે ને? આ ખૂબ મહીન (સુક્ષ્મ) વાતો છે, જલ્દી કોઈ સમજી ન શકે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સાચાં-સાચાં પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે, ક્યારેય શૂદ્ર (પતિત) બનવાનો મન્સા માં પણ વિચાર ન આવે, જરા પણ દૃષ્ટિ ન જાય, એવી અવસ્થા બનાવવાની છે.

2. બાપ જે ભણાવી રહ્યાં છે, તે સમજણ બુદ્ધિ માં રાખવાની છે. જે વિકર્મ કરવાની આસુરી આદતો પડેલી છે, તેને કાઢવાની છે. પુરુષાર્થ કરતા-કરતા સંપૂર્ણ પવિત્રતા ની ઊંચી મંઝિલ ને પ્રાપ્ત કરવાની છે.

વરદાન :-
કારણ નું નિવારણ કરી ચિંતા અને ભય થી મુક્ત રહેવા વાળા માસ્ટર સર્વશક્તિમાન્ ભવ

વર્તમાન સમયે અલ્પકાળ નાં સુખ ની સાથે ચિંતા અને ભય બે વસ્તુ તો છે. જ્યાં ચિંતા છે ત્યાં ચેન ન હોઈ શકે. જ્યાં ભય છે ત્યાં શાંતિ નથી હોય શકતી. તો સુખ ની સાથે આ દુઃખ અશાંતિ નું કારણ પણ છે. પરંતુ આપ સર્વશક્તિઓનાં ખજાના થી સંપન્ન માસ્ટર સર્વશક્તિમાન્ બાળકો દુઃખો નાં કારણ નું નિવારણ કરવા વાળા, દરેક સમસ્યા નું સમાધાન કરવા વાળા સમાધાન સ્વરુપ છો એટલે ચિંતા અને ભય થી મુક્ત છો. કોઈ પણ સમસ્યા તમારી સામે ખેલ કરવા આવે છે નહીં કે ડરાવવાં.

સ્લોગન :-
પોતાની વૃત્તિ ને શ્રેષ્ઠ બનાવો તો તમારી પ્રવૃતિ સ્વતઃ શ્રેષ્ઠ થઈ જશે.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

સમય પ્રમાણે હવે સર્વ બ્રાહ્મણ આત્માઓ ને સમીપ લાવતા જ્વાળા સ્વરુપ નું વાયુમંડળ બનાવવા ની સેવા કરો, એનાં માટે ભલે ભઠ્ઠીઓ કરો અથવા પરસ્પર સંગઠિત થઈને રુહરિહાન કરો પરંતુ જ્વાળા સ્વરુપ નો અનુભવ કરો અને કરાવો, આ સેવા માં લાગી જાઓ તો નાની-નાની વાતો સહજ પરિવર્તન થઈ જશે.