03-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે નિર્વિકારી દુનિયા બનાવવાં , તમારા ચરિત્ર સુધારવાં , તમે ભાઈ - ભાઈ છો
તો તમારી દૃષ્ટિ બહુજ શુદ્ધ હોવી જોઈએ”
પ્રશ્ન :-
આપ બાળકો બેફિકર બાદશાહ છો છતાં પણ તમને એક મૂળ ફિકર અવશ્ય હોવી જોઈએ - કઈ?
ઉત્તર :-
અમે પતિત થી પાવન કેવી રીતે બનીએ - આ છે મૂળ ફિકર. એવું ન થાય કે બાપ નાં બની ને પછી
બાપ ની આગળ સજાઓ ખાવી પડે. સજાઓથી છૂટવાની ફિકર રહે, નહીં તો તે સમયે બહુ જ લજ્જા
આવશે. બાકી તમે બેપરવા બાદશાહ છો, બધાને બાપ નો પરિચય આપવાનો છે. કોઈ સમજે છે તો
બેહદનાં માલિક બને છે, નથી સમજતા તો તેમની તકદીર. તમને પરવા (ફિકર) નથી.
ઓમ શાંતિ!
રુહાની બાપ
જેમનું નામ શિવ છે, તે બેસી પોતાનાં બાળકો ને સમજાવે છે. રુહાની બાપ બધા નાં એક જ
છે. પહેલાં-પહેલાં આ વાત સમજાવવાની છે તો પછી આગળ સમજવું સહજ થશે. જો બાપ નો પરિચય
જ નહીં મળ્યો હશે તો પ્રશ્ન કરતાં રહેશે. પહેલાં-પહેલાં તો આ નિશ્ચય કરાવવાનો છે.
આખી દુનિયાને આ ખબર નથી કે ગીતા નાં ભગવાન કોણ છે. તે શ્રીકૃષ્ણ નાં માટે કહી દે
છે, આપણે કહીએ પરમપિતા પરમાત્મા શિવ ગીતા નાં ભગવાન છે. એ જ જ્ઞાન નાં સાગર છે.
મુખ્ય છે સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા. ભગવાન માટે જ કહે છે - હે પ્રભુ, તારી ગત મત
ન્યારી. શ્રીકૃષ્ણ માટે એવું નહીં કહેશે. બાપ જે સત્ય છે તે જરુર સત્ય જ સંભળાવશે.
દુનિયા પહેલાં નવી સતોપ્રધાન હતી. હમણાં દુનિયા જૂની તમોપ્રધાન છે. દુનિયાને બદલવા
વાળા એક બાપ જ છે. બાપ કેવી રીતે બદલે છે તે પણ સમજાવવું જોઈએ. આત્મા જ્યારે
સતોપ્રધાન બને ત્યારે દુનિયા પણ સતોપ્રધાન સ્થાપન થાય. પહેલાં-પહેલાં આપ બાળકોએ
અંતર્મુખ થવાનું છે. વધારે ટીક-ટીક નથી કરવાની. અંદર ઘુસે છે તો ઘણાં ચિત્ર જોઈ
પૂછતાં જ રહે છે. પહેલાં-પહેલાં સમજાવવી જ એક વાત જોઈએ. વધારે પૂછવાની જરુર ન રહે.
બોલો, પહેલાં તો એક વાત પર નિશ્ચય કરો પછી આગળ સમજાવો પછી તમે ૮૪ જન્મો નાં ચક્ર પર
લઈ આવી શકો છો. બાપ કહે છે હું અનેક જન્મો નાં અંત માં પ્રવેશ કરું છું. આમને જ બાપ
કહે છે - તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. બાપ આપણને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા
સમજાવે છે. પહેલાં-પહેલાં અલ્ફ પર જ સમજાવે છે. અલ્ફ સમજવાથી પછી કોઈ સંશય નહીં થશે.
બોલો બાપ સત્ય છે, તે પણ અસત્ય નથી સંભળાવતાં. બેહદ નાં બાપ જ રાજયોગ શીખવાડે છે.
શિવરાત્રી ગવાય છે તો જરુર શિવ અહીં આવ્યાં હશે ને? જેમ શ્રીકૃષ્ણ જયંતી પણ અહીં
મનાવે છે. કહે છે હું બ્રહ્મા દ્વારા સ્થાપના કરું છું. એ એક જ નિરાકાર બાપ નાં બધા
બાળકો છે. તમે પણ એમની સંતાન છો અને પછી પ્રજાપિતા બ્રહ્માની પણ સંતાન છો. પ્રજાપિતા
બ્રહ્મા દ્વારા સ્થાપના કરી તો જરુર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ હશે. બહેન-ભાઈ થઈ ગયાં, એમાં
પવિત્રતા રહે છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પવિત્ર રહેવાની આ છે ભીતી (રીત).
બહેન-ભાઈ થાય છે તો પછી ક્રિમિનલ (વિકારી) દૃષ્ટિ ન હોવી જોઈએ. ૨૧ જન્મ દૃષ્ટિ સુધરી
જાય છે. બાપ જ બાળકોને શિક્ષા આપશે ને? ચરિત્ર સુધારે છે. હમણાં આખી દુનિયાનાં
ચરિત્ર સુધરવાનાં છે. આ જૂની પતિત દુનિયામાં કોઈ ચરિત્ર નથી. બધામાં વિકાર છે. આ છે
જ પતિત વિકારી દુનિયા. પછી નિર્વિકારી દુનિયા કેવી રીતે બનશે? આ સિવાય બાપ નાં કોઈ
બનાવી ન શકે. હમણાં આ પવિત્ર બનાવી રહ્યાં છે. આ છે બધી ગુપ્ત વાતો. આપણે આત્મા છીએ,
આત્માએ પરમાત્મા બાપ થી મળવાનું છે. બધા પુરુષાર્થ કરે જ છે ભગવાન થી મળવા માટે.
ભગવાન એક નિરાકાર છે. લિબ્રેટર, (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) પણ પરમાત્મા ને જ
કહેવાય છે. બીજા ધર્મવાળા કોઈને લિબ્રેટર, ગાઈડ નહીં કહેવાશે. પરમપિતા પરમાત્મા જ
આવીને છોડાવે છે અર્થાત્ તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. ગાઈડ પણ કરે છે તો
પહેલાં-પહેલાં એક જ વાત બુદ્ધિ માં બેસાડો. જો ન સમજે તો છોડી દેવું જોઈએ. અલ્ફ ને
નથી સમજ્યાં તો બે (રાજાઈ) થી શું ફાયદો, ભલે ચાલ્યાં જાય. તમે મૂંઝાઓ નહીં. તમે
બેપરવાહ બાદશાહ છો. અસુરો નાં વિઘ્ન પડવાનાં જ છે. આ છે જ રુદ્ર જ્ઞાન-યજ્ઞ. તો
પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. બાપ કહે છે મનમનાભવ. જેટલો પુરુષાર્થ કરશો એ
અનુસાર પદ મેળવશો. આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે. આ
લક્ષ્મી-નારાયણ ની રાજધાની છે. બીજા ધર્મવાળા કોઈ રાજધાની સ્થાપન નથી કરતાં. બાપ તો
આવીને બધાને મુક્ત કરે છે. પછી પોત-પોતાનાં સમય પર બીજા-બીજા ધર્મ સ્થાપકોએ આવીને
પોતાનો ધર્મ સ્થાપન કરવાનો છે. વૃદ્ધિ થવાની છે. પતિત બનવાનું જ છે. પતિત થી પાવન
બનાવવા આ તો બાપ નું જ કામ છે. તે તો ફક્ત આવીને ધર્મ સ્થાપન કરશે. એમાં મોટાઈ ની
વાત જ નથી. મહિમા છે જ એક ની. તે તો ક્રાઇસ્ટ પાછળ કેટલું કરે છે. એમને પણ સમજાવાય,
લિબ્રેટર ગાઈડ તો ગોડ ફાધર જ છે. બાકી ક્રાઈસ્ટે શું કર્યુ? તેમની પાછળ ક્રિશ્ચન
ધર્મ નાં આત્માઓ આવતાં રહે છે, નીચે ઉતરતાં રહે છે. દુઃખ થી છોડાવવા વાળા તો એક જ
બાપ છે. આ બધા પોઇન્ટ્સ (વાતો) બુદ્ધિમાં સારી રીતે ધારણ કરવાનાં છે. એક ગોડ ને જ
મર્સીફુલ (દયાનાં સાગર) કહેવાય છે. ક્રાઇસ્ટ કોઈ દયા નથી કરતાં. એક પણ મનુષ્ય કોઈ
નાં પર દયા નથી કરતાં. દયા થાય છે બેહદ ની. એક બાપ જ બધા પર રહેમ કરે છે. સતયુગ માં
બધા સુખ-શાંતિ માં રહે છે. દુઃખ ની વાત જ નથી. બાળકો એક વાત અલ્ફ પર કોઈને નિશ્ચય
કરાવતા નથી, બીજી-બીજી વાતો માં ચાલ્યાં જાય છે પછી કહે ગળું જ ખરાબ થઈ ગયું.
પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. તમે બીજી વાતો માં જાઓ જ નહીં. બોલો, બાપ તો
સત્ય બોલશે ને! આપણને બી.કે. ને બાપ જ સંભળાવે છે. આ ચિત્ર બધાં એમણે બનાવડાવ્યાં
છે, આમાં સંશય ન લાવવો જોઈએ. સંશયબુદ્ધિ વિનશન્તી. પહેલાં તમે પોતાને આત્મા સમજી
બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બીજો કોઈ ઉપાય નથી. પતિત પાવન તો એક જ છે ને?
બાપ કહે છે દેહ નાં બધા સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. બાપ જેમાં પ્રવેશ કરે છે, તેમણે
પણ પછી પુરુષાર્થ કરીને સતોપ્રધાન બનવાનું છે. બનશો પુરુષાર્થ થી પછી બ્રહ્મા અને
વિષ્ણુ નો સંબંધ પણ બતાવે છે. બાપ આપ બ્રાહ્મણો ને રાજયોગ શીખવાડે છે તો તમે
વિષ્ણુપુરી નાં માલિક બનો છો. પછી તમે જ ૮૪ જન્મ લઈ અંતમાં શુદ્ર બનો છો. બાપ ફરી
આવીને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. એવું બીજું કોઈ બતાવી ન શકે. પહેલી-પહેલી વાત છે
બાપ નો પરિચય આપવો. બાપ કહે છે મારે જ પતિતો ને પાવન બનાવવા અહીં આવવું પડે છે. એવું
નથી કે ઉપર થી પ્રેરણા આપે છે. આમનું જ નામ છે ભાગીરથ. તો જરુર આમનામાં જ પ્રવેશ
કરશે. આ છે પણ અનેક જન્મો નાં અંત નો જન્મ. પછી સતોપ્રધાન બને છે. એનાં માટે બાપ
યુક્તિ બતાવે છે કે પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. હું જ સર્વશક્તિમાન્ છું.
મને યાદ કરવાથી તમારામાં શક્તિ આવશે. તમે વિશ્વનાં માલિક બનશો. આ લક્ષ્મી-નારાયણ નો
વારસો આમને બાપ પાસેથી મળ્યો છે. કેવી રીતે મળ્યો તે સમજાવે છે. પ્રદર્શન, મ્યુઝિયમ
વગેરેમાં પણ તમે કહી દો કે પહેલાં એક વાત ને સમજો પછી બીજી વાતોમાં જાઓ. આ ખુબજ
જરુરી છે સમજવું. નહીં તો તમે દુ:ખ થી છૂટી નહીં શકશો. પહેલાં જ્યાં સુધી નિશ્ચય નથી
કર્યો તો તમે કંઈ સમજી નહીં શકશો. આ સમયે છે જ ભ્રષ્ટાચારી દુનિયા. દેવી-દેવતાઓની
દુનિયા શ્રેષ્ઠાચારી હતી. એવું-એવું સમજાવવાનું છે. મનુષ્ય ની નાડી પણ જોવી જોઈએ -
કાંઈ સમજે છે કે તવાઈ છે? જો તવાઈ છે તો પછી છોડી દેવું જોઈએ. સમય ખોટી ન કરવો જોઈએ.
ચાત્રક પાત્ર ને પારખવાની પણ બુદ્ધિ જોઈએ. જે સમજવા વાળા હશે એમનો ચહેરો જ બદલાઈ જશે.
પહેલાં-પહેલાં તો ખુશી ની વાત આપવાની છે. બેહદનાં બાપ પાસેથી બેહદનો વારસો મળે છે
ને? બાબા જાણે છે યાદની યાત્રા માં બાળકો બહુ જ ઢીલાં છે. બાપ ને યાદ કરવાની મહેનત
છે. એમાં જ માયા ખુબ વિઘ્ન નાખે છે. આ પણ ખેલ બનેલો છે. બાપ બેસી સમજાવે છે - કેવો
આ ખેલ પૂર્વ નિર્ધારિત છે! દુનિયાનાં મનુષ્ય તો રીંચક (થોડું પણ) પણ નથી જાણતાં.
બાપ ની યાદ માં
રહેવાથી તમે કોઈને સમજાવવામાં પણ એકરસ હશો. નહીં તો કંઈ ન કંઈ ખામીઓ કાઢતાં રહેશો.
બાબા કહે છે તમે વધારે કંઈ પણ તકલીફ ન લો. સ્થાપના તો જરુર થવાની જ છે. ભાવી ને કોઈ
પણ ટાળી નથી શકતું. ઉલ્લાસ માં રહેવું જોઈએ. બાપ પાસેથી આપણે બેહદ નો વારસો લઈ રહ્યાં
છીએ. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. બહુજ પ્રેમ થી બેસી સમજાવવાનું છે. બાપ ને યાદ
કરતાં પ્રેમ માં આંસુ આવી જવાં જોઈએ. બીજા તો બધા સંબંધ છે કળિયુગી. આ છે રુહાની
બાપ નો સંબંધ. આ તમારાં આંસુ પણ વિજય માળા નાં દાણા બને છે. ખુબ થોડા છે - જે એવાં
પ્રેમ થી બાપ ને યાદ કરે છે. કોશિશ કરી જેટલું થઈ શકે પોતાનો સમય કાઢીને પોતાનાં
ભવિષ્ય ને ઊંચું બનાવવું જોઈએ. પ્રદર્શન માં આટલાં અનેક બાળકો ન હોવાં જોઈએ. ન એટલાં
ચિત્રોની દરકાર છે. નંબરવન ચિત્ર છે ગીતા નાં ભગવાન કોણ? એની બાજુમાં
લક્ષ્મી-નારાયણ નું, સીડી નું. બસ. બાકી આટલાં ચિત્ર કોઈ કામ નાં નથી. આપ બાળકોએ
જેટલું થઈ શકે યાદ ની યાત્રા ને વધારવાની છે. મૂળ ફિકર રાખવાની છે કે પતિત થી પાવન
કેવી રીતે બનીએ! બાબા નાં બનીને અને પછી બાબાની આગળ જઈને સજાઓ ખાય આ તો મોટી દુર્ગતિ
ની વાત છે. હમણાં યાદ ની યાત્રા પર નહીં રહેશો તો પછી બાપની આગળ સજા ખાતાં સમયે
બહુજ-બહુજ લજ્જા આવશે. સજા ન ખાવી પડે, આ સૌથી વધારે ફિકર રાખવાની છે. તમે રુપ પણ
છો, વસંત પણ છો. બાબા પણ કહે છે હું રુપ પણ છું, વસંત પણ છું. નાનું બિંદુ પણ છું
અને પછી જ્ઞાન નો સાગર પણ છું. તમારા આત્મા માં બધું જ્ઞાન ભરું છું. ૮૪ જન્મો નું
બધું રહસ્ય તમારી બુદ્ધિ માં છે. તમે જ્ઞાન નું સ્વરુપ બની જ્ઞાન ની વર્ષા કરો છો.
જ્ઞાન નો એક-એક રત્ન કેટલાં અમુલ્ય છે, એનું મુલ્ય કોઈ કરી ન શકે એટલે બાબા કહે છે
પદ્માપદમ ભાગ્યશાળી. તમારા ચરણો માં પદમ ની નિશાની પણ દેખાડે છે, આને કોઈ સમજી ન શકે.
મનુષ્ય પદમપતિ નામ રાખે છે. સમજે છે આમની પાસે બહુ જ ધન છે. પદમપતિ ની એક અટક પણ
રાખે છે. બાપ બધી વાતો સમજાવે છે. પછી કહે છે - મૂળ વાત છે કે બાપ ને અને ૮૪ નાં
ચક્ર ને યાદ કરો. આ નોલેજ ભારતવાસીઓનાં માટે જ છે. તમે જ ૮૪ જન્મ લો છો. આ પણ સમજ
ની વાત છે ને? બીજા કોઈ સંન્યાસી વગેરે ને સ્વદર્શન ચક્રધારી પણ નહીં કહેવાશે.
દેવતાઓને પણ નહીં કહેવાશે. દેવતાઓમાં જ્ઞાન હોતું જ નથી. તમે કહેશો અમારામાં બધું
જ્ઞાન છે, આ લક્ષ્મી-નારાયણ માં નથી. બાપ તો યથાર્થ વાત સમજાવે છે ને!
આ જ્ઞાન બહુજ
વન્ડરફુલ (અદ્દભુત) છે. તમે કેટલા ગુપ્ત વિદ્યાર્થી છો. તમે કહેશો અમે પાઠશાળા માં
જઈએ છીએ, ભગવાન અમને ભણાવે છે. મુખ્ય ઉદ્દેશ શું છે? અમે આ (લક્ષ્મી-નારાયણ) બનીશું.
મનુષ્ય સાંભળીને વન્ડર (આશ્ચર્ય) ખાશે. અમે પોતાની હેડ ઓફિસ માં જઈએ છીએ. શું ભણો
છો? મનુષ્ય થી દેવતા, ગરીબ થી રાજકુમાર બનવાનું ભણતર ભણી રહ્યાં છો. તમારા ચિત્ર પણ
ફર્સ્ટ ક્લાસ છે. ધન-દાન પણ હંમેશા પાત્ર ને કરાય છે. પાત્ર તમને ક્યાં મળશે? શિવ
નાં, લક્ષ્મી-નારાયણ નાં, રામ-સીતા નાં મંદિરો માં. ત્યાં જઈને તમે એમની સેવા કરો.
પોતાનો સમય ખોટી નહીં કરો. ગંગા નદી પર પણ જઈને તમે સમજાવો - પતિત-પાવની ગંગા છે કે
પરમપિતા પરમાત્મા છે? સર્વ ની સદ્દગતિ આ પાણી કરશે કે બેહદ નાં બાપ કરશે? તમે આનાં
પર સારી રીતે સમજાવી શકો છો. વિશ્વનાં માલિક બનવાનો રસ્તો બતાવો છો. દાન કરો છો,
કોડી જેવાં મનુષ્ય ને હીરા જેવાં વિશ્વ નાં માલિક બનાવો છો. ભારત વિશ્વનું માલિક હતું
ને? આપ બ્રાહ્મણો નો દેવતાઓથી પણ ઉત્તમ કુળ છે. આ બાબા તો સમજે છે - હું બાપ નો એક
જ સિકીલધો બાળક છું. બાબાએ મારું આ શરીર લોન પર લીધું છે. તમારા સિવાય બીજું કોઈ પણ
આ વાત સમજી ન શકે. બાબાએ મારા ઉપર સવારી કરી છે. મેં બાબા ને ખોળા પર બેસાડ્યાં છે
અર્થાત્ શરીર આપ્યું છે કે સર્વિસ (સેવા) કરો. એનું રિટર્ન (વળતર) પછી તે કેટલું આપે
છે. જે મને સૌથી ઊંચે ખભા પર ચઢાવે છે. નંબરવન લઈ જાય છે. બાપ ને બાળકો પ્રિય લાગે
છે, તો તેમને ખભા પર ચઢાવે છે ને. મા, બાળક ને ફક્ત ખોળા સુધી લે છે બાપ તો ખભા પર
ચઢાવે છે. પાઠશાળા ને ક્યારેય કલ્પના નહીં કહેવાય. સ્કૂલ માં હિસ્ટ્રી-જોગ્રોફી ભણે
છે તો શું તે કલ્પના થઈ? આ પણ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી છે ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ખુબજ પ્રેમ
થી બેસીને રુહાની બાપ ને યાદ કરવાનાં છે. યાદ માં પ્રેમ નાં આંસુ આવી જાય તો તે આંસુ
વિજય માળા નાં દાણા બની જશે. પોતાનો સમય ભવિષ્ય પ્રારબ્ધ બનાવવામાં સફળ કરવાનો છે.
2. અંતર્મુખી થઈ બધાને
અલ્ફ નો પરિચય આપવાનો છે, વધારે ટીક-ટીક નથી કરવાની. એક જ ફૂર્ણા (ફિકર) રહે કે એવું
કોઈ કર્તવ્ય ન થાય જેની સજા ખાવી પડે.
વરદાન :-
રુહાની યાત્રી
છું - આ સ્મૃતિ માં સદા ઉપરામ , ન્યારા અને નિર્મોહી ભવ
રુહાની યાત્રી સદા
યાદ ની યાત્રા માં આગળ વધતા રહે છે, આ યાત્રા સદા જ સુખદાયી છે. જે રુહાની યાત્રા
માં તત્પર રહે છે, એમને બીજી કોઈ યાત્રા કરવાની આવશ્યકતા નથી. આ જ યાત્રા માં બધી
યાત્રાઓ સમાયેલી છે. મન કે તન થી ભટકવાનું બંધ થઈ જાય છે. તો સદા આ જ સ્મૃતિ રહે કે
અમે રુહાની યાત્રી છીએ, યાત્રી નો કોઈ માં પણ મોહ નથી હોતો. એમને સહજ જ ઉપરામ,
ન્યારા કે નિર્મોહી બનવાનું વરદાન મળી જાય છે.
સ્લોગન :-
સદા વાહ બાબા,
વાહ તકદીર અને વાહ મીઠો પરિવાર - આ જ ગીત ગાતા રહો.
અવ્યક્ત ઈશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
જેવી રીતે બાપ ને
સર્વ સ્વરુપે કે સર્વ સંબંધો થી જાણવાં આવશ્યક છે, એવી રીતે જ બાપ દ્વારા સ્વયં ને
પણ જાણવું આવશ્યક છે. જાણવું અર્થાત્ માનવું. હું જે છું, જેવો છું, એવાં માનીને
ચાલશો તો દેહ માં વિદેહી, વ્યક્ત માં હોવા છતાં અવ્યક્ત, ચાલતાં-ફરતાં ફરિશ્તા કે
કર્મ કરતા કર્માતીત સ્થિતિ બની જશે.