04-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં શ્રીમત પર સાઈલેન્સ ( શાંતિ ) ની અતિ માં જાઓ છો , તમને બાપ પાસે થી શાંતિ નો
વારસો મળે છે , શાંતિ માં બધું જ આવી જાય છે”
પ્રશ્ન :-
નવી દુનિયાની સ્થાપના નો મુખ્ય આધાર શું છે?
ઉત્તર :-
પવિત્રતા. બાપ જ્યારે બ્રહ્મા તન માં આવીને નવી દુનિયા સ્થાપન કરે છે ત્યારે તમે
પરસ્પર ભાઈ-બહેન થઈ જાઓ છો. સ્ત્રી-પુરુષ નું ભાન નીકળી જાય છે. આ અંતિમ જન્મ માં
પવિત્ર બનો છો તો પવિત્ર દુનિયાનાં માલિક બની જાઓ છો. તમે પોતે પોતાની સાથે
પ્રતિજ્ઞા કરો છો અમે ભાઈ-બહેન થઈને રહીશું. વિકાર ની દૃષ્ટિ નહીં રાખીશું. એક- બીજા
ને સાવધાન કરી ઉન્નતિ મેળવીશું.
ગીત :-
જાગ સજનીયા
જાગ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકોએ ગીત સાંભળ્યું અને બુદ્ધિ માં સ્વદર્શન ચક્ર ફરી ગયું. બાપ પણ
સ્વદર્શન ચક્રધારી કહેવાય છે કારણકે સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને જાણવું - આ છે
સ્વદર્શન ચક્રધારી બનવું. આ વાતો બાપ સિવાય બીજું કોઈ સમજાવી ન શકે. આપ બ્રાહ્મણો
નો બધો આધાર છે સાઈલેન્સ પર. બધાં મનુષ્ય કહે પણ છે શાંતિદેવા, હે શાંતિ આપવા વાળા…
ખબર કોઈને પણ નથી કે શાંતિ કોણ આપે છે અથવા શાંતિધામ કોણ લઈ જશે. આ ફક્ત આપ બાળકો જ
જાણો છો, બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી બને છે. દેવતા કોઈ સ્વદર્શન ચક્રધારી કહેવાઈ
ન શકે. કેટલો રાત દિવસ નો ફરક છે. બાપ આપ બાળકો ને સમજાવે છે, તમે દરેક સ્વદર્શન
ચક્રધારી છો - નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ ને યાદ કરવાના છે, આ જ મુખ્ય વાત છે.
બાપ ને યાદ કરવા એટલે શાંતિ નો વારસો લેવો. શાંતિ માં બધું આવી જાય છે. તમારું
આયુષ્ય પણ લાંબુ થઈ જાય છે, નિરોગી કાયા પણ બનતી જાય છે. બાપ સિવાય બીજું કોઈ
સ્વદર્શન ચક્રધારી બનાવી ન શકે. આત્મા જ બને છે. બાપ પણ છે કારણકે સૃષ્ટિ નાં આદિ
મધ્ય અંત નું જ્ઞાન છે. ગીત પણ સાંભળ્યું હવે નવી દુનિયા સ્થાપન થઈ રહી છે. ગીત તો
મનુષ્યો એ જ બનાવ્યાં છે. બાપ બેસીને સાર સમજાવે છે. એ છે સર્વ આત્માઓ નાં બાપ, તો
બધા બાળકો પરસ્પર ભાઈ-ભાઈ થઈ જાય છે. બાપ જ્યારે નવી દુનિયા રચે છે તો પ્રજાપિતા
બ્રહ્મા દ્વારા તમે ભાઈ-બહેન છો, દરેક બ્રહ્માકુમાર કુમારી છે, આ બુદ્ધિ માં રહેવાથી
પછી સ્ત્રી-પુરુષ નું ભાન નીકળી જાય છે. મનુષ્ય આ નથી સમજતા કે અમે પણ હકીકત માં
ભાઈ-ભાઈ છીએ. પછી બાપ રચના રચે છે તો ભાઈ-બહેન થઈ જાય છે. ક્રિમિનલ દૃષ્ટિ નીકળી
જાય છે. બાપ યાદ પણ અપાવે છે, તમે બોલાવતા આવ્યાં છો હે પતિત-પાવન, હમણાં હું આવ્યો
છું, તમને કહું છું આ અંતિમ જન્મ પવિત્ર રહો. તો તમે પવિત્ર દુનિયા નાં માલિક બનશો.
આ પ્રદર્શન તો તમારા ઘર-ઘર માં હોવું જોઈએ કારણકે આપ બાળકો બ્રાહ્મણ છો. તમારા ઘર
માં આ ચિત્ર જરુર હોવા જોઈએ. આનાં પર સમજાવવું ખૂબ સહજ છે. ૮૪ નું ચક્ર તો બુદ્ધિ
માં છે. અચ્છા - તમને એક બ્રાહ્મણી આપી દઈશું. એ આવીને સર્વિસ (સેવા) કરીને જશે. તમે
પ્રદર્શન ખોલી દો. ભક્તિમાર્ગ માં પણ કોઈ કૃષ્ણ ની પૂજા અથવા મંત્ર-યંત્ર વગેરે નથી
જાણતા તો બ્રાહ્મણ ને બોલાવે છે. તે રોજ આવીને પૂજા કરે છે. તમે પણ મંગાવી શકો છો.
આ છે તો ખૂબ સહજ. બાપે પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચી હશે તો જરુર
બ્રહ્માકુમાર-કુમારીઓ બહેન-ભાઈ બન્યાં હશે. પ્રતિજ્ઞા કરે છે અમે બંને ભાઈ-બહેન
બનીને રહીશું, વિકાર ની દ્રષ્ટિ નહીં રાખીશું. એક-બીજા ને સાવધાન કરીને ઉન્નતિ
મેળવીશું. મુખ્ય છે જ યાદ ની યાત્રા. તે લોકો સાયન્સ (વિજ્ઞાન) નાં બળ થી કેટલાં
ઉપર જવાની કોશિશ કરે છે, પરંતુ ઉપર કોઈ દુનિયા થોડી છે? આ છે સાયન્સ ની અતિ માં જવું.
હવે તમે સાઈલેન્સ ની અતિ માં જાઓ છો, શ્રીમત પર. તેમનું છે સાયન્સ, અહીં તો તમારી
છે સાઈલેન્સ. બાળકો જાણે છે આત્મા તો સ્વયં શાંત સ્વરુપ છે. આ શરીર દ્વારા ફક્ત
પાર્ટ ભજવવાનો હોય છે. કર્મ વગર તો કોઈ રહી ન શકે. બાપ કહે છે પોતાને શરીર થી અલગ
આત્મા સમજી બાપ ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. ખૂબ સહજ છે, સૌથી વધારે જે
મારા ભક્ત અર્થાત્ શિવ નાં પુજારી છે, તેમને સમજાવો. ઊંચા માં ઊંચી પૂજા છે શિવ ની
કારણકે એ જ સર્વ નાં સદ્દગતિ દાતા છે.
હમણાં આપ બાળકો જાણો
છો બાપ આવ્યાં છે બધાને સાથે લઈ જશે. પોતાનાં સમય પર આપણે પણ ડ્રામા અનુસાર
કર્માતીત અવસ્થા મેળવીશું પછી વિનાશ થઈ જશે. પુરુષાર્થ ખૂબ કરવાનો છે કે આપણે
આત્માઓ સતોપ્રધાન બની જઈએ. બાપ ની શ્રીમત પર ચાલવાનું છે, શ્રીમત ભગવત્ ગીતા કહે
છે, કેટલી મોટી મહિમા છે. દેવતાઓની પણ મહિમા ગવાય છે - સર્વગુણ સમ્પન્ન, સંપૂર્ણ
નિર્વિકારી… બાપ જ આવીને સંપૂર્ણ પાવન બનાવે છે. જ્યારે સંપૂર્ણ પતિત દુનિયા બને છે
ત્યારે જ બાપ આવીને સંપૂર્ણ પાવન દુનિયા બનાવે છે. બધા કહે છે અમે ભગવાન નાં બાળકો
છીએ તો જરુર સ્વર્ગ નો વારસો હોવો જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા અમે હમણાં
ભાઈ-બહેન બન્યાં છીએ. કલ્પ પહેલાં પણ બાપ આવ્યાં હતાં, શિવ જયંતિ મનાવે છે. જરુર
પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બન્યાં હશે. બાપ સાથે પ્રતિજ્ઞા કરે છે - બાબા, અમે
પરસ્પર કમ્પેનિયન બનીને પવિત્ર રહીએ છીએ. તમારા ડાયરેક્શન (માર્ગદર્શન) પર ચાલીએ
છીએ. કોઈ મોટી વાત નથી. હમણાં આ અંતિમ જન્મ છે, આ મૃત્યુલોક ખતમ થવાનો છે. હવે તમે
સમજદાર બન્યાં છો. કોઈ પોતાને ભગવાન કહે, તો કહેશે ભગવાન તો સર્વ નાં સદ્દગતિ દાતા
છે. આ પછી પોતાને કેવી રીતે કહેવડાવી શકે છે? પરંતુ સમજે છે ડ્રામા નો ખેલ છે.
બાપ આપ બાળકો ને
સ્વદર્શન ચક્રધારી બનાવી રહ્યાં છે. બાપ કહે છે હવે સર્વિસ માં તત્પર રહો. ઘર-ઘર
માં પ્રદર્શન ખોલો. આનાં જેવું મહાન પુણ્ય કોઈ હોતું નથી. કોઈને બાપ નો રસ્તો બતાવવો,
આનાં જેવું દાન કોઈ નથી. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો પાપ નાશ થશે. બાપ ને બોલાવો
પણ એટલે છો હે પતિત-પાવન, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) આવો. તમારું પણ
નામ પાંડવ ગવાયેલું છે. બાપ પણ પંડા છે. સર્વ આત્માઓ ને લઈ જશે. તે છે શરીરધારી પંડા.
આ છે રુહાની. તે શારીરિક યાત્રા, આ રુહાની યાત્રા. સતયુગ માં શારીરિક યાત્રા
ભક્તિમાર્ગ ની હોતી નથી. ત્યાં તમે પૂજ્ય બનો છો, હમણાં બાપ તમને કેટલાં સમજદાર
બનાવે છે. તો બાપ ની મત પર ચાલવું જોઈએ ને? કોઈ પણ સંશય વગેરે હોય તો પૂછવું જોઈએ.
હવે બાપ કહે છે મીઠાં-મીઠાં બાળકો, દેહી-અભિમાની બનો. પોતાને આત્મા સમજીને બાપ ને
યાદ કરો. તમે મારા લાડલા બાળકો છો ને? અડધાકલ્પ નાં તમે આશિક છો. એક નાં જ અનેક નામ
રાખી દીધાં છે, કેટલાં નામ, કેટલાં મંદિર બનાવે છે. હું છું તો એક જ. મારું નામ છે
શિવ. હું ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં જ આવ્યો હતો. બાળકો ને એડોપ્ટ (દત્તક) કર્યા
હતાં. હમણાં પણ એડોપ્ટ કરી રહ્યાં છે. બ્રહ્મા નાં બાળકો હોવાનાં કારણે તમે
પોત્રા-પોત્રીઓ થઈ ગયાં. અહીં વારસો જ મળે છે આત્મા ને. આમાં ભાઈ-બહેન નો સવાલ નથી
ઉઠતો. આત્મા જ ભણે છે, વારસો લે છે. બધાને હક છે. આપ બાળકો આ જૂની દુનિયા માં જે
કાંઈ જુઓ છો - આ બધાનો વિનાશ થવાનો છે. મહાભારત લડાઈ પણ બરોબર છે. બેહદ નાં બાપ
બેહદ નો વારસો આપી રહ્યાં છે. બેહદ ની નોલેજ સંભળાવી રહ્યાં છે. તો ત્યાગ પણ બેહદ
નો જોઈએ. તમે જાણો છો કલ્પ પહેલાં પણ બાપે રાજયોગ શીખવાડ્યો હતો, રાજસ્વ અશ્વમેધ
યજ્ઞ રચ્યો હતો પછી રાજાઈ માટે સતયુગી નવી દુનિયા જરુર જોઈએ. જૂની દુનિયાનો વિનાશ
પણ થયો હતો. ૫ હજાર વર્ષ ની વાત છે ને? આ જ લડાઈ થઈ હતી, જેનાં થી ગેટ ખુલ્યાં હતાં.
બોર્ડ પર પણ લખી દો - સ્વર્ગ નાં દ્વાર કેવી રીતે ખુલી રહ્યાં છે - આવીને સમજો. તમે
નથી સમજાવી શકતા તો બીજાને બોલાવી શકો છો. પછી ધીરે-ધીરે વૃદ્ધિ થતી જશે. તમે કેટલાં
અનેક બ્રાહ્મણ બ્રાહ્મણીઓ છો પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો. વારસો મળે છે શિવબાબા
પાસે થી. એ જ બધા નાં બાપ છે. આ તો બુદ્ધિ માં સારી રીતે યાદ રાખવું જોઈએ - આપણે
બ્રાહ્મણ થી દેવતા બનીએ છીએ. આપણે જ દેવતા હતાં પછી ચક્ર લગાવ્યું. આપણે હમણાં
બ્રાહ્મણ બન્યાં છીએ પછી વિષ્ણુપુરી માં જઈશું. જ્ઞાન છે ખૂબ સહજ. પરંતુ કોટો માં
કોઈ નીકળે છે. પ્રદર્શન માં કેટલાં અનેક આવે છે, કોઈ મુશ્કેલ નીકળે છે, કોઈ તો ફક્ત
મહિમા કરે છે ખૂબ સારું છે, અમે આવીશું. કોઈ વિરલા ૭ દિવસ નો કોર્સ કરે છે, ૭ દિવસ
ની પણ વાત હવે શું છે? ગીતા નો પાઠ પણ ૭ દિવસ રાખે છે. સાત દિવસ તમારે પણ ભઠ્ઠી માં
રેહવાનું છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાથી બધો કિચરો નીકળી જશે. અડધાકલ્પ
ની ગંદી બિમારી દેહ-અભિમાન ની છે, તે કાઢવાની છે. દેહી-અભિમાની બનવાનું છે. ૭ દિવસ
નો કોર્સ કોઈ લાંબો થોડી છે? કોઈને સેકન્ડ માં પણ તીર લાગી શકે છે. મોડે થી આવવા
વાળા આગળ જઈ શકે છે. કહેશે અમે રેસ કરી બાપ પાસે થી વારસો લઈ જ લઈશું. કોઈ તો જૂનાં
કરતાં પણ આગળ ચાલ્યાં જાય છે કારણ કે સારા-સારા પોઈન્ટ્સ (વાત), તૈયાર માલ મળે છે.
પ્રદર્શન વગેરે સમજાવવા માં કેટલુ સહજ થાય છે! પોતે નથી સમજાવી શકતા તો બહેન ને
બોલાવે. રોજ આવીને કથા કરીને જાઓ. ૫ હજાર વર્ષ પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય
હતું, જે ૧૨૫૦ વર્ષ ચાલ્યું. કેટલી નાની કહાણી છે. હમ સો (આપણે જ) દેવતા હતાં પછી
આપણે જ ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બન્યાં. આપણે આત્મા બ્રાહ્મણ બન્યાં, હમ સો નો અર્થ
કેટલો યુક્તિયુક્ત સમજાવે છે. વિરાટ રુપ પણ છે, પરંતુ તેમાં બ્રાહ્મણો ને અને
શિવબાબા ને ઉડાવી દીધાં છે. અર્થ કાંઈ પણ નથી સમજતાં. હમણાં આપ બાળકોએ મહેનત કરવાની
છે, યાદ ની. બીજા કોઈ સંશય માં ન આવવું જોઈએ. વિકર્માજીત બની ઊંચું પદ મેળવવું છે
તો આ ચિંતન ખતમ કરવાનું છે કે આ કેમ થાય છે? આ આમ કેમ કરે છે? આ બધી વાતો ને છોડી
એક જ ચિંતન રહે કે અમારે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. જેટલાં બાપ ને યાદ કરશો
એટલાં વિકર્માજીત બની ઊંચું પદ મેળવશો. બાકી ફાલતું વાતો સાંભળી પોતાનું માથું ખરાબ
નથી કરવાનું. બધી વાતો થી એક વાત મુખ્ય છે - એને ન ભૂલો. કોઈની સાથે ટાઈમ વેસ્ટ ન
કરો. તમારો સમય ખૂબ વેલ્યુબલ છે. તોફાનો થી ડરવાનું નથી. ખૂબ તકલીફ આવશે, નુકસાન થશે.
પરંતુ બાપ ની યાદ ક્યારેય નથી ભૂલવાની. યાદ થી જ પાવન બનવાનું છે, પુરુષાર્થ કરી
ઊંચું પદ મેળવવાનું છે. આ બાબા વૃદ્ધ આટલું ઊંચું પદ મેળવે છે, અમે કેમ નહીં બનીશું?
આ પણ ભણતર છે ને? તમારે આમાં કાંઈ પણ પુસ્તક વગેરે ઉઠાવવાની જરુર નથી. બુદ્ધિ માં
આખી કહાણી છે. કેટલી નાની કહાણી છે. સેકન્ડ ની વાત છે, જીવનમુક્તિ સેકન્ડ માં મળે
છે. મૂળ વાત છે બાપ ને યાદ કરો. બાપ જે તમને વિશ્વ નાં માલિક બનાવે છે એમને તમે ભૂલી
જાઓ છો! કહે છે બધા થોડી રાજા બનશે? અરે તમે બધા નું ચિંતન કેમ કરો છો? સ્કૂલ માં આ
ઓના (ચિંતા) રાખે છે શું કે બધા થોડી સ્કોલરશિપ મેળવશે? ભણવા લાગી જશે ને? દરેક નાં
પુરુષાર્થ થી સમજાય છે કે આ શું પદ મેળવવા વાળા છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ સમય ખૂબ
વેલ્યુબલ છે, આને ફાલતુ વાતો માં ગુમાવવા નો નથી. કેટલાં પણ તોફાન આવે, નુકસાન થાય
પરંતુ બાપ ની યાદ માં રહેવાનું છે.
2. તમોપ્રધાન થી
સતોપ્રધાન બનવાનું જ ચિંતન કરવાનું છે, બીજું કોઈ ચિંતન ન ચાલે. હમ સો, સો હમ ની
નાની એવી કહાણી ખૂબ યુક્તિ થી સમજવાની અને સમજાવવાની છે.
વરદાન :-
મગન અવસ્થા
નાં અનુભવ દ્વારા માયા ને પોતાનાં ભક્ત બનાવવા વાળા માયાજીત ભવ
મગન અવસ્થા નો અનુભવ
કરવા માટે પોતાનાં અનેક ટાઈટલ અથવા સ્વરુપ, અનેક ગુણો નો શૃંગાર, અનેક પ્રકાર ની
ખુશી ની, રુહાની નશા ની, રચયિતા અને રચના નાં વિસ્તાર નાં પોઈન્ટ્સ, પ્રાપ્તિઓ નાં
પોઈન્ટ્સ સ્મૃતિ માં રાખો જે પોતાની પસંદ નાં હોય એનાં પર મનન કરો તો મગન અવસ્થા
સહજ અનુભવ થશે. પછી ક્યારેય પરવશ નહીં થશો, માયા સદા માટે નમસ્કાર કરશે. સંગમયુગ નો
પહેલો ભક્ત માયા બની જશે. જ્યારે તમે માયાજીત માસ્ટર ભગવાન બનશો ત્યારે માયા ભક્ત
બનશે.
સ્લોગન :-
તમારા ઉચ્ચારણ
અને આચરણ બ્રહ્મા બાપ સમાન હોય ત્યારે કહેવાશો સાચાં બ્રાહ્મણ.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો , અંતર્મુખી બનો
યાદ માં નિરંતર
રહેવાનું સહજ સાધન છે - પ્રવૃત્તિમાં રહેતાં પર-વૃત્તિ માં રહેવું. પર-વૃત્તિ
અર્થાત્ આત્મિક રુપ. એવી રીતે આત્મિક રુપ માં રહેવા વાળા સદા ન્યારા અને બાપ નાં
પ્યારા હશે. કાંઈ પણ કરશે પરંતુ એવો અનુભવ થશે જાણે કામ નથી કર્યુ પરંતુ ખેલ કર્યો
છે. આ રુહાની નયન, આ રુહાની મૂર્ત એવું દિવ્ય દર્પણ બની જશે જે દર્પણ માં દરેક આત્મા
મહેનત વગર આત્મિક સ્વરુપ જ જોશે.