05-01-2026
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
ની શ્રીમત થી તમે મનુષ્ય થી દેવતા બનો છો , ગીતા નું જ્ઞાન અને રાજયોગ તમને સંપૂર્ણ
પાવન બનાવી દે છે”
પ્રશ્ન :-
સતયુગ માં દરેક વસ્તુ સારા માં સારી સતોપ્રધાન હોય છે - કેમ?
ઉત્તર :-
કારણકે ત્યાં મનુષ્ય સતોપ્રધાન છે, જ્યારે મનુષ્ય સારા છે તો સામગ્રી પણ સારી છે અને
મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ નુકસાનકારક છે. સતોપ્રધાન સૃષ્ટિ માં કોઈ પણ વસ્તુ
અપ્રાપ્ત નથી, કાંઈ પણ ક્યાંય થી મંગાવવું નથી પડતું.
ઓમ શાંતિ!
બાબા આ શરીર
દ્વારા સમજાવે છે. આને જીવ કહેવાય, આમનામાં આત્મા પણ છે અને આપ બાળકો જાણો છો
પરમપિતા પરમાત્મા પણ આમનામાં છે. આ તો પહેલાં-પહેલાં પાક્કું હોવું જોઈએ એટલે આમને
દાદા પણ કહે છે. આ તો બાળકો ને નિશ્ચય છે. આ નિશ્ચય માં જ રમણ કરવાનું છે. બરોબર
બાબાએ જેમનામાં પધરામણી કરી છે અથવા અવતાર લીધો છે તેમનાં માટે બાપ સ્વયં કહે છે
હું આમનાં અનેક જન્મો નાં અંત નાં પણ અંત માં આવું છું. બાળકો ને સમજાવાયું છે કે આ
છે સર્વ શાસ્ત્ર શિરોમણી ગીતા નું જ્ઞાન. શ્રીમત અર્થાત્ શ્રેષ્ઠ મત. શ્રેષ્ઠ થી
શ્રેષ્ઠ મત છે ઊંચા માં ઊંચા ભગવાન ની. જેમની શ્રીમત થી તમે મનુષ્ય થી દેવતા બનો
છો. તમે ભ્રષ્ટ મનુષ્ય થી શ્રેષ્ઠ દેવતા બનો છો. તમે આવો જ છો એટલાં માટે. બાપ પણ
સ્વયં કહે છે હું આવું છું તમને શ્રેષ્ઠાચારી, નિર્વિકારી મતવાળા દેવી-દેવતા બનાવવાં.
મનુષ્ય થી દેવતા બનવાનો અર્થ પણ સમજવાનો છે. વિકારી મનુષ્ય થી નિર્વિકારી દેવતા
બનાવવા આવે છે. સતયુગ માં મનુષ્ય હોય છે પરંતુ દૈવી ગુણોવાળા. હમણાં કળિયુગ માં છે
આસુરી ગુણોવાળા. છે આખી મનુષ્ય સૃષ્ટિ, પરંતુ તે છે ઈશ્વરીય બુદ્ધિ, આ છે આસુરી
બુદ્ધિ. ત્યાં જ્ઞાન, અહીં ભક્તિ. જ્ઞાન અને ભક્તિ અલગ-અલગ છે ને? ભક્તિ નાં પુસ્તક
કેટલાં અને જ્ઞાન નાં પુસ્તક કેટલાં છે. જ્ઞાન નાં સાગર બાપ છે. તેમનું પુસ્તક પણ
તો એક જ હોવું જોઈએ. જે પણ ધર્મ સ્થાપન કરે છે, તેમનું પુસ્તક એક હોવું જોઈએ. તેને
ધાર્મિક પુસ્તક કહેવાય છે. પહેલું ધાર્મિક પુસ્તક છે ગીતા. શ્રીમદ્ ભાગવત્ ગીતા. આ
પણ બાળકો જાણે છે - પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, નહીં કે હિંદુ ધર્મ.
મનુષ્ય સમજે છે ગીતા થી હિંદુ ધર્મ સ્થાપન થયો અને ગીતા ગાઈ છે શ્રીકૃષ્ણએ. કોઈ ને
પૂછો તો કહેશે પરંપરા થી આ શ્રીકૃષ્ણએ ગાઈ છે. કોઈ શાસ્ત્ર માં શિવ ભગવાનુવાચ નથી.
શ્રીમદ્ શ્રીકૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે, જેમણે ગીતા વાંચી હશે તેમને સહજ સમજ માં
આવશે. હમણાં તમે સમજો છો આ જ ગીતા જ્ઞાન થી મનુષ્ય થી દેવતા બન્યાં છો, જે હમણાં
બાપ તમને આપી રહ્યાંં છે. રાજયોગ શીખવાડી રહ્યાંં છે. પવિત્રતા પણ શીખવાડી રહ્યાંં
છે. કામ મહાશત્રુ છે, આનાં દ્વારા જ તમે હાર ખાધી છે. હવે ફરી તેનાં પર જીત મેળવવા
થી તમે જગતજીત અર્થાત્ વિશ્વ નાં માલિક બની જાઓ છો. આ તો ખૂબ સહજ છે. બેહદ નાં બાપ
આમનાં દ્વારા તમને ભણાવે છે. એ છે સર્વ આત્માઓ નાં બાપ. આ પછી છે બેહદ નાં બાપ
મનુષ્યો નાં. નામ જ છે પ્રજાપિતા બ્રહ્મા. તમે કોઈને પણ પૂછશો બ્રહ્મા નાં બાપ નું
નામ બતાવો તો મુંઝાઈ જશે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે રચના. આ ત્રણેય નાં કોઈ તો બાપ હશે
ને? તમે દેખાડો છો આ ત્રણેય નાં બાપ છે નિરાકાર શિવ. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને
સૂક્ષ્મવતન નાં દેવતાઓ દેખાડે છે. તેમનાં ઉપર છે શિવ. બાળકો જાણે છે - શિવબાબા નાં
બાળકો જે પણ આત્માઓ છે તેમને પોતાનું શરીર તો હશે. એ તો સદૈવ નિરાકાર પરમપિતા
પરમાત્મા છે. બાળકો ને ખબર પડી છે નિરાકાર પરમપિતા પરમાત્મા નાં આપણે બાળકો છીએ.
આત્મા શરીર દ્વારા બોલે છે - પરમપિતા પરમાત્મા. કેટલી સહજ વાત છે. આને કહેવાય છે
અલ્ફ, બે. ભણાવે કોણ છે? ગીતા નું જ્ઞાન કોણે સંભળાવ્યું? નિરાકાર બાપે. એમનાં પર
કોઈ તાજ વગેરે નથી. એ જ્ઞાન નાં સાગર, બીજરુપ, ચૈતન્ય છે. તમે પણ ચૈતન્ય આત્માઓ છો
ને? બધા ઝાડો નાં આદિ-મધ્ય-અંત ને તમે જાણો છો. ભલે માળી નથી પરંતુ સમજી શકો છો કેવી
રીતે બીજ નાખે છે, એનાથી ઝાડ નીકળે છે. તે તો છે જડ ઝાડ, આ છે ચૈતન્ય. તમારા આત્મા
માં જ્ઞાન છે, બીજા કોઈનાં આત્મા માં જ્ઞાન હોતું નથી. બાપ ચૈતન્ય મનુષ્ય સૃષ્ટિ
નાં બીજરુપ છે. તો ઝાડ પણ મનુષ્યો નું હશે. આ છે ચૈતન્ય રચના. બીજ અને રચના માં ફરક
તો છે ને? કેરી નું બીજ નાખવાથી કેરી નીકળે છે, પછી ઝાડ કેટલું મોટું થાય છે. તેમ
મનુષ્ય નાં બીજ થી મનુષ્ય કેટલાં ફળદ્રુપ (મનુષ્યો નો કેટલો વિસ્તાર) થાય છે. જડ
બીજ માં કોઈ જ્ઞાન નથી. આ તો ચૈતન્ય બીજરુપ છે. આમનામાં આખી સૃષ્ટિ રુપી ઝાડ નું
જ્ઞાન છે કે કેવી રીતે ઉત્પત્તિ, પાલના પછી વિનાશ થાય છે? આ ખૂબ મોટું ઝાડ ખલાસ થઈ
પછી બીજું નવું ઝાડ કેવી રીતે ઉભું થાય છે! આ છે ગુપ્ત. તમને જ્ઞાન પણ ગુપ્ત મળે
છે. બાપ પણ ગુપ્ત આવ્યાં છે. તમે જાણો છો આ કલમ લાગી રહી છે. હમણાં તો બધા પતિત બની
ગયા છે. સારું, બીજ થી પહેલાં-પહેલાં નંબર માં જે પાન નીકળ્યું તે કોણ હતું? સતયુગ
નું પહેલું પાન તો શ્રીકૃષ્ણ ને જ કહેવાશે, લક્ષ્મી-નારાયણ ને નહીં. નવું પાન નાનું
હોય છે. પછી મોટું થાય છે. તો આ બીજ ની કેટલી મહિમા છે. આ તો ચૈતન્ય છે ને? પછી પાન
પણ નીકળે છે. તેમની મહિમા તો થાય છે. હમણાં તમે દેવી-દેવતા બની રહ્યાંં છો. દૈવીગુણ
ધારણ કરી રહ્યાંં છો. મૂળ વાત જ આ છે કે આપણે દૈવીગુણ ધારણ કરવાના છે, આમનાં જેવાં
બનવાનું છે. ચિત્ર પણ છે. આ ચિત્ર ન હોત તો બુદ્ધિ માં જ્ઞાન જ ન આવત. આ ચિત્ર ખૂબ
કામ માં આવે છે. ભક્તિમાર્ગ માં આ ચિત્રો ની પણ પૂજા થાય છે અને જ્ઞાનમાર્ગ માં આ
ચિત્રો થી તમને જ્ઞાન મળે છે કે આવું બનવાનું છે. ભક્તિમાર્ગ માં એવું નથી સમજતા કે
અમારે આવું બનવાનું છે. ભક્તિમાર્ગ માં મંદિર કેટલાં બને છે. સૌથી વધારે મંદિર કોનાં
હશે? જરુર શિવબાબા નાં હશે જે બીજરુપ છે. પછી એમનાં પછી પહેલી રચના નાં મંદિર હશે.
પહેલી રચના આ લક્ષ્મી-નારાયણ છે. શિવ પછી આમની પૂજા સૌથી વધારે થાય છે. માતાઓ તો
જ્ઞાન આપે છે, તેમની પૂજા નથી થતી. તે તો ભણાવે છે ને? બાપ તમને ભણાવે છે. તમે કોઈની
પૂજા નથી કરતાં. ભણાવવા વાળા ની હમણાં પૂજા ન કરી શકાય. તમે જ્યારે ભણીને પછી અભણ
બનશો ત્યાર પછી પૂજા થશે. તમે જ દેવી-દેવતા બનો છો. તમે જાણો છો જે આપણને આવાં બનાવે
છે એમની પૂજા થશે પછી આપણી પૂજા થશે નંબરવાર. પછી ઉતરતાં-ઉતરતાં પાંચ તત્વો ની પણ
પૂજા કરવા લાગી જાય છે. શરીર ૫ તત્વો નું છે ને? ૫ તત્વો ની પૂજા કરો કે શરીર ની કરો,
એક થઈ જાય. આ તો જ્ઞાન બુદ્ધિ માં છે. આ લક્ષ્મી-નારાયણ આખાં વિશ્વ નાં માલિક હતાંં.
આ દેવી-દેવતાઓ નું રાજ્ય નવી સૃષ્ટિ પર હતું. પરંતુ તે ક્યારે હતું? આ નથી જાણતા,
લાખો વર્ષ કહી દે છે. હવે લાખો વર્ષ ની વાત તો ક્યારેય કોઈની બુદ્ધિ માં રહી ન શકે.
હમણાં તમને સ્મૃતિ છે આપણે આજ થી ૫૦૦૦ વર્ષ પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં
હતાંં. દેવી-દેવતા ધર્મ વાળા પછી બીજા બધા ધર્મો માં કન્વર્ટ (પરિવર્તન) થયા છે.
હિંદુ ધર્મ કહી ન શકાય. પરંતુ પતિત હોવાનાં કારણે પોતાને દેવી-દેવતા કહેવાનું શોભતું
જ નથી. અપવિત્ર ને દેવી-દેવતા કહી ન શકાય. મનુષ્ય પવિત્ર દેવીઓની પૂજા કરે છે તો
જરુર પોતે અપવિત્ર છે એટલે પવિત્રતા ની આગળ માથું નમાવવું પડે છે. ભારત માં ખાસ
કન્યાઓ ને નમન કરે છે. કુમારો ને નમન નથી કરતાં. સ્ત્રીઓ ને નમન કરે છે. પુરુષો ને
નમન કેમ નથી કરતાં? કારણકે આ સમયે જ્ઞાન પણ પહેલાં માતાઓ ને મળે છે. બાપ આમનામાં
પ્રવેશ કરે છે. આ પણ સમજો છો બરોબર આ જ્ઞાન ની મોટી નદી છે. જ્ઞાન નદી પણ છે પછી
પુરુષ પણ છે. આ છે સૌથી મોટી નદી. બ્રહ્મપુત્રા નદી છે સૌથી મોટી, જે કલકત્તા તરફ
સાગર માં જઈને મળે છે. મેળો પણ ત્યાં લાગે છે. પરંતુ તેમને આ ખબર નથી કે આ આત્માઓ
અને પરમાત્મા નો મેળો છે. એ તો પાણી ની નદી છે, જેનાં પર નામ બ્રહ્મપુત્રા રાખ્યું
છે. તેમણે તો બ્રહ્મ ઈશ્વર ને કહેલું છે એટલે બ્રહ્મપુત્રા ને ખૂબ પાવન સમજે છે.
મોટી નદી છે તો પવિત્ર પણ તે હશે. પતિત-પાવન હકીકત માં ગંગા ને નહીં, બ્રહ્મપુત્રા
ને કહેવાય. મેળો પણ આનો લાગે છે. આ પણ સાગર અને બ્રહ્મા નદી નો મેળો છે. બ્રહ્મા
દ્વારા એડોપ્શન કેવી રીતે થાય છે - આ ગુહ્ય વાતો સમજવાની છે, જે પ્રાયઃલોપ થઈ જાય
છે. આ તો બિલકુલ સહજ વાત છે ને?
ભગવાનુવાચ, હું તમને
રાજયોગ શીખવાડું છું, પછી આ દુનિયા જ ખલાસ થઈ જશે. શાસ્ત્ર વગેરે કાંઈ પણ રહેશે નહીં.
પછી ભક્તિમાર્ગ માં આ શાસ્ત્ર હોય છે. જ્ઞાનમાર્ગ માં શાસ્ત્ર હોતાં નથી. મનુષ્ય
સમજે છે આ શાસ્ત્ર પરંપરા થી ચાલ્યાં આવે છે. જ્ઞાન તો કાંઈ નથી. કલ્પ ની આયુ જ લાખો
વર્ષ કહી દીધી છે એટલે પરંપરા કહી દે છે. આને કહેવાય છે અજ્ઞાન અંધકાર. હમણાં આપ
બાળકો ને આ બેહદ નું ભણતર મળે છે, જેનાથી તમે આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવી શકો
છો. તમને આ દેવી-દેવતાઓ ની હિસ્ટ્રી-જોગ્રોફી ની પૂરી ખબર છે. આ પવિત્ર પ્રવૃત્તિ
માર્ગ વાળા પૂજ્ય હતાંં. હમણાં પુજારી પતિત બન્યાં છે. સતયુગ માં છે પવિત્ર
પ્રવૃત્તિ માર્ગ, અહીંયા કળિયુગ માં અપવિત્ર પ્રવૃત્તિ માર્ગ છે. પછી અંત માં
નિવૃત્તિ માર્ગ હોય છે. તે પણ ડ્રામા માં છે. તેને સંન્યાસ ધર્મ કહેવાય છે. ઘરબાર
નો સંન્યાસ કરી જંગલ માં ચાલ્યાં જાય છે. તે છે હદ નો સંન્યાસ. રહે તો આ જૂની દુનિયા
માં જ છે ને? હમણાં તમે સમજો છો આપણે સંગમયુગ પર છીએ પછી નવી દુનિયા માં જઈશું. તમને
તિથિ, તારીખ, સેકન્ડ સહિત બધી ખબર છે. તે લોકો તો કલ્પ ની આયુ જ લાખો વર્ષ કહી દે
છે, આનો પૂરો હિસાબ કાઢી શકાય છે. લાખો વર્ષ ની તો વાત કોઈ યાદ પણ કરી ન શકે. હવે
તમે સમજો છો બાપ શું છે? કેવી રીતે આવે છે? શું કર્તવ્ય કરે છે? તમે બધાનાં કર્તવ્ય
ને, જન્મપત્રી ને જાણો છો. બાકી ઝાડ નાં પાન અસંખ્ય હોય છે. તે ગણતરી થોડી કરી શકાય
છે? આ બેહદ સૃષ્ટિ રુપી ઝાડ નાં કેટલાં પાન છે? ૫૦૦૦ વર્ષ માં આટલાં કરોડ છે. તો
લાખો વર્ષ માં કેટલાં અગણિત મનુષ્ય થઈ જાય. ભક્તિમાર્ગ માં દેખાડે છે - લખેલું છે
સતયુગ આટલાં વર્ષ નો છે, ત્રેતા આટલાં વર્ષ નો છે, દ્વાપર આટલાં વર્ષ નો છે. તો બાપ
આપ બાળકો ને આ બધા રહસ્ય સમજાવે છે. કેરી નું બીજ જોવાથી કેરીનું ઝાડ સામે આવશે ને?
હમણાં મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ તમારી સામે છે. તમને ઝાડ નું રહસ્ય સમજાવે છે કારણકે
ચૈતન્ય છે. બતાવે છે આપણું આ ઉલ્ટું ઝાડ છે. તમે સમજાવી શકો છો જે પણ આ દુનિયા માં
છે, જડ કે ચૈતન્ય, હૂબહૂ રિપીટ કરશે. હજી કેટલી વૃદ્ધિ થતી રહે છે. સતયુગ માં આટલાં
હોય ન શકે. કહે છે ફલાણી વસ્તુ ઓસ્ટ્રેલિયા થી, જાપાન થી આવી. સતયુગ માં ઓસ્ટ્રેલિયા,
જાપાન વગેરે થોડી હતાંં? ડ્રામા અનુસાર ત્યાંની વસ્તુ અહીં આવે છે. પહેલાં અમેરિકા
થી ઘઉં વગેરે આવતા હતાંં. સતયુગ માં ક્યાંય થી થોડી આવશે? ત્યાં તો છે જ એક ધર્મ,
બધી વસ્તુ ભરપૂર હોય છે. અહીંયા ધર્મ ની વૃદ્ધિ થતી રહે છે, તો તેની સાથે બધી વસ્તુ
ઓછી થતી જાય છે. સતયુગ માં ક્યાંય થી મંગાવતા નથી. હમણાં તો જુઓ ક્યાં-ક્યાંથી
મંગાવે છે! મનુષ્ય ની પાછળ થી વૃદ્ધિ થતી જાય છે, સતયુગ માં તો અપ્રાપ્ત કોઈ વસ્તુ
હોતી નથી. ત્યાંની દરેક વસ્તુ સતોપ્રધાન ખૂબ સારી હોય છે. મનુષ્ય જ સતોપ્રધાન છે.
મનુષ્ય સારા છે તો સામગ્રી પણ સારી છે. મનુષ્ય ખરાબ છે તો સામગ્રી પણ નુકસાનકારક
છે.
સાયન્સ (વિજ્ઞાન) ની
મુખ્ય વસ્તુ છે એટોમિક બોમ્બ્સ, જેનાથી આટલો આખો વિનાશ થાય છે. કેવી રીતે બનાવતા હશે?
બનાવવા વાળા આત્મા માં પહેલાં થી જ ડ્રામા અનુસાર જ્ઞાન હશે. જ્યારે સમય આવે છે
ત્યારે તેમનાં માં તે જ્ઞાન આવે છે. જેમનાં માં સેન્સ (પાર્ટ ભરાયેલો) હશે એ જ કામ
કરશે અને બીજાને શીખવાડશે. કલ્પ-કલ્પ જે પાર્ટ ભજવ્યો છે એ જ ભજવતા રહે છે. હમણાં
તમે કેટલાં નોલેજફુલ બનો છો, આનાથી વધારે નોલેજ હોતી નથી. તમે આ નોલેજ થી દેવતા બની
જાઓ છો. આનાથી ઊંચ કોઈ નોલેજ નથી. તે છે માયા ની નોલેજ, જેનાથી વિનાશ થાય છે. તે
લોકો (વૈજ્ઞાનિક) ચંદ્ર પર જાય છે, શોધે છે. તમારા માટે કોઈ નવી વાત નથી. આ બધા માયા
નાં પામ્પ (ભપકા) છે. ખૂબ શો (દેખાવ) કરે છે, અતિ ઊંડાણ માં જાય છે. ખૂબ બુદ્ધિ ને
લડાવે (ચલાવે) છે. કાંઈ કમાલ કરીને દેખાડીએ. ખૂબ કમાલ કરવાથી પછી નુકસાન થઈ જાય છે.
શું-શું બનાવતા રહે છે! બનાવવા વાળા જાણે છે આનાથી આ વિનાશ થશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ગુપ્ત
જ્ઞાન નું સ્મરણ કરી હર્ષિત રહેવાનું છે. દેવતાઓ નાં ચિત્રો ને સામે જોતા, તેમને
નમન વંદન કરવાની બદલે તેમનાં જેવાં બનવા માટે દૈવીગુણ ધારણ કરવાના છે.
2. સૃષ્ટિ નાં બીજરુપ
બાપ અને તેમની ચૈતન્ય રચના ને સમજી નોલેજફુલ બનવાનું છે, આ નોલેજ થી વધીને બીજી કોઈ
નોલેજ હોય ન શકે, આ જ નશા માં રહેવાનું છે.
વરદાન :-
“ એક બાપ બીજા
ન કોઈ” આ પાઠ ની સ્મૃતિ થી એકરસ સ્થિતિ બનાવવા વાળા શ્રેષ્ઠ આત્મા ભવ
“એક બાપ બીજું ન કોઈ”
આ પાઠ નિરંતર યાદ રહે તો સ્થિતિ એકરસ બની જશે કારણકે નોલેજ તો બધી મળી ગઈ છે, અનેક
પોઈન્ટ્સ છે, પરંતુ પોઈન્ટ્સ હોવા છતાં પોઈન્ટ રુપ માં રહે - આ છે એ સમય ની કમાલ જે
સમયે કોઈ નીચે ખેંચી રહ્યું હોય. ક્યારેક વાત નીચે ખેંચશે, ક્યારેક કોઈ વ્યક્તિ,
ક્યારેક કોઈ વસ્તુ, ક્યારેક વાયુમંડળ… આ તો થશે જ. પરંતુ સેકન્ડ માં આ બધો વિસ્તાર
સમાપ્ત કરો એકરસ સ્થિતિ રહે - ત્યારે કહેવાશે શ્રેષ્ઠ આત્મા ભવ નાં વરદાની.
સ્લોગન :-
નોલેજ ની શક્તિ
ધારણ કરી લો તો વિઘ્ન વાર કરવાના બદલે હાર ખાઈ લેશે.
અવ્યક્ત ઈશારા - હવે
અવ્યક્તિ મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો
હવે તમે બધા એવાં
મુક્ત બની માસ્ટર મુક્તિદાતા બનો જે સર્વ આત્માઓ, પ્રકૃતિ, ભગત મુક્ત થઈ જાય. હવે
બ્રહ્મા બાપ આ જ એક વાત માં ડેટ (તારીખ) કોન્શિયસ છે, કે મારું એક-એક બાળક ક્યારે
જીવનમુક્ત બનશે? એવું નહીં સમજતા કે અંત માં જીવનમુક્ત બનીશું, ના. બહુજકાળ થી
જીવનમુક્ત સ્થિતિ નો અભ્યાસ, બહુજકાળ જીવનમુક્ત રાજ્ય ભાગ્ય નાં અધિકારી બનાવશે.