05-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સદા
આ જ નશા માં રહો કે આપણે સંગમયુગી બ્રાહ્મણ છીએ , આપણે જાણીએ છીએ જે બાબા ને બધા
પોકારી રહ્યાં છે , એ આપણા સન્મુખ છે”
પ્રશ્ન :-
જે બાળકો નો બુદ્ધિયોગ ઠીક હશે, એમને કયો સાક્ષાત્કાર થતો રહેશે?
ઉત્તર :-
સતયુગી નવી રાજધાની માં શું-શું હશે, કેવી રીતે આપણે સ્કૂલમાં ભણશું પછી રાજ્ય
ચલાવીશું. આ બધો સાક્ષાત્કાર જેમ-જેમ નજીક આવતા જશો, થતો રહેશે. પરંતુ જેમનો
બુદ્ધિયોગ ઠીક છે, જે પોતાનાં શાંતિધામ અને સુખધામ ને યાદ કરે છે, ધંધો-ઘોરી કરતાં
પણ એક બાપ ની યાદ માં રહે છે, એમને જ આ બધા સાક્ષાત્કાર થશે.
ગીત :-
ઓમ્ નમો શિવાય…
ઓમ શાંતિ!
ભક્તિ માર્ગમાં
બીજા જે પણ સત્સંગ હોય છે, એમાં તો બધા ગયા હશે. ત્યાં કાં તો કહેશે બોલો બધા વાહ
ગુરુ કે રામ નું નામ બતાવશે. અહીં બાળકોને કંઈ કહેવાની પણ જરુર નથી રહેતી. એક જ વખત
કહી દીધું છે, ઘડી-ઘડી કહેવાની દરકાર નથી. બાપ પણ એક છે, એમનું કહેવાનું પણ એક જ
છે. શું કહે છે? બાળકો મામેકમ્ યાદ કરો. પહેલાં શીખીને પછી આવીને અહીં બેસે છે. આપણે
જે બાપ નાં બાળક છીએ તેમને યાદ કરવાનાં છે. આ પણ તમે હમણાં બ્રહ્મા દ્વારા જાણ્યું
છે કે આપણે બધા આત્માઓનાં બાપ એ એક છે. દુનિયા આ નથી જાણતી. તમે જાણો છો આપણે બધા એ
એક બાપ નાં બાળકો છીએ, એમને બધા ગોડ ફાધર (પરમપિતા) કહે છે. હવે ફાધર કહે છે હું આ
સાધારણ તન માં તમને ભણાવવા આવું છું. તમે જાણો છો બાબા આમનામાં આવ્યાં છે, આપણે એમનાં
બન્યા છીએ. બાબા જ આવીને પતિત થી પાવન થવાનો રસ્તો બતાવે છે. આ આખો દિવસ બુદ્ધિ માં
રહે છે. આમ તો શિવબાબા નાં સંતાન તો બધા છે પરંતુ તમે જાણો છો બીજું કોઈ નથી જાણતું.
આપ બાળકો સમજો છો આપણે આત્મા છીએ, આપણને બાપે ફરમાન કર્યું છે કે મને યાદ કરો. હું
તમારો બેહદ નો બાપ છું. બધા બૂમો પાડતા રહે છે કે પતિત-પાવન આવો, અમે પતિત બન્યા
છીએ. આ દેહ નથી કહેતો. આત્મા આ શરીર દ્વારા કહે છે. ૮૪ જન્મ પણ આત્મા લે છે ને? આ
બુદ્ધિમાં રહેવું જોઈએ કે આપણે એક્ટર્સ છીએ. બાબાએ આપણને હવે ત્રિકાળદર્શી બનાવ્યાં
છે. આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપ્યું છે. બાપ ને જ બધા બોલાવે છે ને? હમણાં પણ તેઓ
કહેશે, કહેતાં રહે છે કે આવો અને તમે સંગમયુગી બ્રાહ્મણ કહો છો બાબા આવેલાં છે. આ
સંગમયુગ ને પણ તમે જાણો છો, આ પુરુષોત્તમ યુગ ગવાય છે. પુરુષોત્તમ યુગ હોય જ છે
કળયુગ નાં અંત અને સતયુગ નાં આદિ નાં વચ્ચે. સતયુગ માં સત્ પુરુષ, કળયુગ માં જુઠ્ઠા
પુરુષ રહે છે. સતયુગ માં જે થઈને ગયા છે, એમનાં ચિત્ર છે. સૌથી જૂના માં જૂનાં આ
ચિત્ર છે, આનાથી જૂનાં ચિત્ર કોઈ હોતાં નથી. આમ તો બહુજ મનુષ્ય ફાલતુ ચિત્ર બેસીને
બનાવે છે. આ તમે જાણો છો કોણ-કોણ થઈને ગયા છે. જેમાં નીચે અંબા નું ચિત્ર બનાવ્યું
છે અથવા કાળી નું ચિત્ર છે, તો એવી ભૂજાઓ વાળી થોડી હોઈ શકે છે. અંબા ને પણ બે
ભુજાઓ હશે ને? મનુષ્ય તો જઈને હાથ જોડી પૂજા કરે છે. ભક્તિમાર્ગ માં અનેક પ્રકારનાં
ચિત્રો બનાવેલાં છે. મનુષ્ય નાં ઉપર જ ભિન્ન-ભિન્ન પ્રકાર ની સજાવટ કરે છે તો રુપ
બદલાઈ જાય છે. આ ચિત્ર વગેરે હકીકત માં કોઈ છે નહીં. આ બધું છે ભક્તિમાર્ગ. અહીં તો
મનુષ્ય લુલા-લંગડા નીકળી પડે છે. સતયુગ માં એવાં નથી હોતાં. સતયુગ ને પણ તમે જાણો
છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. અહીં તો ડ્રેસ જુઓ દરેકની પોત-પોતાની કેટલી
વેરાઈટી (વિવિધતા) છે. ત્યાં તો યથા રાજા રાણી તથા પ્રજા હોય છે. જેટલા નજીક થતાં
જશો તો તમને પોતાની રાજધાની નાં ડ્રેસ વગેરે નો પણ સાક્ષાત્કાર થતો રહેશે. જોતાં
રહેશો અમે આમ સ્કૂલ માં ભણીએ છીએ, આ કરીએ છીએ. જોશે પણ તે જેમનો બુદ્ધિયોગ સારો છે.
પોતાનાં શાંતિધામ-સુખધામ ને યાદ કરે છે. ધંધોદોરી તો કરવાનાં જ છે. ભક્તિમાર્ગ માં
પણ ધંધો વગેરે તો કરે છે ને? જ્ઞાન કાંઈ પણ નહોતું. આ બધી છે ભક્તિ. એને કહેશું
ભક્તિ નું જ્ઞાન. તેઓ આ જ્ઞાન આપી ન શકે કે તમે વિશ્વ નાં માલિક કેવી રીતે બનશો?
હમણાં તમે અહીં ભણીને ભવિષ્ય વિશ્વનાં માલિક બનો છો. તમે જાણો છો આ ભણતર છે જ નવી
દુનિયા, અમરલોક માટે. બાકી કોઈ અમરનાથ પર શંકરે પાર્વતી ને અમરકથા નથી સંભળાવી. તેઓ
તો શિવ-શંકર ને મિલાવી દે છે.
હમણાં બાપ આપ બાળકોને
સમજાવી રહ્યાં છે, આ પણ સાંભળે છે. બાપ વગર સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય કોણ
સમજાવી શકશે. આ કોઈ સાધુ-સંત વગેરે નથી. જેમ તમે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં હતાં,
તેમ આ પણ. ડ્રેસ વગેરે બધું એ જ છે. જેમ ઘર માં મા-બાપ, બાળકો હોય છે, ફરક કાંઈ નથી.
બાપ આ રથ પર સવાર થઇ આવે છે બાળકો ની પાસે. આ ભાગ્યશાળી રથ ગવાય છે. ક્યારેક બળદ પર
સવારી પણ દેખાડે છે. મનુષ્યોએ ઉલ્ટું સમજી લીધું છે. મંદિર માં ક્યારેય બળદ હોઈ શકે
છે શું? શ્રીકૃષ્ણ તો છે પ્રિન્સ (રાજકુમાર), તે થોડી બળદ પર બેસશે. ભક્તિમાર્ગ માં
મનુષ્ય ખૂબ મૂંઝાયેલા છે. મનુષ્યો ને છે ભક્તિમાર્ગ નો નશો. તમને છે જ્ઞાન માર્ગ નો
નશો. તમે કહો છો આ સંગમ પર બાબા અમને ભણાવી રહ્યા છે. તમે છો આ દુનિયામાં પરંતુ
બુદ્ધિ થી જાણો છો અમે બ્રાહ્મણ સંગમયુગ પર છીએ. બાકી બધા મનુષ્ય કળયુગ માં છે. આ
અનુભવ ની વાતો છે. બુદ્ધિ કહે છે આપણે કળયુગ થી હવે નીકળી આવ્યાં છીએ. બાબા આવેલાં
છે. આ જૂની દુનિયા જ બદલવાની છે. આ તમારી બુદ્ધિમાં છે, બીજું કોઈ નથી જાણતું. ભલે
એક જ ઘર માં રહેવા વાળા છે, એક જ પરિવાર નાં છે, એમાં પણ બાપ કહેશે અમે સંગમયુગી
છીએ, બાળક કહેશે નહીં, હું કળયુગ માં છું. વન્ડર છે ને! બાળકો જાણે છે - આપણું ભણતર
પૂરું થશે તો વિનાશ થશે. વિનાશ થવો જરુરી છે. તમારામાં પણ કોઇ જાણે છે, જો આ સમજે
દુનિયા વિનાશ થવાની છે તો નવી દુનિયાનાં માટે તૈયારી માં લાગી જાય. બેગ-બેગેજ તૈયાર
કરી લે. બાકી થોડો સમય છે, બાબા નાં તો બની જઈએ. ભૂખે મરશે તો પણ પહેલાં બાબા પછી
બાળકો. આ તો બાબા નો ભંડારો છે. તમે શિવબાબા નાં ભંડારા થી ખાઓ છો. બ્રાહ્મણ ભોજન
બનાવે છે એટલે બ્રહ્મા-ભોજન કહેવાય છે. જે પવિત્ર બ્રાહ્મણ છે, યાદ માં રહીને બનાવે
છે, સિવાય બ્રાહ્મણોનાં શિવબાબા ની યાદ માં કોઈ રહી નથી શકતું. તે બ્રાહ્મણ થોડી
શિવબાબા ની યાદ માં રહે છે? શિવબાબા નો ભંડારો આ છે, જ્યાં બ્રાહ્મણ ભોજન બનાવે છે.
બ્રાહ્મણ યોગ માં રહે છે. પવિત્ર તો છે જ. બાકી છે યોગની વાત. આમાં જ મહેનત લાગે
છે. ગપ્પા ચાલી ન શકે. એવું કોઈ કહી ન શકે કે હું સંપૂર્ણ યોગ માં છું કે ૮૦ ટકા
યોગ માં છું. કોઈ પણ કહી ન શકે. જ્ઞાન પણ જોઈએ. આપ બાળકોમાં યોગી તે છે જે પોતાની
દૃષ્ટિ થી જ કોઈને શાંત કરી દે. આ પણ તાકાત છે. એકદમ સન્નાટો થઈ જશે, જ્યારે તમે
અશરીરી બની જાઓ છો પછી બાપ ની યાદ માં રહો છો તો આ જ સાચ્ચી યાદ છે. ફરી થી આ
પ્રેક્ટિસ (અભ્યાસ) કરવાની છે. જેમ તમે અહીં યાદ માં બેસો છો, આ પ્રેક્ટિસ કરાવાય
છે. તો પણ બધા કોઈ યાદ માં રહેતાં નથી. ક્યાંક-ક્યાંક બુદ્ધિ ભાગતી રહે છે. તો તે
પછી નુકસાન કરી લે છે. અહીં સંદલી પર બેસાડવા એમને જોઈએ જે સમજે અમે ડ્રિલ શિક્ષક
છીએ. બાપ ની યાદ માં સામે બેઠાં છીએ. બુદ્ધિયોગ બીજી કોઈ તરફ ન જાય. સન્નાટો થઈ જશે.
તમે અશરીરી બની જાઓ છો અને બાપ ની યાદ માં રહો છો. આ છે સાચ્ચી યાદ. સંન્યાસી પણ
શાંતિ માં બેસે છે, તે કોની યાદ માં રહે છે? તે કોઈ રીયલ (સાચ્ચી) યાદ નથી. કોઈને
ફાયદો નહીં આપી શકે. તેઓ સૃષ્ટિ ને શાંત નથી કરી શકતાં. બાપ ને જાણતાં જ નથી.
બ્રહ્મ ને જ ભગવાન સમજતાં રહે. એ તો છે નહીં. હમણાં તમને શ્રીમત મળે છે - મામેકમ્
યાદ કરો. તમે જાણો છો આપણે ૮૪ જન્મ લઈએ છીએ. દરેક જન્મ માં થોડી-થોડી કળા ઓછી થતી
જાય છે. જેમ ચંદ્રમા ની કળા ઓછી થતી જાય છે. જોવાથી એટલી ખબર થોડી પડે છે? હમણાં
કોઈ પણ સંપૂર્ણ નથી બન્યાં. આગળ જઈ તમને સાક્ષાત્કાર થશે. આત્મા કેટલો નાનો છે. એનો
પણ સાક્ષાત્કાર થઈ શકે છે. નહીં તો બાળકીઓ કેવી રીતે બતાવે છે કે આમનામાં લાઈટ (પ્રકાશ)
ઓછી છે, આમનામાં વધારે છે. દિવ્ય દૃષ્ટિ થી જ આત્માને જુએ છે. આ પણ બધું ડ્રામા માં
નોંધ છે. મારા હાથ માં કાંઈ નથી. ડ્રામા મારા થી કરાવે છે, આ બધું ડ્રામા અનુસાર
ચાલતું રહે છે. ભોગ વગેરે આ બધું ડ્રામા માં નોંધ છે. સેકન્ડ પછી સેકન્ડ એક્ટ થાય
છે.
હમણાં બાપ શિક્ષા આપે
છે કે પાવન કેવી રીતે બનવાનું છે? બાપ ને યાદ કરવાનાં છે. કેટલો નાનો આત્મા છે જે
પતિત બન્યો છે, ફરી પાવન બનવાનો છે. વન્ડરફુલ વાત છે ને! કુદરત કહે છે ને! બાપ થી
તમે બધી કુદરતી વાતો સાંભળો છો. સૌથી કુદરતી વાત છે-આત્મા અને પરમાત્મા ની, જે કોઈ
નથી જાણતું. ઋષિ-મુનિ વગેરે કોઈ પણ નથી જાણતું. આટલો નાનો આત્મા જ પથ્થરબુદ્ધિ પછી
પારસબુદ્ધિ બને છે. બુદ્ધિમાં આ જ ચિંતન ચાલતું રહે કે અમે આત્મા પથ્થરબુદ્ધિ બન્યાં
હતાં, હવે ફરી બાપ ને યાદ કરી પારસબુદ્ધિ બની રહ્યાં છીએ. લૌકિક રીતે તો બાપ પણ મોટા
પછી શિક્ષક, ગુરુ પણ મોટા મળે છે. આ તો એક જ બિંદી બાપ પણ છે, શિક્ષક પણ છે, ગુરુ
પણ છે. આખો કલ્પ દેહધારી ને યાદ કર્યા છે. હવે બાપ કહે છે-મામેકમ્ યાદ કરો. તમારી
બુદ્ધિને કેટલી મહીન (સૂક્ષ્મ) બનાવે છે. વિશ્વનાં માલિક બનવું-કાંઈ ઓછી વાત છે
શું! આ પણ કોઇ વિચાર નથી કરતાં કે આ લક્ષ્મી-નારાયણ સતયુગ નાં માલિક કેવી રીતે બન્યા
તમે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. નવું કોઈ આ વાતો ને સમજી ન શકે. પહેલાં
મોટા રુપ થી સમજો પછી સુક્ષ્મતા થી સમજાવાય છે. બાપ છે બિંદી, તેઓ પછી એટલાં
મોટા-મોટા લિંગ રુપ બનાવી દે છે. મનુષ્યો નાં પણ બહુ જ મોટા-મોટા ચિત્ર બનાવે છે.
પરંતુ એવું નથી. મનુષ્ય નાં શરીર તો આ જ હોય છે. ભક્તિમાર્ગ માં શું-શું બેસીને
બનાવ્યું છે. મનુષ્ય કેટલાં મૂંઝાયેલા છે. બાપ કહે છે જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું તે
પાછું થશે. હમણાં તમે બાપ ની શ્રીમત પર ચાલો. આમને પણ બાબાએ શ્રીમત આપી,
સાક્ષાત્કાર કરાવ્યો ને? તમને હું બાદશાહી આપું છું, હવે આ સર્વિસ (સેવા) માં લાગી
જાઓ. પોતાનો વારસો લેવાનો પુરુષાર્થ કરો. આ બધું છોડી દો. તો આ પણ નિમિત્ત બન્યાં.
બધા તો આમ નિમિત્ત નથી બનતાં, જેમને નશો ચઢ્યો તો આવીને બેસી ગયાં. અમને તો રાજાઈ
મળે છે. પછી આ પાઈ પૈસા શું કરીશું? તો હવે બાપ બાળકોને પુરુષાર્થ કરાવે છે, રાજધાની
સ્થાપન થઈ રહી છે, કહે પણ છે અમે લક્ષ્મી-નારાયણ થી ઓછાં નહીં બનીશું. તો શ્રીમત પર
ચાલીને દેખાડો. ચૂં-ચાં નહીં કરો. બાબાએ થોડી કહ્યું - બાળ-બચ્ચાઓ ની શું હાલત થશે?
એક્સિડન્ટ (અકસ્માત) માં અચાનક કોઇ મરી જાય છે તો કોઈ ભૂખ્યું રહે છે શું? કોઈને
કોઈ મિત્ર-સંબંધી વગેરે આપે છે ખાવા માટે. અહીં જુઓ બાબા જૂની ઝૂંપડી માં રહે છે.
આપ બાળકો આવીને મહેલો માં રહો છો. બાપ કહેશે બાળકો સારી રીતે રહે, ખાએ, પીવે. જે
કાંઈ પણ નથી લઇ આવ્યાં તેમને પણ બધું જ સારી રીતે મળે છે. આ બાબા થી પણ સારી રીતે
રહે છે. શિવબાબા કહે છે હું તો છું જ રમતાયોગી. કોઈનું પણ કલ્યાણ કરવા જઈ શકું છું.
જે જ્ઞાની બાળકો છે તે ક્યારેય સાક્ષાત્કાર વગેરે ની વાતો માં ખુશ નહીં થશે. સિવાય
યોગ નાં બીજું કાંઈ પણ નહીં. આ સાક્ષાત્કાર ની વાતો માં ખુશ નહીં થતાં. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગ ની એવી
સ્થિતિ બનાવવાની છે જે દૃષ્ટિ થી જ કોઈને શાંત કરી દો. એકદમ સન્નાટો થઈ જાય. એનાં
માટે અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે.
2. જ્ઞાન નાં સાચાં
નશા માં રહેવા માટે યાદ રહે કે આપણે સંગમયુગી છીએ, હવે આ જૂની દુનિયા બદલાવાની છે,
આપણે પોતાનાં ઘરે જઈ રહ્યાં છીએ. શ્રીમત પર સદા ચાલતા રહેવાનું છે, ચૂં-ચાં નથી
કરવાનું.
વરદાન :-
પરમાત્મ -
મિલન દ્વારા રુહરિહાન નો સાચ્ચો રેસપોન્સ પ્રાપ્ત કરવા વાળા બાપ સમાન બહુરુપી ભવ
જેવી રીતે બાપ બહુરુપી
છે-સેકન્ડ માં નિરાકાર થી આકારી વસ્ત્ર ધારણ કરી લે છે, એવી રીતે આપ પણ આ માટી નાં
ડ્રેસ ને છોડી આકારી ફરિશ્તા ડ્રેસ, ચમકીલો ડ્રેસ પહેરી લો તો સહજ મિલન પણ થશે અને
રુહરિહાન નો ક્લિયર રેસપોન્સ સમજ માં આવી જશે કારણકે આ ડ્રેસ જૂની દુનિયાની વૃત્તિ
અને વાયબ્રેશન થી, માયા નાં વોટર કે ફાયર થી પ્રૂફ છે. આમાં માયા દખલગીરી નથી કરી
શકતી.
સ્લોગન :-
દૃઢતા અસંભવ
થી પણ સંભવ કરાવી દે છે.
અવ્યક્ત ઈશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
બ્રહ્માકુમાર નો અર્થ
છે - જે સદા પ્યોરિટી ની પર્સનાલિટી અને રોયલ્ટી માં રહેવું. આ જ પ્યોરિટી ની
પર્સનાલિટી વિશ્વ નાં આત્માઓને પોતાની તરફ આકર્ષિત કરશે, અને આ જ પ્યોરીટી ની
રોયલ્ટી ધર્મરાજપુરી માં રોયલ્ટી આપવાથી છોડાવશે. આ જ રોયલ્ટી નાં અનુસાર ભવિષ્ય
રોયલ ફેમિલી માં આવી શકશો. જેવી રીતે શરીર ની પર્સનાલિટી દેહ-ભાન માં લાવે છે, એવી
રીતે પ્યોરિટી ની પર્સનાલિટી દેહી-અભિમાની બનાવી બાપ નાં સમીપ લાવે છે.