05-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બેહદ નાં સુખ માટે તમને બેહદ ની નોલેજ મળે છે , તમે ફરી થી રાજયોગ ની શિક્ષા થી રાજાઈ લઈ રહ્યાં છો”

પ્રશ્ન :-
તમારું ઈશ્વરીય કુટુંબ કઈ વાત માં બિલકુલ જ નિરાળું છે?

ઉત્તર :-
આ ઈશ્વરીય કુટુંબ માં કોઈ એક દિવસ નું બાળક છે, કોઈ ૮ દિવસ નું પરંતુ બધા ભણી રહ્યાં છે. બાપ જ શિક્ષક બની પોતાનાં બાળકો ને ભણાવી રહ્યાં છે. આ છે નિરાળી વાત. આત્મા ભણે છે. આત્મા કહે છે બાબા, બાબા પછી બાળકો ને ૮૪ જન્મો ની કહાણી સંભળાવે છે.

ગીત :-
દૂરદેશ કા રહને વાલા…

ઓમ શાંતિ!
વૃક્ષપતિ વાર, તેનું નામ રાખી દીધું છે બૃહસ્પતિ. આ તહેવાર વગેરે તો વર્ષે-વર્ષે મનાવીએ છીએ. તમે દરેક સપ્તાહ બૃહસ્પતિ દિવસ મનાવો છો. વૃક્ષપતિ અથવા આ મનુષ્ય સૃષ્ટિ રુપી ઝાડ નાં જે બીજરુપ છે, ચૈતન્ય છે, એ જ આ ઝાડ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. બીજા જે પણ વૃક્ષ છે તે બધા જડ હોય છે. આ છે ચૈતન્ય, આને કહેવાય છે કલ્પવૃક્ષ. આની આયુ છે ૫ હજાર વર્ષ અને આ વૃક્ષ ૪ ભાગ માં છે. દરેક વસ્તુ ૪ ભાગ માં હોય છે. આ દુનિયા પણ ૪ ભાગ માં છે. હવે આ જૂની દુનિયા નો અંત છે. દુનિયા કેટલી મોટી છે, આ જ્ઞાન કોઈ પણ મનુષ્ય માત્ર ની બુદ્ધિ માં નથી. આ છે નવી દુનિયા માટે નવી શિક્ષા. અને પછી નવી દુનિયાનાં રાજા બનવા માટે અથવા આદિ સનાતન દેવી-દેવતા બનવા માટે શિક્ષા પણ નવી છે. ભાષા તો હિન્દી જ છે. બાબાએ સમજાવ્યું છે જ્યારે બીજી રાજાઈ સ્થાપન થાય છે તો તેમની ભાષા અલગ હોય છે. સતયુગ માં કઈ ભાષા હશે? તે બાળકો થોડું-થોડું જાણે છે. પહેલાં બાળકીઓ ધ્યાન માં જઈને બતાવતી હતી. ત્યાં કોઈ સંસ્કૃત નથી. સંસ્કૃત તો અહીં છે ને? જે અહીં છે તે પછી ત્યાં હોઈ ન શકે. તો બાળકો જાણે છે આ છે વૃક્ષપતિ. આમને ફાધર રચયિતા પણ કહે છે ઝાડ નાં. આ છે ચૈતન્ય બીજરુપ. તે બધા હોય છે જડ. બાળકોએ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને પણ જાણવું જોઈએ ને? આ સમયે નોલેજ ન હોવાનાં કારણે મનુષ્યો ને સુખ નથી. આ છે બેહદ ની નોલેજ, જેનાંથી બેહદ નું સુખ છે. હદ ની નોલેજ થી કાગ વિષ્ટા સમાન સુખ મળે છે. તમે જાણો છો, આપણે બેહદ નાં સુખ માટે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છીએ ફરીથી. આ ‘ફરીથી’ શબ્દ ફક્ત તમે સાંભળો છો. તમે જ ફરીથી મનુષ્ય થી દેવતા બનવા માટે આ રાજયોગ ની શિક્ષા પ્રાપ્ત કરી રહ્યાં છો. આ પણ તમે જાણો છો જ્ઞાન નાં સાગર બાપ નિરાકાર છે. નિરાકારી તો બાળકો આત્માઓ પણ છે, પરંતુ બધાને પોત-પોતાનું શરીર છે, આને અલૌકિક જન્મ કહેવાય છે. બીજા કોઈ મનુષ્ય આવો જન્મ લઈ ન શકે. જેમ આ લે છે અને આમની પણ વાનપ્રસ્થ અવસ્થા માં પ્રવેશ કરે છે. બાળકો (આત્માઓ) ને સન્મુખ બેસીને સમજાવે છે, બીજું કોઈ આત્માઓ ને બાળકો-બાળકો કહી ન શકે. કોઈ પણ ધર્મ વાળા હોય-જાણે છે શિવબાબા આપણા આત્માઓ નાં બાબા છે, એ તો જરુર બાળકો-બાળકો જ કહેશે. બાકી કોઈ પણ મનુષ્યાત્મા ને ઈશ્વર ન કહી શકાય, બાબા ન કહી શકાય. આમ તો ગાંધી ને પણ બાપુ કહેતાં હતાં. મ્યુનિસપાલ્ટી નાં મેયર ને પણ ફાધર કહી દે છે. પરંતુ તે ફાધર છે બધા દેહધારી. તમે જાણો છો આપણા આત્માઓ નાં બાપ આપણને ભણાવે છે. બાપ ઘડી-ઘડી કહે છે સ્વયં ને આત્મા સમજો. એ બાપ આવીને ભણાવે પણ આત્માઓ ને છે. આ છે ઈશ્વરીય કુટુંબ. બાપ નાં આટલાં અનેક બાળકો છે. તમે પણ કહો છો બાબા અમે તમારા છીએ. તમે બાળકો થઈ ગયાં. કહે છે બાબા હું એક દિવસ નું બાળક છું, ૮ દિવસ નું બાળક છું, મહિના નું બાળક છું. પહેલાં જરુર નાનાં જ હશે. ભલે ૨-૪ દિવસ નું બાળક જ છે પરંતુ ઓરગન્સ તો મોટા છે ને, એટલે બધા મોટા બાળકોએ ભણવું જોઈએ. જે પણ આવે છે બધાને બાપ ભણાવે છે. તમે પણ ભણો છો. બાપ નાં બાળકો બન્યાં પછી બાપ સમજાવે છે, તમે ૮૪ જન્મ કેવી રીતે લીધા છે? બાપ કહે છે હું પણ અનેક જન્મો નાં અંત માં આમનાં માં પ્રવેશ કરું છું અને પછી ભણાવું છું. બાળકો જાણે છે અહીં આપણે મોટા માં મોટા શિક્ષક ની પાસે આવ્યાં છીએ. જેમનાં દ્વારા જ પછી આ શિક્ષક નીકળ્યાં છે જેમને પન્ડા કહેવાય છે. તે પણ બધા ને ભણાવતા રહે છે. જે-જે જાણતા જશે, ભણાવતા રહેશે.

પહેલાં-પહેલાં સમજાવવાનું જ આ છે, બે બાપ છે ને? એક લૌકિક અને બીજા પારલૌકિક. મોટા તો જરુર પારલૌકિક બાપ થઈ ગયા, જેમને ભગવાન કહેવાય છે. તમે જાણો છો હમણાં આપણને પારલૌકિક બાપ મળ્યાં છે, બીજા કોઈને ખબર નથી. ધીરે-ધીરે જાણતા જશે. આપ બાળકો જાણો છો આપણને આત્માઓ ને બાબા ભણાવે છે. આપણે આત્માઓ જ એક શરીર છોડી પછી બીજું લઈશું. ઊંચા માં ઊંચા દેવતા બનીશું. ઊંચા માં ઊંચા બનવા માટે આવ્યાં છીએ. ઘણાં બાળકો ચાલતાં-ચાલતાં ઊંચા માં ઊંચા ભણતર ને છોડી દે છે. કોઈને કોઈ વાત માં સંશય આવી જાય છે અથવા માયા નું કોઈ તોફાન સહન નથી કરી શકતા, કામ મહાશત્રુ થી હાર ખાઈ લે છે, આવા જ કારણો થી ભણતર છૂટી જાય છે. કામ મહાશત્રુ નાં કારણે જ બાળકો ને ખૂબ સહન કરવું પડે છે. બાપ કહે છે કલ્પ-કલ્પ તમે અબળાઓ, માતાઓ જ પોકારો છો. કહે છે બાબા અમને નંગન (નિર્વસ્ત્ર) થવાથી બચાવો. બાપ કહે છે યાદ સિવાય બીજો કોઈ રસ્તો નથી. યાદ થી જ બળ આવતું જશે. માયા બળવાન ની તાકાત ઓછી થતી જશે. પછી તમે છૂટી જશો. એવાં ઘણાં બંધન માંથી છૂટીને આવે છે. પછી અત્યાચાર થવાનું બંધ થઈ જાય છે પછી આવીને શિવબાબા સાથે બ્રહ્મા દ્વારા વાતચીત કરે છે. આ પણ આદત પડી જવી જોઈએ. બુદ્ધિ માં આ રહેવું જોઈએ કે અમે શિવબાબા પાસે જઈએ છીએ. એ આ બ્રહ્મા તન માં આવે છે. અમે શિવબાબા ની આગળ બેઠાં છીએ. યાદ થી જ વિકર્મ વિનાશ થશે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાના છે. આ જ શિક્ષા મળે છે. બાપ ને મળવા આવો તો પણ સ્વયં ને આત્મા સમજો. આત્મ-અભિમાની ભવ. આ જ્ઞાન પણ તમને હમણાં મળે છે. આ છે મહેનત. તે ભક્તિમાર્ગ માં તો કેટલાં વેદ શાસ્ત્ર વગેરે વાંચે છે. આ તો એક જ મહેનત છે-ફક્ત યાદ ની. આ ખૂબ સહજ થી સહજ છે, ખૂબ ડિફિકલ્ટ (મુશ્કિલ) થી ડિફિકલ્ટ પણ છે. બાપ ને યાદ કરવા - આનાંથી સહજ કોઈ વાત હોતી નથી. બાળક નો જન્મ થયો અને મુખ થી બાબા-બાબા નીકળશે. બાળકી નાં મુખ થી મા નીકળશે. આત્માએ ફીમેલ (સ્ત્રી) નું શરીર ધારણ કર્યુ છે. ફીમેલ મા ની પાસે જ જશે. બાળક ખાસ કરીને બાપ ને યાદ કરે છે કારણકે વારસો મળે છે. હમણાં તમે આત્માઓ તો બધા બાળકો છો. તમને વારસો મળે છે બાપ પાસે થી. આત્મા ને બાપ પાસે થી વારસો મળે છે, યાદ કરવાથી. દેહ-અભિમાની હશે તો વારસો મેળવવા માં મુશ્કેલ થશે. બાપ કહે છે હું બાળકો ને જ ભણાવું છું. બાળકો પણ જાણે છે અમને બાળકો ને બાપ ભણાવે છે. આ વાતો બાપ સિવાય કોઈ બતાવી ન શકે. એમની સાથે જ ભક્તિમાર્ગ માં તમારો પ્રેમ હતો. તમે બધા આશિક હતાં, એ માશૂક નાં. આખી દુનિયા આશિક છે એક માશૂક ની. પરમાત્મા ને બધા પરમપિતા પણ કહે છે. બાપ ને આશિક નથી કહેવાતાં. બાપ સમજાવે છે તમે ભક્તિમાર્ગ માં આશિક હતાં. હમણાં પણ અનેક છે, પરંતુ પરમાત્મા કોને કહેવાય, આમાં ખૂબ મુંઝાય છે. ગણેશ, હનુમાન વગેરે ને પરમાત્મા કહી એકદમ સૂત મૂંઝાવી દીધું છે. એક સિવાય કોઈ ઠીક કરી ન શકે. કોઈ ની તાકાત નથી. બાપ જ આવીને બાળકો ને સમજાવે છે. બાળકો પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર સમજે છે અને સમજાવવા ને લાયક બને છે. રાજધાની સ્થાપન થઈ રહી છે. હૂબહૂ કલ્પ પહેલાં ની જેમ તમે અહીં ભણો છો. પછી પ્રારબ્ધ નવી દુનિયામાં મેળવશો તેને અમરલોક કહેવાય છે. તમે કાળ પર વિજય મેળવો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. નામ જ છે સ્વર્ગ. આપ બાળકો ને આ ભણતર માં ખૂબ ખુશી થવી જોઈએ. બાપ ની યાદ થી બાપ ની પ્રોપર્ટી (મિલકત) પણ યાદ આવશે. સેકન્ડ માં આખા ડ્રામા નું જ્ઞાન બુદ્ધિ માં આવી જાય છે. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન, ૮૪ નું ચક્ર બસ, આ નાટક આખું ભારત પર જ બનેલું છે. બાકી બધા છે બાઈપ્લોટ. બાપ નોલેજ પણ તમને સંભળાવે છે. તમે જ ઊંચા માં ઊંચા પછી નીંચ બનો છો. ડબલ સિરતાજ રાવ અને પછી બિલકુલ જ રંક. હમણાં ભારત રંક ભિખારી છે. પ્રજા નું પ્રજા પર રાજ્ય છે. સતયુગ માં હતું ડબલ સિરતાજ મહારાજા-મહારાણી નું રાજ્ય. બધા માને છે આદિદેવ બ્રહ્મા ને નામ ખૂબ આપ્યાં છે. મહાવીર પણ તેમને કહેવાય છે, મહાવીર હનુમાન ને પણ કહે છે. હકીકત માં તમે બાળકો જ સાચાં-સાચાં મહાવીર હનુમાન છો કારણકે તમે યોગ માં એટલાં રહો છો જે માયા નાં ભલે કેટલાં પણ તોફાન આવે પરંતુ તમને હલાવી નથી શકતાં. તમે મહાવીર નાં બાળકો મહાવીર બન્યાં છો કારણકે તમે માયા પર જીત મેળવો છો. ૫ વિકાર રુપી રાવણ પર દરેક જીત મેળવે છે. એક મનુષ્ય ની વાત નથી. તમારે દરેકે ધનુષ તોડવાનું છે અર્થાત્ માયા પર જીત મેળવવાની છે. આમાં લડાઈ વગેરે ની કોઈ વાત નથી. યુરોપવાસી કેવી રીતે લડે છે, ભારત માં કૌરવો અને યૌવનો ની લડાઈ છે. ગવાયેલું પણ છે લોહી ની નદીઓ વહે છે. દૂધ ની પણ નદીઓ વહેશે. વિષ્ણુ ને ક્ષીરસાગર માં દેખાડે છે, લક્ષ્મી-નારાયણ છે પારસનાથ. તેમનું પછી નેપાળ તરફ પશુપતિ નામ રાખી દીધું છે. છે એક જ વિષ્ણુ નાં બે રુપ, પારસનાથ પારસનાથિણી. એ છે પશુપતિનાથ પતિ, પશુપતિનાથ પત્ની. એમાં વિષ્ણુ નું ચિત્ર બનાવે છે. લેક (સરોવર) પણ બનાવે છે. હવે લેક માં ક્ષીર (દૂધ) ક્યાંથી આવ્યું? મોટા દિવસ પર તે લેક માં દૂધ નાખે છે, પછી દેખાડે છે ક્ષીરસાગર માં વિષ્ણુ સૂતેલા છે. અર્થ કાંઈ પણ નથી. ૪ ભુજાવાળા મનુષ્ય કોઈ હોતાં નથી.

હમણાં આપ બાળકો સોશિયલ વર્કર (સમાજસેવક) છો, રુહાની બાપ નાં બાળકો છો ને? બાપ બધી વાતો સમજાવે છે, આમાં કોઈ સંશય ન આવવો જોઈએ. સંશય એટલે માયા નું તોફાન. તમે મને બોલાવો જ છો હે પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો તમે પાવન બની જશો. ૮૪ નાં ચક્ર ને પણ યાદ કરવાનું છે. બાપ ને કહેવાય છે પતિત-પાવન, જ્ઞાન નાં સાગર, બે વસ્તુ થઈ ગઈ. પતિતો ને પાવન બનાવે છે અને ૮૪ નાં ચક્ર નું જ્ઞાન સંભળાવે છે. આ પણ આપ બાળકો જાણો છો ૮૪ નું ચક્ર ચાલતું જ રહેશે, આનો એન્ડ (અંત) નથી. આ પણ તમે નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો-બાપ કેટલાં મીઠાં છે, એમને પતિઓનાં પતિ પણ કહે છે. બાપ પણ છે. હવે બાપ કહે છે મારા કરતાં આપ બાળકો ને બહુ જ ભારે વારસો મળે છે. પરંતુ એવાં મુજ બાપ ને પણ ફારકતી આપી દે છે. આ પણ ડ્રામા માં નોંધ છે, ભણતર ને જ છોડી દે છે. એટલે ફારકતી આપી દે છે, કેટલાં બેસમજ છે. જે અકલમંદ બાળકો છે તે સહજ બધી વાતો ને સમજી બીજાઓ ને ભણાવવા લાગી જશે. તે તરત નિર્ણય લેશે કે તે ભણતર થી શું મળે છે અને આ ભણતર થી શું મળે છે? શું ભણવું જોઈએ? બાબા બાળકો ને પૂછે છે, બાળકો સમજે પણ છે કે આ ભણતર ખૂબ સારું છે. છતાં પણ કહે છે શું કરીએ, શારીરિક ભણતર નહીં ભણશું તો મિત્ર-સબંધી વગેરે નારાજ થશે. બાપ કહે છે - દિવસે-દિવસે સમય ખૂબ થોડો થતો જાય છે. આટલું ભણતર તો ભણી નહીં શકો. ખૂબ ઝડપ થી તૈયારીઓ થઈ રહી છે. દરેક પ્રકાર થી તૈયારી થાય છે ને? દિવસે-દિવસે એક-બીજા માં દુશ્મની વધતી જાય છે. કહે પણ છે એવી-એવી વસ્તુ બનાવી છે જે ફટ થી બધા ને ખતમ કરી દશે. આપ બાળકો જાણો છો ડ્રામા અનુસાર હમણાં લડાઈ લાગી નથી શકતી, રાજાઈ સ્થાપન થવાની છે ત્યાં સુધી આપણે પણ તૈયારી કરી રહ્યાં છીએ. આ પણ તૈયારી કરતા રહે છે. તમારો પાછળ થી ખૂબ પ્રભાવ નીકળવાનો છે. ગવાય પણ છે અહો પ્રભુ તમારી લીલા. આ આ જ સમય નું ગાયન છે. આ પણ ગવાયેલું છે તમારી ગત મત ન્યારી. બધા આત્માઓ નો પાર્ટ ન્યારો છે. હમણાં બાપ તમને શ્રીમત આપી રહ્યાં છે કે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. ક્યાં શ્રીમત, ક્યાં મનુષ્યો ની મત? તમે જાણો છો વિશ્વ માં શાંતિ પરમપિતા પરમાત્મા સિવાય કોઈ કરી ન શકે. ૧૦૦ ટકા પવિત્રતા-સુખ-શાંતિ ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ ડ્રામા અનુસાર સ્થાપન કરી રહ્યાં છે. કેવી રીતે? તે આવીને સમજો. આપ બાળકો પણ મદદગાર બનો છો. જે ખૂબ મદદ કરશે તે વિજય માળા નાં દાણા બની જશે. આપ બાળકો નાં નામ પણ કેટલાં રમણીક હતાં! તે નામ નું લિસ્ટ (યાદી) આલ્બમ માં રાખી દેવું જોઈએ. તમે ભઠ્ઠી માં હતાં, ઘરબાર છોડી બાપ નાં આવીને બન્યાં. એકદમ ભઠ્ઠી માં આવીને પડ્યાં. એવી પાક્કી ભઠ્ઠી હતી જે અંદર કોઈ આવી ન શકે. જ્યારે બાપ નાં બની ગયા તો પછી નામ જરુર હોવા જોઈએ. બધું જ સરેન્ડર કરી દીધું, એટલે નામ રાખી દીધાં. વન્ડર છે ને-બાપે બધા નાં નામ રાખ્યાં. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ વાત માં સંશય બુદ્ધિ નથી બનવાનું, માયા નાં તોફાનો ને મહાવીર બની પાર કરવાના છે, એવાં યોગ માં રહો જે માયા નાં તોફાન હલાવી ન શકે.

2. અક્કલમંદ બની પોતાનું જીવન ઈશ્વરીય સેવા માં લગાવવાનું છે. સાચાં-સાચાં રુહાની સોશિયલ વર્કર બનવાનું છે. રુહાની ભણતર ભણવાનું અને ભણાવવાનું છે.

વરદાન :-
અહમ અને વહેમ ને સમાપ્ત કરી રહેમ દિલ બનવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

કેવાં પણ અવગુણ વાળા, કડક સંસ્કાર વાળા, ઓછી બુદ્ધિ વાળા, સદા ગ્લાનિ કરવા વાળા આત્મા હોય પરંતુ જે રહેમદિલ વિશ્વ કલ્યાણકારી બાળકો છે તે સર્વ આત્માઓ પ્રત્યે લૉફુલ (કાયદાકીય) ની સાથે લવફુલ (પ્રેમાળ) હશે. ક્યારેય આ વહેમ માં નહીં આવશે કે આ તો ક્યારેય બદલાઈ જ નહીં શકે, આ તો છે જ એવાં… કે આ કાંઈ નથી કરી શકતા, હું જ બધું છું… આ કાંઈ નથી. આ પ્રકાર નો અહમ અને વહેમ છોડી, કમજોરીઓ તથા ખરાબીઓ ને જાણવા છતાં પણ ક્ષમા કરવા વાળા રહેમદિલ બાળકો જ વિશ્વ કલ્યાણ ની સેવા માં સફળ થાય છે.

સ્લોગન :-
જ્યાં બ્રાહ્મણો નાં તન-મન-ધન નો સહયોગ છે ત્યાં સફળતા સાથે છે.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો

આત્માઓ જ્યારે તમારા આત્મિક સ્વરુપ નો અનુભવ કરશે ત્યારે તે બાપ ની તરફ આકર્ષિત થઈને, અહો પ્રભુ નાં ગીત ગાશે અને દેહભાન થી સહજ અર્પણ થઈ જશે. અહો તમારું ભાગ્ય! અહો! મારું ભાગ્ય! આ ભાગ્ય ની અનુભૂતિ નાં કારણે દેહ અને દેહ નાં સંબંધ ની સ્મૃતિ નો ત્યાગ કરી દેશે.