06-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બ્રહ્મા બાબા શિવબાબા નો રથ છે , બંને નો સાથે પાર્ટ ચાલે છે , આમાં જરા પણ સંશય ન આવવો જોઈએ”

પ્રશ્ન :-
મનુષ્ય દુઃખો થી છૂટવા માટે કઈ યુક્તિ રચે છે, જેને મહાપાપ કહેવાય છે?

ઉત્તર :-
મનુષ્ય જ્યારે દુઃખી થાય છે તો સ્વયં ને મારવા (ખતમ કરવાના) અનેક ઉપાય રચે છે. જીવઘાત કરવાનું વિચારે છે, સમજે છે આનાથી અમે દુઃખો થી છૂટી જઈશું. પરંતુ આનાં જેવું મહાપાપ બીજું કોઈ નથી. તે વધારે જ દુઃખો માં ફસાઈ જાય છે કારણકે આ છે જ અપાર દુઃખો ની દુનિયા.

ઓમ શાંતિ!
બાળકો ને બાપ પૂછે છે, આત્માઓ ને પરમાત્મા પૂછે છે - આ તો જાણો છો આપણે પરમપિતા પરમાત્મા ની સામે બેઠાં છીએ. એમને પોતાનો રથ તો નથી. આ તો નિશ્ચય છે ને - આ ભ્રકુટી ની વચ્ચે બાપ નું નિવાસ સ્થાન છે. બાપ પોતે કહે છે હું આમની ભ્રકુટી ની વચ્ચે બેસું છું, એમનું શરીર લોન પર લઉં છું. આત્મા ભ્રકુટી ની વચ્ચે છે તો બાપ પણ ત્યાં જ બેસે છે. બ્રહ્મા છે તો શિવબાબા પણ છે. બ્રહ્મા નથી તો શિવબાબા બોલશે કેવી રીતે? ઉપર માં શિવબાબા ને તો સદૈવ યાદ કરતા આવ્યાં. હવે આપ બાળકો ને ખબર છે આપણે બાપ ની પાસે અહીં બેઠાં છીએ. એવું નથી કે શિવબાબા ઉપર છે, એમની પ્રતિમા અહીં પૂજાય છે. આ વાતો ખૂબ જ સમજવાની છે. તમે તો જાણો છો બાપ જ્ઞાન નાં સાગર છે. જ્ઞાન ક્યાંથી સંભળાવે છે? શું ઉપર થી સંભળાવે છે? અહીંયા નીચે આવ્યાં છે. બ્રહ્મા તન દ્વારા સંભળાવે છે. ઘણાં કહે છે અમે બ્રહ્મા ને નથી માનતાં. પરંતુ શિવબાબા સ્વયં કહે છે બ્રહ્મા તન દ્વારા, કે મને યાદ કરો. આ સમજ ની વાત છે ને? પરંતુ માયા ખૂબ જબરજસ્ત છે. એકદમ મુખ ફેરવીને પાછળ કરી દે છે. હવે તમારી ગરદન (તમારું મુખ) શિવબાબા ની સામે કરી છે. સન્મુખ બેઠાં છો પછી જે એવું સમજે છે બ્રહ્મા તો કાંઈ નથી, તેમની શું ગતિ થશે? દુર્ગતિ પ્રાપ્ત થાય છે. કાંઈ પણ જ્ઞાન નથી. મનુષ્ય પોકારે પણ છે ઓ ગોડફાધર. પછી એ ગોડફાધર સાંભળે છે શું? એમને કહે છે ને લિબરેટર (મુક્તિદાતા) આવો કે ત્યાં બેસી લિબરેટ (મુક્ત) કરશે? કલ્પ-કલ્પ પુરુષોત્તમ સંગમયુગ પર જ બાપ આવે છે, જેમનાં માં આવે છે એમને જ જો ઉડાવી દે તો શું કહેવાશે? નંબરવન તમોપ્રધાન. નિશ્ચય હોવા છતાં પણ માયા એકદમ મુખ ફેરવી દે છે. એટલું તેનામાં બળ છે જે એકદમ વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) બનાવી દે છે. એવાં પણ કોઈ ન કોઈ સેવાકેન્દ્ર પર છે એટલે બાપ કહે છે ખબરદાર રહેજો. ભલે કોઈને સંભળાવતા પણ રહે સાંભળેલી વાતો, પરંતુ તે જેમ પંડિત જેવાં થઈ જાય. જેમ બાબા પંડિત ની વાર્તા બતાવે છે ને? એમણે કહ્યું રામ-રામ કહેવાથી નદી પાર થઈ જશે. આ પણ એક વાર્તા બનાવેલી છે. આ સમય તમે બાપ ની યાદ થી વિષય સાગર થી ક્ષીરસાગર માં જાઓ છો ને? તેઓએ ભક્તિમાર્ગ માં અનેક કથાઓ બનાવી દીધી છે. એવી વાત તો હોતી નથી. આ એક વાર્તા બનેલી છે. પંડિત બીજાઓ ને કહેતો હતો, પોતે બિલકુલ ચટ ખાતા માં. પોતે વિકારો માં જતાં રહેવું અને બીજાઓ ને કહેવું નિર્વિકારી બનો, તેની શું અસર થશે? એવાં પણ બ્રહ્માકુમાર-કુમારીઓ છે - પોતે નિશ્ચય માં નથી, બીજાઓ ને સંભળાવતા રહે છે એટલે ક્યાંક-ક્યાંક સંભળાવવા વાળા કરતાં પણ સાંભળવા વાળા આગળ ચાલ્યાં જાય છે. જે અનેક ની સેવા કરે છે તે જરુર પ્રિય તો લાગે છે ને? પંડિત જુઠ્ઠા નીકળી પડે તો એમને કોણ પ્રેમ કરશે? પછી પ્રેમ એમનાં પર ચાલ્યો જશે જે પ્રેક્ટિકલ માં યાદ કરે છે. સારા-સારા મહારથીઓ ને પણ માયા હપ કરી લે છે. ઘણાં હપ થઈ ગયાં. બાબા પણ સમજાવે છે હમણાં કર્માતીત અવસ્થા નથી થઈ. એક તરફ લડાઈ થશે, બીજી તરફ કર્માતીત અવસ્થા થશે. પૂરું કનેક્શન (સંબંધ) છે. પછી લડાઈ પૂરી થઈ જવાથી ટ્રાન્સફર (બદલી) થઈ જશે. પહેલાં રુદ્ર માળા બને છે. આ વાતો બીજા કોઈ નથી જાણતાં. તમે સમજો છો વિનાશ સામે છે. હમણાં તમે છો માઈનોરીટી (અલ્પસંખ્ય), તે છે મેજોરીટી (અધિકત્તમ). તો તમને કોણ માનશે? જ્યારે તમારી વૃદ્ધિ થઈ જશે પછી તમારા યોગબળ થી ખૂબ ખેંચાઈ ને આવશે. જેટલો તમારા માંથી કાટ (જંક) નીકળતો જશે એટલું બળ ભરાતું જશે. એવું નથી બાબા જાનીજાનનહાર છે. અહીંયા આવીને બધાને જુએ છે, બધાની અવસ્થાઓ ને જાણે છે. બાપ બાળકો ની અવસ્થા ને નહીં જાણશે શું? બધું ખબર પડે છે. આમાં અંતર્યામી ની કોઈ વાત નથી. હમણાં તો કર્માતીત અવસ્થા થઈ નથી. આસુરી વાતચીત, ચલન વગેરે બધું પ્રસિદ્ધ થઈ જાય છે. તમારે તો દૈવી ચલન બનાવવાની છે. દેવતાઓ સર્વગુણ સમ્પન્ન છે ને? હવે તમારે એવું બનવાનું છે. ક્યાં તે અસુર, ક્યાં દેવતાઓ? પરંતુ માયા કોઈને પણ છોડતી નથી, છુંઈ-મુઈ બનાવી દે છે. એકદમ મારી નાખે છે. ૫ સીડી છે ને? દેહ-અભિમાન આવવા થી ઉપર થી એકદમ નીચે પડે છે. પડ્યાં અને મર્યા. આજકાલ પોતાને મારવા માટે કેવાં-કેવાં ઉપાય રચે છે. ૨૧ માળ થી કૂદે છે, તો એકદમ ખતમ થઈ જાય. એવું ન થાય પછી હોસ્પિટલ માં પડ્યાં રહે. દુઃખ ભોગવતા રહે. ૫ માળ થી પડ્યાં અને ન મરે તો કેટલું દુઃખ ભોગવતા રહેશે! કોઈ પોતાને આગ લગાવે છે. જો કોઈ એમને બચાવી લે છે તો એમને કેટલું દુઃખ સહન કરવું પડે છે. બળી જાય તો આત્મા તો ભાગી જશે ને? એટલે જીવઘાત કરે છે, શરીર ને ખતમ કરી દે છે. સમજે છે શરીર છોડવાથી દુઃખો થી છૂટી જઈશું. પરંતુ આ પણ મહાપાપ છે, બીજા પણ અધિક દુઃખ ભોગવવા પડે છે કારણકે આ છે જ અપાર દુઃખો ની દુનિયા, ત્યાં છે અપાર સુખ. આપ બાળકો સમજો છો હવે આપણે પાછા જઈએ છીએ, દુઃખધામ થી સુખધામ માં જઈએ છીએ. હવે બાપ જે સુખધામ નાં માલિક બનાવે છે એમને યાદ કરવાના છે. આમનાં દ્વારા બાપ સમજાવે છે, ચિત્ર પણ છે ને? બ્રહ્મા દ્વારા સ્વર્ગ ની સ્થાપના. તમે કહો છો બાબા અમે અનેક વખત તમારી પાસે થી સ્વર્ગ નો વારસો લેવા આવ્યાં છીએ. બાપ પણ સંગમ પર જ આવે છે જ્યારે દુનિયા ને બદલાવાની છે. તો બાપ કહે છે હું આવ્યો છું આપ બાળકો ને દુઃખ થી છોડાવીને સુખ ની પાવન દુનિયા માં લઈ જવાં. બોલાવે પણ છે - હે પતિત-પાવન… આ થોડી સમજે છે કે અમે મહાકાળ ને બોલાવીએ છીએ કે અમને આ છી-છી દુનિયા થી ઘરે લઈ ચાલો. જરુર બાબા આવશે. આપણે મરીશું ત્યારે તો શાંતિ થશે ને? શાંતિ-શાંતિ કરતા રહે છે. શાંતિ તો છે પરમધામ માં. પરંતુ આ દુનિયા માં શાંતિ કેવી રીતે થાય? જ્યાં સુધી આટલાં બધા મનુષ્ય છે! સતયુગ માં સુખ-શાંતિ હતાં. હમણાં કળિયુગ માં અનેક ધર્મ છે. તે જ્યારે ખતમ થાય ત્યારે એક ધર્મ ની સ્થાપના થાય, ત્યારે તો સુખ-શાંતિ થાય ને? હાહાકાર પછી જ જય-જયકાર થશે. આગળ ચાલી જોજો મોત નું બજાર કેટલું ગરમ થાય છે! વિનાશ જરુર થવાનો છે. એક ધર્મ ની સ્થાપના બાપ આવીને કરાવે છે. રાજયોગ પણ શીખવાડે છે. બાકી બધા અનેક ધર્મ ખલાસ થઈ જશે. ગીતા માં કાંઈ દેખાડ્યું નથી. ૫ પાંડવ અને કુતરો હિમાલય પર ગળી ગયાં. પછી પરિણામ શું? પ્રલય દેખાડી દીધો છે. જળમઈ ભલે થાય છે પરંતુ આખી દુનિયા જળમઈ થઈ નથી શકતી. ભારત તો અવિનાશી પવિત્ર ખંડ છે. એમાં પણ આબુ સૌથી પવિત્ર તીર્થસ્થાન છે, જ્યાં બાપ આવીને આપ બાળકો દ્વારા સર્વ ની સદ્દગતિ કરે છે. દેલવાડા મંદિર માં કેટલાં સારા યાદગાર છે. કેટલું અર્થ સહિત છે. પરંતુ જેમણે બનાવ્યું છે તે નથી જાણતાં. તો પણ સારા સમજુ તો હતાં ને? દ્વાપર માં જરુર સારા સમજદાર હશે. કળિયુગ માં હોય છે તમોપ્રધાન. દ્વાપર માં તો પણ તમોબુદ્ધિ હશે. બધા મંદિરો થી આ ઊંચ છે, જ્યાં તમે બેઠાં છો.

હમણાં તમે જોતા રહેશો વિનાશ માં હોલસેલ મોત થશે. હોલસેલ મહાભારી લડાઈ લાગશે. બધા ખતમ થઈ જશે. બાકી એક ખંડ રહેશે. ભારત ખૂબ નાનું હશે, બાકી બધા ખલાસ થઈ જશે. સ્વર્ગ કેટલું નાનું હશે! હમણાં આ જ્ઞાન તમારી બુદ્ધિ માં છે. કોઈને સમજાવવામાં પણ વાર લાગે છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ. અહીં કેટલાં બધા મનુષ્ય છે અને ત્યાં કેટલાં થોડા મનુષ્ય હશે, આ બધા ખતમ થઈ જશે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થશે શરુઆત થી. જરુર સ્વર્ગ થી રિપીટ કરશે. પાછળ થી તો નહીં આવશે. આ ડ્રામા નું ચક્ર અનાદિ છે, જે ફરતું જ રહે છે. આ તરફ કળિયુગ, તે તરફ છે સતયુગ. આપણે સંગમ પર છીએ. આ પણ તમે સમજો છો. બાપ આવે છે, બાપ ને રથ તો જરુર જોઈએ ને? તો બાપ સમજાવે છે, હવે તમે ઘરે જાઓ છો. પછી આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે, તો દૈવીગુણ પણ ધારણ કરવા જોઈએ.

આ પણ આપ બાળકો ને સમજાવાય છે રાવણ રાજ્ય અને રામરાજ્ય કોને કહેવાય છે. પતિત થી પાવન, પછી પાવન થી પતિત કેવી રીતે બને છે! આ ખેલ નું રહસ્ય બાપ સમજાવે છે. બાપ નોલેજફુલ, બીજરુપ છે ને? ચૈતન્ય છે. એ જ આવીને સમજાવે છે. બાપ જ કહેશે આખાં કલ્પવૃક્ષ નાં રહસ્ય સમજ્યાં? આમાં શું-શું હોય છે? તમે આમાં કેટલો પાર્ટ ભજવ્યો છે? અડધોકલ્પ છે દૈવી સ્વરાજ્ય. અડધોકલ્પ છે આસુરી રાજ્ય. સારા-સારા જે બાળકો છે એમની બુદ્ધિ માં જ્ઞાન રહે છે. બાપ આપસમાન બનાવે છે ને? શિક્ષક માં પણ નંબરવાર હોય છે. ઘણાં તો શિક્ષક થઈને પણ પછી બગડી જાય છે. અનેક ને શીખવાડીને પછી પોતે ખતમ થઈ ગયાં. નાનાં-નાનાં બાળકો માં ભિન્ન-ભિન્ન સંસ્કાર વાળા હોય છે. કોઈ તો જુઓ નંબરવન શૈતાન, કોઈ પછી પરિસ્તાન માં જવા લાયક. ઘણાં છે જે ન જ્ઞાન ઉઠાવે, ન પોતાની ચલન સુધારે, બધાને દુઃખ જ આપતા રહે છે. આ પણ શાસ્ત્રો માં દેખાડ્યું છે કે અસુર આવીને છુપાઈને બેસતા હતાં. અસુર બનીને કેટલી તકલીફ આપે છે. આ તો બધું થતું રહે છે. ઊંચા માં ઊંચા બાપ ને જ સ્વર્ગ ની સ્થાપના કરવા આવવું પડે છે. માયા પણ ખૂબ જબરજસ્ત છે. દાન આપે છે તો પણ માયા બુદ્ધિ ફેરવી દે છે. અડધા ને જરુર માયા ખાશે, ત્યારે તો કહેવાય છે માયા ખૂબ દુસ્તર છે. અડધો કલ્પ માયા રાજ્ય કરે છે તો જરુર એટલી પહેલવાન હશે ને? માયા થી હારવા વાળા ની શું હાલત થઈ જાય છે! અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ છુઈ-મુઈ નથી બનવાનું. દૈવી ગુણ ધારણ કરી પોતાની ચલન સુધારવાની છે.

2. બાપ નો પ્રેમ મેળવવા માટે સેવા કરવાની છે, પરંતુ જે બીજાઓને સંભળાવો, તે સ્વયં ધારણ કરવાનું છે. કર્માતીત અવસ્થા માં જવાનો પૂરે-પૂરો પુરુષાર્થ કરવાનો છે.

વરદાન :-
સાકાર રુપ માં બાપદાદા ને સન્મુખ અનુભવ કરવા વાળા કમ્બાઇન્ડ રુપ ધારી ભવ

જેવી રીતે શિવ શક્તિ કમ્બાઇન્ડ છે એવી રીતે પાંડવપતિ અને પાંડવ કમ્બાઇન્ડ છે. જે એવી રીતે કમ્બાઇન્ડ રુપ માં રહે છે એમની આગળ બાપદાદા સાકાર માં સર્વ સંબંધો થી સામે હોય છે. હવે દિવસે-દિવસે હજી પણ અનુભવ કરશો કે જાણે બાપદાદા સામે આવ્યાં હાથ પકડ્યો, બુદ્ધિ થી નહીં આંખો થી જોશો, અનુભવ થશે. પરંતુ ફક્ત એક બાપ બીજું ન કોઈ, આ પાઠ પાક્કો હોય પછી તો જેવી રીતે પડછાયો ફરે છે એવી રીતે બાપદાદા આંખો થી હટી નહીં શકે, સદા સન્મુખ ની અનુભૂતિ થશે.

સ્લોગન :-
માયાજીત, પ્રકૃતિ જીત બનવા વાળા શ્રેષ્ઠ આત્મા જ સ્વ-કલ્યાણી તથા વિશ્વ કલ્યાણી છે.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્ત મહિના માં બંધન મુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

જ્યારે તમે હમણાં જીવનમુક્ત બનો તો તમારી જીવનમુક્ત સ્થિતિ નો પ્રભાવ જીવનબંધ વાળા આત્માઓ નાં બંધન સમાપ્ત કરશે. તો તે તારીખ ક્યારે હશે જ્યારે બધા જીવનમુક્ત હશે? કોઈ બંધન નથી. બધા બંધનો માં પહેલું એક બંધન છે - દેહભાન નું બંધન, એનાથી મુક્ત બનો. દેહ નથી તો બીજા બંધન સ્વત: જ ખતમ થઈ જશે.