06-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જૂની
દુનિયાનાં કાંટાઓ ને નવી દુનિયાનાં ફૂલ બનાવવા - આ આપ હોશિયાર માળીઓ નું કામ છે”
પ્રશ્ન :-
સંગમયુગ પર આપ બાળકો કઈ શ્રેષ્ઠ તકદીર બનાવો છો?
ઉત્તર :-
કાંટાઓ થી સુંગંધિત ફૂલ બનવું-આ છે સૌથી શ્રેષ્ઠ તકદીર. જો એક પણ કોઈ વિકાર છે તો
કાંટો છે. જ્યારે કાંટાઓથી ફૂલ બનો ત્યારે સતોપ્રધાન દેવી-દેવતા બનો. આપ બાળકો હમણાં
૨૧ પેઢી માટે પોતાની સૂર્યવંશી તકદીર બનાવવા આવ્યા છો.
ગીત :-
તકદીર જગાકર
આઈ હુઁ…
ઓમ શાંતિ!
ગીત બાળકોએ
સાંભળ્યું. આ તો સામાન્ય ગીત છે કારણકે તમે છો માળી, બાપ છે બાગવાન. હવે માળીઓ ને
કાંટા થી ફૂલ બનાવવાના છે. આ શબ્દ બહુ જ સ્પષ્ટ છે. ભક્ત આવ્યા છે ભગવાન ની પાસે. આ
બધી ભક્તિઓ છે ને? હમણાં જ્ઞાન નું ભણતર ભણવા બાપ ની પાસે આવ્યા છે. આ રાજયોગ નાં
ભણતર થી જ નવી દુનિયાનાં માલિક બનો છો. તો ભક્તિઓ કહે છે-અમે તકદીર બનાવીને આવ્યા
છીએ, નવી દુનિયા દિલ માં સજાવીને આવ્યા છીએ. બાબા પણ રોજ કહે છે કે સ્વીટ હોમ અને
સ્વીટ રાજાઈ ને યાદ કરો. આત્માએ યાદ કરવાના છે. દરેક સેવાકેન્દ્ર પર કાંટાઓ થી ફૂલ
બની રહ્યા છે. ફૂલો માં પણ નંબરવાર હોય છે ને? શિવ ની ઉપર ફૂલ ચઢાવે, કોઈ કેવા ફૂલ
ચઢાવે, કોઈક કેવાં! ગુલાબ નાં ફૂલ અને અક નાં ફૂલ માં રાત-દિવસ નો ફરક છે. આ પણ
બગીચો છે. કોઈ મોતીયા નાં ફૂલ છે, કોઈ ચંપા નાં, કોઈ રતન જ્યોત છે. કોઈ અક નાં પણ
છે. બાળકો જાણે છે આ સમયે બધા છે કાંટા. આ દુનિયા જ કાંટાઓ નું જંગલ છે, આને
બનાવવાનું છે નવી દુનિયાનું ફૂલ. આ જૂની દુનિયામાં છે કાંટા, તો ગીત માં પણ કહે છે
અમે બાપ ની પાસે આવ્યા છીએ જૂની દુનિયા નાં કાંટા થી નવી દુનિયા નાં ફૂલ બનવાં. જે
બાપ નવી દુનિયા સ્થાપન કરી રહ્યા છે. કાંટા થી ફૂલ અર્થાત્ દેવી-દેવતા બનવાનું છે.
ગીત નો અર્થ કેટલો સહજ છે. આપણે આવ્યા છીએ-તકદીર જગાડવા નવી દુનિયા માટે. નવી
દુનિયા છે સતયુગ. કોઈ ની સતોપ્રધાન તકદીર છે, કોઈ ની રજો, તમો છે. કોઈ સૂર્યવંશી
રાજા બને છે, કોઈ પ્રજા બને છે, કોઈ પ્રજા નાં પણ નોકર-ચાકર બને છે. આ નવી દુનિયા
ની રાજાઈ સ્થાપન થઈ રહી છે. સ્કૂલ માં તકદીર જગાડવા જાય છે ને? અહીં તો છે નવી
દુનિયાની વાત. આ જૂની દુનિયા માં શું તકદીર બનાવશે? તમે ભવિષ્ય નવી દુનિયા માં દેવતા
બનવાની તકદીર બનાવી રહ્યા છો, જે દેવતાઓ ને બધા નમન કરતા આવ્યા છે. આપણે જ દેવતા
પૂજ્ય હતાં પછી આપણે જ પુજારી બન્યા છીએ. ૨૧ જન્મો નો વારસો બાપ પાસે થી મળે છે,
જેને ૨૧ પેઢી કહેવાય છે. પેઢી વૃદ્ધ અવસ્થા સુધી ને કહેવાય છે. બાપ ૨૧ પેઢી નો વારસો
આપે છે કારણકે યુવા અવસ્થા માં કે બાળપણ માં, વચ્ચે અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી
એટલે એને કહેવાય છે અમરલોક. આ છે મૃત્યુલોક, રાવણ રાજ્ય. અહીં દરેક માં વિકારો ની
પ્રવેશતા છે, જેમનામાં કોઈ એક પણ વિકાર છે તો કાંટા થયાં ને? બાપ સમજશે માળી રોયલ
સુગંધિત ફૂલ બનાવવાનું નથી જાણતાં. માળી સારા હશે તો સારા-સારા ફૂલ તૈયાર કરશે.
વિજય માળા માં પરોવવા લાયક ફૂલ જોઈએ. દેવતાઓ ની પાસે સારા-સારા ફૂલ લઈ જાય છે ને?
સમજો, રાણી એલિઝાબેથ આવે છે તો એકદમ ફર્સ્ટ ક્લાસ ફૂલો ની માળા બનાવીને લઈ જશે. અહીં
નાં મનુષ્ય તો છે તમોપ્રધાન. શિવ નાં મંદિર માં પણ જાય છે, સમજે છે આ ભગવાન છે.
બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને તો દેવતા કહે છે. શિવ ને ભગવાન કહેશે. તો એ ઊંચા માં ઊંચા
થયા ને? હવે શિવ માટે કહે છે ધતુરો ખાતાં હતાં, ભાંગ પીતાં હતાં. કેટલી ગ્લાનિ કરે
છે? ફૂલ પણ અક નાં લઈ જાય છે. હવે આવા પરમપિતા પરમાત્મા એમની પાસે શું લઈ જાય છે?
તમોપ્રધાન કાંટાઓ ની પાસે તો ફર્સ્ટ ક્લાસ ફૂલ લઈ જાય છે અને શિવ નાં મંદિર માં શું
લઈ જાય છે? દૂધ પણ કેવું ચઢાવે છે? ૫ ટકા દૂધ બાકી ૯૫ ટકા પાણી. ભગવાન ની પાસે દૂધ
કેવું ચઢાવવું જોઈએ-જાણતા તો કાંઈ પણ નથી. હવે તમે સારી રીતે જાણો છો. તમારામાં પણ
નંબરવાર છે, જે સારું જાણે છે તેમને સેવાકેન્દ્ર નાં હેડ (મુખ્ય) બનાવાય છે. બધા તો
એક જેવા નથી હોતાં. ભલે ભણતર એક જ છે, મનુષ્ય થી દેવતા બનાવાનું જ આ મુખ્ય-લક્ષ છે,
પરંતુ શિક્ષક તો નંબરવાર છે ને? વિજય માળા માં આવવાનો મુખ્ય આધાર છે ભણતર. ભણતર તો
એક જ હોય છે, એમાં પાસ તો નંબરવાર થાય છે ને? બધો આધાર ભણતર પર છે. કોઈ તો વિજય માળા
નાં ૮ દાણા માં આવે છે, કોઈ ૧૦૮ માં, કોઈ ૧૬,૧૦૮ માં. સિજરો (વિભાગ) બનાવે છે ને?
જેમ ઝાડ નો પણ સિજરો નીકળે છે, પહેલાં-પહેલાં એક પાન, બે પાન પછી વધતાં જાય છે. આ
પણ ઝાડ છે. સંપ્રદાય હોય છે, જેમ કૃપલાની સંપ્રદાય વગેરે-વગેરે, તે બધા છે હદ નાં
સંપ્રદાય. આ છે બેહદ નો સંપ્રદાય. આનાં પહેલાં-પહેલાં કોણ છે? પ્રજાપિતા બ્રહ્મા.
તેમને કહેવાશે ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. પરંતુ આ કોઈને ખબર નથી. મનુષ્ય-માત્ર જરા
પણ નથી જાણતા કે સૃષ્ટિ નાં રચયિતા કોણ છે? બિલકુલ અહિલ્યા જેવા પથ્થર બુદ્ધિ છે.
એવા જ્યારે બની જાય છે ત્યારે જ બાપ આવે છે.
તમે અહીં આવ્યા છો અહિલ્યા બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનવાં. તો નોલેજ પણ ધારણ કરવી
જોઈએ ને? બાપ ને ઓળખવા જોઈએ અને ભણતર નો વિચાર કરવો જોઈએ. સમજો, આજે આવ્યા છે, કાલે
અચાનક શરીર છૂટી જાય છે પછી શું પદ મેળવી શકશે? નોલેજ તો કાંઈ પણ લીધી નથી, કાંઈ પણ
શીખ્યા નથી તો શું પદ મેળવશે? દિવસે-દિવસે જે પછી થી શરીર છોડે છે, એમને સમય તો થોડો
મળે છે કારણકે સમય તો ઓછો થતો જાય છે, એમાં જન્મ લઈ શું કરી શકશે? હા, તમારા માંથી
જે જશે તો કોઈ સારા ઘર માં જન્મ લેશે. સંસ્કાર લઈ જાય છે તો તે આત્મા ઝટ જાગી જશે,
શિવબાબા ને યાદ કરવા લાગશે. સંસ્કાર જ નહીં પડેલાં હશે તો કાંઈ પણ નહીં થશે. આને બહુ
જ મહીનતા થી સમજવાનું હોય છે. માળી સારા-સારા ફૂલો ને લઈ આવે છે તો તેમની મહિમા પણ
ગવાય છે, ફૂલ બનાવવા તો માળી નું કામ છે ને? એવા ઘણાં બાળકો છે, જેમને બાપ ને યાદ
કરતા આવડતું જ નથી. તકદીર ઉપર છે ને? તકદીર માં નથી તો કાંઈ પણ સમજતા નથી. તકદીરવાન
બાળકો તો બાપ ને યથાર્થ રીતે ઓળખીને એમને પૂરી રીતે યાદ કરશે. બાપ ની સાથે-સાથે નવી
દુનિયા ને પણ યાદ કરતા રહેશે. ગીત માં પણ કહે છે ને-અમે નવી દુનિયા માટે નવી તકદીર
બનાવવા માટે આવ્યા છીએ. ૨૧ જન્મ માટે બાપ પાસે થી રાજ્ય-ભાગ્ય લેવાનું છે. આ નશા અને
ખુશી માં રહે તો આવા-આવા ગીત નો અર્થ ઈશારા થી સમજી જાય. સ્કૂલ માં પણ કોઈની તકદીર
માં નથી હોતું તો નાપાસ થઈ જાય છે. આ તો ખૂબ મોટી પરીક્ષા છે. ભગવાન સ્વયં બેસીને
ભણાવે છે. આ નોલેજ બધા ધર્મ વાળા માટે છે. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી મુજ બાપ
ને યાદ કરો. તમે જાણો છો કોઈ પણ દેહધારી મનુષ્ય ને ભગવાન કહી ન શકાય.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ ભગવાન નહીં કહેવાશે. એ પણ સૂક્ષ્મવતન વાસી દેવતાઓ છે. અહીં
છે મનુષ્ય. અહીં દેવતાઓ નથી. આ છે મનુષ્ય લોક. આ લક્ષ્મી-નારાયણ વગેરે દૈવીગુણ વાળા
મનુષ્ય છે, જેને ડિટીઝ્મ (દૈવી રાજ્ય) કહેવાય છે. સતયુગ માં બધા દેવી-દેવતા છે,
સૂક્ષ્મવતન માં છે જ બ્રહ્મા-વિષ્ણુ-શંકર. ગાયન પણ છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ
દેવતાય નમઃ… પછી કહેશે શિવ પરમાત્માય નમઃ. શિવ ને દેવતા નહીં કહેવાશે. બીજા મનુષ્ય
ને પછી ભગવાન ન કહી શકાય. ત્રણ માળ છે ને? આપણે છીએ ત્રીજા માળ પર. સતયુગ નાં જે
દૈવી ગુણવાળા મનુષ્ય છે તે જ પછી આસુરી ગુણવાળા બની જાય છે. માયા નું ગ્રહણ લાગવાથી
કાળા થઈ જાય છે. જેમ ચંદ્રમા ને પણ ગ્રહણ લાગે છે ને? તે છે હદ ની વાતો, આ છે બેહદ
ની વાત. બેહદ નો દિવસ અને બેહદ ની રાત છે. ગાય પણ છે બ્રહ્મા નો દિવસ અને રાત. તમારે
હવે એક બાપ પાસે થી જ ભણવાનું છે બાકી બધું જ ભૂલી જવાનું છે. બાપ દ્વારા ભણવા થી
તમે નવી દુનિયાનાં માલિક બનો છો. આ સાચ્ચી-સાચ્ચી ગીતા પાઠશાળા છે. પાઠશાળા માં
હંમેશા નથી રહેતાં. મનુષ્ય સમજે છે ભક્તિ માર્ગ ભગવાન ને મળવાનો માર્ગ છે, જેટલી
વધારે ભક્તિ કરીશું તો ભગવાન રાજી થશે અને આવીને ફળ આપશે. આ બધી વાતો તમે જ હમણાં
સમજો છો. ભગવાન એક છે જે ફળ હમણાં આપી રહ્યા છે. જે પહેલાં-પહેલાં સૂર્યવંશી પૂજ્ય
હતાં, તેમણે જ સૌથી વધારે ભક્તિ કરી છે, તેઓ જ અહીં આવશે. તમે જ પહેલાં-પહેલાં
શિવબાબા ની અવ્યભિચારી ભક્તિ કરી છે તો જરુર તમે જ પહેલાં-પહેલાં ભક્ત થયાં. પછી
ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન બની જાઓ છો. અડધો કલ્પ તમે ભક્તિ કરી છે, એટલે તમને જ પહેલાં
જ્ઞાન આપે છે. તમારા માં પણ નંબરવાર છે.
તમારા આ ભણતર માં આ બહાનું ન ચાલી શકે કે અમે દૂર રહીએ છીએ એટલે રોજ નથી ભણી શકતાં.
કોઈ કહે છે અમે ૧૦ માઈલ દૂર રહીએ છીએ. અરે, બાબા ની યાદ માં તમે ૧૦ માઈલ પણ ચાલીને
જાઓ તો ક્યારેય થાક નહીં લાગે. કેટલો મોટો ખજાનો લેવા જાઓ છો. તીર્થો પર મનુષ્ય
દર્શન કરવા માટે પગપાળા જાય છે, કેટલાં ધક્કા ખાય છે? આ તો એક જ શહેર ની વાત છે.
બાપ કહે છે હું આટલા દૂર થી આવ્યો છું, તમે કહો છો ઘર ૫ માઈલ દૂર છે…વાહ! ખજાનો લેવા
માટે તો દોડતા આવવું જોઈએ. અમરનાથ પર ફક્ત દર્શન કરવા માટે ક્યાં-ક્યાં થી જાય છે.
અહીં તો અમરનાથ બાબા સ્વયં ભણાવવા આવ્યા છે. તમને વિશ્વ નાં માલિક બનાવવા આવ્યો
છું. તમે બહાના કરતા રહો છો. સવારે અમૃતવેલા તો કોઈ પણ આવી શકે છે. તે સમયે કોઈ ડર
નથી. કોઈ તમને લૂંટશે પણ નહીં. જો કોઈ ચીજ, દાગીના વગેરે હશે તો ખેંચશે. ચોરો ને
જોઈએ જ ધન, પદાર્થ. પરંતુ કોઈક ની તકદીર માં નથી તો પછી બહાના ખૂબ બનાવે છે. ભણતા
નથી તો પોતાનું પદ ગુમાવે છે. બાપ આવે પણ ભારત માં છે. ભારત ને જ સ્વર્ગ બનાવે છે.
સેકન્ડ માં જીવનમુક્તિ નો રસ્તો બતાવે છે. પરંતુ કોઈ પુરુષાર્થ પણ કરે ને? કદમ જ નહીં
ઉઠાવશે તો પહોંચી કેવી રીતે શકશે?
આપ બાળકો સમજો છો કે આ છે આત્માઓ અને પરમાત્મા નો મેળો. બાપ ની પાસે આવ્યા છે
સ્વર્ગ નો વારસો લેવા, નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. સ્થાપના પૂરી થઈ અને વિનાશ
શરુ થઈ જશે. આ એ જ મહાભારત ની લડાઈ છે ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ જે
જ્ઞાન નો ખજાનો આપી રહ્યા છે, તેને લેવા માટે દોડી-દોડી ને આવવાનું છે, આમાં કોઈ પણ
પ્રકાર નાં બહાના નથી આપવાનાં. બાપ ની યાદ માં ૧૦ માઈલ પણ પગપાળા ચાલવાથી થાક નહીં
લાગશે.
2. વિજય માળા માં
આવવાનો આધાર ભણતર છે. ભણતર પર પૂરું ધ્યાન આપવાનું છે. કાંટાઓ ને ફૂલ બનાવવાની સેવા
કરવાની છે. સ્વીટ હોમ અને સ્વીટ રાજાઈ ને યાદ કરવાના છે.
વરદાન :-
સંગમયુગ નાં
મહત્વ ને જાણી એક નું અગણિત વાર રિટર્ન પ્રાપ્ત કરવા વાળા સર્વ પ્રાપ્તિ સંપન્ન ભવ
સંગમયુગ પર બાપદાદા
નો વાયદો છે - એક આપો બે લાખ લો. જેવી રીતે સર્વ શ્રેષ્ઠ સમય, સર્વ શ્રેષ્ઠ જન્મ,
સર્વ શ્રેષ્ઠ ટાઈટલ આ સમય નાં છે તેવી રીતે સર્વ પ્રાપ્તિ નો અનુભવ હમણાં જ થાય છે.
હમણાં એક નું ફક્ત લાખ ગુણા નથી મળતું પરંતુ જ્યારે ઈચ્છો, જેવી રીતે ઈચ્છો, જે
ઈચ્છો બાપ સર્વન્ટ રુપ માં બંધાયેલા છે. એક નું અગણિત વાર રિટર્ન મળી જાય છે કારણકે
વર્તમાન સમયે વરદાતા જ તમારા છે. જ્યારે બીજ તમારા હાથ માં છે તો બીજ દ્વારા જે
ઈચ્છો તે સેકન્ડ માં લઈને સર્વ પ્રાપ્તિઓ થી સંપન્ન બની શકો છો.
સ્લોગન :-
કેવી પણ
પરિસ્થિતિ હોય, પરિસ્થિતિ ચાલી જાય પરંતુ ખુશી ન જાય.
અવ્યક્ત ઇશારા -
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
“એકતા અને એકાગ્રતા”-
આ બંને શ્રેષ્ઠ ભુજાઓ છે, કાર્ય કરવાની સફળતા ની. એકાગ્રતા અર્થાત્ સદા નિરવ્યર્થ
સંકલ્પ, નિર્વિકલ્પ. જ્યાં એકતા અને એકાગ્રતા છે, ત્યાં સફળતા ગળા નો હાર છે. વરદાતા
ને એક શબ્દ પ્રિય છે ‘એકવ્રતા’, એક બળ એક ભરોસો. સાથે-સાથે એકમત, ન મનમત, ન પરમત,
એકરસ. ન બીજા કોઈ વ્યક્તિ, ન વૈભવ નો રસ. એવી રીતે જ એકતા, એકાંતપ્રિય.