07-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
નિશ્ચય જ્ઞાન યોગ થી બેસે , સાક્ષાત્કાર થી નહીં . સાક્ષાત્કાર ની ડ્રામા માં નોંધ
છે , બાકી એનાં થી કોઈનું કલ્યાણ નથી થતું”
પ્રશ્ન :-
બાપ કઈ તાકાત નથી દેખાડતા પરંતુ બાપ ની પાસે જાદુગરી અવશ્ય છે?
ઉત્તર :-
મનુષ્ય સમજે છે ભગવાન તો તાકાતવાન છે, એ મરેલા ને પણ જીવતા કરી શકે છે, પરંતુ બાબા
કહે આ તાકાત હું નથી દેખાડતો. બાકી કોઈ નૌધા ભક્તિ કરે છે તો તેમને સાક્ષાત્કાર
કરાવી દઉં છું. આ પણ ડ્રામા માં નોંધ છે. સાક્ષાત્કાર કરાવવાની જાદુગરી બાપ ની પાસે
છે એટલે ઘણાં બાળકો ને ઘરે બેસીને પણ બ્રહ્મા અથવા શ્રીકૃષ્ણ નાં સાક્ષાત્કાર થઈ
જાય છે.
ગીત :-
કૌન આયા મેરે
મન કે દ્વારે…
ઓમ શાંતિ!
આ બાળકો નાં
અનુભવ નું ગીત છે. સત્સંગ તો ખૂબ છે, ખાસ ભારત માં તો અનેક સત્સંગ છે, અનેક
મત-મતાંતર છે, હકીકત માં તે કોઈ સત્સંગ નથી. સત્સંગ એક હોય છે. બાકી તમે ત્યાં કોઈ
વિદ્વાન, આચાર્ય, પંડિત નું મુખ જોશો, બુદ્ધિ તે તરફ જશે. અહીં પછી અનોખી વાત છે. આ
સત્સંગ એક જ વખત આ સંગમયુગ પર થાય છે. આ તો બિલકુલ નવી વાત છે, એ બેહદ નાં બાપ ને
કોઈ શરીર તો નથી. કહે છે હું તમારો નિરાકાર શિવબાબા છું. તમે બીજા સત્સંગો માં જાઓ
છો તો શરીરો ને જ જુઓ છો. શાસ્ત્ર યાદ કરી પછી સંભળાવે છે, અનેક પ્રકાર નાં શાસ્ત્ર
છે, તે તો તમે જન્મ-જન્માન્તર સાંભળતા આવ્યાં છો. હમણાં છે નવી વાત. બુદ્ધિ થી આત્મા
જાણે છે, બાપ કહે છે-હે મારા સિકિલધા બાળકો, હે મારા સાલિગ્રામો! આપ બાળકો જાણો છો
૫ હજાર વર્ષ પહેલાં આ શરીર દ્વારા બાબાએ ભણાવ્યું હતું. તમારી બુદ્ધિ એકદમ દૂર ચાલી
જાય છે. તો બાબા આવ્યાં છે. બાબા શબ્દ કેટલો મીઠો છે! એ છે માતા-પિતા. કોઈ પણ
સાંભળશે તો કહેશે ખબર નથી આમનાં માત-પિતા કોણ છે? બરોબર એ સાક્ષાત્કાર કરાવે છે તો
તેમાં પણ તે મુંઝાય છે. ક્યારેક બ્રહ્મા ને, ક્યારેક કૃષ્ણ ને જોઈ લે છે. તો વિચાર
કરતા રહે છે કે આ શું છે? બ્રહ્મા નો પણ અનેક ને ઘરે બેઠાં સાક્ષાત્કાર થાય છે. હવે
બ્રહ્મા ની તો ક્યારેય કોઈ પૂજા કરતા નથી. શ્રીકૃષ્ણ વગેરે ની તો કરે છે. બ્રહ્મા
ને તો કોઈ જાણતા પણ નહીં હશે. પ્રજાપિતા બ્રહ્મા તો હમણાં આવ્યાં છે, આ છે પ્રજાપિતા.
બાપ બેસી સમજાવે છે કે આખી દુનિયા પતિત છે તો જરુર આ પણ અનેક જન્મો નાં અંત માં
પતિત થયાં. કોઈ પણ પાવન નથી એટલે કુંભ નાં મેળા પર, હરિદ્વાર ગંગા સાગર નાં મેળા પર
જાય છે, સમજે છે સ્નાન કરવા થી પાવન બની જઈશું. પરંતુ આ નદીઓ કોઈ પતિત-પાવની થોડી
હોઈ શકે? નદીઓ તો નીકળે છે સાગર માંથી. હકીકત માં તમે છો જ્ઞાન-ગંગાઓ, મહત્વ તમારું
છે. તમે જ્ઞાન ગંગાઓ જ્યાં-ત્યાં નીકળો છો, તે લોકો પછી દેખાડે છે, તીર માર્યુ અને
ગંગા નીકળી. તીર મારવાની તો વાત નથી. આ જ્ઞાન-ગંગાઓ દેશ-દેશાંતર જાય છે.
શિવબાબા કહે છે હું
ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. બધાનો પાર્ટ નિશ્ચિત કરેલો છે. મારો પણ પાર્ટ
નિશ્ચિત છે. કોઈ સમજે ભગવાન તો બહુજ તાકાતવાન છે, મરેલા ને પણ જીવતા કરી શકે છે. આ
બધા ગપ્પા છે. હું આવું છું ભણાવવા માટે. બાકી તાકાત શું દેખાડીશ! સાક્ષાત્કાર ની
પણ જાદુગરી છે. નૌધા ભક્તિ કરે છે તો હું સાક્ષાત્કાર કરાવું છું. જેવી રીતે કાળી
નું રુપ દેખાડે છે, તેનાં પર પછી તેલ ચઢાવે છે. હવે એવી તો કાળી નથી, પરંતુ કાળી ની
નૌધા ભક્તિ ખૂબ કરે છે. હકીકત માં કાળી તો જગત અંબા છે. કાળી નું એવું રુપ તો નથી,
પરંતુ નૌધા ભક્તિ કરવાથી બાબા ભાવના નું ભાડું આપી દે છે. કામ ચિતા પર બેસવાથી કાળા
બન્યાં, હવે જ્ઞાન ચિતા પર બેસી ગોરા બને છે. જે કાળી હવે જગદંબા બની છે તે
સાક્ષાત્કાર કેવી રીતે કરાવશે? તે તો હમણાં અનેક જન્મો નાં અંત નાં પણ અંતવાળા જન્મ
માં છે. દેવતાઓ તો હમણાં નથી. તો તે શું સાક્ષાત્કાર કરાવશે? બાપ સમજાવે છે આ
સાક્ષાત્કાર ની ચાવી મારા હાથ માં છે. અલ્પકાળ માટે ભાવના પૂરી કરવા માટે
સાક્ષાત્કાર કરાવી દઉં છું. પરંતુ તે કોઈ મને નથી મળતાં. દૃષ્ટાંત એક કાળી નું આપે
છે. આવી રીતે ઘણાં છે-હનુમાન, ગણેશ વગેરે. ભલે સિક્ખ લોકો પણ ગુરુનાનક ની ખૂબ ભક્તિ
કરે તો તેમને પણ સાક્ષાત્કાર થઈ જશે. પરંતુ તેઓ તો નીચે ચાલ્યાં આવે છે. બાબા બાળકો
ને દેખાડે છે કે જુઓ આ ગુરુનાનક ની ભક્તિ કરી રહ્યાં છે. સાક્ષાત્કાર તો પણ હું
કરાવું છું. તે કેવી રીતે સાક્ષાત્કાર કરાવશે? તેમની પાસે સાક્ષાત્કાર કરાવવાની ચાવી
નથી. આ બાબા કહે છે મને વિનાશ, સ્થાપના નાં સાક્ષાત્કાર પણ એ બાબાએ કરાવ્યા, પરંતુ
સાક્ષાત્કાર થી કોઈનું પણ કલ્યાણ નથી. એવાં તો અનેક ને સાક્ષાત્કાર થતા હતાં. આજે
તે નથી. ઘણાં બાળકો કહે છે અમને જ્યારે સાક્ષાત્કાર થાય તો નિશ્ચય બેસે. પરંતુ
નિશ્ચય સાક્ષાત્કાર થી નથી થઈ શકતો. નિશ્ચય બેસે છે જ્ઞાન અને યોગ થી. ૫ હજાર વર્ષ
પહેલાં પણ મેં કહ્યું હતું કે આ સાક્ષાત્કાર હું કરાવું છું. મીરા એ પણ સાક્ષાત્કાર
કર્યો. એવું નથી કે આત્મ ત્યાં ચાલ્યો ગયો. ના, બેઠાં-બેઠાં સાક્ષાત્કાર કરી લે છે
પરંતુ મને નથી પ્રાપ્ત કરી શકતાં.
બાપ કહે છે કોઈ પણ
વાત નો સંશય હોય તો જે પણ બ્રાહ્મણીઓ (ટીચર્સ) છે, તેમને પૂછો. આ તો જાણો છો બાળકીઓ
પણ નંબરવાર છે, નદીઓ પણ નંબરવાર હોય છે. કોઈ તો તળાવ પણ છે, ખૂબ ગંદુ, વાસી પાણી
હોય છે. ત્યાં પણ શ્રધ્ધાભાવ થી મનુષ્ય જાય છે. તે છે ભક્તિ ની અંધશ્રદ્ધા. ક્યારેય
પણ કોઈ ને ભક્તિ છોડાવવાની નથી. જ્યારે જ્ઞાન માં આવી જશે તો ભક્તિ જાતે જ છૂટી જશે.
બાબા પણ નારાયણ નાં ભક્ત હતાં, ચિત્ર માં જોયું લક્ષ્મી દાસી બની નારાયણ નાં પગ
દબાવી રહી છે તો એ બિલકુલ ન ગમ્યું. સતયુગ માં એવું હોતું નથી. તો મેં એક આર્ટિસ્ટ
(ચિત્રકાર) ને કહ્યું કે લક્ષ્મી ને આ દાસીપણા થી વિદાય આપી દો. બાબા ભક્ત તો હતાં
પરંતુ જ્ઞાન થોડી હતું? ભક્ત તો બધા છે. આપણે તો બાબા નાં બાળકો માલિક છીએ.
બ્રહ્માંડ નાં પણ માલિક બાળકો ને બનાવે છે. કહે છે તમને રાજ્ય-ભાગ્ય આપું છું. આવાં
બાબા ક્યારેય જોયા? એ બાપ ને પૂરાં યાદ કરવાના છે. એમને તમે આ આંખો થી નથી જોઈ શકતાં.
એમની સાથે યોગ લગાવવાનો છે. યાદ અને જ્ઞાન પણ બિલકુલ સહજ છે. બીજ અને ઝાડ ને જાણવાનું
છે. તમે એ નિરાકારી ઝાડ થી સાકારી ઝાડ માં આવ્યાં છો. બાબાએ સાક્ષાત્કાર નું રહસ્ય
પણ સમજાવ્યું. ઝાડ નું રહસ્ય પણ સમજાવ્યું. કર્મ-અકર્મ-વિકર્મ ની ગતિ પણ બાબાએ
સમજાવી છે. બાપ, શિક્ષક, ગુરુ ત્રણેય થી શિક્ષા મળે છે. હમણાં બાબા કહે છે હું તમને
એવી શિક્ષા આપું છું, એવાં કર્મ શીખવાડું છું, જે તમે ૨૧ જન્મ સદા સુખી બની જાઓ છો.
શિક્ષક શિક્ષા આપે છે ને? ગુરુ લોકો પણ પવિત્રતા ની શિક્ષા આપે છે અથવા કથાઓ સંભળાવે
છે. પરંતુ ધારણા બિલકુલ નથી હોતી. અહીં તો બાપ કહે છે અંત મતિ સો ગતિ થશે. મનુષ્ય
જ્યારે મરે છે તો પણ કહે છે રામ-રામ કહો તો બુદ્ધિ તે તરફ ચાલી જાય છે. હમણાં બાપ
કહે છે તમારો સાકાર થી યોગ છૂટ્યો. હવે હું તમને ખૂબ સારા કર્મ શીખવાડું છું.
શ્રીકૃષ્ણ નું ચિત્ર જુઓ, જૂની દુનિયા ને લાત મારે છે અને નવી દુનિયા માં આવે છે.
તમે પણ જૂની દુનિયા ને લાત મારી નવી દુનિયા માં જાઓ છો. તો તમારી નર્ક ની તરફ છે
લાત, સ્વર્ગ તરફ છે મુખ. સ્મશાન માં પણ અંદર જ્યારે પ્રવેશે છે તો મડદા નું મુખ તે
તરફ કરી લે છે. પગ પાછળ ની તરફ કરી લે છે. તો આ ચિત્ર પણ એવું બનાવ્યું છે.
મમ્મા, બાબા અને આપ
બાળકો, તમારે તો મમ્મા-બાબા ને ફોલો (અનુકરણ) કરવાનાં છે, જે તેમની ગાદી પર બેસો.
રાજા નાં બાળકો પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) કહેવાય છે ને? તમે જાણો છો
આપણે ભવિષ્ય માં પ્રિન્સ-પ્રિન્સેસ બનીએ છીએ. એવાં કોઈ બાપ-શિક્ષક-ગુરુ હશે જે તમને
આવાં કર્મ શીખવાડે? તમે સદાકાળ માટે સુખી બનો છો. આ શિવબાબા નું વરદાન છે, એ
આશીર્વાદ કરે છે. એમ નહીં, આપણા ઉપર તેમની કૃપા છે. ફક્ત કહેવાથી કાંઈ નહીં થશે.
તમારે શીખવાનું હોય છે. ફક્ત આશીર્વાદ થી તમે નહીં બની જશો. એમની મત પર ચાલવાનું
છે. જ્ઞાન અને યોગ ની ધારણા કરવાની છે. બાપ સમજાવે છે કે મુખ થી રામ-રામ કહેવું પણ
અવાજ થઈ જાય. તમારે તો વાણી થી પરે જવાનું છે. ચૂપ રહેવાનું છે. રમત પણ ખૂબ
સારી-સારી નીકળે છે. અભણ ને બુદ્ધુ કહેવાય છે. બાબા કહે છે કે હવે બધાને ભૂલી તમે
બિલકુલ બુધ્ધુ બની જાઓ. હું જે તમને મત આપું છું તેનાં પર ચાલો. પરમધામ માં તમે બધા
આત્માઓ શરીર વગર રહો છો પછી અહીં આવીને શરીર લો છો ત્યારે જીવ આત્મા કહેવાય છે.
આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. તો બાપ કહે હું તમને ફર્સ્ટ ક્લાસ
કર્મ શીખવાડું છું. શિક્ષક ભણાવે છે, એમાં તાકાત ની શું વાત છે? સાક્ષાત્કાર કરાવે
છે, તેને જાદુગરી કહેવાય છે. મનુષ્ય થી દેવતા બનાવવા, એવી જાદુગરી કોઈ કરી ન શકે.
બાબા સોદાગર પણ છે, જૂનું લઈ ને નવું આપે છે. આને જૂનું લોખંડ નું વાસણ કહેવાય છે.
એનું કોઈ મૂલ્ય નથી. આજકાલ જુઓ તાંબા નાં પણ પૈસા નથી બનતાં. ત્યાં તો સોના નાં
સિક્કા હોય છે. વન્ડર છે ને? શું થી શું થઈ ગયું છે!
બાબા કહે છે હું તમને
નંબરવન કર્મ શીખવાડું છું. મનમનાભવ થઈ જાઓ. પછી છે ભણતર જેનાંથી સ્વર્ગનાં પ્રિન્સ
બનશો. હમણાં દેવતા ધર્મ જે પ્રાયઃલોપ થઈ ગયો છે, તે ફરી થી સ્થાપન થાય છે. મનુષ્ય
તમારી નવી વાતો સાંભળી ને વન્ડર ખાય છે. કહે છે કે સ્ત્રી-પુરુષ બન્ને સાથે રહીને
પવિત્ર રહી શકે-આ કેવી રીતે થઈ શકે? બાબા તો કહે ભલે સાથે રહો, નહીં તો ખબર કેવી
રીતે પડે. વચ્ચે જ્ઞાન-તલવાર રાખવાની છે, એટલી બહાદુરી દેખાડવાની છે. પરીક્ષા થાય
છે. તો મનુષ્ય આ વાતો માં વન્ડર ખાય છે કારણકે શાસ્ત્રો માં તો આવી વાતો નથી. અહીં
તો પ્રેક્ટિકલ માં મહેનત કરવી પડે છે. ગંધર્વ વિવાહ ની વાત અહીં ની છે. હમણાં તમે
પવિત્ર બનો છો. તો બાબા કહે છે બહાદુરી દેખાડો. સંન્યાસીઓ ની આગળ સબૂત આપવાનું છે.
સમર્થ બાબા જ આખી દુનિયા ને પાવન બનાવે છે. બાપ કહે છે ભલે સાથે રહો ફક્ત
નિર્વસ્ત્ર નથી થવાનું. આ બધી છે યુક્તિઓ. ખૂબ જબરજસ્ત પ્રાપ્તિ છે ફક્ત એક જન્મ
બાબા નાં ડાયરેક્શન (માર્ગદર્શન) પર પવિત્ર રહેવાનું છે. યોગ અને જ્ઞાન થી એવરહેલ્દી
(સદા સ્વસ્થ) બનો છો ૨૧ જન્મો માટે, આમાં મહેનત છે ને? તમે છો શક્તિ સેના. માયા પર
જીત પહેરી જગતજીત બનો છો. બધા થોડી બનશે? જે બાળકો પુરુષાર્થ કરશે તે ઊંચ પદ મેળવશે.
તમે ભારત ને જ પવિત્ર બનાવી ને પછી ભારત પર જ રાજ્ય કરો છો. લડાઈ થી ક્યારેય સૃષ્ટિ
ની બાદશાહી મળી ન શકે. આ વન્ડર છે ને? આ સમયે બધા પરસ્પર લડી ને ખલાસ થઈ જાય છે.
માખણ ભારત ને મળે છે. અપાવવા વાળી છે વંદે માતરમ્. બહુમતી માતાઓ ની છે. હવે બાબા કહે
છે જન્મ-જન્માંતર તમે ગુરુ કરતા આવ્યાં, શાસ્ત્ર વાંચતા આવ્યાં છો. હવે હું તમને
સમજાવું છું - જ્જ યોર સેલ્ફ (સ્વયં ની તપાસ કરો), રાઈટ (સત્ય) શું છે? સતયુગ છે
રાયટિયસ દુનિયા (સચખંડ). માયા અનરાઈટિયસ બનાવે છે. હવે ભારતવાસી, ઈરિલિજિયસ (અધર્મી)
બની ગયા છે. રિલિજન (ધર્મ) નથી એટલે માઈટ (શક્તિ) નથી રહી. ઈરિલિજિયસ, અનરાઈટિયસ,
અનલોફુલ, ઇનસાલવેન્ટ બની ગયા છે. બેહદ નાં બાપ છે એટલે બેહદ ની વાતો સમજાવે છે, કહે
છે કે પછી તમને રિલિજિયસ મોસ્ટ પાવરફુલ બનાવું છું. સ્વર્ગ બનાવવું તો પાવરફુલ નું
કામ છે. પરંતુ છે ગુપ્ત. ઇનકાગનીટો વોરિયર્સ છે. બાપ નો બાળકો પર ખૂબ પ્રેમ હોય છે.
મત આપે છે. બાપ ની મત, શિક્ષક ની મત, ગુરુ ની મત, સોની ની મત, ધોબી ની મત - આમાં બધી
મતો આવી જાય છે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ એક અંતિમ
જન્મ માં બાપ નાં ડાયરેક્શન પર ચાલી ઘર ગૃહસ્થ માં રહેતા પવિત્ર રહેવાનું છે. આમાં
બહાદુરી દેખાડવાની છે.
2. શ્રીમત પર સદા
શ્રેષ્ઠ કર્મ કરવાના છે. વાણી થી પરે જવાનું છે, જે કાંઈ વાંચ્યું તથા સાંભળ્યું છે
તેને ભૂલી બાપ ને યાદ કરવાના છે.
વરદાન :-
પરિસ્થિતિ ને
ગુડલક સમજી પોતાનાં નિશ્ચય નાં ફાઉન્ડેશન ને મજબૂત બનાવવા વાળા અચલ અડોલ ભવ
કોઈપણ પરિસ્થિતિ આવે
તો તમે હાઈ જંપ આપી દો કારણકે પરિસ્થિતિ આવવી પણ ગુડલક છે. આ નિશ્ચય નાં ફાઉન્ડેશન
ને મજબૂત કરવાનું સાધન છે. તમે જ્યારે એકવાર અંગદ નાં સમાન મજબૂત થઈ જશો તો આ પેપર
પણ નમસ્કાર કરશે. પહેલાં વિકરાળ રુપ માં આવશે અને પછી દાસી બની જશે. ચેલેન્જ કરો અમે
મહાવીર છીએ. જેવી રીતે પાણી ની ઉપર લકીર (લીટી) રહી નથી શકતી, એવી રીતે મુજ માસ્ટર
સાગર ની ઉપર કોઈ પરિસ્થિતિ વાર કરી નથી શકતી. સ્વ-સ્થિતિ માં રહેવાથી અચલ અડોલ બની
જશો
સ્લોગન :-
જૂનાં વર્ષ ને
વિદાય આપવા ની સાથે-સાથે કડવાપણા ને પણ વિદાય આપી દો.
અવ્યક્ત ઈશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
જો વરદાતા અને વરદાની
બંને નો સંબંધ સમીપ અને સ્નેહ નાં આધારે નિરંતર હોય અને સદા કંબાઈન્ડ રુપ માં રહો
તો પવિત્રતા ની છત્રછાયા સ્વતઃ રહેશે. જ્યાં સર્વશક્તિવાન્ બાપ છે ત્યાં અપવિત્રતા
સ્વપ્ન માં પણ નથી આવી શકતી. જ્યારે એકલા થાઓ છો તો પવિત્રતા નો સુહાગ ચાલ્યો જાય
છે.