08-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ખુદાઈ ખિદ્દમતગાર સાચાં સૈલવેશન આર્મી ( મુક્તિ સેના ) છો , તમારે બધા ને શાંતિ નું સૈલવેશન આપવાનું છે”

પ્રશ્ન :-
આપ બાળકો પાસે જ્યારે કોઈ શાંતિ નું સૈલવેશન માંગે છે તો તેમને શું સમજાવવું જોઈએ?

ઉત્તર :-
તેમને કહો - બાપ કહે છે શું હમણાં અહીં જ તમને શાંતિ જોઈએ છે? આ કોઈ શાંતિધામ નથી. શાંતિ તો શાંતિધામ માં જ હોઈ શકે છે, જેને મૂળવતન કહેવાય છે. આત્મા ને જ્યારે શરીર નથી ત્યારે શાંતિ છે. સતયુગ માં પવિત્રતા-સુખ-શાંતિ બધું છે. બાપ જ આવીને આ વારસો આપે છે. તમે બાપ ને યાદ કરો.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને સમજાવે છે. બધા મનુષ્ય માત્ર આ જાણે છે કે મારી અંદર આત્મા છે. જીવ આત્મા કહે છે ને? પહેલાં આપણે આત્મા છીએ, પછી શરીર મળે છે. કોઈએ પણ પોતાનાં આત્મા ને જોયો નથી. ફક્ત એટલું સમજે છે કે આત્મા છે. જેમ આત્મા ને જાણે છે, જોયો નથી, એમ પરમપિતા પરમાત્મા માટે પણ કહે છે પરમ આત્મા એટલે પરમાત્મા, પરંતુ એમને જોયા નથી. નથી પોતાને, નથી બાપ ને જોયાં. કહે છે કે આત્મા એક શરીર છોડી બીજું લે છે. પરંતુ યથાર્થ રીતે નથી જાણતાં. ૮૪ લાખ યોનિઓ પણ કહી દે છે, હકીકત માં ૮૪ જન્મ છે. પરંતુ આ પણ નથી જાણતા કે કયા આત્માઓ કેટલાં જન્મ લે છે? આત્મા બાપ ને પોકારે છે પરંતુ નથી જોયા, નથી યથાર્થ રીતે જાણતાં. પહેલાં તો આત્મા ને યથાર્થ રીતે જાણે ત્યારે બાપ ને જાણે. સ્વયં ને જ નથી જાણતા તો સમજાવે કોણ? આને કહેવાય છે - સેલ્ફ રિયલાઈઝ (સ્વયં અનુભવ) કરવું. તે બાપ વગર તો કોઈ કરાવી ન શકે. આત્મા શું છે, કેવો છે, ક્યાંથી આત્મા આવે છે, કેવી રીતે જન્મ લે છે, કેવી રીતે આટલાં નાનાં આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે, આ કોઈ પણ નથી જાણતાં. સ્વયં ને નથી જાણતા તો બાપ ને પણ નથી જાણતાં. આ લક્ષ્મી-નારાયણ પણ મનુષ્ય નું પદ છે ને? એમણે આ પદ કેવી રીતે મેળવ્યું? આ કોઈ પણ નથી જાણતાં. જાણવું તો મનુષ્યએ જ જોઈએ ને? કહે છે આ વૈકુંઠ નાં માલિક હતાં પરંતુ એમણે આ માલિકપણું લીધું કેવી રીતે, પછી ક્યાં ગયાં? કાંઈ પણ નથી જાણતાં. હવે તમે તો બધું જ જાણો છો. પહેલાં કાંઈ પણ નહોતા જાણતાં. જેમ બાળક પહેલાં જાણે છે કે બૅરિસ્ટર શું હોય? ભણતાં-ભણતાં બૅરિસ્ટર બની જાય છે. તો આ લક્ષ્મી-નારાયણ પણ ભણતર થી બન્યા છે. બૅરિસ્ટરી, ડૉક્ટરી વગેરે બધા નાં પુસ્તકો હોય છે ને? આમનું પુસ્તક પછી છે ગીતા. તે પણ કોણે સંભળાવી? રાજયોગ કોણે શીખવાડ્યો? આ કોઈ નથી જાણતાં. તેમાં નામ બદલી લીધું છે. શિવજયંતિ પણ મનાવે છે, એ જ આવીને તમને કૃષ્ણપુરી નાં માલિક બનાવે છે. શ્રીકૃષ્ણ સ્વર્ગ નાં માલિક હતાં ને? પરંતુ સ્વર્ગ ને પણ જાણતા નથી. નહીં તો કેમ કહે કે શ્રીકૃષ્ણએ દ્વાપર માં ગીતા સંભળાવી. શ્રીકૃષ્ણ ને દ્વાપર માં લઈ ગયા છે, લક્ષ્મી-નારાયણ ને સતયુગ માં, રામ ને ત્રેતા માં. ઉપદ્રવ લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય માં નથી દેખાડતાં. શ્રીકૃષ્ણ નાં રાજ્ય માં કંસ, રામ નાં રાજ્ય માં રાવણ વગેરે દેખાડ્યા છે. આ કોઈને ખબર નથી કે રાધા-કૃષ્ણ જ લક્ષ્મી-નારાયણ બને છે. બિલકુલ જ અજ્ઞાન અંધકાર છે. અજ્ઞાન ને અંધકાર કહેવાય છે. જ્ઞાન ને પ્રકાશ કહેવાય છે. હવે પ્રકાશ કરવા વાળા કોણ? એ છે બાપ. જ્ઞાન ને દિવસ, ભક્તિ ને રાત કહેવાય છે. હવે તમે સમજો છો આ ભક્તિ માર્ગ પણ જન્મ-જન્માંતર ચાલતો આવ્યો છે. સીડી ઉતરતા આવે છે. કળા ઓછી થતી જાય છે. મકાન નવું બને છે પછી દિવસે-દિવસે આયુ ઓછી થતી જશે. ૩/૪ જૂનું થયું તો તેને જૂનું જ કહેવાશે. બાળકોને પહેલાં તો આ નિશ્ચય જોઈએ કે આ સર્વ નાં બાપ છે, જે સર્વ ની સદ્દગતિ કરે છે, સર્વ નાં માટે ભણતર પણ ભણાવે છે. સર્વ ને મુક્તિધામ લઈ જાય છે. તમારી પાસે મુખ્ય-લક્ષ છે. તમે આ ભણતર ભણીને જઈ પોતાની ગાદી પર બેસશો. બાકી બધાને મુક્તિધામ માં લઈ જશે. ચક્ર પર જ્યારે સમજાવો છો તો તેમાં દેખાડો છો કે સતયુગ માં આ અનેક ધર્મ નથી. તે સમયે એ આત્માઓ નિરાકારી દુનિયામાં રહે છે. આ તો તમે જાણો છો કે આ આકાશ પોલાર છે. વાયુ ને વાયુ કહેવાશે, આકાશ ને આકાશ. એવું નથી કે બધા પરમાત્મા છે. મનુષ્ય સમજે છે કે વાયુ માં પણ ભગવાન છે, આકાશ માં પણ ભગવાન છે. હવે બાપ બધી વાતો સમજાવે છે. બાપ ની પાસે જન્મ તો લીધો પછી ભણાવે કોણ છે? બાપ જ રુહાની શિક્ષક બનીને ભણાવે છે. અચ્છા, ભણીને પૂરું કરશો તો પછી સાથે લઈ જશે પછી તમે આવશો પાર્ટ ભજવવાં. સતયુગ માં પહેલાં-પહેલાં તમે જ આવ્યા હતાં. હવે પાછાં બધા જન્મો નાં અંત માં આવીને પહોંચ્યા છો, ફરી પહેલાં આવશો. હવે બાપ કહે છે દોડ લગાવો. સારી રીતે બાપ ને યાદ કરો, બીજાઓને પણ ભણાવવાના છે. નહીં તો આટલાં બધા ને ભણાવે કોણ? બાપ નાં જરુર મદદગાર બનશો ને? ખુદાઈ ખિદ્દમતગાર પણ નામ છે ને? અંગ્રેજી માં કહે છે સૈલવેશન આર્મી. કયું સૈલવેશન જોઈએ? બધા કહે છે શાંતિ નું સૈલવેશન જોઈએ. બાકી તેઓ કોઈ શાંતિ નું સૈલવેશન થોડી આપે છે? જે શાંતિ નું સૈલવેશન માંગે છે તેમને કહો-બાપ કહે છે શું હમણાં અહીં જ તમને શાંતિ જોઈએ? આ કાંઈ શાંતિધામ થોડી છે? શાંતિ તો શાંતિધામ માં જ હોઈ શકે છે, જેને મૂળવતન કહેવાય છે. આત્મા ને શરીર નથી તો શાંતિ માં છે. બાપ જ આવીને આ વારસો આપે છે. તમારા માં પણ સમજાવવાની સારી યુક્તિ જોઈએ. પ્રદર્શન માં જો આપણે ઉભા રહીને બધા નું સાંભળીએ તો ઘણાં ની ભુલો કાઢીએ કારણકે સમજાવવા વાળા નંબરવાર તો છે ને? બધા એકરસ હોત તો બ્રાહ્મણી એવું કેમ લખે કે ફલાણા આવીને ભાષણ કરે. અરે, તમે પણ બ્રાહ્મણ છો ને? બાબા ફલાણા અમારા કરતાં હોશિયાર છે. હોશિયારી થી જ મનુષ્ય પદ મેળવે છે ને? નંબરવાર તો છે ને? જ્યારે પરીક્ષા નું પરિણામ નીકળશે તો પછી તમને જાતે જ સાક્ષાત્કાર થશે પછી સમજશે અમે તો શ્રીમત પર નહોતા ચાલતાં. બાપ કહે છે કોઈ પણ વિકર્મ નહીં કરો. દેહધારી સાથે લગાવ નહીં રાખો. આ તો ૫ તત્વો નું બનેલું શરીર છે ને? ૫ તત્વો ની થોડી પૂજા કરવાની છે કે યાદ કરવાનાં છે? ભલે આ આંખો થી જુઓ પરંતુ યાદ બાપ ને કરવાના છે. આત્માને હવે નોલેજ મળી છે. હવે આપણે ઘરે જવાનું છે પછી વૈકુંઠ માં આવીશું. આત્માને સમજી શકાય છે, જોઈ ન શકાય, તેમ આ પણ સમજી શકે છે. હા, દિવ્ય દૃષ્ટિ થી પોતાનું ઘર તથા સ્વર્ગ જોઈ શકાય છે. બાપ કહે છે - બાળકો, મનમનાભવ, મધ્યાજી ભવ એટલે બાપ ને અને વિષ્ણુપુરી ને યાદ કરો. તમારો મુખ્ય-ઉદ્દેશ જ આ છે. બાળકો જાણે છે આપણે હવે સ્વર્ગ માં જવાનું છે, બાકી બધાને મુક્તિ માં જવાનું છે. બધા તો સતયુગ માં આવી નથી શકતાં. તમારો છે દૈવી ધર્મ. આ થઈ ગયો મનુષ્ય નો ધર્મ. મૂળવતન માં તો મનુષ્ય નથી ને? અહીં છે મનુષ્ય સૃષ્ટિ. મનુષ્ય જ તમોપ્રધાન અને પછી સતોપ્રધાન બને છે. તમે પહેલાં શૂદ્ર વર્ણ માં હતાં, હવે બ્રાહ્મણ વર્ણ માં છો. આ વર્ણ ફક્ત ભારતવાસીઓ નાં છે. બીજા કોઈ પણ ધર્મ ને આવું નહીં કહેવાશે - બ્રાહ્મણ વંશી, સૂર્યવંશી. આ સમયે બધા શૂદ્ર વર્ણ નાં છે. જડજડીભૂત અવસ્થા થયેલી છે. તમે જૂનાં બન્યા તો આખું ઝાડ જડજડીભૂત તમોપ્રધાન બન્યું છે પછી આખું ઝાડ થોડી સતોપ્રધાન બની જશે? સતોપ્રધાન નવાં ઝાડ માં તો ફક્ત દેવી-દેવતા ધર્મ વાળા જ છે પછી તમે સૂર્યવંશી થી ચંદ્રવંશી બની જાઓ છો. પુનર્જન્મ તો લો છો ને? પછી વૈશ્ય, શુદ્ર વંશી… આ બધી વાતો છે નવી.

આપણને ભણાવવા વાળા જ્ઞાન નાં સાગર છે. એ જ પતિત-પાવન સર્વ નાં સદ્દગતિ દાતા છે. બાપ કહે છે તમને જ્ઞાન હું આપું છું. તમે દેવી-દેવતા બની જાઓ છો પછી આ જ્ઞાન રહેતું નથી. જ્ઞાન અપાય છે અજ્ઞાનીઓ ને. બધા મનુષ્ય અજ્ઞાન અંધકાર માં છે, તમે છો અજવાળા માં. આમનાં ૮૪ જન્મો ની કહાણી તમે જાણો છો. આપ બાળકો ને બધું જ્ઞાન છે. મનુષ્ય તો કહે છે ભગવાને આ સૃષ્ટિ રચી જ કેમ? શું મોક્ષ નથી મળી શકતો? અરે, આ તો પૂર્વ-નિર્ધારિત ખેલ છે. અનાદિ ડ્રામા છે ને? તમે જાણો છો આત્મા એક શરીર છોડી જઈને બીજું લે છે, આમાં ચિંતા કરવાની જરુર જ શું? આત્માએ જઈને પોતાનો બીજો પાર્ટ ભજવ્યો. રડો ત્યારે, જ્યારે ચીજ પાછી મળવાની હોય. પાછી તો આવતી નથી પછી રડવાથી શું ફાયદો? હવે તમારે બધાએ મોહજીત બનવાનું છે. કબ્રસ્તાન થી મોહ શું રાખવાનો છે? આમાં તો દુઃખ જ દુઃખ છે. આજે બાળક છે, કાલે બાળક પણ એવું બની જાય જે બાપ ની પાઘડી ઉતારવામાં પણ વાર ન કરે. બાપ સાથે પણ લડી પડે છે. આને કહેવાય જ છે નિધન (ધણી વગર) ની દુનિયા. કોઈ ધણી-ધોણી નથી જે શિક્ષા આપે. બાપ જ્યારે આવી હાલત જુએ છે તો ધણી નાં બનાવવા આવે છે. બાપ જ આવીને બધા ને ધણી નાં બનાવે છે. ધણી આવીને બધા ઝઘડા ખતમ કરી દે છે. સતયુગ માં કોઈ ઝઘડા હોતાં નથી. આખી દુનિયાનાં ઝઘડા ખતમ કરી દે છે, પછી જયજયકાર થઈ જાય છે. અહીં મેજોરીટી માતાઓ ની છે. દાસી પણ આમને સમજે છે. હથિયાલો બાંધતાં સમયે કહે છે, તમારા પતિ ઈશ્વર, ગુરુ વગેરે બધું જ છે. પહેલાં મિસ્ટર (શ્રીમાન) પછી મિસેજ (શ્રીમતી). હવે બાપ આવીને માતાઓ ને આગળ રાખે છે. તમારાં ઉપર કોઈ જીત મેળવી ન શકે. તમને બાપ બધા કાયદા શિખવાડી રહ્યા છે. મોહજીત રાજા ની કથા છે. તે બધી બનાવેલી વાર્તાઓ છે. સતયુગ માં તો અકાળે મૃત્યુ થતું જ નથી. સમય પર એક શરીર છોડી બીજું લઈ લે છે. સાક્ષાત્કાર થાય છે-હવે આ શરીર વૃદ્ધ થયું છે પાછું નવું લેવાનું છે, નાનું બાળક જઈને બનવાનું છે. ખુશી થી શરીર છોડી દે છે. અહીં તો ભલે કેટલા પણ વૃદ્ધ હશે, રોગી હશે અને સમજશે પણ કે ક્યાંય આ શરીર છૂટી જાય તો સારું છે છતાં પણ મરતી વખતે રડશે જરુર. બાપ કહે છે હવે તમે એવી જગ્યાએ ચાલો છો જ્યાં રડવાનું નામ નથી. ત્યાં તો ખુશી જ ખુશી રહે છે. તમને કેટલી અપાર બેહદ ની ખુશી રહેવી જોઈએ. અરે, આપણે વિશ્વ નાં માલિક બનીએ છીએ! ભારત આખાં વિશ્વ નું માલિક હતું. હમણાં ટુકડા-ટુકડા થઈ ગયા છે. તમે જ પૂજ્ય દેવતા હતાં પછી પુજારી બનો છો. ભગવાન થોડી પોતેજ પૂજ્ય, પોતેજ પુજારી બનશે? જો એ પણ પુજારી બને તો પછી પૂજ્ય કોણ બનાવે? ડ્રામા માં બાપ નો પાર્ટ જ અલગ છે. જ્ઞાન નાં સાગર એક છે, એ એક ની જ મહિમા છે જ્યારે જ્ઞાન નાં સાગર છે તો ક્યારે આવીને જ્ઞાન આપે, જે સદ્દગતિ થાય? જરુર અહીં આવવું પડે. પહેલાં તો બુદ્ધિ માં આ બેસાડો કે આપણને ભણાવવા વાળા કોણ છે?

ત્રિમૂર્તિ, ગોળો અને ઝાડ-આ છે મુખ્ય ચિત્ર. ઝાડ ને જોવા થી ઝટ સમજી જશે અમે તો ફલાણા ધર્મ નાં છીએ. અમે સતયુગ માં આવી ન શકીએ. આ ચક્ર તો ખૂબ મોટું હોવું જોઈએ. લખાણ પણ પૂરું હોય. શિવબાબા બ્રહ્મા દ્વારા દેવતા ધર્મ એટલે નવી દુનિયાની સ્થાપના કરી રહ્યા છે, શંકર દ્વારા જૂની દુનિયા નો વિનાશ પછી વિષ્ણુ દ્વારા નવી દુનિયા ની પાલના કરાવે છે, આ સિદ્ધ થઈ જાય. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બંને નું કનેક્શન (સંબંધ) છે ને? બ્રહ્મા-સરસ્વતી સો પછી લક્ષ્મી-નારાયણ બને છે. ચઢતી કળા એક જન્મ માં થાય છે પછી ઉતરતી કળા માં ૮૪ જન્મ લાગે છે. હવે બાપ કહે છે તે શાસ્ત્ર વગેરે રાઈટ (સાચાં) છે કે હું રાઈટ (સાચ્ચો) છું? સાચ્ચી સત્યનારાયણ ની કથા તો હું સંભળાવું છું. હવે તમને નિશ્ચય છે કે સત્ય બાપ દ્વારા આપણે નર થી નારાયણ બની રહ્યા છીએ. પહેલી મુખ્ય આ પણ એક વાત છે કે મનુષ્ય ને ક્યારેય બાપ, શિક્ષક, ગુરુ નથી કહેવાતાં. ગુરુ ને ક્યારેય બાબા અથવા શિક્ષક કહેવાશે શું? અહીં તો શિવબાબા ની પાસે જન્મ લો છો પછી શિવબાબા તમને ભણાવે છે પછી સાથે પણ લઈ જશે. મનુષ્ય તો આવા કોઈ હોતાં નથી, જેમને બાપ, શિક્ષક, ગુરુ કહેવાય. આ તો એક જ બાપ છે, એમને કહેવાય છે સુપ્રીમ ફાધર. લૌકિક બાપ ને ક્યારેય સુપ્રીમ ફાધર નહીં કહેવાશે. બધા યાદ તો પણ એમને કરે છે. એ બાપ તો છે જ. દુઃખ માં બધા એમને યાદ કરે છે, સુખ માં કોઈ નથી કરતું. તો એ બાપ જ આવીને સ્વર્ગ નાં માલિક બનાવે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ૫ તત્વો નાં બનેલા આ શરીરો ને જોવા છતાં યાદ બાપ ને કરવાનાં છે. કોઈ પણ દેહધારી સાથે લગાવ નથી રાખવાનો. કોઈ વિકર્મ નથી કરવાનાં.

2. આ પૂર્વ-નિર્ધારિત ડ્રામા માં દરેક આત્મા નો અનાદિ પાર્ટ છે, આત્મા એક શરીર છોડી બીજું લે છે, એટલે શરીર છોડવા પર ચિંતા નથી કરવાની, મોહજીત બનવાનું છે.

વરદાન :-
સંપૂર્ણ આહુતિ દ્વારા પરિવર્તન સમારોહ મનાવવા વાળા દૃઢ સંકલ્પધારી ભવ

જેવી રીતે કહેવત છે “ધરત પરીયે ધર્મ ન છોડીએ”, તો કોઈ પણ પરિસ્થિતિ આવી જાય, માયા નાં મહાવીર રુપ સામે આવી જાય પરંતુ ધારણાઓ ન છૂટે. સંકલ્પ દ્વારા ત્યાગે કરેલી બેકાર વસ્તુઓ સંકલ્પ માં પણ સ્વીકાર ન થાય. સદા પોતાનાં શ્રેષ્ઠ સ્વમાન, શ્રેષ્ઠ સ્મૃતિ અને શ્રેષ્ઠ જીવન નાં સમર્થી સ્વરુપ દ્વારા શ્રેષ્ઠ પાર્ટધારી બની શ્રેષ્ઠતા નો ખેલ કરતા રહો. કમજોરીઓ નાં બધા ખેલ સમાપ્ત થઈ જાય. જ્યારે એવી સંપૂર્ણ આહુતિ નો સંકલ્પ દૃઢ થશે ત્યારે પરિવર્તન સમારોહ થશે. આ સમારોહ ની તારીખ હમણાં સંગઠિત રુપ માં નિશ્ચિત કરો.

સ્લોગન :-
રીયલ ડાયમંડ બનીને પોતાનાં વાયબ્રેશન ની ચમક વિશ્વ માં ફેલાવો.

અવ્યક્ત ઈશારા - એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

સાધારણ સેવાઓ કરવી એ કોઈ મોટી વાત નથી પરંતુ બગડેલા ને બનાવવું, અનેકતા માં એકતા લાવવી આ છે મોટી વાત. બાપદાદા આ જ કહે છે કે પહેલાં એકમત, એક બળ, એક ભરોસો અને એકતા - સાથીઓ માં, સેવા માં, વાયુમંડળ માં હોય.