08-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - રુહાની સર્વિસ ( સેવા ) કરી પોતાનું અને બીજા નું કલ્યાણ કરો , બાપ સાથે સાચ્ચું દિલ રાખો તો બાપ નાં દિલ પર ચઢી જશો”

પ્રશ્ન :-
દેહી-અભિમાની બનવાની મહેનત કોણ કરી શકે છે? દેહી-અભિમાની ની નિશાનીઓ સંભળાવો.

ઉત્તર :-
જેમનો ભણતર સાથે અને બાપ સાથે અતૂટ પ્રેમ છે તે દેહી-અભિમાની બનવાની મહેનત કરી શકે છે. તે શીતળ હશે, કોઈ સાથે પણ અધિક (વધારે) વાત નહીં કરશે, તેમનો બાપ સાથે પ્રેમ હશે, ચલન ખૂબ રોયલ હશે. તેમને નશો રહે છે કે અમને ભગવાન ભણાવે છે, અમે તેમનાં બાળકો છીએ. તે સુખદાયી હશે. દરેક કદમ શ્રીમત પર ઉપાડશે (ચાલશે).

ઓમ શાંતિ!
બાળકોએ સર્વિસ સમાચાર પણ સાંભળવા જોઈએ પછી મુખ્ય-મુખ્ય જે મહારથી સર્વિસેબલ છે તેમણે સલાહ આપવી જોઈએ. બાબા જાણે છે સર્વિસેબલ બાળકો નું જ વિચાર સાગર મંથન ચાલશે. મેળા અથવા પ્રદર્શન નું ઓપનિંગ (ઉદ્દઘાટન) કોની પાસે કરાવીએ? કયા-કયા પોઈન્ટ સંભળાવવા જોઈએ? શંકરાચાર્ય વગેરે જો તમારી આ વાત ને સમજી ગયા તો કહેશે અહીં ની નોલેજ તો ખૂબ ઊંચી છે. આમને ભણાવવા વાળા કોઈ હોંશિયાર લાગે છે. ભગવાન ભણાવે છે, એ તો માનશે નહીં. તો પ્રદર્શન વગેરે નું ઉદ્દઘાટન કરવા જે આવે છે તેમને શું-શું સમજાવાય છે, તે સમાચાર બધાને બતાવવા જોઈએ અથવા તો ટેપ માં શોર્ટ (ટૂંક) માં ભરવું જોઈએ. જેમ ગંગે (દાદી) એ શંકરાચાર્ય ને સમજાવ્યું, આવાં-આવાં સર્વિસેબલ બાળકો તો બાપ નાં દિલ પર ચઢે છે. આમ તો સ્થૂળ સર્વિસ પણ છે પરંતુ બાબા નું અટેન્શન રુહાની સર્વિસ પર જશે, જે અનેક નું કલ્યાણ કરે છે. ભલે કલ્યાણ તો દરેક વાત માં છે. બ્રહ્મા-ભોજન બનાવવા માં પણ કલ્યાણ છે, જો યોગ્યયુક્ત થઈ બનાવે. એવાં યોગયુક્ત ભોજન બનાવવા વાળા હોય તો ભંડારા માં ખૂબ શાંતિ હોય. યાદ ની યાત્રા પર રહે. કોઈ પણ આવે તો ઝટ તેમને સમજાવે. બાબા સમજી શકે છે-સર્વિસેબલ બાળકો કોણ છે, જે બીજાઓને પણ સમજાવી શકે છે તેમને જ ખાસ કરીને સર્વિસ પર બોલાવે પણ છે. તો સર્વિસ કરવા વાળા જ બાપ નાં દિલ પર ચઢેલા રહે છે. બાબા નું અટેન્શન બધું સર્વિસેબલ બાળકો તરફ જ જાય છે. ઘણાં તો સન્મુખ મોરલી સાંભળવા છતાં પણ કાંઈ સમજી નથી શકતાં. ધારણા નથી થતી કારણકે અડધાકલ્પ ની દેહ-અભિમાન ની બીમારી ખૂબ કડી (વધારે) છે. તેને ખતમ કરવા માટે ખૂબ થોડા છે જે સારી રીતે પુરુષાર્થ કરે છે. ઘણાં થી દેહી-અભિમાની બનવાની મહેનત પહોંચતી (થતી) નથી. બાબા સમજાવે છે - બાળકો, દેહી-અભિમાની બનવામાં ખૂબ મહેનત છે. ભલે કોઈ ચાર્ટ પણ મોકલી દે છે પરંતુ પૂરો નથી મોકલતાં. છતાં પણ થોડું અટેન્શન રહે છે. દેહી-અભિમાની બનવાનું અટેન્શન ઘણાઓનું ઓછું રહે છે. દેહી-અભિમાની ખૂબ શીતળ હશે. તે એટલી વધારે વાતચીત નહીં કરશે . તેમનો બાપ સાથે લવ એવો હશે જે વાત ન પૂછો. આત્મા ને એટલી ખુશી હોવી જોઈએ જે ક્યારેય કોઈ મનુષ્ય ને ન હોય. આ લક્ષ્મી-નારાયણ ને તો જ્ઞાન નથી. જ્ઞાન આપ બાળકોને જ છે, જેમને ભગવાન ભણાવે છે. ભગવાન આપણને ભણાવે છે, આ નશો પણ તમારા માં કોઈ એક-બે ને રહે છે. તે નશો હોય તો બાપ ની યાદ માં રહે, જેને દેહી-અભિમાની કહેવાય છે. પરંતુ તે નશો નથી રહેતો. યાદ માં રહેવા વાળા ની ચલન ખૂબ સારી રોયલ હશે. આપણે ભગવાન નાં બાળકો છીએ એટલે ગાયન પણ છે - અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ ને પૂછો, જે દેહી-અભિમાની બની બાપ ને યાદ કરે છે. યાદ નથી કરતા એટલે શિવબાબા નાં દિલ પર પણ નથી ચઢતાં. શિવબાબા નાં દિલ પર નથી તો દાદા નાં પણ દિલ પર નથી ચઢી શકતાં. એમનાં દિલ પર હશે તો જરુર આમનાં દિલ પર પણ હશે. બાપ દરેક ને જાણે છે. બાળકો પોતે પણ સમજે છે કે અમે શું સર્વિસ કરીએ છીએ. સર્વિસ નો શોખ બાળકો માં ખૂબ હોવો જોઈએ. કોઈને સેવાકેન્દ્ર જમાવવા નો પણ શોખ હોય છે. કોઈ ને ચિત્ર બનાવવાનો શોખ હોય છે. બાપ પણ કહે છે-મને જ્ઞાની તું આત્મા બાળકો પ્રિય લાગે છે, જે બાપ ની યાદ માં પણ રહે છે અને સર્વિસ કરવા માટે પણ તત્પર રહે છે. કોઈ તો બિલકુલ જ સર્વિસ નથી કરતાં, બાપ નું કહેવાનું પણ નથી માનતાં. બાપ તો જાણે છે ને-ક્યાં કોણે સર્વિસ કરવી જોઈએ? પરંતુ દેહ-અભિમાન નાં કારણે પોતાની મત પર ચાલે છે તો તે દિલ પર નથી ચઢતાં. અજ્ઞાનકાળ માં પણ કોઈ બાળક ખરાબ ચલન વાળા હોય છે તો બાપ નાં દિલ પર નથી રહેતાં. તેમને કપૂત સમજે છે. સંગદોષ માં ખરાબ થઈ જાય છે. અહીં પણ જે સર્વિસ કરે છે તે જ બાપ ને પ્રિય લાગે છે. જે સર્વિસ નથી કરતા તેમને બાપ પ્રેમ થોડી કરશે? સમજે છે તકદીર અનુસાર જ ભણશે, તો પણ પ્રેમ કોનાં પર રહેશે? તે તો કાયદો છે ને? સારા બાળકો ને ખૂબ પ્રેમ થી બોલાવશે. કહેશે તમે ખૂબ સુખદાયી છો, તમે પિતા સ્નેહી છો. જે બાપ ને યાદ જ નથી કરતા તેમને પિતા સ્નેહી થોડી કહેવાશે? દાદા સ્નેહી નથી બનવાનું, સ્નેહી બનવાનું છે બાપ સાથે. જે બાપ નાં સ્નેહી હશે તેમનાં બોલચાલ ખૂબ મીઠાં સુંદર રહેશે. વિવેક એવું કહે છે-ભલે સમય છે પરંતુ શરીર પર કોઈ ભરોસો થોડી છે? બેઠાં-બેઠાં એક્સિડન્ટ થઈ જાય છે. કોઈ હાર્ટ ફેલ થઈ જાય છે. કોઈને રોગ લાગી જાય છે, મોત તો અચાનક થઈ જાય છે ને એટલે શ્વાસ પર તો ભરોસો નથી. નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) ની પણ હમણાં પ્રેક્ટિસ થઈ રહી છે. સમય વગર વરસાદ પડવાથી પણ નુકસાન કરી દે છે. આ દુનિયા જ દુઃખ આપવા વાળી છે. બાપ પણ એવાં સમય પર આવે છે જ્યારે મહાન દુઃખ છે, લોહી ની નદીઓ પણ વહેવાની છે. કોશિશ કરવી જોઈએ-આપણે પોતાનો પુરુષાર્થ કરી ૨૧ જન્મો નું કલ્યાણ તો કરી લઈએ. ઘણાઓ માં પોતાનું કલ્યાણ કરવાની ફુરના (ઈચ્છા) પણ દેખાતી નથી.

બાબા અહીં મોરલી ચલાવે છે તો પણ બુદ્ધિ સર્વિસેબલ બાળકો તરફ રહે છે. હવે શંકરાચાર્ય ને પ્રદર્શન માં બોલાવ્યાં છે, નહીં તો એ લોકો આમ ક્યાંય જતા નથી. ખૂબ ઘમંડ માં રહે છે, તો તેમને માન પણ આપવું પડે. ઉપર સિંહાસન પર બેસાડવા પડે. એવું નથી, સાથે બેસી શકે છે. ના, રિગાર્ડ (માન) તેમને તો ખૂબ જોઈએ. નિર્માણ હોય તો પછી ચાંદી વગેરે નું સિંહાસન પણ છોડી દે. બાપ જુઓ કેવાં સાધારણ રહે છે. કોઈ પણ જાણતા નથી. આપ બાળકો માં પણ કોઈ વિરલા જાણે છે. કેટલાં નિરહંકારી બાપ છે. આ તો બાપ અને બાળકો નો સંબંધ છે ને? જેમ લૌકિક બાપ બાળકોની સાથે રહે છે, ખાય-ખવડાવે છે, આ છે બેહદ નાં બાપ. સંન્યાસીઓ વગેરે ને બાપ નો પ્રેમ નથી મળતો. આપ બાળકો જાણો છો કલ્પ-કલ્પ આપણને બેહદ નાં બાપ નો પ્રેમ મળે છે. બાપ ગુલ-ગુલ બનાવવાની ખૂબ મહેનત કરે છે. પરંતુ ડ્રામા અનુસાર બધા તો ગુલ-ગુલ બનતા નથી. આજે ખૂબ સારા-સારા કાલે વિકારી બની જાય છે. બાપ કહેશે તકદીર માં નથી તો બીજું શું કરશે? ઘણાં ની ગંદી ચલન થઈ જાય છે. આજ્ઞા નું ઉલ્લંઘન કરે છે. ઈશ્વર ની મત પર પણ નહીં ચાલશે તો તેમની શું હાલત થશે? ઊંચા માં ઊંચા બાપ છે, બીજું તો કોઈ નથી. પછી દેવતાઓ નાં ચિત્રો માં જોશો તો આ લક્ષ્મી-નારાયણ જ ઊંચા માં ઊંચા છે. પરંતુ મનુષ્ય આ પણ નથી જાણતા કે આમને આવાં કોણે બનાવ્યાં. બાપ આપ બાળકોને રચયિતા અને રચના ની નોલેજ સારી રીતે સમજાવે છે. તમને તો પોતાનું શાંતિધામ, સુખધામ જ યાદ આવે છે. સર્વિસ કરવા વાળા નાં નામ સ્મૃતિ માં આવે છે. જરુર જે બાપ નાં આજ્ઞાકારી બાળકો હશે, તેમની તરફ જ દિલ જશે. બેહદ નાં બાપ એક જ વાર આવે છે. તે લૌકિક બાપ તો જન્મ-જન્માંતર મળે છે. સતયુગ માં પણ મળે છે. પરંતુ ત્યાં આ બાપ નથી મળતાં. હમણાં નાં ભણતર થી તમે પદ મેળવો છો. આ પણ આપ બાળકો જ જાણો છો કે બાપ પાસે થી આપણે નવી દુનિયા માટે ભણી રહ્યાં છીએ. આ બુદ્ધિ માં યાદ રહેવું જોઈએ. છે ખૂબ સહજ. સમજો, બાબા રમી રહ્યા છે, અચાનક કોઈ આવી જાય છે તો બાબા ઝટ ત્યાં જ તેમને નોલેજ આપવા લાગી જશે. બેહદ નાં બાપ ને જાણો છો? બાપ આવ્યાં છે જૂની દુનિયા ને નવી બનાવવાં. રાજયોગ શીખવાડે છે. ભારતવાસીઓ ને જ શીખવાડવાનો છે. ભારત જ સ્વર્ગ હતું. જ્યાં આ દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. હમણાં તો નર્ક છે. નર્ક થી પછી સ્વર્ગ બાપ જ બનાવશે. આવી-આવી મુખ્ય વાતો યાદ કરી કોઈ પણ આવે તો તેમને બેસીને સમજાવો. તો કેટલાં ખુશ થઈ જાય! ફક્ત બોલો બાપ આવેલા છે. આ એ જ મહાભારત લડાઈ છે જે ગીતા માં ગવાયેલી છે. ગીતા નાં ભગવાન આવ્યા હતાં, ગીતા સંભળાવી હતી. શા માટે? મનુષ્ય ને દેવતા બનાવવાં. બાપ ફક્ત કહે છે મુજ બાપ ને યાદ કરો અને વારસા ને યાદ કરો. આ દુઃખધામ છે. આટલું બુદ્ધિ માં યાદ રહે તો પણ ખુશી માં રહે. આપણે આત્મા બાબા ની સાથે જવાનાં છીએ શાંતિધામ. પછી ત્યાં થી પાર્ટ ભજવવા આવીશું પહેલાં-પહેલાં સુખધામ માં. જેમ કોલેજ માં ભણે છે તો સમજે છે અમે આ-આ ભણીએ છીએ પછી આ બનીશું. બેરિસ્ટર બનીશું અથવા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ બનીશું, આટલાં પૈસા કમાઈશું. ખુશી નો પારો ચઢેલો રહેશે. આપ બાળકોને પણ આ ખુશી રહેવી જોઈએ. આપણે બેહદ નાં બાપ પાસે થી આ વારસો મેળવીએ છીએ પછી આપણે સ્વર્ગ માં પોતાનાં મહેલ બનાવીશું. આખો દિવસ બુદ્ધિ માં આ ચિંતન રહે તો ખુશી પણ થાય. પોતાનું અને બીજાઓ નું પણ કલ્યાણ કરે. જે બાળકો ની પાસે જ્ઞાન-ધન છે તેમની ફરજ છે દાન કરવાની. જો ધન છે, દાન નથી કરતા તો તેમને મનહૂસ (કંજૂસ) કહેવાય છે. તેમની પાસે ધન હોવા છતાં પણ જાણે છે જ નહીં. ધન હોય તો દાન જરુર કરે. સારા-સારા મહારથી બાળકો જે છે તે સદૈવ બાબા નાં દિલ પર ચઢેલાં રહે છે. કોઈ-કોઈ માટે ખ્યાલ રહે છે-આ કદાચ તૂટી પડશે. પરિસ્થિતિ એવી છે. દેહ નો અહંકાર ખૂબ ચઢેલો છે. કોઈ પણ સમયે હાથ છોડી દે અને જઈને પોતાનાં ઘર માં રહે. ભલે મોરલી ખૂબ સારી ચલાવે છે પરંતુ દેહ-અભિમાન ખૂબ છે, થોડી પણ બાબા સાવધાની આપશે તો ઝટ તૂટી પડશે. નહીં તો ગાયન છે-પ્યાર કરો ચાહે ઠુકરાઓ…અહીં બાબા સાચ્ચી વાત કરે છે તો પણ ગુસ્સો ચઢી જાય છે. એવાં-એવાં બાળકો પણ છે, કોઈ તો અંદર ખૂબ શુક્રિયા (આભાર) માને છે, કોઈ અંદર બળીને મરે છે. માયા નું દેહ-અભિમાન ખૂબ છે. ઘણાં એવાં પણ બાળકો છે જે મોરલી સાંભળતા જ નથી અને ઘણાં તો મોરલી વગર રહી નથી શકતાં. મોરલી નથી વાંચતા તો પોતાની જ હઠ છે, અમારા માં તો જ્ઞાન ખૂબ છે અને કાંઈ પણ નથી.

તો જ્યાં શંકરાચાર્ય વગેરે પ્રદર્શન માં આવે છે, સર્વિસ સારી થાય છે તો તે સમાચાર બધાને મોકલવા જોઈએ તો બધાને ખબર પડે કેવી રીતે સર્વિસ થઈ તો તે પણ શીખશે. આવી-આવી સર્વિસ માટે જેમને વિચાર આવે છે તેમને જ બાબા સર્વિસેબલ સમજશે. સર્વિસ માં ક્યારેય થાકવું ન જોઈએ. આ તો અનેક નું કલ્યાણ કરવાનું છે ને? બાબા ને તો આ ફિકર રહે છે, બધાને આ નોલેજ મળે. બાળકો ની પણ ઉન્નતિ થાય. રોજ મોરલી માં સમજાવતા રહે છે - આ રુહાની સર્વિસ છે મુખ્ય. સાંભળવાની અને સંભળાવવાની છે. શોખ હોવો જોઈએ. બેજ લઈને રોજ મંદિરો માં જઈને સમજાવો - આ લક્ષ્મી-નારાયણ કેવી રીતે બન્યાં? પછી ક્યાં ગયાં, કેવી રીતે રાજ્ય-ભાગ્ય મેળવ્યું? મંદિર નાં દરવાજા પર જઈને બેસો. કોઈ પણ આવે બોલો, આ લક્ષ્મી-નારાયણ કોણ છે, ક્યારે એમનું ભારત માં રાજ્ય હતું? હનુમાન પણ ચંપ્પલો માં જઈને બેસતા હતાં ને? તેનું પણ રહસ્ય છે ને? તરસ પડે છે. સર્વિસ ની યુક્તિઓ બાબા ખૂબ બતાવે છે, પરંતુ અમલ માં બહુ જ કોઈ મુશ્કેલ લાવે છે. સર્વિસ ખૂબ છે. આંધળાઓ ની લાઠી બનવાનું છે. જે સર્વિસ નથી કરતા, બુદ્ધિ સાફ નથી તો પછી ધારણા નથી થતી. નહીં તો સર્વિસ ખૂબ સહજ છે. તમે આ જ્ઞાન-રત્નો નું દાન કરો છો. કોઈ સાહૂકાર આવે તો બોલો અમે તમને આ સૌગાત આપીએ છીએ. આનો અર્થ પણ તમને સમજાવીએ છીએ. આ બેજ ની બાબા ને ખૂબ કદર છે. બીજા કોઈને એટલી કદર નથી. આમાં ખૂબ સારું જ્ઞાન ભરેલું છે. પરંતુ કોઈની તકદીર માં નથી તો બાબા પણ શું કરી શકે છે? બાપ ને અને ભણતર ને છોડવું - આ તો મોટા માં મોટો આપઘાત છે. બાપ નાં બનીને પછી ફારકતી આપવી - એનાં જેવું મહાન પાપ કોઈ હોતું નથી. તેનાં જેવું કમ્બખ્ત (દુર્ભાગ્યશાળી) કોઈ હોતું નથી. બાળકોએ શ્રીમત પર ચાલવું જોઈએ ને? તમને બુદ્ધિ માં છે આપણે વિશ્વ નાં માલિક બનવાનાં છીએ, નાની વાત થોડી છે? યાદ કરશો તો ખુશી પણ રહેશે. યાદ ન રહેવાથી પાપ ભસ્મ નહીં થશે. એડોપ્ટ થયા તો ખુશી નો પારો ચઢવો જોઈએ. પરંતુ માયા ખૂબ વિઘ્ન નાખે છે. કાચ્ચાઓ ને પાડી દે છે. જે બાપ ની શ્રીમત જ નથી લેતા તે શું પદ મેળવશે? થોડી મત લીધી તો પછી એવું જ હલકું પદ મેળવશે. સારી રીતે મત લેશે તો ઉંચ પદ મેળવશે. આ બેહદ ની રાજધાની સ્થાપન થઈ રહી છે. આમાં ખર્ચા વગેરે ની પણ કોઈ વાત નથી. કુમારીઓ આવે છે, શીખીને અનેક ને આપ સમાન બનાવે છે, આમાં ફી વગેરે ની વાત જ નથી. બાપ કહે છે તમને સ્વર્ગ ની બાદશાહી આપું છું. હું સ્વર્ગ માં પણ નથી આવતો. શિવબાબા તો દાતા છે ને? તેમને ખર્ચો શું આપશો? આમણે બધું જ એમને આપી દીધું, વારિસ બનાવી દીધાં. વળતર માં જુઓ રાજાઈ મળે છે ને? આ પહેલાં-પહેલાં ઉદાહરણ છે. આખાં વિશ્વ પર સ્વર્ગ ની સ્થાપના થાય છે. ખર્ચો પાઈ પણ નથી. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પિતા સ્નેહી બનવા માટે ખૂબ-ખૂબ સુખદાયી બનવાનું છે. પોતાનાં બોલ-ચાલ ખૂબ મીઠાં રોયલ રાખવાનાં છે. સર્વિસેબલ બનવાનું છે. નિરહંકારી બની સેવા કરવાની છે.

2. ભણતર અને બાપ ને છોડીને ક્યારેય આપઘાતી, મહાપાપી નથી બનવાનું. મુખ્ય છે રુહાની સર્વિસ, આ સર્વિસ માં ક્યારેય થાકવાનું નથી. જ્ઞાન-રત્નો નું દાન કરવાનું છે, મનહૂસ નથી બનવાનું.

વરદાન :-
સદા નિજ ( મૂળ ) ધામ અને નિજ સ્વરુપ ની સ્મૃતિ થી ઉપરામ , ન્યારા પ્યારા ભવ

નિરાકારી દુનિયા અને નિરાકારી રુપ ની સ્મૃતિ જ સદા ન્યારા અને પ્યારા બનાવી દે છે. આપણે છીએ જ નિરાકારી દુનિયાનાં નિવાસી, અહીં સેવા અર્થ અવતરિત થયા છીએ. આપણે આ મૃત્યુલોક નાં નથી પરંતુ અવતાર છીએ ફક્ત આ નાની વાત યાદ રહે તો ઉપરામ થઈ જઈશું. જે અવતાર ન સમજી ગૃહસ્થી સમજે છે તો ગૃહસ્થી ની ગાડી કિચડ માં ફસાઈ રહે છે. ગૃહસ્થી છે જ બોજ ની સ્થિતિ અને અવતાર બિલકુલ હલકા છે. અવતાર સમજવા થી પોતાનું નિજ ધામ, નિજ સ્વરુપ યાદ રહેશે અને ઉપરામ થઈ જશો.

સ્લોગન :-
બ્રાહ્મણ તે છે જે શુધ્ધી અને વિધિ પૂર્વક દરેક કાર્ય કરે.

અવ્યક્ત ઈશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

જે નિર્માણ હોય છે તે જ નવ-નિર્માણ કરી શકે છે. શુભ-ભાવના અથવા શુભ-કામના નું બીજ જ છે નિમિત્ત-ભાવ અને નિર્માણ-ભાવ. હદ નું માન નહીં પરંતુ નિર્માણ. હવે પોતાનાં જીવન માં સત્યતા અને સભ્યતા નાં સંસ્કાર ધારણ કરો. જે ન ઈચ્છવા છતાં પણ ક્યારેક ક્રોધ અથવા ચિડચીડાપણું આવી જાય તો દિલ થી કહો “મીઠાં બાબા”, તો એક્સ્ટ્રા મદદ મળી જશે.