08-04-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - દેહી
- અભિમાની બની બાપ ને યાદ કરો તો યાદ નું બળ જમા થશે , યાદ નાં બળ થી તમે આખા વિશ્વ
નું રાજ્ય લઈ શકો છો”
પ્રશ્ન :-
કઈ વાત આપ બાળકો નાં સંકલ્પ-સ્વપ્ન માં પણ નહોતી, જે પ્રેક્ટિકલ (પ્રત્યક્ષ) થઈ છે?
ઉત્તર :-
તમારા સંકલ્પ-સ્વપ્ન માં પણ નહોતું કે અમે ભગવાન પાસે થી રાજયોગ શીખી ને વિશ્વ નાં
માલિક બનીશું. રાજાઈ માટે ભણતર ભણીશું. હમણાં તમને અથાહ ખુશી છે કે સર્વશક્તિમાન્
બાપ પાસે થી બળ લઈ ને અમે સતયુગી સ્વરાજ્ય અધિકારી બનીએ છીએ.
ઓમ શાંતિ!
અહીં બાળકીઓ
બેસે છે પ્રેક્ટિસ માટે. હકીકત માં અહીં (સંદલી પર) બેસવું એમણે જોઈએ જે
દેહી-અભિમાની બની બાપ ની યાદ માં બેસે. જો યાદ માં નથી બેસતાં તો તે ટીચર (શિક્ષક)
કહેવાઈ ન શકે. યાદ માં શક્તિ રહે છે, જ્ઞાન માં શક્તિ નથી. આને કહેવાય જ છે - યાદ
નું બળ. યોગબળ સંન્યાસીઓ નો શબ્દ છે. બાપ અઘરા શબ્દ કામ માં નથી લાવતાં. બાપ કહે છે
બાળકો, હવે બાપ ને યાદ કરો. જેમ નાનાં બાળકો મા-બાપ ને યાદ કરે છે ને? તે તો દેહધારી
છે. આપ બાળકો છો વિચિત્ર. આ ચિત્ર અહીં તમને મળે છે. તમે રહેવા વાળા વિચિત્ર દેશ
નાં છો. ત્યાં ચિત્ર રહેતાં નથી. પહેલાં-પહેલાં આ પાક્કું કરવાનું છે - આપણે તો
આત્મા છીએ એટલે બાપ કહે છે-બાળકો, દેહી-અભિમાની બનો, પોતાને આત્મા નિશ્ચય કરો. તમે
નિર્વાણ દેશ થી આવ્યાં છો. તે આપ સર્વ આત્માઓ નું ઘર છે. અહીં પાર્ટ ભજવવા આવો છો.
પહેલાં-પહેલાં કોણ આવે છે? આ પણ તમારી બુદ્ધિ માં છે. દુનિયા માં કોઈ નથી જેમને આ
જ્ઞાન હોય. હવે બાપ કહે છે શાસ્ત્ર વગેરે જે કંઈ વાંચો છો તે બધું ભૂલી જાઓ.
શ્રીકૃષ્ણ ની મહિમા, ફલાણા ની મહિમા કેટલી કરે છે! ગાંધી ની પણ કેટલી મહિમા કરે છે.
જાણે કે એ રામરાજ્ય સ્થાપન કરીને ગયા છે. પરંતુ શિવ ભગવાનુવાચ આદિ સનાતન રાજા-રાણી
નાં રાજ્ય નાં જે કાયદા હતાં, બાપે રાજયોગ શીખવાડી ને રાજા-રાણી બનાવ્યાં, એ
ઈશ્વરીય રીત-રિવાજ ને પણ તોડી નાખ્યાં. કહ્યું રાજાઈ નથી જોઈતી, અમને પ્રજા નું
પ્રજા પર રાજ્ય જોઈએ. હવે એમની શું હાલત થઈ? દુઃખ જ દુઃખ, લડતાં-ઝઘડતાં રહે છે.
અનેક મતો થઈ ગઈ છે. હમણાં આપ બાળકો શ્રીમત પર રાજ્ય લો છો. આટલી તમારા માં તાકાત રહે
છે જે ત્યાં લશ્કર વગેરે હોતાં નથી. ડર ની કોઈ વાત નથી. આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય
હતું, અદ્વૈત રાજ્ય હતું. બે હતાં જ નહીં જે તાળી વાગે. તેને કહેવાય જ છે અદ્વૈત
રાજ્ય. આપ બાળકો ને બાપ દેવતા બનાવે છે. પછી દ્વૈત થી દૈત્ય બની જાઓ છો રાવણ દ્વારા.
હમણાં આપ બાળકો જાણો છો આપણે ભારતવાસી આખા વિશ્વ નાં માલિક હતાં. તમને વિશ્વ નું
રાજ્ય ફક્ત યાદબળ થી જ મળ્યું હતું. હવે ફરી મળી રહ્યું છે. કલ્પ-કલ્પ મળે છે, ફક્ત
યાદ નાં બળ થી. ભણતર માં પણ બળ છે. જેમ બેરિસ્ટર બને છે તો બળ છે ને? તે છે પાઈ-પૈસા
નું બળ. તમે યોગબળ થી વિશ્વ પર રાજ્ય કરો છો. સર્વશક્તિમાન્ બાપ પાસે થી બળ મળે છે.
તમે કહો છો-બાબા, અમે કલ્પ-કલ્પ તમારી પાસે થી સતયુગ નું સ્વરાજ્ય લઈએ છીએ પછી
ગુમાવીએ છીએ, ફરી લઈએ છીએ. તમને પૂરું જ્ઞાન મળ્યું છે. હમણાં આપણે શ્રીમત પર
શ્રેષ્ઠ વિશ્વ નું રાજ્ય લઈએ છીએ. વિશ્વ પણ શ્રેષ્ઠ બની જાય છે. આ રચયિતા અને રચના
નું જ્ઞાન તમને હમણાં છે. આ લક્ષ્મી-નારાયણ ને પણ જ્ઞાન નહીં હશે કે અમે રાજાઈ કેવી
રીતે લીધી? અહીં તમે ભણો છો પછી જઈને રાજાઈ કરો છો. કોઈ સારા ધનવાન નાં ઘર માં જન્મ
લે છે તો કહેવાય છે ને આમણે પાછલા જન્મ માં સારા કર્મ કર્યા છે, દાન-પુણ્ય કર્યા
છે. જેવા કર્મ એવો જન્મ મળે છે. હમણાં તો આ છે જ રાવણ રાજ્ય. અહીં જે પણ કર્મ કરે
છે તે વિકર્મ થાય છે. સીડી ઉતરવાની જ છે. સૌથી મોટા ઊંચા માં ઊંચા દેવી-દેવતા ધર્મ
વાળાઓ ને પણ સીડી ઉતરવાની છે. સતો, રજો, તમો માં આવવાનું છે. દરેક વસ્તુ નવી થી પછી
જૂની થાય છે. તો હમણાં આપ બાળકો ને અથાહ ખુશી હોવી જોઈએ. તમારા સંકલ્પ-સ્વપ્ન માં
પણ નહોતું કે અમે વિશ્વ નાં માલિક બનીએ છીએ.
ભારતવાસી જાણે છે કે આ લક્ષ્મી-નારાયણ નું આખા વિશ્વ પર રાજ્ય હતું. પૂજ્ય થી એ પછી
પુજારી બને છે. ગવાય પણ છે આપે હી પૂજ્ય, આપે હી પુજારી. હવે તમારી બુદ્ધિ માં આ
હોવું જોઈએ. આ નાટક તો ખૂબ વન્ડરફુલ છે. કેવી રીતે આપણે ૮૪ જન્મ લઈએ છીએ, એને કોઈ
નથી જાણતું. શાસ્ત્રો માં ૮૪ લાખ જન્મ બતાવી દીધાં છે. બાપ કહે છે આ બધા ભક્તિમાર્ગ
નાં ગપ્પા છે. રાવણ રાજ્ય છે ને? રામરાજ્ય અને રાવણરાજ્ય કેવી રીતે થાય છે, આ આપ
બાળકો સિવાય બીજા કોઈ ની બુદ્ધિ માં નથી. રાવણ ને દર વર્ષે બાળે છે, તો દુશ્મન છે
ને? ૫ વિકાર મનુષ્ય નાં દુશ્મન છે. રાવણ છે કોણ, કેમ બાળે છે? કોઈ પણ નથી જાણતાં.
જે પોતાને સંગમયુગી સમજે છે એમની સ્મૃતિ માં રહે છે કે હમણાં આપણે પુરુષોત્તમ બની
રહ્યાં છીએ. ભગવાન આપણ ને રાજયોગ શીખવાડી ને નર થી નારાયણ, ભ્રષ્ટાચારી થી
શ્રેષ્ઠાચારી બનાવે છે. આપ બાળકો જાણો છો આપણને ઊંચા માં ઊંચા નિરાકાર ભગવાન ભણાવે
છે. કેટલી અથાહ ખુશી થવી જોઈએ! સ્કૂલ માં સ્ટુડન્ટ (વિદ્યાર્થી) ની બુદ્ધિ માં રહે
છે ને-અમે સ્ટુડન્ટ છીએ. તે તો છે સામાન્ય શિક્ષક, ભણાવવા વાળા. અહીં તો તમને ભગવાન
ભણાવે છે. જ્યારે ભણતર થી આટલું ઊંચ પદ મળે છે તો કેટલું સારું ભણવું જોઈએ? છે ખૂબ
સહજ, ફક્ત સવારે અડધો-પોણો કલાક ભણવાનું છે. આખો દિવસ ધંધા વગેરે માં યાદ ભૂલી જવાય
છે એટલે અહીં સવારે આવીને યાદ માં બેસે છે. કહેવાય છે બાબા ને ખૂબ પ્રેમ થી યાદ
કરો-બાબા, તમે અમને ભણાવવા આવ્યાં છો, હમણાં અમને ખબર પડી છે કે તમે ૫ હજાર વર્ષ પછી
આવીને ભણાવો છો. બાબા ની પાસે બાળકો આવે છે તો બાબા પૂછે છે પહેલાં ક્યારે મળ્યાં
છો? આવો પ્રશ્ન કોઈ પણ સાધુ-સન્યાસી વગેરે ક્યારેય પૂછી ન શકે. ત્યાં તો સત્સંગ માં
જે ઈચ્છે જઈને બેસે છે. અનેક ને જોઈને બધા અંદર ઘૂસી જાય છે. તમે પણ હમણાં સમજો છો
- આપણે ગીતા, રામાયણ વગેરે કેટલાં ખુશી થી જઈને સાંભળતા હતાં. સમજતા તો કાંઈ નહોતાં.
તે બધી ભક્તિ ની જ ખુશી છે. ખૂબ ખુશી માં નાચતા રહે છે. પરંતુ પછી નીચે ઉતરતા આવે
છે. જાત-જાત નાં હઠયોગ વગેરે કરે છે. તંદુરસ્તી માટે જ બધા કરે છે. તો બાપ સમજાવે
છે આ બધા છે ભક્તિમાર્ગ નાં રીત-રિવાજ. રચયિતા અને રચના ને કોઈ પણ નથી જાણતું. તો
બાકી રહ્યું જ શું. રચયિતા રચના ને જાણવાથી તમે શું બનો છો અને ન જાણવા થી તમે શું
બની જાઓ છો? તમે જાણવાથી સોલવેન્ટ (સમજદાર) બનો છો, ન જાણવાથી એ જ ભારતવાસી
ઈનસોલવેન્ટ (બેસમજ) બની ગયા છે. ગપ્પા મારતા રહે છે. શું-શું દુનિયા માં થતું રહે
છે? કેટલાં પૈસા, સોનું વગેરે લૂંટે છે! હવે આપ બાળકો જાણો છો-ત્યાં તો આપણે સોના
નાં મહેલ બનાવીશું. બેરિસ્ટરી વગેરે ભણે છે તો અંદર રહે છે ને - અમે આ પરીક્ષા પાસ
કરી પછી આ કરીશું, ઘર બનાવીશું. તમને બુદ્ધિ માં કેમ નથી આવતું આપણે સ્વર્ગ નાં
પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બનવા માટે ભણી રહ્યાં છીએ. ખુશી કેટલી રહેવી
જોઈએ! પરંતુ બહાર જવાથી જ ખુશી ગુમ થઈ જાય છે. નાની-નાની બાળકીઓ આ જ્ઞાન માં લાગી
જાય છે. સંબંધી કાંઈ પણ સમજતા નથી, કહી દે છે જાદુ છે. કહે છે અમે ભણવા નહીં દઈશું.
આ હાલત માં જ્યાં સુધી સગીર છે તો મા-બાપ નું કહેવું માનવું પડે. અમે લઈ ન શકીએ.
ખૂબ ખીટપીટ થઈ જાય છે. શરુઆત માં કેટલી ખીટપીટ થઈ. બાળકી કહે હું ૧૮ વર્ષ ની છું,
બાપ કહે ના, ૧૬ વર્ષ ની છે, સગીર છે, ઝઘડા કરી પકડીને લઈ જતા હતાં. સગીર એટલે જ બાપ
નાં હુકમ માં ચાલવાનું છે. બાલિક છે પછી જે ઈચ્છે તે કરે. કાયદા પણ છે ને? બાબા કહે
તમે જ્યારે બાપ ની પાસે આવો છો તો કાયદો છે પોતાનાં લૌકિક બાપ નું સર્ટીફિકેટ (ચિઠ્ઠી)
લઈને આવો. પછી મેનર્સ (શિસ્ત) પણ જોવાનાં હોય છે. મેનર્સ ઠીક નથી તો પાછું જવું પડશે.
રમત માં પણ એવું થાય છે. ઠીક નથી રમતા તો તેમને કહેશે બહાર જાઓ. આબરુ (ઈજ્જત) ગુમાવો
છો. હમણાં આપ બાળકો જાણો છો આપણે યુદ્ધ નાં મેદાન માં છીએ. કલ્પ-કલ્પ બાપ આવીને આપણ
ને માયા પર જીત અપાવે છે. મૂળ વાત જ છે પાવન બનવાની. પતિત બન્યાં છો વિકાર થી. બાપ
કહે છે કામ મહાશત્રુ છે. આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળો છે. જે બ્રાહ્મણ બનશે તે જ
પછી દેવી-દેવતા ધર્મ માં આવશે. બ્રાહ્મણો માં પણ નંબરવાર હોય છે. શમા પર પરવાના આવે
છે. કોઈ તો બળી મરે છે, કોઈ ફેરો ફરીને ચાલ્યાં જાય છે. અહીં પણ આવે છે, કોઈ તો
એકદમ ફિદા થાય છે, કોઈ સાંભળી ને પછી ચાલ્યાં જાય છે. પહેલાં તો લોહી થી પણ લખીને
આપતા હતાં - બાબા, અમે તમારા છીએ. તો પણ માયા હરાવી લે છે. આટલું માયા નું યુદ્ધ
ચાલે છે, આને જ યુદ્ધ સ્થળ કહેવાય છે. આ પણ તમે સમજો છો. પરમપિતા પરમાત્મા બ્રહ્મા
દ્વારા બધા વેદો-શાસ્ત્રો નો સાર સમજાવે છે. ચિત્ર તો અનેક બનાવી દીધાં છે ને? નારદ
નું પણ દ્રષ્ટાંત આ સમય નું છે. બધા કહે છે - અમે લક્ષ્મી અથવા નારાયણ બનીશું. બાપ
કહે છે પોતાની અંદર જુઓ - અમે લાયક છીએ? અમારા માં કોઈ વિકાર તો નથી? નારદ ભક્ત બધા
છે ને? આ એક દૃષ્ટાંત લખેલું છે.
ભક્તિ માર્ગ વાળા કહે છે અમે શ્રી લક્ષ્મી ને વરી શકીએ છે? બાપ કહે છે કે ના, જ્યારે
જ્ઞાન સાંભળો ત્યારે સદ્દગતિ મેળવી શકો. હું પતિત-પાવન જ બધાની સદ્દગતિ કરવા વાળો
છું. હમણાં તમે સમજો છો બાપ આપણ ને રાવણ રાજ્ય થી લિબરેટ (મુક્ત) કરી રહ્યાં છે. તે
છે શારીરિક યાત્રા. ભગવાનુવાચ - મનમનાભવ. બસ, આમાં ધક્કા ખાવાની વાત નથી. તે બધા છે
ભક્તિમાર્ગ નાં ધક્કા. અડધોકલ્પ બ્રહ્મા નો દિવસ, અડધોકલ્પ છે બ્રહ્મા ની રાત. તમે
સમજો છો આપણે બધા બી.કે. નો હવે અડધોકલ્પ દિવસ થશે. આપણે સુખધામ માં હોઈશું. ત્યાં
ભક્તિ નહીં હશે. હમણાં આપ બાળકો જાણો છો આપણે સૌથી સાહૂકાર બનીએ છીએ, તો કેટલી ખુશી
થવી જોઈએ? તમે બધા પહેલાં રફ પથ્થર હતાં, હવે બાપ સીરાન (ધાર) પર ચઢાવી રહ્યાં છે.
બાબા ઝવેરી પણ છે ને? ડ્રામા અનુસાર બાબાએ રથ પણ અનુભવી લીધો છે. ગાયન પણ છે ગામડા
નો છોકરો. શ્રીકૃષ્ણ ગામડા નો છોકરો કેવી રીતે હોઈ શકે છે? તે તો સતયુગ માં હતાં.
તેમને તો ઝૂલા માં ઝૂલાવે છે. તાજ પહેરાવે છે પછી ગામડા નો છોકરો કેમ કહે છે? ગામડા
નાં છોકરા શ્યામ થયાં. હમણાં સુંદર બનવા આવ્યાં છો. બાપ જ્ઞાન ની સીરાન પર ચઢાવે છે
ને? આ સત્ નો સંગ કલ્પ-કલ્પ, કલ્પ માં એક જ વાર મળે છે. બાકી બધા છે જુઠ્ઠા સંગ એટલે
બાપ કહે છે હિયર નો ઈવિલ… એવી વાતો ન સાંભળો જ્યાં મારી અને તમારી ગ્લાનિ કરતા રહે
છે.
જે કુમારીઓ જ્ઞાન માં આવે છે તો તે કહી શકે છે કે અમારો બાપ ની પ્રોપર્ટી (મિલકત)
માં ભાગ છે. કેમ નહીં અમે એમની પાસે થી ભારત ની સેવા અર્થ સેવાકેન્દ્ર ખોલીએ!
કન્યાદાન તો આપવાનું જ છે. તે ભાગ અમને આપી દો અમે સેવાકેન્દ્ર ખોલીએ. અનેક નું
કલ્યાણ થશે. એવી યુક્તિ રચવી જોઈએ. આ છે તમારું ઈશ્વરીય મિશન. તમે પથ્થરબુદ્ધિ ને
પારસબુદ્ધિ બનાવો છો. જે આપણા ધર્મ નાં હશે તે આવશે. એક જ ઘર માં દેવી-દેવતા ધર્મ
નું ફૂલ નીકળી આવશે. બાકી નહીં આવશે. મહેનત લાગે છે ને? બાપ સર્વ આત્માઓ ને પાવન
બનાવીને બધાને લઈ જાય છે એટલે બાબાએ સમજાવ્યું હતું-સંગમ નાં ચિત્ર પર લઈ જાઓ. આ
તરફ છે કળિયુગ, તે તરફ છે સતયુગ. સતયુગ માં છે દેવતાઓ, કળિયુગ માં છે અસુર. આને
કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ. બાપ જ પુરુષોત્તમ બનાવે છે. જે ભણશે તે સતયુગ માં
આવશે, બાકી બધા મુક્તિધામ માં ચાલ્યાં જશે. પછી પોત-પોતાનાં સમય પર આવશે. આ ગોળા
નું ચિત્ર ખૂબ સરસ છે. બાળકો ને સર્વિસ નો શોખ હોવો જોઈએ. અમે એવી-એવી સર્વિસ કરી,
ગરીબો નો ઉદ્ધાર કરી એમને સ્વર્ગ નાં માલિક બનાવીશું. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતે પોતાને
જોવાના છે અમે શ્રી લક્ષ્મી, શ્રી નારાયણ સમાન બની શકીએ છીએ? અમારા માં કોઈ વિકાર
તો નથી? ફેરા લગાવવા વાળા પરવાના છીએ કે ફિદા થવા વાળા? એવાં મેનર્સ તો નથી જે બાપ
ની આબરુ (ઈજ્જત) જાય?
2. અથાહ ખુશી માં
રહેવા માટે - સવારે-સવારે પ્રેમ થી બાપ ને યાદ કરવાના છે અને ભણતર ભણવાનું છે.
ભગવાન આપણ ને ભણાવી ને પુરુષોત્તમ બનાવી રહ્યાં છે, આપણે સંગમયુગી છીએ, આ નશા માં
રહેવાનું છે.
વરદાન :-
સર્વ ગુણો નાં
અનુભવો દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરવા વાળા અનુભવી મૂર્ત ભવ
જે બાપ નાં ગુણ ગાઓ
છો એ સર્વગુણો નાં અનુભવી બનો, જેવી રીતે બાપ આનંદ નાં સાગર છે તો એ જ આનંદ નાં
સાગર ની લહેરો માં લહેરાતા રહો. જે પણ સંપર્ક માં આવે એને આનંદ, પ્રેમ, સુખ… બધા
ગુણો ની અનુભૂતિ કરાવો. એવાં સર્વ ગુણો નાં અનુભવી મૂર્ત બનો તો તમારા દ્વારા બાપ
ની સૂરત પ્રત્યક્ષ થાય કારણકે આપ મહાન આત્માઓ જ પરમ આત્મા ને પોતાનાં અનુભવી મૂર્ત
થી પ્રત્યક્ષ કરી શકો છો.
સ્લોગન :-
કારણ ને
નિવારણ માં પરિવર્તન કરી અશુભ વાત ને પણ શુભ કરીને ઉઠાવો.
અવ્યક્ત ઇશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો
બ્રાહ્મણો ની લાઈફ,
જીવન નું જીયદાન પવિત્રતા છે. આદિ-અનાદિ સ્વરુપ જ પવિત્રતા છે. જ્યારે સ્મૃતિ આવી
ગઈ કે હું અનાદિ-આદિ પવિત્ર આત્મા છું. સ્મૃતિ આવવી અર્થાત્ પવિત્રતા ની સમર્થી આવવી.
સ્મૃતિ સ્વરુપ, સમર્થ સ્વરુપ આત્માઓ મૂળ પવિત્ર સંસ્કાર વાળા છે. તો મૂળ સંસ્કારો
ને ઈમર્જ કરી આ પવિત્રતા ની પર્સનાલિટી ને ધારણ કરો.