09-08-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ પુરુષોત્તમ સંગમયુગ કલ્યાણકારી યુગ છે , આમાં જ ભણતર થી તમારે શ્રીકૃષ્ણપુરી નાં માલિક બનવાનું છે”

પ્રશ્ન :-
બાપ માતાઓ પર જ્ઞાન નો કળશ કેમ રાખે છે? કયો એક રિવાજ ભારત માં જ ચાલે છે?

ઉત્તર :-
પવિત્રતા ની રાખડી બાંધી બધાને પતિત થી પાવન બનાવવા માટે બાપ માતાઓ પર જ્ઞાન નો કળશ રાખે છે. રક્ષાબંધન નો પણ ભારત માં જ રિવાજ છે. બહેન ભાઈ ને રાખડી બાંધે છે. આ પવિત્રતા ની નિશાની છે. બાપ કહે છે બાળકો તમે મામેકમ્ યાદ કરો તો પાવન બની પાવન દુનિયા નાં માલિક બની જશો.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા…

ઓમ શાંતિ!
આ છે ભોળાનાથ ની મહિમા, જેમનાં માટે કહે છે આપવા વાળા છે. આપ બાળકો જાણો છો શ્રી લક્ષ્મી-નારાયણ ને આ રાજ્ય-ભાગ્ય કોણે આપ્યું? જરુર ભગવાને આપ્યું હશે કારણકે સ્વર્ગ ની સ્થાપના તો એ જ કરે છે. સ્વર્ગ ની બાદશાહી ભોળાનાથે જેમ લક્ષ્મી-નારાયણ ને આપી તેમ જ શ્રીકૃષ્ણ ને આપી. રાધા-કૃષ્ણ અથવા લક્ષ્મી-નારાયણ ની વાત તો એક જ છે. પરંતુ રાજધાની નથી. તેમને પરમપિતા પરમાત્મા સિવાય કોઈ રાજ્ય આપી ન શકે. તેમનો જન્મ સ્વર્ગ માં જ કહેવાશે. આ આપ બાળકો જ જાણો છો. આપ બાળકો જ જન્માષ્ટમી પર સમજાવશો. શ્રીકૃષ્ણ ની જન્માષ્ટમી છે તો રાધા ની પણ હોવી જોઈએ કારણકે બંને સ્વર્ગ નાં વાસી હતાં. રાધા-કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બને છે. મુખ્ય વાત કે તેમને આ રાજ્ય કોણે આપ્યું? આ રાજયોગ ક્યારે અને કોણે શીખવાડ્યો? સ્વર્ગ માં તો નહીં શીખવાડ્યો હોય. સતયુગ માં તો એ છે જ ઉત્તમ પુરુષ. કળિયુગ પછી હોય છે સતયુગ. તો જરુર કળિયુગ નાં અંત માં રાજયોગ શીખ્યાં હશે. જે પછી નવાં જન્મ માં રાજાઈ પ્રાપ્ત કરી. જૂની દુનિયા થી નવી પાવન દુનિયા બને છે. જરુર પતિત-પાવન જ આવ્યાં હશે. હવે સંગમયુગ પર કયો ધર્મ હોય છે, આ કોઈને ખબર નથી. જૂની દુનિયા અને નવી દુનિયાનો આ છે પુરુષોત્તમ સંગમયુગ, જે ગવાયેલું છે. આ લક્ષ્મી-નારાયણ છે નવી દુનિયા નાં માલિક. તેમનાં આત્મા ને પહેલાં નાં જન્મ માં પરમપિતા પરમાત્માએ રાજયોગ શીખવાડ્યો. જે પુરુષાર્થ ની પ્રારબ્ધ ફરી થી નવાં જન્મ માં મળે છે, આનું નામ જ છે કલ્યાણકારી પુરુષોત્તમ સંગમયુગ. જરુર અનેક જન્મો નાં અંત નાં જન્મ માં જ તેમને કોઈએ રાજયોગ શીખવાડ્યો હશે. કળિયુગ માં છે અનેક ધર્મ, સતયુગ માં હતો એક દેવી-દેવતા ધર્મ. સંગમ પર કયો ધર્મ છે, જેનાંથી આ પુરુષાર્થ કરી રાજયોગ શીખ્યાં અને સતયુગ માં પ્રારબ્ધ ભોગવી. સમજાય છે સંગમયુગ પર બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ જ જન્મ્યાં. ચિત્ર માં પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના, કૃષ્ણપુરી ની. વિષ્ણુપુરી અથવા નારાયણપુરી કહો, વાત તો એક જ છે. હમણાં તમે જાણો છો આપણે કૃષ્ણપુરી નાં માલિક બનીએ છીએ, આ ભણતર થી અને પાવન બનવાથી. શિવ ભગવાનુવાચ છે ને? શ્રીકૃષ્ણ નો આત્મા જ અનેક જન્મો નાં અંત નાં જન્મ માં ફરી આ બને છે. ૮૪ જન્મ લે છે ને? આ છે ૮૪ મો જન્મ, આમનું જ પછી બ્રહ્મા નામ રાખે છે. નહીં તો પછી બ્રહ્મા ક્યાંથી આવ્યાં? ઈશ્વરે રચના રચી તો બ્રહ્મા-વિષ્ણુ-શંકર ક્યાંથી આવ્યાં? કેવી રીતે રચ્યાં? શું છૂ મંત્ર કર્યો જેનાંથી જન્મ થયો. બાપ જ તેમની હિસ્ટ્રી બતાવે છે. એડોપ્ટ કરાય છે તો નામ બદલે છે. બ્રહ્મા નામ તો નહોતું ને? કહે છે અનેક જન્મો નાં અંત માં… તો જરુર પતિત મનુષ્ય થયાં. બ્રહ્મા ક્યાંથી આવ્યાં, કોઈને પણ ખબર નથી. અનેક જન્મો નાં અંત નો જન્મ કોનો થયો? એ તો લક્ષ્મી-નારાયણે જ અનેક જન્મ લીધાં છે. નામ, રુપ, દેશ, કાળ બદલાતા જાય છે. શ્રીકૃષ્ણ નાં ચિત્ર માં ૮૪ જન્મો ની કહાણી ક્લિયર (સ્પષ્ટ) લખેલી છે. જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ નાં ચિત્ર પણ ખૂબ વહેંચાતા હશે કારણકે શ્રીકૃષ્ણ નાં મંદિર માં તો બધા જશે ને? રાધા-કૃષ્ણ નાં મંદિર માં જ જાય છે. શ્રીકૃષ્ણ ની સાથે રાધા જરુર હશે. રાધા-કૃષ્ણ, પ્રિન્સ-પ્રિન્સેસ જ લક્ષ્મી-નારાયણ મહારાજા-મહારાણી બને છે. તેમણે જ ૮૪ જન્મ લીધાં પછી અંત નાં જન્મ માં બ્રહ્મા-સરસ્વતી બન્યાં. અનેક જન્મો નાં અંત માં બાપે પ્રવેશ કર્યો. અને તેમને જ કહે છે તમે પોતાનાં જન્મ ને નથી જાણતાં. તમે પહેલાં જન્મ માં લક્ષ્મી-નારાયણ હતાં. પછી આ જન્મ લીધો, તેઓએ અર્જુન નું નામ કહી દીધું છે. અર્જુન ને રાજયોગ શીખવાડ્યો. અર્જુન ને અલગ કરી દીધો છે. પરંતુ તેમનું નામ અર્જુન નથી. બ્રહ્મા નું જીવન ચરિત્ર જોઈએ ને? પરંતુ બ્રહ્મા અને બ્રાહ્મણો નું વર્ણન ક્યાંય પણ નથી. આ વાતો બાપ જ સમજાવે છે. બધા બાળકો સાંભળશે પછી બાળકો બીજાઓ ને સમજાવશે. કથા સાંભળીને પછી બીજાઓ ને બેસીને સંભળાવે છે. તમે પણ સાંભળો છો પછી સંભળાવો છો. આ છે પુરુષોત્તમ સંગમયુગ, લિપ યુગ. એક્સ્ટ્રા યુગ. પુરુષોત્તમ મહિનો આવે છે તો ૧૩ મહિના થઈ જાય છે. આ સંગમયુગ નાં તહેવાર જ દર વર્ષે મનાવે છે. આ પુરુષોત્તમ સંગમયુગ ની કોઈને ખબર નથી. આ સંગમયુગ પર જ બાપ આવીને પવિત્ર બનાવવાની પ્રતિજ્ઞા કરાવે છે. પતિત દુનિયા થી પાવન દુનિયાની સ્થાપના કરાવે છે. રક્ષાબંધન નો પણ ભારત માં જ રિવાજ છે. બહેન ભાઈ ને રાખડી બાંધે છે. પરંતુ તે કુમારી પણ પછી અપવિત્ર બની જાય છે. હમણાં બાપે આપ માતાઓ પર જ્ઞાન નો કળશ રાખ્યો છે. જે બ્રહ્માકુમાર-બ્રહ્માકુમારીઓ પવિત્રતા ની પ્રતિજ્ઞા કરાવવાની રાખડી બાંધે છે. બાપ કહે છે મામેકમ્ યાદ કરો તો તમે પાવન બની પાવન દુનિયા નાં માલિક બની જશો. બાકી કોઈ રાખડી વગેરે બાંધવાની જરુર નથી. આ સમજાવાય છે. જેમ સાધુ-સંન્યાસી લોકો દાન માંગે છે. કોઈ કહે છે ક્રોધ નું દાન આપો, કોઈ કહે છે કાંદા ન ખાઓ. જે પોતે નથી ખાતા તે દાન લેતા હશે. આ બધાથી ભારે (ઊંચી) પ્રતિજ્ઞા તો બેહદ નાં બાપ કરાવે છે. તમે પાવન બનવા ઈચ્છો છો તો પતિત-પાવન બાપ ને યાદ કરો. દ્વાપર થી લઈને તમે પતિત બનતા આવ્યાં છો, હવે આખી દુનિયા પાવન જોઈએ, એ તો બાપ જ બનાવી શકે છે. સર્વ નાં ગતિ-સદ્દગતિ દાતા કોઈ મનુષ્ય હોઈ ન શકે. બાપ જ પાવન બનવાની પ્રતિજ્ઞા લે (કરાવે) છે. ભારત પાવન સ્વર્ગ હતું ને? પતિત-પાવન એ પરમપિતા પરમાત્મા જ છે. શ્રીકૃષ્ણ ને પતિત-પાવન નહીં કહેવાશે. તેમનો તો જન્મ થાય છે. તેમનાં તો મા-બાપ પણ દેખાડે છે. એક શિવ નો જ અલૌકિક જન્મ છે. એ સ્વયં જ પોતાનો પરિચય આપે છે કે હું સાધારણ તન માં પ્રવેશ કરું છું. શરીર નો આધાર જરુર લેવો પડે. હું જ્ઞાન નો સાગર પતિત-પાવન, રાજયોગ શીખવાડવા વાળો છું. બાપ જ સ્વર્ગ નાં રચયિતા છે અને નર્ક નો વિનાશ કરાવે છે. જ્યારે સ્વર્ગ છે તો નર્ક નથી. હમણાં પૂરું રૌરવ નર્ક છે. જ્યારે બિલકુલ તમોપ્રધાન નર્ક બને છે ત્યારે જ બાપ આવીને સતોપ્રધાન સ્વર્ગ બનાવે છે. ૧૦૦ ટકા પતિત થી ૧૦૦ ટકા પાવન બનાવે છે. પહેલો જન્મ જરુર સતોપ્રધાન જ મળશે. બાળકોએ વિચાર સાગર મંથન કરી ભાષણ કરવાનું છે. સમજાવવાનું પછી દરેક નું અલગ-અલગ હશે. બાપ પણ આજે એક વાત, કાલે પછી બીજી વાત સમજાવશે. એક જેવું સમજાવવાનું તો હોઈ ન શકે. સમજો ટેપ થી કોઈ એક્યુરેટ સાંભળે પણ પરંતુ પછી એક્યુરેટ સંભળાવી નહીં શકે, ફરક જરુર પડે છે. બાપ જે સંભળાવે છે, તમે જાણો છો ડ્રામા માં બધું નોંધ છે. શબ્દ બાય શબ્દ જે કલ્પ પહેલાં સંભળાવ્યું હતું તે પછી આજે સંભળાવે છે. આ રેકોર્ડ ભરાયેલો છે. ભગવાન સ્વયં કહે છે મેં જે ૫ હજાર વર્ષ પહેલાંં હૂબહૂ શબ્દ બાય શબ્દ સંભળાવ્યું છે એ જ સંભળાવું છું. આ શૂટ (નિશ્ચિત) કરેલો ડ્રામા છે. આમાં ફરક જરા પણ નથી પડી શકતો. આટલા નાનાં આત્મા માં રેકોર્ડ ભરાયેલો છે. હવે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ક્યારે થઈ હતી, આ પણ બાળકો સમજે છે. આજ થી ૫ હજાર વર્ષ થી અમુક દિવસ ઓછા કહેવાશે કારણકે હમણાં ભણી રહ્યાં છે. નવી દુનિયા ની સ્થાપના થઈ રહી છે. બાળકો નાં દિલ માં કેટલી ખુશી છે. તમે જાણો છો શ્રીકૃષ્ણ નાં આત્માએ ૮૪ નું ચક્ર લગાવ્યું છે. હવે ફરી શ્રીકૃષ્ણ નાં નામ-રુપ માં આવી રહ્યો છે. ચિત્ર માં દેખાડ્યું છે - જૂની દુનિયા ને લાત મારી રહ્યાં છે. નવી દુનિયા હાથ માં છે. હમણાં ભણી રહ્યાં છે એટલે કહેવાય છે - શ્રીકૃષ્ણ આવી રહ્યાં છે. જરુર બાપ અનેક જન્મો નાં અંત માં જ ભણાવશે. આ ભણતર પૂરું થશે તો શ્રીકૃષ્ણ જન્મ લેશે. બાકી થોડો સમય છે ભણતર નો. જરુર અનેક ધર્મો નો વિનાશ થયા પછી શ્રીકૃષ્ણ નો જન્મ થયો હશે? તે પણ એક શ્રીકૃષ્ણ તો નથી, આખી શ્રીકૃષ્ણપુરી હશે. આ બ્રાહ્મણ જ છે જે પછી આ રાજયોગ શીખી દેવતા પદ મેળવશે. દેવતાઓ બને જ છે નોલેજ થી. બાપ આવીને મનુષ્ય થી દેવતા બનાવે છે - ભણતર થી. આ પાઠશાળા છે, આમાં સૌથી વધારે સમય લાગે છે. ભણતર તો સહજ છે. બાકી યોગ માં છે મહેનત. તમે બતાવી શકો છો શ્રીકૃષ્ણ નો આત્મા હમણાં રાજયોગ શીખી રહ્યો છે - પરમપિતા પરમાત્મા દ્વારા. શિવબાબા બ્રહ્મા દ્વારા આપણને આત્માઓ ને ભણાવી રહ્યાં છે, વિષ્ણુપુરી નું રાજ્ય આપવાં. આપણે પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ છીએ. આ છે સંગમયુગ. આ ખૂબ નાનકડો યુગ છે. ચોટલી સૌથી નાની હોય છે ને? પછી એનાંથી મોટું મુખ, એનાંથી મોટી ભુજા, એનાંથી મોટું પેટ, એનાંથી મોટા પગ. વિરાટ રુપ દેખાડે છે, પરંતુ તેની સમજણ કોઈ નથી આપતું. આપ બાળકોએ આ ૮૪ જન્મો નાં ચક્ર નાં રહસ્ય સમજાવવાનાં છે. શિવ જયંતિ પછી છે શ્રીકૃષ્ણ જયંતિ.

આપ બાળકો માટે આ છે સંગમયુગ. તમારા માટે કળિયુગ પૂરો થઈ ગયો. બાપ કહે છે - મીઠાં બાળકો, હમણાં હું આવ્યો છું તમને સુખધામ, શાંતિધામ લઈ જવા માટે. તમે સુખધામ નાં રહેવાસી હતાં પછી દુઃખધામ માં આવ્યાં. પોકારો છો બાબા આવો, આ જૂની દુનિયા માં. તમારી દુનિયા તો નથી. હમણાં તમે શું કરી રહ્યાં છો? યોગબળ થી પોતાની દુનિયા સ્થાપન કરી રહ્યાં છો. કહેવાય પણ છે અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ. તમારે અહિંસક બનવાનું છે. નથી કામ કટારી ચલાવવાની, નથી લડવા-ઝઘડવાનું. બાપ કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી આવું છું. લાખો વર્ષ ની વાત જ નથી. બાપ કહે છે યજ્ઞ, તપ, દાન, પુણ્ય વગેરે કરતા તમે નીચે ઉતરતા આવ્યાં છો. જ્ઞાન થી જ સદ્દગતિ થાય છે. મનુષ્ય તો કુંભકરણ ની નિંદ્રા માં સૂતેલા છે, જે જાગતા જ નથી એટલે બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવું છું, મારો પણ ડ્રામા માં પાર્ટ છે. પાર્ટ વગર હું પણ કાંઈ નથી કરી શકતો. હું પણ ડ્રામા નાં બંધન માં છું. પૂરાં સમય પર આવું છું. ડ્રામા પ્લાન અનુસાર હું આપ બાળકો ને પાછા લઈ જાઉં છું. હવે કહું છું મનમનાભવ. પરંતુ આનો પણ અર્થ કોઈ નથી જાણતાં. બાપ કહે છે દેહ નાંં સર્વ સંબધ છોડી મામેકમ્ યાદ કરો તો તમે પાવન બની જશો. બાળકો મહેનત કરતા રહે છે બાપ ને યાદ કરવાની. આ છે ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, આખાં વિશ્વ ને સદ્દગતિ આપવાવાળી બીજી કોઈ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય હોઈ ન શકે. ઈશ્વર બાપ સ્વયં આવીને આખાં વિશ્વ ને ચેન્જ (પરિવર્તન) કરી દે છે. નર્ક થી સ્વર્ગ બનાવે છે. જેનાં પર પછી તમે રાજ્ય કરો છો. શિવ ને બબુલનાથ પણ કહે છે કારણકે એ આવીને તમને કામ કટારી થી છોડાવી પાવન બનાવે છે. ભક્તિમાર્ગ માં તો ખૂબ શો (ભપકો) છે. અહીં તો શાંતિ માં યાદ કરવાના છે. તેઓ અનેક પ્રકાર નાં હઠયોગ વગેરે કરે છે. તેમનો તો નિવૃત્તિ માર્ગ જ અલગ છે. તેઓ બ્રહ્મ ને માને છે. બ્રહ્મ યોગી તત્વ યોગી છે. તે તો થઈ ગયું આત્માઓ નું રહેવાનું સ્થાન, જેને બ્રહ્માંડ કહેવાય છે. તે પછી બ્રહ્મ ને ભગવાન સમજી લે છે. તેમાં લીન થઈ જશે. એટલે આત્મા ને મોર્ટલ (વિનાશી) બનાવી દે છે. બાપ કહે છે હું જ આવીને સર્વ ની સદ્દગતિ કરું છું. શિવબાબા જ સર્વ ની સદ્દગતિ કરે, તો એ છે હીરા જેવાં. પછી તમને ગોલ્ડન એજ (સ્વર્ણિમયુગ) માં લઈ જાય છે. તમારો પણ આ હીરા જેવો જન્મ છે પછી ગોલ્ડન એજ માં આવો છો. આ નોલેજ તમને બાપ જ આવીને ભણાવે છે જેનાંથી તમે દેવતા બનો છો. પછી આ નોલેજ પ્રાયઃ લોપ થઈ જાય છે. આ લક્ષ્મી-નારાયણ માં પણ રચયિતા અને રચના ની નોલેજ નથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાંં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયા માં રહેતાં ડબલ અહિંસક બની યોગબળ થી પોતાની નવી દુનિયા સ્થાપન કરવાની છે. પોતાનું જીવન હીરા જેવું બનાવવાનું છે.

2. બાપ જે સંભળાવે છે તેનાં પર વિચાર સાગર મંથન કરી બીજાઓ ને સંભળાવવાનું છે. સદા નશો રહે કે આ ભણતર પૂરું થશે તો આપણે કૃષ્ણપુરી માં જઈશું.

વરદાન :-
અપવિત્રતા નાં નામ - નિશાન ને પણ સમાપ્ત કરી હિઝ હોલીનેસ નું ટાઈટલ પ્રાપ્ત કરવા વાળા હોલીહંસ ભવ

જેવી રીતે હંસ ક્યારેય પણ પથ્થર નથી વીણતા, રત્ન ધારણ કરે છે. એવી રીતે હોલીહંસ કોઈનાં પણ અવગુણ અર્થાત્ પથ્થર ને ધારણ નથી કરતાં. તે વ્યર્થ અને સમર્થ ને અલગ કરી વ્યર્થ ને છોડી દે છે, સમર્થ ને અપનાવી લે છે. એમ હોલીહંસ જે પવિત્ર શુદ્ધ આત્માઓ છે, એમનો આહાર, વ્યવહાર બધું શુદ્ધ હોય છે. જ્યારે અશુદ્ધિ અર્થાત્ અપવિત્રતા નું નામ-નિશાન પણ સમાપ્ત થઈ જાય ત્યારે ભવિષ્ય માં હિઝ હોલીનેસ નું ટાઈટલ પ્રાપ્ત થઈ જાય એટલે ક્યારેય ભૂલ થી પણ કોઈનાં અવગુણ ધારણ નહીં કરતાં.

સ્લોગન :-
સર્વંશ ત્યાગી એ છે જે જૂનાં સ્વભાવ-સંસ્કાર નાં વંશ નો પણ ત્યાગ કરે છે.

અવ્યક્ત ઈશારા - સહજયોગી બનવું છે તો પરમાત્મ-પ્રેમ નાં અનુભવી બનો

કોઈ પણ કાર્ય કરતા બાપ ની યાદ માં લવલીન રહો. કોઈ પણ વાત નાં વિસ્તાર માં ન જઈને, વિસ્તાર ને બિંદુ લગાવી બિંદુ માં સમાવી દો, બિંદુ બની જાઓ, બિંદુ લગાવી દો, તો બધો વિસ્તાર, આખી જાળ સેકન્ડ માં સમાઈ જશે અને સમય બચી જશે, મહેનત થી છૂટી જશો. બિંદુ બની બિંદુ માં લવલીન થઈ જશો.