10-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
બાપ દ્વારા જે અદ્વૈત મત મળી રહી છે , એ મત પર ચાલીને કળિયુગી મનુષ્યો ને સતયુગી
દેવતા બનાવવાનું શ્રેષ્ઠ કર્તવ્ય કરવાનું છે”
પ્રશ્ન :-
બધા મનુષ્ય-માત્ર દુઃખી કેમ બન્યા છે, એનું મૂળ કારણ શું છે?
ઉત્તર :-
રાવણે બધા ને શ્રાપિત કરી દીધાં છે, એટલે બધા દુઃખી બન્યા છે. બાપ વારસો આપે છે,
રાવણ શ્રાપ આપે છે-આ પણ દુનિયા નથી જાણતી. બાપે વારસો આપ્યો ત્યારે તો ભારતવાસી આટલા
સુખી સ્વર્ગ નાં માલિક બન્યા, પૂજ્ય બન્યાં. શ્રાપિત થવાથી પુજારી બની જાય છે.
ઓમ શાંતિ!
બાળકો અહીં
મધુબન માં આવે છે બાપદાદા ની પાસે. હૉલ માં જયારે આવો છો, જુઓ છો પહેલાં બહેન-ભાઈ
બેસે છે પછી પાછળ જુઓ છો બાપદાદા આવેલા છે તો બાપ ની યાદ આવે છે. તમે છો પ્રજાપિતા
બ્રહ્મા નાં બાળકો, બ્રાહ્મણ અને બ્રાહ્મણીઓ. તે બ્રાહ્મણ તો બ્રહ્મા બાપ ને જાણતા
જ નથી. આપ બાળકો જાણો છો-બાપ જ્યારે આવે છે તો બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ જરુર જોઈએ.
કહે પણ છે ત્રિમૂર્તિ શિવ ભગવાનુવાચ. હવે ત્રણેય દ્વારા તો નહીં બોલશે ને? આ વાતો
સારી રીતે બુદ્ધિ માં ધારણ કરવાની છે. બેહદ નાં બાપ પાસે થી જરુર સ્વર્ગ નો વારસો
મળે છે, એટલે બધા ભક્ત ભગવાન પાસે થી શું ઈચ્છે છે? જીવનમુક્તિ. હમણાં છે જીવન-બંધ.
બધા બાપ ને યાદ કરે છે કે આવીને આ બંધન થી મુક્ત કરો. હમણાં આપ બાળકો જ જાણો છો કે
બાબા આવેલા છે. કલ્પ-કલ્પ બાપ આવે છે. પોકારે પણ છે - તુમ માતા-પિતા… પરંતુ તેનો
અર્થ તો કોઈ પણ નથી સમજતાં. નિરાકાર બાપ માટે સમજી લે છે. ગાય છે પરંતુ મળતું કાંઈ
પણ નથી. હમણાં આપ બાળકો ને એમની પાસે થી વારસો મળે છે ફરી કલ્પ પછી મળશે. બાળકો જાણે
છે બાપ અડધાકલ્પ માટે આવીને વારસો આપે છે અને રાવણ પછી શ્રાપ આપે છે. આ પણ દુનિયા
નથી જાણતી કે આપણે બધા શ્રાપિત છીએ. રાવણ નો શ્રાપ લાગેલો છે એટલે બધા દુઃખી છે.
ભારતવાસી સુખી હતાં. કાલે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય ભારત માં હતું. દેવતાઓ ની આગળ
માથું નમાવે છે, પૂજા કરે છે, પરંતુ સતયુગ ક્યારે હતો? આ કોઈને ખબર નથી. હવે જુઓ
લાખો વર્ષ ની આયુ ફક્ત સતયુગ ની દેખાડી છે, પછી ત્રેતા ની, દ્વાપર-કળિયુગ ની, તે
હિસાબ થી મનુષ્ય કેટલાં અસંખ્ય થઈ જાય. ફક્ત સતયુગ માં જ અસંખ્ય મનુષ્ય થઈ જાય. કોઈ
પણ મનુષ્ય ની બુદ્ધિ માં નથી બેસતું. બાપ સમજાવે છે કે જુઓ ગવાય પણ છે ૩૩ કરોડ
દેવતાઓ હોય છે. એવું થોડી તે કોઈ લાખો વર્ષ માં હોઈ શકે છે? તો આ પણ મનુષ્યો ને
સમજાવવું પડે.
હમણાં તમે સમજો છો કે
બાબા આપણને સ્વચ્છ બુદ્ધિ બનાવે છે. રાવણ મલેચ્છ બુદ્ધિ બનાવે છે. મુખ્ય વાત તો આ
છે. સતયુગ માં છે પવિત્ર, અહીં છે અપવિત્ર. આ પણ કોઈને ખબર નથી કે રામરાજ્ય કેટલાં
સમય થી કેટલાં સમય સુધી? રાવણ રાજ્ય કેટલાં સમય થી કેટલાં સમય સુધી હોય છે? સમજે છે
અહીં જ રામ રાજ્ય પણ છે, રાવણ રાજ્ય પણ છે. અનેક મત-મતાંતર છે ને? જેટલા છે મનુષ્ય,
એટલી છે મતો. હવે અહીં આપ બાળકોને એક અદ્વેત મત મળે છે જે બાપ જ આપે છે. તમે હમણાં
બ્રહ્મા દ્વારા દેવતા બની રહ્યા છો. દેવતાઓ ની મહિમા ગવાય છે-સર્વગુણ સંપન્ન, સોળે
કળા સંપૂર્ણ… છે તો તે પણ મનુષ્ય, મનુષ્ય ની મહિમા કેમ ગાય છે? જરુર ફરક હશે ને?
હમણાં આપ બાળકો પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર મનુષ્ય ને દેવતા બનાવવા નું કર્તવ્ય
શીખો છો. કળિયુગી મનુષ્ય ને તમે સતયુગી દેવતા બનાવો છો અર્થાત્ શાંતિધામ, બ્રહ્માંડ
નાં અને વિશ્વ નાં માલિક બનાવો છો, આ તો શાંતિધામ નથી ને? અહીં તો કર્મ જરુર કરવા
પડે. તે છે સ્વીટ સાઈલેન્સ હોમ. હવે તમે સમજો છો આપણે આત્માઓ સ્વીટ હોમ, બ્રહ્માંડ
નાં માલિક છીએ. ત્યાં દુઃખ-સુખ થી ન્યારા રહીએ છીએ. પછી સતયુગ માં વિશ્વ નાં માલિક
બનીએ છીએ. હમણાં આપ બાળકો લાયક બની રહ્યા છો. મુખ્ય-લક્ષ એક્યુરેટ સામે છે. આપ બાળકો
છો યોગબળ વાળા. તે છે બાહુબળ વાળા. તમે પણ છો યુદ્ધ નાં મેદાન પર, પરંતુ તમે છો ડબલ
અહિંસક. તે છે હિંસક. હિંસા કામ કટારી ને કહેવાય છે. સંન્યાસી પણ સમજે છે આ હિંસા
છે એટલે પવિત્ર બને છે. પરંતુ તમારા સિવાય બાપ ની સાથે પ્રીત કોઈની નથી. આશૂક-માશૂક
ની પ્રીત હોય છે ને? તે આશૂક-માશૂક તો એક જન્મ નાં ગવાય છે. તમે બધા છો મુજ માશૂક
નાં આશૂક. ભક્તિમાર્ગ માં મુજ એક માશૂક ને યાદ કરતા આવ્યા છો. હવે હું કહું છું આ
અંતિમ જન્મ ફક્ત પવિત્ર બનો અને યથાર્થ રીતે યાદ કરો તો પછી યાદ કરવાથી જ તમે છૂટી
જશો. સતયુગ માં યાદ કરવાની જરુર જ નહીં રહેશે. દુઃખ માં સિમરણ બધા કરે છે. આ છે
નર્ક. આને સ્વર્ગ તો નહીં કહેવાશે ને? મોટા વ્યક્તિ જે ધનવાન છે તેઓ સમજે છે અમારા
માટે તો અહીં જ સ્વર્ગ છે. વિમાન વગેરે બધા વૈભવ છે, કેટલી અંધશ્રદ્ધા માં રહે છે!
ગાય પણ છે તુમ માત પિતા… પરંતુ સમજતા કાંઈ નથી. કયા સુખ ઘનેરા (અથાહ) મળ્યા - આ કોઈ
પણ નથી જાણતાં. બોલે તો આત્મા છે ને? તમે આત્માઓ સમજો છો અમને સુખ ઘનેરા મળવાના છે.
એનું નામ જ છે-સ્વર્ગ, સુખધામ. સ્વર્ગ બધા ને બહુ જ મીઠું પણ લાગે છે. તમે હમણાં
જાણો છો સ્વર્ગ માં હીરા-ઝવેરાત નાં કેટલાં મહેલ હતાં! ભક્તિ માર્ગ માં પણ કેટલું
અગણિત ઘન હતું, જે સોમનાથ નું મંદિર બનાવ્યું છે. એક-એક ચિત્ર લાખો ની કિંમત વાળા
હતાં. તે બધા ક્યાં ચાલ્યા ગયાં? કેટલું લૂંટીને લઈ ગયાં! મુસલમાનોએ જઈને મસ્જીદો
વગેરે માં લગાવ્યા, એટલું અથાહ ધન હતું. હમણાં આપ બાળકોની બુદ્ધિ માં છે આપણે બાપ
દ્વારા ફરીથી સ્વર્ગ નાં માલિક બનીએ છીએ. આપણા મહેલ સોના નાં હશે. દરવાજા પર પણ
જડતર લાગેલું હશે. જૈનો નાં મંદિર પણ આવાં બનેલા હોય છે. હમણાં હીરા વગેરે તો નથી
ને, જે પહેલાં હતાં? હવે તમે જાણો છો આપણે બાપ પાસે થી સ્વર્ગ નો વારસો લઈ રહ્યા
છીએ. શિવબાબા આવે પણ ભારત માં જ છે. ભારત ને જ શિવ ભગવાન પાસે થી સ્વર્ગ નો વારસો
મળે છે. ક્રિશ્ચન પણ કહે છે ક્રાઈસ્ટ કરતાં ૩ હજાર વર્ષ પહેલાં ભારત હેવન (સ્વર્ગ)
હતું. રાજ્ય કોણ કરતું હતું? આ કોઈને ખબર નથી. બાકી એ સમજે છે ભારત ખૂબ જૂનું છે.
તો આ જ સ્વર્ગ હતું ને? બાપ ને કહે પણ છે હેવનલી ગોડ ફાધર અર્થાત્ હેવન સ્થાપન કરવા
વાળા ફાધર. જરુર ફાધર આવ્યા હશે, ત્યારે તમે સ્વર્ગ નાં માલિક બન્યા હશો. દર ૫ હજાર
વર્ષ પછી સ્વર્ગ નાં માલિક બનો છો પછી અડધાકલ્પ પછી રાવણ રાજ્ય શરુ થાય છે. ચિત્રો
માં એવું સ્પષ્ટ કરીને દેખાડો જે લાખો વર્ષ ની વાત બુદ્ધિ થી જ નીકળી જાય.
લક્ષ્મી-નારાયણ કોઈ એક નથી, તેમની ડિનાયસ્ટી (વંશજ) હશે ને પછી તેમનાં બાળકો રાજા
બનતા હશે. રાજાઓ તો ખૂબ બને છે ને? આખી માળા બનેલી છે. માળા ને જ સિમરણ કરતા રહે છે
ને? જે બાપ નાં મદદગાર બની બાપ ની સર્વિસ કરે છે તેમની જ માળા બને છે. જે પૂરાં
ચક્ર માં આવે છે, પૂજ્ય પુજારી બને છે તેમનું આ યાદગાર છે. તમે પૂજ્ય થી પુજારી બનો
છો તો પછી પોતાની માળાને બેસી પૂજો છો. પહેલાં માળા પર હાથ લગાવીને પછી માથું નમાવશે.
પછી માળાને ફેરવવાનું શરુ કરે છે. તમે પણ આખું ચક્ર લગાવો છો પછી શિવબાબા પાસે થી
વારસો મેળવો છો. આ રહસ્ય તમે જ જાણો છો. મનુષ્ય તો કોઈ કોઈનાં નામ પર, કોઈ કોઈનાં
નામ પર માળા ફેરવે છે. જાણતા કાંઈ પણ નથી. હમણાં તમને માળા નું બધું જ્ઞાન છે, બીજા
કોઈને આ જ્ઞાન નથી. ક્રિશ્ચન થોડી સમજે છે કે આ કોની માળા ફેરવે છે? આ માળા છે જ
તેમની જે બાપ નાં મદદગાર બની સર્વિસ (સેવા) કરે છે. આ સમયે બધા પતિત છે, જે પાવન હતાં
તે બધા અહીં આવતાં-આવતાં હવે પતિત બન્યા છે, પછી નંબરવાર બધા જશે. નંબરવાર આવે છે,
નંબરવાર જાય છે. કેટલી સમજવાની વાતો છે. આ ઝાડ છે. કેટલી ડાળીઓ મઠ-પંથ છે. હવે આ આખું
ઝાડ ખલાસ થવાનું છે, પછી તમારું ફાઉન્ડેશન (પાયો) લાગશે. તમે છો આ ઝાડ નાં
ફાઉન્ડેશન. તેમાં સૂર્યવંશી, ચંદ્રવંશી બંને છે. સતયુગ-ત્રેતા માં જે રાજ્ય કરવા
વાળા હતાં, તેમનો હમણાં ધર્મ જ નથી, ફક્ત ચિત્રો છે. જેમનાં ચિત્રો છે તેમની
બાયોગ્રાફી (જીવનકહાણી) ને તો જાણવી જોઈએ ને? કહી દે છે ફલાણી ચીજ લાખો વર્ષ જૂની
છે. હવે હકીકત માં જૂનાં માં જૂનો છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. તેની આગળ તો કોઈ
ચીજ હોઈ ન શકે. બાકી બધી ૨૫૦૦ વર્ષ ની જૂની ચીજો હશે, નીચે થી ખોદીને કાઢે છે ને?
ભક્તિ માર્ગ માં જે પૂજા કરે છે તે જૂનાં ચિત્ર કાઢે છે કારણકે અર્થક્વેક (ધરતીકંપ)
માં બધા મંદિર વગેરે પડી જાય છે પછી નવાં બને છે. હીરા-સોના વગેરે ની ખાણો જે હમણાં
ખાલી થઈ ગઈ છે તે પછી ત્યાં ભરતું (ભરપૂર) થઈ જશે. આ બધી વાતો હમણાં તમારી બુદ્ધિમાં
છે ને? બાપે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવી છે. સતયુગ માં કેટલાં થોડા મનુષ્ય
હોય છે પછી વૃદ્ધિ થાય છે. આત્માઓ બધા પરમધામ થી આવતા રહે છે. આવતાં-આવતાં ઝાડ વધે
છે. ફરી જ્યારે ઝાડ ની જડજડીભૂત અવસ્થા થાય છે તો કહેવાય છે રામ ગયો રાવણ ગયો, જિનકા
બહુ પરિવાર હૈ. અનેક ધર્મ છે ને? આપણો પરિવાર કેટલો નાનો છે? આ ફક્ત બ્રાહ્મણો નો જ
પરિવાર છે. તે કેટલાં અનેક ધર્મ છે, જનસંખ્યા બતાવે છે ને? તે બધા છે રાવણ સંપ્રદાય.
આ બધા જશે. બાકી થોડા રહેશે. રાવણ સંપ્રદાય પછી સ્વર્ગ માં નહીં આવશે, બધા
મુક્તિધામ માં જ રહેશે. બાકી તમે જે ભણો છો તેઓ નંબરવાર આવશે સ્વર્ગ માં.
હમણાં આપ બાળકોએ
સમજ્યું છે કેવું એ નિરાકારી ઝાડ છે, આ મનુષ્ય સૃષ્ટિ નું ઝાડ છે. આ તમારી બુદ્ધિ
માં છે. ભણતર પર ધ્યાન નહીં આપશો તો પરીક્ષા માં નાપાસ થઈ જશો. ભણતા અને ભણાવતા
રહેશો તો ખુશી પણ રહેશે. જો વિકાર માં પડ્યા તો બાકી આ બધું ભૂલાઈ જશે. આત્મા જ્યારે
પવિત્ર સોનું હોય ત્યારે તેમાં ધારણા સારી થાય. સોના નું વાસણ હોય છે પવિત્ર ગોલ્ડન.
જો કોઈ પતિત બન્યા તો જ્ઞાન સંભળાવી ન શકે. હમણાં તમે સામે બઠાં છો, જાણો છો ગોડ
ફાધર શિવબાબા આપણને આત્માઓ ને ભણાવી રહ્યા છે. આપણે આત્માઓ આ ઓર્ગન્સ (અંગો) દ્વારા
સાંભળી રહ્યા છીએ. ભણાવવા વાળા બાપ છે, આવી પાઠશાળા આખી દુનિયા માં ક્યાં હશે? એ
ગોડ ફાધર છે, શિક્ષક પણ છે, સદ્દગુરુ પણ છે, બધાને પાછા લઈ જશે. હમણાં તમે બાપ ની
સન્મુખ બેઠાં છો. સન્મુખ મોરલી સાંભળવા માં કેટલો ફરક છે? જેમ આ ટેપ મશીન નીકળ્યું
છે, બધાની પાસે એક દિવસ આવી જશે. બાળકો નાં સુખ માટે બાપ આવી ચીજો બનાવડાવે છે. કોઈ
મોટી વાત નથી ને? આ શામળશા છે ને? પહેલાં સુંદર હતાં, હવે સાંવરા (શ્યામ) બન્યા છે
ત્યારે તો શ્યામ સુંદર કહે છે. તમે જાણો છો આપણે સુંદર હતાં, હવે શ્યામ બન્યા છીએ
ફરી સુંદર બનીશું. ફક્ત એક કેમ બનશે? એક ને સાપે ડંખ માર્યો શું? સાપ તો માયા ને
કહેવાય છે ને? વિકાર માં જવાથી સાંવરા બની જાય છે. કેટલી સમજવાની વાતો છે? બેહદ નાં
બાપ કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં આ અંતિમ જન્મ મારી માટે પવિત્ર બનો. બાળકો
પાસે આ ભીખ માંગે છે. કમળફૂલ સમાન પવિત્ર બનો અને મને યાદ કરો તો આ જન્મ પણ પવિત્ર
બનશો અને યાદ માં રહેવાથી ભૂતકાળ નાં વિકર્મ પણ વિનાશ થશે. આ છે યોગ અગ્નિ, જેનાંથી
જન્મ-જન્માંતર નાં પાપ દગ્ધ થાય છે. સતોપ્રધાન થી સતો, રજો, તમો માં આવે છે તો કળા
ઓછી થતી જાય છે. ખાદ પડતી જાય છે. હવે બાપ કહે છે ફક્ત મામેકમ્ યાદ કરો. બાકી પાણી
ની નદીઓમાં સ્નાન કરવાથી થોડી પાવન બનશે? પાણી પણ તત્વ છે ને? ૫ તત્વ કહેવાય છે. આ
નદીઓ કેવી રીતે પતિત-પાવની હોઈ શકે છે? નદીઓ તો સાગર માંથી નીકળે છે. પહેલાં તો
સાગર પતિત-પાવન હોવો જોઈએ ને? અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિજય માળા
માં આવવા માટે બાપ નાં મદદગાર બની સર્વિસ કરવાની છે. એક માશૂક ની સાથે સાચ્ચી પ્રીત
રાખવાની છે. એક ને જ યાદ કરવાના છે.
2. પોતાનાં એક્યુરેટ
મુખ્ય-લક્ષ્ય ને સામે રાખી પૂરો પુરુષાર્થ કરવાનો છે. ડબલ અહિંસક બની મનુષ્ય ને
દેવતા બનાવવાનું શ્રેષ્ઠ કર્તવ્ય કરતા રહેવાનું છે.
વરદાન :-
વિજયીપણા નાં
નશા દ્વારા સદા હર્ષિત રહેવા વાળા સર્વ આકર્ષણો થી મુક્ત ભવ
વિજયી રત્નો ની
યાદગાર - બાપ નાં ગળા નો હાર આજ સુધી પૂજાય છે. તો સદા આ જ નશો રહે કે આપણે બાબા
નાં ગળા નાં હાર વિજયી રત્ન છીએ, આપણે વિશ્વ નાં માલિક નાં બાળક છીએ. આપણને જે મળ્યું
છે તે કોઈને પણ મળી ન શકે - આ નશો અને ખુશી સ્થાઈ રહે તો કોઈ પણ પ્રકાર નાં આકર્ષણ
થી પરે રહેશો. જે સદા વિજયી છે તે સદા હર્ષિત છે. એક બાપ ની યાદ નાં આકર્ષણ માં
આકર્ષિત છે.
સ્લોગન :-
એક નાં અંત
માં ખોવાઈ જવું અર્થાત્ એકાંતવાસી બનવું .
અવ્યક્ત ઈશારા :-
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
હવે બધા મળીને એક-બીજા
ની હિંમત વધારીને આ સંકલ્પ કરો કે હવે સમય ને સમીપ લાવવાનો જ છે. આત્માઓ ને મુક્તિ
અપાવવાની જ છે. પરંતુ આ ત્યારે થશે જ્યારે વિચારવાનું સ્મૃતિ સ્વરુપ માં લાવશો, જ્યાં
એકતા અને દૃઢતા છે ત્યાં અસંભવ પણ સંભવ થઈ જાય છે.