10-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર ભણવાનું અને ભણાવવાનું છે , બધાને શાંતિધામ અને સુખધામ નો રસ્તો બતાવવાનો છે”

પ્રશ્ન :-
જે સતોપ્રધાન પુરુષાર્થી છે તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે બીજાઓને પણ આપ સમાન બનાવશે. તે અનેક નું કલ્યાણ કરતા રહેશે. જ્ઞાન-ધન થી ઝોલી ભરીને દાન કરશે. ૨૧ જન્મો માટે વારસો લેશે અને બીજાઓને પણ અપાવશે.

ગીત :-
ઓમ્ નમો શિવાય…

ઓમ શાંતિ!
ભક્ત જેમની મહિમા કરે છે, તમે એમની સન્મુખ બેઠાં છો, તો કેટલી ખુશી થવી જોઈએ? એમને કહે છે શિવાય નમઃ. તમારે તો નમઃ નથી કરવાનું. બાપ ને બાળકો યાદ કરે છે, નમઃ ક્યારેય નથી કરતાં. આ પણ બાપ છે, આમની પાસે થી તમને વારસો મળે છે. તમે નમઃ નથી કરતા, યાદ કરો છો. જીવ નો આત્મા યાદ કરે છે. બાપે આ તન ની લોન લીધી છે. એ આપણને રસ્તો બતાવી રહ્યાં છે - બાપ પાસે થી બેહદ નો વારસો કેવી રીતે લેવાય છે? તમે પણ સારી રીતે જાણો છો. સતયુગ છે સુખધામ અને જ્યાં આત્માઓ રહે છે એને કહેવાય છે શાંતિધામ. તમારી બુદ્ધિ માં છે કે આપણે શાંતિધામ નાં વાસી છીએ. આ કળિયુગ ને કહેવાય જ છે દુઃખધામ. તમે જાણો છો આપણે આત્માઓ હવે સ્વર્ગ માં જવા માટે, મનુષ્ય થી દેવતા બનવા માટે ભણી રહ્યાં છીએ. આ લક્ષ્મી-નારાયણ દેવતાઓ છે ને? મનુષ્ય થી દેવતા બનવાનું છે નવી દુનિયા માટે. બાપ દ્વારા તમે ભણો છો. જેટલું ભણશો, ભણતર માં પુરુષાર્થ કોઈ નો તીખો (સારો) હોય છે, કોઈ નો ઢીલો (ઓછો) હોય છે. સતોપ્રધાન પુરુષાર્થી જે હોય છે તે બીજાઓને પણ આપ સમાન બનાવવાનો નંબરવાર પુરુષાર્થ કરાવે છે, અનેક નું કલ્યાણ કરે છે. જેટલી ધન થી ઝોલી ભરીને દાન કરશે એટલો ફાયદો થશે. મનુષ્ય દાન કરે છે, તેનું બીજા જન્મ માં અલ્પકાળ માટે મળે છે. તેમાં થોડું સુખ બાકી તો દુઃખ જ દુઃખ છે. તમને તો ૨૧ જન્મો માટે સ્વર્ગ નાં સુખ મળે છે. ક્યાં સ્વર્ગ નાં સુખ, ક્યાં આ દુઃખ? બેહદ નાં બાપ દ્વારા તમને સ્વર્ગ માં બેહદ નાં સુખ મળે છે. ઈશ્વર અર્થ દાન પુણ્ય કરે છે ને? તે છે ઇનડાયરેક્ટ. હમણાં તમે તો સન્મુખ છો ને? હમણાં બાપ સમજાવે છે - ભક્તિ માર્ગ માં ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે છે તો બીજા જન્મ માં મળે છે. કોઈ સારું કરે છે તો સારું મળે છે, ખરાબ પાપ વગેરે કરે છે તો તેને તેવું મળે છે. અહીં કળિયુગ માં તો પાપ જ થતા રહે છે, પુણ્ય થતા જ નથી. કરીને અલ્પકાળ માટે સુખ મળે છે. હમણાં તો તમે ભવિષ્ય સતયુગ માં ૨૧ જન્મો માટે સદા સુખી બનો છો. તેનું નામ જ છે સુખધામ. પ્રદર્શન માં પણ તમે લખી શકો છો કે શાંતિધામ અને સુખધામ નો આ માર્ગ છે, શાંતિધામ અને સુખધામ માં જવાનો સહજ માર્ગ. હમણાં તો કળિયુગ છે ને? કળિયુગ થી સતયુગ, પતિત દુનિયા થી પાવન દુનિયા માં જવાનો સહજ રસ્તો - કોડી ખર્ચા વગર. તો મનુષ્ય સમજે કારણકે પથ્થર બુદ્ધિ છે ને? બાપ બિલકુલ સહજ કરીને સમજાવે છે. આનું નામ જ છે સહજ રાજયોગ, સહજ જ્ઞાન.

બાપ આપ બાળકોને કેટલાં સેન્સિબલ (સમજદાર) બનાવે છે? આ લક્ષ્મી-નારાયણ સેન્સિબલ છે ને? ભલે શ્રીકૃષ્ણ માટે શું-શું લખી દીધું છે, તે છે જુઠ્ઠા કલંક. શ્રીકૃષ્ણ કહે છે મૈયા મેં નહીં માખન ખાયો… હવે તેનો અર્થ પણ નથી સમજતાં. મેં નહીં માખન ખાયો, તો બાકી ખાધું કોણે? બાળકને દૂધ પીવડાવાય છે, બાળક માખણ ખાશે કે દૂધ પીશે? આ જે દેખાડ્યું છે મટકી ફોડી વગેરે-વગેરે…એવી કોઈ વાતો નથી. એ તો સ્વર્ગ નાં ફર્સ્ટ પ્રિન્સ (રાજકુમાર) છે. મહિમા તો એક શિવબાબા ની જ છે. દુનિયા માં બીજા કોઈની મહિમા નથી! આ સમયે તો બધા પતિત છે પરંતુ ભક્તિ માર્ગ ની પણ મહિમા છે, ભક્ત માળા પણ ગવાય છે ને? ફિમેલ્સ (સ્ત્રી) માં મીરા નું નામ છે, મેલ્સ (પુરુષ) માં નારદ મુખ્ય ગવાયેલા છે. તમે જાણો છો એક છે ભક્ત માળા, બીજી છે જ્ઞાન ની માળા. ભક્ત માળા થી રુદ્ર માળા નાં બને છે પછી રુદ્ર માળા થી વિષ્ણુ ની માળા બને છે. રુદ્ર માળા છે સંગમયુગ ની, આ રહસ્ય આપ બાળકોની બુદ્ધિ માં છે. આ વાતો તમને બાપ સન્મુખ સમજાવે છે. સન્મુખ જ્યારે બેસો છો તો તમારા રોમાંચ ઉભા થઈ જવા જોઈએ. અહો સૌભાગ્ય - ૧૦૦ ટકા દુર્ભાગ્યશાળી થી આપણે સૌભાગ્યશાળી બનીએ છીએ. કુમારીઓ તો કામ કટારી ની નીચે ગઈ નથી. બાપ કહે છે તે છે કામ કટારી. જ્ઞાન ને પણ કટારી કહે છે. બાપે કહ્યું છે જ્ઞાન નાં અસ્ત્ર-શસ્ત્ર, તો તેમણે પછી દેવીઓ ને સ્થૂળ અસ્ત્ર-શસ્ત્ર આપી દીધાં છે. તે તો છે હિંસક ચીજો. મનુષ્યોને આ ખબર નથી કે સ્વદર્શન ચક્ર શું છે? શાસ્ત્રો માં શ્રીકૃષ્ણ ને પણ સ્વદર્શન ચક્ર આપી હિંસા જ હિંસા દેખાડી દીધી છે. હકીકત માં છે જ્ઞાન ની વાત. તમે હમણાં સ્વદર્શન ચક્રધારી બન્યાં છો તેમણે પછી હિંસા ની વાત દેખાડી દીધી છે. આપ બાળકો ને હવે સ્વ અર્થાત્ ચક્ર નું જ્ઞાન મળ્યું છે. તમને બાબા કહે છે-બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ કુળ ભૂષણ, સ્વદર્શન ચક્રધારી. આનો અર્થ પણ હમણાં તમે સમજો છો. તમારા માં આખું ૮૪ જન્મો નું અને સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન છે. પહેલાં સતયુગ માં એક સૂર્યવંશી ધર્મ છે પછી ચંદ્રવંશી. બંને ને મિલાવી ને સ્વર્ગ કહેવાય છે. આ વાતો તમારા માં પણ નંબરવાર બધાની બુદ્ધિ માં છે. જેમ તમને બાબાએ ભણાવ્યું છે, તમે ભણીને હોંશિયાર થયા છો. હવે તમારે પછી બીજાઓ નું કલ્યાણ કરવાનું છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. જ્યાં સુધી બ્રહ્મા મુખ વંશાવલી નથી બન્યાં તો શિવબાબા પાસે થી વારસો કેવી રીતે લેશો? હમણાં તમે બન્યાં છો બ્રાહ્મણ. વારસો શિવબાબા પાસે થી લઈ રહ્યાં છો. આ ભૂલવું ન જોઈએ. પોઈન્ટ નોંધ કરવા જોઈએ. આ સીડી છે ૮૪ જન્મો ની. સીડી ઉતરવામાં તો સહજ હોય છે. જ્યારે સીડી ચઢે છે તો કમર ને હાથ આપી કેવી રીતે ચઢે છે. પરંતુ લિફ્ટ પણ છે. હમણાં બાબા આવે જ છે તમને લિફ્ટ આપવાં. સેકન્ડ માં ચઢતી કળા થાય છે. હવે આપ બાળકોને તો ખુશી થવી જોઈએ કે આપણી ચઢતી કળા છે. મોસ્ટ બિલોવેડ (સૌથી પ્રિય) બાબા મળ્યાં છે. એમનાં જેવી પ્રિય ચીજ કોઈ હોતી નથી. સાધુ-સંત વગેરે જે પણ છે બધા એ એક માશૂક ને યાદ કરે છે, બધા એમનાં આશિક છે. પરંતુ એ કોણ છે? આ કાંઈ પણ સમજતા નથી. ફક્ત સર્વવ્યાપી કહી દે છે.

તમે હમણાં જાણો છો કે શિવબાબા આપણને આમનાં દ્વારા ભણાવે છે. શિવબાબા ને પોતાનું શરીર તો નથી. એ છે પરમ આત્મા. પરમ આત્મા એટલે પરમાત્મા. જેમનું નામ છે શિવ. બાકી બધા આત્માઓ નાં શરીર પર નામ અલગ-અલગ પડે છે. એક જ પરમ આત્મા છે, જેમનું નામ શિવ છે. પછી મનુષ્યો એ અનેક નામ રાખી દીધાં છે. ભિન્ન-ભિન્ન મંદિર બનાવ્યાં છે. હવે તમે અર્થ સમજો છો. બોમ્બે માં બબુલનાથ નું મંદિર છે, આ સમયે તમને કાંટા થી ફૂલ બનાવે છે. વિશ્વ નાં માલિક બનો છો. તો પહેલી વાત મુખ્ય આ છે કે આપણા આત્માઓ નાં બાપ એક છે, એમની પાસેથી જ ભારતવાસીઓ ને વારસો મળે છે. ભારત નાં આ લક્ષ્મી-નારાયણ માલિક છે ને? ચીન નાં તો નથી ને? ચીન નાં હોત તો ચહેરો જ બીજો હોત. આ છે જ ભારત નાં. પહેલાં-પહેલાં ગોરા પછી શ્યામ બને છે. આત્મા માં જ ખાદ પડે છે, શ્યામ બને છે. દૃષ્ટાંત આખું આમનાં ઉપર છે. ભ્રમરી કીડા ને ચેન્જ (પરિવર્તન) કરી આપ સમાન બનાવે છે. સંન્યાસી શું ચેન્જ કરે છે? સફેદ કપડા વાળા ને ગેરુ કપડા પહેરાવીને માથું મૂંડાવી દે છે. તમે તો આ જ્ઞાન લો છો. આવાં લક્ષ્મી-નારાયણ જેવા શોભનિક બની જશો. હમણાં તો પ્રકૃતિ પણ તમોપ્રધાન છે, તો આ ધરતી પણ તમોપ્રધાન છે. નુકસાનકારક છે. આકાશ માં તોફાન લાગે છે, કેટલું નુકસાન કરે છે, ઉપદ્રવ થતા રહે છે. હમણાં આ દુનિયા માં છે પરમ દુઃખ. ત્યાં પછી પરમ સુખ હશે. બાપ પરમ-દુઃખ થી પરમ-સુખ માં લઈ જાય છે. આનો વિનાશ થાય છે પછી બધું સતોપ્રધાન બની જાય છે. હમણાં તમે પુરુષાર્થ કરી જેટલો બાપ પાસે થી વારસો લેવો છે એટલો લઈ લો. નહીં તો પાછળ થી પશ્ચાતાપ કરવો પડશે. બાબા આવ્યાં પરંતુ અમે કાંઈ ન લીધું. આ લખેલું છે - ભંભોર ને આગ લાગે છે ત્યારે કુંભકરણ ની નિંદ્રા થી જાગે છે. પછી હાય-હાય કરી મરી જાય છે. હાય-હાય પછી ફરી જય-જયકાર થશે. કળિયુગ માં હાય-હાય છે ને? એક-બીજા ને મારતા રહે છે. અનેકાનેક મરશે. કળિયુગ પછી સતયુગ જરુર થશે (આવશે). વચ્ચે આ છે સંગમ. આને પુરુષોત્તમ યુગ કહેવાય છે. બાપ તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાની યુક્તિ સારી બતાવે છે. ફક્ત કહે છે મને યાદ કરો બીજું કાંઈ પણ નથી કરવાનું. હવે આપ બાળકોએ માથું વગેરે પણ નથી નમાવવાનું. બાબા ને કોઈ હાથ જોડે છે તો બાબા કહે છે, ન તો આપ આત્મા ને હાથ છે, નથી બાપ ને, પછી હાથ કોને જોડો છો. કળિયુગી ભક્તિમાર્ગ નું એક પણ ચિન્હ ન હોવું જોઈએ. હે આત્મા, તમે હાથ કેમ જોડો છો? ફક્ત મુજ બાપ ને યાદ કરો. યાદ નો મતલબ કાંઈ હાથ જોડવાનો નથી. મનુષ્ય તો સૂર્ય ને પણ હાથ જોડશે, કોઈ મહાત્મા ને પણ હાથ જોડશે. તમારે હાથ જોડવાના નથી, આ તો મારું લોન લીધેલું તન છે. પરંતુ કોઈ હાથ જોડે છે તો રિટર્ન માં (સામે) જોડવા પડે છે. તમારે તો એ સમજવાનું છે કે આપણે આત્મા છીએ, આપણે આ બંધન થી છૂટીને હવે પાછા ઘરે જવાનું છે. આનાથી તો જાણે નફરત આવે છે. આ જૂનાં શરીર ને છોડી દેવાનું છે. જેમ સાપ નું ઉદાહરણ છે. ભ્રમરી માં પણ કેટલી અક્કલ છે જે કીડા ને ભ્રમરી બનાવી દે છે. આપ બાળકો પણ, જે વિષય સાગર માં ગોથા ખાઈ રહ્યાં છો, તેમને એમાંથી કાઢી, ક્ષીરસાગર માં લઈ જાઓ છો. હવે બાપ કહે છે - ચલો શાંતિધામ. મનુષ્ય શાંતિ માટે કેટલું માથુ મારે છે! સંન્યાસીઓ ને સ્વર્ગ ની જીવનમુક્તિ તો મળતી નથી. હા, મુક્તિ મળે છે, દુઃખ થી છુટી શાંતિધામ માં બેસી જાય છે. છતાં પણ આત્મા પહેલાં-પહેલાં તો જીવન મુક્તિ માં આવે છે. પાછળ પછી જીવનબંધ માં આવે છે. આત્મા સતોપ્રધાન છે પછી સીડી ઉતરે છે. પહેલાં સુખ ભોગવી પછી ઉતરતાં-ઉતરતાં તમોપ્રધાન બની જાય છે. હવે ફરી બધાને પાછા લઈ જવા માટે બાપ આવ્યાં છે. બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો.

બાપે સમજાવ્યું છે જે સમયે મનુષ્ય શરીર છોડે છે તો તે સમયે બહુ જ તકલીફ ભોગવે છે કારણ કે સજાઓ ભોગવવી પડે છે. જેમ કાશી કલવટ ખાય છે કારણકે સાંભળ્યું છે શિવ પર બલિ ચઢવાથી મુક્તિ મળી જાય છે. તમે હમણાં બલિ ચઢો છો ને? તો ભક્તિ માર્ગ માં પણ પછી તે વાતો ચાલે છે. તો શિવ પર જઈને બલિ ચઢે છે. હવે બાપ સમજાવે છે પાછા તો કોઈ જઈ ન શકે. હા, આટલા બલિહાર જાય છે તો પાપ કપાઈ જાય છે પછી હિસાબ-કિતાબ નવેસર થી શરુ થાય છે. તમે આ સૃષ્ટિ ચક્ર ને જાણી ગયા છો. આ સમયે બધાની ઉતરતી કળા છે. બાપ કહે છે હું આવીને સર્વ ની સદ્દગતિ કરું છું. બધાને ઘરે લઈ જાઉં છું. પતિતો ને તો સાથે નહીં લઈ જઈશ એટલે હવે પવિત્ર બનો તો તમારી જ્યોત જાગી જશે. લગ્ન નાં સમયે સ્ત્રી નાં માથા પર માટલી માં જ્યોત જગાવે છે. આ રિવાજ પણ અહીં ભારત માં જ છે. સ્ત્રી નાં માથા પર માટલી માં જ્યોત પ્રગટાવે છે, પતિ ની ઉપર નથી પ્રગટાવતા, કારણકે પતિ ને માટે તો ઈશ્વર કહે છે. ઈશ્વર પર પછી જ્યોત કેવી રીતે જગાવશે? તો બાપ સમજાવે છે મારી તો જ્યોત જાગેલી છે. હું તમારી જ્યોત જગાવું છું. બાપ ને શમા પણ કહે છે. બ્રહ્મ-સમાજી પછી જ્યોતિ ને માને છે, સદૈવ જ્યોત જાગતી રહે છે, એને જ યાદ કરે છે, એને જ ભગવાન સમજે છે. બીજા પછી સમજે છે નાની જ્યોતિ (આત્મા) મોટી જ્યોતિ (પરમાત્મા) માં સમાઈ જશે. અનેક મતો છે. બાપ કહે છે. તમારો ધર્મ તો અથાહ સુખ આપવા વાળો છે. તમે સ્વર્ગ માં ખૂબ સુખ જુઓ છો. નવી દુનિયા માં તમે દેવતા બનો છો. તમારું ભણતર છે જ ભવિષ્ય નવી દુનિયા માટે, બીજા બધું ભણતર અહીં માટે હોય છે. અહીં તમારે ભણીને ભવિષ્ય માં પદ મેળવવાનું છે. ગીતા માં પણ બરોબર રાજયોગ શીખવાડ્યો છે. પછી અંત માં લડાઈ લાગી, કાંઈ પણ ન રહ્યું. પાંડવો ની સાથે કૂતરો દેખાડે છે. હવે બાપ કહે છે હું તમને ગોડ-ગોડેઝ (ભગવાન-ભગવતી) બનાવું છું. અહીં તો અનેક પ્રકાર નાં દુઃખ આપવા વાળા મનુષ્ય છે. કામ કટારી ચલાવી કેટલાં દુઃખી બનાવે છે. તો હવે આપ બાળકોને આ ખુશી રહેવી જોઈએ કે બેહદ નાં બાપ જ્ઞાન નાં સાગર આપણને ભણાવી રહ્યાં છે. મોસ્ટ બિલોવેડ માશૂક છે. આપણે આશિક તેમને અડધોકલ્પ યાદ કરીએ છીએ. તમે યાદ કરતા આવ્યાં છો, હવે બાપ કહે છે હું આવ્યો છું, તમે મારી મત પર ચાલો. સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. બીજું ન કોઈ. મારી યાદ સિવાય તમારા પાપ ભસ્મ નહીં થશે. દરેક વાત માં સર્જન થી સલાહ પૂછતાં રહો. બાબા સલાહ આપશે - આવી-આવી રીતે તોડ નિભાવો. જો સલાહ પર ચાલશો તો કદમ-કદમ પર પદમ મળશે. સલાહ લીધી તો જવાબદારી છૂટી. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બેહદ નાં બાપ પાસે થી બેહદ સુખ નો વારસો લેવા માટે ડાયરેક્ટ ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરવાનું છે. જ્ઞાન-ધન થી ઝોલી ભરીને બધાને આપવાનું છે.

2. આ પુરુષોત્તમ યુગ માં સ્વયં ને સર્વ બંધનો થી મુક્ત કરી જીવનમુક્ત બનાવવાનું છે. ભ્રમરી ની જેમ ભૂં-ભૂં કરી આપ સમાન બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
સર્વ પ્રાપ્તિઓ નાં અનુભવ દ્વારા પાવરફુલ બનવા વાળા સદા સફળતા મૂર્ત ભવ

જે સર્વપ્રાપ્તિઓનાં અનુભવી-મૂર્ત છે તે જ પાવરફુલ છે, એવાં પાવરફુલ સર્વ પ્રાપ્તિઓ નાં અનુભવી આત્માઓ જ સફળતા-મૂર્ત બની શકે છે કારણકે હવે સર્વ આત્માઓ શોધશે કે સુખ-શાંતિ નાં માસ્ટર દાતા ક્યાં છે? તો જ્યારે તમારી પાસે સર્વશક્તિઓ નો સ્ટોક હશે ત્યારે તો બધાને સંતુષ્ટ કરી શકશો. જેમ વિદેશ માં એક જ સ્ટોર માંથી બધી વસ્તુઓ મળી જાય છે એમ તમારે પણ બનવાનું છે. એવું નહીં સહનશક્તિ હોય, સામનો કરવાની ન હોય. સર્વશક્તિઓ નો સ્ટોક જોઈએ, ત્યારે સફળતા-મૂર્ત બની શકશો.

સ્લોગન :-
મર્યાદાઓ જ બ્રાહ્મણ જીવન નાં કદમ છે, કદમ પર કદમ રાખવા એટલે મંઝિલ ની નજીક પહોંચવું.

અવ્યક્ત ઇશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો

આજકાલ કોઈ-કોઈ એક વિશેષ ભાષા યુઝ કરે છે કે અમારા થી અસત્ય જોવાતું નથી, અસત્ય સંભળાતું નથી, એટલે અસત્ય ને જોઈ, ખોટા ને સાંભળીને અંદર જોશ આવી જાય છે. પરંતુ આ જે અસત્ય છે અને તમને અસત્ય જોઈને જોશ આવે છે તો તે જોશ પણ અસત્ય છે ને? અસત્યતા ને ખતમ કરવા માટે સ્વયં માં સત્યતા ની શક્તિ ધારણ કરો.