10-07-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - દેહ - અભિમાન છોડી દેહી - અભિમાની બનો , દેહી - અભિમાનીઓ ને જ ઈશ્વરીય સંપ્રદાય કહેવાય છે”

પ્રશ્ન :-
આપ બાળકો હમણાં જે સત્સંગ કરો છો એ બીજા સત્સંગો થી નિરાળો છે, કેવી રીતે?

ઉત્તર :-
આ જ એક સત્સંગ છે જેમાં તમે આત્મા અને પરમાત્મા નું જ્ઞાન સાંભળો છો. અહીં ભણવાનું હોય છે. મુખ્ય ઉદ્દેશ પણ સામે છે. બીજા સત્સંગો માં નથી ભણવાનું હોતું, નથી કોઈ મુખ્ય ઉદ્દેશ.

ઓમ શાંતિ!
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે. રુહાની બાળકો સાંભળી રહ્યાં છે. પહેલાં-પહેલાં બાપ સમજાવે છે જ્યારે પણ બેસો તો સ્વયં ને આત્મા સમજીને બેસો. દેહ ન સમજો. દેહ-અભિમાની ને આસુરી સંપ્રદાય કહેવાય છે. દેહી-અભિમાનીઓ ને ઈશ્વરીય સંપ્રદાય કહેવાય છે. ઈશ્વર ને દેહ નથી. એ સદૈવ આત્મ-અભિમાની છે. એ છે સુપ્રીમ આત્મા, સર્વ આત્માઓ નાં બાપ. પરમ આત્મા અર્થાત્ ઊંચા માં ઊંચા. મનુષ્ય જ્યારે ઊંચા માં ઊંચા ભગવાન કહે છે તો બુદ્ધિ માં આવે છે એ નિરાકાર લિંગ રુપ છે. નિરાકારી લિંગ ની પૂજા પણ થાય છે. એ છે પરમાત્મા એટલે સર્વ આત્માઓ થી ઊંચા. છે એ પણ આત્મા પરંતુ ઊંચ આત્મા. એ જન્મ-મરણ માં નથી આવતાં. બાકી બધા પુનર્જન્મ લે છે બીજી બધી છે રચના. રચયિતા તો એક જ બાપ છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર પણ રચના છે. મનુષ્ય સૃષ્ટિ પણ આખી રચના છે. રચયિતા ને બાપ કહેવાય છે. પુરુષ ને પણ રચયિતા કહેવાય છે. સ્ત્રી ને એડોપ્ટ કરે છે પછી એનાં દ્વારા ક્રિયેટ કરે (રચના રચે) છે, પાલના કરે છે. બસ વિનાશ નથી કરતાં. બીજા જે ધર્મ સ્થાપક હોય છે તે પણ ક્રિયેટ કરે છે, પછી તેમની પાલના કરે છે. વિનાશ કોઈ પણ નથી કરતાં. બેહદ નાં બાપ જેમને પરમ આત્મા કહેવાય છે, જેમ આત્મા નું રુપ બિંદુ છે તેમ જ પરમપિતા પરમાત્મા નું પણ રુપ બિંદુ છે. બાકી આટલું મોટું જે લિંગ બનાવે છે તે બધું ભક્તિ માર્ગ માં પૂજા નાં કારણે. બિંદુ ની પૂજા કેવી રીતે થઈ શકે? ભારત માં રુદ્ર યજ્ઞ રચે છે તો માટી નાં શિવલિંગ અને સાલિગ્રામ બનાવીને પછી તેમની પૂજા કરે છે. એને રુદ્ર યજ્ઞ કહેવાય છે. હકીકત માં અસલી નામ છે રાજસ્વ અશ્વમેધ અવિનાશી રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞ. જે શાસ્ત્રો માં પણ લખેલું છે. હવે બાપ બાળકો ને કહે છે સ્વયં ને આત્મા સમજો. બીજા જે પણ સત્સંગ છે તેમાં આત્મા અથવા પરમાત્મા નું જ્ઞાન ન કોઈ માં છે, ન આપી શકે છે. ત્યાં તો કોઈ મુખ્ય ઉદ્દેશ હોતો નથી. આપ બાળકો તો હમણાં ભણવાનું ભણી રહ્યાં છો. તમે જાણો છો આત્મા શરીર માં પ્રવેશ કરે છે. આત્મા અવિનાશી છે, શરીર વિનાશી છે. શરીર દ્વારા પાર્ટ ભજવે છે. આત્મા તો અશરીરી છે ને? કહે પણ છે નગ્ન (અશરીરી) આવ્યાં છીએ, નગ્ન જવાનું છે. શરીર ધારણ કર્યુ પછી શરીર છોડીને નગ્ન જવાનું છે. આ બાપ આપ બાળકોને જ બેસીને સમજાવે છે. આ પણ બાળકો જાણે છે ભારત માં સતયુગ હતો તો દેવી-દેવતાઓ નું રાજ્ય હતું, એક જ ધર્મ હતો. આ પણ ભારતવાસી નથી જાણતાં. બાપ ને જેમણે નથી જાણ્યાં તેમણે કાંઈ નથી જાણ્યું. પ્રાચીન ઋષિ-મુનિ પણ કહેતા હતાં-અમે રચયિતા અને રચના ને નથી જાણતાં. રચયિતા છે બેહદ નાં બાપ, એ જ રચના નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. આદિ કહેવાય છે શરુઆત ને, મધ્ય વચ્ચે ને. આદિ છે સતયુગ, જેને દિવસ કહેવાય છે, પછી મધ્ય થી અંત સુધી છે રાત. દિવસ છે સતયુગ-ત્રેતા, સ્વર્ગ છે વંડર ઓફ વર્લ્ડ. ભારત જ સ્વર્ગ હતું, જેમાં લક્ષ્મી-નારાયણ રાજ્ય કરતા હતાં, આ ભારતવાસી નથી જાણતાં. બાપ હમણાં સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છે.

બાપ કહે છે તમે સ્વયં ને આત્મા સમજો. આપણે ફર્સ્ટક્લાસ આત્મા છીએ. આ સમયે મનુષ્ય માત્ર બધા દેહ-અભિમાની છે. બાપ આત્મ-અભિમાની બનાવે છે. આત્મા શું ચીજ છે, આ પણ બાપ બતાવે છે. મનુષ્ય કાંઈ પણ નથી જાણતાં. ભલે કહે પણ છે ભ્રકુટી ની મધ્ય માં ચમકે છે અજબ સિતારો પરંતુ તે શું છે? કેવી રીતે તેમાં પાર્ટ ભરાયેલો છે? તે કાંઈ પણ નથી જાણતાં. હમણાં તમને બાપે સમજાવ્યું છે, આપ ભારતવાસીઓ ને ૮૪ જન્મો નો પાર્ટ ભજવવાનો હોય છે. ભારત જ ઊંચ ખંડ છે, જે પણ મનુષ્ય માત્ર છે, તેમનું આ તીર્થ છે, સર્વ ની સદ્દગતિ કરવા બાપ અહીં આવે છે. રાવણ રાજ્ય થી લિબરેટ (મુક્ત) કરી ગાઈડ (માર્ગદર્શક) બનીને લઈ જાય છે. મનુષ્ય તો એમ જ કહી દે છે, અર્થ કાંઈ પણ નથી જાણતાં. ભારત માં પહેલાં દેવી-દેવતા હતાં. તેમને જ ફરી પુનર્જન્મ લેવો પડે છે. ભારતવાસી જ સો દેવતા પછી ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બને છે. પુનર્જન્મ લે છે ને? આ નોલેજ ને પૂરી રીતે સમજવામાં ૭ દિવસ લાગે છે. પતિત બુદ્ધિ ને પાવન બનાવવાની છે. આ લક્ષ્મી-નારાયણ પાવન દુનિયા માં રાજ્ય કરતા હતાં ને? તેમનું જ રાજ્ય ભારત માં હતું તો બીજા કોઈ ધર્મ નહોતાં. એક જ રાજ્ય હતું. ભારત કેટલું સોલવેન્ટ (ભરપૂર) હતું. હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં પછી રાવણ રાજ્ય માં પુજારી બન્યાં છે. પછી ભક્તિ માર્ગ માં આ મંદિર વગેરે બનાવ્યાં છે. સોમનાથ નું મંદિર હતું ને? એક મંદિર તો નહીં હશે. અહીં પણ શિવ નાં મંદિર માં એટલાં તો હીરા-ઝવેરાત હતાં જે મોહમદ ગઝનવી ઊંટ ભરીને લઈ ગયાં. એટલો માલ હતો, ઊંટ તો શું કોઈ લાખો ઊંટ લઈ આવે તો પણ ભરી ન શકે. સતયુગ માં સોના, હીરા-ઝવેરાત નાં તો અનેક મહેલ હતાં. મોહમદ ગઝનવી તો હમણાં આવ્યો છે. દ્વાપર માં પણ કેટલાં મહેલ વગેરે હોય છે. તે પછી અર્થકવેક (ધરતીકંપ) માં અંદર ચાલ્યાં જાય છે. રાવણ ની કોઈ સોનાની લંકા હોતી નથી. રાવણ રાજ્ય માં તો ભારત નો આ હાલ થઈ જાય છે. ૧૦૦ ટકા ઈરિલીજિયસ (અધાર્મિક), અનરાઈટિયસ (અસત્ય), ઇનસાલવેન્ટ (કંગાળ), પતિત વિશશ (વિકારી), નવી દુનિયા ને કહેવાય છે વાઈસલેસ (નિર્વિકારી). ભારત શિવાલય હતું, જેને વંડર ઓફ વર્લ્ડ કહેવાય છે. ખૂબ થોડા મનુષ્ય હતાં. હમણાં તો કરોડો મનુષ્ય છે. વિચાર કરવો જોઈએ ને? હમણાં આપ બાળકો માટે આ પુરુષોત્તમ સંગમયુગ છે, જ્યારે બાપ તમને પુરુષોત્તમ, પારસબુદ્ધિ બનાવી રહ્યાં છે. બાપ મનુષ્ય થી દેવતા બનવાની તમને સુમત (શ્રીમત) આપે છે. બાપ ની મત માટે જ ગવાય છે તમારી ગત-મત ન્યારી… આનો પણ અર્થ કોઈ નથી જાણતાં. બાપ સમજાવે છે હું એવી શ્રેષ્ઠ મત આપું છું જે તમે દેવતા બની જાઓ છો. હવે કળિયુગ પૂરો થાય છે, જૂની દુનિયા નો વિનાશ સામે છે. મનુષ્ય બિલકુલ જ ઘોર અંધકાર માં કુંભકરણ ની નિંદ્રા માં સૂતેલા પડ્યાં છે કારણ કે કહે છે શાસ્ત્રો માં લખ્યું છે - કળિયુગ તો હજી બાળક છે, ૪૦ હજાર વર્ષ બાકી છે. ૮૪ લાખ યોનિઓ સમજવાનાં કારણે કલ્પ ની આયુ પણ લાંબી-લાંબી કરી દીધી છે. હકીકત માં છે ૫ હજાર વર્ષ. બાપ સમજાવે છે તમે ૮૪ જન્મ લો છો, નહીં કે ૮૪ લાખ. બેહદ નાં બાપ તો આ બધા શાસ્ત્રો વગેરે ને જાણે છે ત્યારે તો કહે છે આ બધું છે ભક્તિ માર્ગ નું, જે અડધોકલ્પ ચાલે છે, આનાંથી કોઈ મને નથી મળતું. આ પણ વિચાર કરવાની વાત છે કે જો કલ્પ ની આયુ લાખો વર્ષ આપે પછી તો સંખ્યા વધારે હોવી જોઈએ. જ્યારે ક્રિશ્ચન ની સંખ્યા ૨ હજાર વર્ષ માં આટલી થઈ છે. ભારત નો અસલ ધર્મ દેવી-દેવતા ધર્મ છે, તે ચાલ્યો આવવો જોઈએ પરંતુ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ને ભૂલી જવાનાં કારણે કહી દે છે અમારો હિંદુ ધર્મ છે. હિંદુ ધર્મ તો હોતો જ નથી. ભારત કેટલું ઊંચુ હતું. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તો વિષ્ણુપુરી હતી. હવે છે રાવણપુરી. એ જ દેવી-દેવતાઓ ૮૪ જન્મ પછી શું બની ગયા છે? દેવતાઓ ને વાઈસલેસ (નિર્વિકારી) સમજી, પોતાને વિશશ (વિકારી) સમજી તેમની પૂજા કરે છે. સતયુગ માં ભારત વાઈસલેસ હતું, નવી દુનિયા હતી, જેને નવું ભારત કહે છે. આ છે જૂનું ભારત. નવું ભારત શું હતું, જૂનું ભારત શું છે, નવી દુનિયા માં ભારત જ નવું હતું, હવે જૂની દુનિયા માં ભારત પણ જૂનું છે. શું ગતિ થઈ ગઈ છે. ભારત જ સ્વર્ગ હતું, હમણાં નર્ક છે. ભારત મોસ્ટ સોલવેન્ટ (સૌથી ભરપુર) હતું, ભારત જ મોસ્ટ ઈનસોલ્વેન્ટ (સૌથી કંગાળ) છે, બધા પાસે થી ભીખ માંગી રહ્યાં છે. પ્રજા પાસે થી પણ ભીખ માંગે છે. આ તો સમજ ની વાત છે ને? આજ નાં દેહ-અભિમાની મનુષ્યો ને થોડા પૈસા મળ્યાં તો સમજે છે અમે તો સ્વર્ગ માં બેઠાં છીએ. સુખધામ (સ્વર્ગ) ને બિલકુલ જાણતા નથી કારણ કે પથ્થરબુદ્ધિ છે. હવે તેમને પારસબુદ્ધિ બનાવવા માટે ૭ દિવસ ની ભઠ્ઠી માં બેસાડો કારણકે પતિત છે ને? પતિત ને અહીં તો બેસાડી ન શકાય. અહીં પાવન જ રહી શકે છે. પતિત ને એલાઉ (બેસાડી) ન કરી શકાય.

તમે હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર બેઠાં છો. જાણો છો બાબા આપણને આવાં પુરુષોત્તમ બનાવે છે. આ સાચ્ચી સત્ય નારાયણ ની કથા છે. સત્ય બાપ તમને નર થી નારાયણ બનવાનો રાજયોગ શીખવાડી રહ્યાં છે. જ્ઞાન ફક્ત એક બાપ ની પાસે છે, જેમને જ્ઞાન નાં સાગર કહેવાય છે. શાંતિ નાં સાગર, પવિત્રતા નાં સાગર, આ એ એક ની જ મહિમા છે. બીજા કોઈની મહિમા થઈ નથી શકતી. દેવતાઓ ની મહિમા અલગ છે, પરમપિતા પરમાત્મા શિવ ની મહિમા અલગ છે. એ છે બાપ. શ્રીકૃષ્ણ છે દેવતા. સૂર્યવંશી સો ચંદ્રવંશી સો વૈશ્યવંશી… મનુષ્ય હમ સો નો અર્થ પણ સમજતા નથી. આપણે આત્મા સો પરમાત્મા કહી દે છે, કેટલું ખોટું છે? હવે તમે સમજાવો છો કે ભારત ની ચઢતી કળા અને ઉતરતી કળા કેવી રીતે થાય છે. આ છે જ્ઞાન, તે બધી છે ભક્તિ. સતયુગ માં બધા પાવન હતાં, રાજા-રાણી નું રાજ્ય ચાલતું હતું. ત્યાં વજીર પણ નથી હોતાં કારણ કે રાજા-રાણી પોતે જ માલિક છે. બાપ પાસે થી વારસો લીધેલો છે. તેમનાં માં અક્કલ છે, લક્ષ્મી-નારાયણ ને કોઈ પાસે થી સલાહ લેવાની જરુર નથી. ત્યાં વજીર હોતાં નથી. ભારત જેવો પવિત્ર દેશ કોઈ હતો નહીં. મહાન પવિત્ર દેશ હતો. નામ જ હતું સ્વર્ગ, હમણાં છે નર્ક. નર્ક થી ફરી સ્વર્ગ બાપ જ બનાવશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ ની સુમત પર ચાલીને મનુષ્ય થી દેવતા બનવાનું છે. આ સુખદ સંગમયુગ પર સ્વયં ને પુરુષોત્તમ પારસબુદ્ધિ બનાવવાનાં છે.

2. ૭ દિવસ ની ભઠ્ઠી માં બેસી પતિત બુદ્ધિ ને પાવન બુદ્ધિ બનાવવાની છે. સત્ય બાપ થી સત્ય નારાયણ ની સાચ્ચી કથા સાંભળી નર થી નારાયણ બનવાનું છે.

વરદાન :-
દરેક ખજાનાઓ ને બાપ નાં ડાયરેક્શન પ્રમાણે કાર્ય માં લગાવવા વાળા ઓનેસ્ટ અથવા ઈમાનદાર ભવ

ઓનેસ્ટ અથવા ઈમાનદાર એને કહેવાય છે જે બાપ નાં પ્રાપ્ત ખજાનાઓ ને બાપ નાં ડાયરેક્શન વગર કોઈ પણ કાર્ય માં ન લગાવે. જો સમય, વાણી, કર્મ, શ્વાસ અથવા સંકલ્પ તથા સંગ દોષ માં વ્યર્થ તરફ ગુમાવો છો સ્વચિંતન નાં બદલે પરચિંતન કરો છો સ્વમાન ને બદલે કોઈપણ પ્રકાર નાં અભિમાન માં આવો છો, શ્રીમત નાં બદલે મનમત નાં આધાર પર ચાલો છો તો ઓનેસ્ટ નહીં કહેવાશો. આ બધા ખજાના વિશ્વ કલ્યાણ માટે મળેલા છે તો એમાં જ લગાવવા - આ જ છે ઓનેસ્ટ બનવું.

સ્લોગન :-
ઓપોઝિશન માયા થી કરવાની છે દૈવી પરિવાર થી નહીં.

અવ્યક્ત ઈશારા - સંકલ્પો ની શક્તિ જમા કરી શ્રેષ્ઠ સેવા નાં નિમિત્ત બનો

બધા આત્માઓ એક જ બેહદ નો પરિવાર છે. પોતાનાં પરિવાર નો કોઈ પણ આત્મા વરદાન થી વંચિત ન રહી જાય - એવી રીતે ઉમંગ-ઉત્સાહ નાં શ્રેષ્ઠ સંકલ્પ દિલ માં સદા રહે. પોતાની પ્રવૃત્તિઓ માં જ બીઝી નહીં રહેતાં, બેહદ ની સ્ટેજ પર સ્થિત થઈ, બેહદ નાં આત્માઓ ની સેવા નાં શ્રેષ્ઠ સંકલ્પ કરો. આ જ સફળતા નું સહજ સાધન છે.