11-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
ભગવાન ભણાવે છે , તમારી પાસે છે જ્ઞાન - રત્ન , આ જ રત્નો નો ધંધો તમારે કરવાનો છે
, તમે અહીં જ્ઞાન શીખો છો , ભક્તિ નહીં”
પ્રશ્ન :-
મનુષ્ય ડ્રામા ની કઈ વન્ડરફુલ નોંધ ને ભગવાન ની લીલા સમજી એમની મહિમા કરે છે?
ઉત્તર :-
જે જેમાં ભાવના રાખે, તેમને એનો સાક્ષાત્કાર થઈ જાય છે તો સમજે છે આ ભગવાને
સાક્ષાત્કાર કરાવ્યો પરંતુ થાય તો બધું ડ્રામા અનુસાર છે. એક બાજુ ભગવાન ની મહિમા
કરે, બીજી બાજુ સર્વવ્યાપી કહી ગ્લાનિ કરી દે છે.
ઓમ શાંતિ!
ભગવાનુવાચ-બાળકો ને આ તો આ સમજાવેલું છે કે મનુષ્ય ને તથા દેવતા ને ભગવાન નથી
કહેવાતાં. ગાય પણ છે બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ, શંકર દેવતાય નમઃ પછી
કહેવાય છે શિવ પરમાત્માય નમઃ. આ પણ તમે જાણો છો શિવ ને પોતાનું શરીર નથી. મૂળવતન
માં શિવબાબા અને સાલિગ્રામ રહે છે. બાળકો જાણે છે કે હમણાં આપણને આત્માઓ ને બાપ
ભણાવી રહ્યા છે બીજા જે પણ સત્સંગ છે હકીકત માં તે કોઈ સત્ નો સંગ નથી. બાપ કહે છે
તે તો માયા નો સંગ છે. ત્યાં એવું કોઈ નહીં સમજશે કે અમને ભગવાન ભણાવે છે. ગીતા પણ
સાંભળશે તો શ્રીકૃષ્ણ ભગવાનુવાચ સમજશે. દિવસે-દિવસે ગીતા નો અભ્યાસ ઓછો થતો જાય છે
કારણકે પોતાનાં ધર્મ ને જ નથી જાણતાં. શ્રીકૃષ્ણ ની સાથે તો બધાનો પ્રેમ છે,
શ્રીકૃષ્ણ ને જ ઝૂલાવે છે. હવે તમે સમજો છો આપણે ઝૂલાવીએ કોને? બાળકને ઝૂલાવાય છે,
બાપ ને તો ઝૂલાવી ન શકાય. તમે શિવબાબાને ઝૂલાવશો? એ બાળક તો બનતા નથી, પુનર્જન્મ
માં આવતા નથી. એ તો બિંદુ છે, એમને શું ઝૂલાવીશું. શ્રીકૃષ્ણ નો અનેક ને
સાક્ષાત્કાર થાય છે. શ્રીકૃષ્ણ નાં મુખ માં તો આખું વિશ્વ છે કારણકે વિશ્વ નાં
માલિક બને છે. તો વિશ્વ રુપી માખણ છે. તેઓ જે પરસ્પર લડે છે તે પણ સૃષ્ટિ રુપી માખણ
માટે લડે છે. સમજે છે અમે જીત મેળવી લઈએ. શ્રીકૃષ્ણ નાં મુખ માં માખણ નો ગોળો દેખાડે
છે, આ પણ અનેક પ્રકાર નાં સાક્ષાત્કાર થાય છે. પરંતુ અર્થ કાંઈ પણ નથી સમજતાં. અહીં
તમને સાક્ષાત્કાર નો અર્થ સમજાવાય છે. મનુષ્ય સમજે છે અમને ભગવાન સાક્ષાત્કાર કરાવે
છે. આ પણ બાપ સમજાવે છે-જેમને યાદ કરે છે, સમજો કોઈ શ્રીકૃષ્ણ ની નૌધા ભક્તિ કરે છે
તો અલ્પકાળ માટે તેમની મનોકામના પૂરી થાય છે. આ પણ ડ્રામા માં નોંધ છે. એવું નહીં
કહેવાશે કે ભગવાને સાક્ષાત્કાર કરાવ્યો. જે જેવી ભાવના થી જેમની પૂજા કરે છે તેમને
તે સાક્ષાત્કાર થાય છે. આ ડ્રામા માં નોંધ છે. આ તો ભગવાન ની મહિમા કરી છે કે એ
સાક્ષાત્કાર કરાવે છે. એક તરફ આટલી મહિમા પણ કરે છે, બીજી તરફ પછી કહી દે છે
પથ્થર-ઠીક્કર માં ભગવાન છે. કેટલી અંધશ્રદ્ધા થી ભક્તિ કરે છે? સમજે છે-બસ,
શ્રીકૃષ્ણ નો સાક્ષાત્કાર થયો, શ્રીકૃષ્ણપુરી માં અમે જરુર જઈશું. પરંતુ
શ્રીકૃષ્ણપુરી આવે ક્યાંથી? આ બધા રહસ્ય બાપ આપ બાળકોને હવે સમજાવે છે.
શ્રીકૃષ્ણપુરી ની સ્થાપના થઈ રહી છે. આ છે કંસપુરી. કંસ, અકાસુર, બકાસુર, કુંભકરણ,
રાવણ આ બધા અસુરો નાં નામ છે. શાસ્ત્રો માં શું-શું બેસીને લખ્યું છે?
આ પણ સમજાવવાનું છે કે ગુરુ બે પ્રકાર નાં છે. એક છે ભક્તિમાર્ગ નાં ગુરુ, તે ભક્તિ
જ શીખવાડે છે. આ બાપ તો છે જ્ઞાન નાં સાગર, એમને સદ્દગુરુ કહેવાય છે. એ ક્યારેય
ભક્તિ નથી શીખવાડતા, જ્ઞાન જ શીખવાડે છે. મનુષ્ય તો ભક્તિ માં કેટલાં ખુશ થાય છે,
ઝાંઝ વગાડે છે, બનારસ માં તમે જોશો બધા દેવતાઓ નાં મંદિર બનાવી દીધાં છે. આ બધી છે
ભક્તિમાર્ગ ની દુકાનદારી, ભક્તિ નો ધંધો. આપ બાળકો નો ધંધો છે જ્ઞાન-રત્નો નો, આને
પણ વ્યાપાર કહેવાય છે. બાપ પણ રત્નો નાં વેપારી છે. તમે સમજો છો આ રત્ન કયા છે! આ
વાતો ને સમજશે એ જ જેમણે કલ્પ પહેલાં સમજી છે, બીજા સમજશે જ નહીં. જે પણ મોટા-મોટા
છે તે પાછળ થી આવીને સમજશે. કન્વર્ટ (રુપાંતર) પણ થયા છે ને? એક રાજા જનક ની કથા
સંભળાવે છે. જનક પછી અનુજનક બન્યાં. જેમ કોઈનું નામ શ્રીકૃષ્ણ છે તો કહેશે તમે
અનુદેવી શ્રીકૃષ્ણ બનશો. ક્યાં એ સર્વગુણ સંપન્ન શ્રીકૃષ્ણ, ક્યાં આ! કોઈનું લક્ષ્મી
નામ છે અને આ લક્ષ્મી-નારાયણ ની આગળ જઈને મહિમા ગાય છે. આ થોડી સમજે છે કે એમનાં
માં અને અમારા માં ફરક કેમ થયો છે? હમણાં આપ બાળકો ને નોલેજ મળી છે, આ સૃષ્ટિ ચક્ર
કેવી રીતે ફરે છે? તમે જ ૮૪ જન્મ લેશો. આ ચક્ર અનેકવાર ફરતું આવ્યું છે. ક્યારેય
બંધ ન થઈ શકે. તમે આ નાટક ની અંદર એક્ટર્સ છો. મનુષ્ય એટલું જરુર સમજે છે કે અમે આ
નાટક માં પાર્ટ ભજવવા આવ્યા છીએ. બાકી ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતાં.
આપ બાળકો જાણો છો આપણું આત્માઓ નું રહેવાનું સ્થાન પરે થી પરે છે. ત્યાં
સૂર્ય-ચંદ્ર ની પણ રોશની નથી. આ બધું સમજવા વાળા બાળકો પણ વધારે કરીને સાધારણ ગરીબ
જ બને છે કારણકે ભારત જ સૌથી સાહૂકાર હતું, હવે ભારત સૌથી ગરીબ બન્યું છે. આખી રમત
ભારત પર છે. ભારત જેવો પાવન ખંડ બીજો કોઈ હોતો નથી. પાવન દુનિયામાં પાવન ખંડ હોય
છે, બીજા કોઈ ખંડ ત્યાં હોતાં જ નથી. બાબાએ સમજાવ્યું છે આ આખી દુનિયા એક બેહદ નો
આઇલેન્ડ (ટાપુ) છે. જેમ લંકા ટાપુ છે. દેખાડે છે રાવણ લંકા માં રહેતો હતો. હવે તમે
સમજો છો રાવણ નું રાજ્ય તો આખી બેહદ ની લંકા પર છે. આ આખી સૃષ્ટિ સમુદ્ર પર ઉભી છે.
આ ટાપુ છે. આનાં પર રાવણ નું રાજ્ય છે. આ બધી સીતાઓ રાવણ ની જેલ માં છે. તેમણે તો
હદ ની કથાઓ બનાવી દીધી છે. છે આ બધી બેહદ ની વાત. બેહદ નું નાટક છે, એમાં જ પછી
નાનાં-નાનાં નાટક બનાવ્યા છે. આ બાયોસ્કોપ (ચલચિત્રો) વગેરે પણ હમણાં બન્યા છે, તો
બાપ ને પણ સમજાવવા માં સહજ થાય છે. બેહદ નો આખો ડ્રામા આપ બાળકો ની બુદ્ધિ માં છે.
મૂળવતન, સૂક્ષ્મવતન બીજા કોઈની બુદ્ધિ માં હોઈ ન શકે. તમે જાણો છો આપણે આત્માઓ
મૂળવતન નાં રહેવાસી છીએ. દેવતાઓ છે સૂક્ષ્મવતન વાસી, એમને ફરિશ્તા પણ કહે છે. ત્યાં
હાડમાસ નું પીંજરું હોતું નથી. આ સૂક્ષ્મવતન નો પાર્ટ પણ થોડા સમય માટે છે. હમણાં
તમે આવો-જાઓ છો પછી ક્યારેય નહીં જશો. તમે આત્માઓ જ્યારે મૂળવતન થી આવો છો તો વાયા
સૂક્ષ્મવતન નથી આવતા, સીધા આવો છો. હમણાં વાયા સૂક્ષ્મવતન જાઓ છો. હમણાં સૂક્ષ્મવતન
નો પાર્ટ છે. આ બધા રહસ્ય બાળકો ને સમજાવે છે. બાપ જાણે છે કે આપણને આત્માઓ ને
સમજાવી રહ્યા છે. સાધુ-સંત વગેરે કોઈ પણ આ વાતો ને નથી જાણતાં. તે ક્યારેય આવી વાતો
કરી ન શકે. બાપ જ બાળકો સાથે વાત કરે છે. કર્મેન્દ્રિયો વગર તો વાત કરી ન શકે. કહે
છે હું આ શરીર નો આધાર લઈ આપ બાળકો ને ભણાવું છું. આપ આત્માઓ ની દૃષ્ટિ પણ બાપ તરફ
ચાલી જાય છે. આ છે બધી નવી વાતો. નિરાકાર બાપ, એમનું નામ છે શિવબાબા. આપ આત્માઓ નું
નામ તો આત્મા જ છે. તમારા શરીર નાં નામ બદલાય છે. મનુષ્ય કહે છે પરમાત્મા નામ-રુપ
થી ન્યારા છે, પરંતુ નામ તો શિવ કહે છે ને? શિવ ની પૂજા પણ કરે છે. સમજે એક છે, કરે
બીજું છે. હવે તમે બાપ નાં નામ, રુપ, દેશ કાળ ને પણ સમજી ગયા છો. તમે જાણો છો કોઈ
પણ ચીજ નામ-રુપ વગર હોઈ ન શકે. આ પણ બહુ જ સૂક્ષ્મ સમજવાની વાત છે. બાપ સમજાવે છે-ગાયન
પણ છે સેકન્ડ માં જીવનમુક્તિ અર્થાત્ મનુષ્ય નર થી નારાયણ બની શકે છે. જ્યારે બાપ
હેવનલી ગોડફાધર (સ્વર્ગ નાં રચયિતા) છે, આપણે એમનાં બાળકો બન્યા છીએ તો આપણે પણ
સ્વર્ગ નાં માલિક થયાં. પરંતુ આ પણ સમજતા નથી. બાપ કહે છે-બાળકો, તમારો
મુખ્ય-ઉદ્દેશ જ આ છે, નર થી નારાયણ બનવાનો. રાજયોગ છે ને? અનેક ને ચતુર્ભુજ નો
સાક્ષાત્કાર થાય છે, એનાંથી સિદ્ધ છે વિષ્ણુપુરી નાં આપણે માલિક બનવાના છીએ. તમને
ખબર છે-સ્વર્ગ માં પણ લક્ષ્મી-નારાયણ નાં તખ્ત ની પાછળ વિષ્ણુ નું ચિત્ર રાખે છે
અર્થાત્ વિષ્ણુપુરી માં આમનું રાજ્ય છે. આ લક્ષ્મી-નારાયણ વિષ્ણુપુરી નાં માલિક છે.
તે છે શ્રી કૃષ્ણપુરી, આ છે કંસપુરી. ડ્રામાનુસાર આ પણ નામ રાખેલા છે. બાપ સમજાવે
છે મારું રુપ ખૂબ સૂક્ષ્મ છે. કોઈ પણ જાણી નથી શકતું. કહે છે કે આત્મા એક સ્ટાર છે
પરંતુ પછી લિંગ બનાવી દે છે. નહીં તો પૂજા કેવી રીતે થાય? રુદ્ર યજ્ઞ રચે છે તો
અંગુઠા જેવા સાલિગ્રામ બનાવે છે. બીજી તરફ એમને અજબ સિતારો કહે છે. આત્મા ને જોવાની
ખૂબ કોશિશ કરે છે પરંતુ કોઈ પણ જોઈ નથી શકતાં. રામકૃષ્ણ, વિવેકાનંદ નું પણ દેખાડે
છે ને? તેમણે જોયું આત્મા તેમનાં માંથી નીકળ્યો મારા માં સમાઈ ગયો. હવે તેમને કોનો
સાક્ષાત્કાર થયો હશે? આત્મા અને પરમાત્મા નું રુપ તો એક જ છે. બિંદુ જોયું, સમજતા
કાંઈ નથી. આત્મા નો સાક્ષાત્કાર તો કોઈ ઈચ્છતું નથી. ઈચ્છા રાખે છે કે પરમાત્મા નો
સાક્ષાત્કાર કરે. તે બેઠાં હતાં કે ગુરુ દ્વારા પરમાત્મા નો સાક્ષાત્કાર કરે. બસ,
કહી દીધું જ્યોતિ હતી તે મારા માં સમાઈ ગઈ. એમાં જ તે બહુ જ ખુશ થઈ ગયાં. સમજ્યું આ
જ પરમાત્મા નું રુપ છે. ગુરુ માં ભાવના રહે છે, ભગવાન નાં સાક્ષાત્કાર ની. સમજતા
કાંઈ નથી. ભલા ભક્તિમાર્ગ માં સમજાવે કોણ? હમણાં બાપ સમજાવે છે-જે-જે રુપ માં જેવી
ભાવના રાખે છે, જે ચહેરો જુએ છે, તેવો સાક્ષાત્કાર થઈ જાય છે. જેમ ગણેશ ની ખૂબ પૂજા
કરે છે તો તેમનો ચૈતન્ય રુપ માં સાક્ષાત્કાર થઈ જાય છે. નહીં તો તેમને નિશ્ચય કેવી
રીતે થાય? તેજોમય રુપ જોઈને સમજે છે કે અમે ભગવાન નો સાક્ષાત્કાર કર્યો. એમાં જ ખુશ
થઈ જાય છે. આ બધો છે ભક્તિમાર્ગ, ઉતરતી કળા. પહેલો જન્મ સારો હોય છે પછી ઓછા થતા-થતા
અંત આવી જાય છે. બાળકો જ આ વાતો ને સમજે છે, જેમણે કલ્પ પહેલાં જ્ઞાન સમજાવ્યું છે
તેમને જ હમણાં સમજાવી રહ્યા છે. કલ્પ પહેલાં વાળા જ આવશે, બાકી બીજા નાં તો ધર્મ જ
અલગ છે. બાપ સમજાવે છે એક-એક ચિત્ર માં ભગવાનુવાચ લખી દો. ખૂબ યુક્તિ થી સમજાવવાનું
હોય છે. ભગવાનુવાચ છે ને-યાદવ, કૌરવ ઔર પાંડવ ક્યા કરત ભયે, તેનું આ ચિત્ર છે.
પૂછો-તમે બતાવો પોતાનાં બાપ ને જાણો છો? નથી જાણતા એટલે બાપ સાથે પ્રીત નથી ને, તો
વિપરીત બુદ્ધિ થયાં. બાપ સાથે પ્રીત નથી તો વિનાશ થઈ જશો. પ્રીત બુદ્ધિ વિજયંતી,
સત્યમેવ જયતે - આનો અર્થ પણ ઠીક છે. બાપ ની યાદ જ નથી તો વિજય મેળવી નથી શકતાં.
હવે તમે સિદ્ધ કરીને બતાવો છો-ગીતા શિવ ભગવાને સંભળાવી છે. એમણે જ રાજયોગ શીખવાડ્યો,
બ્રહ્મા દ્વારા. આ તો શ્રીકૃષ્ણ ભગવાન ની ગીતા સમજીને કસમ ઉઠાવે છે. તેમને પુછવું
જોઈએ-શ્રીકૃષ્ણને હાજીર-નાજીર જાણવા જોઈએ કે ભગવાન ને? કહે છે ઈશ્વર ને હાજીર-નાજીર
જાણી સાચું બોલો. ગડબડ થઈ ને? તો કસમ પણ જુઠ્ઠી થઈ જાય. સર્વિસ (સેવા) કરવા વાળા
બાળકો ને ગુપ્ત નશો રહેવો જોઈએ. નશા થી સમજાવશો તો સફળતા થશે (મળશે). તમારું આ ભણતર
પણ ગુપ્ત છે, ભણાવવા વાળા પણ ગુપ્ત છે. તમે જાણો છો આપણે નવી દુનિયા માં જઈને આ
બનીશું. નવી દુનિયા સ્થાપન થાય છે મહાભારત લડાઈ પછી. બાળકો ને હવે નોલેજ મળી છે. તે
પણ નંબરવાર ધારણ કરે છે. યોગ માં પણ નંબરવાર રહે છે. આ પણ ધ્યાન રાખવું જોઈએ-અમે
કેટલાં યાદ માં રહીએ છીએ? બાપ કહે છે આ હમણાં તમારો પુરુષાર્થ ભવિષ્ય ૨૧ જન્મો માટે
થઈ જશે. હમણાં નાપાસ થયા તો કલ્પ-કલ્પાંતર નાપાસ થતા રહેશો, ઊંચ પદ નહીં મેળવી શકો.
પુરુષાર્થ કરવો જોઈએ ઊંચ પદ મેળવવાનો. એવાં પણ ઘણાં સેવાકેન્દ્ર પર આવે છે જે વિકાર
માં જતા હોય છે અને પછી સેવાકેન્દ્ર પર આવતા રહે છે. સમજે છે ઈશ્વર તો બધું જુએ છે,
જાણે છે. હવે બાપ ને શું પડી છે જે આ બેસીને જોશે. તમે જુઠું બોલશો, વિકર્મ કરશો તો
પોતાનું જ નુકસાન કરશો. આ તો તમે પણ સમજો છો, કાળુ મોઢું કરું છું તો ઊંચ પદ મેળવી
નહીં શકું. તે બાપે જાણ્યું તો પણ વાત તો એક જ થઈ. એમને શું જરુર પડી છે. પોતાનું
દિલ અંદર ખાવું જોઈએ-હું આવાં કર્મ કરવાથી દુર્ગતિ મેળવીશ. બાબા કેમ બતાવે? હા,
ડ્રામા માં છે તો બતાવે પણ છે. બાબા થી છુપાવવું એટલે પોતાનું સત્યાનાશ કરવું. પાવન
બનવા માટે બાપ ને યાદ કરવાનાં છે, તમને આ જ ફુરણા (ચિંતા) રહેવી જોઈએ કે અમે સારી
રીતે ભણીને ઊંચ પદ મેળવીએ. કોઈ મરે કે જીવે, એની ફુરણા નહીં. ફુરણા રાખવાની છે કે
બાપ પાસે થી વારસો કેવી રીતે લઈએ? તો કોઈને પણ થોડા માં સમજાવવાનું છે. અચ્છા !
મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ગુપ્ત નશા
માં રહીને સર્વિસ કરવાની છે. એવા કોઈ કર્મ નથી કરવાનાં જે દિલ ખાતું રહે. પોતાની
તપાસ કરવાની છે કે અમે યાદ માં કેટલાં રહીએ છીએ?
2. સદા એ જ ફિકર રહે
કે અમે સારી રીતે ભણીને ઊંચ પદ મેળવીએ. કોઈ પણ વિકર્મ કરીને, જૂઠ્ઠું બોલીને પોતાનું
નુકસાન નથી કરવાનું.
વરદાન :-
મનમનાભવ નાં
મહામંત્ર દ્વારા સર્વ દુઃખો થી પાર રહેવા વાળા સદા સુખ સ્વરુપ ભવ
જ્યારે કોઈ પણ પ્રકાર
નું દુઃખ આવે તો મંત્ર લઈ લો જેનાથી દુઃખ ભાગી જશે. સ્વપ્ન માં જરા પણ દુઃખ નો
અનુભવ ન થાય, તન બીમાર થઈ જાય, ધન નીચે-ઉપર થઈ જાય, કંઈ પણ થાય પરંતુ દુઃખ ની લહેર
અંદર ન આવવી જોઈએ. જેવી રીતે સાગર માં લહેરો આવે છે અને ચાલી જાય છે પરંતુ જેમને એ
લહેરો માં લહેરાતા આવડે છે તે એમાં સુખ નો અનુભવ કરે છે, લહેર ને જમ્પ કરીને એવી
રીતે ક્રોસ કરે છે, જાણે ખેલ કરી રહ્યા છે. તો સાગર નાં બાળકો સુખ સ્વરુપ છો, દુઃખ
ની લહેર પણ ન આવે.
સ્લોગન :-
દરેક સંકલ્પ
માં દૃઢતા ની વિશેષતા ને પ્રેક્ટિકલ માં લાવો તો પ્રત્યક્ષતા થઈ જશે.
અવ્યક્ત ઈશારા -
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
સ્વ ઉન્નતિ માં, સેવા
ની ઉન્નતિ માં એકે કહ્યું, બીજાએ હા જી કર્યુ, એવી રીતે સદા એકતા અને દૃઢતા થી વધતા
ચાલો. જેવી રીતે દાદીઓ ની એકતા અને દૃઢતા નું સંગઠન પાક્કું છે, એવી રીતે આદિ સેવા
નાં રત્નો નું સંગઠન પાક્કું હોય, આની ખૂબ-ખૂબ આવશ્યક્તા છે.