11-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે તમારે બેહદ ની પવિત્રતા ને ધારણ કરવાની છે , બેહદ ની પવિત્રતા અર્થાત્ એક બાપ સિવાય બીજું કોઈ યાદ ન આવે”

પ્રશ્ન :-
બાપ પાસે થી વારસો લેતા પહેલાં નો પુરુષાર્થ અને તેના પછી ની સ્થિતિ માં શું અંતર હોય છે?

ઉત્તર :-
જ્યારે તમે બાપ પાસે થી વારસો લો છો તો દેહ નાં બધા સંબંધો ને છોડી એક બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરો છો અને જ્યારે વારસો મળી જાય છે તો બાપ ને જ ભૂલી જાઓ છો. હમણાં વારસો લેવાનો છે એટલે કોઈ સાથે પણ નવાં સંબંધ નથી જોડવાનાં. નહીં તો ભૂલવામાં મુસીબત થશે. બધું જ ભૂલી એક ને યાદ કરો તો વારસો મળી જશે.

ગીત :-
યહ વક્ત જા રહા હૈ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે બાપ સમજાવે છે - જ્ઞાની અને અજ્ઞાની કોને-કોને કહેવાય છે? આ ફક્ત તમે બ્રાહ્મણ જ જાણો છો. જ્ઞાન છે ભણતર જેનાંથી તમે જાણી ગયા છો કે આપણે આત્મા છીએ, એ પરમપિતા પરમાત્મા છે. તમે જ્યારે ત્યાં થી મધુબન માં આવો છો તો પહેલાં જરુર પોતાને આત્મા સમજો છો. અમે જઈએ છીએ પોતાનાં બાપ ની પાસે. બાબા, શિવબાબા ને કહેવાય છે, શિવબાબા છે પ્રજાપિતા બ્રહ્મા નાં તન માં. એ પણ બાબા થઈ ગયાં. તમે ઘરે થી નીકળો છો તો સમજો છો અમે બાપદાદા ની પાસે જઈએ છીએ. તમે ચિઠ્ઠી માં પણ લખો છો “બાપદાદા” શિવબાબા, બ્રહ્મા દાદા. અમે બાબા ની પાસે જઈએ છીએ. બાબા કલ્પ-કલ્પ અમને મળે છે. બાબા અમને બેહદ નો વારસો આપે છે, બેહદ પવિત્ર બનાવીને. પવિત્રતા માં હદ અને બેહદ છે. તમે પુરુષાર્થ કરો છો બેહદ પવિત્ર સતોપ્રધાન બનવા માટે. નંબરવાર તો હોય જ છે. બેહદ પવિત્ર અર્થાત્ એક બેહદ નાં બાપ સિવાય, બીજા કોઈ ની યાદ ન આવે. એ બાબા ખૂબ મીઠાં છે. ઊંચા માં ઊંચા ભગવાન છે અને બેહદ નાં બાપ છે. બધા નાં બાપ છે. આપ બાળકોએ જ ઓળખ્યા છે. બેહદ નાં બાપ સદૈવ ભારત માં જ આવે છે. આવીને બેહદ નો સંન્યાસ કરાવે છે. સંન્યાસ પણ મુખ્ય છે ને, જેને વૈરાગ કહેવાય છે. બાપ આખી જૂની છી-છી દુનિયાથી વૈરાગ અપાવે છે. બાળકો આનાંથી બુદ્ધિ નો યોગ હટાવી દો. આનું નામ જ છે નર્ક, દુઃખધામ. પોતે પણ કહેતાં રહે છે, કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા, તો નર્ક માં હતાં ને? હમણાં તમે સમજો છો આ જે કહે છે તે પણ રોંગ (ખોટું) છે. બાપ રાઈટ (સત્ય) વાત બતાવે છે, સ્વર્ગવાસી બનવા માટે. હમણાં જ પુરુષાર્થ કરવાનો હોય છે. સ્વર્ગવાસી બનવા માટે પણ બાપ સિવાય બીજા કોઈ પુરુષાર્થ કરાવી ન શકે. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો - ૨૧ જન્મો માટે સ્વર્ગવાસી બનીએ. બનાવવા વાળા છે બાપ. એમને કહેવાય જ છે હેવનલી ગોડ ફાધર. સ્વયં આવીને કહે છે બાળકો, હું પહેલાં તમને શાંતિધામ લઈ જઈશ. માલિક છે ને? શાંતિધામ જઈને પછી આવશો સુખધામ માં પાર્ટ ભજવવાં. આપણે શાંતિધામ જઈશું તો બધા ધર્મવાળા શાંતિધામ જશે. બુદ્ધિ માં આ આખું ડ્રામા નું ચક્ર રાખવાનું છે. આપણે બધા જઈશું શાંતિધામ પછી આપણે જ પહેલાં આવીને બાપ પાસે થી વારસો મેળવીએ છીએ. જેમની પાસે થી વારસો મેળવવાનો હોય છે તેમને યાદ જરુર કરવાના છે. બાળકો જાણે છે વારસો મળી જશે તો પછી બાપ ની યાદ ભૂલાઈ જશે. વારસો ખૂબ સહજ રીતે મળે છે. બાપ સન્મુખ કહે છે - મીઠાં બાળકો, તમારા જે પણ દેહ નાં સંબંધ છે, બધું ભૂલી જાઓ. હમણાં કોઈ પણ નવાં સંબંધ નથી જોડવાનાં. જો કોઈ પણ સંબંધ જોડશો તો પછી તેને ભૂલવો પડશે. સમજો, બાળક કે બાળકી નો જન્મ થયો તો તે પણ મુસીબત થઈ. એક્સ્ટ્રા યાદ વધી ને? બાપ કહે છે બધા ને ભૂલી એક ને જ યાદ કરવાના છે. એ જ આપણા માતા, પિતા, શિક્ષક, ગુરુ વગેરે બધું જ છે, એક બાપ નાં બાળક આપણે ભાઈ-બહેન છીએ. કાકા-મામા વગેરે નો કોઈ સંબંધ નથી. આ એક જ સમય છે જ્યારે ભાઈ-બહેન નો સંબંધ જ રહે છે. બ્રહ્મા નાં બાળકો શિવબાબા નાં બાળકો પણ છે તો પોત્રા-પોત્રીઓ પણ છે. આ તો પાક્કું બુદ્ધિ માં યાદ આવે છે ને? નંબરવાર પુરુષાર્થ અનુસાર. સ્વદર્શન ચક્રધારી આપ બાળકો હરતાં-ફરતાં બનો છો.

આપ બાળકો આ સમયે ચૈતન્ય લાઈટ-હાઉસ છો, તમારી એક આંખ માં મુક્તિધામ, બીજી આંખ માં જીવન મુક્તિધામ છે. તે લાઈટ-હાઉસ જડ હોય, તમે છો ચૈતન્ય. તમને જ્ઞાન નું નેત્ર મળ્યું છે. તમે જ્ઞાનવાન બની બધાને રસ્તો દેખાડો છો. બાપ પણ તમને ભણાવી રહ્યાં છે. તમે જાણો છો - આ દુઃખધામ છે. આપણે હમણાં સંગમ પર છીએ. બાકી આખી દુનિયા કળિયુગ માં છે. સંગમ પર બાપ બાળકો ની સાથે બેસીને વાત કરે છે અને બાળકો જ અહીં આવે છે. કોઈ-કોઈ લખે છે બાબા ફલાણા ને લઈ આવીએ? સારા છે ગુણ ઉઠાવશે, કદાચ તીર લાગી જાય. તો બાબા ને પણ રહેમ આવે છે, બની શકે છે કલ્યાણ થઈ જાય. આપ બાળકો જાણો છો આ છે પુરુષોત્તમ સંગમયુગ. આ સમયે જ તમે પુરુષોત્તમ બનો છો. કળિયુગ માં બધા છે કનિષ્ટ પુરુષ, જે ઉત્તમ પુરુષ લક્ષ્મી-નારાયણ ને નમન કરે છે. સતયુગ માં કોઈ પણ કોઈ ને નમન નથી કરતાં. અહીં ની આ બધી વાતો ત્યાં હોતી નથી. આ પણ બાપ સમજાવે છે - સારી રીતે બાપ ની યાદ માં રહી સર્વિસ કરશો તો આગળ ચાલીને તમને સાક્ષાત્કાર પણ થતા રહેશે. તમે કોઈ ની પણ ભક્તિ વગેરે નથી કરતાં. તમને બાપ ફક્ત ભણાવે છે. ઘરે બેઠાં જાતે જ સાક્ષાત્કાર વગેરે થતા રહે છે. અનેક ને બ્રહ્મા નો સાક્ષાત્કાર થાય છે, એમનાં સાક્ષાત્કાર માટે કોઈ પુરુષાર્થ નથી કરતાં. બેહદ નાં બાપ આમનાં દ્વારા સાક્ષાત્કાર કરાવે છે. ભક્તિ માર્ગ માં જે જેમનામાં જેવી ભાવના રાખે છે, એમનો સાક્ષાત્કાર થાય છે. હમણાં તમારી ભાવના સૌથી ઊંચા માં ઊંચા બાપ માં છે. તો વગર મહેનતે બાપ સાક્ષાત્કાર કરાવતા રહે છે. શરુ માં કેટલાં ધ્યાન માં જતા હતાં, જાતે જ પરસ્પર બેસી ધ્યાન માં ચાલ્યા જતા હતાં. કોઈ ભક્તિ થોડી કરી? બાળકો ક્યારેય ભક્તિ કરે છે શું? જેમ એક ખેલ થઇ ગયો હતી, ચાલો વૈકુંઠ જઈએ. એક-બીજા ને જોતા ચાલ્યાં જતા હતાં, જે કાંઈ પણ પાસ્ટ (પહેલાં) થયું તે પછી રીપીટ (ફરીથી) કરશે. તમે જાણો છો આપણે જ આ ધર્મ નાં હતાં. સતયુગ માં પહેલાં-પહેલાં આ ધર્મ છે, આમાં બહુ જ સુખ છે. પછી ધીરે-ધીરે કળાઓ ઓછી થતી જાય છે. જે સુખ નવાં મકાન માં હોય છે તે જૂના માં નથી. થોડા સમય પછી એ ભપકો ઓછો થઈ જાય છે. સ્વર્ગ અને નર્ક માં તો ખૂબ ફર્ક છે ને? ક્યાં સ્વર્ગ, ક્યાં આ નર્ક! તમે ખુશી માં રહો છો, આ પણ જાણો છો બાપ ની યાદ પણ પાક્કી રહેશે. આપણે આત્મા છીએ - આ જ ભૂલી જાઓ છો તો પછી દેહ-અભિમાન માં આવી જાઓ છો. અહીં બેઠાં છો તો પણ કોશિશ કરીને પોતાને આત્મા નિશ્ચય કરો. તો બાપ ની યાદ પણ રહેશે. દેહ માં આવવાથી પછી દેહ નાં બધા સંબંધ યાદ આવશે. આ એક લૉ (કાયદો) છે. તમે ગાઓ પણ છો મારા તો એક બીજું ન કોઈ. બાબા અમે બલિહાર જઈશું. તે હમણાં સમય છે, એક ને જ યાદ કરવાના છે. આંખો થી ભલે કોઈને પણ જુઓ, હરો-ફરો ફક્ત આત્માએ બાપ ને યાદ કરવાના છે. શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાના છે. પરંતુ હાથે થી કામ કરતા, દિલ બાપ ની યાદ માં રહે, આત્માએ પોતાનાં માશૂક ને જ યાદ કરવાના છે. કોઈ ને કોઈ સખી સાથે પ્રીત થઈ જાય છે તો પછી તેની યાદ રહી જાય છે. પછી તે રગ તૂટવામાં ખૂબ મુશ્કેલી થાય છે. પૂછે છે બાબા આ શું છે? અરે, તમે નામ-રુપ માં કેમ ફસાઓ છો. એક તો તમે દેહ-અભિમાની બનો છો અને બીજું પછી તમારા કોઈ પાસ્ટ (ભૂતકાળ) નો હિસાબ-કિતાબ છે, તે દગો આપે છે. બાપ કહે છે આ આંખો થી જે કાંઈ જુઓ છો તેમાં બુદ્ધિ ન જાય. તમારી બુદ્ધિ માં આ રહે કે અમને શિવબાબા ભણાવે છે. એવાં ઘણાં બાળકો છે જે અહીં બેઠાં પણ બાપ ને ક્યારેય યાદ નથી કરતાં. કોઈ તો અહીં બેઠાં પણ યાદ માં નથી રહી શકતાં. તો પોતાને જોવું જોઈએ - અમે શિવબાબા ને કેટલાં યાદ કર્યાં? નહીં તો ચાર્ટ માં રોલો (નુકસાન) પડી જશે.

ભગવાન કહે છે - મીઠાં બાળકો, મને યાદ કરો. પોતાની પાસે નોંધ કરો, જ્યારે ઈચ્છો યાદ માં બેસી જાઓ. જમીને ચક્કર લગાવીને ૧૦-૧૫ મિનિટ આવીને બેસી જાઓ યાદ માં કારણકે અહીં કોઈ ગોરખધંધો તો નથી. પછી પણ જે કામ-કાજ છોડી ને આવ્યાં છો તે કોઈ-કોઈ ની બુદ્ધિ માં આવતું રહે છે. ખૂબ જબરજસ્ત મંઝિલ છે, ત્યારે બાબા કહે છે પોતાની તપાસ કરો. આ તમારો મોસ્ટ વેલ્યુએબલ (ખૂબ મુલ્યવાન) સમય છે. ભક્તિમાર્ગ માં તમે કેટલો ટાઈમ વેસ્ટ કર્યો છે. દિવસે-દિવસે ઉતરતા જ રહો છો. શ્રીકૃષ્ણ નો સાક્ષાત્કાર થયો, ખૂબ ખુશી થઈ જાય છે. મળતું તો કાંઈ પણ નથી. બાપ નો વારસો તો એક જ વાર મળે છે, હવે બાપ કહે છે મારી યાદ માં રહો તો તમારા જન્મ-જન્માન્તર નાં પાપ ખતમ થઈ જાય. સ્વર્ગ નો પાસપોર્ટ એ જ બાળકો ને મળે છે જે યાદ માં રહી પોતાનાં વિકર્મો નો વિનાશ કરી કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરે છે. નહીં તો ખૂબ સજા ખાવી પડે છે. બાબા બીજી પણ સલાહ આપે છે પોતાનાં તાજ અને તખ્ત નો ફોટો પોતાનાં પોકેટ માં રાખી દો તો યાદ રહેશે. આનાંથી અમે આ બનીએ છીએ. જેટલું જોશો એટલું યાદ કરશો. પછી તેમાં જ મોહ લાગી જશે. અમે આ બની રહ્યાં છીએ - નર થી નારાયણ, ચિત્ર જોઈને ખુશી થશે. શિવબાબા યાદ આવશે. આ બધી પુરુષાર્થ ની યુક્તિઓ છે. કોઈ ને પણ તમે પૂછો સત્ય નારાયણ ની કથા સાંભળવાથી શું થાય છે? અમારા બાબા અમને સત્ય નારાયણ ની કથા સંભળાવી રહ્યાં છે. કેવી રીતે ૮૪ જન્મ લીધાં છે, તે પણ હિસાબ તો જોઈએ ને? બધા તો ૮૪ જન્મ નહીં લેશે. દુનિયા ને તો કાંઈ પણ ખબર નથી. એમ જ મુખ થી ફક્ત કહી દે છે - આને કહેવાય છે થ્યોરીટીકલ (સિદ્ધાંતિક). આ છે તમારું પ્રેક્ટિકલ (પ્રાયોગિક). હમણાં જે થઈ રહ્યું છે એનાં પછી ભક્તિમાર્ગ માં પુસ્તક વગેરે બનશે. તમે સ્વદર્શન ચક્રધારી બનીને વિષ્ણુપુરી માં આવો છો. આ છે નવી વાત. રાવણ રાજ્ય જુઠ્ઠ ખંડ પછી સચ ખંડ રામરાજ્ય હશે. ચિત્રો માં ખૂબ ક્લિયર (સ્પષ્ટ) છે. હમણાં આ જૂની દુનિયા નો અંત છે, ૫ હજાર વર્ષ પહેલાં પણ વિનાશ થયો હતો. સાયન્સદાન (વૈજ્ઞાનિક) જે પણ છે તેમને વિચાર આવે છે કે અમને કોઈ પ્રેરે છે, જે અમે આ બધું કરતા રહીએ છીએ. સમજે પણ છે અમે આ કરીશું તો આનાંથી બધા ખતમ થઈ જશે. પરંતુ પરવશ છે, ડર લાગેલો છે. સમજે છે ઘરે બેઠાં એક બોમ્બ છોડશે તો ખતમ કરી દેશે. એરોપ્લેન, પેટ્રોલ વગેરે ની પણ જરુર નહીં રહેશે. વિનાશ તો જરુર થવાનો જ છે. નવી દુનિયા સતયુગ હતી, ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ હતું ફરી હવે સ્વર્ગ ની સ્થાપના થઈ રહી છે. આગળ ચાલી સમજશે - તમે જાણો છો સ્થાપના જરુર થવાની છે. આમાં તો પાઈ નો પણ સંશય નથી.

આ ડ્રામા ચાલતો રહે છે કલ્પ પહેલાં ની જેમ. ડ્રામા જરુર પુરુષાર્થ કરાવશે. એવું પણ નથી, જે ડ્રામા માં હશે તે થશે… પૂછે છે પુરુષાર્થ મોટો કે પ્રારબ્ધ મોટી? પુરુષાર્થ મોટો કારણકે પુરુષાર્થ ની જ પ્રારબ્ધ બનશે. પુરુષાર્થ વગર ક્યારેય કોઈ રહી ન શકે. તમે પુરુષાર્થ કરી રહ્યાં છો ને? ક્યાંય-ક્યાંથી બાળકો આવે છે, પુરુષાર્થ કરે છે. કહે છે બાબા અમે ભૂલી જઈએ છીએ. અરે, શિવબાબા તમને કહે છે મને યાદ કરો, કોને કહ્યું? મુજ આત્મા ને કહ્યું. બાપ આત્માઓ સાથે જ વાત કરે છે. શિવબાબા જ પતિત-પાવન છે, આ આત્મા પણ એમની પાસે થી સાંભળે છે. આપ બાળકો ને આ પાક્કો નિશ્ચય રહેવો જોઈએ કે બેહદ નાં બાપ આપણને વિશ્વ નાં માલિક બનાવે છે. એ છે ઊંચા માં ઊંચા, પ્રિય થી પ્રિય બાપ. ભક્તિમાર્ગ માં એમને જ યાદ કરતા હતાં, ગાય પણ છે તમારી ગતિ-મતિ ન્યારી. તો જરુર મત આપી હતી. હવે તમારી બુદ્ધિ માં છે-આટલાં બધા મનુષ્ય માત્ર પાછા ઘરે જશે. વિચાર કરો કેટલાં આત્માઓ છે, બધાનો સિજરો (વિભાગ) છે. બધા આત્માઓ પછી નંબરવાર જઈને બેસશે. ક્લાસ ટ્રાન્સફર થાય છે તો નંબરવાર બેસે છે ને? તમે પણ નંબરવાર જાઓ છો. નાનું બિંદુ (આત્મા) નંબરવાર જઈને બેસશે પછી નંબરવાર આવશે પાર્ટ માં. આ છે રુદ્રમાળા. બાપ કહે છે આટલાં કરોડ આત્માઓ ની મારી માળા છે. ઉપર હું ફૂલ છું પછી પાર્ટ ભજવવા માટે બધા અહીં જ આવે છે. આ ડ્રામા બનેલો છે. કહેવાય પણ છે પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. કેવી રીતે આ ડ્રામા ચાલે છે તે તમે જાણો છો. બધાને આ જ બતાવો કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે પછી તમે ચાલ્યાં જશો. આ મહેનત છે. બધાને રસ્તો બતાવવાનો છે, તમારી ફરજ છે. તમે કોઈ દેહધારી માં નથી ફસાવતાં. બાપ તો કહે છે મને યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે. બાપ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે તે તો કરવું પડશે. પૂછવાની શું વાત? કાંઈ પણ કરીને યાદ જરુર કરો, આમાં બાબા શું કૃપા કરશે? યાદ તમારે કરવાના છે, વારસો તમારે લેવાનો છે. બાપ સ્વર્ગ નાં રચયિતા છે તો જરુર સ્વર્ગ નો વારસો મળશે. હમણાં તમે જાણો છો આ ઝાડ જૂનું થઈ ગયું છે એટલે આ જૂની દુનિયા થી વૈરાગ છે. આને કહેવાય છે બેહદ નો વૈરાગ. તે હઠયોગીઓ નો છે હદ નો વૈરાગ. તે બેહદ નો વૈરાગ શીખવાડી ન શકે. બેહદ નાં વૈરાગ વાળા પછી હદ નો કેવી રીતે શીખવાડશે? હવે બાપ કહે છે સિકિલધા બાળકો, તમે પણ કહો છો કેટલાં સિકિલધા બાપ છે. ૬૩ જન્મ બાપ ને યાદ કર્યા છે, બસ આપણા તો એક બાપ બીજું ન કોઈ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વર્ગ માં જવાનો પાસપોર્ટ લેવા માટે બાપ ની યાદ થી પોતાનાં વિકર્મો ને વિનાશ કરી કર્માતીત અવસ્થા બનાવવાની છે. સજાઓ થી બચવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. જ્ઞાનવાન બની બધાને રસ્તો બતાવવાનો છે, ચૈતન્ય લાઈટ હાઉસ બનવાનું છે. એક આંખ માં શાંતિધામ, બીજી આંખ માં સુખધામ રહે. આ દુઃખધામ ને ભૂલી જવાનું છે.

વરદાન :-
દરેક આત્મા ને ઊંચા ઉઠાવવા ની ભાવના થી રિગાર્ડ આપવા વાળા શુભચિંતક ભવ

દરેક આત્મા પ્રત્યે શ્રેષ્ઠ ભાવના અર્થાત્ ઊંચા ઉઠાવવાની કે આગળ વધારવાની ભાવના રાખવી અર્થાત્ શુભચિંતક બનવું. પોતાની શુભ વૃત્તિ થી, શુભચિંતક સ્થિતિ થી અન્ય નાં અવગુણ ને પણ પરિવર્તન કરવા, કોઈ ની પણ કમજોરી અથવા અવગુણ ને પોતાની કમજોરી સમજી વર્ણન કરવાના બદલે કે ફેલાવવા ની બદલે સમાવવું અને પરિવર્તન કરવું આ છે રિગાર્ડ. મોટી વાત ને નાની કરવી, દિલશિકસ્ત ને શક્તિવાન બનાવવા, એમનાં સંગ નાં રંગ માં ન આવવું, સદા તેમને પણ ઉમંગ ઉત્સાહ માં લાવવા - આ છે રિગાર્ડ. આમ રિગાર્ડ આપવા વાળા જ શુભચિંતક છે.

સ્લોગન :-
ત્યાગ નું ભાગ્ય સમાપ્ત કરવાવાળા જૂનાં સંસ્કાર-સ્વભાવ છે, એટલે તેનો પણ ત્યાગ કરો.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો.

જેવી રીતે બ્રહ્મા બાપ એકાંતપ્રિય હોવાનાં કારણે સદા અંતર્મુખી રહ્યાં, હું આત્મા છું, હું આત્મા છું… આ પાઠ પાક્કો કર્યો જેનાં કારણે એ સ્વયં પણ સદા શાંતિ અને સુખ નાં સાગર માં સમાયેલા રહ્યાં અને અન્ય આત્માઓ ને પણ પોતાનાં શુદ્ધ સંકલ્પ અને વાયબ્રેશન દ્વારા, વૃત્તિ અને બોલ દ્વારા, સંપર્ક દ્વારા શાંતિ ની તથા સુખ ની અનુભૂતિ કરાવતા રહ્યાં, એવી રીતે ફોલો ફાધર કરો.