12-01-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે પાવન દુનિયામાં જવાનું છે એટલે કામ મહાશત્રુ પર જીત મેળવવાની છે , કામજીત - જગતજીત બનવાનું છે”

પ્રશ્ન :-
દરેક પોતાની એક્ટિવિટી (પ્રવૃત્તિ) થી કયો સાક્ષાત્કાર સૌને કરાવી શકે છે?

ઉત્તર :-
હું હંસ છું કે બગલો છું? આ દરેક પોતાની એક્ટિવિટી થી સૌને સાક્ષાત્કાર કરાવી શકે છે કારણકે હંસ ક્યારેય કોઈને દુઃખ નહીં આપશે. બગલા દુઃખ આપે છે, તે વિકારી હોય છે. આપ બાળકો હમણાં બગલા થી હંસ બન્યાં છો. આપ પારસબુદ્ધિ બનવા વાળા બાળકો નું કર્તવ્ય છે સૌને પારસ બુદ્ધિ બનાવવાં.

ઓમ શાંતિ!
જ્યારે ઓમ્ શાંતિ કહેવાય છે તો પોતાનો સ્વધર્મ યાદ આવે છે. ઘર ની પણ યાદ આવે છે. પરંતુ ઘર માં બેસી તો નથી જવાનું. બાપ નાં બાળકો છો તો જરુર પોતાનાં સ્વર્ગ ને પણ યાદ કરવું પડે. તો ઓમ્ શાંતિ કહેવાથી આ બધું જ્ઞાન બુદ્ધિ માં આવી જાય છે. હું આત્મા શાંત સ્વરુપ છું, શાંતિ નાં સાગર બાપ નું બાળક છું. જે બાપ સ્વર્ગ સ્થાપન કરે છે તે બાપ જ આપણને પવિત્ર, શાંત સ્વરુપ બનાવે છે. મુખ્ય વાત છે પવિત્રતા ની. દુનિયા જ પવિત્ર અને અપવિત્ર બને છે. પવિત્ર દુનિયા માં એક પણ વિકારી નથી. અપવિત્ર દુનિયા માં ૫ વિકાર છે, એટલે કહેવાય છે વિકારી દુનિયા. એ છે નિર્વિકારી દુનિયા. નિર્વિકારી દુનિયાથી સીડી ઉતરતાં-ઉતરતાં ફરી નીચે વિકારી દુનિયા માં આવે છે. તે છે પાવન દુનિયા, આ છે પતિત દુનિયા. તે છે દિવસ, સુખ. આ છે ભટકવાની રાત. આમ તો રાત્રે કોઈ ભટકતું નથી. પરંતુ ભક્તિ ને ભટકવાનું કહેવાય છે.

આપ બાળકો હવે અહીં આવ્યાં છો સદ્દગતિ મેળવવાં. તમારા આત્મા માં બધા પાપ હતાંં, ૫ વિકાર હતાંં. તેમાં પણ મુખ્ય છે કામ વિકાર, જેનાથી જ મનુષ્ય પાપ આત્મા બને છે. આ તો દરેક જાણે છે અમે પતિત છીએ અને પાપ આત્મા પણ છીએ. એક કામ વિકાર નાં કારણે બધી ક્વોલિફિકેશન (લાયકાત) બગડી જાય છે એટલે બાપ કહે છે કામ ને જીતો તો તમે જગતજીત અર્થાત્ નવાં વિશ્વ નાં માલિક બનશો. તો અંદર માં એટલી ખુશી રહેવી જોઈએ. મનુષ્ય પતિત બને છે તો કાંઈ પણ સમજતા નથી. બાપ સમજાવે છે - કોઈ પણ વિકાર ન હોવા જોઈએ. મુખ્ય છે કામ વિકાર, તેનાં પર કેટલાં હંગામા થાય છે. ઘર-ઘર માં કેટલી અશાંતિ, હાહાકાર થઈ જાય છે. આ સમયે દુનિયા માં હાહાકાર કેમ છે? કારણકે પાપ આત્માઓ છે. વિકારો નાં કારણે જ અસુર કહેવાય છે. હમણાં તમે સમજો છો આ સમયે દુનિયા માં કોઈ પણ કામ ની વસ્તુ નથી, ભંભોર ને આગ લાગવાની છે. જે કાંઈ આ આંખો થી દેખાય છે, બધાને આગ લાગી જશે. આત્મા ને તો આગ લાગતી નથી. આત્મા તો સદૈવ જાણે ઈન્શ્યોર (સુરક્ષિત) છે, સદૈવ જીવતો રહે છે. આત્મા ને ક્યારેય ઈન્શ્યોર કરાવે છે શું? શરીર ને ઈન્શ્યોર કરાય છે. આત્મા અવિનાશી છે. બાળકો ને સમજાવાય છે - આ રમત છે. આત્મા તો ઉપર રહેવા વાળો ૫ તત્વો થી બિલકુલ અલગ છે. ૫ તત્વો થી આખી દુનિયા ની સામગ્રી બને છે. આત્મા તો નથી બનતો. આત્મા સદૈવ છે જ. ફક્ત પુણ્ય આત્મા, પાપ આત્મા બને છે. આત્મા પર જ નામ પડે છે પુણ્ય આત્મા, પાપ આત્મા. ૫ વિકારો થી કેટલાં ખરાબ બની જાય છે. હમણાં બાપ આવ્યાં છે પાપો થી છોડાવવાં. વિકાર જ બધું કેરેક્ટર (ચરિત્ર) બગાડે છે. કેરેક્ટર કોને કહેવાય છે, એ પણ સમજતા નથી. આ છે ઊંચા માં ઊંચી રુહાની ગવર્મેન્ટ. પાંડવ ગવર્મેન્ટ ન કહી તમને ઈશ્વરીય ગવર્મેન્ટ કહી શકાય છે. તમે સમજો છો આપણે ઈશ્વરીય ગવર્મેન્ટ છીએ. ઈશ્વરીય ગવર્મેન્ટ શું કરે છે? આત્માઓ ને પવિત્ર બનાવીને દેવતા બનાવે છે. નહીં તો દેવતા ક્યાંથી આવ્યાં? આ કોઈ પણ નથી જાણતાં, છે તો આ પણ મનુષ્ય, પરંતુ દેવતા કેવાં હતાંં, કોણે બનાવ્યાં? દેવતાઓ તો હોય જ છે સ્વર્ગ માં. તો તેમને સ્વર્ગવાસી કોણે બનાવ્યાં? સ્વર્ગવાસી પછી જરુર નર્કવાસી બને છે ફરી સ્વર્ગવાસી. આ પણ તમે નહોતાં જાણતાં તો બીજા પછી કેવી રીતે જાણશે? હવે તમે સમજો છો કે ડ્રામા બનેલો છે, આટલાં બધા એક્ટર્સ છે. આ બધી વાતો બુદ્ધિ માં હોવી જોઈએ. ભણતર તો બુદ્ધિ માં હોવું જોઈએ ને અને પવિત્ર પણ જરુર બનવાનું છે. પતિત બનવું ખૂબ ખરાબ વાત છે. આત્મા જ પતિત બને છે. એક-બીજા માં પતિત બને છે. પતિતો ને પાવન બનાવવા, આ તમારો ધંધો છે. પાવન બનો તો પાવન દુનિયા માં જશો. આ આત્મા સમજે છે. આત્મા ન હોય તો શરીર પણ રહી ન શકે, રેસપોન્ડ (પ્રતિઉત્તર) મળી ન શકે. આત્મા જાણે છે આપણે હકીકત માં પાવન દુનિયાનાં રહેવાસી છીએ. હવે બાપે સમજાવ્યું છે તમે બિલકુલ જ બેસમજ હતાં, એટલે પતિત દુનિયા ને લાયક બની ગયા છો. હવે જ્યાં સુધી પાવન નહીં બનશો ત્યાં સુધી સ્વર્ગ ને લાયક નહીં બની શકશો. સ્વર્ગ ની તુલના પણ સંગમ પર કરાય છે. ત્યાં થોડી તુલના કરી શકશે? આ સંગમયુગ પર જ તમને બધું જ્ઞાન મળે છે. પવિત્ર બનવાનું હથિયાર મળે છે. એક ને જ કહેવાય છે પતિત-પાવન બાબા, અમને આવાં પાવન બનાવો. આ સ્વર્ગ નાં માલિક છે ને? તમે જાણો છો આપણે જ સ્વર્ગ નાં માલિક હતાં પછી ૮૪ જન્મ લઈને પતિત બન્યાં છીએ. શ્યામ અને સુંદર, આમનું નામ પણ એવું રાખ્યું છે. શ્રીકૃષ્ણ નું ચિત્ર શ્યામ બનાવી દે છે પરંતુ અર્થ થોડી સમજે છે? શ્રીકૃષ્ણ ની પણ તમને કેટલી ક્લિયર (સ્પષ્ટ) સમજણ મળે છે. આમાં બે દુનિયાઓ કરી દીધી છે. હકીકત માં બે દુનિયા તો છે જ નહીં. દુનિયા એક જ છે. તે નવી અને જૂની બને છે. પહેલાં નાનાં બાળકો નવાં હોય છે પછી મોટા બની વૃદ્ધ થાય છે. તો તમે કેટલું માથું મારો છો સમજાવવા માટે, પોતાની રાજધાની સ્થાપન કરી રહ્યાં છો ને? લક્ષ્મી-નારાયણે સમજ્યું છે ને? સમજણ થી કેટલાં મીઠાં બન્યાં છે. કોણે સમજાવ્યું? ભગવાને. લડાઈ વગેરેની તો વાત જ નથી. ભગવાન કેટલાં સમજદાર, નોલેજફુલ છે. કેટલાં પવિત્ર છે. શિવ નાં ચિત્ર આગળ બધા મનુષ્ય જઈને નમન કરે છે પરંતુ એ કોણ છે? શું કરે છે? આ કોઈ નથી જાણતું. શિવકાશી વિશ્વનાથ ગંગા… બસ ફક્ત કહેતાં રહે છે. અર્થ જરા પણ નથી સમજતાં. સમજાવો તો કહેશે તમે શું અમને સમજાવશો. અમે તો વેદ-શાસ્ત્ર વગેરે બધું ભણ્યાં છીએ. પરંતુ રામ રાજ્ય કોને કહેવાય છે, આ પણ કોઈ જાણતું નથી. રામ રાજ્ય સતયુગ નવી દુનિયા ને કહેવાય છે. તમારા માં પણ નંબરવાર છે, જેમને ધારણા હોય છે. ઘણાં તો ભૂલી પણ જાય છે કારણકે બિલકુલ જ પથ્થરબુદ્ધિ બની ગયા છે. તો હવે પારસબુદ્ધિ જે બન્યાં છે તેમનું કામ છે બીજાઓને પણ પારસબુદ્ધિ બનાવવાં. પથ્થરબુદ્ધિ ની એક્ટિવિટી એવી જ ચાલતી રહેશે કારણકે હંસ અને બગલા થઈ ગયા ને? હંસ ક્યારેય કોઈને દુઃખ નથી આપતાં. બગલા દુઃખ આપે છે. ઘણાં છે જેમની ચાલ જ બગલા જેવી હોય છે, તેમના માં બધા વિકાર હોય છે. અહીં પણ એવાં ખૂબ વિકારી આવી જાય છે, જેને અસુર કહેવાય છે. પરિચય નથી રહેતો. ઘણાં સેવાકેન્દ્ર પર પણ વિકારી આવે છે, બહાનું બનાવે છે, અમે બ્રાહ્મણ છીએ, પરંતુ છે જુઠ્ઠું. આને કહેવાય જ છે જુઠ્ઠી દુનિયા. તે નવી દુનિયા સાચ્ચી દુનિયા છે. હમણાં છે સંગમ. કેટલો ફરક પડે છે. જે જુઠ્ઠું બોલવા વાળા, જુઠ્ઠા કામ કરવા વાળા છે, તે થર્ડ ગ્રેડ બને છે. ફર્સ્ટ ગ્રેડ, સેકન્ડ ગ્રેડ તો હોય છે ને?

બાપ કહે છે પવિત્રતા નું પણ પૂરું સબૂત આપવાનું છે. ઘણાં કહે છે આ બન્ને સાથે રહીને પવિત્ર રહે, આ તો અશક્ય છે. તો બાળકોએ સમજાવવું જોઈએ. યોગબળ ન હોવાનાં કારણે આટલી સહજ વાત પણ પૂરી રીતે સમજાવી નથી શકતાં. એમને આ વાત કોઈ નથી સમજાવતું કે અહીંયા અમને ભગવાન ભણાવે છે. એ કહે છે પવિત્ર બનવાથી તમે ૨૧ જન્મ સ્વર્ગ નાં માલિક બનશો. એ છે પવિત્ર દુનિયા. પવિત્ર દુનિયા માં પતિત કોઈ હોય ન શકે. ૫ વિકાર જ નથી. તે છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા). આ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). આપણને સતયુગ ની બાદશાહી મળે છે તો આપણે એક જન્મ માટે કેમ નહીં પાવન બનીશું? જબરજસ્ત લોટરી મળે છે આપણને. તો ખુશી થાય છે. દેવી-દેવતા પવિત્ર છે ને? અપવિત્ર થી પવિત્ર પણ બાપ જ બનાવશે. તો બતાવવું જોઈએ અમને આ ટેમ્પટેશન (પ્રલોભન) છે. બાપ જ એવાં બનાવે છે. બાપ વગર તો નવી દુનિયા કોઈ બનાવી ન શકે. મનુષ્ય થી દેવતા બનાવવા ભગવાન જ આવે છે, જેમની રાત્રિ ગવાય છે. આ પણ સમજાવ્યું છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ. જ્ઞાન અને ભક્તિ અડધા-અડધા છે. ભક્તિ પછી છે વૈરાગ. હવે ઘરે જવાનું છે, આ શરીર રુપી કપડા ઉતારી દેવાનાં છે. આ છી-છી દુનિયામાં નથી રહેવાનું. ૮૪ નું ચક્ર હવે પૂરું થયું. હવે વાયા શાંતિધામ જવાનું છે. પહેલાં-પહેલાં અલ્ફ ની વાત નથી ભૂલવાની. આ પણ બાળકો સમજે છે આ જૂની દુનિયા ખતમ થવાની છે. બાપ નવી દુનિયા સ્થાપન કરે છે. બાપ અનેક વખત આવ્યાં છે સ્વર્ગ ની સ્થાપના કરવાં. નર્ક નો વિનાશ થઈ જવાનો છે. નર્ક કેટલું મોટું છે, સ્વર્ગ કેટલું નાનું છે! નવી દુનિયામાં એક જ ધર્મ હોય છે. અહીં છે અનેક ધર્મ. એક ધર્મ કોણે સ્થાપન કર્યો? બ્રહ્માએ તો નથી કર્યોં. બ્રહ્મા જ પતિત થી ફરી પાવન બને છે. મારા (શિવબાબા) માટે તો નહીં કહેવાશે પતિત સો પાવન. પાવન છે તો લક્ષ્મી-નારાયણ નામ છે. બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. આ પ્રજાપિતા છે ને? શિવબાબા ને અનાદિ ક્રિયેટર (રચયિતા) કહેવાય છે. અનાદિ શબ્દ બાપ માટે છે. બાપ અનાદિ તો આત્માઓ પણ અનાદિ છે. ખેલ પણ અનાદિ છે. પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. સ્વ આત્મા ને સૃષ્ટિ ચક્ર નાં આદિ-મધ્ય-અંત, ડ્યુરેશન (અવધિ) નું જ્ઞાન મળે છે. આ કોણે આપ્યું? બાપે. તમે ૨૧ જન્મો માટે ધનવાન બની જાઓ છો પછી રાવણ નાં રાજ્ય માં નિધણ નાં (અનાથ) બની જાઓ છો. અહીં થી જ કેરેક્ટર બગડે છે, વિકાર છે ને? બાકી બે દુનિયાઓ નથી. મનુષ્ય તો પછી સમજે છે નર્ક-સ્વર્ગ બધું સાથે જ ચાલે છે. હમણાં આપ બાળકો ને કેટલું ક્લિયર (સ્પષ્ટ) સમજાવાય છે. હમણાં તમે ગુપ્ત છો. શાસ્ત્રો માં તો શું-શું લખી દીધું છે? સૂત કેટલું મૂંઝાયેલું છે? બાપ સિવાય કોઈ ઉકેલી ન શકે. એમને જ પોકારે છે - અમે કોઈ કામ નાં નથી રહ્યાં, આવીને પાવન બનાવી અમારા કેરેક્ટર સુધારો. તમારા કેટલાં કેરેક્ટર સુધરે છે. કોઈ-કોઈ નાં તો સુધરવાના બદલે વધારે જ બગડે છે. ચલન થી પણ ખબર પડી જાય છે. આજે મહારથી હંસ કહેવાય છે, કાલે બગલા બની જાય. વાર નથી લાગતી. માયા પણ ગુપ્ત છે ને? ક્રોધ કાંઈ દેખાય થોડી છે? ભોં-ભોં કરે છે તો પછી તે બહાર નીકળવાથી દેખાય છે. પછી આશ્ચર્યવત્ સુનન્તી…કથન્તી ભાગન્તી થઈ જાય છે. કેટલાં નીચે પડે છે. એકદમ પથ્થર બની જાય છે. ઈન્દ્રપ્રસ્થ ની પણ વાત છે ને? ખબર તો પડી જ જાય છે. એવાં પછી સભા માં ન આવવા જોઈએ. થોડુંક જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગ માં આવી જ જાય છે. જ્ઞાન નો વિનાશ નથી થઈ શકતો.

હવે બાપ કહે છે - તમારે પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવવાનું છે. જો વિકાર માં ગયા તો પદભ્રષ્ટ કરી દેશો. સૂર્યવંશી, ચંદ્રવંશી બનશો પછી વૈશ્યવંશી, શૂદ્રવંશી. હમણાં તમે સમજો છો આ ચક્ર કેવી રીતે ફરે છે? તેઓ તો કળિયુગ ની આયુ જ ૪૦ હજાર વર્ષ કહી દે છે. સીડી તો નીચે ઉતરવાની હોય છે ને? ૪૦ હજાર વર્ષ હોય તો મનુષ્ય અસંખ્ય થઈ જાય. ૫ હજાર વર્ષ માં જ આટલાં મનુષ્ય છે, જે ખાવાનું નથી મળતું. તો આટલાં હજાર વર્ષો માં કેટલી વૃદ્ધિ થઈ જાય? તો બાપ આવીને ધીરજ આપે છે. પતિત મનુષ્યો ને તો લડવાનું જ છે. તેઓની બુદ્ધિ આ તરફ આવી ન શકે. હવે તમારી બુદ્ધિ જુઓ કેટલી બદલાય છે છતાં પણ માયા દગો જરુર આપે છે. ઈચ્છા માત્રમ્ અવિદ્યા. કોઈ ઈચ્છા કરી, તો ગયાં. વર્થ નોટ અ પેની (કોડીતુલ્ય) બની જાય છે. સારા-સારા મહારથીઓ ને પણ માયા કોઈ ન કોઈ પ્રકાર થી ક્યારેક દગો આપતી રહે છે. પછી તે દિલ પર ચઢી નથી શકતાં. જેમ લૌકિક મા-બાપ નાં દિલ પર નથી ચઢતાં. કોઈ તો બાળકો એવાં હોય છે જે બાપ ને પણ ખતમ કરી દે છે. પરિવાર ને ખતમ કરી દે છે. મહાન પાપ આત્માઓ છે. રાવણ શું કરી દે છે, ખૂબ ડર્ટી (ગંદી) દુનિયા છે. આનાથી ક્યારેય દિલ ન લગાવવું જોઈએ. પવિત્ર બનવાની ખૂબ હિંમત જોઈએ. વિશ્વ ની બાદશાહી ની પ્રાઈઝ (ઈનામ) લેવા માટે પવિત્રતા મુખ્ય છે એટલે બાપ ને કહે છે કે આવીને પાવન બનાવો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નાં દગા થી બચવા માટે ઈચ્છા માત્રમ્ અવિદ્યા બનવાનું છે. આ ડર્ટી (ગંદી) દુનિયા થી દિલ નથી લગાવવાનું.

2. પવિત્રતા નું પૂરે-પૂરું સબૂત આપવાનું છે. સૌથી ઉંચું કેરેક્ટર (ચરિત્ર) જ પવિત્રતા છે. પોતે-પોતાને સુધારવા માટે પવિત્ર જરુર બનવાનું છે.

વરદાન :-
ત્રિકાળદર્શી સ્થિતિ માં સ્થિત રહી સદા અચલ અને સાક્ષી રહેવા વાળા નંબરવન તકદીરવાન ભવ

ત્રિકાળદર્શી સ્થિતિ માં સ્થિત થઈને દરેક સંકલ્પ, દરેક કર્મ કરો અને દરેક વાત ને જુઓ, આ કેમ, આ શું - આ પ્રશ્ન ચિહ્ન ન થાય, સદા ફુલસ્ટોપ. નથિંગન્યુ. દરેક આત્મા નાં પાર્ટ ને સારી રીતે જાણીને પાર્ટ માં આવો. આત્માઓ નાં સંબંધ-સંપર્ક માં આવતા ન્યારા અને પ્યારાપણા ની સમાનતા રહે તો હલચલ સમાપ્ત થઈ જશે. એવી રીતે સદા અચલ અને સાક્ષી રહેવું - આ છે જ નંબરવન તકદીરવાન આત્મા ની નિશાની.

સ્લોગન :-
સહનશીલતા નાં ગુણ ને ધારણ કરો તો કઠોર સંસ્કાર પણ શીતળ થઈ જશે.

અવ્યક્ત ઈશારા - આ અવ્યક્ત મહિના માં બંધનમુક્ત રહી જીવનમુક્ત સ્થિતિ નો અનુભવ કરો

તમારા લોકો નું સ્લોગન છે - મુક્તિ અને જીવનમુક્તિ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. પરમધામ માં તો આ ખબર જ નહીં પડશે કે મુક્તિ શું છે? જીવનમુક્તિ શું છે? આનો અનુભવ આ બ્રાહ્મણ જીવન માં હમણાં કરવાનો છે.