12-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
હમણાં જ્ઞાન ની દૃષ્ટિ મળી છે , એટલે તમારું ભટકવાનું બંધ થયું , તમે શાંતિધામ -
સુખધામ ને યાદ કરો છો”
પ્રશ્ન :-
દેવતાઓ માં કઈ તાકાત છે અને એ તાકાત કઈ વિશેષતા ને કારણે છે?
ઉત્તર :-
દેવતાઓ માં આખા વિશ્વ પર રાજ્ય કરવાની તાકાત છે, એ તાકાત વિશેષ એક મત ની વિશેષતા ને
કારણે છે. ત્યાં એક મત હોવાનાં કારણે વજીર વગેરે રાખવાની જરુર નથી. દેવતાઓએ સંગમ પર
બાપ પાસે થી એવી શ્રીમત લીધેલી છે જે ૨૧ જન્મ રાજ્ય કરે છે. ત્યાં એક રાજા ની એક
દૈવી ફેમિલી (પરિવાર) હોય છે, બીજી મત હોતી નથી.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ પ્રભુ…
ઓમ શાંતિ!
બાળકો ને નયન
મળ્યાં છે, પહેલાં નયન નહોતાં, કયા નયન? જ્ઞાન નાં નયન નહોતાંં. અજ્ઞાન નાં નયન તો
હતાંં. બાળકો જાણે છે જ્ઞાનસાગર તો એક જ બાપ છે. બીજા કોઈ માં આ રુહાની જ્ઞાન નથી,
જે જ્ઞાન થી સદ્દગતિ થાય અર્થાત્ શાંતિધામ-સુખધામ જવાનું થાય. હમણાં આપ બાળકો ને
દૃષ્ટિ મળી છે - કેવી રીતે સુખધામ બદલાઈને પછી માયા નું રાજ્ય તથા દુઃખધામ બને છે.
પોકારવા લાગે છે કે નયનહીન ને રાહ બતાવો. ભક્તિમાર્ગ નાં યજ્ઞ, દાન-પુણ્ય વગેરે થી
કોઈ રસ્તો (માર્ગ) નથી મળતો - શાંતિધામ-સુખધામ જવાનો. દરેકે પોતાનો પાર્ટ ભજવવાનો જ
છે. બાપ કહે છે મને પણ પાર્ટ મળેલો છે. ભક્તિમાર્ગ માં પોકારે છે મુક્તિ-જીવનમુક્તિ
ની રાહ બતાવો. તેનાં માટે કેટલાં યજ્ઞ-તપ, દાન-પુણ્ય વગેરે કરે છે, કેટલાં ભટકે છે.
શાંતિધામ-સુખધામ માં ભટકવાનું હોતું જ નથી. આ પણ તમે જાણો છો, તે તો ફક્ત શાસ્ત્રો
નું ભણતર અને શારીરિક ભણતર ને જ જાણે છે. આ રુહાની બાપ ને તો બિલકુલ જાણતા જ નથી.
રુહાની બાપ જ્ઞાન ત્યારે આવીને આપે છે જ્યારે સર્વ ની સદ્દગતિ થાય છે. જૂની દુનિયા
બદલાવાની હોય છે. મનુષ્ય થી દેવતા બને છે પછી આખી સૃષ્ટિ પર એક જ રાજ્ય હોય છે
દેવી-દેવતાઓ નું, જેને જ સ્વર્ગ કહે છે. આ પણ ભારતવાસી જાણે છે આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ ભારત માં જ હતો. તે સમયે કોઈ બીજો ધર્મ નહોતો. આપ બાળકો માટે હમણાં છે સંગમયુગ.
બાકી બધા છે કળિયુગ માં. તમે પુરુષોત્તમ સંગમયુગ પર બેઠાં છો. જે-જે બાપ ને યાદ કરે
છે, બાપ ની શ્રીમત પર ચાલે છે, તે સંગમયુગ પર છે. બાકી કળિયુગ માં છે. હમણાં કોઈ
સાવરન્ટી (સતયુગી) કિંગડમ (રાજધાની) તો નથી. અનેક મતો થી રાજ્ય ચાલે છે, સતયુગ માં
તો એક મહારાજા ની જ મત ચાલે છે, વજીર નથી હોતાં. એટલી તાકાત રહે છે. પછી જ્યારે
પતિત બને છે તો વજીર વગેરે રાખે છે કારણકે તે તાકાત નથી રહેતી. હમણાં તો છે જ પ્રજા
નું રાજ્ય, સતયુગ માં એક મત હોવાથી તાકાત રહે છે. હમણાં તમે તે તાકાત લઈ રહ્યાં છો,
૨૧ જન્મ ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) રાજાઈ કરો છો. પોતાનું જ દૈવી ફેમિલી છે. હમણાં જ
આ છે તમારો ઈશ્વરીય પરિવાર. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજી બાપ ની યાદ માં રહો છો
તો તમે ઈશ્વરીય પરિવાર નાં છો. જો દેહ-અભિમાન માં આવીને ભૂલી જાઓ છો તો આસુરી
પરિવાર નાં છો. એક સેકન્ડ માં ઈશ્વરીય સંપ્રદાય નાં અને પછી એક સેકન્ડ માં આસુરી
સંપ્રદાય નાં બની જાઓ છો. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવા કેટલું સહજ છે? પરંતુ
બાળકો ને મુશ્કેલ લાગે છે.
બાપ કહે છે સ્વયં ને
આત્મા સમજી અને બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. દેહ દ્વારા કર્મ તો કરવાના જ
છે. દેહ વગર તો તમે કર્મ કરી નહીં શકો. કોશિશ કરવાની છે કામકાજ કરતા પણ આપણે બાપ ને
યાદ કરીએ. પરંતુ અહીં તો કામ વગર પણ યાદ નથી કરી શકતાં. ભૂલી જાય છે. આ જ મહેનત છે.
ભક્તિ માં એવું કાંઈ થોડી કહેવાય છે કે આખો દિવસ ભક્તિ કરો. તેમાં સમય હોય છે સવાર,
સાંજ અથવા રાત નો. પછી મંત્ર વગેરે જે મળે છે, તે બુદ્ધિ માં રહે છે. અનેકાનેક
શાસ્ત્ર છે. તે ભક્તિમાર્ગ માં વાંચે છે. તમારે તો કોઈ પુસ્તક વગેરે નથી વાંચવાનું,
નથી બનાવવાનું. આ મોરલી છપાવે પણ છે રિફ્રેશ થવા માટે. બાકી કોઈ પણ પુસ્તક વગેરે નહીં
રહેશે. આ બધું ખતમ થઈ જવાનું છે. જ્ઞાન તો છે જ એક બાપ માં. હમણાં જુઓ
જ્ઞાન-વિજ્ઞાન ભવન નામ રાખ્યું છે, જાણે કે ત્યાં યોગ અને જ્ઞાન શીખવાડાય છે. અર્થ
વગર એવાં-એવાં નામ રાખી દે છે. કાંઈ પણ ખબર નથી કે જ્ઞાન શું છે, વિજ્ઞાન શું છે.
હમણાં તમે જ્ઞાન અને વિજ્ઞાન ને જાણો છો. યોગ થી થાય છે હેલ્થ, જેને વિજ્ઞાન કહેવાય
છે અને આ છે જ્ઞાન, જેમાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવાય છે. વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે તે જાણવાનું છે. પરંતુ તે ભણતર છે હદ
નું, અહીં તો તમને બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી બુદ્ધિ માં છે. આપણે કેવી રીતે રાજ્ય
લઈએ છીએ, કેટલો સમય અને ક્યારે રાજ્ય કરતા હતાં, કેવી રીતે રાજધાની મળી હતી - આ વાતો
બીજા કોઈ ની બુદ્ધિ માં નથી આવતી. બાપ જ નોલેજફુલ છે. આ સૃષ્ટિ નું ચક્ર કેવી રીતે
ફરે છે, બાપ જ સમજાવે છે. પૂર્વ નિર્ધારિત ડ્રામા ને ન જાણવા નાં કારણે મનુષ્ય કહી
દે છે - ફલાણા નિર્વાણ ગયા અથવા જ્યોતિ જ્યોત સમાયા.
તમે જાણો છો બધા
મનુષ્ય માત્ર આ સૃષ્ટિ ચક્ર માં આવે છે, આનાંથી કોઈ એક પણ છૂટી નથી શકતાં. બાપ
સમજાવે છે મનુષ્ય નો આત્મા એક શરીર છોડી બીજું લે છે, કેટલો મોટો ડ્રામા છે. બધા
માં આત્મા છે, તે આત્મા માં અવિનાશી પાર્ટ ભરેલો છે. આને કહેવાય છે પૂર્વ નિર્ધારિત…
હવે ડ્રામા કહીએ છીએ તો જરુર તેનો સમય પણ જોઈએ. બાપ સમજાવે છે આ ડ્રામા ૫ હજાર વર્ષ
નો છે. ભક્તિ માર્ગ નાં શાસ્ત્રો માં લખી દીધું છે ડ્રામા લાખો વર્ષ નો છે. આ સમયે
જ જ્યારે બાપે આવીને સહજ રાજયોગ શીખવાડ્યો હતો, આ સમય માટે જ ગાયન છે કે કૌરવ ઘોર
અંધકાર માં હતાં અને પાંડવ પ્રકાશ માં હતાં. તે લોકો સમજે છે કળિયુગ માં તો હજી ૪૦
હજાર વર્ષ છે. તેમને આ ખબર નથી પડતી કે ભગવાન આવ્યાં છે, આ જૂની દુનિયાનું મોત સામે
છે. બધા અજ્ઞાન નિંદ્રા માં સૂતાં પડ્યાં છે. જ્યારે લડાઈ જુએ છે તો કહે છે આ તો
મહાભારત લડાઈ ની નિશાની છે. આ રિહર્સલ થતી રહેશે. પછી ચાલતાં-ચાલતાં બંધ થઈ જશે. તમે
જાણો છો હમણાં આપણી પૂરી સ્થાપના થઈ થોડી છે? ગીતા માં આ થોડી છે કે બાપે સહજ
રાજયોગ શીખવાડી અહીં જ રાજાઈ સ્થાપન કરી! ગીતા માં તો પ્રલય દેખાડી દીધો છે. દેખાડે
છે બીજા બધા મરી ગયા, બાકી ૫ પાંડવ બચ્યાં. તે પણ પહાડો પર જઈને ગળી મર્યા. રાજયોગ
થી શું થયું, કાંઈ પણ ખબર નથી. બાપ દરેક વાત સમજાવતા રહે છે. તે છે હદ ની વાત, હદ
ની રચના હદ નાં બ્રહ્મા રચે છે, પાલના પણ કરે છે બાકી પ્રલય નથી કરતાં. સ્ત્રી ને
એડોપ્ટ કરે છે. બાપ પણ આવીને એડોપ્ટ કરે છે. કહે છે હું આમનાં માં પ્રવેશ કરી બાળકો
ને નોલેજ સંભળાવું છું, આમનાં દ્વારા બાળકો ને રચું છું. બાપ પણ છે, ફેમિલી પણ છે,
આ વાતો ખૂબ ગુહ્ય છે. ખુબ ગંભીર વાતો છે. મુશ્કેલ થી કોઈ ની બુદ્ધિ માં બેસે છે. હવે
બાપ કહે છે પહેલાં-પહેલાં તો સ્વયં ને આત્મા સમજો, આત્મા જ એક શરીર છોડી બીજું લે
છે. શરીર પર જ ભિન્ન-ભિન્ન નામ પડે છે. નામ, રુપ, ફિચર્સ બધા ભિન્ન-ભિન્ન છે. એક
નાં ફિચર્સ બીજા સાથે ન મળે. દરેક આત્મા નાં જન્મ-જન્માન્તર નાં પોતાનાં ફિચર્સ છે.
પોતાની એક્ટ ડ્રામા માં નોંધાયેલી છે એટલે આને પૂર્વ નિર્ધારિત ડ્રામા કહેવાય છે,
હમણાં બેહદ નાં બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. તો આપણે કેમ નહીં બાપ
ને યાદ કરીએ. આ જ મહેનત ની વાત છે.
આપ બાળકો જ્યારે યાદ
ની યાત્રા માં બેસો છો તો માયા નાં તોફાન આવે છે, યુદ્ધ ચાલે છે, તેનાંથી ગભરાવાનું
નથી. માયા ઘડી-ઘડી યાદ ને તોડશે. સંકલ્પ-વિકલ્પ એવાં-એવાં આવશે જે એકદમ માથું ખરાબ
કરી દેશે. તમે મહેનત કરો. બાપે સમજાવ્યું છે આ લક્ષ્મી-નારાયણ ની કર્મેન્દ્રિયો વશ
કેવી રીતે થઈ. આ સંપૂર્ણ નિર્વિકારી હતાં. આ શિક્ષા તેમને ક્યાંથી મળી? હમણાં આપ
બાળકો ને આ બનવા ની શિક્ષા મળી રહી છે. આમનામાં કોઈ વિકાર નથી હોતાં. ત્યાં રાવણ
રાજ્ય જ નથી. અંત માં રાવણ રાજ્ય હોય છે. રાવણ શું ચીજ છે, આ કોઈ પણ નથી જાણતાં.
ડ્રામા અનુસાર આ પણ નોંધ છે. ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને નથી જાણતા, એટલે જ
નેતી-નેતી કરતા આવ્યાં છે. હમણાં તમે સ્વર્ગવાસી બનવા માટે પુરુષાર્થ કરી રહ્યાં
છો. આ લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક છે ને? આમની આગળ માથું નમાવવા વાળા
તમોપ્રધાન કનિષ્ટ પુરુષ છે. બાપ કહે છે પહેલાં-પહેલાં તો એક વાત પાક્કી કરી લો -
સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આમાં જ મહેનત છે. જેમ ૮ કલાક સરકારી નોકરી હોય
છે ને? હમણાં તમે બેહદ ની સરકાર નાં મદદગાર છો. તમારે ઓછા માં ઓછા ૮ કલાક પુરુષાર્થ
કરી યાદ માં રહેવાનું છે. આ અવસ્થા તમારી એવી પાક્કી થઈ જશે જે કોઈની પણ યાદ નહીં
આવશે. બાપ ની યાદ માં જ શરીર છોડશો. પછી એ જ વિજય માળા નાં દાણા બનશો. એક રાજા ની
પ્રજા કેટલી અસંખ્ય હોય છે. અહીં પણ પ્રજા બનવાની છે. તમે વિજય માળા નાં દાણા પૂજવા
લાયક બનશો. ૧૬,૧૦૮ ની માળા પણ હોય છે. એક મોટા બોક્સ માં પડી રહે છે. ૮ ની માળા છે,
૧૦૮ ની પણ છે. અંત માં પછી ૧૬,૧૦૮ ની પણ બને છે. આપ બાળકોએ જ બાપ પાસે થી રાજયોગ
શીખી આખા વિશ્વ ને સ્વર્ગ બનાવ્યું છે એટલે તમે પૂજાઓ છો. તમે જ પૂજ્ય હતાં, પછી
પુજારી બન્યાં છો. આ દાદા કહે છે મેં પોતે માળા ફેરવી છે, લક્ષ્મી-નારાયણ નાં મંદિર
માં આમ તો રુદ્ર માળા હોવી જોઈએ. તમે પહેલાં રુદ્ર માળા પછી રુંડ માળા બનો છો. પહેલાં
નંબર માં છે રુદ્ર માળા જેમાં શિવ પણ છે રુંડ માળા માં શિવ ક્યાંથી આવ્યાં? તે છે
વિષ્ણુ ની માળા. આ વાતો ને પણ કોઈ સમજે થોડી છે? હમણાં તમે કહો છો અમે શિવબાબા નાં
ગળા નો હાર જઈને બનીએ છીએ. બ્રાહ્મણો ની માળા નથી બની શકતી. બ્રાહ્મણો ની માળા હોતી
નથી .તમે જેટલાં યાદ માં રહો છો પછી ત્યાં પણ નજીક માં જ આવીને રાજ્ય કરશો. આ ભણતર
બીજી કોઈ જગ્યાએ મળી ન શકે. તમે જાણો છો હવે આપણે આ જૂનાં શરીર ને છોડી સ્વર્ગવાસી
બનીશું. આખું ભારત સ્વર્ગ વાસી બનશે. ઈનપર્ટિક્યુલર (ખાસ), ભારત જ સ્વર્ગ હતું. ૫
હજાર વર્ષ ની વાત છે, લાખો વર્ષ ની વાત હોઈ નથી શકતી. દેવતાઓને જ ૫ હજાર વર્ષ થયા,
સ્વર્ગ ને મનુષ્ય ભૂલી ગયા છે. તો એમ જ કહી દે છે. બાકી છે કાંઈ નહીં. આટલું જૂનું
સવંત વગેરે છે થોડી? છે જ સૂર્યવંશી-ચંદ્રવંશી પછી બીજા ધર્મવાળા આવે છે. જૂની વસ્તુ
કામ શું આવશે? કેટલી ખરીદી કરે છે, જૂની વસ્તુ ની ખૂબ વેલ્યુ કરે છે. સૌથી વેલ્યુબલ
(મુલ્યવાન) છે શિવબાબા, કેટલાં શિવલિંગ બનાવે છે. આત્મા આટલો નાનો બિંદુ છે, આ કોઈને
પણ સમજ માં નથી આવતું. અતિ સૂક્ષ્મ રુપ છે. બાપ જ સમજાવે છે આટલાં નાના બિંદુ માં
આટલો પાર્ટ નોંધાયેલો છે, આ ડ્રામા રીપીટ થતો રહે છે, આ જ્ઞાન તમને ત્યાં નહીં રહેશે.
આ પ્રાયઃલોપ થઈ જાય છે. તો પછી કોઈ સહજ રાજયોગ શીખવાડી કેવી રીતે શકે? આ બધું
ભક્તિમાર્ગ માટે બનાવ્યું છે. હમણાં બાળકો જાણે છે બાપ દ્વારા બ્રાહ્મણ, દેવતા,
ક્ષત્રિય - ત્રણ ધર્મ સ્થાપન થઈ રહ્યાં છે ભવિષ્ય નવી દુનિયા માટે. તે ભણતર જે તમે
ભણો છો તે છે આ જન્મ માટે. આની પ્રારબ્ધ તમને નવી દુનિયામાં મળવાની છે. આ ભણતર હોય
છે સંગમયુગ પર. આ છે પુરુષોત્તમ સંગમયુગ. મનુષ્ય થી દેવતા તો જરુર સંગમ પર બન્યાં
હશે. બાપ બાળકો ને બધા રહસ્ય સમજાવે છે. આ પણ બાબા જાણે છે તમે આખો દિવસ આ યાદ માં
રહી નહીં શકો, ઇમ્પોસિબલ (અસંભવ) છે એટલે ચાર્ટ રાખો, જુઓ અમે ક્યાં સુધી યાદ માં
રહી શકીએ છીએ? દેહ નું અભિમાન હશે તો યાદ કેવી રીતે રહી શકશે? પાપો નો બોજો માથા પર
ખૂબ છે એટલે બાબા કહે છે યાદ માં રહો. ત્રિમૂર્તિ નું ચિત્ર પોકેટ માં મૂકી દો,
પરંતુ તમે ઘડી-ઘડી ભૂલી જાઓ છો. અલ્ફ ને યાદ કરવાથી બે વગેરે બધું યાદ આવી જાય છે.
બેજ તો સદા લગાવેલો રહે. લિટરેચર (સાહિત્ય) પણ હોય, કોઈ પણ સારા વ્યક્તિ હોય તો
તેમને આપવું જોઈએ. સારા વ્યક્તિ ક્યારેય મફત માં લેશે નહીં. પૂછે, આનાં શું પૈસા
છે? બોલો-આ ગરીબો ને તો મફત માં અપાય છે, બાકી જે જેટલાં આપે. રોયલ્ટી હોવી જોઈએ.
તમારા રીત-રિવાજ દુનિયાથી બિલકુલ ન્યારા હોવા જોઈએ. રોયલ વ્યક્તિ જાતે જ કાંઈ ન
કાંઈ આપી દેશે. આ તો આપણે બધાને આપીએ છીએ કલ્યાણ માટે. કોઈ વાંચીને પણ તમને પૈસા
મોકલી દેશે. ખર્ચો તો તમે કરો છો ને? બોલો, અમે પોતાનાં તન-મન-ધન ભારત ની સેવા માં
ખર્ચ કરીએ છીએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ બેહદ ની
સરકાર ને મદદ કરવા માટે ઓછા માં ઓછો ૮ કલાક યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.
યાદ માં જે માયા વિઘ્ન નાખે છે તેનાથી ગભરાવાનું નથી.
2. આ પુરુષોત્તમ
સંગમયુગ પર ઈશ્વરીય સંપ્રદાય નાં બની, ઈશ્વર ની મત પર ચાલવાનું છે. કર્મ કરતા પણ એક
બાપ ની યાદ માં રહેવાનો અભ્યાસ કરવાનો છે.
વરદાન :-
અંતર્મુખતા ની
ગુફા માં રહેવા વાળા દેહ થી ન્યારા દેહી ભવ
જે પાંડવો ની ગુફા
માં દેખાડે છે- તે આ જ અંતર્મુખતા ની ગુફાઓ છે, જેટલાં દેહ થી ન્યારા, દેહી રુપ માં
સ્થિત થવા ની ગુફા માં રહો છો એટલાં દુનિયાનાં વાતાવરણ થી પરે જ જાઓ છો, વાતાવરણ
નાં પ્રભાવ માં નથી આવતાં. જેમ ગુફા ની અંદર રહેવાથી બહાર નાં વાતાવરણ થી પરે થઈ
જાય છે એમ આ અંતર્મુખતા ની ગુફા થી સૌથી ન્યારા અને બાપ નાં પ્યારા બનાવી દે છે. અને
જે બાપ નાં પ્યારા છે તે સ્વતઃ સૌથી ન્યારા થઈ જાય છે.
સ્લોગન :-
સાધના બીજ છે
અને સાધન એનો વિસ્તાર છે વિસ્તાર માં સાધના ને છુપાવી નહીં દેતાં.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો , અંતર્મુખી બનો
અંતર્મુખી ની નિશાની
સદા સાગર નાં તટ માં ખોવાયેલી ગંભીર મૂર્ત. ચહેરા દ્વારા આત્મિક સ્થિતિ નાં ચિન્હ
દેખાશે. એક બાજું મનન-ચિંતન કરવા વાળો ચહેરો અને પછી રમણીક અર્થાત્ મુસ્કુરાતો (હર્ષિત)
ચહેરો, બંને જ લક્ષણ સૂરત (ચહેરા) થી પ્રત્યક્ષ થશે. અંતર્મુખી સદા હર્ષિતમુખ દેખાશે
કારણકે માયા નો સામનો કરવાનું સમાપ્ત થઈ જશે.