14-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમને
શ્રીમત મળી છે કે આત્મ - અભિમાની બની બાપ ને યાદ કરો , કોઈ પણ વાત માં તમારે આરગ્યુ
( દલીલ ) નથી કરવાની”
પ્રશ્ન :-
બુદ્ધિયોગ સ્વચ્છ બની બાપ સાથે લાગી શકે, તેની યુક્તિ કઈ રચેલી છે?
ઉત્તર :-
૭ દિવસ ની ભઠ્ઠી. કોઈ પણ નવું આવે છે તો તેને ૭ દિવસ માટે ભઠ્ઠી માં બેસાડો જેનાથી
બુદ્ધિ નો કચરો નીકળે અને ગુપ્ત બાપ, ગુપ્ત ભણતર અને ગુપ્ત વારસા ને ઓળખી શકે. જો
એમ જ બેસી ગયા તો મુંઝાઈ જશે, સમજશે કાંઈ નહીં.
ગીત :-
જાગ સજનિયાઁ
જાગ…
ઓમ શાંતિ!
બાળકો ને
જ્ઞાની તું આત્મા બનાવવા માટે આવાં-આવાં જે ગીત છે તે સંભળાવીને પછી તેનો અર્થ કરવો
જોઈએ તો વાણી ખુલશે. ખબર પડશે કે ક્યાં સુધી સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન
બુદ્ધિ માં છે. આપ બાળકો ની બુદ્ધિ માં તો ઉપર થી લઈને મૂળવતન, સૂક્ષ્મવતન,
સ્થૂળવતન નાં આદિ-મધ્ય-અંત નાં બધા રહસ્ય જાણે ચમકે છે. બાપ ની પાસે પણ આ જ્ઞાન છે
જે તમને સંભળાવે છે. આ છે બિલકુલ નવું જ્ઞાન. ભલે શાસ્ત્ર વગેરે માં નામ છે પરંતુ
તે નામ લેવાથી અટકી પડશે, ડિબેટ (વાદ-વિવાદ) કરવા લાગી જશે. અહીં તો બિલકુલ સરળ રીતે
સમજાવે છે-ભગવાનુવાચ, મને યાદ કરો, હું જ પતિત-પાવન છું. ક્યારેય પણ શ્રીકૃષ્ણ ને
કે બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે ને પતિત-પાવન નહીં કહેવાશે. સૂક્ષ્મવતનવાસીઓ ને પણ
તમે પતિત-પાવન નથી કહેતા તો સ્થૂળવતન નાં મનુષ્ય પતિત-પાવન કેવી રીતે હોય શકે? આ
જ્ઞાન પણ તમારી બુદ્ધિ માં જ છે. શાસ્ત્રો નાં વિષય માં વધારે ચર્ચા કરવી સારી નથી.
બહુજ વાદ-વિવાદ થઈ જાય છે. એક-બીજા ને લાકડીઓ પણ મારવા લાગી જાય છે. તમને તો ખૂબ
સહજ સમજાવાય છે. શાસ્ત્રો ની વાતોમાં વધારે નથી જવાનું. મૂળ વાત છે જ આત્મ-અભિમાની
બનવાની. સ્વયં ને આત્મા સમજવાનું છે અને બાપ ને યાદ કરવાના છે. આ શ્રીમત છે મુખ્ય.
બાકી છે વિસ્તાર. બીજ કેટલું નાનું છે, બાકી ઝાડ નો વિસ્તાર છે. જેમ બીજ માં બધું
જ્ઞાન સમાયેલું છે તેમ આ આખું જ્ઞાન પણ બીજ માં સમાયેલું છે. તમારી બુદ્ધિ માં બીજ
અને ઝાડ આવી ગયા છે. જે પ્રકારે તમે જાણો છો બીજા કોઈ સમજી ન શકે. ઝાડ ની આયુ જ
લાંબી લખી દીધી છે. બાપ બીજ અને ઝાડ તથા ડ્રામા નાં ચક્ર નાં રહસ્ય સમજાવે છે. તમે
છો સ્વદર્શન ચક્રધારી. કોઈ નવું આવે, બાબા મહિમા કરે કે સ્વદર્શન ચક્રધારી બાળકો,
તો કોઈ સમજી ન શકે. તે તો પોતાને બાળકો જ નથી સમજતાં. આ બાપ પણ ગુપ્ત છે, તો નોલેજ
પણ ગુપ્ત છે, વારસો પણ ગુપ્ત છે. નવાં કોઈ પણ સાંભળીને મુંઝાઈ જશે એટલે ૭ દિવસ ની
ભઠ્ઠી માં બેસાડાય છે. આ જે ૭ દિવસ ભાગવત્ કે રામાયણ વગેરે રાખે છે, હકીકત માં આ
સમયે ૭ દિવસ માટે ભઠ્ઠી માં રાખવામાં આવે છે તો બુદ્ધિ માં જે પણ બધો કચરો છે તે
કાઢે અને બાપ સાથે બુદ્ધિયોગ લાગી જાય. અહીં બધા છે રોગી. સતયુગ માં આ રોગ હોતા નથી.
આ અડધાકલ્પ નો રોગ છે, ૫ વિકારો નો રોગ ખૂબ ભારે છે. ત્યાં તો દેહી-અભિમાની રહે છે,
જાણો છો આપણે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ. પહેલાં થી સાક્ષાત્કાર થઈ જાય છે.
અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. તમને કાળ પર જીત પહેરાવાય છે. કાળ-કાળ મહાકાળ કહે
છે. મહાકાળ નું પણ મંદિર હોય છે. સિક્ખ લોકો નું પછી અકાળતખ્ત છે. હકીકત માં
અકાળતખ્ત આ ભ્રકુટી છે, જ્યાં આત્મા વિરાજમાન થાય છે. સર્વ આત્માઓ આ અકાળતખ્ત પર
બેઠાં છે. આ બાપ સમજાવે છે. બાપ ને પોતાનું તખ્ત તો નથી. એ આવીને આમનું આ તખ્ત લે
છે. આ તખ્ત પર બેસીને આપ બાળકોને તાઉસી તખ્તનશીન બનાવે છે. તમે જાણો છો તે તાઉસી
તખ્ત કેવું હશે જેનાં પર લક્ષ્મી-નારાયણ વિરાજમાન થતા હશે. તાઉસી તખ્ત તો ગવાયેલું
છે ને?
વિચાર કરવાનો છે, એમને
ભોળાનાથ ભગવાન કેમ કહેવાય છે? ભોળાનાથ ભગવાન કહેવાથી બુદ્ધિ ઉપર ચાલી જાય છે.
સાધુ-સંત વગેરે આંગળી થી ઈશારો પણ એવી રીતે આપે છે ને કે એમને યાદ કરો. યથાર્થ રીતે
તો કોઈ જાણી નથી શકતાં. હમણાં પતિત-પાવન બાપ સન્મુખ આવીને કહે છે મને યાદ કરો તો
તમારા વિકર્મ વિનાશ થઈ જાય. ગેરંટી (ખાતરી) છે. ગીતા માં પણ લખેલું છે પરંતુ તમે
ગીતા નું એક ઉદાહરણ કાઢશો તો તે ૧૦ કાઢશે, એટલે જરુર નથી. જે શાસ્ત્ર વગેરે વાંચેલા
છે તે સમજશે અમે લડી શકીશું. આપ બાળકો જે આ શાસ્ત્રો વગેરે ને જાણતાં જ નથી, તમારે
તેનું ક્યારેય નામ પણ ન લેવું જોઈએ. ફક્ત બોલો ભગવાન કહે છે મુજ બાપ ને યાદ કરો,
એમને જ પતિત-પાવન કહેવાય છે. ગાય પણ છે પતિત-પાવન સીતારામ… સંન્યાસી લોકો પણ
જ્યાં-ત્યાં ધૂન લગાવતા રહે છે. આવાં મત-મતાંતર તો ખૂબ છે ને? આ ગીત કેટલું સુંદર
છે, ડ્રામા પ્લાન અનુસાર કલ્પ-કલ્પ આવાં ગીત બને છે, જાણે કે આપ બાળકો માટે જ
બનાવેલા છે. એવાં-એવાં સારા-સારા ગીત છે. જેમ નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ. પ્રભુ કોઈ
શ્રીકૃષ્ણ ને થોડી કહે છે? પ્રભુ અથવા ઈશ્વર નિરાકાર ને જ કહેવાશે. અહીં તમે કહો છો
બાબા, પરમપિતા પરમાત્મા છે. છે તો એ પણ આત્મા ને? ભક્તિ માર્ગ માં ખૂબ વધારે ચાલ્યા
ગયા છે. અહીં તો બિલકુલ સરળ વાત છે. અલ્ફ અને બે. અલ્ફ અલ્લાહ, બે બાદશાહીન - આટલી
તો સરળ વાત છે. બાપ ને યાદ કરો તો તમે સ્વર્ગ નાં માલિક બનશો. બરાબર આ
લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક, સંપૂર્ણ નિર્વિકારી હતાં. તો બાપ ને યાદ કરવાથી જ
તમે એવાં સંપૂર્ણ બનશો. જેટલું જે યાદ કરે છે અને સર્વિસ (સેવા) કરે છે એટલું તે
ઊંચ પદ મેળવે છે. તે સમજ માં પણ આવે છે, સ્કૂલ માં વિદ્યાર્થી સમજતા નથી શું અમે ઓછું
ભણીએ છીએ! જે પૂરું અટેન્શન (ધ્યાન) નથી આપતા તે પાછળ બેઠાં રહે છે, તો જરુર નાપાસ
થઈ જશે.
પોતાને રિફ્રેશ કરવા
માટે જ્ઞાન નાં જે સારા-સારા ગીતો બનેલા છે તેને સાંભળવા જોઈએ. એવાં-એવાં ગીત પોતાનાં
ઘર માં રાખવા જોઇએ. કોઈને તેનાં પર સમજાવી પણ શકશો. કેવી રીતે માયા નો ફરીથી પડછાયો
પડે છે. શાસ્ત્રો માં તો આ વાતો નથી કે કલ્પ ની આયુ ૫ હજાર વર્ષ છે. બ્રહ્મા નો
દિવસ અને બ્રહ્મા ની રાત અડધા-અડધા છે. આ ગીત પણ કોઈએ તો બનાવડાવ્યા છે. બાપ
બુદ્ધિવાનો ની બુદ્ધિ છે તો કોઈ ની બુદ્ધિ માં આવ્યું છે જે બેસીને બનાવ્યા છે. આ
ગીતો વગેરે પર પણ તમારી પાસે કેટલા ધ્યાન માં જતા હતાં. એક દિવસ આવશે જે આ જ્ઞાન
નાં ગીતો ગાવા વાળા પણ તમારી પાસે આવશે. બાપ ની મહિમા માં એવાં ગીત ગાશે જે ઘાયલ કરી
દેશે. એવાં-એવાં આવશે. સુર પર પણ આધાર રહે છે. ગાયન વિદ્યા નું પણ બહુ જ નામ છે.
હમણાં તો એવું કોઈ નથી. ફક્ત એક ગીત બનાવ્યું હતું કિતના મીઠા કિતના પ્યારા… બાપ
ખુબ જ મીઠાં ખુબ જ પ્યારા છે ત્યારે તો બધા એમને યાદ કરે છે. એવું નથી કે દેવતાઓ
એમને યાદ કરે છે. ચિત્રો માં રામ ની આગળ પણ શિવ દેખાડે છે, રામ પૂજા કરી રહ્યા છે.
આ છે ખોટું. દેવતાઓ થોડી કોઈને યાદ કરે છે? યાદ મનુષ્ય કરે છે. તમે પણ હમણાં મનુષ્ય
છો પછી દેવતા બનશો. દેવતા અને મનુષ્ય માં રાત-દિવસ નો ફરક છે. તે જ દેવતાઓ પછી
મનુષ્ય બને છે. કેવી રીતે ચક્ર ફરતું રહે છે, કોઈને પણ ખબર નથી. તમને હમણાં ખબર પડી
છે કે આપણે સાચાં-સાચાં દેવતા બનીએ છીએ. હમણાં આપણે બ્રાહ્મણ છીએ, નવી દુનિયામાં
દેવતા કહેવાશું. હમણાં તમે વન્ડર ખાઓ છો. આ બ્રહ્મા પોતે જ જે આ જન્મ માં પહેલાં
પુજારી હતાં, શ્રી નારાયણ ની મહિમા ગાતા હતાં, નારાયણ સાથે ખૂબ પ્રેમ હતો. હવે
વન્ડર લાગે છે, હું તે બની રહ્યો છું. તો કેટલો ખુશીનો પારો ચઢવો જોઈએ? તમે છો
અનનોન વોરિયર્સ (ગુપ્ત યોદ્ધા), નોન વાયોલેન્સ (અહિંસક). સાચ્ચે જ તમે ડબલ અહિંસક
છો. નથી કામ કટારી, નથી તે લડાઈ. કામ અલગ છે, ક્રોધ અલગ ચીજ છે. તો તમે છો ડબલ
અહિંસક. અહિંસક સેના. સેના શબ્દ થી તેમણે પછી સેનાઓ ઉભી કરી દીધી છે. મહાભારત લડાઈ
માં નર નાં નામ દેખાડયા છે. નારી નથી. હકીકત માં તમે છો શિવ શક્તિઓ. વધુ સંખ્યા
તમારી હોવાનાં કારણે શિવ શક્તિ સેના કહેવાય છે. આ વાતો બાપ જ બેસીને સમજાવે છે.
હમણાં આપ બાળકો નવયુગ
ને યાદ કરો છો. દુનિયા માં કોઈને પણ નવયુગ ની ખબર નથી. તે તો સમજે છે નવયુગ ૪૦ હજાર
વર્ષ પછી આવશે. સતયુગ નવયુગ છે, આ તો ખૂબ ક્લિયર (સ્પષ્ટ) છે. તો બાબા સલાહ આપે છે
એવાં-એવાં સારા ગીત પણ સાંભળીને રિફ્રેશ થશો અને કોઈને સમજાવશો પણ. આ બધી યુક્તિઓ
છે. તેનો અર્થ પણ ફક્ત તમે જ સમજી શકો છો. ખૂબ સારા-સારા ગીતો છે પોતાને રિફ્રેશ
કરવા માટે. આ ગીત ખૂબ મદદ કરે છે. અર્થ કરવો જોઈએ તો મુખ પણ ખુલી જશે, ખુશી પણ થશે.
બાકી જે વધારે ધારણા નથી કરી શકતાં તેમનાં માટે બાપ કહે છે ઘરે બેઠાં બાપ ને યાદ
કરતા રહો. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં ફક્ત આ મંત્ર યાદ રાખો-બાપ ને યાદ કરો અને
પવિત્ર બનો. પહેલાં પુરુષ લોકો પત્ની ને કહેતા હતાં ભગવાન ને તો ઘર માં પણ યાદ કરી
શકાય છે પછી મંદિરો વગેરે માં ભટકવાની શું જરુર છે? અમે તમને ઘર માં મૂર્તિ આપી દઈએ
છીએ, અહીં બેસીને યાદ કરો, ધક્કા ખાવા કેમ જાઓ છો? આવાં ઘણાં પુરુષ લોકો સ્ત્રીઓ ને
જવા નહોતા દેતાં. ચીજ તો એક જ છે, પૂજા કરવાની છે અને યાદ કરવાના છે. જયારે એકવાર
જોઈ લીધાં પછી તો એમ પણ યાદ કરી શકો છો. શ્રીકૃષ્ણ નું ચિત્ર તો કોમન (સાધારણ) છે-મોરમુગટધારી.
આપ બાળકોએ સાક્ષાત્કાર કર્યો છે-કેવી રીતે ત્યાં જન્મ થાય છે, તે પણ સાક્ષાત્કાર
કર્યો છે, પરંતુ શું તમે તેનો ફોટો કાઢી શકો છો? એક્યુરેટ કોઈ કાઢી ન શકે. દિવ્ય
દૃષ્ટી થી ફક્ત જોઈ જ શકાય છે, બનાવી ન શકાય, હા જોઈને વર્ણન કરી શકો છો, બાકી તે
કલર વગેરે કરી ન શકાય. ભલે હોશિયાર ચિત્રકાર હોય, સાક્ષાત્કાર પણ કરે તો પણ
એક્યુરેટ ફીચર્સ બનાવી ન શકે. તો બાબાએ સમજાવ્યું, કોઈ સાથે વધારે દલીલ નથી કરવાની.
બોલો, તમારે પાવન બનવાથી કામ. અને શાંતિ માંગો છો તો બાપ ને યાદ કરો અને પવિત્ર બનો.
પવિત્ર આત્મા અહીં રહી ન શકે. તે ચાલ્યા જશે પાછાં. આત્માઓ ને પાવન બનાવવાની શક્તિ
એક બાપ માં છે, બીજા કોઈ પાવન બનાવી ન શકે. આપ બાળકો જાણો છો આ આખું સ્ટેજ છે, આનાં
પર નાટક થાય છે. આ સમયે આખા સ્ટેજ પર રાવણ નું રાજ્ય છે. આખા સમુદ્ર પર સૃષ્ટિ ઉભી
છે. આ બેહદ નો ટાપુ છે. તે છે હદ નાં. આ છે બેહદ ની વાત. જેનાં પર અડધોકલ્પ દૈવી
રાજ્ય, અડધોકલ્પ આસુરી રાજ્ય હોય છે. આમ ખંડ તો અલગ-અલગ છે, પરંતુ આ છે બધી બેહદ ની
વાત. તમે જાણો છો આપણે ગંગા જમના નદી નાં મીઠાં પાણી નાં કાંઠા પર હશું. સમુદ્ર
વગેરે પર જવાની જરુર નથી રહેતી. આ જે દ્વારિકા કહે છે, તે કોઈ સમુદ્ર ની નીચે હોતી
નથી. દ્વારિકા કોઈ બીજી ચીજ નથી. આપ બાળકોએ બધા સાક્ષાત્કાર કર્યા છે. શરુ માં આ
સંદેશી અને ગુલઝાર બહુ જ સાક્ષાત્કાર કરતા હતાં. આમણે સારા પાર્ટ ભજવ્યા છે કારણ કે
ભઠ્ઠી માં બાળકોને બહેલાવવાના હતાં. તો સાક્ષાત્કાર થી ખૂબ-ખૂબ બહેલાયા છે. બાપ કહે
છે પછી અનેક ખુશ થશે. તે પાર્ટ પછી બીજો છે. ગીત પણ છે ને-અમે જે જોયું છે તે તમે
નથી જોયું. તમે જલ્દી-જલ્દી સાક્ષાત્કાર કરતા રહેશો. જેમ પરીક્ષા નાં દિવસો નજીક આવે
છે તો ખબર પડી જાય છે કે અમે કેટલાં માર્ક્સ થી પાસ થઈશું. તમારું પણ આ ભણતર છે.
હમણાં તમે જાણે નોલેજફુલ થઈને બેઠાં છો. બધાં ફુલ (ભરપુર) તો નથી હોતાં. સ્કૂલ માં
હંમેશા નંબરવાર હોય છે. આ પણ નોલેજ છે-મૂળવતન, સૂક્ષ્મવતન, ત્રણેય લોકો નું તમને
જ્ઞાન છે. આ સૃષ્ટિ નાં ચક્ર ને તમે જાણો છો, આ ફરતું રહે છે. બાપ કહે છે તમને જે
નોલેજ આપી છે, આ બીજા કોઈ સમજાવી ન શકે. તમારી પર છે બેહદ ની દશા. કોઈ પર બૃહસ્પતિ
ની દશા, કોઈ પર રાહુ ની દશા હોય છે તો જઈને ચંડાલ વગેરે બનશે. આ છે બેહદ ની દશા, તે
હોય છે હદ ની દશા. બેહદ નાં બાપ બેહદ ની વાતો સંભળાવે છે, બેહદ નો વારસો આપે છે. આપ
બાળકોને કેટલી ખુશી થવી જોઈએ. તમે અનેકવાર બાદશાહી લીધી છે અને ગુમાવી છે, આ તો
બિલકુલ પાક્કી વાત છે. નથિંગ ન્યુ, ત્યારે તમે સદૈવ હર્ષિત રહી શકશો. નહીં તો માયા
ઘુટકા ખવડાવે છે.
તો તમે બધા આશૂક છો
એક માશૂક નાં. બધા આશૂક એ એક માશૂક ને યાદ કરે છે. એ આવીને બધા ને સુખ આપે છે.
અડધોકલ્પ એમને યાદ કર્યા છે, હવે એ મળ્યા છે તો કેટલી ખુશી થવી જોઈએ! અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સદૈવ
હર્ષિત રહેવા માટે નથિંગ ન્યુ નો પાઠ પાક્કો કરવાનો છે. બેહદ નાં બાપ આપણને બેહદ ની
બાદશાહી આપી રહ્યા છે - આ ખુશી માં રહેવાનું છે.
2. જ્ઞાન નાં
સારા-સારા ગીત સાંભળીને સ્વયં ને રિફ્રેશ કરવાના છે. તેનો અર્થ કાઢીને બીજાઓને
સંભળાવવાનો છે.
વરદાન :-
માયા નાં
સંબંધો ને ડાયવોર્સ આપી બાપ નાં સંબંધ થી સૌદો કરવા વાળા માયાજીત , મોહ જીત ભવ .
હવે સ્મૃતિ થી જૂનો
સૌદો કેન્સલ કરી સિંગલ બનો. પરસ્પર એક-બીજા નાં સહયોગી ભલે રહો પરંતુ કમ્પેનિયન નહીં.
કમ્પેનિયન એક ને બનાવો તો માયા નાં સંબંધો થી ડાયવોર્સ થઈ જશે. માયાજીત, મોહજીત,
વિજયી રહેશો. જો જરા પણ કોઈમાં મોહ હશે તો તીવ્ર પુરુષાર્થ ને બદલે પુરુષાર્થી બની
જશો એટલે કાંઈ પણ થાય, કાંઈ પણ થાય ખુશી માં નાચતા રહો, મિરુઆ મોત મલૂકા શિકાર-આને
કહેવાય છે નષ્ટો મોહા. એવાં નષ્ટો મોહા રહેવા વાળા જ વિજય માળા નાં દાણા બને છે.
સ્લોગન :-
સત્યતા ની
વિશેષતા થી ડાયમંડ ની ચમક ને વધારો.
અવ્યક્ત ઈશારો :-
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
બાપદાદા ઈચ્છે છે કે
દરેક બાળક એકરસ શ્રેષ્ઠ સ્થિતિ નાં આસનધારી, એકાંતવાસી, અશરીરી, એકતા સ્થાપક, એકનામી,
ઇકોનોમી નાં અવતાર બને. એક-બીજા નાં વિચારો ને સમજી, સન્માન આપે, એક-બીજા ને ઈશારા
આપે, લેન-દેન કરી પરસ્પર સંગઠન ની શક્તિ નું સ્વરુપ પ્રત્યક્ષ કરે કારણકે તમારા
સંગઠન ની એકતા ની શક્તિ પૂરાં બ્રાહ્મણ પરિવાર ને સંગઠન માં લાવવા માટે નિમિત્ત બનશે.