15-02-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
તમને દૈવી ધર્મ અને શ્રેષ્ઠ કર્મ શીખવાડે છે એટલે તમારા થી કોઈ પણ આસુરી કર્મ ન થવા
જોઈએ , બુદ્ધિ બહુ જ શુદ્ધ જોઈએ”
પ્રશ્ન :-
દેહ-અભિમાન માં આવવાથી પહેલું પાપ કયું થાય છે?
ઉત્તર :-
જો દેહ-અભિમાન છે તો બાપ ની યાદ ની બદલે દેહધારી ની યાદ આવશે, કુદૃષ્ટિ જાતી રહેશે,
ખરાબ વિચાર આવશે. આ બહુ જ મોટું પાપ છે. સમજવું જોઈએ, માયા વાર કરી રહી છે. તરત
સાવધાન થઈ જવું જોઈએ.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને સમજાવી રહ્યા છે. રુહાની બાપ આવ્યા ક્યાંથી છે? રુહાની દુનિયા થી.
જેને નિર્વાણધામ અથવા શાંતિધામ પણ કહેવાય છે. આ તો છે ગીતા ની વાત. તમને પૂછે છે-આ
જ્ઞાન ક્યાંથી આવ્યું? બોલો, આ તો એ જ ગીતા નું જ્ઞાન છે. ગીતા નો પાર્ટ ચાલી રહ્યો
છે અને બાપ ભણાવે છે. ભગવાનુવાચ છે ને અને ભગવાન તો એક જ છે. એ છે શાંતિ નાં સાગર.
રહે પણ છે શાંતિધામ માં, જ્યાં આપણે પણ રહીએ છીએ. બાપ સમજાવે છે કે આ છે પતિત દુનિયા,
પાપ આત્માઓ ની તમોપ્રધાન દુનિયા. તમે પણ જાણો છો બરોબર આપણે આત્માઓ આ સમયે
તમોપ્રધાન છીએ. ૮૪ નું ચક્ર લગાવીને સતોપ્રધાન થી હવે તમોપ્રધાન માં આવ્યા છીએ. આ
જૂની અથવા કળિયુગી દુનિયા છે ને? આ નામ બધા આ સમય નાં છે. જૂની દુનિયા પછી ફરી નવી
દુનિયા આવે છે. ભારતવાસી આ પણ જાણે છે કે મહાભારત લડાઈ પણ ત્યારે થઈ હતી જ્યારે
દુનિયા બદલાવાની હતી, ત્યારે જ બાપે આવીને રાજયોગ શીખવાડયો હતો. ફક્ત ભૂલ શું થઈ
છે? એક તો કલ્પ ની આયુ ભૂલી ગયા છે અને ગીતા નાં ભગવાન ને પણ ભૂલી ગયા છે.
શ્રીકૃષ્ણ ને તો ગોડફાધર કહી ન શકાય. આત્મા કહે છે ગોડફાધર, તો એ નિરાકાર થઈ ગયાં.
નિરાકાર બાપ આત્માઓ ને કહે છે કે મને યાદ કરો. હું જ પતિત-પાવન છું, મને બોલાવે પણ
છે-હે પતિત-પાવન. શ્રીકૃષ્ણ તો દેહધારી છે ને? મને તો કોઈ શરીર નથી. હું નિરાકાર
છું, મનુષ્યો નો બાપ નથી, આત્માઓ નો બાપ છું. આ તો પાક્કું કરી લેવું જોઈએ. ઘડી-ઘડી
આપણે આત્માઓ આ બાપ પાસે થી વારસો લઈએ છીએ. હવે ૮૪ જન્મ પૂરાં થયા છે, બાપ આવ્યા છે.
બાબા-બાબા જ કરતા રહેવાનું છે. બાબા ને ખૂબ યાદ કરવાના છે. આખો કલ્પ શરીરધારી બાપ
ને યાદ કર્યા. હવે બાપ આવ્યા છે અને મનુષ્ય સૃષ્ટિ થી બધા આત્માઓ ને પાછા લઈ જાય છે
કારણકે રાવણ રાજ્ય માં મનુષ્યો ની દુર્ગતિ થઈ ગઈ છે એટલે હવે બાપ ને યાદ કરવાના છે.
આ પણ મનુષ્ય કોઈ સમજતા નથી કે હમણાં રાવણ રાજ્ય છે. રાવણ નો અર્થ જ નથી સમજતાં. બસ,
એક રિવાજ થઈ ગયો છે દશેરા મનાવવાનો. તમે કોઈ અર્થ થોડી સમજતા હતાં? હમણાં સમજ મળી
છે બીજાઓ ને સમજ આપવા માટે. જો બીજાઓ ને નથી સમજાવી શકતાં એટલે પોતે નથી સમજ્યાં.
બાપ માં સુષ્ટિ ચક્ર નું જ્ઞાન છે. આપણે એમનાં બાળકો છીએ તો બાળકો માં પણ આ નોલેજ
રહેવું જોઈએ.
તમારી આ છે ગીતા
પાઠશાળા. ઉદ્દેશ શું છે? લક્ષ્મી-નારાયણ બનવું. આ રાજયોગ છે ને? નર થી નારાયણ, નારી
થી લક્ષ્મી બનવાનું આ નોલેજ છે. તે લોકો કથાઓ સંભળાવે છે. અહીં તો આપણે ભણીએ છીએ,
આપણને બાપ રાજયોગ શીખવાડે છે. એ શીખવાડે જ છે કલ્પ નાં સંગમયુગ પર. બાપ કહે છે હું
જૂની દુનિયા ને બદલી નવી દુનિયા બનાવવા આવ્યો છું. નવી દુનિયામાં આમનું રાજ્ય હતું,
જૂની માં નથી, ફરી જરુર હોવું જોઈએ. ચક્ર તો જાણી લીધું છે. મુખ્ય ધર્મ છે ચાર. હમણાં
ડીટીઝ્મ (દૈવીરાજ્ય) નથી. દૈવી ધર્મ ભ્રષ્ટ અને દૈવી કર્મ ભ્રષ્ટ બની ગયા છે. હવે
ફરી તમને દૈવી ધર્મ શ્રેષ્ઠ અને કર્મ શ્રેષ્ઠ શીખવાડી રહ્યા છે. તો સ્વયં પર ધ્યાન
રાખવાનું છે, અમારા થી કોઈ આસુરી કર્મ તો નથી થતાં? માયા નાં કારણે કોઈ ખરાબ વિચાર
તો બુદ્ધિ માં નથી આવતાં? કુદૃષ્ટિ તો નથી રહેતી? જુઓ, આમની કુદૃષ્ટિ જાય છે અથવા
ખરાબ વિચાર આવે છે તો તેમને ઝટ સાવધાન કરવા જોઈએ. તેમની સાથે મળી ન જવું જોઈએ. તેમને
સાવધાન કરવા જોઈએ-તમારામાં માયા ની પ્રવેશતા નાં કારણે આ ખરાબ વિચાર આવે છે. યોગ
માં બેસી બાપ ની યાદ ની બદલે કોઈનાં દેહ તરફ વિચાર જાય છે તો સમજવું જોઈએ આ માયા નો
વાર થઈ રહ્યો છે, હું પાપ કરી રહ્યો છું. આમાં તો બુદ્ધિ બહુ જ શુદ્ધ હોવી જોઈએ.
હસી-મજાક થી પણ ખૂબ નુકસાન થાય છે એટલે તમારા મુખ માંથી સદૈવ શુદ્ધ વચન નીકળવા જોઈએ,
કુવચન નહીં. હસી-મજાક વગેરે પણ નહીં. એવું નહીં કે અમે તો હસી કરી (મજાક કરી)… તે
પણ નુકસાનકારક થઈ જાય છે. મજાક પણ એવી ન કરવી જોઈએ જેમાં વિકારો ની હવા હોય. બહુ જ
ખબરદાર રહેવાનું છે. તમને ખબર છે નાગા લોકો છે તેમનાં વિચાર વિકારો ની તરફ નહીં જશે.
રહે પણ અલગ છે. પરંતુ કર્મેન્દ્રિયો ની ચંચળતા, યોગ સિવાય ક્યારેય નીકળતી નથી. કામ
શત્રુ એવો છે જે કોઈને પણ જોશે, યોગ માં પૂરાં નહીં હશે તો ચંચળતા જરુર થશે. પોતાની
પરીક્ષા લેવાની હોય છે. બાપ ની યાદ માં જ રહો તો આ કોઈ પણ પ્રકાર ની બીમારી ન રહે.
યોગ માં રહેવાથી આ નથી થતું. સતયુગ માં તો કોઈ પણ પ્રકાર ની ગંદકી નથી હોતી. ત્યાં
રાવણ ની ચંચળતા જ નથી જે ચલાયમાની થાય. ત્યાં તો યોગી જીવન રહે છે. અહીં પણ અવસ્થા
બહુ જ પાક્કી જોઈએ. યોગબળ થી આ બધી બીમારીઓ બંધ થઈ જાય છે. આમાં બહુ જ મહેનત છે.
રાજ્ય લેવું કોઈ માસી નું ઘર નથી. પુરુષાર્થ તો કરવાનો છે ને? એવું નથી કે બસ જે હશે
ભાગ્ય માં તે મળશે. ધારણા જ નથી કરતા તો પાઈ-પૈસા નું પદ મેળવવા ને લાયક છે. વિષય
તો ઘણાં હોય છે ને? કોઈ ડ્રોઈંગ (ચિત્રકળા) માં, કોઈ રમત માં માર્ક્સ લઈ લે છે. તે
છે સામાન્ય વિષય. એમ જ અહીં પણ વિષયો છે. કાંઈ ને કાંઈ મળશે. બાકી બાદશાહી નહીં મળી
શકે. તે તો સર્વિસ કરશે ત્યારે બાદશાહી મળશે. તેનાં માટે ખૂબ મહેનત જોઈએ. ઘણાં ની
બુદ્ધિ માં બેસતું જ નથી. જાણે કે ખાવાનું પચતું જ નથી. ઊંચ પદ મેળવવાની હિંમત નથી,
આને પણ બીમારી કહેવાશે ને? તમે કોઈ પણ વાત જોતા ન જુઓ. રુહાની બાપ ની યાદ માં રહી
બીજાઓને રસ્તો બતાવવાનો છે, આંધળાઓ ની લાઠી બનવાનું છે. તમે તો રસ્તો જાણો છો.
રચયિતા અને રચના નું જ્ઞાન મુક્તિ અને જીવનમુક્તિ તમારી બુદ્ધિ માં ફરતું રહે છે,
જે-જે મહારથી છે. બાળકો ની અવસ્થા માં પણ રાત-દિવસ નો ફરક રહે છે. ક્યાંક ખૂબ ધનવાન
બની જાય છે, ક્યાંક બિલકુલ ગરીબ. રાજાઈ પદ માં તો ફરક છે ને? બાકી હા, ત્યાં રાવણ ન
હોવાને કારણે દુઃખ નથી હોતું. બાકી સંપત્તિ માં તો ફરક છે. સંપત્તિ માં સુખ હોય છે.
જેટલાં યોગ માં રહેશો
એટલું સ્વાસ્થ્ય બહુ જ સારું થશે. મહેનત કરવાની છે. અનેક ની તો ચલન એવી રહે છે જાણે
અજ્ઞાની મનુષ્યો ની હોય છે. તે કોઈનું કલ્યાણ કરી નહીં શકે. જ્યારે પરીક્ષા હોય છે
તો ખબર પડી જાય છે કે કોણ કેટલાં માર્ક્સ થી પાસ થશે, પછી તે સમયે હાય-હાય કરવી પડશે.
બાપદાદા બંને કેટલું સમજાવતા રહે છે. બાપ આવ્યા જ છે કલ્યાણ કરવાં. સ્વયં નું પણ
કલ્યાણ કરવાનું છે તો બીજાઓ નું પણ કરવાનું છે. બાપ ને બોલાવ્યા પણ છે કે આવીને અમને
પતિતો ને પાવન બનવાનો રસ્તો બતાવો. તો બાપ શ્રીમત આપે છે-તમે સ્વયં ને આત્મા સમજી
દેહ-અભિમાન છોડી મને યાદ કરો. કેટલી સહજ દવા છે. બોલો, અમે ફક્ત એક ભગવાન બાપ ને
માનીએ છીએ. એ કહે છે મને બોલાવો છો કે આવીને પતિતો ને પાવન બનાવો તો મારે આવવું પડે
છે. બ્રહ્મા પાસે થી તમને કાંઈ પણ મળવાનું નથી. એ તો દાદા છે, બાબા પણ નથી. બાબા
પાસે થી તો વારસો મળે છે. બ્રહ્મા પાસે થી થોડી વારસો મળે છે? નિરાકાર બાપ આમનાં
દ્વારા એડોપ્ટ કરી આપણને આત્માઓ ને ભણાવે છે. આમને પણ ભણાવે છે. બ્રહ્મા પાસે થી તો
કાંઈ પણ મળવાનું નથી. વારસો બાપ પાસે થી જ મળે છે આમનાં દ્વારા. આપવા વાળા એક છે.
એમની જ મહિમા છે. એ જ સર્વ નાં સદ્દગતિ દાતા છે. આ તો પૂજ્ય થી પછી પુજારી બને છે.
સતયુગ માં હતાં, પછી ૮૪ જન્મ ભોગવી હવે પતિત બન્યા છે ફરી પૂજ્ય પાવન બની રહ્યા છે.
આપણે બાપ દ્વારા સાંભળીએ છીએ. કોઈ મનુષ્ય થી નથી સાંભળતાં. મનુષ્યો નો છે જ
ભક્તિમાર્ગ. આ છે રુહાની જ્ઞાનમાર્ગ. જ્ઞાન ફક્ત એક જ્ઞાન સાગર ની પાસે જ છે. બાકી
આ શાસ્ત્ર વગેરે બધા ભક્તિ નાં છે. શાસ્ત્ર વગેરે વાંચવા-આ બધો છે ભક્તિમાર્ગ.
જ્ઞાન સાગર તો એક જ બાપ છે, આપણે જ્ઞાન-નદીઓ જ્ઞાનસાગર થી નીકળી છીએ. બાકી તે છે
પાણીનો સાગર અને નદીઓ. બાળકોને આ બધી વાતો ધ્યાન માં રહેવી જોઈએ. અંતર્મુખ થઈ બુદ્ધિ
ચલાવવી જોઈએ. સ્વયં સ્વયં ને સુધારવા માટે અંતર્મુખ બની પોતાની તપાસ કરો. જો મુખ
માંથી કોઈ કુવચન નીકળે અથવા કુદૃષ્ટિ જાય તો સ્વયં ને ફટકારવું જોઈએ-મારા મુખ માંથી
કુવચન કેમ નીકળ્યા, મારી કુદૃષ્ટિ કેમ ગઈ? સ્વયં ને ચમાટ પણ મારવી જોઈએ, ઘડી-ઘડી
સાવધાન કરવા જોઈએ ત્યારે જ ઊંચ પદ મેળવી શકશો. મુખ માંથી કટુવચન ન નીકળે. બાપે તો
બધા પ્રકારની શિક્ષાઓ આપવાની હોય છે. કોઈ ને પાગલ કહેવું આ પણ કુવચન છે.
મનુષ્ય તો જેનાં માટે
પણ જેમ ફાવે તેમ કહેતા રહે છે. જાણતા કાંઈ પણ નથી કે અમે કોની મહિમા ગાઈએ છીએ. મહિમા
તો કરવી જોઈએ એક જ પતિત-પાવન બાપ ની. બીજું તો કોઈ નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને
પણ પતિત-પાવન નથી કહેવાતાં. એ તો કોઈને પાવન નથી બનાવતાં. પતિત થી પાવન બનાવવાવાળા
એક જ બાપ છે. પાવન સૃષ્ટિ છે જ નવી દુનિયા. તે તો હમણાં નથી. પ્યોરીટી (પવિત્રતા)
છે જ સ્વર્ગ માં. પવિત્રતા નાં સાગર પણ છે. આ તો છે જ રાવણ રાજ્ય. બાળકોએ હવે
આત્મ-અભિમાની બનવાની ખૂબ મહેનત કરવી જોઈએ. મુખ થી કોઈ પણ પથ્થર અથવા કુવચન ન નીકળવા
જોઈએ. બહુ જ પ્રેમ થી ચાલવાનું છે. કુદૃષ્ટિ પણ ખૂબ નુકસાન કરી દે છે. ખૂબ મહેનત
જોઈએ. આત્મ-અભિમાન છે અવિનાશી અભિમાન. દેહ તો વિનાશી છે. આત્મા ને કોઈ પણ નથી જાણતું.
આત્મા નાં બાપ પણ તો જરુર કોઈ હશે ને? કહે પણ છે બધા ભાઈ-ભાઈ છીએ. પછી બધા માં
પરમાત્મા બાપ વિરાજમાન કેવી રીતે હોઈ શકે છે? બધા બાપ કેવી રીતે હોઈ શકે છે? આટલી
પણ અક્કલ નથી! બધા નાં બાપ તો એક જ છે, એમની પાસે થી જ વારસો મળે છે. એમનું નામ છે
શિવ. શિવરાત્રી પણ મનાવે છે. રુદ્ર રાત્રી અથવા કૃષ્ણ રાત્રી નથી કહેતાં. મનુષ્ય તો
કાંઈ પણ નથી સમજતા, કહેશે આ બધા એમનાં રુપ છે, એમની જ લીલા છે.
તમે હમણાં સમજો છો
બેહદ નાં બાપ પાસે થી તો બેહદ નો વારસો મળે છે તો એ બાપ ની શ્રીમત પર ચાલવાનું છે.
બાપ કહે છે મને યાદ કરો. લેબર્સ (મજુરો) ને પણ શિક્ષા આપવી જોઈએ તો તેમનું પણ કાંઈક
કલ્યાણ થઈ જાય. પરંતુ પોતે જ યાદ નથી કરી શકતાં તો બીજાઓ ને શું યાદ અપાવશે? રાવણ
એકદમ પતિત બનાવી દે છે પછી બાપ આવીને પરિસ્તાની બનાવે છે. વન્ડર છે ને? કોઈની પણ
બુદ્ધિ માં આ વાતો નથી. આ લક્ષ્મી-નારાયણ કેટલાં ઊંચા પરિસ્તાની થી ફરી કેટલાં પતિત
બની જાય છે એટલે બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત ગવાયેલી છે. શિવ નાં મંદિર માં તમે
ખૂબ સર્વિસ (સેવા) કરી શકો છો. બાપ કહે છે તમે મને યાદ કરો. દર-દર ભટકવાનું છોડી
દો. આ જ્ઞાન છે જ શાંતિ નું. બાપ ને યાદ કરવાથી તમે સતોપ્રધાન બની જશો. બસ, આ જ
મંત્ર આપતા રહો. કોઈ પાસે થી પણ પૈસા ન લેવા જોઈએ, જ્યાં સુધી પાક્કા ન થઈ જાય. બોલો,
પ્રતિજ્ઞા કરો કે અમે પવિત્ર રહીશું, ત્યારે અમે તમારા હાથ નું ખાઈ શકીએ છીએ, કાંઈ
પણ લઈ શકીએ. ભારત માં મંદિર તો ઘણાં બધા છે. ફોરેનર્સ (વિદેશી) વગેરે જે પણ આવે
તેમને આ સંદેશ તમે આપી શકો છો કે બાપ ને યાદ કરો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ક્યારેય પણ
એવી હસી-મજાક નથી કરવાની જેમાં વિકારો ની હવા હોય. સ્વયં ને ખૂબ સાવધાન રાખવાના છે,
મુખ માંથી કટુવચન નથી કાઢવાનાં.
2. આત્મ-અભિમાની
બનવાની ખૂબ-ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. બધાની પ્રેમ થી ચાલવાનું છે. કુદૃષ્ટિ નથી
રાખવાની. કુદૃષ્ટિ જાય તો સ્વયં સ્વયં ને જ સજા આપવાની છે.
વરદાન :-
નિરંતર યાદ અને
સેવા નાં બેલેન્સ થી બાળપણ નાં નાઝ - નખરા સમાપ્ત કરવા વાળા વાનપ્રસ્થી ભવ
નાની-નાની વાતો માં
સંગમ નાં અમૂલ્ય સમય ને ગુમાવવો બાળપણ નાં નાઝ-નખરા છે. હવે આ નાઝ-નખરા શોભતા નથી,
વાનપ્રસ્થ માં ફક્ત એક જ કાર્ય રહી જાય છે - બાપ ની યાદ અને સેવા. એનાં સિવાય બીજું
કોઈ પણ યાદ ન આવે, ઉઠો તો પણ યાદ અને સેવા, સૂવો તો પણ યાદ અને સેવા - નિરંતર આ
બેલેન્સ બનેલું રહે. ત્રિકાળદર્શી બનીને બાળપણ ની વાતો અથવા બાળપણ નાં સંસ્કારો નો
સમાપ્તિ સમારોહ મનાવો, ત્યારે કહેવાશો વાનપ્રસ્થી.
સ્લોગન :-
સર્વ
પ્રાપ્તિઓ થી સંપન્ન આત્મા ની નિશાની છે સંતુષ્ટતા, સંતુષ્ટ રહો અને સંતુષ્ટ કરો.
અવ્યક્ત ઇશારા -
એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો
એકાંત એક તો સ્થૂળ
હોય છે, બીજું સૂક્ષ્મ પણ હોય છે. એકાંત નાં આનંદ નાં અનુભવી બની જાઓ તો બાહ્યમુખતા
નહીં ગમશે. અવ્યક્ત સ્થિતિ વધારવા માટે એકાંત માં રુચિ રાખવાની છે. એકતા ની સાથે
એકાંતપ્રિય બનવાનું છે.