15-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
આત્મારુપી બેટરી ૮૪ મોટરો માં જવાનાં કારણે કમજોર થઈ ગઈ છે , હવે તેને યાદ ની યાત્રા
થી ભરપૂર કરો”
પ્રશ્ન :-
બાબા કયા બાળકો ને ખૂબ-ખૂબ ભાગ્યશાળી સમજે છે?
ઉત્તર :-
જેમની પાસે કોઈ ઝંઝટ નથી, જે નિર્બંધન છે, એવાં બાળકો ને બાબા કહે તમે ખૂબ-ખૂબ
ભાગ્યશાળી છો, તમે યાદ માં રહીને પોતાની બેટરી ફુલ ચાર્જ કરી શકો છો. જો યોગ નથી
ફક્ત જ્ઞાન સંભળાવો તો તીર લાગી ન શકે. ભલે કોઈ કેટલાં પણ ભપકા થી પોતાનો અનુભવ
સંભળાવે પરંતુ સ્વયં માં ધારણા નથી તો દિલ ખાતું રહેશે.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ સમજાવે છે. રુહાની બાપ નું નામ શું છે? શિવબાબા. એ
છે જ ભગવાન, બેહદ નાં બાપ. મનુષ્ય ને ક્યારેય બેહદ નાં બાપ અથવા ઈશ્વર કે ભગવાન નથી
કહેવાતાં. નામ ભલે અનેક નાં શિવ છે પરંતુ તે બધા દેહધારી છે એટલે તેમને ભગવાન નથી
કહી શકાતાં. આ બાપ બાળકો ને સમજાવે છે. મેં જેમનાં માં પ્રવેશ કર્યો છે, તેમનો આ
અનેક જન્મો નાં અંત નો જન્મ છે. આપ બાળકો ને ઘણાં પૂછે છે - તમે આમને ભગવાન કેમ કહો
છો? બાપ પહેલાં થી જ સમજાવે છે - કોઈપણ સ્થૂળ કે સૂક્ષ્મ દેહધારી ને ભગવાન ન કહી
શકાય. સૂક્ષ્મ દેહધારી સૂક્ષ્મવતનવાસી જ થયાં. તેમને દેવતા કહેવાય છે. ઊંચા માં ઊંચા
છે જ ભગવાન, પરમપિતા. ઊંચે થી ઊંચું એમનું નામ છે, એમનું રહેવાનું સ્થાન પર, ઊંચા
માં ઊંચું પરમધામ છે, બાપ સર્વ આત્માઓ સહિત ત્યાં નિવાસ કરે છે. બેઠક પણ ઊંચી છે.
હકીકત માં કોઈ બેસવાની જગ્યા નથી. જેમ તારાઓ ક્યાંય બેઠાં છે શું? ઉભા છે ને? તમે
આત્માઓ પણ પોતાની તાકાત થી ત્યાં ઉભા છો. તાકાત એવી મળે છે જે ત્યાં જઈને ઉભા રહે
છે. બાપ નું નામ જ છે સર્વશક્તિમાન્, એમની પાસે થી શક્તિ મળે છે. આત્મા એમને યાદ કરે
છે, બેટરી ચાર્જ થઈ જાય છે. જેમ મોટર માં બેટરી હોય છે, તેનાં જોર થી જ મોટર ચાલે
છે. બેટરી માં કરંટ ભરેલો હોય છે પછી ચાલતાં-ચાલતાં તે ખાલી થઈ જાય છે પછી બેટરીમેન
પાવર થી ચાર્જ કરી મોટર માં નાખે છે. તે હોય છે હદ ની વાતો. આ છે બેહદ ની વાત. તમારી
બેટરી તો ૫ હજાર વર્ષ ચાલે છે. ચાલતાં-ચાલતાં પછી ઢીલી થઈ જાય છે. ખબર પડે છે -
એકદમ ખતમ નથી થતી, થોડી-થોડી રહે છે. જેમ ટોર્ચ ડીમ થઈ જાય છે ને? આત્મા તો છે જ આ
શરીર ની બેટરી. આ પણ ડલ થઈ જાય છે. બેટરી આ શરીર માંથી નીકળે પણ છે પછી બીજી, ત્રીજી
મોટર માં જઈને પડે છે. ૮૪ મોટરો માં તેને નખાય છે તો હવે બાપ કહે છે તમે કેટલાં
ડલહેડ પથ્થરબુદ્ધિ બની ગયા છો. હવે ફરી પોતાની બેટરી ને ભરો. બાપ ની યાદ સિવાય આત્મા
ક્યારેય પવિત્ર બની નથી શકતો. એક જ સર્વશક્તિમાન્ બાપ છે, જેમની સાથે યોગ લગાવવાનો
છે. બાપ સ્વયં પોતાનો પરિચય આપે છે કે હું શું છું, કેવો છું. કેવી રીતે તમારા આત્મા
ની બેટરી ડલ થઈ જાય છે. હવે તમને સલાહ આપું છું મને યાદ કરો તો બેટરી સતોપ્રધાન
ફર્સ્ટક્લાસ થઈ જશે. પવિત્ર બનવાથી આત્મા ૨૪ કેરેટ બની જાય છે. હમણાં તમે મુલમ્મા
નાં બની ગયા છો. તાકાત બિલકુલ ખતમ થઈ ગઈ છે. તે શોભા નથી રહી. હવે બાપ આપ બાળકો ને
સમજાવે છે બાળકો મુખ્ય વાત છે યોગ માં રહેવું, પવિત્ર બનવું. નહીં તો બેટરી ભરાશે
નહીં. યોગ લાગશે નહીં. ભલે કુક્કડ જ્ઞાની તો ઘણાં છે. જ્ઞાન ભલે આપે છે પરંતુ તે
અવસ્થા નથી. અહીં ખૂબ ભપકા થી અનુભવ સંભળાવે છે. અંદર ખાતું રહે છે. હું જે વર્ણન
કરું છું એવી અવસ્થા તો નથી. ઘણાં પછી યોગી તૂ આત્મા બાળકો પણ છે. બાપ તો બાળકો ની
ખૂબ મહિમા કરે છે. બાપ કહે છે - બાળકો, તમે ખૂબ-ખૂબ ભાગ્યશાળી છો. તમારે તો એટલી
ઝંઝટ નથી. જેમને બાળકો વધારે હોય છે તેમને બંધન પણ હોય છે. બાબા ને કેટલાં અસંખ્ય
બાળકો છે. બધાની સંભાળ, દેખ-રેખ કરવી પડે છે. બાબા ને પણ યાદ કરવાના છે. માશૂક ની
યાદ તો બિલકુલ પાક્કી હોવી જોઈએ. ભક્તિમાર્ગ માં તો તમે બાપ ને કેટલાં યાદ કરતા
આવ્યાં છો - હે ભગવાન, પૂજા પણ પહેલાં-પહેલાં એમની કરો છો. પહેલાં નિરાકાર ભગવાન ની
જ કરે છે. એવું નથી કે તે સમયે તમે આત્મ-અભિમાની બનો છો. આત્મ-અભિમાની પછી પૂજા થોડી
કરશે?
બાપ સમજાવે છે
પહેલાં-પહેલાં ભક્તિ શરુ થાય છે તો પહેલાં એક બાપ ની પૂજા કરે છે. એક જ શિવ ની પૂજા
કરે છે. યથા રાજા-રાણી તથા પ્રજા. ઊંચા માં ઊંચા છે જ ભગવાન, એમને જ યાદ કરવાના છે.
બીજા જે પણ બધા નીચે છે - બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ યાદ કરવાની જરુર નથી. ઊંચા માં
ઊંચા બાપ ને જ યાદ કરવાના છે. પરંતુ ડ્રામા નો પાર્ટ એવો છે જે તમે નીચે ઉતરવા માટે
બંધાયેલા છો. બાપ સમજાવે છે તમે કેવી રીતે નીચે ઉતરો છો. દરેક વાત આદિ થી અંત સુધી,
ઉપર થી નીચે સુધી બાપ સમજાવે છે. ભક્તિ પણ પહેલાં સતોપ્રધાન પછી સતો-રજો-તમો થાય
છે. હવે તમે ફરી સતોપ્રધાન બની રહ્યાં છો, આમાં જ મહેનત છે. પવિત્ર બનવાનું છે.
પોતાને જોવાના છે, માયા ક્યાંય દગો તો નથી દેતી? મારી ક્રિમિનલ (અપવિત્ર) આંખ તો નથી
બનતી? કોઈ પાપ નો વિચાર તો નથી આવતો? ગાયન છે પ્રજાપિતા બ્રહ્મા તો એમની સંતાન
બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ બહેન-ભાઈ થયા ને? અહીં નાં બ્રાહ્મણ લોકો પણ પોતાને બ્રહ્મા ની
સંતાન કહે છે. તમે પણ બ્રાહ્મણ ભાઈ-બહેન થયા ને? પછી વિકારી દૃષ્ટિ કેમ રાખો છો?
બ્રાહ્મણો ને તમે સારી રીતે દૃષ્ટિ આપી શકો છો. હમણાં આપ બાળકો જ જાણો છો બ્રહ્મા
ની સંતાન બ્રાહ્મણ-બ્રાહ્મણી બનીને પછી દેવતા બનો છો. કહે પણ છે બાપ આવીને બ્રાહ્મણ
દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરે છે. આ સમજ ની વાત છે ને? આપણે બ્રહ્મા ની સંતાન
ભાઈ-બહેન થઈ ગયા તો કુદૃષ્ટિ ક્યારેય ન જવી જોઈએ. તેને રોકવાની છે. આ પણ આપણી મીઠી
બહેન છે. તે પ્રેમ રહેવો જોઈએ. જેવો લોહી નાં સંબંધ માં પ્રેમ હોય છે, તે બદલાઈ ને
રુહાની બની જાય. આમાં ખૂબ-ખૂબ મહેનત છે. છે પણ સહજ યાદ. સ્વયં ને આત્મા સમજી બાપ ને
યાદ કરવાના છે. વિકાર ની દૃષ્ટિ ન રાખી શકાય. બાબાએ સમજાવ્યું છે - આ આંખો ખૂબ દગો
આપવાવાળી છે, તેને બદલવાની છે. આપણે આત્મા છીએ. હમણાં તો આપણે શિવબાબા નાં બાળકો
છીએ. દત્તક થયેલા ભાઈ-બહેન છીએ. આપણે પોતાને બી.કે. કહીએ છીએ. ચલન માં ફરક તો રહે
છે ને? ટીચર્સ નું કામ છે ક્લાસ માં સૌને પૂછવાનું - તમે સમજો છો અમારી ભાઈ-બહેન ની
દૃષ્ટિ રહે છે કે થોડી ચંચળતા ચાલે છે? સાચાં બાપ ની સામે સાચ્ચું ન બતાવ્યું,
જુઠ્ઠું બોલ્યાં તો ખૂબ દંડ પડી જશે. કોર્ટ માં કસમ ઉઠાવે છે ને? સાચાં ઈશ્વર બાપ
ની આગળ સાચ્ચું કહેવાશે. સાચાં બાપ નાં બાળકો પણ સાચાં હશે. બાપ સત્ય છે ને? એ સત્ય
જ બતાવે છે. બાકી બધા છે ગપ્પા. શ્રી-શ્રી ૧૦૮ પોતાને કહે છે, હકીકત માં આ તો માળા
છે ને, જે સિમરે છે. આ પણ જાણતા નથી કે અમે કેમ સિમરણ કરીએ છીએ. બૌદ્ધિયો ની પણ માળા,
ક્રિશ્ચિન ની પણ માળા હોય છે. દરેક પોતાનાં ઢંગ થી માળા ફેરવે છે. આપ બાળકો ને હવે
જ્ઞાન મળેલું છે. બોલો, ૧૦૮ ની જે માળા છે તેમાં ઉપર ફૂલ તો છે નિરાકાર. એમને જ બધા
યાદ કરે છે. એમની યાદ થી જ આપણે સ્વર્ગ ની પટરાણી અર્થાત્ મહારાણી બનીએ છીએ. નર થી
નારાયણ, નારી થી લક્ષ્મી બનવાનું છે - આ છે સૂર્યવંશી મખમલ ની પટરાણી બનવું પછી ખાદી
ની થઈ જાય છે. તો આવાં-આવાં પોઈન્ટ (વાતો) બુદ્ધિ માં રાખી પછી સમજાવવું જોઈએ. પછી
તમારું નામ ખૂબ પ્રખ્યાત થઈ જશે. વાત કરવા માં સિંહણ બનો. તમે શિવ શક્તિ સેના છો
ને? અનેક પ્રકાર ની સેનાઓ છે ને? ત્યાં પણ તમે જઈને જુઓ, શું શીખવાડે છે. લાખો
મનુષ્ય જાય છે. બાબાએ સમજાવ્યું છે - ક્રિમિનલ આંખો ખૂબ દગો દેવા વાળી છે. પોતાની
અવસ્થા નું વર્ણન કરવું જોઈએ. અનુભવ સંભળાવવો જોઈએ - અમે ઘર માં કેવી રીતે રહીએ છીએ?
અવસ્થા પર શું અસર પડે છે? ડાયરી રાખો-કેટલો સમય આ અવસ્થા માં રહું છું? બાપ સમજાવે
છે રુસ્તમ સાથે માયા પણ રુસ્તમ થઈને લડે છે. યુદ્ધ નું મેદાન છે ને? માયા ખૂબ બળવાન
છે. માયા અર્થાત્ ૫ વિકાર. ધન ને સંપત્તિ કહેવાય છે, જેમની પાસે વધારે સંપત્તિ હોય
છે, અજામિલ પણ વધારે તે બને છે.
બાપ કહે છે -
પહેલાં-પહેલાં તમે વૈશ્યાઓ ને તો બચાવો. તો તે પછી પોતાનું એસોસિએશન (સંગઠન) બનાવશે.
અમારે તો બાપ પાસે થી વારસો લેવો છે. બાપ કહે છે હું તમને શિવાલય નાં માલિક બનાવવા
આવ્યો છું. આ અંતિમ જન્મ છે. વૈશ્યાઓ ને સમજાવવું જોઈએ - તમારા નામ નાં કારણે ભારત
ની આટલી આબરુ (ઈજ્જત) ગઈ છે. હવે બાપ આવ્યાં છે શિવાલય માં લઈ જવાં. અમે શ્રીમત પર
આવ્યાં છીએ તમારી પાસે. હવે તમે વિશ્વ નાં માલિક બની જાઓ. ભારત નું નામ પ્રસિદ્ધ કરો,
અમારી જેમ. અમે પણ બાપ ને યાદ કરવા થી પવિત્ર બની રહ્યાં છીએ. તમે પણ આ એક જન્મ
છી-છી કામ છોડી દો. રહેમ તો કરવાનો છે ને? પછી તમારું નામ ખૂબ પ્રખ્યાત થઈ જશે.
કહેશે આમનાં માં તો એવી તાકાત છે જે આવો ખરાબ ધંધો, આમનાં થી છોડાવી દીધો. બધાનું
એસોસિએશન છે. તમે તમારું એસોસિએશન બનાવી સરકાર પાસે થી જે મદદ ઈચ્છો, લઈ શકો છો. તો
હવે આવાં છી-છી જેમણે ભારત નું નામ બદનામ કર્યુ છે, તેમની સેવા કરો. તમારું પણ
યુનિયન ખૂબ પાક્કું જોઈએ. જે ૧૦-૧૨ પરસ્પર મળીને જઈ સમજાવે. માતાઓ પણ સારી હોય. કોઈ
નવા યુગલ હોય, બોલે અમે પવિત્ર રહીએ છીએ. પવિત્ર રહેવાથી જ વિશ્વ નાં માલિક બનીએ
છીએ. તો કેમ નહીં પવિત્ર બનીશુ? આખું ઝુંડ નું ઝુંડ જાય. ખૂબ નમ્રતા થી જઈને કહેવાનું
છે, અમે તમને પરમપિતા પરમાત્મા નો સંદેશ આપવા આવ્યાં છીએ. હવે વિનાશ સામે છે. બાપ
કહે છે હું બધાનો ઉદ્ધાર કરવા આવ્યો છું. તમે પણ આ એક જન્મ વિકાર માં ન જાઓ. તમે
સમજાવી શકો છો અમે બ્રહ્માકુમાર-કુમારીઓ પોતાનાં જ તન-મન-ધન થી સર્વિસ (સેવા) કરીએ
છીએ. અમે ભીખ તો માંગતા નથી. ઈશ્વર નાં બાળકો છીએ. એવાં-એવાં પ્લાન (યોજના) બનાવો.
એવું નથી કે તમે મદદ નથી કરી શકતાં. એવું કામ કરો જેનાથી વાહ-વાહ થાય. હજારો મદદ
આપવા વાળા નીકળી આવશે. આ પોતાનું સંગઠન બનાવો. મુખ્ય-મુખ્ય ને શોધો, સેમિનાર (વિચાર-વિમર્શ)
કરો. બાળકો ને સંભાળવા વાળા તો ખૂબ નીકળી શકે છે. તમે ઈશ્વરીય સર્વિસ માં લાગી જાઓ.
એવું ફ્રાખદિલ હોવું જોઈએ જે ઝટ સર્વિસ પર નીકળી પડે. એક તરફ આ સર્વિસ અને બીજી વાત
ગીતા ની, આ વાતો ને મળીને ઉઠાવો. તમે ભણો છો જ આ લક્ષ્મી-નારાયણ બનવા માટે. તો અહીં
આપ બાળકો નો પરસ્પર મતભેદ ન રહેવો જોઈએ. જો કોઈ વાત બાપ થી છુપાવો છો, સાચ્ચું નથી
બતાવતા તો પણ પોતાનું જ નુકસાન કરો છો વધારે જ સો-ગુણા પાપ ચઢી જાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે મીઠાં
બાપ નાં બાળકો છીએ, પરસ્પર મીઠાં બહેન-ભાઈ બનીને રહેવાનું છે. ક્યારેય પણ વિકાર ની
દૃષ્ટિ નથી રાખવાની. દૃષ્ટિ માં કોઈ પણ ચંચળતા હોય તો રુહાની સર્જન ને સાચ્ચું
બતાવવાનું છે.
2. ક્યારેય પણ પરસ્પર
મતભેદ માં નથી આવવાનું. ફ્રાખદિલ બની સર્વિસ (સેવા) કરવાની છે. પોતાનાં તન-મન-ધન
થી, ખૂબ-ખૂબ નમ્રતા થી સેવા કરી બધાને બાપ નો પરિચય (સંદેશ) આપવાનો છે.
વરદાન :-
દરેક કર્મ
ચરિત્ર નાં રુપ માં ગાયન યોગ્ય બનાવવા વાળા મહાન આત્મા ભવ
મહાન આત્મા તે છે જેનાં
દરેક સંકલ્પ, દરેક કર્મ મહાન હોય. એક પણ સંકલ્પ સાધારણ કે વ્યર્થ ન હોય. કોઈપણ કર્મ
સાધારણ કે અર્થ વગર ન હોય. કર્મેન્દ્રિયો દ્વારા જે પણ કર્મ થાય તે અર્થ સહિત થાય,
સમય પણ મહાન કાર્ય માં સફળ થતો રહે, ત્યારે દરેક ચરિત્ર ગાયન યોગ્ય થશે. મહાન
આત્માઓ નું જ યાદગાર હર્ષિત મૂર્ત, આકર્ષણ મૂર્ત અને અવ્યક્ત મૂર્ત નાં રુપ માં છે.
સ્લોગન :-
માન ની ઈચ્છા
છોડી સ્વમાન માં ટકી જાઓ તો માન પડછાયા ની સમાન પાછળ આવશે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિ નો પ્રયોગ કરો
કોઈપણ સ્થૂળ કાર્ય
કરતા મન્સા દ્વારા વાયબ્રેશન ફેલાવવા ની સેવા કરો. જેવી રીતે કોઈ બિઝનેસમેન છે તો
સ્વપ્ન માં પણ પોતાનો બિઝનેસ જુએ છે, એવી રીતે તમારું કામ છે-વિશ્વ-કલ્યાણ કરવાનું.
આ જ તમારું ઓક્યુપેશન છે, આ ઓક્યુપેશન ને સ્મૃતિ માં રાખી સદા સેવા માં બીઝી રહો.
જો સેવા નું ફળ મળી જાય તો માયાજીત સહજ બની જશો એટલે જ્યારે પણ બુદ્ધિ ને ફુરસદ મળે
તો સેવા માં જોડાઈ જાઓ.