16-10-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - એકાંત માં બેસી હવે એવો અભ્યાસ કરો જે અનુભવ થાય હું શરીર થી ભિન્ન આત્મા છું , આને જ જીવતે જીવ મરવું કહેવાય છે”

પ્રશ્ન :-
એકાંત નો અર્થ શું છે? એકાંત માં બેસી તમારે કયો અનુભવ કરવાનો છે?

ઉત્તર :-
એકાંત નો અર્થ છે એક ની યાદ માં આ શરીર નો અંત થાય અર્થાત્ એકાંત માં બેસી એવો અનુભવ કરો કે હું આત્મા આ શરીર ને છોડી બાપ ની પાસે જાઉં છું. કોઈ પણ યાદ ન રહે. બેઠાં-બેઠાં અશરીરી થઈ જાઓ. જાણે કે આપણે આ શરીર થી મરી ગયાં. બસ, આપણે આત્મા છીએ, શિવ બાબા નાં બાળકો છીએ, આ પ્રેક્ટિસ (અભ્યાસ) થી દેહ-ભાન તૂટતું જશે.

ઓમ શાંતિ!
બાળકો ને બાપ પહેલાં-પહેલાં સમજાવે છે કે મીઠાં-મીઠાં બાળકો જ્યારે અહીં બેસો છો, તો સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરતા રહો બીજી કોઈ તરફ બુદ્ધિ ન જવી જોઈએ. આ આપ બાળકો જાણો છો આપણે આત્મા છીએ. પાર્ટ આપણે આત્માઓ ભજવીએ છીએ આ શરીર દ્વારા. આત્મા અવિનાશી, શરીર વિનાશી છે. તો આપ બાળકોએ દેહી-અભિમાની બની બાપ ની યાદ માં રહેવાનું છે. આપણે આત્મા છીએ તો ભલે આ ઓર્ગન્સ (અવયવો) થી કામ લઈએ કે ન લઈએ. પોતાને શરીર થી અલગ સમજવું જોઈએ. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો. દેહ ને ભૂલતા જાઓ. આપણે આત્મા ઈન્ડિપેન્ડેન્ટ (સ્વતંત્ર) છીએ. આપણે એક બાપ સિવાય બીજા કોઈ ને યાદ નથી કરવાનાં. જીવતે જીવ મૃત્યુ ની અવસ્થા માં રહેવાનું છે. આપણો આત્માઓ નો યોગ રહેવાનો છે હવે બાપ ની સાથે. બાકી તો દુનિયા થી, ઘર થી મરી ગયાં. કહે છે ને આપ મુયે મર ગઈ દુનિયા. હવે જીવતે જીવ તમારે મરવાનું છે. આપણે આત્મા શિવબાબા નાં બાળકો છીએ. શરીર નું ભાન ઉડાવતા રહેવું જોઈએ. બાપ કહે છે સ્વયં ને આત્મા સમજો અને મને યાદ કરો. શરીર નું ભાન છોડો. આ જૂનું શરીર છે ને? જૂની વસ્તુ ને છોડાય છે ને? પોતાને અશરીરી સમજો. હવે તમારે બાપ ને યાદ કરતાં-કરતાં બાપ ની પાસે જવાનું છે. આવું કરતાં-કરતાં પછી તમને આદત પડી જશે. હવે તો તમારે ઘરે જવાનું છે પછી આ જૂની દુનિયા ને યાદ કેમ કરો? એકાંત માં બેસીને આવી રીતે પોતાની સાથે મહેનત કરવાની છે. ભક્તિમાર્ગ માં પણ કોઠરી માં અંદર બેસી માળા ફેરવે છે, પૂજા કરે છે. તમે પણ એકાંત માં બેસી આ કોશિશ કરો તો આદત પડી જશે. તમારે મુખ થી તો કાંઈ બોલવાનું નથી. આમાં છે બુદ્ધિ ની વાત. શિવબાબા તો છે શીખવાડવા વાળા. એમણે તો પુરુષાર્થ નથી કરવાનો. આ બાબા પુરુષાર્થ કરે છે, તે પછી આપ બાળકો ને પણ સમજાવે છે. જેટલું થઈ શકે આવી રીતે બેસીને વિચાર કરો. હવે આપણે જવાનું છે પોતાનાં ઘરે. આ શરીર ને તો અહીંયા છોડવાનું છે. બાપ ને યાદ કરવાથી જ વિકર્મ વિનાશ થશે અને આયુષ્ય પણ વધશે. અંદર આ ચિંતન ચાલવું જોઈએ. બહાર કાંઈ બોલવાનું નથી. ભક્તિમાર્ગ માં પણ બ્રહ્મ તત્વ ને અથવા કોઈ શિવ ને પણ યાદ કરે છે. પરંતુ તે યાદ કોઈ યથાર્થ નથી. બાપ નો પરિચય જ નથી તો યાદ કેવી રીતે કરે? તમને હવે બાપ નો પરિચય મળ્યો છે. સવારે-સવારે ઉઠીને એકાંત માં એવી રીતે પોતાની સાથે વાતો કરતા રહો. વિચાર સાગર મંથન કરો, બાપ ને યાદ કરો. બાબા હું હમણાં આવ્યો કે આવ્યો તમારી સાચ્ચી ગોદ માં (ખોળા માં). એ છે રુહાની ગોદ. તો આમ-આમ પોતાની સાથે વાતો કરવી જોઈએ. બાબા આવેલા છે. બાબા કલ્પ-કલ્પ આવીને આપણને રાજયોગ શીખવાડે છે. બાપ કહે છે - મને યાદ કરો અને ચક્ર ને યાદ કરો. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. બાપ માં જ બધું જ્ઞાન છે ને ચક્ર નું. એ પછી તમને આપે છે. તમને ત્રિકાળદર્શી બનાવી રહ્યાં છે. ત્રણેય કાળ અર્થાત્ આદિ-મધ્ય-અંત ને તમે જાણો છો. બાપ પણ છે પરમ આત્મા. એમને શરીર તો નથી. હમણાં આ શરીર માં બેસી તમને સમજાવે છે. આ વન્ડરફુલ વાત છે. ભાગીરથ પર વિરાજમાન હશે તો જરુર બીજો આત્મા છે. અનેક જન્મો નાં અંત નો જન્મ આમનો છે. નંબરવન પાવન એ જ પછી નંબરવન પતિત બને છે. તે પોતાને ભગવાન, વિષ્ણુ વગેરે તો કહેતાં નથી. અહીં એક પણ આત્મા પાવન નથી, બધા પતિત જ છે. તો બાબા બાળકો ને સમજાવે છે, આવું-આવું વિચાર સાગર મંથન કરો તો આનાથી તમને ખુશી પણ રહેશે, આમાં એકાંત પણ જરુર જોઈએ. એક ની યાદ માં શરીર નો અંત થાય છે, તેને કહેવાય છે એકાંત. આ શરીર છૂટી જશે. સંન્યાસી પણ બ્રહ્મ ની યાદ માં અથવા તત્વ ની યાદ માં રહે છે, તે યાદ માં રહેતાં-રહેતાં શરીર નું ભાન છૂટી જાય છે. બસ અમારે બ્રહ્મ માં લીન થવું છે. એવી રીતે બેસી જાય છે. તપસ્યા માં બેઠાં-બેઠાં શરીર છોડી દે છે. ભક્તિ માં તો મનુષ્ય ખૂબ ધક્કા ખાય છે, આમાં ધક્કા ખાવાની વાત નથી. યાદ માં જ રહેવાનું છે. અંત માં કોઈ યાદ ન રહે. ગૃહસ્થ વ્યવહાર માં તો રહેવાનું જ છે. બાકી સમય કાઢવાનો છે. વિદ્યાર્થી ને ભણવાનો શોખ હોય છે ને? આ ભણતર છે, સ્વયં ને આત્મા ન સમજવા થી બાપ-શિક્ષક-ગુરુ બધા ને ભૂલી જાય છે. એકાંત માં બેસી આમ-આમ વિચાર કરો. ગૃહસ્થી ઘર માં તો વાયબ્રેશન ઠીક નથી રહેતાં. જો અલગ પ્રબંધ છે તો એક કોઠરી માં એકાંત માં બેસી જાઓ. માતાઓ ને તો દિવસ માં પણ સમય મળે છે. બાળકો વગેરે સ્કૂલ માં ચાલ્યાં જાય છે. જેટલો સમય મળે આ જ કોશિશ કરતા રહો. તમારું તો એક ઘર છે, બાપ ને તો કેટલી અનેકાનેક દુકાન છે, હજી વૃદ્ધિ થતી જશે. મનુષ્યો ને તો ધંધા વગેરે ની ચિંતા થાય છે તો નિંદર પણ ઉડી જાય છે. આ વેપાર પણ છે ને? કેટલાં મોટા શ્રોફ/સરાફ છે. કેટલાં મોટા મટ્ટા-સટ્ટા કરે છે. જૂનાં શરીર વગેરે લઈ ને નવાં આપે છે, બધાને રસ્તો બતાવે છે. આ પણ ધંધો તેમને કરવાનો છે. આ વેપાર તો ખૂબ મોટો છે. વેપારી ને વેપાર નો જ ખ્યાલ રહે છે. બાબા એવી-એવી પ્રેક્ટિસ કરે છે પછી બતાવે છે - આવું-આવું કરો. જેટલાં તમે બાપ ની યાદ માં રહેશો તો સ્વતઃ જ નિંદર ઉડી જશે. કમાણી માં આત્મા ને ખૂબ મજા આવશે. કમાણી માટે મનુષ્ય રાત્રે પણ જાગે છે. સિઝન માં આખી રાત પણ દુકાન ખુલ્લી રહે છે. તમારી કમાણી રાત્રે અને સવારે ખૂબ સારી થશે. સ્વદર્શન ચક્રધારી બનશો, ત્રિકાળદર્શી બનશો. ૨૧ જન્મો માટે ધન ભેગું કરો છો. મનુષ્ય સાહૂકાર બનવા માટે પુરુષાર્થ કરે છે. તમે પણ બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે, બળ મળશે. યાદ ની યાત્રા પર નહીં રહેશો તો ખૂબ નુકસાન થઈ જશે કારણ કે માથા પર પાપો નો બોજો ખુબ છે. હવે જમા કરવાનું છે, એક ને યાદ કરવાના છે અને ત્રિકાળદર્શી બનવાનું છે. આ અવિનાશી ધન અડધાકલ્પ માટે ભેગું કરવાનું છે. આ તો ખૂબ વેલ્યુએબલ (મુલ્યવાન) છે. વિચાર સાગર મંથન કરી રતન કાઢવાનાં છે. જેમ બાબા સ્વયં કરે છે, બાળકો ને પણ યુક્તિ બતાવે છે. કહે છે બાબા માયા નાં તોફાન ખૂબ આવે છે.

બાબા કહે છે જેટલું થઈ શકે પોતાની કમાણી કરવાની છે, આ જ કામ આવવાનું છે. એકાંત માં બેસીને બાપ ને યાદ કરવાના છે. ફુરસદ છે તો સર્વિસ (સેવા) પણ મંદિરો વગેરે માં ખૂબ કરી શકો છો. બેજ જરુર લાગેલો રહે. બધા સમજી જશે આ રુહાની મિલેટ્રી છે. તમે લખો પણ છો - અમે સ્વર્ગ ની સ્થાપના કરી રહ્યાં છીએ. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો, હમણાં નથી જે ફરી થી સ્થાપન કરીએ છીએ. આ લક્ષ્મી-નારાયણ મુખ્ય-લક્ષ છે ને? કોઈ સમયે આ ટ્રાન્સલાઈટ નું (સ્વ-પ્રકાશિત) ચિત્ર બેટરી સહિત ઉઠાવીને પરિક્રમા કરશે અને બધાને કહેશે, આ રાજ્ય અમે સ્થાપન પણ કરી રહ્યાં છીએ. આ ચિત્ર સૌથી ફર્સ્ટ ક્લાસ છે. આ ચિત્ર ખૂબ પ્રસિદ્ધ થઈ જશે. લક્ષ્મી-નારાયણ ફક્ત એક તો નહોતાં, તેમની રાજધાની હતી ને? આ સ્વરાજય સ્થાપન કરી રહ્યાં છે. હવે બાપ કહે છે મનમનાભવ. બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. કહે છે અમે ગીતા નો સપ્તાહ મનાવીશું. આ બધા પ્લાન (યોજના) કલ્પ પહેલાં ની જેમ બની રહ્યાં છે. પરિક્રમા માં આ ચિત્ર લેવું પડે. એને જોઈને બધા ખુશ થશે. તમે કહેશો બાપ ને અને વારસા ને યાદ કરો, મનમનાભવ. આ ગીતા નાં શબ્દ છે ને? ભગવાન શિવબાબા છે, એ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. ૮૪ નાં ચક્ર ને યાદ કરો તો આ બની જશો. લિટરેચર (સાહિત્ય) પણ તમે ભેટ આપતા રહો. શિવબાબા નો ભંડારો તો સદા ભરપૂર છે. આગળ ચાલીને ખૂબ સર્વિસ થશે. મુખ્ય-લક્ષ કેટલું ક્લિયર (સ્પષ્ટ) છે. એક રાજ્ય, એક ધર્મ હતો, ખૂબ સાહૂકાર હતાં. મનુષ્ય ઈચ્છે છે એક રાજ્ય, એક ધર્મ હોય. મનુષ્ય જે ઈચ્છે છે તે હવે અણસાર દેખાય છે પછી સમજશે આ તો ઠીક કહે છે. ૧૦૦ ટકા પવિત્રતા, સુખ, શાંતિ નું રાજ્ય ફરી થી સ્થાપન કરી રહ્યાં છે પછી તમને ખુશી પણ રહેશે. યાદ માં રહેવાથી જ તીર લાગશે. શાંતિ માં રહી થોડા શબ્દ જ બોલવાના છે. વધારે અવાજ નહીં. ગીત, કવિતાઓ વગેરે કાંઈ પણ બાબા પસંદ નથી કરતાં. બહાર વાળા મનુષ્યો થી રીસ નથી કરવાની. તમારી વાત જ અલગ છે. સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે, બસ. સ્લોગન પણ સારા હોય જે મનુષ્ય વાંચીને જાગે. બાળકો ની વૃદ્ધિ થતી રહે છે. ખજાનો તો ભરપૂર રહે છે. બાળકો નું આપેલું પછી બાળકો નાં કામ માં જ આવે છે. બાપ તો પૈસા નથી લઈ આવતાં. તમારી વસ્તુઓ તમારા કામ માં આવે છે. ભારતવાસી જાણે છે અમે ખૂબ સુધાર કરી રહ્યાં છીએ. ૫ વર્ષ ની અંદર એટલું અનાજ થશે જે અનાજ ની ક્યારેય તકલીફ નહીં થશે. અને તમે જાણો છો-એવી હાલત થશે જે અન્ન ખાવા માટે નહીં મળશે. એવું નથી અનાજ કોઈ સસ્તું હશે.

આપ બાળકો જાણો છો આપણે ૨૧ જન્મો માટે પોતાનું રાજ્ય-ભાગ્ય મેળવી રહ્યાં છીએ. આ થોડીક તકલીફ તો સહન કરવાની જ છે. કહેવાય છે ખુશી જેવો ખોરાક નથી. અતીન્દ્રિય સુખ ગોપ-ગોપીઓ નું ગવાયેલું છે. અસંખ્ય બાળકો થઈ જશે. જે પણ સેપલિંગ (કલમ) વાળા હશે તે આવતા જશે. ઝાડ અહીં જ વધવાનું છે ને? સ્થાપના થઈ રહી છે. બીજા ધર્મો માં આવું નથી હોતું. તે તો ઉપર થી આવે છે. આ તો જેમ કે ઝાડ સ્થાપન થયેલું જ છે, આમાં પછી નંબરવાર આવતા જશે, વૃદ્ધિ થતી જશે. તકલીફ કાંઈ નથી. તેમણે તો ઉપર થી આવીને પાર્ટ ભજવવાનો જ છે, આમાં મહિમા ની શું વાત છે? ધર્મસ્થાપક નાં પાછળ આવતા રહે છે. તે શિક્ષા શું આપશે સદ્દગતિ ની? કાંઈ પણ નહીં. અહીં તો બાપ ભવિષ્ય દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છે. સંગમયુગ પર નવું સેપલિંગ (કલમ) લગાવે છે ને? પહેલાં છોડ ને કુંડા માં લગાવીને પછી નીચે લગાવી દે છે. વૃદ્ધિ થતી જાય છે. તમે પણ હમણાં છોડ લગાવી રહ્યાં છો પછી સતયુગ માં વૃદ્ધિ થઈ રાજ્ય-ભાગ્ય મેળવશો. તમે નવી દુનિયા ની સ્થાપના કરી રહ્યાં છો. મનુષ્ય સમજે છે - હજી કળિયુગ માં બહુજ વર્ષ બાકી છે કારણ કે શાસ્ત્રો માં લાખો વર્ષ લખી દીધાં છે. સમજે છે કે કળિયુગ માં હજી ૪૦ હજાર વર્ષ બાકી છે. પછી બાપ આવીને નવી દુનિયા બનાવશે. ઘણાં સમજે છે આ એ જ મહાભારત લડાઈ છે. ગીતા નાં ભગવાન પણ જરુર હશે. તમે બતાવો છો શ્રીકૃષ્ણ તો હતાં નહીં. બાપે સમજાવ્યું છે - શ્રીકૃષ્ણ તો ૮૪ જન્મ લે છે. એક ફીચર્સ ન મળે બીજા સાથે. તો અહીં પછી શ્રીકૃષ્ણ કેવી રીતે આવશે? કોઈ પણ આ વાતો પર વિચાર નથી કરતાં. તમે સમજો છો શ્રીકૃષ્ણ સ્વર્ગ નાં પ્રિન્સ (રાજકુમાર) તે પછી દ્વાપર માં ક્યાંથી આવશે? આ લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર ને જોવા થી જ સમજ માં આવી જાય છે - શિવબાબા આ વારસો આપી રહ્યાં છે. સતયુગ ની સ્થાપના કરવા વાળા બાપ જ છે. આ ગોળો, ઝાડ વગેરે નાં ચિત્ર ઓછા થોડી છે? એક દિવસ તમારી પાસે આ બધા ચિત્ર ટ્રાન્સલાઈટ નાં બની જશે. પછી બધા કહેશે અમને આવાં ચિત્ર જ જોઈએ. આ ચિત્રો થી પછી વિહંગ માર્ગની સર્વિસ (સેવા) થઈ જશે. તમારી પાસે બાળકો એટલાં આવશે જે ફુરસદ નહીં રહેશે. અસંખ્ય આવશે. ખૂબ ખુશી થશે. દિવસે-દિવસે તમારો ફોર્સ વધતો જશે. ડ્રામા અનુસાર જે ફૂલ બનવા વાળા હશે તેમને ટચ (સ્પર્શ) થશે. આપ બાળકોએ એવું નહીં કહેવું પડશે કે બાબા આમની બુદ્ધિ ને ટચ કરો. ટચ કોઈ બાબા થોડી કરે છે? સમય પર જાતે જ ટચ થશે. બાપ તો રસ્તો બતાવશે ને? ખૂબ બાળકીઓ લખે છે - અમારા પતિ ની બુદ્ધિ ને ટચ કરો. એવી રીતે બધાની બુદ્ધિ ને ટચ કરશે પછી તો બધા સ્વર્ગ માં ભેગા થઈ જાય. ભણતર ની જ મહેનત છે. તમે ખુદાઈ ખિદ્દમતગાર છો ને? સાચ્ચી-સાચ્ચી વાત બાબા પહેલાં થી જ બતાવી દે છે - શું-શું કરવાનું છે. એવાં ચિત્ર લઈ જવાં પડશે. સીડી નું પણ લઈ જવું પડે. ડ્રામા અનુસાર સ્થાપના તો થવાની જ છે. બાબા સર્વિસ માટે જે ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે, તેનાં પર ધ્યાન દેવાનું છે. બાબા કહે છે બેજ જાત-જાત નાં લાખો બનાવો. ટ્રેન ની ટિકિટ લઈને ૧૦૦ માઈલ સુધી સર્વિસ કરીને આવો. એક ડબ્બા થી બીજા માં પછી ત્રીજા માં, ખૂબ સહજ છે. બાળકો ને સર્વિસ નો શોખ રહેવો જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. વિચાર સાગર મંથન કરી સારા-સારા રતન કાઢવાના છે, કમાણી જમા કરવાની છે. સાચાં-સાચાં ખુદાઈ ખિદ્દમતગાર બની સેવા કરવાની છે.

2. ભણતર નો ખૂબ શોખ રાખવાનો છે. જ્યારે પણ સમય મળે એકાંત માં ચાલ્યાં જવાનું છે. એવો અભ્યાસ હોય જે જીવતે જીવ આ શરીર થી મરેલા છીએ, આ સ્ટેજ (અવસ્થા) નો અનુભવ થતો રહે. દેહ નું ભાન પણ ભૂલાઈ જાય.

વરદાન :-
પોતાનાં મૂળ સંસ્કારો નાં પરિવર્તન દ્વારા વિશ્વ પરિવર્તન કરવા વાળા ઉદાહરણ સ્વરુપ ભવ

દરેક માં જે પોતાનાં મૂળ સંસ્કાર છે, જેને નેચર કહો છો, જે સમય પ્રતિ સમય આગળ વધવામાં અડચણ નાંખે છે, એ મૂળ સંસ્કાર ને પરિવર્તન કરવા વાળા ઉદાહરણ સ્વરુપ બનો ત્યારે સંપૂર્ણ વિશ્વ નું પરિવર્તન થશે. હવે એવું પરિવર્તન કરો જે કોઈ આ વર્ણન ન કરે કે આમનાં આ સંસ્કાર તો શરુઆત થી જ છે. જ્યારે પર્સન્ટેજ માં, અંશ માત્ર પણ જૂનાં કોઈ સંસ્કાર ન દેખાય, વર્ણન ન થાય ત્યારે કહેવાશે કે આ સંપૂર્ણ પરિવર્તન નાં ઉદાહરણ સ્વરુપ છે.

સ્લોગન :-
હવે પ્રયત્ન નો સમય વીતી ગયો, એટલે દિલ થી પ્રતિજ્ઞા કરી જીવન નું પરિવર્તન કરો.

અવ્યક્ત ઈશારા - સ્વયં અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો

જેવી રીતે સાયન્સ પ્રયોગ માં આવે છે તો સમજે છે કે સાયન્સ સારું કામ કરે છે, એવી રીતે સાઈલેન્સ ની શક્તિ નો પ્રયોગ કરો, એનાં માટે એકાગ્રતા નો અભ્યાસ વધારો. એકાગ્રતા નો મૂળ આધાર છે - મન નો કંટ્રોલિંગ પાવર, જેનાથી મનોબળ વધે છે, એના માટે એકાંતવાસી બનો.