17-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ તમારા મહેમાન બનીને આવ્યા છે તો તમારે આદર કરવાનો છે , જેમ પ્રેમ થી બોલાવ્યા છે એમ આદર પણ કરવાનો છે , નિરાદર ન થાય”

પ્રશ્ન :-
કયો નશો આપ બાળકોને સદા ચઢ્યો રહેવો જોઈએ? જો નશો નથી ચઢતો તો શું કહેવાશે?

ઉત્તર :-
ઊંચા માં ઊંચી આસામી (હસ્તી) આ પતિત દુનિયામાં આપણા મહેમાન બનીને આવ્યા છે, આ નશો સદા ચઢ્યો રહેવો જોઈએ. પરંતુ નંબરવાર આ નશો ચઢે છે. ઘણાં તો બાપ નાં બનીને પણ સંશયબુદ્ધિ બની હાથ છોડીને જાય છે તો કહેવાશે એમની તકદીર.

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ, બે વખત કહેવું પડે. આ તો બાળકો જાણે છે કે એક છે બાબા, બીજા છે દાદા. બંને સાથે છે ને? ભગવાન ની મહિમા પણ કેટલી ઊંચી કરે છે પરંતુ શબ્દ કેટલાં સરળ છે - ગોડફાધર (પરમપિતા). ફક્ત ફાધર નહીં કહેવાશે, ગોડફાધર એ છે ઊંચા માં ઊંચા. એમની મહિમા પણ બહુ જ ઊંચી છે. એમને બોલાવે પણ પતિત દુનિયામાં છે. સ્વયં આવીને બતાવે છે કે મને પતિત દુનિયામાં જ બોલાવે છે પરંતુ પતિત-પાવન એ કેવી રીતે છે, ક્યારે આવે છે, આ કોઈને પણ ખબર નથી. અડધોકલ્પ સતયુગ-ત્રેતા માં કોનું રાજ્ય હતું, કેવી રીતે થયું, કોઈને આ ખબર નથી. પતિત-પાવન બાપ આવે પણ જરુર છે, એમને કોઈ પતિત-પાવન કહે, કોઈ લિબરેટર (મુક્તિદાતા) કહે છે. પોકારે છે કે સ્વર્ગ માં લઈ ચાલો. સૌથી ઊંચા માં ઊંચા છે ને? એમને પતિત દુનિયા માં બોલાવે છે કે આવીને અમને ભારતવાસીઓ ને શ્રેષ્ઠ બનાવો. એમની પોઝિશન (હોદ્દો) કેટલી ઊંચી છે. હાઈએસ્ટ ઓથોરિટી (સર્વોચ્ચ સત્તા) છે. એમને બોલાવે છે, જ્યારે રાવણ રાજ્ય છે. નહીં તો આ રાવણ રાજ્ય થી કોણ છોડાવે? આ બધી વાતો આપ બાળકો સાંભળો છો તો નશો પણ ચઢ્યો રહેવો જોઈએ. પરંતુ એટલો નશો ચઢતો નથી. દારુ નો નશો બધાને ચઢી જાય છે, આ નથી ચઢતો. આમાં છે ધારણા ની વાત, તકદીર ની વાત છે. તો બાપ છે બહુ જ મોટી આસામી. તમારામાં પણ કોઈ-કોઈને પૂરો નિશ્ચય રહે છે. નિશ્ચય જો બધાને હોત તો સંશય માં આવીને ભાગત કેમ? બાપ ને ભૂલી જાય છે. બાપ નાં બન્યા, પછી બાપ માટે કોઈ સંશયબુદ્ધિ ન હોઈ શકે. પરંતુ આ બાપ છે વન્ડરફુલ. ગાયન પણ છે આશ્ચર્યવત્ બાબા ને જાણન્તી, બાબા કહન્તી, જ્ઞાન સુનન્તી, સુનાવન્તી, અહો માયા તો પણ સંશયબુદ્ધિ બનાવન્તી. બાપ સમજાવે છે આ ભક્તિમાર્ગ નાં શાસ્ત્રો માં કોઈ સાર નથી. બાપ કહે છે મને કોઈ પણ જાણતા નથી. આપ બાળકો માં પણ મુશ્કેલ કોઈ રહી શકે છે. તમે પણ અનુભવ કરો છો કે તે યાદ સ્થાઈ રહેતી નથી. આપણે આત્મા બિંદુ છીએ, બાબા પણ બિંદુ છે, એ આપણા બાપ છે, એમને પોતાનું શરીર તો નથી. કહે છે હું આ શરીર નો આધાર લઉં છું. મારું નામ શિવ છે. મુજ આત્મા નું નામ ક્યારેય બદલાતું નથી. તમારા શરીર નાં નામ બદલાય છે. શરીર પર જ નામ પડે છે. લગ્ન થાય છે તો નામ બદલાઈ જાય છે. પછી તે નામ પાક્કું કરી લે છે. તો હવે બાપ કહે છે તમે આ પાક્કું કરી લો કે અમે આત્મા છીએ. આ બાપે જ પરિચય આપ્યો છે કે જ્યારે-જ્યારે અત્યાચાર અને ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું. કોઈ શબ્દો ને પણ પકડવાના નથી. બાપ સ્વયં કહે છે મને પથ્થર, ભિત્તર માં ઠોકી કેટલી ગ્લાનિ કરે છે, આ પણ નવી વાત નથી. કલ્પ-કલ્પ આવાં પતિત બને અને ગ્લાનિ કરે છે, ત્યારે જ હું આવું છું. કલ્પ-કલ્પ નો મારો પાર્ટ છે. આમાં અદલા-બદલી થઈ નથી શકતી. ડ્રામા માં નોંધ છે ને? તમને ઘણાં કહે કે ફક્ત ભારત માં આવે છે? શું ભારત જ ફક્ત સ્વર્ગ બનશે? હા. આ તો અનાદિ-અવિનાશી પાર્ટ થઈ ગયો ને? બાપ કેટલાં ઊંચા માં ઊંચા છે. પતિતો ને પાવન બનાવવા વાળા બાપ કહે છે મને બોલાવે જ છે આ પતિત દુનિયામાં. હું તો સદા પાવન છું. મને પાવન દુનિયામાં બોલાવવો જોઈએ ને? પરંતુ ના, પાવન દુનિયામાં બોલાવવાની જરુર જ નથી. પતિત દુનિયામાં જ બોલાવે છે કે આવીને પાવન બનાવો. હું કેટલો મોટો મહેમાન છું. અડધાકલ્પ થી મને યાદ કરતા આવ્યાં છો. અહીં કોઈ મોટા માણસ ને બોલાવશે, કહીને એક-બે વર્ષ બોલાવશે. ફલાણા આ વર્ષે નથી તો બીજા વર્ષે આવશે. આમને તો અડધાકલ્પ થી યાદ કરતા આવ્યા છો. આમનો આવવાનો પાર્ટ તો ફિક્સ (નક્કી) થયેલો જ છે. આ કોઈને પણ ખબર નથી. સૌથી ઊંચા માં ઊંચા બાપ છે. મનુષ્ય બાપ ને એક બાજુ તો પ્રેમ થી બોલાવે છે, બીજી બાજુ મહિમા માં કલંક લગાવી દે છે. હકીકત માં આ મોટા માં મોટા ગેસ્ટ ઓફ ઓનર (મોટી મહિમા વાળા મહેમાન) છે, જેમના ઓનર (મહિમા) ને કલંક લગાવી દીધો છે, કહી દે છે તે પથ્થર-ઠીકકર બધા માં છે. કેટલી હાઈએસ્ટ ઓથોરિટી છે, બોલાવે પણ ખૂબ પ્રેમ થી છે, પરંતુ છે બિલકુલ બુધ્ધુ. હું જ આવીને સ્વયં નો પરિચય આપું છું કે હું તમારો ફાધર (પિતા) છું. મને ગોડફાધર કહે છે. જ્યારે બધા રાવણ ની કેદ માં થઈ જાય છે ત્યારે જ બાપ ને આવવાનું હોય છે કારણકે બધા છે ભક્તિઓ અથવા બ્રાઈડસ-સીતાઓ. બાપ છે બ્રાઈડગ્રુમ-રામ. એક સીતા ની વાત નથી, બધી સીતાઓ ને રાવણ ની જેલ માંથી છોડાવે છે. આ છે બેહદ ની વાત. આ છે જૂની પતિત દુનિયા. આનું જૂનું થવું પછી નવું થવું એક્યુરેટ છે, આ શરીર વગેરે તો કોઈ જલ્દી જૂનાં થઈ જાય છે, કોઈ વધારે સમય ચાલે છે. આ ડ્રામા માં એક્યુરેટ નોંધ છે. પૂરાં ૫ હજાર વર્ષ પછી ફરી મારે આવવું પડે છે. હું જ આવીને સ્વયં નો પરિચય આપું છું અને સૃષ્ટિ ચક્ર નું રહસ્ય સમજાવું છું. કોઈને પણ નથી મારો પરિચય, નથી બ્રહ્મા, વિષ્ણુ, શંકર નો, નથી લક્ષ્મી-નારાયણ નો, નથી રામ-સીતા નો. ઊંચા માં ઊંચા એક્ટર્સ ડ્રામા ની અંદર તો આ જ છે. છે તો મનુષ્ય ની વાત. કોઈ ૮-૧૦ ભુજાવાળા મનુષ્ય નથી. વિષ્ણુને ૪ ભુજા કેમ દેખાડે છે? રાવણ નાં ૧૦ શીશ શું છે? આ કોઈને પણ ખબર નથી. બાપ જ આવીને આખા વર્લ્ડ નાં આદિ-મધ્ય-અંત ની નોલેજ બતાવે છે. કહે છે હું છું મોટા માં મોટો ગેસ્ટ (મહેમાન), પરંતુ ગુપ્ત. આ પણ ફક્ત તમે જ જાણો છો. પરંતુ જાણવા છતાં પણ પાછા ભૂલી જાઓ છો. એમનો કેટલો રિગાર્ડ (સમ્માન) રાખવો જોઈએ, એમને યાદ કરવા જોઈએ. આત્મા પણ નિરાકાર, પરમાત્મા પણ નિરાકાર, આમાં ફોટા ની પણ વાત નથી. તમારે તો આત્મા નિશ્ચય કરી બાપ ને યાદ કરવાના છે, દેહ-અભિમાન છોડવાનું છે. તમારે સદૈવ અવિનાશી ચીજ ને જોવી જોઈએ. તમે વિનાશી દેહ ને કેમ જુઓ છો? દેહી-અભિમાની બનો, આમાં જ મહેનત છે. જેટલા યાદ માં રહેશો એટલી કર્માતીત અવસ્થા મેળવી ઊંચું પદ મેળવશો. બાપ બહુ જ સહજ યોગ અર્થાત્ યાદ શીખવાડે છે. યોગ તો અનેક પ્રકારના છે. યાદ શબ્દ જ યથાર્થ છે. પરમાત્મા બાપ ને યાદ કરવામા જ મહેનત છે. કોઈ વિરલા સાચ્ચું બતાવે છે કે અમે આટલો સમય યાદ માં રહ્યાં. યાદ કરતા જ નથી તો સંભળાવવા માં લજ્જા આવે છે. લખે છે આખા દિવસ માં એક કલાક યાદ માં રહ્યા, તો લજ્જા આવવી જોઈએ ને? એવાં બાપ જેમને દિવસ-રાત યાદ કરવા જોઈએ અને આપણે ફક્ત એક કલાક યાદ કરીએ છીએ! આમાં બહુ જ ગુપ્ત મહેનત છે. બાપ ને બોલાવે છે તો દૂર થી આવવાવાળા ગેસ્ટ થયા ને? બાપ કહે છે હું નવી દુનિયા નો ગેસ્ટ નથી બનતો. આવું જ છું જૂની દુનિયામાં. નવી દુનિયા ની સ્થાપના આવીને કરું છું. આ જૂની દુનિયા છે, આ પણ કોઈ યથાર્થ નથી જાણતાં. નવી દુનિયા ની આયુ જ નથી જાણતાં. બાપ કહે છે આ નોલેજ હું જ આવીને આપું છું પછી ડ્રામા અનુસાર આ નોલેજ ગુમ થઈ જાય છે. ફરી કલ્પ પછી આ પાર્ટ રિપીટ થશે. મને બોલાવે છે, વર્ષે-વર્ષે શિવજયંતિ મનાવે છે. જે બનીને જાય છે તો તેમની વર્ષે-વર્ષે વર્ષી મનાવે છે. શિવબાબા ની પણ ૧૨ મહીના પછી જયંતિ મનાવે છે પરંતુ ક્યારથી મનાવતા આવ્યા છે, આ કોઈને પણ ખબર નથી. ફક્ત કહી દે છે કે લાખો વર્ષ થયાં. કળિયુગ ની આયુ જ લાખો વર્ષ લખી દીધી છે. બાપ કહે છે-આ છે ૫ હજાર વર્ષ ની વાત. બરોબર આ દેવતાઓ નું ભારત માં રાજ્ય હતું ને? તો બાપ કહે છે-હું ભારત નો બહુ જ મોટો મહેમાન છું, મને અડધાકલ્પ થી ખૂબ નિમંત્રણ આપતા આવ્યા છો. જ્યારે ખૂબ દુઃખી થાય છે, તો કહે છે હે પતિત-પાવન આવો. હું આવ્યો પણ છું પતિત દુનિયામાં. રથ તો મને જોઈએ ને? આત્મા છે અકાળમૂર્ત, તેનો આ તખ્ત છે. બાપ પણ અકાળમૂર્ત છે, આ તખ્ત પર આવીને વિરાજમાન થાય છે. આ ખૂબ રમણીક વાતો છે. બીજા કોઈ સાંભળે તો ચક્રિત થઈ જાય. હવે બાપ કહે છે-બાળકો, મારી મત પર ચાલો. સમજો, શિવબાબા મત આપે છે, શિવબાબા મોરલી ચલાવે છે. આ કહે છે હું પણ એમની મોરલી સાંભળીને વગાડીશ. સંભળાવવા વાળા તો એ છે ને? આ નંબરવન પૂજ્ય થી પછી નંબરવન પુજારી બન્યાં. હમણાં આ પુરુષાર્થી છે. બાળકોએ હંમેશા સમજવું જોઈએ - અમને શિવબાબા ની શ્રીમત મળી છે. જો કોઈ ઉલ્ટી વાત પણ થઈ તો તે સુલ્ટી કરી દેશે. આ અતૂટ નિશ્ચય છે તો રેસ્પોન્સિબલ (જવાબદાર) શિવબાબા છે. આ ડ્રામા માં નોંધ છે. વિઘ્ન તો પડવાના જ છે, બહુ જ કપરા-કપરા વિઘ્ન પડે છે. પોતાનાં બાળકોનાં પણ વિઘ્ન પડે છે. તો હંમેશા સમજો કે શિવબાબા સમજાવે છે, તો યાદ રહેશે. ઘણાં બાળકો સમજે છે કે બ્રહ્મા બાબા મત આપે છે, પરંતુ ના. શિવબાબા જ રેસ્પોન્સિબલ છે. પરંતુ દેહ-અભિમાન છે તો ઘડી-ઘડી આમને જ જોતા રહે છે. શિવબાબા કેટલાં મોટા મહેમાન છે તો પણ રેલ્વે વગેરે વાળા થોડી જાણે છે, નિરાકાર ને કેવી રીતે ઓળખે અથવા સમજે? એ તો બીમાર પડી ન શકે. તો બીમારી વગેરે નું આમનું કારણ બતાવે છે. તેઓ શું જાણે આમનાં માં કોણ છે? આપ બાળકો પણ નંબરવાર જાણો છો. એ સર્વ આત્માઓ નાં બાપ અને આ પછી પ્રજાપિતા મનુષ્યો નાં બાપ. તો આ બંને (બાપદાદા) કેટલાં મોટા ગેસ્ટ થઈ ગયાં.

બાપ કહે છે જે કાંઈ થાય છે ડ્રામા માં નોંધ છે, હું પણ ડ્રામા નાં બંધન માં બંધાયેલો છું. નોંધ વગર કાંઈ કરી નથી શકતો. માયા પણ બહુ જ દુશ્તર છે. રામ અને રાવણ બંને નો પાર્ટ છે. ડ્રામા માં રાવણ ચૈતન્ય હોત તો કહેત-હું પણ ડ્રામા અનુસાર આવું છું. આ દુઃખ અને સુખ ની રમત છે. સુખ છે નવી દુનિયા માં, દુઃખ છે જૂની દુનિયા માં. નવી દુનિયા માં થોડા મનુષ્ય, જૂની દુનિયા માં કેટલાં અસંખ્ય મનુષ્ય છે. પતિત-પાવન બાપ ને જ બોલાવે છે કે આવીને પાવન દુનિયા બનાવો કારણકે પાવન દુનિયા માં ખૂબ સુખ હતું એટલે જ કલ્પ-કલ્પ પોકારે છે. બાપ બધાને સુખ આપીને જાય છે. હમણાં ફરી પાર્ટ રીપીટ થાય છે. દુનિયા ક્યારેય ખલાસ નથી થતી. ખલાસ થવી ઈમ્પોસિબલ (અસંભવ) છે. સમુદ્ર પણ દુનિયામાં છે ને? આ ત્રીજો માળ તો છે ને? કહે છે જળમઈ, પાણી-પાણી થઈ જાય છે છતાં પણ પૃથ્વી માળ તો છે ને? પાણી પણ તો છે ને? પૃથ્વી ફ્લોર (માળ/તત્વ) કોઈ વિનાશ નથી થઈ શકતો. જળ પણ આ માળ માં હોય છે. પહેલો અને બીજો માળ, સૂક્ષ્મવતન અને મૂળવતન માં તો જળ હોતું નથી. આ બેહદ સૃષ્ટિ નાં ૩ માળ છે, જેને આપ બાળકો સિવાય કોઈ પણ નથી જાણતાં. આ ખુશી ની વાત બધાને ખુશી થી સંભળાવવાની છે. જે પૂરાં પાસ થાય છે, તેમનું જ અતીન્દ્રિય સુખ ગવાયેલું છે. જે રાત-દિવસ સર્વિસ (સેવા) પર તત્પર છે, સર્વિસ જ કરતા રહે છે તેમને બહુ જ ખુશી રહે છે. કોઈ-કોઈ એવાં દિવસ પણ આવે છે જે મનુષ્ય રાત નાં પણ જાગે છે પરંતુ આત્મા થાકી જાય છે તો સૂવું પડે છે. આત્મા નાં સૂવા થી શરીર પણ સૂઈ જાય છે. આત્મા ન સૂવે તો શરીર પણ ન સૂવે. થાકે આત્મા છે. આજે હું થાકી ગયો છું-કોણે કહ્યું? આત્માએ. આપ બાળકોએ આત્મ-અભિમાની બનીને રહેવાનું છે, આમાં જ મહેનત છે. બાપ ને યાદ નથી કરતા, દેહી-અભિમાની નથી રહેતા, તો દેહ નાં સંબંધી વગેરે યાદ આવી જાય છે. બાપ કહે છે તમે અશરીરી આવ્યા હતાં પાછા અશરીરી થઈને જવાનું છે. આ દેહ નાં સંબંધ વગેરે ભૂલી જાઓ. આ શરીર માં રહેતાં મને યાદ કરો તો સતોપ્રધાન બનશો. બાપ કેટલી મોટી ઓથોરિટી છે. બાળકો સિવાય કોઈ જાણતું જ નથી. બાપ કહે છે હું છું ગરીબ નિવાઝ, બધા સાધારણ છે. પતિત-પાવન બાપ આવ્યા છે, આ જાણી લે તો ખબર નહીં કેટલી ભીડ થઈ જાય. મોટા-મોટા માણસો આવે છે તો કેટલી ભીડ થઈ જાય છે. તો ડ્રામા માં આમનો પાર્ટ જ ગુપ્ત રહેવાનો છે. આગળ ચાલીને ધીરે-ધીરે પ્રભાવ નીકળશે અને વિનાશ થઈ જશે. બધા થોડી મળી શકે છે? યાદ કરે છે ને તો તેમને બાપ નો પરિચય મળી જશે. બાકી પહોંચી નહીં શકે. જેમ બાંધેલી બાળકીઓ મળી નથી શકતી, કેટલાં અત્યાચાર સહન કરે છે. વિકાર ને છોડી નથી શકતાં. કહે છે સૃષ્ટિ કેવી રીતે ચાલશે? અરે, સૃષ્ટિ નો બોજ બાપ પર છે કે તમારા પર? બાપ ને જાણી લે તો પછી આવાં પ્રશ્ન ન પૂછે. બોલો, પહેલાં બાપ ને તો જાણો પછી તમે બધું જ જાણી જશો. સમજાવવાની પણ યુક્તિ જોઈએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા જ હાઈએસ્ટ ઓથોરિટી બાપ ની યાદ માં રહેવાનું છે. વિનાશી દેહ ને ન જોતા દેહી-અભિમાની બનવાની મહેનત કરવાની છે. યાદ નો સાચ્ચો-સાચ્ચો ચાર્ટ રાખવાનો છે.

2. દિવસ-રાત સર્વિસ માં તત્પર રહી અપાર ખુશી માં રહેવાનું છે. ત્રણેય લોકો નું રહસ્ય બધાને ખુશી થી સમજાવવાનું છે. શિવબાબા જે શ્રીમત આપે છે, એમાં અતૂટ નિશ્ચય રાખીને ચાલવાનું છે, કોઈ પણ વિઘ્ન આવે તો ગભરાવાનું નથી, જવાબદાર શિવબાબા છે, એટલે સંશય ન આવે.

વરદાન :-
શ્રેષ્ઠ વેલા નાં આધાર પર સર્વ પ્રાપ્તિઓ નાં અધિકાર નો અનુભવ કરવાવાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ

જે શ્રેષ્ઠ વેલા માં જન્મ લેવા વાળા ભાગ્યશાળી બાળકો છે, તે કલ્પ પહેલાં ની ટચિંગ નાં આધાર પર જન્મતાં જ પોતાનાં પણા નો અનુભવ કરે છે. તે જન્મતાં જ સર્વ પ્રોપર્ટી નાં અધિકારી હોય છે. જેવી રીતે બીજ માં આખા વૃક્ષ નો સાર સમાયેલો છે એવી રીતે નંબરવન વેલા વાળા આત્માઓ પ્રાપ્તિઓ નાં સર્વ સ્વરુપ ની પ્રાપ્તિઓ નાં ખજાનાઓ નો આવતા જ અનુભવી બની જાય છે. તે ક્યારેય એવું નહીં કહેશે કે સુખ નો અનુભવ થાય, શાંતિ નો નહીં, શાંતિ નો થાય સુખ નો તથા શક્તિ નો નહીં. સર્વ અનુભવો થી સંપન્ન હોય છે.

સ્લોગન :-
પોતાની પ્રસન્નતા ની છાયા થી શીતળતા નો અનુભવ કરવા માટે નિર્મળ અને નિર્માણ બનો.

અવ્યક્ત ઈશારા - એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

સર્વ સંબંધ, સર્વ રસનાઓ એક પાસે થી લેવા વાળા જ એકાંતપ્રિય હોય શકે છે - જ્યારે એક દ્વારા સર્વ રસનાઓ પ્રાપ્ત થઈ શકે છે તો અનેક તરફ જવાની આવશ્યકતા જ શું છે? ફક્ત એક શબ્દ પણ યાદ રાખો તો એમાં પૂરું જ્ઞાન આવી જાય, સ્મૃતિ પણ આવી જાય, સંબંધ પણ આવી જાય, સ્થિતિ પણ આવી જાય અને સાથે-સાથે જે પ્રાપ્તિ થાય છે તે પણ એ એક શબ્દ થી સ્પષ્ટ થઈ જાય. એક ની યાદ, સ્થિતિ એકરસ અને જ્ઞાન પણ પૂરું એક ની યાદ નું જ મળે છે. પ્રાપ્તિ પણ જે થાય છે તે પણ એકરસ રહે છે.