17-03-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - ભણતર
જ કમાણી છે , ભણતર સોર્સ ઓફ ઇન્કમ ( આવક નું સાધન ) છે , આ ભણતર થી જ તમારે ૨૧ જન્મો
માટે ખજાનો જમા કરવાનો છે”
પ્રશ્ન :-
જે બાળકો પર બૃહસ્પતિ (વૃક્ષપતિ) ની દશા હશે તેમની નિશાની શું દેખાશે?
ઉત્તર :-
તેમનું પૂરે-પૂરું ધ્યાન શ્રીમત પર હશે. ભણતર સારી રીતે ભણશે. ક્યારેય પણ ફેલ (નપાસ)
નહીં થશે. શ્રીમત નું ઉલ્લંઘન કરવાવાળા જ ભણતર માં ફેલ થાય છે. તેમનાં પર પછી રાહુ
ની દશા બેસી જાય છે. હમણાં આપ બાળકો પર વૃક્ષપતિ બાપ દ્વારા બૃહસ્પતિ ની દશા બેઠી
છે.
ગીત :-
ઈસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
આ છે પાપ
આત્માઓ ની પોકાર. તમારે તો પોકારવાનું નથી કારણકે તમે પાવન બની રહ્યાં છો. આ ધારણ
કરવાની વાત છે. બહુ જ ભારે આ ખજાનો છે. જેમ સ્કૂલ નું ભણતર પણ ખજાનો છે ને? ભણતર થી
શરીર નિર્વાહ ચાલે છે. બાળકો જાણે છે ભગવાન ભણાવે છે. આ ખૂબ ઊંચી કમાણી છે કારણકે
મુખ્ય-ઉદ્દેશ સામે છે. સાચ્ચો-સાચ્ચો આ સત્સંગ આખાં કલ્પ માં એક જ થાય છે. જ્યારે
પોકારે છે પતિત-પાવન આવો. હવે તે પોકારતા રહે છે, અહીં તમારી સામે બેઠાં છે. આપ
બાળકો જાણો છો આપણે પુરુષાર્થ કરી રહ્યાં છીએ નવી દુનિયા માટે, જ્યાં દુઃખ નું
નામ-નિશાન નહીં હશે. તમને ચૈન મળે છે સ્વર્ગ માં. નર્ક માં થોડી ચૈન છે. આ તો વિષય
સાગર છે, કળિયુગ છે ને? બધા દુઃખી જ દુઃખી છે. ભ્રષ્ટાચાર થી જન્મ લેવાવાળા છે એટલે
આત્મા પોકારે છે - બાબા, અમે પતિત બની ગયા છીએ. પાવન બનવા માટે ગંગા માં સ્નાન કરવા
જાય છે. અચ્છા, સ્નાન કર્યુ તો પાવન થઈ જવા જોઈએ ને? પછી ઘડી-ઘડી ધક્કા કેમ ખાય છે?
ધક્કા ખાતા સીડી નીચે ઉતરતાં-ઉતરતાં પાપ આત્મા બની જાય છે. ૮૪ નું રહસ્ય આપ બાળકોને
બાપ જ સમજાવે છે, બીજા ધર્મવાળા તો ૮૪ જન્મ લેતાં નથી. તમારી પાસે આ ૮૪ જન્મો નું
ચિત્ર (સીડી) ખૂબ સારું બનેલું છે. કલ્પવૃક્ષ નું પણ ચિત્ર છે ગીતા માં. પરંતુ
ભગવાને ગીતા ક્યારે સંભળાવી? શું આવીને કર્યુ? આ કાંઈ નથી જાણતાં. બીજા ધર્મવાળા
પોત-પોતાનાં શાસ્ત્ર ને જાણે છે, ભારતવાસી બિલકુલ નથી જાણતાં. બાપ કહે છે હું
સંગમયુગ પર જ સ્વર્ગ ની સ્થાપના કરવા આવું છું. ડ્રામા માં ચેન્જ (પરિવર્તન) થઈ નથી
શકતું. જે કાંઈ ડ્રામા માં નોંધ છે, તે હૂબહૂ થવાનું જ છે. એવું નથી, થઈને પછી
બદલાઈ જવાનું છે. આપ બાળકો ની બુદ્ધિ માં ડ્રામા નું ચક્ર પૂરું બેઠેલું છે. આ ૮૪
નાં ચક્ર થી તમે ક્યારેય છૂટી નથી શકતાં અર્થાત્ આ દુનિયા ક્યારેય ખતમ નથી થઈ શકતી.
વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ થતી જ રહે છે. આ ૮૪ નું ચક્ર (સીડી) ખૂબ જરુરી
છે. ત્રિમૂર્તિ અને ગોળો તો મુખ્ય ચિત્ર છે. ગોળા માં ક્લિયર (સ્પષ્ટ) દેખાડેલું છે
- દરેક યુગ ૧૨૫૦ વર્ષ નો છે. આ છે જાણે આંધળાઓ ની આગળ અરીસો. ૮૪ જન્મપત્રી નો અરીસો.
બાપ આપ બાળકો ની દશા વર્ણન કરે છે. બાપ તમને બેહદ ની દશા બતાવે છે. હમણાં આપ બાળકો
પર બૃહસ્પતિ ની અવિનાશી દશા બેઠી છે. પછી છે ભણતર પર આધાર. કોઈ પર બૃહસ્પતિ ની, કોઈ
પર શુક્ર ની, કોઈ પર રાહુ ની દશા બેઠી છે. નાપાસ થયા તો રાહુ ની દશા કહેવાશે. અહીં
પણ એવું છે. શ્રીમત પર નથી ચાલતાં તો રાહુ ની અવિનાશી દશા બેસી જાય છે. તે બૃહસ્પતિ
ની અવિનાશી દશા, આ પછી રાહુ ની દશા થઈ જાય છે. બાળકોએ ભણતર પર પૂરું ધ્યાન આપવું
જોઈએ, આમાં બહાના ન આપવા જોઈએ. સેવાકેન્દ્ર દૂર છે, આ છે… ચાલવામાં ૬ કલાક પણ લાગે
તો પણ પહોંચવું જોઈએ. મનુષ્ય યાત્રાઓ પર જાય છે, કેટલાં ધક્કા ખાય છે. પહેલાં ખૂબ
પગપાળા જતા હતાં, બળદગાડા માં પણ જતા હતાં. આ તો એક શહેર ની વાત છે. આ બાપ ની કેટલી
મોટી યુનિવર્સિટી છે, જેનાથી તમે આ લક્ષ્મી-નારાયણ બનો છો. આવાં ઊંચા ભણતર માટે કોઈ
કહે દૂર પડે છે અથવા ફુરસદ નથી! બાપ શું કહેશે? આ બાળક તો લાયક નથી. બાપ ઊંચા ઉઠાવવા
આવે છે, આ પોતાનું સત્યાનાશ કરી દે છે. શ્રીમત કહે છે-પવિત્ર બનો, દૈવીગુણ ધારણ કરો.
સાથે રહેતાં પણ વિકાર માં નથી જવાનું. વચ્ચે જ્ઞાન-યોગ ની તલવાર છે, આપણે તો પવિત્ર
દુનિયા નાં માલિક બનવાનું છે. હમણાં તો પતિત દુનિયા નાં માલિક છીએ ને? એ દેવતાઓ હતાં
ડબલ સિરતાજ પછી અડધાકલ્પ પછી લાઈટ (પ્રકાશ) નો તાજ ઉડી જાય છે. આ સમયે લાઈટ નો તાજ
કોઈની પર પણ નથી. ફક્ત જે ધર્મ સ્થાપક છે, તેમનાં પર હોઈ શકે છે કારણકે તે પવિત્ર
આત્માઓ શરીર માં આવીને પ્રવેશ કરે છે. આ જ ભારત છે, જેમાં ડબલ સિરતાજ પણ હતાં,
સિંગલ તાજવાળા પણ હતાં. હજી સુધી પણ ડબલ સિરતાજ ની આગળ સિંગલ તાજવાળા માથુ નમાવે છે
કારણકે એ છે પવિત્ર મહારાજા-મહારાણી. મહારાજાઓ રાજાઓ થી મોટા હોય છે, તેમની પાસે
મોટી-મોટી જાગીર હોય છે. સભા માં પણ મહારાજાઓ આગળ અને રાજાઓ પાછળ બેસે છે નંબરવાર.
કાયદેસર તેમનો દરબાર લાગે છે. આ પણ ઈશ્વરીય દરબાર છે. આને ઈન્દ્રસભા પણ ગવાય છે. તમે
જ્ઞાન થી પરી બનો છો. ખૂબસુંદર ને પરી કહેવાય છે ને? રાધા-કૃષ્ણ ની નેચરલ બ્યુટી (કુદરતી
સૌન્દર્ય) છે ને, એટલે સુંદર કહેવાય છે. પછી જ્યારે કામ ચિતા પર બેસે છે તો તે પણ
ભિન્ન નામ-રુપ માં શ્યામ બને છે. શાસ્ત્રો માં કોઈ આ વાતો નથી. જ્ઞાન, ભક્તિ અને
વૈરાગ્ય ત્રણ ચીજો છે. જ્ઞાન ઊંચા માં ઊંચું છે. હમણાં તમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં
છો. તમને વૈરાગ છે ભક્તિ થી. આ આખી તમોપ્રધાન દુનિયા હવે ખતમ થવાની છે, તેનાથી
વૈરાગ છે. જ્યારે નવું મકાન બનાવે છે તો જૂનાં થી વૈરાગ થઈ જાય છે ને? તે છે હદ ની
વાત, આ છે બેહદ ની વાત. હવે બુદ્ધિ નવી દુનિયા તરફ છે. આ છે જૂની દુનિયા નર્ક,
સતયુગ-ત્રેતા ને કહેવાય છે શિવાલય. શિવબાબા નું સ્થાપન કરેલું છે ને? હવે આ
વૈશ્યાલય થી તમને નફરત આવે છે. ઘણાઓને નફરત નથી આવતી. લગ્ન બરબાદી કરી ગટર માં પડવા
ઈચ્છે છે. મનુષ્ય તો બધા છે વિષય વૈતરણી નદી માં, ગંદકી માં પડ્યાં છે. એક-બીજા ને
દુઃખ આપે છે. ગવાય પણ છે અમૃત છોડી વિષ કેમ ખાઈએ. જે કાંઈ કહે છે તેનો અર્થ નથી
સમજતાં. આપ બાળકો માં પણ નંબરવાર છે. સેન્સિબલ (સમજદાર) શિક્ષક જોતાં જ સમજી જશે કે
આમની બુદ્ધિ ક્યાંક ભટકી રહી છે, ક્લાસ ની વચ્ચે કોઈ બગાસું લે અથવા ઝોકા ખાય છે તો
સમજાય છે આમની બુદ્ધિ ક્યાંક ઘરબાર અથવા ધંધા તરફ ભટકી રહી છે. બગાસા થાક ની પણ
નિશાની છે. ધંધા માં મનુષ્યો ની કમાણી થતી રહે છે તો રાત્રે ૧-૨ વાગ્યા સુધી પણ બેઠાં
રહે છે તો ક્યારેય બગાસા નથી આવતાં. આ તો બાપ કેટલાં ખજાના આપે છે. બગાસા ખાવા ખોટ
ની નિશાની છે. દેવાળું મારવાવાળા ઘુટકા (ખોટ) ખાઈને ખૂબ બગાસા ખાય છે. તમને તો ખજાના
પાછળ ખજાના મળતા રહે છે તો કેટલું અટેન્શન (ધ્યાન) હોવું જોઈએ? ભણતી વખતે કોઈ બગાસું
ખાય તો સમજદાર શિક્ષક સમજી જશે કે આમનો બુદ્ધિયોગ બીજી તરફ ભટકતો રહે છે. અહીં બેઠાં
ઘરબાર યાદ આવશે, બાળકો યાદ આવશે. અહીં તો તમારે ભઠ્ઠી માં રહેવાનું હોય છે, બીજા
કોઈની યાદ ન આવે. સમજો, કોઈ ૬ દિવસ ભઠ્ઠી માં રહ્યાં, પાછળ થી કોઈની યાદ આવી, ચિઠ્ઠી
લખી તો ફેલ (નાપાસ) કહેવાશે ફરી ૭ દિવસ શરુ કરો. ૭ દિવસ ભઠ્ઠી માં રખાય છે કે બધી
બીમારી નીકળી જાય. તમે અડધાકલ્પ નાં મહાનરોગી છો. બેઠાં-બેઠાં અકાળે મૃત્યુ થઈ જાય
છે. સતયુગ માં આવું ક્યારેય થતું નથી. અહીં તો કોઈ ને કોઈ બીમારી જરુર થાય છે. મરતી
વખતે બીમારી માં બૂમો પાડતા રહે છે. સ્વર્ગ માં જરા પણ દુઃખ નથી હોતું. ત્યાં તો
સમય પર સમજે છે-હવે સમય પૂરો થયો છે, અમે આ શરીર છોડી બાળક બનીએ છીએ. અહીં પણ તમને
સાક્ષાત્કાર થશે કે આ બનીએ છીએ. એવાં અનેક ને સાક્ષાત્કાર થાય છે. જ્ઞાન થી પણ જાણે
છે કે અમે બેગર ટૂ પ્રિન્સ (ગરીબ થી રાજકુમાર) બની રહ્યાં છીએ. આપણો મુખ્ય-ઉદ્દેશ જ
આ રાધા-કૃષ્ણ બનવાનો છે. લક્ષ્મી-નારાયણ નહીં, રાધા-કૃષ્ણ કારણકે પૂરાં ૫ હજાર વર્ષ
તો આમનાં જ કહેવાશે. લક્ષ્મી-નારાયણ નાં તો પણ ૨૦-૨૫ વર્ષ ઓછા થઈ જાય છે એટલે
શ્રીકૃષ્ણ ની મહિમા વધારે છે. આ પણ કોઈને ખબર નથી કે રાધા-કૃષ્ણ જ ફરી થી
લક્ષ્મી-નારાયણ બને છે. હવે આપ બાળકો સમજતા જાઓ છો, આ ભણતર છે. દરેક ગામડે-ગામડે
સેવાકેન્દ્ર ખુલતાં જાય છે. તમારી આ છે યુનિવર્સિટી કમ હોસ્પિટલ. આમાં ફક્ત ૩ પગ
પૃથ્વી નાં જોઈએ. વન્ડર છે ને? જેમની તકદીર માં છે તો તે પોતાનાં ઓરડા માં પણ
સત્સંગ ખોલી દે છે. અહીં જે ખૂબ પૈસાવાળા છે, તેમનાં પૈસા તો બધા માટી માં ભળી જવાનાં
છે. તમે બાપ પાસે થી વારસો લઈ રહ્યાં છો ભવિષ્ય ૨૧ જન્મો માટે. બાપ સ્વયં કહે છે-આ
જૂની દુનિયા ને જોતા બુદ્ધિનો યોગ ત્યાં લગાવો, કર્મ કરતા આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરો.
દરેક વાત જોવાની હોય છે ને? તમારી હવે પ્રેક્ટિસ થઈ રહી છે. બાપ સમજાવે છે હમેશાં
શુદ્ધ કર્મ કરો, અશુદ્ધ કોઈ કામ ન કરો. કોઈ પણ બીમારી છે તો સર્જન બેઠાં છે, તેમની
પાસે થી સલાહ લો. દરેક ની બીમારી પોતાની છે, સર્જન થી તો સારી સલાહ મળશે. પૂછી શકો
છો આ હાલત માં શું કરીએ? અટેન્શન રાખવાનું છે કે કોઈ વિકર્મ ન થઈ જાય.
આ પણ ગાયન છે જેવું
અન્ન તેવું મન. માંસ ખરીદવા વાળા પર, વેચવા વાળા પર, ખવડાવવા વાળા પર પણ પાપ લાગે
છે. પતિત-પાવન બાપ થી કોઈ વાત છુપાવી ન જોઈએ. સર્જન થી છુપાવ્યું તો બીમારી છુટશે
નહીં. આ છે બેહદ નાં અવિનાશી સર્જન. આ વાતો ને દુનિયા તો નથી જાણતી. તમને પણ હમણાં
નોલેજ મળી રહી છે છતાં પણ યોગ માં ખૂબ કમી છે. યાદ બિલકુલ કરતા નથી. આ તો બાબા જાણે
છે ફટ થી કોઈ યાદ રહી નહીં જશે. નંબરવાર તો છે ને? જ્યારે યાદ ની યાત્રા પૂરી થશે
ત્યારે કહેવાશે કર્માતીત અવસ્થા પૂરી થઈ, પછી લડાઈ પણ પૂરી લાગશે, ત્યાં સુધી કાંઈ
ન કાંઈ થશે પાછું બંધ થતું રહેશે. લડાઈ તો ક્યારે પણ છેડાઈ શકે છે. પરંતુ વિવેક કહે
છે જ્યાં સુધી રાજાઈ સ્થાપન નથી થઈ ત્યાં સુધી મોટી લડાઈ નહીં લાગશે. થોડી-થોડી
લાગીને બંધ થઈ જશે. આ તો કોઈ નથી જાણતા કે રાજાઈ સ્થાપન થઈ રહી છે. સતોપ્રધાન, સતો,
રજો, તમોબુદ્ધિ તો છે ને? તમારા માં પણ સતોપ્રધાન બુદ્ધિવાળા સારી રીતે યાદ કરતા
રહેશે. બ્રાહ્મણ તો હમણાં લાખો નાં અંદાજ માં હશે પરંતુ તેમાં પણ સગા અને લગા (સોતેલા)
તો છે ને? સગા સારી સર્વિસ (સેવા) કરશે, મા-બાપ ની મત પર ચાલશે. સોતેલા રાવણ ની મત
પર ચાલશે. થોડા રાવણ ની મત પર, થોડા રામ ની મત પર લંગડાતા ચાલશે. બાળકોએ ગીત
સાંભળ્યું. કહે છે-બાબા, એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં ચૈન હોય. સ્વર્ગ માં ચૈન જ ચૈન
છે, દુઃખ નું નામ નથી. સ્વર્ગ કહેવાય જ છે સતયુગ ને. હમણાં તો છે કળિયુગ. અહીં પછી
સ્વર્ગ ક્યાંથી આવ્યું? તમારી બુદ્ધિ હવે સ્વચ્છ બનતી જાય છે. સ્વચ્છ બુદ્ધિવાળા ને
મલેચ્છ બુદ્ધિ નમન કરે છે. પવિત્ર રહેવાવાળા નું માન છે. સંન્યાસી પવિત્ર છે તો
ગૃહસ્થી તેમને માથું નમાવે છે. સંન્યાસી તો વિકાર થી જન્મ લઈ ફરી સંન્યાસી બને છે.
દેવતાઓ ને તો કહેવાય જ છે સંપૂર્ણ નિર્વિકારી. સંન્યાસીઓ ને ક્યારેય સંપૂર્ણ
નિર્વિકારી નહીં કહેવાશે. તો આપ બાળકોને અંદર બહુ જ ખુશી નો પારો ચઢવો જોઈએ એટલે
કહેવાય છે અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ-ગોપીઓ ને પૂછો, જે બાપ પાસે થી વારસો
લઈ રહ્યાં છે, ભણી રહ્યાં છે. અહીં સન્મુખ સાંભળવા થી નશો ચઢે છે પછી કોઈ નો કાયમ
રહે છે, કોઈ નો તો ઝટ ઉડી જાય છે. સંગદોષ નાં કારણે નશો સ્થાઈ નથી રહેતો. તમારા
સેવાકેન્દ્ર પર એવાં ખૂબ આવે છે. થોડો નશો ચઢ્યો પછી પાર્ટી વગેરે માં ક્યાંક ગયા,
દારુ, બીડી વગેરે પીધું, ખલાસ. સંગદોષ બહુ જ ખરાબ છે. હંસ અને બગલા સાથે રહી ન શકે.
પતિ હંસ બને તો પત્ની બગલો બની જાય. ક્યાંક પછી સ્ત્રી હંસીની બની જાય, પતિ બગલો બની
જાય છે. કહે પવિત્ર બનો તો માર ખાય. કોઈ-કોઈ ઘર માં બધા હંસ હોય છે પછી ચાલતાં-ચાલતાં
હંસ થી બદલાઈ બગલા બની જાય છે. બાપ તો કહે છે સ્વયં ને બધા સુખદાયી બનાવો. બાળકોને
પણ સુખદાયી બનાવો. આ તો દુઃખધામ છે ને? હવે તો ખૂબ આફતો આવવાની છે પછી જોજો કેવી
રીતે ત્રાહી-ત્રાહી કરે છે. અરે, બાપ આવ્યાં, અમે બાપ પાસે થી વારસો નહીં મેળવ્યો
પછી તો ટુ લેટ (ખુબ મોડું) થઈ જશે. બાપ સ્વર્ગ ની બાદશાહી આપવા આવે છે, તે ગુમાવી
બેસે છે એટલે બાબા સમજાવે છે કે બાબા ની પાસે હંમેશા મજબૂત ને લઈ આવો. જે સ્વયં સમજી
ને બીજાઓ ને પણ સમજાવી શકે. બાકી બાબા કાંઈ ફક્ત જોવાની ચીજ તો નથી. શિવબાબા ક્યાં
દેખાય છે? પોતાનાં આત્મા ને જોયો છે શું? ફક્ત જાણો છો. તેમ પરમાત્મા ને પણ જાણવાનાં
છે. દિવ્ય દૃષ્ટિ વગર તેમને કાંઈ જોઈ નથી શકાતાં. દિવ્ય દૃષ્ટિ માં હવે તમે સતયુગ
જુઓ છો પછી ત્યાં પ્રેક્ટિકલ માં ચાલવાનું છે. કળિયુગ વિનાશ ત્યારે થશે જ્યારે આપ
બાળકો કર્માતીત અવસ્થાએ પહોંચશો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયા ને જોતા બુદ્ધિ નો યોગ બાપ તથા નવી દુનિયા તરફ લાગેલો રહે. ધ્યાન રહે -
કર્મેન્દ્રિયો થી કોઈ વિકર્મ ન થઈ જાય. હંમેશા શુદ્ધ કર્મ કરવાનાં છે, અંદર કોઈ
બીમારી છે તો સર્જન પાસે થી સલાહ લેવાની છે.
2. સંગદોષ ખૂબ ખરાબ
છે, તેનાથી પોતાની ખૂબ-ખૂબ સંભાળ કરવાની છે. પોતાને અને પરિવાર ને સુખદાયી બનાવવાનાં
છે. ભણવા માટે ક્યારેય બહાના નથી આપવાનાં.
વરદાન :-
શ્રેષ્ઠ ભાવના
નાં આધાર થી સર્વ ને શાંતિ , શક્તિ ની કિરણો આપવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ
જેમ બાપ નાં સંકલ્પ
તથા બોલ માં, નયનો માં સદા જ કલ્યાણ ની ભાવના તથા કામના છે એમ આપ બાળકો નાં સંકલ્પ
માં વિશ્વ કલ્યાણ ની ભાવના તથા કામના ભરેલી હોય. કોઈ પણ કાર્ય કરતા વિશ્વ નાં સર્વ
આત્માઓ ઈમર્જ થાય. માસ્ટર જ્ઞાન સૂર્ય બની શુભ ભાવના તથા શ્રેષ્ઠ કામના નાં આધાર થી
શાંતિ તથા શક્તિ ની કિરણો આપતા રહો ત્યારે કહેવાશો વિશ્વ કલ્યાણકારી. પરંતુ એનાં
માટે સર્વ બંધનો થી મુક્ત, સ્વતંત્ર બનો.
સ્લોગન :-
હું પણું અને
મારા પણું-આ જ દેહ અભિમાન નો દરવાજો છે. હવે આ દરવાજા ને બંધ કરો.
અવ્યક્ત ઈશારા -
સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર ને અપનાવો
સત્યતા ની પરખ છે
સંકલ્પ, બોલ, કર્મ સંબંધ-સંપર્ક બધા માં દિવ્યતા ની અનુભૂતિ થવી. કોઈ કહે છે હું તો
સદા સાચ્ચું બોલું છું પરંતુ બોલ તથા કર્મ માં જો દિવ્યતા નથી તો બીજા ને તમારું
સાચ્ચું, સાચ્ચું નહીં લાગશે એટલે સત્યતા ની શક્તિ થી દિવ્યતા ને ધારણ કરો. કાંઈ પણ
સહન કરવું પડે, ગભરાઓ નહીં. સત્ય સમય પ્રમાણે સ્વયં સિદ્ધ થશે.