17-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જેમ
બાપ ભવિષ્ય ૨૧ જન્મો માટે સુખ આપે છે તેમ આપ બાળકો પણ બાપ નાં મદદગાર બનો , પ્રીત
બુદ્ધિ બનો , દુઃખ આપવાનો ક્યારેય વિચાર પણ ન આવે”
પ્રશ્ન :-
આપ રુપ-વસંત બાળકો નું કર્તવ્ય શું છે? તમને બાપ ની કઈ શિક્ષાઓ મળેલી છે?
ઉત્તર :-
આપ રુપ-વસંત બાળકો નું કર્તવ્ય છે મુખ થી સદૈવ રત્ન બોલવા, તમારા મુખ થી ક્યારેય
પથ્થર ન નીકળવા જોઈએ. સર્વ બાળકો પ્રત્યે બાપ ની શિક્ષા છે કે બાળકો ૧. પરસ્પર
ક્યારેય એક-બીજા ને હેરાન ન કરવા, ગુસ્સો ન કરવો, આ આસુરી મનુષ્યો નું કામ છે. ૨.
મન્સા માં પણ કોઈને દુઃખ આપવાનો વિચાર ન આવે. ૩. નિંદા-સ્તુતિ, માન-અપમાન બધું જ
સહન કરવું. જો કોઈ કાંઈ બોલે છે તો શાંત રહેવું. હાથ માં કાયદો ન ઉઠાવવો.
ગીત :-
તૂ પ્યાર કા
સાગર હૈ…
ઓમ શાંતિ!
જ્ઞાન અને
અજ્ઞાન. આપ બાળકો માં પણ હમણાં જ્ઞાન છે - ભક્ત લોકો મહિમા કોની કરે છે અને આપ બાળકો
જે અહીં બેઠાં છો તમે કોની મહિમા સાંભળો છો? રાત-દિવસ નો ફરક છે. તે તો એમ જ ફક્ત
મહિમા ગાતા રહે છે. એટલો પ્રેમ નથી કારણકે પરિચય નથી. તમને બાપે પરિચય આપ્યો છે હું
પ્રેમ નો સાગર છું અને તમને પ્રેમ નાં સાગર બનાવી રહ્યો છું. બાપ પ્રેમ નાં સાગર
કેટલાં બધા ને પ્રિય લાગે છે. ત્યાં પણ બધા એક-બીજા ને પ્રેમ કરે છે. આ તમે અહીં
શીખો છો. કોઈની સાથે પણ વિરોધ ન થવો જોઈએ, જેને બાબા લૂણ-પાણી કહે છે. અંદર કોઈનાં
માટે નફરત ન હોવી જોઈએ. નફરત કરવા વાળા કળિયુગી નર્કવાસી છે. જાણો છો આપણે બધા
ભાઈ-બહેન છીએ. શાંતિધામ માં છીએ તો ભાઈ-ભાઈ છીએ. અહીં જ્યારે કર્મક્ષેત્ર પર પાર્ટ
ભજવીએ છીએ, તો ભાઈ-બહેન છીએ. ઈશ્વરીય સંતાન છીએ. ઈશ્વર ની મહિમા છે એ જ્ઞાન નાં
સાગર, પ્રેમ નાં સાગર છે, એટલે બધાને સુખ આપે છે. તમે બધા દિલ થી પૂછો - જેમ બાપ
ભવિષ્ય ૨૧ જન્મો માટે સુખ આપે છે તેમ આપણે પણ તે કાર્ય કરીએ છીએ? જો બાપ નાં મદદગાર
નથી બનતા, પ્રેમ નથી કરતા, એક-બીજા સાથે પ્રીત નથી, વિપરીત બુદ્ધિ થઈને રહો છો તો
વિનશન્તી થઈ જાઓ છો. વિપરીત બુદ્ધિ થવું અસુરો નું કામ છે. પોતાને ઈશ્વરીય સંપ્રદાય
કહીને પછી એક-બીજા ને દુઃખ આપવું તેમને અસુર કહેવાય છે. આપ બાળકોએ કોઈને પણ દુઃખ નથી
આપવાનું. તમે છો જ દુઃખહર્તા, સુખકર્તા બાપ નાં બાળકો. તો દુઃખ આપવાનો વિચાર પણ તમને
ન આવવો જોઈએ. તે તો છે જ આસુરી સંપ્રદાય નહીં કે ઈશ્વરીય સંપ્રદાય કારણકે
દેહ-અભિમાની છે. તે ક્યારેય યાદ ની યાત્રા માં રહી ન શકે. યાદ ની યાત્રા વગર કલ્યાણ
થવાનું નથી. વારસો આપવા વાળા બાપ ને તો જરુર યાદ કરવાના છે તો વિકર્મ વિનાશ થશે.
અડધોકલ્પ તો એક-બીજા ને દુઃખ આપતા આવ્યાં છો. એક-બીજા સાથે લડતાં, હેરાન કરતા રહે
છે, તે આસુરી સંપ્રદાય માં ગણાય છે. ભલે પુરુષાર્થી છે તો પણ ક્યાં સુધી દુઃખ આપતા
રહેશે એટલે બાબા કહે છે પોતાનો ચાર્ટ રાખો. ચાર્ટ રાખવા થી ખબર પડશે - અમારું
રજીસ્ટર સુધરતું જાય છે કે એ જ આસુરી ચલન છે? બાબા સદૈવ કહે છે ક્યારેય કોઈને દુઃખ
ન આપો. નિંદા-સ્તુતિ, માન-અપમાન, ઠંડી-ગરમી બધું સહન કરવાનું છે. કોઈએ કાંઈ કહ્યુ
તો શાંત રહેવું જોઈએ. એવું નહીં કે તેમનાં માટે બે વચન વધારે કહી દેવાના છે. કોઈ
કોઈને દુઃખ આપે છે તો એમને બાપ સમજાવશે ને? બાળકો, બાળકો ને કહી ન શકે. પોતાનાં હાથ
માં લૉ (કાયદો) નથી લેવાનો. કાંઈ પણ વાત છે તો બાપ ની પાસે આવવાનું છે. ગવર્મેન્ટ (સરકાર)
માં પણ કાયદો છે - કોઈ એક-બીજા ને મુક્કો ન મારી શકે. કમ્પ્લેન (ફરિયાદ) કરી શકે
છે. કાયદો ઉઠાવવો ગવર્મેન્ટ નું કામ છે. તમે પણ ગવર્મેન્ટ ની પાસે આવો. હાથ માં લૉ
(કાયદો) ન લો. આ તો છે જ પોતાનું ઘર એટલે બાબા કહે છે રોજ કચેરી કરો. આ પણ સમજતા નથી
- શિવબાબા ઓર્ડર (હુકમ) કરે છે. બાબાએ કહ્યું છે હંમેશા સમજો શિવબાબા સંભળાવે છે.
એવું ન સમજો બ્રહ્મા સંભળાવે છે. હંમેશાં શિવબાબા જ સમજો તો એમની યાદ રહેશે. આ
શિવબાબાએ રથ લીધો છે, તમને જ્ઞાન સંભળાવવા માટે. સતોપ્રધાન બનવાનો રસ્તો બાપ સમજાવી
રહ્યાં છે. એ છે ગુપ્ત. તમે છો પ્રત્યક્ષ. જે પણ ડાયરેક્શન (માર્ગદર્શન) નીકળે છે,
સમજો શિવબાબા નાં છે તો તમે સેફ (સુરક્ષિત) રહેશો. તમે બાબા-બાબા શિવ ને જ કહો છો.
વારસો પણ એમની પાસે થી મળે છે. એમની સાથે કેટલાં રિગાર્ડ (આદર), રોયલ્ટી થી ચાલવું
જોઈએ. તમે કહો છો ને - બાબા, અમે તો લક્ષ્મી-નારાયણ બનીશું. પછી બીજા, ત્રીજા બન્યાં,
સૂર્યવંશી ન બન્યાં તો ચંદ્રવંશી બન્યાં. એવું તો નથી અમે ભલે દાસ-દાસી બનીએ. પ્રજા
બનવું તો સારું નથી. તમારે તો અહીંયા દૈવીગુણ જ ધારણ કરવાના છે. આસુરી ચલન તો ન હોવી
જોઈએ. નિશ્ચય નથી તો પછી બેઠાં-બેઠાં આ કહી દે છે, આમનાં માં શિવબાબા આવે છે - અમે
તો નથી સમજતાં. માયા નું ભૂત આવવા થી પરસ્પર એવું કહી દે છે. પરસ્પર આસુરી સ્વભાવ
વાળા મળે છે તો પછી એવું બોલવા લાગી જાય છે, આસુરી વાતો જ મુખ માંથી નીકળે છે. બાપ
કહે છે તમે આત્માઓ રુપ-વસંત બનો છો. તમારા મુખ થી રત્ન જ નીકળવા જોઈએ. જો પથ્થર
નીકળે છે તો આસુરી બુદ્ધિ થયાં.
ગીત પણ બાળકોએ
સાંભળ્યું. બાળકો કહે છે - બાબા પ્રેમ નાં સાગર, સુખ નાં સાગર છે. શિવબાબા ની જ
મહિમા છે. બાપ કહે છે આપ સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આમાં ખૂબ સારા-સારા
બાળકો ફેલ (નાપાસ) થાય છે. દેહી-અભિમાની સ્થિતિ માં રહી નથી શકતાં. દેહી-અભિમાની
બનશે ત્યારે જ એટલું ઊંચું પદ મેળવશે. ઘણાં બાળકો ફાલતું વાતો માં બહુ જ સમય વ્યર્થ
કરે છે. જ્ઞાન ની વાત જ ધ્યાન માં નથી આવતી. આ પણ ગાયન છે ઘર ની ગંગા નું માન નથી
રાખતાં. ઘર ની વસ્તુ નું એટલું માન નથી રાખતાં. જ્યારે કૃષ્ણ વગેરે નું ચિત્ર ઘર
માં પણ છે પછી શ્રીનાથ દ્વાર વગેરે એટલાં દૂર-દૂર કેમ જાઓ છો. શિવ નાં મંદિરો માં
પણ છે તો પથ્થર નું જ લિંગ. પહાડો થી પથ્થર નીકળે છે, તે ઘસાઈ-ઘસાઈ ને લિંગ બની જાય
છે, તેમાં કોઈ-કોઈ પથ્થર માં સોનું પણ લગાવેલું હોય છે. કહેવાય છે સોના નો કૈલાશ
પર્વત. સોનું પહાડો માંથી નીકળે છે ને? તો થોડું-થોડું સોનું લાગેલા પથ્થર પણ હોય
છે જે પછી બહુજ સારા-સારા ગોળ થઈ જાય છે, તે વહેંચે છે. માર્બલ નાં પણ ખાસ બનાવે
છે. હવે ભક્તિમાર્ગ વાળાઓ ને કહો કે તમે બહાર આટલાં ભટકો કેમ છો તો બગડી જશે. બાપ
સ્વયં કહે છે આપ બાળકોએ ખૂબ પૈસા બરબાદ કર્યા છે. આ પણ ડ્રામા માં પાર્ટ છે જે તમારે
ધક્કા ખાવા પડે છે. આ છે જ જ્ઞાન અને ભક્તિ નો ખેલ. હવે આપ બાળકો ને બધી સમજ મળે
છે. જ્ઞાન છે સુખ નો રસ્તો, જ્ઞાન થી સતયુગ ની રાજાઈ મળે છે. આ સમયે રાજા-રાણી તથા
પ્રજા બધાં નર્ક નાં માલિક છે. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયાં. આ વાતો
ને હમણાં તમે સમજ્યાં છો. હવે તમે કહો છો અમે સ્વર્ગવાસી બનવા માટે સ્વર્ગ ની
સ્થાપના કરવા વાળા બાપની પાસે બેઠાં છીએ. જ્ઞાન નું બુંદ (ટીપું) મળે છે. થોડું પણ
જ્ઞાન સાંભળ્યું તો સ્વર્ગ માં જરુર આવશે, બાકી છે પુરુષાર્થ પર. સમજે છે ગંગાજળ ની
એક લોટી પણ મુખ માં નાખવાથી પતિત પાવન બની જાય છે. લોટી ભરીને લઈ જાય છે પછી રોજ
એમાંથી એક-એક ટીપું પાણી માં નાખીને સ્નાન કરે છે. તે જાણે ગંગાસ્નાન થઈ જશે. વિદેશ
માં પણ ગંગાજળ ભરીને લઈ જાય છે. આ બધી છે ભક્તિ.
બાપ બાળકો ને સમજાવે
છે બાળકો માયા ખૂબ જોર થી થપ્પડ લગાવે છે, વિકર્મ કરાવી દે છે એટલે કચેરી કરો, પોતે
જ પોતાની કચેરી કરવી સારું છે. તમે પોતાને પોતે જ રાજતિલક આપો છો તો પોતાની તપાસ
કરવાની છે. તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. બાપ શ્રીમત આપે છે આમ-આમ કરો, દૈવી
ગુણ ધારણ કરો. જે કરશે તે મેળવશે. તમારા તો ખુશી માં રોમાંચ ઉભા થઈ જવા જોઈએ. બેહદ
નાં બાપ મળ્યાં છે, એમની સર્વિસ (સેવા) માં મદદગાર બનવાનું છે. આંધળા ની લાઠી બનવાનું
છે. જેટલાં વધારે બનશો એટલું પોતાનું જ કલ્યાણ થશે. બાબા ને તો ઘડી-ઘડી યાદ કરવાના
છે. નેષ્ઠા માં એક જગ્યા પર બેસવાની વાત નથી. હરતાં-ફરતાં યાદ કરવાના છે. ટ્રેન માં
પણ તમે સર્વિસ કરી શકો છો. તમે કોઈને પણ સમજાવી શકો છો કે ઊંચા માં ઊંચું કોણ છે?
એમને યાદ કરો. વારસો એમની પાસે થી જ મળશે. આત્મા ને બાપ પાસે થી બેહદ નો વારસો મળે
છે. કોઈ દાન-પુણ્ય કરવાથી રાજા ની પાસે જન્મ લે છે તે પણ અલ્પકાળ માટે. સદા તો રાજા
નથી બની શકતાં. તો બાપ કહે છે અહીં તો ૨૧ જન્મો ની ગેરંટી (ખાતરી) છે. ત્યાં આ ખબર
નહીં પડશે કે અમે બેહદ નાં બાપ પાસે થી આ વારસો લઈ આવ્યાં છીએ. આ જ્ઞાન આ સમયે તમને
મળે છે તો કેટલો સારી રીતે પુરુષાર્થ કરવો જોઈએ? પુરુષાર્થ નથી કરતા તો પોતાનાં જ
પગ પર કુલ્હાડી મારે છે. ચાર્ટ લખતા રહો તો ડર રહેશે. કોઈ-કોઈ લખે પણ છે, બાબા જોશે
તો શું કહેશે. ચાલ-ચલન માં બહુ જ ફરક રહે છે. તો બાપ કહે છે ગફલત છોડો. નહીં તો ખૂબ
પસ્તાવું પડશે. પોતાનાં પુરુષાર્થ નો પછી પાછળ થી સાક્ષાત્કાર જરુર થશે પછી બહુજ
રડવું પડશે. શું કલ્પ-કલ્પ આ જ વારસો મળશે? દાસ-દાસી જઈને બનીશું. પહેલાં તો ધ્યાન
માં જઈને સંભળાવતા હતાં - ફલાણી દાસી છે, આ છે. પછી બાબાએ બંધ કરી દીધું. અંત માં
પછી આપ બાળકો ને સાક્ષાત્કાર થશે. સાક્ષાત્કાર વગર સજા કેવી રીતે મળી શકે? કાયદો જ
નથી.
બાળકો ને યુક્તિઓ પણ
ખૂબ સમજાવાય છે તમે તમારા પતિ ને કહો, બાબા કહે છે બાળકો કામ મહાશત્રુ છે, આનાં પર
જીત મેળવો. માયાજીતે જગતજીત બનો. હવે અમે સ્વર્ગ નાં માલિક બનીએ કે તમારા કારણે
અપવિત્ર બની નર્ક માં જઈએ? ખૂબ પ્રેમ, નમ્રતા થી સમજાવો. અમને નર્ક માં કેમ ધકેલો
છો? એવી ઘણી બાળકીઓ છે - સમજાવતા-સમજાવતા છેલ્લે પતિ ને લઈ આવે છે. પછી પતિ કહે કે
આ અમારી ગુરુ છે, આણે મને બહુ જ સારો રસ્તો બતાવ્યો. બાબા ની આગળ ચરણો માં આવીને પડે
છે. ક્યારેક જીત ક્યારેક હાર પણ થાય છે. તો બાળકોએ ખૂબ-ખૂબ મીઠાં બનવાનું છે. જે
સેવા કરશે એ જ પ્રિય લાગશે. ભગવાન બાપ આવ્યાં છે બાળકો પાસે, એમની શ્રીમત પર ચાલવું
પડે. શ્રીમત પર નથી ચાલતાં તો તોફાન લાગવા થી પડી જાય છે. એવાં પણ છે - તે શું કામ
નાં રહેશે? આ ભણતર કોઈ કોમન (સાધારણ) નથી બીજા બધા સત્સંગો વગેરે માં તો છે - કનરસ,
જેનાથી અલ્પકાળ નું સુખ મળે છે. આ બાપ દ્વારા તો ૨૧ જન્મો નું સુખ મળે છે. બાબા
સુખ-શાંતિ નાં સાગર છે, આપણને પણ બાપ પાસે થી વારસો મળે છે. સેવા કરીશું ત્યારે તો
મળશે, એટલે બેજ સદા લગાવેલો રહે. આપણે આવાં સર્વગુણ સમ્પન્ન બનવાનું છે. તપાસ કરવાની
છે કે અમે કોઈને દુઃખ તો નથી આપતાં? આસુરી ચલન તો નથી ચાલતાં? માયા એવાં કામ કરાવે
છે, વાત ન પૂછો. સારા-સારા ઘરવાળા પણ કહે છે, માયાએ આ વિકર્મ કરાવી લીધું. કોઈ
સાચ્ચું બતાવે, કોઈ સાચ્ચું ન બતાવવા થી સોગુણા દંડ મેળવે છે. પછી તે આદત વધતી જશે.
બાપ ને સંભળાવશો તો બાબા સાવધાન કરશે. બાબા કહે છે પાપ કર્યુ છે તો રજીસ્ટર માં લખો
અને બતાવી દો તો તમારા પાપ અડધા ખલાસ થઈ જશે. સંભળાવતા નથી, છુપાવી દેશે તો પછી કરતા
જ રહેશે. શ્રાપ મળી જાય છે. ન બતાવવા થી એકવાર નાં બદલે ૧૦૦ વાર કરતા રહેશે. બાબા
કેટલી સારી સલાહ આપે છે પરંતુ કોઈ-કોઈને જરા પણ અસર નથી થતી. પોતાની તકદીર ને જાણે
લાત મારતા રહે છે. બહુજ-બહુજ નુકસાન કરે છે. અંત માં બધાને સાક્ષાત્કાર થશે. આ-આ
બનીશું, ક્લાસ માં ટ્રાન્સફર (બદલી) થાય છે તો માર્ક્સ (ગુણાંક) નીકળે છે ને?
ટ્રાન્સફર થતા પહેલાં રિઝલ્ટ (પરિણામ) નીકળે છે. તમે પણ પોતાનાં ક્લાસ માં જાઓ છો
તો માર્ક્સ ની ખબર પડશે પછી ખૂબ જોર-જોર થી રડશો. પછી શું કરી શકશો? રિઝલ્ટ તો નીકળી
ગયું ને? જે તકદીર માં હતું તે લઈ લીધું. બાપ બધા બાળકો ને સાવધાન કરે છે. કર્માતીત
અવસ્થા હમણાં બની ન શકે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી શરીર છોડવું પડે, હમણાં કોઈ
ને કોઈ વિકર્મ રહેલા છે, હિસાબ-કિતાબ છે એટલે યોગ પૂરો નથી લાગતો. હમણાં કોઈ પણ નથી
કહી શકતા કે અમે કર્માતીત અવસ્થા માં છીએ. નજીક આવવા થી પછી બહુજ નિશાનીઓ દેખાશે.
બધો આધાર તમારી અવસ્થા પર અને વિનાશ પર છે. તમારું ભણતર પૂરું થવા પર હશે તો પછી
જોશો કે લડાઈ માથા પર ઉભી છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. માયા નાં
વશ થઈને કોઈ પણ આસુરી ચલન નથી ચાલવાની. પોતાની ચલન નું રજીસ્ટર રાખવાનું છે. એવું
કોઈ કર્મ નથી કરવાનું જે પશ્ચાતાપ કરવો પડે.
2. ખૂબ-ખૂબ પ્રેમ અને
નમ્રતા થી સેવા કરવાની છે. મીઠાં બનવાનું છે. મુખ થી આસુરી બોલ નથી બોલવાનાં. સંગ
ની ખૂબ-ખૂબ સંભાળ કરવાની છે. શ્રીમત પર ચાલતાં રહેવાનું છે.
વરદાન :-
સંગઠિત રુપ
માં એકરસ સ્થિતિ નાં અભ્યાસ દ્વારા વિજય નાં નગારા વગાડવા વાળા એવરરેડી ભવ
વિશ્વ માં વિજય નાં
નગારા ત્યારે વાગશે જ્યારે બધા નાં બધા સંકલ્પ એક સંકલ્પ માં સમાઈ જશે. સંગઠિત રુપ
માં જ્યારે એક સેકન્ડ માં બધા એકરસ સ્થિતિ માં સ્થિત થઈ જાય ત્યારે કહેવાશે એવરરેડી.
એક સેકન્ડ માં એકમત, એકરસ સ્થિતિ અને એક સંકલ્પ માં સ્થિતિ થવાની જ નિશાની આંગળી
દેખાડી છે. જે આંગળી થી કળિયુગી પર્વત ઉઠી જાય, એટલે સંગઠિત રુપ માં એકરસ સ્થિતિ
બનાવવાનો અભ્યાસ કરો ત્યારે જ વિશ્વ ની અંદર શક્તિ સેના નું નામ પ્રસિદ્ધ થશે.
સ્લોગન :-
શ્રેષ્ઠ
પુરુષાર્થ માં થાક લાગવો - આ પણ આળસ ની નિશાની છે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
તમે પોતાની આત્મિક
દૃષ્ટિ થી પોતાનાં સંકલ્પો ને સિદ્ધ કરી શકો છો. તે રિદ્ધિ-સિદ્ધિ છે અલ્પકાળ, પરંતુ
યાદ ની વિધિ થી સંકલ્પો અને કર્મો ની સિદ્ધિ છે અવિનાશી. તે રિદ્ધિ-સિદ્ધિ યુઝ કરે
છે અને તમે યાદ ની વિધિ થી સંકલ્પો અને કર્મો ની સિદ્ધિ પ્રાપ્ત કરો.