17-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આ
પુરુષોત્તમ સંગમયુગ છે , જૂની દુનિયા બદલાઈ હવે નવી બની રહી છે , તમારે હવે
પુરુષાર્થ કરી ઉત્તમ દેવ પદ મેળવવાનું છે”
પ્રશ્ન :-
સર્વિસેબલ (સેવાધારી) બાળકો ની બુદ્ધિ માં કઈ વાત સદૈવ યાદ રહે છે?
ઉત્તર :-
તેમને યાદ રહે છે કે ધન દિયે ધન ન ખૂટે… એટલે તે રાત-દિવસ નિદ્રા નો પણ ત્યાગ કરી
જ્ઞાન-ધન નું દાન કરતા રહે છે, થાકતા નથી. પરંતુ જો સ્વયં માં કોઈ અવગુણ હશે તો
સર્વિસ કરવાનો પણ ઉમંગ નથી આવી શકતો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે બાપ બેસી સમજાવે છે. બાળકો જાણે છે પરમપિતા રોજ-રોજ સમજાવે
છે. જેવી રીતે રોજ-રોજ શિક્ષક ભણાવે છે. બાપ ફક્ત શિક્ષા આપશે, સંભાળતા રહેશે કારણકે
બાપ નાં તો ઘર માં જ બાળકો રહે છે. મા-બાપ સાથે રહે છે. અહીં તો આ વન્ડરફુલ (અદ્દભુત)
વાત છે. રુહાની બાપ પાસે તમે રહો છો. એક તો રુહાની બાપ ની પાસે મૂળવતન માં રહો છો.
પછી કલ્પ માં એક જ વાર બાપ આવે છે - બાળકો ને વારસો આપવા અથવા પાવન બનાવવાં, સુખ તથા
શાંતિ આપવાં. તો જરુર નીચે આવીને રહેતાં હશે. આમાં જ મનુષ્યો ને મૂંઝવણ છે. ગાયન પણ
છે - સાધારણ તન માં પ્રવેશ કરે છે. હવે સાધારણ તન ક્યાંય થી ઉડી ને તો નથી આવતું.
જરુર મનુષ્ય નાં તન માં જ આવે છે. તે પણ બતાવે છે - હું આ તન માં પ્રવેશ કરું છું.
આપ બાળકો પણ હવે સમજો છો - બાપ આપણને સ્વર્ગ નો વારસો આપવા આવ્યાં છે. જરુર આપણે
લાયક નથી, પતિત બની ગયા છીએ. બધા કહે પણ છે હે પતિત-પાવન, આવો, આવીને અમને પતિતો ને
પાવન બનાવો. બાપ કહે છે મને કલ્પ-કલ્પ પતિતો ને પાવન કરવાની ડ્યુટી મળેલી છે. હે
બાળકો, હવે આ પતિત દુનિયા ને પાવન બનાવવાની છે. જૂની દુનિયા ને પતિત, નવી દુનિયા ને
પાવન કહેવાશે. એટલે જૂની દુનિયા ને નવી બનાવવા બાપ આવ્યાં છે. કળિયુગ ને તો કોઈ પણ
નવી દુનિયા નહીં કહેશે. આ તો સમજવાની વાત છે ને? કળિયુગ છે જૂની દુનિયા. બાપ પણ આવશે
જરુર - જૂનાં અને નવાં નાં સંગમ પર. જ્યારે ક્યાંય પણ તમે આ સમજાવો છો તો બોલો આ
પુરુષોત્તમ સંગમયુગ છે, બાપ આવેલા છે. આખી દુનિયા માં એવાં કોઈ મનુષ્ય નથી જેમને આ
ખબર હોય કે આ પુરુષોત્તમ સંગમયુગ છે. જરુર તમે સંગમયુગ પર છો ત્યારે તો સમજાવો છો.
મુખ્ય વાત છે જ સંગમયુગ ની. તો પોઈન્ટ્સ પણ ખૂબ જરુરી છે. જે વાત કોઈ નથી જાણતું તે
સમજાવવી પડે એટલે બાબાએ કહ્યું હતું આ જરુર લખજો કે હમણાં પુરુષોત્તમ સંગમયુગ છે.
નવો યુગ અર્થાત્ સતયુગ નાં ચિત્ર પણ છે. મનુષ્ય કેવી રીતે સમજે કે આ લક્ષ્મી-નારાયણ
સતયુગી નવી દુનિયા નાં માલિક છે. તેનાં ઉપર શબ્દ જરુર જોઈએ - પુરુષોત્તમ સંગમયુગ. આ
જરુર લખવાનું છે કારણકે આ જ મુખ્ય વાત છે. મનુષ્ય સમજે છે કળિયુગ માં હજી ઘણાં વર્ષ
બાકી છે. બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તો સમજાવવું પડે કે નવી દુનિયા નાં માલિક આ
લક્ષ્મી-નારાયણ છે. આ છે પૂરી નિશાની. તમે કહો છો આ રાજ્ય ની સ્થાપના થઈ રહી છે.
ગીત પણ છે નવયુગ આવ્યો, અજ્ઞાન નિંદ્રા થી જાગો. આ તમે જાણો છો હમણાં સંગમયુગ છે,
આને નવયુગ નહીં કહેવાશે. સંગમ ને સંગમયુગ જ કહેવાય છે. આ છે પુરુષોત્તમ સંગમયુગ.
જ્યારે જૂની દુનિયા ખતમ થઈ અને નવી દુનિયા સ્થાપન થાય છે. મનુષ્ય થી દેવતા બની રહ્યાં
છે, રાજયોગ શીખી રહ્યાં છે. દેવતાઓ માં પણ ઉત્તમ પદ છે જ આ લક્ષ્મી-નારાયણ નું. આ
પણ છે તો મનુષ્ય, આમનાં માં દૈવીગુણ છે એટલે દેવી-દેવતા કહેવાય છે. સૌથી ઉત્તમ ગુણ
છે પવિત્રતા નો ત્યારે તો મનુષ્ય દેવતાઓ ની આગળ જઈને માથું નમાવે છે. આ બધા
પોઇન્ટ્સ બુદ્ધિ માં ધારણ તેમને થશે જે સર્વિસ (સેવા) કરતા રહે છે. કહેવાય છે ધન
દિયે ધન ન ખુટે. ખૂબ સમજણ મળતી રહે છે. નોલેજ તો ખૂબ સહજ છે. પરંતુ કોઈ માં ધારણા
સારી થાય, કોઈ માં નથી થતી. જેમનાં માં અવગુણ છે તે તો સેવાકેન્દ્ર સંભાળી પણ નથી
શકતાં. તો બાપ બાળકો ને સમજાવે છે પ્રદર્શન માં પણ સીધા-સીધા શબ્દ આપવા જોઈએ.
પુરુષોત્તમ સંગમયુગ તો મુખ્ય સમજાવવો જોઈએ. આ સંગમ પર આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની
સ્થાપના થઈ રહી છે. જ્યારે આ ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહોતો. આ જે મહાભારત લડાઈ
છે, તેની પણ ડ્રામા માં નોંધ છે. આ પણ હમણાં નીકળ્યાં છે. પહેલાં થોડી હતાં? ૧૦૦
વર્ષ ની અંદર બધું ખલાસ થઈ જાય છે. સંગમયુગ ને ઓછા માં ઓછા ૧૦૦ વર્ષ તો જોઈએ ને? આખી
નવી દુનિયા બનવાની છે. ન્યુ દિલ્લી બનવામાં કેટલાં વર્ષ લાગ્યાં?
તમે સમજો છો ભારત માં
જ નવી દુનિયા બને છે, પછી જૂની ખલાસ થઈ જશે. કાંઈક તો રહે છે ને? પ્રલય તો થતો નથી.
આ બધી વાતો બુદ્ધિ માં છે. હમણાં છે સંગમયુગ. નવી દુનિયા માં જરુર આ દેવી-દેવતા હતાં,
ફરી આ જ હશે. આ છે રાજયોગ નું ભણતર. જો કોઈ વિસ્તાર માં નથી સમજાવી શકતાં તો ફક્ત
એક વાત કહો - પરમપિતા પરમાત્મા જે બધાનાં બાપ છે, એમને તો બધા યાદ કરે છે. એ આપણને
બધા બાળકોને કહે છે - તમે પતિત બની ગયા છો. પોકારો પણ છો હે પતિત-પાવન, આવો. બરોબર
કળિયુગ માં છે પતિત, સતયુગ માં પાવન હોય છે. હવે પરમપિતા પરમાત્મા કહે છે દેહ સહિત
આ બધા પતિત સંબંધ છોડી મામેકમ્ યાદ કરો તો પાવન બની જશો. આ ગીતા નાં જ શબ્દ છે. છે
પણ ગીતા નો યુગ. ગીતા સંગમયુગ પર ગવાઈ હતી જ્યારે વિનાશ થયો હતો. બાપે રાજયોગ
શીખવાડ્યો હતો. રાજાઈ સ્થાપન થઈ હતી ફરી જરુર થશે. આ બધું રુહાની બાપ સમજાવે છે ને?
ચાલો, આ તન માં ન આવે બીજા કોઈ માં પણ આવે. સમજણ (જ્ઞાન) તો બાપ ની છે ને? અમે આમનું
તો નામ લેતા નથી. અમે તો ફક્ત બતાવીએ છીએ - બાપ કહે છે મને યાદ કરો તો તમે પાવન બની
અને મારી પાસે ચાલ્યાં આવશો. કેટલું સહજ છે! ફક્ત મને યાદ કરો અને ૮૪ નાં ચક્ર નું
જ્ઞાન બુદ્ધિ માં હોય. જે ધારણા કરશે તે ચક્રવર્તી રાજા બનશે. આ મેસેજ તો બધા ધર્મ
વાળાઓ માટે છે. ઘરે તો બધાએ જવાનું છે. હું પણ ઘર નો જ રસ્તો બતાવું છું. પાદરી
વગેરે કોઈ પણ હોય તમે એમને બાપ નો સંદેશ આપી શકો છો. તમને ખુશી નો પારો ખૂબ ચઢવો
જોઈએ - પરમપિતા પરમાત્મા કહે છે મામેકમ્ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. બધાને
આ જ યાદ કરાવો. બાપ નો સંદેશ સંભળાવવો જ નંબરવન સર્વિસ છે. ગીતા નો યુગ પણ હમણાં
છે. બાપ આવ્યાં છે એટલે એ જ ચિત્ર શુરુઆત માં રાખવું જોઈએ. જે સમજે છે - અમે બાપ નો
સંદેશ આપી શકીએ છીએ તો તૈયાર રહેવું જોઈએ. દિલ માં આવવું જોઈએ અમે પણ આંધળાઓ ની લાઠી
બનીએ. આ સંદેશ તો કોઈને પણ આપી શકો છો. બી.કે. નું નામ સાંભળીને જ ડરે છે. બોલો અમે
ફક્ત બાપ નો સંદેશ આપીએ છીએ. પરમપિતા પરમાત્મા કહે છે - મને યાદ કરો, બસ. આપણે કોઈ
ની ગ્લાનિ નથી કરતાં. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. હું ઊંચા માં ઊંચો પતિત-પાવન
છું. મને યાદ કરવા થી તમારા વિકર્મ વિનાશ થશે. આ નોંધ કરો. આ ખૂબ કામ ની ચીજ છે.
હાથ પર કે બાજુ પર શબ્દો લખાવે છે ને? આ પણ લખી દો. આટલું ફક્ત બતાવ્યું તો પણ
રહેમદિલ, કલ્યાણકારી બન્યાં. પોતાની સાથે પ્રણ કરવું જોઈએ. સર્વિસ જરુર કરવાની છે
પછી આદત પડી જશે. અહીં પણ તમે સમજાવી શકો છો. ચિત્ર આપી શકો છો. આ છે સંદેશ આપવાની
ચીજ. લાખો બની જશે. ઘર-ઘર માં જઈને સંદેશ આપવાનો છે. પૈસા કોઈ આપે ન આપે, બોલો-બાપ
તો છે જ ગરીબ નિવાઝ. આપણી ફરજ છે - ઘર-ઘર માં સંદેશ આપવો. આ બાપદાદા, આમની પાસે થી
આ વારસો મળે છે. ૮૪ જન્મ આ લેશે. આમનો આ અંતિમ જન્મ છે. આપણે બ્રાહ્મણ છીએ સો પછી
દેવતા બનીશું. બ્રહ્મા પણ બ્રાહ્મણ છે. પ્રજાપિતા બ્રહ્મા એકલા તો નહીં હશે ને?
જરુર બ્રાહ્મણ વંશાવલી પણ હશે ને? બ્રહ્મા સો વિષ્ણુ દેવતા, બ્રાહ્મણ છે ચોટલી. એ જ
દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બને છે. કોઈ જરુર નીકળશે જે તમારી વાતો ને સમજશે.
પુરુષ પણ સર્વિસ કરી શકે છે. સવારે ઉઠીને મનુષ્ય જ્યારે દુકાન ખોલે છે તો કહે છે
સુબહ કા સાંઈ… તમે પણ સવારે-સવારે જઈને બાપ નો સંદેશ સંભળાવો. બોલો, તમારો ધંધો ખૂબ
સારો થશે. તમે સાંઈ ને યાદ કરો તો ૨૧ જન્મ નો વારસો મળશે. અમૃતવેલા નો સમય સારો હોય
છે. આજકાલ કારખાનાઓ માં માતાઓ પણ કામ કરે છે. આ બેજ પણ બનાવવો ખૂબ સહજ છે.
આપ બાળકોએ તો
રાત-દિવસ સર્વિસ માં લાગી જવું જોઈએ, નિંદર હરામ કરી દેવી જોઈએ. બાપ નો પરિચય મળવાથી
મનુષ્ય ધનવાન બની જાય છે. તમે કોઈને પણ સંદેશ આપી શકો છો. તમારું જ્ઞાન તો ખૂબ ઊંચું
છે. બોલો, અમે તો એક ને યાદ કરીએ છીએ. ક્રાઈસ્ટ નો આત્મા પણ એમનો બાળક હતો. આત્માઓ
તો બધા એમનાં બાળકો છે. એ જ ગોડફાધર કહે છે કે બીજા કોઈપણ દેહધારીઓ ને યાદ ન કરો.
તમે પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે. મારી પાસે આવી જશો.
મનુષ્ય પુરુષાર્થ કરે જ છે ઘરે જવા માટે. પરંતુ જતા કોઈ પણ નથી. જોવાય છે બાળકો હજી
ખુબ ઠંડા છે, એટલી મહેનત થતી નથી, બહાના કરતા રહે છે, આમાં ખૂબ સહન પણ કરવું પડે
છે. ધર્મસ્થાપક ને કેટલું સહન કરવું પડે છે. ક્રાઈસ્ટ માટે પણ કહે છે તેમને ક્રોસ (ચોકડી)
પર ચઢાવ્યાં. તમારું કામ છે બધાને સંદેશ આપવાનું. તેનાં માટે યુક્તિઓ બાબા બતાવતા
રહે છે. કોઈ સર્વિસ નથી કરતા તો બાબા સમજે છે ધારણા નથી. બાબા સલાહ આપે છે કેવી રીતે
સંદેશ આપો. ટ્રેન માં પણ તમે આ સંદેશ આપતા રહો. તમે જાણો છો આપણે સ્વર્ગ માં જઈએ
છીએ. કોઈ શાંતિધામ માં પણ જશે ને? રસ્તો તો તમે જ બતાવી શકો છો. આપ બ્રાહ્મણોએ જ જવું
જોઈએ. છે તો ઘણાં. બ્રાહ્મણો ને ક્યાંક તો રાખશે ને? બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય.
પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન તો જરુર હશે ને? આદિ માં છે જ બ્રાહ્મણ. આપ બ્રાહ્મણ છો
ઉંચા માં ઊંચા. તે બ્રાહ્મણ છે કુખ વંશાવલી. બ્રાહ્મણ તો જરુર જોઈએ ને? નહીં તો
પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો બ્રાહ્મણ ક્યાં ગયાં? બ્રાહ્મણો ને તમે બેસીને સમજાવો,
તો તે ઝટ સમજી જશે. બોલો, તમે પણ બ્રાહ્મણ છો, અમે પણ પોતાને બ્રાહ્મણ કહીએ છીએ. હવે
બતાવો તમારો ધર્મ સ્થાપન કરવા વાળા કોણ? બ્રહ્મા સિવાય કોઈ નામ જ નહીં લેશે. તમે
ટ્રાયલ (કોશિશ) કરીને જુઓ. બ્રાહ્મણો નાં પણ ખૂબ મોટાં-મોટાં કુળ હોય છે. પુજારી
બ્રાહ્મણ તો અનેક છે. અજમેર માં અનેક બાળકો જાય છે, ક્યારેય કોઈએ સમાચાર નથી આપ્યાં
કે અમે બ્રાહ્મણો ને મળ્યાં, તેમને પૂછ્યું - તમારો ધર્મ સ્થાપન કરવા વાળા કોણ?
બ્રાહ્મણ ધર્મ કોણે સ્થાપન કર્યો? તમને તો ખબર છે, સાચાં બ્રાહ્મણ કોણ છે. તમે અનેક
નું કલ્યાણ કરી શકો છો. યાત્રાઓ પર ભક્ત જ જાય છે. આ ચિત્ર તો ખૂબ સરસ છે -
લક્ષ્મી-નારાયણ નું. તમને ખબર છે જગદંબા કોણ છે? લક્ષ્મી કોણ છે? આમ-આમ તમે નોકરો,
ભીલડીઓ વગેરે ને પણ સમજાવી શકો છો. તમારા વગર તો કોઈ છે નહીં જે તેમને સંભળાવે. ખૂબ
રહેમદિલ બનવાનું છે. બોલો, તમે પણ પાવન બની પાવન દુનિયા માં જઈ શકો છો. સ્વયં ને
આત્મા સમજો, શિવબાબા ને યાદ કરો. શોખ ખૂબ હોવો જોઈએ, કોઈને પણ રસ્તો બતાવવાનો. જે
સ્વયં યાદ કરતા હશે તે જ બીજાઓ ને યાદ કરાવવાનો પુરુષાર્થ કરશે. બાપ તો જઈને વાત નહીં
કરશે. આ તો આપ બાળકો નું કામ છે. ગરીબો નું પણ કલ્યાણ કરવાનું છે. બિચારા ખૂબ સુખી
થઈ જશે. થોડું યાદ કરવાથી પ્રજા માં પણ આવી જાય, તે પણ સારું છે. આ ધર્મ તો ખૂબ સુખ
આપવા વાળો છે. દિવસે-દિવસે તમારો અવાજ જોર થી નીકળશે. બધાને આ જ સંદેશ આપતા રહો,
સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. આપ મીઠાં-મીઠાં બાળકો પદમાપદમ ભાગ્યશાળી છો.
જ્યારે મહિમા સાંભળો છો તો સમજો છો, છતાં પણ કોઈ વાત ની ફિકર વગેરે કેમ રાખવી જોઈએ?
આ છે ગુપ્ત જ્ઞાન, ગુપ્ત ખુશી. તમે છો ઈનકોગનીટો વારિયર્સ (ગુપ્ત યોદ્ધા). તમને
અનનોન વારિયર્સ કહેવાશે, બીજા કોઈ અનનોન વારિયર્સ હોય ન શકે. તમારું દેલવાડા મંદિર
પૂરું યાદગાર છે. દિલ લેવાવાળા નો પરિવાર છે ને? મહાવીર, મહાવીરણી અને તેમની સંતાન
આ પૂરે-પૂરું તીર્થ છે. કાશી થી પણ ઊંચી જગ્યા થઈ. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ઘર-ઘર માં
જઈને બાપ નો સંદેશ આપવાનો છે. સર્વિસ (સેવા) કરવાનું પ્રણ કરો, સર્વિસ માટે કોઈપણ
બહાનું ન આપો.
2. કોઈ પણ વાત ની
ફિકર નથી કરવાની, ગુપ્ત ખુશી માં રહેવાનું છે. કોઈપણ દેહધારી ને યાદ નથી કરવાનાં.
એક બાપ ની યાદ માં રહેવાનું છે.
વરદાન :-
કલ્યાણકારી
બાપ અને સમય નો દરેક સેકન્ડે લાભ ઉઠાવવા વાળા નિશ્ચયબુદ્ધિ , નિશ્ચિંત ભવ
જે પણ દૃશ્ય ચાલી
રહ્યું છે એને ત્રિકાળદર્શી બનીને જુઓ, હિંમત અને હુલ્લાસ માં રહી સ્વયં પણ સમર્થ
આત્મા બનો અને વિશ્વ ને પણ સમર્થ બનાવો. સ્વયં નાં તોફાનો માં હલો નહીં, અચળ બનો.
જે સમય મળ્યો છે, સાથ મળ્યો છે, અનેક પ્રકાર નાં ખજાના મળી રહ્યાં છે એનાથી
સંપત્તિવાન અને સમર્થીવાન બનો. આખાં કલ્પ માં આવાં દિવસો પછી આવવાના નથી એટલે પોતાની
બધી ચિંતાઓ બાપ ને આપીને નિશ્ચયબુદ્ધિ બની સદા નિશ્ચિંત રહો, કલ્યાણકારી બાપ અને
સમય નો દરેક સેકન્ડે લાભ ઉઠાવો.
સ્લોગન :-
બાપ નાં સંગ
નો રંગ લગાવો તો ખરાબીઓ સ્વતઃ સમાપ્ત થઈ જશે.
અવ્યક્ત ઈશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
વિદેહી બનવાની વિધિ
છે - બિંદુ બનવું. અશરીરી બનો છો, કર્માતીત બનો છો, બધાની વિધિ બિંદુ છે એટલે
બાપદાદા કહે છે અમૃતવેલા બાપદાદા સાથે મિલન મનાવતા રુહરિહાન કરતા જ્યારે કાર્ય માં
આવો છો તો પહેલાં ત્રણ બિંદુઓ નું તિલક મસ્તક પર લગાવો અને ચેક કરો - કોઈપણ કારણ થી
આ સ્મૃતિ નું તિલક ભૂંસાઈ તો નથી જતું? અવિનાશી, અમિટ તિલક રહે.