17-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારે
મન્સા - વાચા - કર્મણા ખૂબ - ખૂબ ખુશી માં રહેવાનું છે , બધાને ખુશ કરવાના છે ,
કોઈને પણ દુઃખ નથી આપવાનું”
પ્રશ્ન :-
ડબલ અહિંસક બનવા વાળા
બાળકોએ કયું ધ્યાન રાખવાનું છે?
ઉત્તર :-
૧. ધ્યાન રાખવાનું છે કે એવી કોઈ વાણી મુખ થી ન નીકળે જેનાથી કોઈને પણ દુઃખ થાય
કારણકે વાણી થી દુઃખ આપવું પણ હિંસા છે. ૨. આપણે દેવતા બનવા વાળા છીએ, એટલે ચલન ખૂબ
રોયલ હોય. ખાવા-પીવાનું ન ખૂબ ઊંચું, ન નીચું હોય.
ગીત :-
નિર્બલ સે
લડાઈ બલવાન કી...
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો ને બાપ રોજ-રોજ પહેલાં સમજાવે છે કે પોતાને આત્મા સમજીને બેસો અને બાપ
ને યાદ કરો. કહે છે ને અટેન્શન પ્લીઝ (સાવધાન)! તો બાપ કહે છે એક તો અટેન્શન આપો
બાપ ની તરફ. બાપ કેટલાં મીઠાં છે, એમને કહેવાય છે પ્રેમ નાં સાગર, જ્ઞાન નાં સાગર.
તો તમારે પણ પ્રેમાળ બનવું જોઈએ. મન્સા-વાચા-કર્મણા દરેક વાત માં તમને ખુશી રહેવી
જોઈએ. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બાપ પણ કોઈને દુઃખી નથી કરતાં. બાપ આવ્યાં જ છે
સુખી કરવાં. તમારે પણ કોઈ પ્રકાર નું કોઈને દુઃખ નથી આપવાનું. કોઈ પણ એવાં કર્મ ન
કરવા જોઈએ. મન્સા માં પણ ન આવવું જોઈએ. પરંતુ આ અવસ્થા અંત માં થશે. કાંઈ ન કાંઈ
કર્મેન્દ્રિયો થી ભૂલ થાય છે. પોતાને આત્મા સમજશો, બીજાઓ ને પણ આત્મા ભાઈ જોશો તો
પછી કોઈને દુઃખ નહીં આપશો. શરીર જ નહીં જોશો તો દુઃખ કેવી રીતે આપશો? આમાં ગુપ્ત
મહેનત છે. આ બધું બુદ્ધિ નું કામ છે. હમણાં તમે પારસબુદ્ધિ બની રહ્યાં છો. તમે
જ્યારે પારસબુદ્ધિ હતાં તો તમે ખૂબ સુખ જોયાં. તમે જ સુખધામ નાં માલિક હતાં ને? આ
છે દુઃખધામ. આ તો બહુ જ સરળ છે. તે શાંતિધામ છે આપણું સ્વીટ હોમ. પછી ત્યાંથી પાર્ટ
ભજવવા આવ્યાં છીએ, દુઃખ નો પાર્ટ ઘણો સમય ભજવ્યો છે, હવે સુખધામ માં જવાનું છે એટલે
એક-બીજા ને ભાઈ-ભાઈ સમજવાનું છે. આત્મા, આત્મા ને દુઃખ ન આપી શકે. પોતાને આત્મા સમજી
આત્મા સાથે વાત કરી રહ્યાં છીએ. આત્મા જ તખ્ત પર વિરાજમાન છે. આ પણ શિવબાબા નો રથ
છે ને? બાળકીઓ કહે છે - અમે શિવબાબા નાં રથ ને શૃંગારીએ છીએ, શિવબાબા નાં રથ ને
ખવડાવીએ છીએ. તો શિવબાબા જ યાદ રહે છે. એ છે જ કલ્યાણકારી બાપ. કહે છે હું ૫ તત્વો
નું પણ કલ્યાણ કરું છું. ત્યાં કોઈ પણ ચીજ ક્યારેય તકલીફ નથી આપતી. અહીં તો ક્યારેક
તોફાન, ક્યારેક ઠંડી, ક્યારેય શું થતું રહે છે. ત્યાં તો સદૈવ વસંતઋતુ રહે છે. દુઃખ
નું નામ નથી. તે છે જ સ્વર્ગ. બાપ આવ્યાં છે તમને સ્વર્ગ નાં માલિક બનાવવાં. ઊંચા
માં ઊંચા ભગવાન છે, ઊંચા માં ઊંચા બાપ ઊંચા માં ઊંચા સુપ્રીમ શિક્ષક પણ છે તો જરુર
ઊંચા માં ઊંચા જ બનાવશે ને? તમે આ લક્ષ્મી-નારાયણ હતાંં ને? આ બધી વાતો ભૂલી ગયા
છો. આ બાપ જ સમજાવે છે. ઋષિઓ-મુનિઓ વગેરે ને પૂછતા હતાં - તમે રચયિતા અને રચના ને
જાણો છો તો નેતિ-નેતિ કહી દેતા હતાં, જ્યારે તેમની પાસે જ જ્ઞાન નહોતું તો પછી
પરંપરા કેવી રીતે ચાલી શકે? બાપ કહે છે આ જ્ઞાન હું હમણાં જ આપું છું. તમારી સદ્દગતિ
થઈ ગઈ પછી જ્ઞાન ની જરુર નથી. દુર્ગતિ થતી જ નથી. સતયુગ ને કહેવાય છે સદ્દગતિ.
અહીંયા છે દુર્ગતિ. પરંતુ એ પણ કોઈને ખબર નથી કે આપણે દુર્ગતિ માં છીએ. બાપ માટે
ગવાય છે લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક), ખેવૈયા. વિષય સાગર થી બધા ની નાવ
પાર કરે છે, એને કહેવાય છે ક્ષીરસાગર. વિષ્ણુ ને ક્ષીરસાગર માં દેખાડે છે. આ બધા છે
ભક્તિમાર્ગ નાં ગાયન. મોટાં-મોટાં તળાવ છે, જેમાં વિષ્ણુ નું મોટું ચિત્ર દેખાડે
છે. બાપ સમજાવે છે, તમે જ આખાં વિશ્વ પર રાજ્ય કર્યુ છે. અનેક વાર હાર ખાધી અને જીત
મેળવી છે. બાપ કહે છે કામ મહાશત્રુ છે, તેનાં પર જીત મેળવવા થી તમે જગતજીત બનશો, તો
ખુશી થી બનવું જોઈએ ને? ભલે ગૃહસ્થ વ્યવહાર માં, પ્રવૃત્તિ માર્ગ માં રહો પરંતુ
કમળફૂલ સમાન પવિત્ર રહો. હમણાં તમે કાંટા થી ફૂલ બની રહ્યાં છો. સમજ માં આવે છે આ
છે ફોરેસ્ટ ઓફ થાર્ન્સ (કાંટાઓ નું જંગલ) એક-બીજા ને કેટલાં હેરાન કરે છે, મારી નાખે
છે. તો બાપ મીઠાં-મીઠાં બાળકો ને કહે છે તમારા બધાની હમણાં વાનપ્રસ્થ અવસ્થા છે.
નાનાં-મોટા બધાની વાનપ્રસ્થ અવસ્થા છે. તમે વાણી થી પરે જવા માટે ભણો છો ને? તમને
હમણાં સદ્દગુરુ મળ્યાં છે. તે તો વાનપ્રસ્થ માં તમને લઈ જ જશે. આ છે યુનિવર્સિટી.
ભગવાનુવાચ છે ને? હું તમને રાજયોગ શીખવાડીને રાજાઓ નાં રાજા બનાવું છું. જે પૂજ્ય
રાજાઓ હતાં તે જ પછી પુજારી રાજાઓ બને છે. તો બાપ કહે છે - બાળકો, સારી રીતે
પુરુષાર્થ કરો. દૈવીગુણ ધારણ કરો. ભલે ખાઓ, પીવો, શ્રીનાથદ્વારા માં જાઓ. ત્યાં ઘી
નો માલ ખૂબ મળે છે, ઘી નાં કુવા જ બનેલા છે. ખાય પછી કોણ છે? પુજારી. શ્રીનાથ અને
જગન્નાથ બંને ને કાળા બનાવ્યાં છે. જગન્નાથ નાં મંદિર માં દેવતાઓ નાં ગંદા ચિત્ર
છે, ત્યાં ચોખા નો હાંડો બનાવે છે. તે પાકી જવાથી ચાર ભાગ થઈ જાય છે. ફક્ત ચોખા નો
જ ભોગ લાગે છે કારણકે હમણાં સાધારણ છે ને? આ તરફ ગરીબ અને તે તરફ સાહૂકાર. હમણાં તો
જુઓ કેટલાં ગરીબ છે. ખાવા-પીવાનું કાંઈ નથી મળતું. સતયુગ માં તો બધું જ છે. તો બાપ
આત્માઓ ને સમજાવે છે. શિવબાબા બહુ જ મીઠાં છે. એ તો છે નિરાકાર, પ્રેમ આત્મા ને
કરાય છે ને? આત્મા ને જ બોલાવાય છે. શરીર તો બળી ગયું. તેમનાં આત્મા ને બોલાવે છે,
જ્યોતિ જગાડે છે, આનાથી સિદ્ધ છે આત્મા માં અંધકાર હોય છે. આત્મા છે જ શરીર રહિત તો
પછી અંધકાર વગેરે ની વાત કેવી રીતે થઈ શકે છે? ત્યાં આ વાતો હોતી નથી. આ બધું છે
ભક્તિમાર્ગ. બાપ કેટલું સારી રીતે સમજાવે છે. જ્ઞાન બહુ જ મીઠું છે. આમાં આંખો
ખોલીને સાંભળવાનું હોય છે. બાપ ને તો જોશો ને? તમે જાણો છો શિવબાબા અહીં વિરાજમાન
છે તો આંખો ખોલીને બેસવું જોઈએ ને? બેહદ નાં બાપ ને જોવા જોઈએ ને? પહેલાં બાળકીઓ
બાબા ને જોવા થી જ ધ્યાન માં ચાલી જતી હતી, પરસ્પર પણ બેઠાં-બેઠાં ધ્યાન માં ચાલ્યાં
જતાં હતાં. આંખો બંધ અને દોડતી રહેતી હતી. કમાલ તો હતી ને? બાપ સમજાવતા રહે છે
એક-બીજા ને જુઓ છો તો એવી રીતે સમજો - અમે ભાઈ (આત્મા) સાથે વાત કરીએ છીએ, ભાઈ ને
સમજાવીએ છીએ. તમે બેહદ નાં બાપ ની સલાહ નહીં માનશો? તમે આ અંતિમ જન્મ પવિત્ર બનશો
તો પવિત્ર દુનિયા નાં માલિક બનશો. બાબા અનેક ને સમજાવે છે. કોઈ તો ફટ થી કહી દે છે
બાબા અમે જરુર પવિત્ર બનીશું. પવિત્ર રહેવું તો સારું છે. કુમારી પવિત્ર છે તો બધાં
તેને માથું નમાવે છે. લગ્ન કરે છે તો પુજારી બની જાય છે. બધાને માથું નમાવવું પડે
છે. તો પ્યોરિટી (પવિત્રતા) સારી છે ને? પ્યોરિટી છે તો પીસ (શાંતિ) પ્રોસપર્ટી (સમૃદ્ધિ)
છે. બધો આધાર પવિત્રતા પર છે. બોલાવે પણ છે હે પતિત-પાવન, આવો. પાવન દુનિયામાં રાવણ
હોતો જ નથી. તે છે જ રામરાજ્ય, બધા ક્ષીરખંડ રહે છે. ધર્મ નું રાજ્ય છે પછી રાવણ
ક્યાંથી આવ્યો? રામાયણ વગેરે કેટલાં પ્રેમ થી બેસીને સંભળાવે છે. આ બધી છે ભક્તિ.
તો બાળકીઓ સાક્ષાત્કાર માં ડાન્સ કરવા લાગી જાય છે. સચ ની બેડી નું તો ગાયન છે -
હલશે પરંતુ ડૂબશે નહીં. બીજા કોઈ સત્સંગ માં જવાની મનાઈ નથી કરતા. અહીં કેટલું રોકે
છે. બાપ તમને જ્ઞાન આપે છે. તમે બનો છો બી.કે. બ્રાહ્મણ તો જરુર બનવાનું છે. બાપ છે
જ સ્વર્ગ ની સ્થાપના કરવાવાળા તો જરુર આપણે પણ સ્વર્ગ નાં માલિક હોવા જોઈએ. આપણે અહીં
નર્ક માં કેમ પડ્યાં છીએ? હવે સમજ માં આવે છે કે પહેલાં આપણે પણ પુજારી હતાં, હવે
પાછા પૂજ્ય બનીએ છીએ ૨૧ જન્મો માટે. ૬૩ જન્મ પુજારી બન્યાં, હવે ફરી આપણે પૂજ્ય
સ્વર્ગ નાં માલિક બનીશું. આ છે નર થી નારાયણ બનવા ની નોલેજ. ભગવાનુવાચ હું તમને
રાજાઓ નાં રાજા બનાવું છું. પતિત રાજાઓ પાવન રાજાઓ ને નમન કરે છે. દરેક મહારાજા નાં
મહેલો માં મંદિર જરુર હશે. તે પણ રાધા-કૃષ્ણ નાં અથવા લક્ષ્મી-નારાયણ નાં કે
રામ-સીતા નાં. આજકાલ તો ગણેશ, હનુમાન વગેરે નાં પણ મંદિર બનાવતા રહે છે. ભક્તિમાર્ગ
માં કેટલી અંધશ્રદ્ધા છે. હવે તમે સમજો છો બરોબર આપણે રાજાઈ કરી પછી વામમાર્ગ માં
પડીએ છીએ, હવે બાપ સમજાવે છે તમારો આ અંતિમ જન્મ છે. મીઠાં-મીઠાં બાળકો પહેલાં તમે
સ્વર્ગ માં હતાં. પછી ઉતરતાં-ઉતરતાં નીચે આવીને પડ્યાં છો. તમે કહેશો અમે ખૂબ ઊંચા
હતાં ફરી બાપ અમને ઊંચા ચઢાવે છે. આપણે દર ૫ હજાર વર્ષ પછી ભણતા જ આવીએ છીએ. આને
કહેવાય છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી રિપીટ.
બાબા કહે છે હું આપ
બાળકો ને વિશ્વ નાં માલિક બનાવું છું. આખાં વિશ્વ માં તમારું રાજ્ય હશે. ગીત માં પણ
છે ને - બાબા તમે એવું રાજ્ય આપો છો જે કોઈ છીનવી ન શકે. હમણાં તો કેટલાં પાર્ટીશન
(વિભાજન) છે. પાણી માટે, જમીન માટે ઝઘડા ચાલતા રહે છે. પોત-પોતાનાં પ્રાંત ની સંભાળ
કરતા રહે છે. ન કરે તો છોકરા લોકો (બાળક લોકો) પથ્થર મારવા લાગી જાય. તે લોકો સમજે
છે આ નૌજવાન પહેલવાન બની ભારત ની રક્ષા કરશે. એટલે પહેલવાની હમણાં દેખાડતા રહે છે.
દુનિયા ની હાલત જુઓ કેવી છે. રાવણ રાજ્ય છે ને?
બાપ કહે છે આ છે જ
આસુરી સંપ્રદાય. તમે હવે દૈવી સંપ્રદાય બની રહ્યાં છો. દેવતાઓ અને અસુરો ની પછી
લડાઈ કેવી રીતે થશે? તમે તો ડબલ અહિંસક બનો છો. એ છે ડબલ અહિંસક. દેવી-દેવતાઓ ને
ડબલ અહિંસક કહેવાય છે. અહિંસા પરમો દેવી-દેવતા ધર્મ કહેવાય છે. બાબાએ સમજાવ્યું -
કોઈને વાણી થી દુઃખ આપવું પણ હિંસા છે. તમે દેવતા બનો છો તો દરેક વાત માં રોયલ્ટી
હોવી જોઈએ. ખાવા-પીવાનું વગેરે ન ખૂબ ઊંચું, ન ખુબ હલ્કું. એકરસ. રાજાઓ વગેરે નું
બોલવાનું ખૂબ ઓછું હોય છે. પ્રજા નો પણ રાજા માં ખૂબ પ્રેમ હોય છે. અહીં તો જુઓ શું
થઈ ગયું છે. કેટલાં આંદોલન છે. બાપ કહે છે જ્યારે આવી હાલત થઈ જાય છે ત્યારે હું
આવીને વિશ્વ માં શાંતિ કરાવું છું. ગવર્મેન્ટ ઈચ્છે છે - બધા મળીને એક થઈ જાય. ભલે
બધા બ્રધર્સ (ભાઈઓ) તો છે પરંતુ આ તો ખેલ છે ને? બાપ કહે છે બાળકો ને, તમે કોઈ ફિકર
ન કરો. અનાજ ની હમણાં તકલીફ છે. ત્યાં તો અનાજ એટલું થઈ જશે, પૈસા વગર જેટલું જોઈએ
એટલું મળતું રહેશે. હમણાં તે દૈવી રાજધાની સ્થાપન કરી રહ્યાં છે. હું હેલ્થ ને પણ
એવી બનાવી દઉં છું જે ક્યારેય કોઈ રોગ થાય જ નહીં, ગેરેંટી (ખાતરી) છે. કેરેક્ટર (ચરિત્ર)
પણ આપણે આ દેવતાઓ જેવા બનાવીએ છીએ. જેવાં-જેવાં મિનિસ્ટર હોય એવું તેમને સમજાવી શકો
છો. યુક્તિ થી સમજાવવું જોઈએ. ઓપિનિયન (મંતવ્ય) માં ખૂબ સારું લખે છે. પરંતુ અરે,
તમે પણ તો સમજો ને? તો કહે છે ફુરસદ નથી. તમે મોટા લોકો થોડો અવાજ કરશો તો ગરીબો
નું પણ ભલું થશે.
બાપ સમજાવે છે હમણાં
બધાનાં માથા પર કાળ ઉભો છે. આજકાલ કરતાં-કરતાં કાળ ખાઈ જશે. તમે કુંભકરણ જેવાં બની
ગયા છો. બાળકો ને સમજાવવા માં ખૂબ મજા પણ આવે છે. બાબાએ જ આ ચિત્ર વગેરે બનાવડાવ્યાં
છે. દાદા ને થોડું આ જ્ઞાન હતું! તમને વારસો લૌકિક અને પારલૌકિક બાપ પાસે થી મળે
છે. અલૌકિક બાપ પાસે થી વારસો નથી મળતો. આ તો દલાલ છે, આમનો વારસો નથી. પ્રજાપિતા
બ્રહ્મા ને યાદ નથી કરવાના. મારી પાસે થી તો તમને કાંઈ પણ નથી મળતું. હું પણ ભણું
છું, વારસો છે જ એક હદ નો, બીજો બેહદ નાં બાપ નો. પ્રજાપિતા બ્રહ્મા શું વારસો આપશે.
બાપ કહે છે - મામેકમ્ યાદ કરો, આ તો રથ છે ને? રથ ને તો યાદ નથી કરવાનો ને? ઊંચા
માં ઊંચા ભગવાન કહેવાય છે. બાપ આત્માઓ ને બેસીને સમજાવે છે. આત્મા જ બધું કરે છે
ને? એક ખાલ છોડી બીજી લે છે. જેમ સાપ નું ઉદાહરણ છે. ભ્રમરીઓ પણ તમે છો. જ્ઞાન ની
ભૂં-ભૂં કરો. જ્ઞાન સંભળાવતાં-સંભળાવતાં તમે કોઈને પણ વિશ્વ નાં માલિક બનાવી શકો
છો. બાપ જે તમને વિશ્વ નાં માલિક બનાવે છે એવાં બાપ ને કેમ નહીં યાદ કરશો? હમણાં
બાપ આવેલા છે તો વારસો કેમ ન લેવો જોઈએ? એવું કેમ કહો છો કે ફુરસદ નથી મળતી.
સારા-સારા બાળકો તો સેકન્ડ માં સમજી જાય છે. બાબાએ સમજાવ્યું છે - મનુષ્ય લક્ષ્મી
ની પૂજા કરે છે, હવે લક્ષ્મી પાસે થી શું મળે છે અને અંબા પાસે થી શું મળે છે?
લક્ષ્મી તો છે સ્વર્ગ ની દેવી. તેમની પાસે થી પૈસા ની ભીખ માંગે છે. અંબા તો વિશ્વ
નાં માલિક બનાવે છે. બધી કામનાઓ પૂરી કરી દે છે. શ્રીમત દ્વારા સર્વ કામનાઓ પૂરી થઈ
જાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ
કર્મેન્દ્રિયો થી કોઈ ભૂલ ન થાય એનાં માટે હું આત્મા છું, આ સ્મૃતિ પાક્કી કરવાની
છે. શરીર ને નથી જોવાનું. એક બાપ તરફ અટેન્શન (ધ્યાન) આપવાનું છે.
2. હમણાં વાનપ્રસ્થ
અવસ્થા છે એટલે વાણી થી પરે જવાનો પુરુષાર્થ કરવાનો છે, પવિત્ર જરુર બનવાનું છે.
બુદ્ધિ માં રહે - સચ કી નૈયા હિલેગી, ડૂબેગી નહીં… એટલે વિઘ્નો થી ગભરાવાનું નથી.
વરદાન :-
ડ્રામા ની
નોલેજ થી અચલ સ્થિતિ બનાવવા વાળા પ્રકૃતિ તથા માયાજીત ભવ
પ્રકૃતિ તથા માયા
દ્વારા કેવાં પણ પેપર આવે પરંતુ જરા પણ હલચલ ન થાય. આ શું, આ કેમ, આ પ્રશ્ન પણ ઉઠ્યો,
જરા પણ કોઈ સમસ્યા વાર કરવાવાળી બની ગઈ તો ફેલ થઈ જશો એટલે કાંઈ પણ થાય પરંતુ અંદર
થી આ અવાજ નીકળે કે વાહ મીઠાં ડ્રામા વાહ, હાય શું થયું - આ સંકલ્પ પણ ન આવે. એવી
સ્થિતિ હોય જે કોઈ સંકલ્પ માં પણ હલચલ ન હો. સદા અચલ, અડોલ સ્થિતિ રહે ત્યારે
પ્રકૃતિજીત તથા માયાજીત નું વરદાન પ્રાપ્ત થશે.
સ્લોગન :-
ખુશખબરી
સંભળાવી ને ખુશી અપાવવી આ જ સૌથી શ્રેષ્ઠ કર્તવ્ય છે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો
મહારથીઓ નો પુરુષાર્થ
હવે વિશેષ આ જ અભ્યાસ નો છે. હમણાં-હમણાં કર્મયોગી, હમણાં-હમણાં કર્માતીત સ્ટેજ.
જૂની દુનિયા માં, જૂનાં અંતિમ શરીર માં કોઈપણ પ્રકાર ની વ્યાધિ પોતાની શ્રેષ્ઠ
સ્થિતિ ને હલચલ માં ન લાવે. સ્વચિંતન, જ્ઞાન ચિંતન, શુભચિંતક બનવાનું ચિંતન જ ચાલે
ત્યારે કહેવાશે કર્માતીત સ્થિતિ.