18-02-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


"મીઠા બાળકો - તમારી ફરજ અદાઇ છે, ઘર ઘર માં બાપ નો સંદેશો આપવો, કોઈ પણ હાલતમાં યુક્તિ રચીને બાપનો પરિચય દરેકને આપવો "
પ્રશ્ન :-
આપ બાળકો ને કઈ એક વાત નો શોખ રહેવો જોઈએ?

ઉત્તર :-
જે નવાં-નવાં પોઈન્ટ્સ (મુદ્દાઓ) નીકળે છે, તેને પોતાની પાસે નોંધ કરવાનો શોખ રહેવો જોઈએ કારણકે આટલા બધા પોઈન્ટ્સ યાદ રાખવા મુશ્કેલ છે. નોંધ કરીને પછી કોઈને સમજાવવાનું છે. એવું પણ નહીં કે લખીને પછી ચોપડી પડી રહે. જે બાળકો સારી રીતે સમજે છે તેમને નોટ્સ લેવાનો (નોંધ કરવાનો) ખૂબ શોખ રહે છે.

ગીત :-
લાખ જમાને વાલે…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકોએ ગીત સાંભળ્યું. રુહાની બાળકો, આ શબ્દ એક બાપ જ કહી શકે છે. રુહાની બાપ વગર ક્યારેય કોઈ કોઈને રુહાની બાળકો કહી ન શકે. બાળકો જાણે છે બધા રુહો નાં એક જ બાપ છે, આપણે બધા ભાઈ-ભાઈ છીએ. ગાય પણ છે બ્રધરહુડ (ભાઈચારો), તો પણ માયા ની પ્રવેશતા એવી છે જે પરમાત્મા ને સર્વવ્યાપી કહી દે છે તો ફાધરહુડ (પિતૃત્વ) થઈ જાય છે. રાવણ રાજ્ય જૂની દુનિયામાં જ હોય છે. નવી દુનિયામાં રામ રાજ્ય અથવા ઈશ્વરીય રાજ્ય કહેવાય છે. આ સમજવાની વાતો છે. બે રાજ્યો જરુર છે - ઈશ્વરીય રાજ્ય અને આસુરી રાજ્ય. નવી દુનિયા અને જૂની દુનિયા. નવી દુનિયા જરુર બાપ જ રચતા હશે. આ દુનિયા માં મનુષ્ય નવી દુનિયા અને જૂની દુનિયા ને પણ નથી સમજતાં. એટલે કંઈ નથી જાણતાં. તમે પણ કંઈ નહોતા જાણતાં, બેસમજ હતાં. નવી સુખ ની દુનિયા કોણ સ્થાપન કરે છે? પછી જૂની દુનિયા માં દુઃખ કેમ હોય છે? સ્વર્ગ થી નર્ક કેવી રીતે બને છે? આ કોઈને પણ ખબર નથી. આ વાતો ને તો મનુષ્ય જ જાણશે ને? દેવતાઓ નાં ચિત્ર પણ છે તો જરુર આદિ-સનાતન દેવી-દેવતાઓ નું રાજ્ય હતું. આ સમયે નથી. આ છે પ્રજા નું પ્રજા પર રાજ્ય. બાપ ભારત માં જ આવે છે. મનુષ્યો ને આ ખબર નથી કે શિવબાબા ભારત માં આવીને શું કરે છે? પોતાનાં ધર્મ ને જ ભૂલી ગયા છે. તમારે હવે પરિચય આપવાનો છે ત્રિમૂર્તિ અને શિવબાપ નો. બ્રહ્મા દેવતા, વિષ્ણુ દેવતા, શંકર દેવતા કહેવાય છે પછી કહે છે શિવ પરમાત્માય નમઃ તો આપ બાળકોએ ત્રિમૂર્તિ શિવ નો જ પરિચય આપવાનો છે. આવી-આવી સર્વિસ કરવાની છે. કોઈ પણ હાલત માં બાપ નો પરિચય બધાને મળે તો બાપ પાસે થી વરસો લઈ લે. તમે જાણો છો આપણે હમણાં વરસો લઈ રહ્યા છીએ. બીજા પણ ઘણાઓએ વારસો લેવાનો છે. આપણા ઉપર ફર્જ-અદાઈ છે ઘર-ઘર માં બાપ નો સંદેશ આપવાની. હકીકત માં મેસેન્જર (સંદેશવાહક) એક બાપ જ છે. બાપ સ્વયં નો પરિચય તમને આપે છે. તમારે પછી બીજાઓને બાપ નો પરિચય આપવાનો છે. બાપ ની નોલેજ આપવાની છે. મુખ્ય છે ત્રિમૂર્તિ શિવ, આમનો જ કોર્ટ ઓફ આર્મસ (સૂચક ચિન્હ) પણ બનાવ્યો છે. ગવર્મેન્ટ આનો યથાર્થ અર્થ નથી સમજતી. એમાં ચક્ર પણ આપ્યું છે ચરખા જેવું અને એમાં પછી લખ્યું છે સત્યમેવ જયતે. આનો અર્થ તો નીકળતો નથી. આ તો સંસ્કૃત શબ્દ છે. હવે બાપ તો છે જ ટ્રુથ (સત્ય). એ જે સમજાવે છે તેમાં તમારો વિજય થાય છે આખા વિશ્વ પર. બાપ કહે છે હું સત્ય કહું છું તમે આ ભણતર થી સાચાં-સાચાં નારાયણ બની શકો છો. તે લોકો શું-શું અર્થ કાઢે છે. તે પણ તેમને પૂછવું જોઈએ. બાબા તો અનેક પ્રકાર થી સમજાવે છે. જ્યાં-જ્યાં મેળો લાગે છે ત્યાં નદીઓ પર પણ જઈને સમજાવો. પતિત-પાવન ગંગા તો હોઈ ન શકે. નદીઓ સાગર માંથી નીકળી છે. તે છે પાણી નો સાગર. તેનાથી પાણીની નદીઓ નીકળે છે. જ્ઞાનસાગર થી જ્ઞાન ની નદીઓ નીકળશે. આપ માતાઓ માં હવે જ્ઞાન છે, ગૌમુખ પર જાય છે, તેનાં મુખ માંથી પાણી નીકળે છે, સમજે છે આ ગંગા નું જળ છે. આટલા ભણેલા-ગણેલા મનુષ્ય સમજતા નથી કે અહીં ગંગા નું જળ ક્યાંથી નીકળશે? શાસ્ત્રો માં છે કે બાણ માર્યુ અને ગંગા નીકળી આવી. હવે આ તો છે જ્ઞાન ની વાતો. એવું નથી કે અર્જુને બાણ માર્યુ અને ગંગા નીકળી આવી. કેટલાં દૂર-દૂર તીર્થો પર જાય છે. કહે છે શંકર ની જટાઓ માંથી ગંગા નીકળી, જેમાં સ્નાન કરવાથી મનુષ્ય થી પરી બની જાય છે. મનુષ્ય થી દેવતા બની જાય, આ પણ પરી જેવું છે ને?

હવે આપ બાળકોએ બાપ નો જ પરિચય આપવાનો છે એટલે બાબાએ આ ચિત્ર બનાવડાવ્યા છે. ત્રિમૂર્તિ શિવ નાં ચિત્ર માં બધી નોલેજ છે. ફક્ત તેમનાં ત્રિમૂર્તિ નાં ચિત્ર માં નોલેજ આપવા વાળા શિવ નું ચિત્ર નથી. નોલેજ લેવા વાળા નું ચિત્ર છે. હમણાં તમે ત્રિમૂર્તિ શિવ નાં ચિત્ર પર સમજાવો છો. ઉપર છે નોલેજ આપવા વાળા. બ્રહ્મા ને એમની પાસે થી નોલેજ મળે છે જે પછી ફેલાવે છે. આને કહેવાય છે ઈશ્વર નાં ધર્મ ની સ્થાપના ની મશીનરી (યંત્ર). આ દેવી-દેવતા ધર્મ બહુ જ સુખ આપવા વાળો છે. આપ બાળકોને સ્વયં નાં સત્ય ધર્મ નો પરિચય મળ્યો છે. તમે જાણો છો આપણને ભગવાન ભણાવે છે. તમે કેટલાં ખુશ થાઓ છો. બાપ કહે છે આપ બાળકોની ખુશી નો પારાવાર ન હોવો જોઈએ કારણકે તમને ભણાવવા વાળા સ્વયં ભગવાન છે, ભગવાન તો નિરાકાર શિવ છે, નહીં કે શ્રી કૃષ્ણ. બાપ સમજાવે છે સર્વ નાં સદ્દગતિ દાતા એક છે. સદ્દગતિ સતયુગ ને કહેવાય છે, દુર્ગતિ કળિયુગ ને કહેવાય છે. નવી દુનિયા ને નવી, જૂની ને જૂની જ કહેવાશે. મનુષ્ય સમજે છે હજી દુનિયાને જૂની થવામાં ૪૦ હજાર વર્ષ જોઈએ. કેટલાં મૂંઝાઈ ગયા છે. બાપ સિવાય કોઈ આ વાતો સમજાવી ન શકે. બાબા કહે છે હું આપ બાળકોને રાજ્ય-ભાગ્ય આપી, બાકી બધાને ઘરે લઈ જાઉં છું, જે મારી મત પર ચાલે છે તે દેવતા બની જાય છે. આ વાતો ને આપ બાળકો જ જાણો છો, નવાં કોઈ શું સમજશે?

આપ માળીઓ નું કર્તવ્ય છે બગીચો બનાવીને તૈયાર કરવો. બાગવાન તો ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે. એવું નથી બાબા કોઈ નવાં થી મળીને જ્ઞાન આપશે. આ કામ માળીઓ નું છે. સમજો, બાબા કલકત્તા માં જાય તો બાળકો સમજશે અમે અમારા ઓફિસર ને, ફલાણા મિત્ર ને બાબા ની પાસે લઈ જઈએ. બાબા કહેશે, તે તો સમજશે કંઈ પણ નહીં. જાણે બુદ્ધુ ને સામે લઈ આવીને બેસાડશે એટલે બાબા કહે છે નવાં ને ક્યારેય બાબાની સામે લઈને ન આવો. આ તો આપ માળીઓ નું કામ છે, નહીં કે બાગવાન નું. માળી નું કામ છે બગીચાને લગાવવાનું. બાપ તો ડાયરેક્શન આપે છે-આવું-આવું કરો એટલે બાબા ક્યારેય નવાં ને મળતા નથી. પરંતુ ક્યાંક મહેમાન બનીને ઘર માં આવે છે તો કહે છે દર્શન કરીએ. તમે અમને કેમ નથી મળવા દેતાં? શંકરાચાર્ય વગેરે પાસે કેટલાં જાય છે. આજકાલ શંકરાચાર્ય નું બહુ જ નામ છે. ભણેલા-ગણેલા છે છતાં પણ જન્મ તો વિકાર થી જ લે છે ને? ટ્રસ્ટી લોકો ગાદી પર કોઈને પણ બેસાડી દે છે. બધાની મત પોત-પોતાની છે. બાપ સ્વયં આવીને બાળકોને પોતાનો પરિચય આપે છે કે હું કલ્પ-કલ્પ આ જૂનાં તન માં આવું છું. આ પણ પોતાનાં જન્મો ને નથી જાણતાં. શાસ્ત્રો માં તો કલ્પ ની આયુ જ લાખો વર્ષ લગાવી દીધી છે. મનુષ્ય તો એટલા જન્મ લઈ ન શકે પછી જાનવર વગેરે ની પણ યોનીઓ મેળવીને ૮૪ લાખ બનાવી દીધી છે. મનુષ્ય તો જે સાંભળે છે બધું સત્-સત્ કરતા રહે છે. શાસ્ત્રો માં તો બધી છે ભક્તિ માર્ગ ની વાતો. કલકત્તા માં દેવીઓની ખૂબ શોભાવાન, સુંદર મૂર્તિઓ બનાવે છે, સજાવે છે. પછી તેને ડુબાડી દે છે. આ પણ મૂર્તિઓ ની પૂજા કરવા વાળા બેબી (બાળક) જ થયાં. બિલકુલ ઇનોસન્ટ (નિર્દોષ). તમે જાણો છો આ છે નર્ક. સ્વર્ગ માં તો અથાહ સુખ હતું. હમણાં પણ કોઈ મરે છે તો કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યા તો જરુર કોઈ સમયે સ્વર્ગ હતું, હમણાં નથી. નર્ક પછી ફરી જરુર સ્વર્ગ આવશે. આ વાતો ને પણ તમે જાણો છો. મનુષ્ય તો રીંચક (અંશમાત્ર) પણ નથી જાણતાં. તો નવાં કોઈ બાબા ની સામે બેસીને શું કરશે એટલે માળી જોઈએ જે પૂરી પાલના કરે. અહીં તો માળી પણ કેટલાં અનેક જોઈએ. મેડિકલ કોલેજ માં કોઈ નવાં જઈને બેસે તો સમજશે કંઈ પણ નહીં. આ નોલેજ પણ નવી છે. બાપ કહે છે હું આવ્યો છું બધાને પાવન બનાવવાં. મને યાદ કરો તો પાવન બની જશો. આ સમયે બધા છે તમોપ્રધાન આત્માઓ, ત્યારે તો કહી દે છે આત્મા સો પરમાત્મા, બધા માં પરમાત્મા છે. તો બાપ થોડી બેસી એવાં સાથે માથું મારશે? આ તો આપ માળીઓ નું કામ છે-કાંટાઓ ને ફૂલ બનાવવાનું.

તમે જાણો છો ભક્તિ છે રાત, જ્ઞાન છે દિવસ. ગવાય પણ છે બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત. પ્રજાપિતા બ્રહ્મા નાં તો જરુર બાળકો પણ હશે ને? કોઈને એટલી પણ અક્કલ નથી જે પૂછે કે આટલા બ્રહ્માકુમાર-કુમારીઓ છે, તેમનાં બ્રહ્મા કોણ છે? અરે, પ્રજાપિતા બ્રહ્મા તો પ્રખ્યાત છે, તેમનાં દ્વારા જ બ્રાહ્મણ ધર્મ સ્થાપન થાય છે. કહે પણ છે બ્રહ્મા દેવતાય નમઃ. બાપ આપ બાળકોને બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવે છે.

જે નવાં-નવાં પોઈન્ટ્સ નીકળે છે, તેને પોતાની પાસે નોંધ કરવાનો શોખ બાળકો માં રહેવો જોઈએ. જે બાળકો સારી રીતે સમજે છે તેમને નોંધ કરવાનો બહુ જ શોખ રહે છે. નોંધ લેવી સારું છે, કારણકે આટલા બધા પોઈન્ટ્સ યાદ રાખવા મુશ્કેલ છે. નોંધ કરીને પછી કોઈને સમજાવવાનું છે. એવું નહીં કે લખી ને પછી ચોપડી પડી રહે. નવા-નવા પોઈન્ટ્સ મળતા રહે છે તો જૂનાં પોઈન્ટ્સ ની ચોપડીઓ પડી રહે છે. સ્કૂલ માં પણ ભણતાં જશે, પહેલાં ધોરણ ની ચોપડી પડી રહે છે. જ્યારે તમે સમજાવો છો તો અંત માં આ સમજાવો કે મનમનાભવ. બાપને અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરો. મુખ્ય વાત છે મામેકમ્ યાદ કરો, આને જ યોગ અગ્નિ કહેવાય છે. ભગવાન છે જ્ઞાન નાં સાગર. મનુષ્ય છે શાસ્ત્રો નાં સાગર. બાપ કોઈ શાસ્ત્ર નથી સંભળાવતાં, એ પણ શાસ્ત્ર સંભળાવે તો બાકી ભગવાન અને મનુષ્ય માં ફરક શું રહ્યો? બાપ કહે છે આ ભક્તિ માર્ગ નાં શાસ્ત્રો નો સાર તમને સમજાવું છું.

તે મોરલી વગાડવા વાળા સાપ ને પકડે છે તો તેનાં દાંત કાઢી નાંખે છે. બાપ પણ વિષ પીવાનું (વિકાર માં જવાનું) તમને છોડાવી દે છે. આ વિષ થી જ મનુષ્ય પતિત બન્યા છે. બાપ કહે છે આને છોડો છતાં પણ છોડતા નથી. બાપ ગોરા બનાવે છે તો પણ પડીને કાળું મોઢું કરી દે છે. બાપ આવ્યા છે આપ બાળકોને જ્ઞાન ચિતા પર બેસાડવાં. જ્ઞાન ચિતા પર બેસવાથી તમે વિશ્વ નાં માલિક, જગત જીત બની જાઓ છો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા ખુશી રહે કે આપણે સત્ ધર્મ ની સ્થાપના નાં નિમિત્ત છીએ. સ્વયં ભગવાન આપણને ભણાવે છે. આપણો દેવી-દેવતા ધર્મ બહુ જ સુખ આપવા વાળો છે.

2. માળી બની કાંટાઓ ને ફૂલ બનાવવાની સેવા કરવાની છે. પૂરી પાલના કરી પછી બાપ ની સામે લાવવાનાં છે. મહેનત કરવાની છે.

વરદાન :-
જુના દેહ અને દુનિયાને ભૂલવા વાળા બાપદાદા ના દિલતખ્તનશીન ભવ

સંગમયુગી શ્રેષ્ઠ આત્માઓ નું સ્થાન છે જ બાપદાદા નું દિલતખ્ત. એવું તખ્ત આખા કલ્પ માં નથી મળી શકતું. વિશ્વ નાં રાજ્ય નું કે સ્ટેટ નાં રાજ્ય નું તખ્ત તો મળતું રહેશે પરંતુ આ તખ્ત નહીં મળશે - આ એટલું વિશાળ તખ્ત છે જે ચાલો, ફરો, ખાવ-સુવો પરંતુ સદા તખ્ત નશીન રહી શકો છો. જે બાળકો સદા બાપદાદા નાં દિલ તખ્ત નશીન રહે છે તે આ દેહ અથવા દેહ ની દુનિયા થી વિસ્મૃત રહે છે, એને જોવા છતાં પણ નથી જોતાં.

સ્લોગન :-
હદ નાં નામ, માન, શાન ની પાછળ દોડ લગાડવી અર્થાત્ પડછાયા ની પાછળ પડવું.

અવ્યક્ત ઈશારો :- એકાંતપ્રિય બનો એકતા અને એકાગ્રતા ને અપનાવો

જેવી રીતે કોઈ પણ નવી શોધ અંડરગ્રાઉન્ડ જવાથી કરી શકે છે. તેવી રીતે તમે પણ જેટલા અંડરગ્રાઉન્ડ અર્થાત્ અંતર્મૂખી રહેશો એટલી નવી-નવી શોધો અથવા યોજનાઓ કરી શકશો. અંડરગ્રાઉન્ડ રહેવાથી એક તો વાયુમંડળ થી બચાવ થઈ જશે બીજું એકાંત પ્રાપ્ત થવાને કારણે મનન શક્તિ પણ વધશે. ત્રીજું કોઈપણ માયા નાં વિઘ્નો થી સેફ્ટી નું સાધન બની જાય છે.