18-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - જ્યારે તમે ફૂલ બનશો , ત્યારે આ ભારત કાંટાઓ નાં જંગલ થી સંપૂર્ણ ફૂલો નો બગીચો બનશે , બાબા આવ્યાં છે તમને ફૂલ બનાવવાં”

પ્રશ્ન :-
મંદિર લાયક બનવા માટે કઈ વાતો પર વિશેષ ધ્યાન આપવાનું છે?

ઉત્તર :-
મંદિર લાયક બનવું છે તો ચલન પર વિશેષ ધ્યાન આપો - ચલન ખૂબ મીઠી અને રોયલ હોવી જોઈએ. એટલી મીઠાશ હોય જે બીજાઓ ને તેનો અનુભવ થાય. અનેક ને બાપ નો પરિચય આપો. પોતાનું કલ્યાણ કરવા માટે સારી રીતે પુરુષાર્થ કરી સર્વિસ પર લાગ્યાં રહો.

ગીત :-
બદલ જાયે દુનિયા ન બદલેંગે હમ…

ઓમ શાંતિ!
રુહાની બાળકો જાણે છે કે બાપ બ્રહ્મા દ્વારા સમજાવી રહ્યાં છે. બ્રહ્મા નાં રથ દ્વારા જ સમજાવતા રહે છે. આપણે આ પ્રતિજ્ઞા કરીએ છીએ કે શ્રીમત પર આપણે આ ભારત ની ભૂમિ ને પતિત થી પાવન બનાવીશું. ભારત ખાસ અને દુનિયા આમ (સામાન્ય), બધાને આપણે પતિત થી પાવન બનવાનો રસ્તો બતાવીએ છીએ. આટલો વિચાર દરેકે પોતાની બુદ્ધિ માં રાખવાનો છે. બાપ કહે છે ડ્રામા અનુસાર જ્યારે તમે ફૂલ બની જશો અને જ્યારે સમય આવી જશે તો સંપૂર્ણ બગીચો બની જશે. બાગવાન પણ નિરાકાર ને કહેવાય છે, માળી પણ નિરાકાર ને કહેવાય છે, સાકાર ને નહીં. માળી પણ આત્મા છે, ન કે શરીર. બાગવાન પણ આત્મા છે. બાપ સમજાવશે તો જરુર શરીર દ્વારા ને? શરીર ની સાથે જ એમને માળી બાગવાન કહેવાય છે, જે આ વિશ્વ ને ફૂલો નો બગીચો બનાવે છે. બગીચો હતો જ્યાં આ દેવતાઓ રહેતાં હતાં. ત્યાં કોઈ દુઃખ નહોતું. અહીં આ કાંટાઓ નાં જંગલ માં તો દુઃખ છે, રાવણ નું રાજ્ય છે, કાંટાઓ નું જંગલ છે. ફટ થી કોઈ ફૂલ નથી બનતાં. દેવતાઓ ની આગળ જઈને ગાય પણ છે કે અમે જન્મ-જન્માંતર નાં પાપી છીએ, અજામિલ છીએ. એવી પ્રાર્થના કરે છે, હવે આવીને અમને પુણ્ય આત્મા બનાવો. સમજે છે હમણાં અમે પાપ આત્મા છીએ. કોઈ સમયે પુણ્ય આત્મા હતાં. હમણાં આ દુનિયા માં પુણ્ય આત્માઓ નાં ફક્ત ચિત્રો છે. રાજધાની નાં મુખ્ય નાં ચિત્ર છે અને તેમને એવાં બનાવવા વાળા નિરાકાર છે શિવ. તેમનું ચિત્ર છે, બસ. બીજા કોઈ ચિત્ર નથી. આમાં પણ શિવ નું તો મોટું લિંગ બનાવી દે છે. કહે પણ છે કે આત્મા સ્ટાર જેવો છે, તો જરુર બાપ પણ એવાં હશે ને? પરંતુ એમનો પૂરો પરિચય નથી. આ લક્ષ્મી-નારાયણ નું વિશ્વ માં રાજ્ય હતું. આમનાં માટે ક્યાંય પણ કોઈ ગ્લાની ની વાત નથી લખતાં. બાકી શ્રીકૃષ્ણ ને ક્યારેક દ્વાપર માં, ક્યારેક ક્યાં લઈ જાય છે! લક્ષ્મી-નારાયણ માટે બધા કહેશે સ્વર્ગ નાં માલિક હતાં. આ છે તમારું મુખ્ય-લક્ષ. રાધા-કૃષ્ણ કોણ છે? મનુષ્ય બિચારા એકદમ મૂંઝાયેલા છે, કાંઈ નથી સમજતાં. જે બાપ દ્વારા સમજે છે, તે સમજાવવા લાયક પણ બને છે. નહીં તો લાયક બની નથી શકતાં. દૈવીગુણ ધારણ કરી નથી શકતાં. ભલે કેટલું પણ સમજાવો. પરંતુ ડ્રામા અનુસાર એવું થવાનું જ છે. તમે હમણાં સ્વયં સમજો છો આપણે બધા બાળકો બાપ ની શ્રીમત પર ભારત ની રુહાની સર્વિસ કરીએ છીએ પોતાનાં જ તન-મન-ધન થી. પ્રદર્શન અથવા મ્યુઝિયમ વગેરે માં પૂછે છે તમે ભારત ની શું સેવા કરો છો? તમે જાણો છો અમે ભારત ની ખૂબ સારી સર્વિસ કરીએ છીએ, જંગલ થી બગીચો બનાવી રહ્યાં છીએ. સતયુગ છે ગાર્ડન. આ છે કાંટાઓ નું જંગલ. એક-બીજા ને દુઃખ આપતા રહે છે. આ તમે સારી રીતે સમજાવી શકો છો. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર પણ ખૂબ સારા બનાવવા જોઈએ. મંદિરો માં ખૂબ સુંદર ચિત્ર બનાવે છે. ક્યાંક ગોરા, ક્યાંક શ્યામ ચિત્ર બનાવે છે, તેનું શું રહસ્ય છે આ પણ સમજતા નથી. આપ બાળકો ને હમણાં આ બધું જ્ઞાન છે. બાપ કહે છે હું આવીને બધાને મંદિર લાયક બનાવું છું, પરંતુ બધા મંદિર લાયક નથી બનતાં. પ્રજા ને તો મંદિર લાયક નહીં કહેવાશે ને? પ્રજા તેમની જ હશે જે પુરુષાર્થ કરી ખૂબ સર્વિસ કરે છે.

આપ બાળકોએ રુહાની સોશિયલ સર્વિસ પણ કરવાની છે, આ સેવા માં પોતાનું જીવન સફળ કરવાનું છે. ચલન પણ ખૂબ મીઠી સુંદર હોવી જોઈએ, જે બીજાઓ ને પણ મીઠાશ થી સમજાવી શકે. પોતે જ કાંટા હશે તો કોઈને ફૂલ કેવી રીતે બનાવશે? તેમનું તીર પૂરું લાગશે નહીં. બાપ ને યાદ નહીં કરતા હશે તો તીર કેવી રીતે લાગશે? પોતાનાં કલ્યાણ માટે સારી રીતે પુરુષાર્થ કરી સર્વિસ માં લાગ્યાં રહો. બાપ પણ સર્વિસ પર છે ને? આપ બાળકો પણ દિવસ-રાત સર્વિસ પર રહો.

બીજી વાત, સમજાવે છે શિવજયંતી પર ઘણાં બાળકો તાર મોકલી દે છે, તેમાં પણ એવું લખાણ લખવું જોઈએ જે તે તાર કોઈને પણ દેખાડે તો સમજી જાય. આગળ નાં માટે શું કરવાનું છે, તેનો પુરુષાર્થ કરાય છે. સેમિનાર પણ એટલે કરે છે કે શું-શું સર્વિસ કરીએ જે અનેક ને બાપ નો પરિચય મળે. તાર અસંખ્ય રાખ્યાં છે, આનાં થી ઘણું કામ લઈ શકો છો. એડ્રેસ (સરનામું) લખે છે શિવબાબા કેયર ઓફ બ્રહ્મા. પ્રજાપિતા બ્રહ્મા પણ છે, એ રુહાની પિતા, આ શરીરધારી. તેમના દ્વારા શરીરધારી રચના રચાય છે. બાપ છે મનુષ્ય સૃષ્ટિ નાં રચયિતા. કેવી રીતે રચના રચે છે, આ દુનિયાભર માં કોઈ નથી જાણતાં. બાપ બ્રહ્મા દ્વારા હમણાં નવી રચના રચી રહ્યાં છે. બ્રાહ્મણ છે ચોટલી. પહેલાં-પહેલાં બ્રાહ્મણ જરુર જોઈએ. વિરાટ રુપ ની છે આ ચોટલી. બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. પહેલાં શુદ્ર તો ન હોય શકે. બાપ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચે છે. શુદ્ર કેવી રીતે અને કોનાં દ્વારા રચશે?

આપ બાળકો જાણો છો કેવી રીતે નવી રચના રચે છે, આ એડોપ્શન છે બાપ ની. કલ્પ-કલ્પ બાપ આવીને શુદ્ર થી બ્રાહ્મણ બનાવે છે પછી બ્રાહ્મણ થી દેવતા બનાવે છે. બ્રાહ્મણો ની સર્વિસ ખૂબ ઊંચી છે. તે બ્રાહ્મણ લોકો પોતે જ પવિત્ર નથી તો બીજા ને પવિત્ર કેવી રીતે બનાવશે? કોઈ પણ બ્રાહ્મણ સંન્યાસી ને ક્યારેય રાખડી નહીં બાંધશે. તે કહેશે અમે તો છીએ જ પવિત્ર. તમે પોતાનું મોઢું જુઓ. આપ બાળકો પણ કોઈ પાસે રાખડી ન બંધાવી શકો. દુનિયા માં તો બધા એક-બીજા ને બાંધે છે. બહેન-ભાઈ ને બાંધે છે, આ રિવાજ હમણાં નીકળ્યો છે. હમણાં તમે શુદ્ર થી બ્રાહ્મણ બનવા માટે પુરુષાર્થ કરો છો. સમજાવવું પડે છે. મેલ-ફિમેલ (સ્ત્રી-પુરુષ) બંને પવિત્રતા ની પ્રતિજ્ઞા કરે છે, બંને બતાવી શકે છે કે અમે કેવી રીતે બાપની શ્રીમત થી પવિત્ર રહીએ છીએ. અંત સુધી આ કામ વિકાર પર જીતી ને રહ્યાં તો પવિત્ર જગત નાં માલિક બનશે. પવિત્ર દુનિયા સતયુગ ને કહેવાય છે, જે હમણાં સ્થાપન થઈ રહી છે. તમે બધા પવિત્ર છો. વિકાર માં પડવા (જવા) વાળા ને રાખડી બાંધી શકો છો. પ્રતિજ્ઞા કરી અને પછી પતિત બન્યાં તો કહેશે તમે રાખડી બંધાવવા આવ્યાં હતાં પછી શું થયું? કહેશે માયા થી હાર ખાઈ લીધી, આ છે યુદ્ધ નું મેદાન. વિકાર મોટો દુશ્મન છે. આનાં પર જીત મેળવવા થી જ જગતજીત અર્થાત્ રાજા-રાણી બનવાનું છે, પ્રજા ને જગતજીત નહીં કહેવાશે. મહેનત તો રાજા-રાણી કરે છે ને? કહે પણ છે અમે તો લક્ષ્મી-નારાયણ બનીશું. લક્ષ્મી-નારાયણ પછી તેમનાં તખ્ત પર જીત તેમનાં બાળકો ની થાય છે. તે લક્ષ્મી-નારાયણ પછી બીજા જન્મ માં નીચે ચાલ્યાં જશે. ભિન્ન નામ-રુપ થી બાળકો ને ગાદી મળે છે તો ઊંચ નંબર ગણાશે. પુનર્જન્મ તો લે છે ને? બાળક તખ્ત પર બેસશે તો તે સેકન્ડ ગ્રેડ થઈ જશે. ઉપર વાળા નીચે, નીચે વાળા ઉપર આવી જશે. તો હવે બાળકોએ એવાં ઊંચ બનવાનું છે તો સર્વિસ માં લાગી જવું જોઈએ. પવિત્ર બનવું પણ ખૂબ જરુરી છે. બાપ કહે છે હું પવિત્ર દુનિયા બનાવું છું. સારો પુરુષાર્થ થોડા કરે છે, પવિત્ર તો આખી દુનિયા બની જાય છે. તમારા માટે સ્વર્ગ ની સ્થાપના કરે છે. આ ડ્રામા અનુસાર થવાનું જ છે, આ ખેલ બનેલો છે. તમે પવિત્ર બની જાઓ છો પછી વિનાશ શરુ થઈ જાય છે. સતયુગ ની સ્થાપના થઈ જાય છે. ડ્રામા ને તો તમે સમજી શકો છો. સતયુગ માં હતું દેવતાઓ નું રાજ્ય. હમણાં નથી, ફરી બનવાનું છે.

તમે છો રુહાની મિલેટ્રી. તમે ૫ વિકારો પર જીત મેળવવા થી જગતજીત બનવા વાળા છો. જન્મ-જન્માન્તર નાં પાપ કપાવવા માટે બાબા યુક્તિઓ બતાવે છે. બાપ એક જ વખત આવીને યુક્તિ બતાવે છે. જ્યાં સુધી રાજધાની સ્થાપન ન થઈ જાય ત્યાં સુધી વિનાશ નહીં થશે. તમે બહુ જ ગુપ્ત વારિયર્સ (યોધ્ધાઓ) છો. સતયુગ આવવાનો જ છે કળિયુગ પછી. પછી સતયુગ માં ક્યારેય લડાઈ થતી નથી. આપ બાળકો જાણો છો બધા આત્માઓ જે પણ પાર્ટ ભજવે છે, તે બધું નોંધાયેલું છે. જેમ કટપુતલીઓ હોય છે ને, એમ નાચતાં રહે છે. આ પણ ડ્રામા છે, દરેક નો આ ડ્રામા માં પાર્ટ છે. પાર્ટ ભજવતા-ભજવતા તમે તમોપ્રધાન બન્યાં છો. પછી બાપ ઉપર લઈ જાય છે. હકીકતમાં તે માછલીઓ તાર માં લટકે છે, આ તાર માં મનુષ્ય ને નાખવા જોઈએ. આમ ઉતરતી કળા પછી ચઢતી કળા થાય છે. તમે પણ આમ ચઢો છો પછી ઉતરતા-ઉતરતા નીચે આવી જાઓ છો. ૫ હજાર વર્ષ લાગે છે ઉપર જઈને પછી ઉતરવામાં. આ ૮૪ નું ચક્ર તમારી બુદ્ધિ માં છે. ઉતરતી કળા અને ચઢતી કળા નાં રહસ્ય બાપે જ સમજાવ્યાં છે. તમારા માં પણ નંબરવાર જાણે છે અને પછી પુરુષાર્થ કરે છે, જે બાપ ને યાદ કરે છે તે જલ્દી ઉપર જાય છે. આ પ્રવૃત્તિ માર્ગ છે. જેમ જોડીને દોડાવે છે તો જોડી નો એક-એક પગ બાંધે છે પછી દોડે છે. આ પણ તમારી દોડ છે ને? કોઈ નો અભ્યાસ નથી હોતો તો પડી જાય છે, આમાં પણ આવું થાય છે. એક આગળ વધે છે, તો બીજો રોકી લે છે, ક્યાંક બંને પડી જાય છે. બાબા વન્ડર (આશ્ચર્ય) ખાય છે - વૃદ્ધો ને પણ કામ ની આગ લાગે છે તો તે પણ પડી જાય છે. એવું થોડી તેમણે પાડ્યાં? પડવું, ન પડવું પોતાનાં હાથ માં છે. કોઈ ધક્કો થોડી આપે છે, આપણે પડ્યાં કેમ? કાંઈ પણ થઈ જાય આપણે પડીશું નહીં. પડ્યાં તો ખાતું ખરાબ, જોર થી ચમાટ લાગે છે. પછી પસ્તાય પણ છે, હાડકે-હાડકું તૂટી જાય છે. ખૂબ ચોટ (માર) લાગે છે. બાબા ભિન્ન-ભિન્ન પ્રકાર થી સમજાવતા રહે છે.

આ પણ સમજાવ્યું શિવજયંતી પર તાર એવાં આવવા જોઈએ જે મનુષ્ય વાંચવાથી સમજી જાય. વિચાર સાગર મંથન કરવા માટે બાબા સમય આપે છે. કોઈ જુએ તો વન્ડર ખાય! કેટલી ચિઠ્ઠીઓ આવે છે, બધા લખે છે બાપદાદા. તમે સમજાવી પણ શકો છો શિવબાબા ને બાપ, બ્રહ્મા ને દાદા કહેવાય છે. એક ને ક્યારેય કોઈ બાપદાદા કહે છે શું? આ તો વન્ડરફુલ વાત છે, આમાં સાચ્ચું-સાચ્ચું જ્ઞાન છે. પરંતુ યાદ માં રહે ત્યારે કોઈને તીર પણ લાગે. ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી જાય છે. બાપ કહે છે આત્મ-અભિમાની બનો. આત્મા જ શરીર ધારણ કરી પાર્ટ ભજવે છે. કોઈ મરે છે તો પણ કોઈ વિચાર નહીં. આત્મા માં જે પાર્ટ ની નોંધ છે તેને આપણે સાક્ષી થઈને જોઈએ છીએ. તેમને એક શરીર છોડી બીજું લઈ પાર્ટ ભજવવાનો છે. આમાં આપણે કરી જ શું શકીએ છીએ? આ જ્ઞાન પણ તમારી બુદ્ધિ માં છે. તે પણ નંબરવાર. ઘણાં ની બુદ્ધિ માં તો બેસતું જ નથી એટલે કોઈ ને સમજાવી નથી શકતાં. આત્મા બિલકુલ જ ગરમ તવો, તમોપ્રધાન પતિત છે. તેનાં પર જ્ઞાન અમૃત નખાય (રેડાય) છે તો રહેતું નથી. જેમણે ખૂબ ભક્તિ કરી છે, તેમને જ તીર લાગશે, ઝટ ધારણા થશે. હિસાબ જ વન્ડરફુલ છે - પહેલાં નંબર માં પાવન, એ જ પછી પતિત બને છે. આ પણ કેટલી સમજવાની વાતો હોય છે. કોઈની તકદીર માં નથી તો ભણતર ને છોડી દે છે. જો નાનપણ થી જ નોલેજ માં લાગી જાય તો ધારણા થતી જશે. સમજશે આમણે ખૂબ ભક્તિ કરેલી છે, ખૂબ હોંશિયાર થઈ જાય, કારણકે ઓર્ગન્સ (કર્મેન્દ્રિયો) મોટા થવાથી પછી સમજ પણ વધારે આવે છે. શરીરધારી, રુહાની બંને તરફ અટેન્શન (ધ્યાન) આપવાથી પછી તે અસર નીકળી જાય છે. આ છે ઈશ્વરીય ભણતર. ફરક છે ને? પરંતુ જ્યારે તે લગન પણ લાગે ને! અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની મિલેટ્રી બની ૫ વિકારો પર જીત મેળવવાની છે, પવિત્ર જરુર બનવાનું છે. શ્રીમત પર ભારત ને પાવન બનાવવાની સેવા કરવાની છે.

2. આ બેહદ નાટક માં દરેક પાર્ટ આત્મ-અભિમાની બનીને ભજવવાનો છે, ક્યારેય પણ દેહ-અભિમાન માં નથી આવવાનું. સાક્ષી બનીને દરેક એક્ટર નો પાર્ટ જોવાનો છે.

વરદાન :-
સદા ખુશી તથા મોજ ની સ્થિતિ માં રહેવા વાળા કંબાઇન્ડ સ્વરુપ નાં અનુભવી ભવ

બાપદાદા બાળકો ને સદા કહે છે બાળકો બાપ ને હાથ માં હાથ આપીને ચાલો, એકલા નહીં ચાલો. એકલા ચાલવાથી ક્યારેક બોર થઈ જશો, ક્યારેક કોઈની નજર પણ પડી જશે. બાપ ની સાથે કંબાઇન્ડ છું - એ સ્વરુપ નો અનુભવ કરતા રહો તો ક્યારેય પણ માયા ની નજર નહીં પડશે અને સાથ નો અનુભવ હોવાને કારણે ખુશી થી મોજ થી ખાતા, ચાલતાં મોજ મનાવતા રહેશો. દગો તથા દુઃખ આપવા વાળા સંબંધો માં ફસાવાથી બચી જશો.

સ્લોગન :-
યોગ રુપી કવચ પહેરી ને રાખો તો માયા રુપી દુશ્મન નો વાર નહીં લાગશે.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

જેમ દુઃખી આત્માઓ નાં મન માં આ અવાજ શરુ થયો છે કે હવે વિનાશ થાય, તેમ જ આપ વિશ્વ-કલ્યાણકારી આત્માઓ નાં મન માં આ સંકલ્પ ઉત્પન્ન થાય કે હવે જલ્દી જ સર્વ નું કલ્યાણ થાય ત્યારે જ સમાપ્તિ થશે. વિનાશકારીઓ ને કલ્યાણકારી આત્માઓ નાં સંકલ્પ નો ઈશારો જોઈએ એટલે પોતાનાં એવરરેડી બનવાનાં પાવરફુલ સંકલ્પ થી જ્વાળા રુપ યોગ દ્વારા વિનાશ જ્વાળા ને તેજ કરો.