18-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આત્મ
અભિમાની બનીને બેસો , અંદર ઘૂંટતાં રહો , હું આત્મા છું… દેહી - અભિમાની બનો ,
સાચ્ચો ચાર્ટ રાખો તો સમજદાર બનતા જશો , ખૂબ ફાયદો થશે”
પ્રશ્ન :-
બેહદ નાં નાટક ને સમજવા વાળા બાળકો કયા એક લૉ (નિયમ) ને સારી રીતે સમજે છે?
ઉત્તર :-
આ અવિનાશી નાટક છે, આમાં દરેક પાર્ટધારીએ પાર્ટ ભજવવા પોતાનાં સમય પર આવવાનું જ છે.
કોઈ કહે અમે સદા શાંતિધામ માં જ બેસી જઈએ - તો આ કાયદો નથી. તેને તો પાર્ટીધારી જ
નહીં કહેવાશે. આ બેહદ ની વાતો બેહદ નાં બાપ જ તમને સંભળાવે છે.
ઓમ શાંતિ!
સ્વયં ને આત્મા
સમજીને બેસો. દેહ-અભિમાન છોડીને બેસો. બેહદ નાં બાપ બાળકો ને સમજાવી રહ્યાં છે.
સમજાવાય તેમને છે જે બેસમજ હોય છે. આત્મા સમજે છે કે બાપ સાચ્ચું કહે છે - હું આત્મા
બેસમજ બની ગયો છું. હું આત્મા અવિનાશી છું, શરીર વિનાશી છે. હું આત્મ-અભિમાની છોડી
દેહ-અભિમાન માં ફસાઈ ગયો છું. તો બેસમજ થયા ને? બાપ કહે છે બધા બાળકો બેસમજ થઈ ગયા
છે, દેહ-અભિમાન માં આવીને. પછી તમે બાપ દ્વારા દેહી-અભિમાની બનો છો તો બિલકુલ
સમજદાર બની જાઓ છો. કોઈ તો બની ગયા છે, કોઈ પુરુષાર્થ કરતા રહે છે. અડધોકલ્પ લાગે
છે બેસમજ બનવામાં. આ અંતિમ જન્મ માં ફરી સમજદાર બનવાનું છે. અડધાકલ્પ થી બેસમજ
બનતા-બનતા ૧૦૦ ટકા બેસમજ બની જાઓ છો. દેહ-અભિમાન માં આવીને ડ્રામા પ્લાન અનુસાર તમે
પડતા આવ્યાં છો. હવે તમને સમજ મળી છે, છતાં પણ પુરુષાર્થ ખૂબ કરવાનો છે કારણકે બાળકો
માં દૈવીગુણ પણ જોઈએ. બાળકો જાણે છે અમે સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ… હતાં.
પછી આ સમયે નિર્ગુણ બની ગયા છીએ. કોઈ પણ ગુણ નથી રહ્યાં. આપ બાળકો માં પણ નંબરવાર
પુરુષાર્થ અનુસાર આ ખેલ ને સમજે છે. સમજતા-સમજતા પણ કેટલાં વર્ષ થઈ ગયા છે. છતાં પણ
જે નવાં છે તે સારા સમજદાર બનતા જાય છે. બીજાઓ ને પણ બનાવવાનો પુરુષાર્થ કરે છે.
કોઈ તો બિલકુલ નથી સમજ્યાં. બેસમજ નાં બેસમજ જ છે. બાપ આવ્યાં જ છે સમજદાર બનાવવાં.
બાળકો સમજે છે માયા નાં કારણે અમે બેસમજ બન્યાં છીએ. આપણે પૂજ્ય હતાં તો સમજદાર હતાં
પછી આપણે જ પુજારી બની બેસમજ બન્યાં છીએ. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ
ગયો છે. આની દુનિયામાં કોઈને ખબર નથી. આ લક્ષ્મી-નારાયણ કેટલાં સમજદાર હતાં, રાજ્ય
કરતા હતાં. બાપ કહે છે તત્ ત્વમ્. તમે પણ પોતાનાં માટે એવું સમજો. આ ખૂબ-ખૂબ સમજવાની
વાતો છે. બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. હવે મહેસૂસ થાય છે - બાપ જ ઊંચા માં ઊંચા
સમજદાર થી સમજદાર હશે ને? એક તો જ્ઞાન નાં સાગર પણ છે. સર્વ નાં સદ્દગતિ દાતા પણ
છે. પતિત-પાવન પણ છે. એક ની જ મહિમા છે. આટલાં ઊંચા માં ઊંચા બાપ આવીને બાળકો-બાળકો
કહી કેવું સારી રીતે સમજાવે છે. બાળકો હવે પાવન બનવાનું છે. એનાં માટે બાપ એક જ દવા
આપે છે, કહે છે - યોગ થી તમે ભવિષ્ય ૨૧ જન્મ નિરોગી બની જશો. તમારા બધા રોગ, દુઃખ
ખતમ થઈ જશે. તમે મુક્તિધામ માં ચાલ્યાં જશો. અવિનાશી સર્જન ની પાસે એક જ દવા છે. એક
જ ઈન્જેકશન આત્મા ને આવીને લગાવે છે. એવું નહીં કોઈ મનુષ્ય બેરિસ્ટરી પણ કરશે,
એન્જિનિયરિંગ પણ કરશે. ના. દરેક વ્યક્તિ પોતાનાં ધંધા માં જ લાગી જાય છે. બાપ ને કહે
છે આવીને પતિત થી પાવન બનાવો કારણ કે પતિતપણા માં દુઃખ છે. શાંતિધામ ને પાવન દુનિયા
નહીં કહેવાશે. સ્વર્ગ ને જ પાવન દુનિયા કહેવાશે. આ પણ સમજાવ્યું છે મનુષ્ય શાંતિ અને
સુખ ઈચ્છે છે. સાચ્ચી-સાચ્ચી શાંતિ તો ત્યાં છે જ્યાં શરીર નથી, તેને કહેવાય છે
શાંતિધામ. ઘણાં કહે છે શાંતિધામ માં રહીએ, પરંતુ કાયદો નથી. તે તો પાર્ટધારી થયા નહીં.
બાળકો નાટક ને પણ સમજી ગયા છે. જ્યારે એક્ટર્સ નો પાર્ટ હશે ત્યારે બહાર સ્ટેજ પર
આવીને પાર્ટ ભજવશે. આ બેહદ ની વાતો બેહદ નાં બાપ જ સમજાવે છે. જ્ઞાન સાગર પણ એમને
કહેવાય છે. સર્વ નાં સદ્દગતિ દાતા પતિત-પાવન છે. સર્વ ને પાવન બનાવવા વાળા તત્વ ન
હોય શકે. પાણી વગેરે બધા તત્વો છે, તે કેવી રીતે સદ્દગતિ કરશે? આત્મા જ પાર્ટ ભજવે
છે. હઠયોગ નો પણ પાર્ટ આત્મા ભજવે છે. આ વાતો પણ જે સમજદાર છે તે જ સમજી શકે છે.
બાપે કેટલું સમજાવ્યું છે-કોઈ એવી યુક્તિ રચો જે મનુષ્ય સમજે-કેવી રીતે પૂજ્ય સો ફરી
પુજારી બનીએ છીએ. પૂજ્ય છે નવી દુનિયા માં, પુજારી છે જૂની દુનિયા માં. પાવન ને
પૂજ્ય, પતિત ને પુજારી કહેવાય છે. અહીં તો બધા પતિત છે કારણકે વિકાર થી જન્મ થાય
છે. ત્યાં છે શ્રેષ્ઠ. ગાય પણ છે સંપૂર્ણ શ્રેષ્ઠાચારી. હવે આપ બાળકોએ એવાં બનવાનું
છે. મહેનત છે. મુખ્ય વાત છે યાદ ની. બધા કહે છે યાદ માં રહેવું ખૂબ મુશ્કેલ છે. અમે
જેટલું ઈચ્છીએ છીએ, યાદ માં રહી નથી શકતાં. કોઈ સચ્ચાઈ થી જો ચાર્ટ લખે તો ખૂબ ફાયદો
થઈ શકે છે. બાપ બાળકો ને આ જ્ઞાન આપે છે કે મનમનાભવ. હવે તમે અર્થ સહિત કહો છો, તમને
બાપ દરેક વાત યથાર્થ રીતે અર્થ સહિત સમજાવે છે. બાપ ને બાળકો અનેક પ્રકાર નાં
પ્રશ્ન પૂછે છે, બાપ દિલ રાખવા કાંઈક કહી દે છે. પરંતુ બાપ કહે છે મારું કામ જ છે
પતિત થી પાવન બનાવવાં. મને તો બોલાવો જ છો એટલે. તમે જાણો છો આપણે આત્મા શરીર સહિત
પાવન હતાં. હવે તે જ આત્મા શરીર સહિત પતિત બન્યો છે. ૮૪ જન્મ નો હિસાબ છે ને?
તમે જાણો છો - હવે આ
દુનિયા કાંટાઓ નું જંગલ બની ગઈ છે. આ લક્ષ્મી-નારાયણ તો ફૂલ છે ને? તેમની આગળ
કાંટાઓ જઈને કહે છે આપ સર્વગુણ સંપન્ન… અમે પાપી કપટી છીએ. સૌથી મોટો કાંટો છે -
કામ વિકાર નો. બાપ કહે છે આનાં પર મેળવી જગતજીત બનો. મનુષ્ય કહે છે ભગવાને કોઈ ન
કોઈ રુપ માં આવવાનું છે, ભાગીરથ પર વિરાજમાન થઈ આવવાનું છે. ભગવાને આવવાનું જ છે
જૂની દુનિયા ને નવી બનાવવાં. નવી દુનિયા ને સતોપ્રધાન, જૂની ને તમોપ્રધાન કહેવાય
છે. જ્યારે હમણાં જૂની દુનિયા છે તો જરુર બાપે આવવું જ પડે. બાપ ને જ રચયિતા કહેવાય
છે. આપ બાળકો ને કેટલું સહજ સમજાવે છે. કેટલી ખુશી થવી જોઈએ. બાકી કોઈ નો કર્મભોગ
નો હિસાબ-કિતાબ છે, કાંઈ પણ છે, તે તો ભોગવવાનો છે, આમાં બાબા આશીર્વાદ નથી કરતાં.
મને બોલાવો જ છો - બાબા આવીને અમને વારસો આપો. બાબા પાસે થી શું વારસો મેળવવા ઈચ્છો
છો? મુક્તિ-જીવનમુક્તિ નો. મુક્તિ-જીવનમુક્તિ નાં દાતા એક જ જ્ઞાન સાગર બાપ છે એટલે
એમને જ્ઞાન દાતા કહેવાય છે. ભગવાને જ્ઞાન આપ્યું હતું પરંતુ ક્યારે આપ્યું? કોણે
આપ્યું? આ કોઈને ખબર નથી. આખો મૂંઝારો આમાં છે. કોને જ્ઞાન આપ્યું? આ પણ કોઈને ખબર
નથી. હમણાં આ બ્રહ્મા બેઠાં છે - આમને ખબર પડી છે હું તો નારાયણ હતો પછી ૮૪ જન્મ
ભોગવ્યાં. આ છે નંબરવન માં. બાબા બતાવે છે મારી તો આંખ જ ખુલી ગઈ. તમે પણ કહેશો
અમારી તો આંખો જ ખુલી ગઈ. ત્રીજું નેત્ર તો ખુલે છે ને? તમે કહેશો અમને બાપ નું,
સૃષ્ટિ ચક્ર નું પૂરું જ્ઞાન મળી ગયું છે. હું જે છું, જેવો છું - મારી આંખો ખુલી
ગઈ છે. કેટલું વન્ડર (અદ્દભુત) છે. આપણે આત્મા પહેલાં છીએ અને પછી આપણે પોતાને દેહ
સમજી બેઠાં. આત્મા કહે છે હું એક શરીર છોડી બીજું લઉં છું. છતાં પણ આપણે પોતાને
આત્મા ભૂલી દેહ-અભિમાની બની જઈએ છીએ એટલે હવે તમને પહેલાં-પહેલાં આ સમજણ આપું છું
કે સ્વયં ને આત્મા સમજી બેસો. અંદર માં આ ઘોટતાં રહો કે હું આત્મા છું. આત્મા ન
સમજવાથી બાપ ને ભૂલી જાઓ છો. અનુભવ કરો છો કે બરોબર અમે ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી
જઈએ છીએ. મહેનત કરવાની છે. અહીં બેસો તો પણ આત્મ-અભિમાની થઈને બેસો. બાપ કહે છે હું
આપ બાળકો ને રાજાઈ આપવા આવ્યો છું. અડધોકલ્પ તમે મને યાદ કર્યો છે. કોઈ પણ વાત સામે
આવે છે તો કહો છો હાય રામ, પરંતુ ઈશ્વર અથવા રામ કોણ છે, આ કોઈને ખબર નથી. તમારે
સિદ્ધ કરવાનું છે-જ્ઞાન નાં સાગર, પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા, ત્રિમૂર્તિ
પરમપિતા પરમાત્મા શિવ છે. બ્રહ્મા-વિષ્ણુ -શંકર ત્રણેય નો જન્મ સાથે છે. ફક્ત
શિવજયંતી નથી પરંતુ ત્રિમૂર્તિ શિવજયંતી છે. જરુર જ્યારે શિવ ની જયંતી હશે તો
બ્રહ્મા ની પણ જયંતી હશે. શિવ ની જયંતી મનાવે છે પરંતુ બ્રહ્માએ શું કર્યું? લૌકિક,
પારલૌકિક અને આ છે અલૌકિક બાપ. આ છે પ્રજાપિતા બ્રહ્મા. બાપ કહે છે નવી દુનિયા માટે
આ નવું જ્ઞાન હમણાં તમને મળે છે. પછી પ્રાયઃલોપ થઈ જાય છે. જેમને બાપ રચયિતા અને
રચના નું જ્ઞાન નથી તો અજ્ઞાની થયા ને? અજ્ઞાન નિંદ્રા માં સુતા પડ્યાં છે. જ્ઞાન
થી છે દિવસ, ભક્તિ થી રાત. શિવરાત્રી નો અર્થ પણ નથી જાણતા એટલે એમની હોલી ડે (રજા)
પણ ઉડાવી દીધી છે.
હવે તમે જાણો છો બાપ
આવે જ છે - બધાની જ્યોતિ જગાડવાં. તમે આ બત્તીઓ વગેરે પ્રગટાવશો તો સમજશે આમનો કોઈ
મોટો દિવસ છે. હવે તમે જગાડો છો અર્થસહિત. તે લોકો થોડી સમજશે? તમારા ભાષણ થી પૂરું
સમજી નથી શકતાં. હમણાં આખાં વિશ્વ પર રાવણ નું રાજ્ય છે, અહીં તો મનુષ્ય કેટલાં
દુઃખી છે. રિદ્ધિ-સિદ્ધિ વાળા પણ ખૂબ હેરાન કરે છે. સમાચાર પત્ર માં પણ આવે છે, આમાં
ઇવિલ સોલ (પ્રેત આત્મા) છે. ખૂબ દુઃખ આપે છે. બાબા કહે છે આ વાતો થી તમારું કોઈ
કનેક્શન (સંબંધ) નથી. બાપ તો સીધી વાત કહે છે - બાળકો, તમે મને યાદ કરો તો તમે પાવન
બની જશો. તમારા બધા દુઃખ દૂર થઈ જશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યથાર્થ રીતે
બાપ ને યાદ કરવાની તથા આત્મ-અભિમાની બનવાની મહેનત કરવાની છે, સચ્ચાઈ થી પોતાનો
ચાર્ટ રાખવાનો છે, આમાં જ ખૂબ-ખૂબ ફાયદો છે.
2. સૌથી મોટું દુઃખ
આપવા વાળો કાંટો કામ વિકાર છે, આનાં પર યોગબળ થી વિજય પ્રાપ્ત કરી પતિત થી પાવન
બનવાનું છે. બાકી કોઈ પણ વાતો થી તમારું કનેક્શન (સંબંધ) નથી.
વરદાન :-
પ્રેક્ટિકલ
જીવન દ્વારા પરમાત્મ - જ્ઞાન નું પ્રુફ આપવા વાળા ધર્મયુદ્ધ માં વિજયી ભવ
હવે ધર્મ યુદ્ધ નાં
સ્ટેજ પર આવવાનું છે. એ ધર્મ યુદ્ધ માં વિજય બનવાનું સાધન છે તમારું પ્રેક્ટિકલ
જીવન કારણકે પરમાત્મ-જ્ઞાન નું પ્રુફ જ પ્રેક્ટિકલ જીવન છે. તમારી મૂર્ત થી જ્ઞાન
અને ગુણ પ્રેક્ટિકલ માં દેખાય કારણકે આજકાલ ચર્ચા કરવાથી પોતાની મૂર્ત ને સિદ્ધ નથી
કરી શકતા પરંતુ પોતાની પ્રેક્ટિકલ ધારણા મૂર્ત થી એક સેકન્ડ માં કોઈને પણ શાંત કરાવી
શકો છો.
સ્લોગન :-
આત્મા ને
ઉજ્જ્વળ બનાવવા માટે પરમાત્મ-સ્મૃતિ થી મન ની ઉલઝનો ને સમાપ્ત કરો.,
માતેશ્વરીજી નાં
અણમોલ મહાવાક્ય
“ યોગ થી જ મુક્ત
થવાની શક્તિ મળે છે”
પહેલાં-પહેલાં તો આપણે
એક મુખ્ય પોઈન્ટ (વાત) ખ્યાલ માં અવશ્ય રાખવાનો છે, જ્યારે આ મનુષ્ય સૃષ્ટિ ઝાડ નું
બીજ રુપ પરમાત્મા છે તો એ પરમાત્મા દ્વારા જે નોલેજ પ્રાપ્ત થઈ રહી છે તે બધા
મનુષ્યો માટે જરુરી છે. બધા ધર્મ વાળાઓ ને આ નોલેજ લેવાનો અધિકાર છે. ભલે દરેક ધર્મ
ની નોલેજ પોત-પોતાની છે, દરેક નું શાસ્ત્ર પોત-પોતાનું છે, દરેક ની મત પોત-પોતાની
છે, દરેક નાં સંસ્કાર પોત-પોતાનાં છે પરંતુ આ નોલેજ બધા માટે છે. ભલે તે આ જ્ઞાન ને
ન પણ ઉઠાવી શકે, આપણી રાજધાની માં પણ ન આવે પરંતુ બધા નાં પિતા હોવાનાં કારણે એમની
સાથે યોગ લગાવવા થી પણ પવિત્ર અવશ્ય બનશે. આ પવિત્રતા નાં કારણે પોતાનાં જ સેક્શન (વિભાગ)
માં પદ અવશ્ય મેળવશે કારણકે યોગ ને તો બધા મનુષ્ય માને છે, ઘણાં મનુષ્ય એવું કહે છે
અમને પણ મુક્તિ જોઈએ, પરંતુ સજાઓ થી છૂટી મુક્ત થવાની શક્તિ પણ આ યોગ દ્વારા મળી શકે
છે.
“ અજપાજાપ અર્થાત્
નિરંતર ઈશ્વર યાદ”
આજે કહેવત છે
શ્વાસો-શ્વાસ અજપાજાપ જપતા રહો તેનો યથાર્થ અર્થ શું છે? જ્યારે આપણે કહીએ છીએ
અજપાજાપ તો આનો યથાર્થ અર્થ છે જાપ વગર શ્વાસો-શ્વાસ પોતાનો બુદ્ધિયોગ પોતાનાં
પરમપિતા પરમાત્મા ની સાથે નિરંતર લગાવવો અને આ ઈશ્વરીય યાદ શ્વાસો-શ્વાસ કાયમ ચાલતી
આવે છે, આ નિરંતર ઈશ્વરીય યાદ ને અજપાજાપ કહેવાય છે. બાકી કોઈ મુખ થી જાપ જપવા
અર્થાત્ રામ-રામ કહેવું, અંદર કોઈ મંત્ર ઉચ્ચારણ કરવા, આ તો નિરંતર ચાલી ન શકે. તે
લોકો સમજે છે અમે મુખ થી મંત્ર ઉચ્ચારણ નથી કરતા પરંતુ દિલ માં ઉચ્ચારણ કરવું, આ છે
અજપાજાપ. પરંતુ આ તો સહજ એક વિચાર ની વાત છે જ્યાં પોતાનો શબ્દ જ અજપાજાપ છે, જેમને
જપવાની પણ જરુર નથી. અંદર બેસી કોઈ મૂર્તિ નું ધ્યાન પણ નથી કરવાનું, નથી કંઈ સિમરણ
કરવાનું કારણકે તે પણ નિરંતર ખાતાં-પીતાં રહી નહીં શકે પરંતુ આપણે જે ઈશ્વરીય યાદ
કરીએ છીએ, તે જ નિરંતર ચાલી શકે છે કારણકે આ ખૂબ સહજ છે. જેમ સમજો બાળક છે પોતાનાં
બાપ ને યાદ કરે છે, તો તે જ સમયે બાપ નો ફોટો સામે નથી લાવવો પડતો પરંતુ
મન્સા-વાચા-કર્મણા બાપ નું પૂરું ઓક્યુપેશન (કર્તવ્ય), એક્ટિવિટી (કર્મ), ગુણો સહિત
યાદ આવે છે બસ, એ યાદ આવવાથી બાળકો ની પણ તે એક્ટ (પ્રવૃત્તિ) ચાલે છે, ત્યારે જ સન
શોઝ ફાધર કરશે. તેમ આપણે પણ બીજા બધાની યાદ અંતર મન થી દૂર કરી, એ એક જ અસલી
પારલૌકિક પરમપિતા પરમાત્મા ની યાદ માં રહેવાનું છે, આમાં ઉઠતાં-બેસતાં, ખાતાં-પીતાં
નિરંતર યાદ માં ચાલી શકીએ છીએ. આ યાદ થી જ કર્માતીત બનીએ છીએ. તો આ નેચરલ (વાસ્તવિક)
યાદ ને જ અજપાજાપ કહે છે. અચ્છા - ઓમ્ શાંતિ.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
અભ્યાસ ની
પ્રયોગશાળામાં બેસી, યોગ નો પ્રયોગ કરો તો એક બાપ નો સહારો અને માયા નાં અનેક
પ્રકાર નાં વિઘ્નો નો કિનારો અનુભવ કરશો. હવે જ્ઞાન નાં સાગર, ગુણો નાં સાગર,
શક્તિઓ નાં સાગર માં ઉપર-ઉપર ની લહેરો માં લહેરાવો છો એટલે અલ્પકાળ ની રિફ્રેશમેન્ટ
અનુભવ કરો છો. પરંતુ હવે સાગર નાં તળિયા માં જાઓ તો અનેક પ્રકાર નાં વિચિત્ર અનુભવ
કરી રત્ન પ્રાપ્ત કરશો.