18-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બેહદ નાં બાબા આવ્યાં છે આપ બાળકો નો જ્ઞાન થી શૃંગાર કરવા , ઊંચ પદ મેળવવું છે તો સદા શૃંગારેલા રહો”

પ્રશ્ન :-
કયા બાળકો ને જોઈને બેહદ નાં બાપ ખૂબ ખુશ થાય છે?

ઉત્તર :-
જે બાળકો સેવા માટે એવરરેડી (સદા તૈયાર) રહે છે, અલૌકિક અને પારલૌકિક બંને બાપ ને પૂરું ફોલો (અનુકરણ) કરે છે, જ્ઞાન-યોગ થી આત્મા ને શૃંગારે છે, પતિતો ને પાવન બનાવવાની સેવા કરે છે, એવાં બાળકો ને જોઈ બેહદ નાં બાપ ને ખૂબ ખુશી થાય છે. બાપ ની ઈચ્છા છે મારા બાળકો મહેનત કરી ઊંચ પદ મેળવે.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો પ્રત્યે કહે છે - મીઠાં-મીઠાં બાળકો, જેમ લૌકિક બાપ ને બાળકો પ્રિય લાગે છે તેમ બેહદ નાં બાપ ને પણ બેહદ નાં બાળકો પ્રિય લાગે છે. બાપ બાળકો ને શિક્ષા, સાવધાની આપે છે કે બાળકો ઊંચ પદ મેળવે. આ જ બાપ ની ઈચ્છા હોય છે. તો બેહદ નાં બાપ ની પણ આ ઈચ્છા રહે છે. બાળકોને જ્ઞાન અને યોગ નાં ઘરેણા થી શૃંગારે છે. તમને બંને બાપ બહુ જ સારી રીતે શૃંગારે છે કે બાળકો ઊંચ પદ મેળવે. અલૌકિક બાપ પણ ખુશ થાય છે તો પારલૌકિક બાપ પણ ખુશ થાય છે, જે સારી રીતે પુરુષાર્થ કરે છે, એમને જોઈને ગવાય પણ છે ફોલો ફાધર. તો બંને ને ફોલો કરવાના છે. એક છે રુહાની બાપ, બીજા પછી આ છે અલૌકિક પિતા. તો પુરુષાર્થ કરી ઊંચ પદ મેળવવાનું છે.

તમે જ્યારે ભઠ્ઠી માં હતાં તો બધા નો તાજ સહિત ફોટો કાઢવામાં આવ્યો હતો. બાપે તો સમજાવ્યું છે લાઈટ (પ્રકાશ) નો તાજ કોઈ હોતો નથી. આ એક નિશાની છે પવિત્રતા ની, જે બધાને આપે છે. એવું નથી કોઈ સફેદ લાઈટ નો તાજ હોય છે. આ પવિત્રતા ની નિશાની સમજાવાય છે. પહેલાં-પહેલાં તમે રહો છો સતયુગ માં. તમે જ હતાં ને? બાપ પણ કહે છે, આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યાં બહુકાળ… આપ બાળકો જ પહેલાં-પહેલાં આવો છો પછી પહેલાં તમારે જ જવાનું છે. મુક્તિધામ નાં દરવાજા પણ તમારે જ ખોલવાના છે. આપ બાળકો ને બાપ શૃંગારે છે. પિયરઘર માં વનવાહ માં રહે છે. આ સમયે તમારે પણ સાધારણ રહેવાનું છે. ન ઊંચા, ન નીચાં. બાપ પણ કહે છે સાધારણ તન માં પ્રવેશ કરું છું. કોઈ પણ દેહધારી ને ભગવાન કહી ન શકાય. મનુષ્ય, મનુષ્ય ની સદ્દગતિ કરી ન શકે. સદ્દગતિ તો ગુરુ જ કરે છે. મનુષ્ય ૬૦ વર્ષ પછી વાનપ્રસ્થ લે છે પછી ગુરુ કરે છે. આ પણ રિવાજ હમણાં નો જ છે જે પછી ભક્તિમાર્ગ માં ચાલે છે. આજકાલ તો નાનાં બાળકો ને પણ ગુરુ કરાવી દે છે. ભલે વાનપ્રસ્થ અવસ્થા નથી પરંતુ અચાનક મોત તો આવી જાય છે ને એટલે બાળકો ને પણ ગુરુ કરાવી દે છે. જેમ બાપ કહે છે તમે બધા આત્માઓ છો, હક છે વારસો મેળવવા નો. તેઓ કહી દે છે ગુરુ વગર ઠોર (દિશા) નહીં મેળવશે અર્થાત્ બ્રહ્મ માં લીન નહીં થશે. તમારે તો લીન નથી થવાનું. આ ભક્તિમાર્ગ નાં શબ્દ છે. આત્મા તો સ્ટાર જેવો, બિંદુ છે. બાપ પણ બિંદુ જ છે. એ બિંદુ ને જ જ્ઞાન સાગર કહેવાય છે. તમે પણ નાનાં આત્મા છો. એમાં સંપૂર્ણ જ્ઞાન ભરાય છે. તમે પૂરું જ્ઞાન લો છો. પાસ વિથ ઓનર થાઓ છો ને? એવું નથી કે શિવલિંગ કોઈ મોટું છે. જેટલો મોટો આત્મા છે, એટલાં જ પરમ આત્મા છે. આત્મા પરમધામ થી આવે છે પાર્ટ ભજવવાં. બાપ કહે છે હું પણ ત્યાં થી જ આવું છું. પરંતુ મારે પોતાનું શરીર નથી. હું રુપ પણ છું, વસંત પણ છું. પરમ આત્મા રુપ છે, એમનાં માં સંપૂર્ણ જ્ઞાન ભરેલું છે. જ્ઞાન ની વર્ષા વરસાવે છે તો બધા મનુષ્ય પાપ આત્મા થી પુણ્ય આત્મા બની જાય છે. બાપ ગતિ સદ્દગતિ બંને આપે છે. તમે સદ્દગતિ માં જાઓ છો બાકી બધા ગતિ માં અર્થાત્ પોતાનાં ઘરે જાય છે. તે છે સ્વીટ હોમ. આત્મા જ આ કાનો દ્વારા સાંભળે છે. હવે બાપ કહે છે મીઠાં-મીઠાં સિકીલધા બાળકો પાછા જવાનું છે, એનાં માટે પવિત્ર જરુર બનવાનું છે. પવિત્ર બન્યાં વગર કોઈપણ પાછા જઈ ન શકે. હું બધાને લઈ જવા આવ્યો છું. આત્માઓ ને શિવ ની બારાત (જાન) કહેવાય છે. હવે શિવબાબા શિવાલય ની સ્થાપના કરી રહ્યાં છે. પછી રાવણ આવીને વૈશ્યાલય સ્થાપન કરે છે. વામમાર્ગ ને વૈશ્યાલય કહેવાય છે. બાબા ની પાસે ઘણાં બાળકો છે જે લગ્ન કરીને પણ પવિત્ર રહે છે. સંન્યાસી તો કહે છે - આ થઈ ન શકે, જે બંને સાથે રહી શકે. અહીં સમજાવાય છે આમાં આવક ખૂબ છે. પવિત્ર રહેવાથી ૨૧ જન્મો ની રાજધાની મળે છે તો એક જન્મ પવિત્ર રહેવું કોઈ મોટી વાત થોડી છે? બાપ કહે છે તમે કામ ચિતા પર બેસી બિલકુલ જ કાળા બની ગયા છો. શ્રીકૃષ્ણ માટે પણ કહે છે ગોરા અને સાંવરા, શ્યામ સુંદર. આ સમજણ આ સમય ની છે. કામ ચિતા પર બેસવાથી સાંવરા બની ગયા, પછી એમને ગામનો છોકરો પણ કહેવાય છે. બરોબર હતાં ને? શ્રીકૃષ્ણ તો હોય ન શકે. આમનાં જ અનેક જન્મો નાં અંત માં પ્રવેશ કરી ગોરા બનાવે છે. હવે તમારે એક બાપ ને જ યાદ કરવાના છે. બાબા તમે કેટલાં મીઠાં છો, કેટલો મીઠો વારસો તમે આપો છો. અમને મનુષ્ય થી દેવતા, મંદિર લાયક બનાવો છો. એવી-એવી પોતાની સાથે વાતો કરવાની છે. મુખ થી કાંઈ બોલવાનું નથી. ભક્તિમાર્ગ માં તમે માશૂક ને કેટલાં યાદ કરતા આવ્યાં છો. હમણાં તમે આવીને મળ્યાં છો, બાબા તમે તો સૌથી મીઠાં છો. તમને અમે કેમ યાદ નહીં કરીશું? તમને પ્રેમ નાં, શાંતિ નાં સાગર કહેવાય છે, તમે જ વારસો આપો છો, બાકી પ્રેરણા થી કાંઈ પણ મળતું નથી. બાપ તો સન્મુખ આવીને આપ બાળકો ને ભણાવે છે. આ પાઠશાળા છે ને? બાપ કહે છે હું તમને રાજાઓ નાં રાજા બનાવું છું. આ રાજયોગ છે. હવે તમે મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન ને જાણી ગયા છો. આટલો નાનો આત્મા કેવી રીતે પાર્ટ ભજવે છે. છે પણ પૂર્વ નિર્ધારિત. આને કહેવાય છે અનાદિ-અવિનાશી વર્લ્ડ ડ્રામા. ડ્રામા ફરતો રહે છે, આમાં સંશય ની કોઈ વાત નથી. બાપ સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નાં રહસ્ય સમજાવે છે, તમે સ્વદર્શન ચક્રધારી છો. તમારી બુદ્ધિ માં આખું ચક્ર ફરતું રહે છે. તો એનાથી તમારા પાપ કપાઈ જાય છે. બાકી કૃષ્ણએ કોઈ સ્વદર્શન ચક્ર ચલાવીને હિંસા નથી કરી. ત્યાં તો નથી લડાઈ ની હિંસા થતી, નથી કામ કટારી ચાલતી. ડબલ અહિંસક હોય છે. આ સમયે તમારું પાંચ વિકારો સાથે યુદ્ધ ચાલે છે. બાકી બીજા કોઈ યુદ્ધ ની વાત જ નથી. હવે બાપ છે ઊંચા માં ઊંચા, પછી ઊંચા માં ઊંચો આ વારસો લક્ષ્મી-નારાયણ, એમનાં જેવાં ઊંચા બનવાનું છે. જેટલો તમે પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો. કલ્પ-કલ્પ આ જ તમારું ભણતર રહેશે. હમણાં સારો પુરુષાર્થ કર્યો તો કલ્પ-કલ્પ કરતા રહેશો. શારીરક ભણતર થી એટલું પદ નથી મળી શકતું જેટલું રુહાની ભણતર થી મળે છે. ઊંચા માં ઊંચા આ લક્ષ્મી-નારાયણ બને છે. એ પણ છે તો મનુષ્ય પરંતુ દૈવીગુણ ધારણ કરે છે એટલે દેવતા કહેવાય છે. બાકી ૮-૧૦ ભુજાઓ વાળા કોઈ નથી. ભક્તિ માં દીદાર (સાક્ષાત્કાર) થાય છે તો બહુ જ રડે છે, દુઃખ માં આવીને બહુ જ આંસુ વહાવે છે. અહીંયા તો બાપ કહે છે આંસુ આવ્યાં તો નપાસ. અમ્મા મરે તો હલવો ખાવ...આજકાલ તો બોમ્બે માં પણ કોઈ બીમાર પડે અથવા મરે છે તો બી.કે. ને બોલાવે છે કે આવી ને શાંતિ આપો. તમે સમજાવો છો આત્મા એ એક શરીર છોડી બીજું લીધું, એમાં તમારું શું જાય છે? રડવા થી શું ફાયદો? કહે છે, એમને કાળ ખાઈ ગયો….એવી કોઈ વસ્તુ નથી. આ તો આત્મા પોતે જ એક શરીર છોડીને જાય છે. પોતાનાં સમય પર શરીર છોડીને ભાગે છે. બાકી કાળ કોઈ વસ્તુ નથી. સતયુગ માં ગર્ભ મહેલ હોય છે, સજા ની વાત જ નથી. ત્યાં તમારા કર્મ અકર્મ થઈ જાય છે. માયા જ નથી જે વિકર્મ થાય. તમે વિકર્માજીત બનો છો. પહેલાં-પહેલાં વિકર્માજીત સવંત ચાલે છે પછી ભક્તિ માર્ગ શરુ થાય છે તો રાજા વિક્રમ સંવત શરુ થાય છે. આ સમયે જે વિકર્મ કર્યા છે એનાં પર જીત મેળવો છો, નામ રખાય છે વિકર્માજીત. પછી દ્વાપર માં વિક્રમ રાજા થઈ જાય, વિકર્મ કરતા રહે છે. સોય પર જો કાટ ચઢેલો હશે તો ચુંબક ખેંચશે નહીં. જેટલો પાપો નો કાટ ઉતરતો જશે તો ચુંબક ખેંચશે. બાપ તો પૂરાં પ્યોર (પવિત્ર) છે. તમને પણ પવિત્ર બનાવે છે યોગબળ થી. જેમ લૌકિક બાપ પણ બાળકો ને જોઈ ખુશ થાય છે ને? બેહદ નાં બાપ પણ ખુશ થાય છે બાળકો ની સેવા પર. બાળકો બહુજ મહેનત પણ કરી રહ્યાં છે. સર્વિસ પર તો હંમેશા એવરરેડી રહેવાનું છે. આપ બાળકો છો પતિતો ને પાવન બનાવવા વાળા ઈશ્વરીય મિશન. હમણાં તમે ઈશ્વરીય સંતાન છો, બેહદ નાં બાપ છે અને તમે બધા બહેન-ભાઈ છો. બસ, બીજો કોઈ સંબંધ નથી. મુક્તિધામ માં છે જ બાપ અને તમે આત્માઓ ભાઈ-ભાઈ પછી તમે સતયુગ માં જાઓ છો તો ત્યાં એક બાળક, એક બાળકી બસ, અહીંયા તો બહુ જ સંબંધ હોય છે - ચાચા, કાકા, મામા... વગેરે.

મૂળવતન તો છે જ સ્વીટ હોમ, મુક્તિધામ. એનાં માટે મનુષ્ય કેટલાં યજ્ઞ, તપ વગેરે કરે છે પરંતુ પાછા તો કોઈ પણ જઈ ન શકે. ગપ્પા બહુ જ મારતા રહે છે. સર્વ નાં સદ્દગતિ દાતા તો છે જ એક. બીજું ન કોઈ. હમણાં તમે છો સંગમયુગ પર. અહીંયા છે અસંખ્ય મનુષ્ય. સતયુગ માં તો ખૂબ થોડા હોય છે. સ્થાપના પછી વિનાશ થાય છે. હમણાં અનેક ધર્મ હોવાનાં કારણે કેટલાં હંગામા છે. તમે ૧૦૦ ટકા સોલવેન્ટ (ભરપુર) હતાં. પછી ૮૪ જન્મો પછી ૧૦૦ ટકા ઈનસોલવેન્ટ (કંગાળ) બની ગયા છો. હવે બાપ આવીને બધાને જગાડે છે. હવે જાગો, સતયુગ આવી રહ્યો છે. સત્ય બાપ જ તમને ૨૧ જન્મો નો વારસો આપે છે. ભારત જ સચખંડ બને છે. બાપ સચખંડ બનાવે છે, જૂઠખંડ પછી કોણ બનાવે છે? ૫ વિકારો રુપી રાવણ. રાવણ નું કેટલું મોટું પૂતળું બનાવે છે પછી એને બાળે છે કારણકે એ છે નંબરવન દુશ્મન. મનુષ્યો ને એ ખબર નથી કે ક્યાર થી રાવણ નું રાજ્ય થયું છે. બાપ સમજાવે છે અડધોકલ્પ છે રામ રાજ્ય, અડધોકલ્પ છે રાવણ રાજ્ય. બાકી રાવણ કોઈ મનુષ્ય નથી, જેને મારવાનો છે. આ સમયે આખી દુનિયા પર રાવણ રાજ્ય છે, બાપ આવીને રામ રાજ્ય સ્થાપન કરે છે, પછી જય-જયકાર થઈ જાય છે. ત્યાં સદૈવ ખુશી રહે છે. તે છે જ સુખધામ. આને કહેવાય છે પુરુષોત્તમ સંગમયુગ. બાપ કહે છે આ પુરુષાર્થ થી તમે આ બનવા વાળા છો. તમારા ચિત્ર પણ બનાવ્યાં હતાં, ઘણાં આવ્યાં પછી સુનન્તી, કથન્તી, ભાગન્તી થઈ ગયાં. બાપ આવીને આ બાળકો ને ખૂબ પ્રેમ થી સમજાવે છે. બાપ, શિક્ષક પ્રેમ કરે છે, ગુરુ પણ પ્રેમ કરે છે. સદ્દગુરુ નો નીંદક ઠોર ન મેળવે. તમારો મુખ્ય ઉદ્દેશ સામે છે. એ ગુરુઓ ની પાસે તો મુખ્ય ઉદ્દેશ કોઈ હોતો નથી. તે કોઈ ભણતર નથી, આ તો ભણતર છે. આને કહેવાય છે યુનિવર્સિટી કમ હોસ્પિટલ, જેનાથી તમે એવરહેલ્દી (સદા સ્વસ્થ), વેલ્દી (સંપત્તિવાન) બનો છો. અહીંયા તો છે જ જુઠ્ઠ, ગાય પણ છે જુઠ્ઠી કાયા... સતયુગ છે સચખંડ. ત્યાં તો હીરા ઝવેરાતો નાં મહેલ હોય છે. સોમનાથ નું મંદિર પણ ભક્તિમાર્ગ માં બનાવ્યું છે. કેટલું ધન હતું જે પછી મુસલમાનો એ આવીને લૂંટ્યું. મોટી-મોટી મસ્જિદો બનાવી. બાપ તમને કારુન (કુબેર) નો ખજાનો આપે છે. શરુ થી જ તમને બધા સાક્ષાત્કાર કરાવતા આવ્યાં છે. અલ્લાહ અવલદિન બાબા છે ને? પહેલો-પહેલો ધર્મ સ્થાપન કરે છે. તે છે ડીટીઝમ (દૈવી રાજ્ય). જે ધર્મ નથી તે ફરી થી સ્થાપન થાય છે. બધા જાણે છે પ્રાચીન સતયુગ માં આમનું જ રાજ્ય હતું, એમની ઉપર કોઈ નથી. દૈવી રાજ્ય ને જ પેરેડાઇઝ (વૈકુંઠ) કહેવાય છે. હમણાં તમે જાણો છો પછી બીજાઓ ને કહેવાનું છે. બધાને કેવી રીતે ખબર પડે જે પછી એવી કોઈ ફરિયાદ ન કરે કે અમને ખબર જ ન પડી. તમે બધાને કહો છો તો પણ બાપ ને છોડીને ચાલ્યાં જાય છે. આ હિસ્ટ્રી મસ્ટ (જરુર) રિપીટ. બાબા ની પાસે આવે છે તો બાબા પૂછે છે - પહેલાં ક્યારેય મળ્યાં છો? કહે છે હા બાબા, ૫ હજાર વર્ષ પહેલાં અમે મળવાં આવ્યાં હતાં. બેહદ નો વારસો લેવા આવ્યાં હતાં, કોઈ આવીને સાંભળે છે, કોઈને સાક્ષાત્કાર થાય છે બ્રહ્મા નો, તો તે યાદ આવે છે. પછી કહે છે અમે તો આ જ રુપ જોયું હતું. બાપ પણ બાળકો ને જોઈ ખુશ થાય છે. તમારી અવિનાશી જ્ઞાન રત્નો થી ઝોલી ભરાય છે ને? આ ભણતર છે. ૭ દિવસ નો કોર્સ કરીને પછી ભલે ક્યાંય પણ રહો મોરલી નાં આધાર પર ચાલી શકો છો, ૭ દિવસ માં એટલું સમજાવશે જે પછી મોરલી ને સમજી શકશો. બાપ તો બાળકો ને બધા રહસ્ય સારી રીતે સમજાવતા રહે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વદર્શન ચક્ર ફેરવતા પાપો ને ભસ્મ કરવાનાં છે, રુહાની ભણતર થી પોતાનું પદ શ્રેષ્ઠ બનાવવાનું છે. કોઈ પણ પરિસ્થિતિ માં આંસુ નથી વહાવવાનાં.

2. આ વાનપ્રસ્થ અવસ્થા માં રહેવાનો સમય છે, એટલે વનવાહ માં બહુ જ સાધારણ રહેવાનું છે. ન ખૂબ ઊંચા, ન ખૂબ નીચાં. પાછા જવા માટે આત્મા ને સંપૂર્ણ પાવન બનાવવાનો છે.

વરદાન :-
સદા મોલ્ડ થવાની વિશેષતા થી સંપર્ક અને સેવા માં સફળ થવા વાળા સફળતા મૂર્ત ભવ

જે બાળકો માં સ્વયં ને મોલ્ડ કરવાની વિશેષતા છે તે સહજ જ ગોલ્ડન એજ ની સ્ટેજ (સતોપ્રધાન સ્થિતિ) સુધી પહોંચી શકે છે. જેવો સમય, જેવી પરિસ્થિતિ હોય એ જ પ્રમાણે પોતાની ધારણાઓ ને પ્રત્યક્ષ કરવા માટે મોલ્ડ થવું પડે છે. મોલ્ડ થવા વાળા જ રીયલ ગોલ્ડ છે. જેવી રીતે સાકાર બાપ ની વિશેષતા જોઈ - જેવો સમય, જેવાં વ્યક્તિ તેવું રુપ - એવી રીતે ફોલો ફાધર કરો તો સેવા અને સંપર્ક બધા માં સહજ જ સફળતામૂર્ત બની જશો.

સ્લોગન :-
જ્યાં સર્વ શક્તિઓ છે ત્યાં નિર્વિઘ્ન સફળતા સાથે છે.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો

જેવી રીતે સાકાર માં આવવા, જવાની સહજ પ્રેક્ટિસ થઈ ગઈ છે, તેવી રીતે આત્મા ને પોતાની કર્માતીત અવસ્થા માં રહેવાની પણ પ્રેક્ટિસ હોય. હમણાં-હમણાં કર્મયોગી બની કર્મ માં આવવું, કર્મ સમાપ્ત થયું પછી કર્માતીત અવસ્થા માં રહેવું, આનો અનુભવ સહજ થતો જાય. સદા લક્ષ રહે કે કર્માતીત અવસ્થા માં રહેવું છે, નિમિત્ત માત્ર કર્મ કરવા માટે કર્મયોગી બન્યાં પછી કર્માતીત.