19-03-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે આ જૂની દુનિયા , જૂનાં શરીર થી જીવતે જીવ મરીને ઘરે જવાનું છે , એટલે દેહ - અભિમાન છોડી દેહી - અભિમાની બનો”

પ્રશ્ન :-
સારા-સારા પુરુષાર્થી બાળકો ની નિશાની શું હશે?

ઉત્તર :-
જે સારા પુરુષાર્થી છે તે સવારે-સવારે ઉઠીને દેહી-અભિમાની રહેવાની પ્રેક્ટિસ કરશે. તે એક બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરશે. તેમનું લક્ષ રહે છે કે બીજા કોઈ દેહધારી યાદ ન આવે, નિરંતર બાપ અને ૮૪ નાં ચક્ર ની યાદ રહે. આ પણ અહો સૌભાગ્ય કહેવાશે.

ઓમ શાંતિ!
હમણાં આપ બાળકો જીવતે જીવ મરેલા છો. કેવી રીતે મર્યા છો? દેહ નાં અભિમાન ને છોડી દીધું તો બાકી રહ્યો આત્મા. શરીર તો ખતમ થઈ જાય છે. આત્મા નથી મરતો. બાપ કહે છે જીવતે જીવ સ્વયં ને આત્મા સમજો અને પરમપિતા પરમાત્મા સાથે યોગ લગાવવા થી આત્મા પવિત્ર બની જશે. જ્યાં સુધી આત્મા બિલકુલ પવિત્ર નથી બન્યો ત્યાં સુધી પવિત્ર શરીર મળી ન શકે. આત્મા પવિત્ર બની ગયો તો પછી આ જૂનું શરીર જાતે જ છૂટી જશે, જેમ સાપ ની ખાલ (ચામડી) ઓટોમેટિકલી (આપમેળે) ઉતરી જાય છે, તેમાંથી મમત્વ નીકળી જાય છે, તે જાણે છે મને નવી ખાલ મળે છે, જૂની ઉતરી જશે. દરેક ને પોત-પોતાની બુદ્ધિ તો હોય છે ને? હમણાં આપ બાળકો સમજો છો આપણે જીવતે જીવ આ જૂની દુનિયાથી, જૂનાં શરીર થી મરી ચૂક્યાં છીએ પછી તમે આત્માઓ પણ શરીર છોડીને ક્યાં જશો? પોતાનાં ઘરે. પહેલાં-પહેલાં તો આ પાક્કું યાદ કરવાનું છે - આપણે આત્મા છીએ, શરીર નથી. આત્મા કહે છે-બાબા, અમે તમારા થઈ ચૂક્યાં, જીવતે જીવ મરી ચૂક્યાં છીએ. હમણાં આત્મા ને ફરમાન મળેલું છે કે મુજ બાપ ને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. આ યાદ નો અભ્યાસ પાક્કો જોઈએ. આત્મા કહે છે-બાબા, તમે આવ્યાં છો તો અમે તમારા જ બનીશું. આત્મા મેલ (પુરુષ) છે, નહીં કે ફિમેલ (સ્ત્રી). હંમેશા કહે છે આપણે ભાઈ-ભાઈ છીએ, એવું થોડી કહે છે કે અમે બધા સિસ્ટર્સ (બહેનો) છીએ, બધા બાળકો છે. બધા બાળકો ને વારસો મળવાનો છે. જો પોતાને બાળકી કહેશો તો વારસો કેવી રીતે મળશે? આત્માઓ બધા ભાઈ-ભાઈ છે. બાપ બધાને કહે છે - રુહાની બાળકો, મને યાદ કરો. આત્મા કેટલો નાનો છે? આ છે બહુ જ મહીન (સુક્ષ્મ) સમજવાની વાતો. બાળકો ને યાદ રહેતી નથી. સંન્યાસી લોકો દૃષ્ટાંત આપે છે - હું ભેંસ છું, ભેંસ છું… એવું કહેવાથી પછી ભેંસ બની જાય છે. હવે હકીકત માં ભેંસ કોઈ બને છે થોડી? બાપ તો કહે છે સ્વયં ને આત્મા સમજો. આ આત્મા અને પરમાત્મા નું જ્ઞાન તો કોઈ ને નથી એટલે એવી-એવી વાતો કહી દે છે. હવે તમારે દેહી-અભિમાની બનવાનું છે, આપણે આત્મા છીએ, આ જૂનું શરીર છોડી આપણે જઈ નવું લેવાનું છે. મનુષ્ય મુખ થી કહે પણ છે કે આ આત્મા સ્ટાર (સિતારો) છે, ભ્રકુટી ની વચ્ચે રહે છે, પછી કહી દે છે અંગુષ્ઠ (અંગૂઠા) જેવો છે. હવે સિતારો ક્યાં, અંગુઠો ક્યાં? અને પછી માટી નાં સાલિગ્રામ બેસીને બનાવે છે, આટલો મોટો આત્મા તો હોઈ ન શકે. મનુષ્ય દેહ-અભિમાની છે ને, બનાવે પણ મોટા રુપ માં છે. આ તો બહુ જ સૂક્ષ્મ મહીનતા ની વાતો છે. ભક્તિ પણ મનુષ્ય એકાંત માં, કોઠી (ઓરડી) માં બેસીને કરે છે. તમારે તો ગૃહસ્થ વ્યવહાર માં, ધંધા વગેરે માં રહેવા છતાં બુદ્ધિ માં આ પાક્કું કરવાનું છે-અમે આત્મા છીએ. બાપ કહે છે-હું તમારો બાપ પણ આટલું નાનું બિંદુ છું. એવું નથી કે હું મોટો છું. મારા માં બધું જ્ઞાન છે. આત્મા અને પરમાત્મા બંને એક જેવા જ છે, ફક્ત એમને સુપ્રિમ કહેવાય છે. આ ડ્રામા માં નોંધ છે. બાપ કહે છે-હું તો અમર છું. હું અમર ન હોત તો તમને પાવન કેવી રીતે બનાવું? તમને સ્વીટ ચિલ્ડ્રન (મીઠાં બાળકો) કેવી રીતે કહું? આત્મા જ બધું કરે છે. બાપ આવીને દેહી-અભિમાની બનાવે છે, આમાં જ મહેનત છે. બાપ કહે છે-મને યાદ કરો, બીજા કોઈને યાદ ન કરો. યોગી તો દુનિયામાં ખૂબ છે. કન્યા ની સગાઈ થાય છે તો પછી પતિ ની સાથે યોગ લાગી જાય છે ને? પહેલાં થોડી હતો? પતિ ને જોયા પછી એમની યાદ માં રહે છે. હવે બાપ કહે છે-મામેકમ્ યાદ કરો. આ બહુ જ સારી પ્રેક્ટિસ (અભ્યાસ) જોઈએ. જે સારા-સારા પુરુષાર્થી બાળકો છે તે સવારે-સવારે ઉઠીને દેહી-અભિમાની રહેવાની પ્રેક્ટિસ કરશે. ભક્તિ પણ સવારે કરે છે ને? પોત-પોતાનાં ઈષ્ટ દેવ ને યાદ કરે છે. હનુમાન ની પણ કેટલી પૂજા કરે છે પરંતુ જાણતા કાંઈ પણ નથી. બાપ આવીને સમજાવે છે-તમારી બુદ્ધિ વાંદરા જેવી થઈ ગઈ છે. હવે ફરી તમે દેવતા બનો છો. હવે આ છે પતિત તમોપ્રધાન દુનિયા. હમણાં તમે આવ્યાં છો બેહદ નાં બાપ ની પાસે. હું તો પુનર્જન્મ રહિત છું. આ શરીર આ દાદા નું છે. મારું કોઈ શરીર નું નામ નથી. મારું નામ જ છે કલ્યાણકારી શિવ. આપ બાળકો જાણો છો શિવબાબા કલ્યાણકારી આવીને નર્ક ને સ્વર્ગ બનાવે છે. કેટલું કલ્યાણ કરે છે! નર્ક નો એકદમ વિનાશ કરાવી દે છે. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા હમણાં સ્થાપના થઈ રહી છે. આ છે પ્રજાપિતા બ્રહ્મા મુખ વંશાવલી. ચાલતાં-ફરતાં એક-બીજા ને સાવધાન કરવાના છે - મનમનાભવ. બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. પતિત-પાવન તો બાપ છે ને? તેમણે ભૂલ થી ભગવાનુવાચ ની બદલે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. ભગવાન તો નિરાકાર છે, એમને પરમપિતા પરમાત્મા કહેવાય છે. એમનું નામ છે શિવ. શિવ ની પૂજા પણ ખૂબ થાય છે. શિવકાશી, શિવકાશી કહેતાં રહે છે. ભક્તિમાર્ગ માં અનેક પ્રકાર નાં નામ રાખી દીધાં છે. કમાણી માટે અનેક મંદિર બનાવ્યાં છે. અસલ નામ છે શિવ. પછી સોમનાથ રાખ્યું છે, સોમનાથ, સોમરસ પીવડાવે છે, જ્ઞાન ધન આપે છે. પછી જ્યારે પુજારી બને છે તો કેટલાં ખર્ચા કરે છે એમનાં મંદિર બનાવવા પર, કારણકે સોમરસ આપ્યો છે ને? સોમનાથ ની સાથે સોમનાથિણી પણ હશે! યથા રાજા રાણી તથા પ્રજા બધા સોમનાથ સોમનાથિણી છે. તમે સોના ની દુનિયા માં જાઓ છો. ત્યાં સોના ની ઈંટો હોય છે. નહીં તો દિવાલો વગેરે કેવી રીતે બને? ખૂબ સોનું હોય છે એટલે તેને સોના ની દુનિયા કહેવાય છે. આ છે લોખંડ, પથ્થરો ની દુનિયા. સ્વર્ગ નું નામ સાંભળીને જ મુખ માં પાણી આવી જાય છે. વિષ્ણુ નાં બે રુપ લક્ષ્મી-નારાયણ અલગ-અલગ બનશે ને? તમે વિષ્ણુપુરી નાં માલિક બનો છો. હમણાં તમે છો રાવણપુરી માં. તો હવે બાપ કહે છે ફક્ત સ્વયં ને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. બાપ પણ પરમધામ માં રહે છે, આપ આત્માઓ પણ પરમધામ માં રહો છો. બાપ કહે છે, તમને કોઈ તકલીફ નથી આપતો. બહુ જ સહજ છે. બાકી આ રાવણ દુશ્મન તમારી સામે ઉભો છે. આ વિઘ્ન નાખે છે. જ્ઞાન માં વિઘ્ન નથી પડતાં, વિઘ્ન પડે છે યાદ માં. ઘડી-ઘડી માયા યાદ ભુલાવી દે છે. દેહ-અભિમાન માં લઈ આવે છે. બાપ ને યાદ કરવા નથી દેતી, આ યુદ્ધ ચાલે છે. બાપ કહે છે તમે કર્મયોગી તો છો જ. અચ્છા, દિવસ માં યાદ નથી કરી શકતા તો રાત્રે યાદ કરો. રાત નો અભ્યાસ દિવસ માં કામ આવશે.

નિરંતર સ્મૃતિ રહે - જે બાપ આપણને વિશ્વ નાં માલિક બનાવે છે, આપણે એમને યાદ કરીએ છીએ! બાપ ની યાદ અને ૮૪ જન્મો નાં ચક્ર ની યાદ રહે તો અહો સૌભાગ્ય. બીજાઓ ને પણ સંભળાવવા નું છે-બહેનો અને ભાઈઓ, હવે કળિયુગ પૂરો થઈ સતયુગ આવે છે. બાપ આવ્યાં છે, સતયુગ માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે. કળિયુગ પછી સતયુગ આવવાનો છે. એક બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરવાનાં. વાનપ્રસ્થી જે હોય છે તે સંન્યાસીઓ નો જઈને સંગ કરે છે. વાનપ્રસ્થ, ત્યાં વાણી નું કામ નથી. આત્મા શાંત રહે છે. લીન તો થઈ નથી શકતો. ડ્રામા માંથી કોઈ પણ એક્ટર નીકળી નથી શકતો. આ પણ બાપે સમજાવ્યું છે-એક બાપ સિવાય બીજા કોઈને યાદ નથી કરવાનાં. જોવા છતાં પણ યાદ ન કરો. આ જૂની દુનિયા તો વિનાશ થઈ જવાની છે, કબ્રસ્તાન છે ને? મડદા ને ક્યારેય યાદ કરાય છે શું? બાપ કહે છે આ બધા મરેલાં છે. હું આવ્યો છું, પતિતો ને પાવન બનાવી લઈ જાઉં છું. અહીં આ બધા ખતમ થઈ જશે. આજકાલ બોમ્બસ વગેરે જે પણ બનાવે છે, બહુ જ શક્તિશાળી બનાવતા રહે છે. કહે છે અહીં બેસીને જેનાં પર છોડીશું તેનાં પર જ પડશે. આ નોંધ છે, ફરી થી વિનાશ થવાનો છે. ભગવાન આવે છે, નવી દુનિયા માટે રાજયોગ શીખવાડી રહ્યાં છે. આ મહાભારત લડાઈ છે, જે શાસ્ત્રો માં ગવાયેલી છે. બરોબર ભગવાન આવ્યાં છે-સ્થાપના અને વિનાશ કરવાં. ચિત્ર પણ ક્લિયર (સ્પષ્ટ) છે. તમે સાક્ષાત્કાર કરી રહ્યાં છો-અમે આ બનીશું. અહીં નું આ ભણતર ખતમ થઈ જશે. ત્યાં તો બેરિસ્ટર, ડોક્ટર વગેરેની જરુર નથી હોતી. તમે તો અહીં નો વારસો લઈ જાઓ છો. હુન્નર (કળાઓ) પણ બધા અહીં થી લઈ જશે. મકાન વગેરે બનાવવા વાળા ફર્સ્ટ ક્લાસ હશે તો ત્યાં પણ બનાવશે. બજાર વગેરે પણ તો હશે ને? કામ તો ચાલશે. અહીં થી શીખીને અક્કલ લઈ જાય છે. વિજ્ઞાન કરતાં પણ સારા હુન્નર શીખે છે. તે બધું ત્યાં કામ આવશે. પ્રજા માં જશે. આપ બાળકોને તો પ્રજા માં નથી આવવાનું. તમે આવ્યાં જ છો બાબા-મમ્મા નાં તખ્તનશીન બનવાં. બાપ જે શ્રીમત આપે છે, તેનાં પર ચાલવાનું છે. ફર્સ્ટ ક્લાસ શ્રીમત તો એક જ આપે છે કે મને યાદ કરો. કોઈ નું ભાગ્ય અનાયાસે પણ ખૂલી જાય છે. કોઈ કારણ નિમિત્ત બની જાય છે. કુમારીઓ ને પણ બાબા કહે છે લગ્ન તો બરબાદી થઈ જશે. આ ગટર માં નહીં પડો. શું તમે બાપ નું નહીં માનશો? સ્વર્ગ ની મહારાણી નહીં બનો? પોતાની સાથે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે અમે આ દુનિયામાં ક્યારેય નહીં જઈશું. આ દુનિયા ને યાદ પણ નહીં કરીશું. સ્મશાન ને ક્યારેય યાદ કરાય છે શું? અહીં તો તમે કહો છો ક્યાં આ શરીર છૂટે તો અમે સ્વર્ગ માં જઈએ. હવે ૮૪ જન્મ પૂરા થયાં, હવે આપણે પોતાનાં ઘરે જઈએ છીએ. બીજાઓ ને પણ આ જ સંભળાવવાનું છે. આ પણ સમજો છો-બાબા વગર સતયુગ ની રાજાઈ કોઈ આપી ન શકે.

આ રથ ને પણ કર્મભોગ તો હોય છે ને? બાપદાદા ની પણ પરસ્પર ક્યારેક રુહરિહાન ચાલે છે-આ બાબા કહે છે બાબા આશીર્વાદ કરી દો. ઉધરસ માટે કોઈ દવા કરો અથવા છું-મંત્ર થી ઉડાવી દો. કહે છે-ના, આ તો ભોગવવાનું જ છે. આ તમારો રથ લઉં છું, તેનાં બદલામાં તો આપું જ છું, બાકી આ તો તમારો હિસાબ-કિતાબ છે. અંત સુધી કાંઈ ને કાંઈ થતું રહેશે. તમારા પર આશીર્વાદ કરું તો બધા પર કરવા પડે. આજે આ બાળકી અહીં બેઠી છે, કાલે ટ્રેન માં એક્સિડન્ટ (અકસ્માત) થઈ જાય છે, મરી જાય છે, બાબા કહેશે ડ્રામા. એવું થોડી કહી શકાય કે બાબાએ પહેલાં કેમ નહીં બતાવ્યું? એવો કાયદો નથી. હું તો આવું છું પતિત થી પાવન બનાવવાં. આ બતાવવા થોડી આવ્યો છું. આ હિસાબ-કિતાબ તો તમારે પોતાનાં ચૂક્તું કરવાના છે. આમાં આશીર્વાદ ની વાત નથી. તેનાં માટે જાઓ સંન્યાસીઓ ની પાસે. બાબા તો વાત જ એક બતાવે છે. મને બોલાવ્યો જ એટલે છે કે અમને આવીને નર્ક થી સ્વર્ગ માં લઈ જાઓ. ગાય પણ છે પતિત-પાવન સીતારામ. પરંતુ અર્થ ઉલ્ટો કરી દીધો છે. પછી રામ ની બેસીને મહિમા કરે છે - રઘુપતિ રાઘવ રાજારામ… બાપ કહે છે આ ભક્તિમાર્ગ માં તમે કેટલાં પૈસા ગુમાવ્યાં છે! એક ગીત પણ છે ને - ક્યાં કૌતુક દેખા… દેવીઓ ની મૂર્તિઓ બનાવી, પૂજા કરી પછી સમુદ્ર માં ડુબાડી દે છે. હવે સમજ માં આવે છે - કેટલાં પૈસા બરબાદ કરે છે, ફરી પણ આ થશે. સતયુગ માં તો આવું કામ થતું જ નથી. સેકન્ડ બાય સેકન્ડ ની નોંધ છે. કલ્પ પછી ફરી આ જ વાત રિપીટ (પુનરાવર્તન) થશે. ડ્રામા ને બહુ જ સારી રીતે સમજવો જોઈએ. અચ્છા, કોઈ વધારે નથી યાદ કરી શકતાં તો બાપ કહે છે ફક્ત અલ્ફ અને બે, બાપ અને બાદશાહી ને યાદ કરો. અંદર આ જ ધૂન લગાવી દો કે આપણે આત્મા કેવી રીતે ૮૪ નું ચક્ર લગાવીને આવ્યાં છીએ. ચિત્રો પર સમજાવો, ખૂબ સહજ છે. આ છે રુહાની બાળકો સાથે રુહરિહાન. બાપ રુહરિહાન કરે જ છે બાળકો સાથે. બીજા કોઈ સાથે તો કરી ન શકે. બાપ કહે છે-સ્વયં ને આત્મા સમજો. આત્મા જ બધું કરે છે. બાપ યાદ અપાવે છે, તમે ૮૪ જન્મ લીધાં છે. મનુષ્ય જ બન્યાં છો. જેમ બાપ ઓર્ડીનેન્સ (કાયદો) કાઢે છે કે વિકાર માં નથી જવાનું, એમ આ પણ ઓર્ડીનેન્સ કાઢે છે કે કોઈએ રડવાનું નથી. સતયુગ-ત્રેતા માં ક્યારેય કોઈ રડતાં નથી, નાનાં બાળકો પણ નથી રડતાં. રડવાનો હુકમ નથી. તે છે જ હર્ષિત રહેવાની દુનિયા. તેની પ્રેક્ટિસ બધી અહીં કરવાની છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ પાસે થી આશીર્વાદ માંગવાનાં બદલે યાદ ની યાત્રા થી પોતાનાં બધા હિસાબ ચૂક્તું કરવાના છે. પાવન બનવાનો પુરુષાર્થ કરવાનો છે. આ ડ્રામા ને યથાર્થ રીતે સમજવાનો છે.

2. આ જૂની દુનિયા ને જોવા છતાં પણ યાદ નથી કરવાની. કર્મયોગી બનવાનું છે. સદા હર્ષિત રહેવાનો અભ્યાસ કરવાનો છે. ક્યારેય પણ રડવાનું નથી.

વરદાન :-
પ્રવૃત્તિ માં રહેતાં મારા પણા નો ત્યાગ કરવા વાળા સાચાં ટ્રસ્ટી , માયાજીત ભવ

જેમ ગંદકી માં કીડાઓ ઉત્પન્ન થાય છે તેમ જ જ્યારે મારાપણું આવે છે તો માયા નો જન્મ થાય છે. માયાજીત બનવાની સહજ રીત છે - સ્વયં ને સદા ટ્રસ્ટી સમજો. બ્રહ્માકુમાર એટલે ટ્રસ્ટી, ટ્રસ્ટી નું કોઈ માં પણ અટેચમેન્ટ નથી હોતું કારણકે એમના માં મારાપણું નથી હોતું. ગૃહસ્થી સમજશો તો માયા આવશે અને ટ્રસ્ટી સમજશો તો માયા ભાગી જશે એટલે ન્યારા થઈને પછી પ્રવૃત્તિ નાં કાર્ય માં આવો તો માયાપ્રુફ રહેશો.

સ્લોગન :-
જ્યાં અભિમાન હોય છે ત્યાં અપમાન ની ફીલિંગ જરુર આવે છે.

અવ્યક્ત ઇશારા - સત્યતા અને સભ્યતા રુપી કલ્ચર અપનાવો

પોતાની આંતરિક સ્વચ્છતા, સત્યતા ઉઠવામાં, બેસવામાં, બોલવામાં, સેવા કરવામાં લોકો ને અનુભવ થાય ત્યારે પરમાત્મ-પ્રત્યક્ષતા નાં નિમિત્ત બની શકશો, એનાં માટે પવિત્રતા ની શમા સદા જાગેલી રહે. જરા પણ હલચલ માં ન આવે, જેટલી પવિત્રતા ની શમા અચલ હશે એટલા સહજ બધા બાપ ને ઓળખી શકશે.