20-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાબા
આવ્યાં છે તમને બહુ જ રુચિ થી ભણાવવા , તમે પણ રુચિ થી ભણો - નશો રહે અમને ભણાવવા
વાળા સ્વયં ભગવાન છે”
પ્રશ્ન :-
આપ બ્રહ્માકુમાર-કુમારીઓ નો ઉદ્દેશ તથા શુદ્ધ ભાવના કઈ છે?
ઉત્તર :-
તમારો ઉદ્દેશ છે - કલ્પ ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ ફરી થી શ્રીમત પર વિશ્વ માં સુખ
અને શાંતિ નું રાજ્ય સ્થાપન કરવું. તમારી શુદ્ધ ભાવના છે કે શ્રીમત પર અમે આખાં
વિશ્વ ની સદ્દગતિ કરીશું. તમે નશા થી કહો છો અમે બધાને સદ્દગતિ આપવા વાળા છીએ. તમને
બાપ પાસે થી પીસ પ્રાઈઝ (શાંતિ નું ઈનામ) મળે છે. નર્કવાસી થી સ્વર્ગવાસી બનવું જ
ઈનામ લેવું છે.
ઓમ શાંતિ!
સ્ટુડન્ટ (વિદ્યાર્થી)
જ્યારે ભણે છે તો ખુશી થી ભણે છે. શિક્ષક પણ બહુ જ ખુશી થી, રુચિ થી ભણાવે છે.
રુહાની બાળકો આ જાણે છે કે બેહદ નાં બાપ જે શિક્ષક પણ છે, આપણને બહુ જ રુચિ થી ભણાવે
છે. તે ભણતર માં તો બાપ અલગ હોય છે , શિક્ષક અલગ હોય છે, જે ભણાવે છે. કોઈ-કોઈ નાં
બાપ જ શિક્ષક હોય છે જે ભણાવે છે તો બહુ જ રુચિ થી ભણાવે છે કારણકે તો પણ બ્લડ
કનેક્શન (લોહીનો સંબંધ) હોય છે ને? પોતાનાં સમજીને ખૂબ રુચિ થી ભણાવે છે. આ બાપ તમને
કેટલાં રુચિ થી પણ ભણાવતા હશે તો બાળકોએ પણ કેટલાં રુચિ થી ભણવું જોઈએ? ડાયરેક્ટ
બાપ ભણાવે છે અને આ એક જ વાર આવીને ભણાવે છે. બાળકો ને રુચિ ખૂબ હોવી જોઈએ. બાબા
ભગવાન આપણને ભણાવે છે અને દરેક વાત સારી રીતે સમજાવતા રહે છે. કોઈ-કોઈ બાળકો ને
ભણતાં-ભણતાં વિચાર આવે છે આ શું છે? ડ્રામા માં આ આવાગમન નું ચક્ર છે. પરંતુ આ નાટક
રચ્યું જ શા માટે? આનાથી શું ફાયદો? બસ, ફક્ત આમ ચક્ર જ લગાવતા રહીશું, એનાથી તો
છૂટી જઈએ તો સારું છે. જ્યારે જુએ છે આ તો ૮૪ નું ચક્ર લગાવતા જ રહેવાનું છે તો
આવાં-આવાં વિચારો આવે છે. ભગવાને આવો ખેલ કેમ રચ્યો છે, જે આવાગમન નાં ચક્ર માંથી
છૂટી જ નથી શકતાં, આનાં કરતાં મોક્ષ મળી જાય. આવાં-આવાં વિચારો ઘણાં બાળકો ને આવે
છે. આ આવાગમન થી, દુઃખ-સુખ થી છૂટી જઈએ. કહે છે આ ક્યારેય બની નથી શકતું. મોક્ષ
મેળવવા માટે કોશિશ કરવી જ વેસ્ટ (વ્યર્થ) થઈ જાય છે. બાપે સમજાવ્યું છે એક પણ આત્મા
પાર્ટ થી છૂટી નથી શકતો. આત્મા માં અવિનાશી પાર્ટ ભરેલો છે. તે છે જ અનાદિ અવિનાશી,
બિલકુલ એક્યુરેટ એક્ટર્સ છે. એક પણ ઓછા-વધારે નથી થઈ શકતાં. આપ બાળકો ને બધી નોલેજ
છે. આ ડ્રામા નાં પાર્ટ થી કોઈ છૂટી ન શકે. નથી કોઈ મોક્ષ મેળવી શકતાં. બધા ધર્મ
વાળાઓએ નંબરવાર આવવાનું જ છે. બાપ સમજાવે છે આ પૂર્વ નિર્ધારિત અવિનાશી ડ્રામા છે.
તમે પણ કહો છો બાબા હવે જાણી ગયા, કેવી રીતે અમે ૮૪ નું ચક્ર લગાવીએ છીએ. આ પણ સમજો
છો પહેલાં-પહેલાં જે આવતા હશે, તે ૮૪ જન્મ લેતા હશે. પાછળ આવવા વાળા નાં જરુર ઓછા
જન્મ હશે. અહીં તો પુરુષાર્થ કરવાનો છે. જૂની દુનિયા થી નવી દુનિયા જરુર બનવાની છે.
બાબા દરેક વાત વારંવાર સમજાવતા રહે છે કારણકે નવાં-નવાં બાળકો આવતા રહે છે. તેમને
આગળ નું ભણવાનું કોણ ભણાવે? તો બાપ નવાં-નવાં ને જોઈ ફરી જૂનાં પોઈન્ટસ જ રીપીટ કરે
છે.
તમારી બુદ્ધિ માં બધી
નોલેજ છે. જાણો છો શરુ થી લઈને કેવી રીતે આપણે પાર્ટ ભજવતા આવ્યાં છીએ. તમે યથાર્થ
રીતે જાણો છો, કેવી રીતે નંબરવાર આવે છે, કેટલાં જન્મ લે છે. આ સમયે જ બાપ આવીને
જ્ઞાન ની વાતો સંભળાવે છે. સતયુગ માં તો છે જ પ્રારબ્ધ. આ વાત આ સમયે તમને જ
સમજાવાય છે. ગીતા માં પણ શરુઆત માં પછી અંત માં આ વાત આવે છે - મનમનાભવ. ભણાવાય છે
સ્ટેટ્સ (પદ) મેળવવા માટે. આપ રાજા બનવા માટે હમણાં પુરુષાર્થ કરો છો. બીજા
ધર્મવાળાઓ નું તો સમજાવ્યું છે કે તે નંબરવાર આવે છે, ધર્મ સ્થાપક નાં પાછળ બધાએ
આવવું પડે છે. રાજાઈ ની વાત નથી. એક જ ગીતા શાસ્ત્ર છે જેની ખૂબ મહિમા છે. ભારત માં
જ બાપ આવીને સંભળાવે છે અને બધાની સદ્દગતિ કરે છે. તે ધર્મસ્થાપક જે આવે છે, તે
જ્યારે મરે છે તો મોટાં-મોટાં તીર્થ બનાવી દે છે. હકીકત માં બધાનું તીર્થ આ ભારત જ
છે જ્યાં બેહદ નાં બાપ આવે છે. બાપે ભારત માં જ આવીને સર્વ ની સદ્દગતિ કરી છે. બાપ
કહે છે મને લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કહો છો ને? હું તમને આ જૂની
દુનિયા, દુઃખ ની દુનિયા થી લિબ્રેટ (મુક્ત) કરી શાંતિધામ, સુખધામ માં લઈ જાઉં છું.
બાળકો જાણે છે બાબા અમને શાંતિધામ, સુખધામ લઈ જશે. બાકી બધા શાંતિધામ જશે. દુ:ખ થી
બાપ આવીને લિબ્રેટ કરે છે. એમનો જન્મ-મરણ તો નથી. બાપ આવ્યાં, પછી ચાલ્યાં જશે. એમનાં
માટે એવું થોડી કહેવાશે કે મરી ગયાં? જેમ શિવાનંદ માટે કહેવાશે શરીર છોડી દીધું પછી
ક્રિયાકર્મ કરે છે. આ બાપ ચાલ્યાં જશે તો એમનું ક્રિયાકર્મ, સેરેમની વગેરે કાંઈ પણ
નથી કરવાનું હોતું. એમનાં તો આવવાની પણ ખબર નથી પડતી. ક્રિયાકર્મ વગેરે ની તો વાત જ
નથી. બીજા બધા મનુષ્યો નો ક્રિયાકર્મ કરે છે. બાપ નો ક્રિયાકર્મ થતો નથી, એમને શરીર
જ નથી. સતયુગ માં આ જ્ઞાન-ભક્તિ ની વાતો હોતી નથી. આ હમણાં જ ચાલે છે બીજા બધા ભક્તિ
જ શીખવાડે છે. અડધોકલ્પ છે ભક્તિ પછી અડધાકલ્પ પછી બાપ આવીને જ્ઞાન નો વારસો આપે
છે. જ્ઞાન કાંઈ ત્યાં સાથે નથી ચાલતું. ત્યાં બાપ ને યાદ કરવાની જરુર જ નથી રહેતી.
મુક્તિ માં છે. ત્યાં યાદ કરવાના હોય છે શું? દુઃખ ની ફરિયાદ ત્યાં હોતી જ નથી.
ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી પછી વ્યભિચારી. આ સમયે તો અતિ વ્યભિચારી ભક્તિ છે, આને
રૌરવ નર્ક કહેવાય છે. એકદમ તીખા માં તીખું (ખરાબ માં ખરાબ) નર્ક છે પછી બાપ આવીને
તીખું (સુંદર) સ્વર્ગ બનાવે છે. આ સમયે છે ૧૦૦ ટકા દુઃખ પછી ૧૦૦ ટકા સુખ-શાંતિ હશે.
આત્મા જઈને પોતાનાં ઘરે વિશ્રામ મેળવશે. સમજાવવા માં ખૂબ સહજ છે. બાપ કહે છે હું આવું
જ ત્યારે છું જ્યારે નવી દુનિયા ની સ્થાપના કરી જૂની દુનિયાનો વિનાશ કરવાનો હોય છે.
આટલું કાર્ય ફક્ત એક તો નહીં કરશે. ખિદ્દમતગાર (સેવાધારી) ખૂબ જોઈએ. આ સમયે તમે બાપ
નાં ખિદ્દમતગાર બાળકો બન્યાં છો. ભારત ની ખાસ સાચ્ચી સેવા કરો છો. સાચાં બાપ સાચ્ચી
સેવા શીખવાડે છે. પોતાનું પણ, ભારત નું પણ અને વિશ્વ નું પણ કલ્યાણ કરો છો. તો કેટલી
રુચિ થી કરવું જોઈએ. બાબા કેટલી રુચિ થી સર્વ ની સદ્દગતિ કરે છે. હમણાં પણ સર્વ ની
સદ્દગતિ થવાની છે જરુર. આ છે શુદ્ધ અહંકાર, શુદ્ધ ભાવના.
તમે સાચ્ચી-સાચ્ચી
સેવા કરો છો - પરંતુ ગુપ્ત. આત્મા કરે છે શરીર દ્વારા. તમને ઘણાં પૂછે છે - બી. કે.
નો ઉદ્દેશ શું છે? બોલો બી. કે. નો ઉદ્દેશ છે વિશ્વ માં સતયુગી સુખ-શાંતિ નું
સ્વરાજ્ય સ્થાપન કરવું. આપણે દરેક ૫ હજાર વર્ષ પછી શ્રીમત પર વિશ્વ માં શાંતિ
સ્થાપન કરી વિશ્વ શાંતિ નું ઈનામ લઈએ છીએ. યથા રાજા-રાણી તથા પ્રજા ઈનામ લે છે.
નર્કવાસી થી સ્વર્ગવાસી બનવું નાનું ઈનામ છે શું? તેઓ શાંતિ નું ઈનામ લઈને ખુશ થતા
રહે છે, મળતું કાંઈ પણ નથી. સાચ્ચું-સાચ્ચું ઈનામ તો હમણાં આપણે બાપ પાસે થી લઈ
રહ્યાં છીએ, વિશ્વ ની બાદશાહી નું. કહે છે ને ભારત અમારો ઊંચો દેશ છે. કેટલી મહિમા
કરે છે. બધા સમજે છે અમે ભારત નાં માલિક છીએ, પરંતુ માલિક છે ક્યાં? હમણાં આપ બાળકો
બાબા ની શ્રીમત થી રાજ્ય સ્થાપન કરો છો. હથિયાર-તલવાર તો કાંઈ નથી. દૈવીગુણ ધારણ કરો
છો એટલે તમારું જ ગાયન પૂજન છે. અંબા ની જુઓ કેટલી પૂજા થાય છે! પરંતુ અંબા કોણ છે,
બ્રાહ્મણ છે કે દેવતા… આ પણ ખબર નથી. અંબા, કાળી, દુર્ગા, સરસ્વતી વગેરે... એવાં ઘણાં
નામ છે. અહીં પણ નીચે અંબા નું નાનકડું મંદિર છે. અંબા ને અનેક ભુજાઓ આપી દે છે. એવું
તો નથી. આને કહેવાય છે અંધવિશ્વાસ. ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરે આવ્યાં, તેમણે પોત-પોતાનાં
ધર્મ સ્થાપન કર્યા, તિથિ-તારીખ બધું બતાવે છે. ત્યાં અંધવિશ્વાસ ની તો વાત જ નથી.
અહીં ભારત વાસીઓ ને કાંઈ ખબર નથી - અમારો ધર્મ ક્યારે અને કોણે સ્થાપન કર્યો? એટલે
કહેવાય છે અંધવિશ્વાસ. હમણાં તમે પુજારી છો પછી પૂજ્ય બનો છો. તમારો આત્મા પણ પૂજ્ય
તો શરીર પણ પૂજ્ય બને છે. તમારા આત્મા ની પણ પૂજા થાય છે પછી દેવતા બનો છો તો પણ
પૂજા થાય છે. બાપ તો છે જ નિરાકાર. એ સદૈવ પૂજ્ય છે. એ ક્યારેય પુજારી નથી બનતાં.
આપ બાળકો માટે કહેવાય છે જાતે જ પૂજ્ય જાતે જ પુજારી. બાપ તો સદા પૂજ્ય છે, અહીં
આવીને બાપ સાચ્ચી સેવા કરે છે. બધા ને સદ્દગતિ આપે છે. બાપ કહે છે - હવે મામેકમ્
યાદ કરો. બીજા કોઈ દેહધારી ને યાદ નથી કરવાનાં. અહીં તો મોટાં-મોટાં લખપતિ, કરોડપતિ
જઈ અલ્લાહ-અલ્લાહ કહે છે. કેટલી અંધશ્રદ્ધા છે. બાપે તમને હમ સો નો અર્થ પણ સમજાવ્યો
છે. તે તો કહી દે છે શિવોહમ્, આત્મા સો પરમાત્મા. હવે બાપે સુધારીને બતાવ્યું છે.
હવે જ્જ (નિર્ણય) કરો, ભક્તિમાર્ગ માં સાચ્ચું સાંભળ્યું છે કે હું સાચ્ચું બતાવું
છું? હમ સો નો અર્થ બહુ જ લાંબો-પહોળો છે. હમ સો બ્રાહ્મણ, દેવતા, ક્ષત્રિય. હવે હમ
સો નો અર્થ કયો સાચ્ચો છે? આપણે આત્મા ચક્ર માં આમ આવીએ છીએ. વિરાટ રુપ નું ચિત્ર
પણ છે, એમાં ચોટલી બ્રાહ્મણ અને બાપ ને દેખાડ્યાં નથી. દેવતાઓ ક્યાંથી આવ્યાં? જન્મ
ક્યાંથી થયો? કળિયુગ માં તો છે શૂદ્રવર્ણ. સતયુગ માં ફટ થી દેવતા વર્ણ કેવી રીતે થયો?
કાંઈ પણ સમજતા નથી. ભક્તિમાર્ગ માં મનુષ્ય કેટલાં ફસાયેલા રહે છે. કોઈએ ગ્રંથ વાંચી
લીધો, વિચાર આવ્યો, મંદિર બનાવી લીધું બસ ગ્રંથ બેસીને સંભળાવશે. અનેક મનુષ્ય આવી
જાય, ઘણાં ફોલોઅર્સ (અનુયાયીઓ) બની જાય છે. ફાયદો તો કાંઈ પણ નથી થતો. ખૂબ દુકાનો
નીકળી (ઉભી થઈ) છે. હવે આ બધી દુકાન ખતમ થઈ જશે. આ દુકાનદારી બધી ભક્તિમાર્ગ માં
છે, આનાથી બહુજ ધન કમાય છે. સંન્યાસી કહે છે અમે બ્રહ્મ યોગી, તત્વ યોગી છીએ. જેમ
ભારતવાસી હકીકત માં છે દેવી-દેવતા ધર્મ નાં પરંતુ હિંદુ ધર્મ કહી દે છે. તેમ બ્રહ્મ
તો તત્વ છે, જ્યાં આત્માઓ રહે છે. તેમણે પછી બ્રહ્મ જ્ઞાની, તત્વ જ્ઞાની નામ રાખી
દીધું છે. નહીં તો બ્રહ્મ તત્વ છે રહેવાનું સ્થાન. તો બાપ સમજાવે છે કેટલી ભારે ભૂલો
કરી દીધી છે. આ બધો છે ભ્રમ. હું આવીને બધા ભ્રમ દૂર કરી દઉં છું. ભક્તિમાર્ગ માં
કહે પણ છે હે પ્રભુ તારી ગતિ મત ન્યારી છે. ગતિ તો કોઈ કરી ન શકે. મતો તો અનેકાનેક
ની મળે છે. અહીંયા ની મત કેટલો કમાલ કરી દે છે. આખાં વિશ્વ ને ચેન્જ (પરિવર્તન) કરી
દે છે.
હવે આપ બાળકો ની
બુદ્ધિ માં છે, આટલાં બધા ધર્મ કેવી રીતે આવે છે! પછી આત્માઓ કેવી રીતે પોત-પોતાનાં
સેક્શન (વિભાગ) માં જઈને રહે છે! આ બધું ડ્રામા માં નોંધ છે. આ પણ બાળકો જાણે છે -
દિવ્ય દૃષ્ટિ દાતા એક બાપ જ છે. બાબા ને કહ્યું - આ દિવ્ય દૃષ્ટિ ની ચાવી મનેં આપી
દો તો હું કોઈ ને સાક્ષાત્કાર કરાવી દઉં. બોલ્યાં - ના, આ ચાવી કોઈને મળી નથી શકતી.
તેનાં બદલા માં તમને પછી વિશ્વ ની બાદશાહી આપું છું. હું નથી લેતો. મારો જ પાર્ટ છે
સાક્ષાત્કાર કરાવવાનો. સાક્ષાત્કાર થવાથી કેટલાં ખુશ થઈ જાય છે. મળતું કાંઈ પણ નથી.
એવું નથી કે સાક્ષાત્કાર થી કોઈ નિરોગી બની જાય છે કે ધન મળી જાય છે. ના, મીરા ને
સાક્ષાત્કાર થયો પરંતુ મુક્તિ થોડી મળી? મનુષ્ય સમજે છે તે વૈકુંઠ માં જ રહેતી હતી.
પરંતુ વૈકુંઠ કૃષ્ણપુરી છે ક્યાં? આ બધા છે સાક્ષાત્કાર. બાપ બેસી બધી વાતો સમજાવે
છે. આમને પણ પહેલાં-પહેલાં વિષ્ણુ નો સાક્ષાત્કાર થયો તો બહુ જ ખુશ થઈ ગયાં. તે પણ
જ્યારે જોયું કે હું મહારાજા બનું છું. વિનાશ પણ જોયો પછી રાજાઈ ને પણ જોઈ ત્યારે
નિશ્ચય બેઠો ઓહો! હું તો વિશ્વ નો માલિક બનું છું. બાબા ની પ્રવેશતા થઈ ગઈ. બસ, બાબા
આ બધું તમે લઈ લો, મને તો વિશ્વ ની બાદશાહી જોઈએ. તમે પણ આ સોદો કરવા આવ્યાં છો ને?
જે જ્ઞાન ઉઠાવે છે એમની પછી ભક્તિ છૂટી જાય છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દૈવી ગુણ
ધારણ કરી શ્રીમત પર ભારત ની સાચ્ચી સેવા કરવાની છે. પોતાનું, ભારત નું અને આખાં
વિશ્વ નું કલ્યાણ બહુજ-બહુજ રુચિ થી કરવાનું છે.
2. ડ્રામા ની અનાદિ
અવિનાશી નોંધ ને યથાર્થ સમજી કોઈ પણ સમય વ્યર્થ કરવા વાળો પુરુષાર્થ નથી કરવાનો.
વ્યર્થ વિચાર પણ નથી ચલાવવાનાં.
વરદાન :-
દીપરાજ બાપ
દ્વારા અમર જ્યોતિ ની વધાઈ લેવા વાળા સદા અમર ભવ
ભક્ત લોકો આપ ચૈતન્ય
દીપકો નું યાદગાર જડ દીપકો ની દીપમાળા મનાવે છે. તમે જાગેલા ચૈતન્ય દીપક, બાળક બની
દીપકો નાં માલિક સાથે મંગળ મિલન મનાવો છો. બાપદાદા આપ બાળકો નાં મસ્તક માં જાગેલો
દીપક જોઈ રહ્યાં છે. આપ અવિનાશી, અમર જ્યોતિ સ્વરુપ બાળકો દીપરાજ બાપ દ્વારા વધાઈઓ
લેતા સદા અમરભવ નું વરદાન પ્રાપ્ત કરી રહ્યાં છો આ દીપરાજ બાપ અને દીપરાણીઓ નાં
મિલન ની જ યાદગાર દિવાળી છે.
સ્લોગન :-
“આપ અને બાપ”
બંને એવાં કમ્બાઇન્ડ રહો જે ત્રીજું કોઈ અલગ કરી ન શકે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો .
વર્તમાન સમય પ્રમાણે
સર્વ આત્માઓ પ્રત્યક્ષ ફળ અર્થાત્ પ્રેક્ટિકલ પ્રૂફ જોવા ઈચ્છે છે. તો તન, મન, કર્મ
અને સંબંધ-સંપર્ક સંબંધ માં સાઈલેન્સ ની શક્તિ નો પ્રયોગ કરીને જુઓ. શાંતિ ની શક્તિ
થી તમારા સંકલ્પ વાયરલેસ થી પણ તેજ (તીવ્ર) કોઈ પણ આત્મા પ્રત્યે પહોંચી શકે છે. આ
શક્તિ નું વિશેષ યંત્ર છે ‘શુભ સંકલ્પ’ આ સંકલ્પ નાં યંત્ર દ્વારા જે ઈચ્છો તે
સિદ્ધિ સ્વરુપ માં જોઈ શકો છો.