20-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
સદ્દગુરુ આવ્યાં છે તમારી ઊંચી તકદીર બનાવવા તો તમારી ચલન ખૂબ - ખૂબ રોયલ હોવી જોઈએ”
પ્રશ્ન :-
ડ્રામા નો કયો પ્લાન
(યોજના) બનેલો છે એટલે કોઈને દોષ ન આપી શકાય?
ઉત્તર :-
ડ્રામા માં આ જૂની દુનિયા નાં વિનાશ નો પ્લાન બનેલો છે, આમાં કોઈ નો દોષ નથી. આ સમયે
આનાં વિનાશ માટે પ્રકૃતિ ને જોર થી ગુસ્સો આવ્યો છે. ચારેય તરફ અર્થક્વેક (ધરતીકંપ)
થશે, મકાન પડશે, ફ્લડ (પુર) આવશે, અકાળ પડશે એટલે બાપ કહે છે બાળકો, હવે આ જૂની
દુનિયા થી તમે પોતાનો બુદ્ધિયોગ કાઢી નાખો, સદ્દગુરુ ની શ્રીમત પર ચાલો. જીવતે જીવ
દેહ નું ભાન છોડી પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનો પુરુષાર્થ કરતા રહો.
ગીત :-
હમેં ઉન રાહો
પર ચલના હૈ…
ઓમ શાંતિ!
કઈ રાહ (કયા
માર્ગ) પર ચાલવાનું છે? ગુરુ ની રાહ પર ચાલવાનું છે. આ કયા ગુરુ છે? ઉઠતાં-બેસતાં
મનુષ્યો નાં મુખ માંથી નીકળી જાય છે વાહ ગુરુ. ગુરુ તો અનેક છે. વાહ ગુરુ કોને
કહેવાશે? કોની મહિમા ગાશે? સદ્દગુરુ એક જ બાપ છે. ભક્તિમાર્ગ નાં અનેક ગુરુ છે. કોઈ
કોઈની મહિમા કરે, કોઈ કોઈની મહિમા કરે છે. બાળકો ની બુદ્ધિ માં છે સાચાં સદ્દગુરુ એ
એક છે, જેમની જ વાહ-વાહ મનાય છે. સાચાં સદ્દગુરુ છે તો જરુર જુઠ્ઠા પણ હશે. સાચ્ચું
હોય છે સંગમ પર. ભક્તિમાર્ગ માં પણ સાચાં ની મહિમા ગાય છે. ઊંચા માં ઊંચા બાપ જ સાચાં
છે, એ જ લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) પણ બને છે. આજકાલ નાં ગુરુ લોકો
તો ગંગાસ્નાન પર કે તીર્થો પર લઈ જવાનાં ગાઈડ બને છે. આ સદ્દગુરુ તો એવાં નથી. જેમને
બધા યાદ કરે છે-હે પતિત-પાવન આવો. પતિત-પાવન, સદ્દગુરુ ને જ કહેવાય છે. એ જ પાવન
બનાવી શકે છે. તે ગુરુ લોકો પાવન બનાવી ન શકે. તે કોઈ એવું નથી કહેતાં કે મામેકમ્
યાદ કરો. ભલે ગીતા પણ વાંચે છે પરંતુ અર્થ ની ખબર બિલ્કુલ નથી. જો સમજે સદ્દગુરુ એક
છે તો પોતાને ગુરુ ન કહેવડાવત. ડ્રામા અનુસાર ભક્તિમાર્ગ નો ડિપાર્ટમેન્ટ (વિભાગ) જ
અલગ છે જેમાં અનેક ગુરુ, અનેક ભક્ત છે. આ તો એક જ છે. પછી આ દેવી-દેવતાઓ પહેલાં
નંબર માં આવે છે. હમણાં લાસ્ટ માં (છેલ્લા) છે. બાપ આવીને આમને સતયુગ ની બાદશાહી આપે
છે. તો બીજા બધાને ઓટોમેટિકલી (આપોઆપ) પાછા જવાનું છે, એટલે સર્વ નાં સદ્દગતિ દાતા
એક કહેવાય છે. તમે સમજો છો કલ્પ-કલ્પ સંગમ પર જ દેવી-દેવતા ધર્મ ની સ્થાપના થાય છે.
તમે પુરુષોત્તમ બનો છો. બાકી બીજું કોઈ કામ નથી કરતાં. ગવાય પણ છે ગતિ-સદ્દગતિ દાતા
એક છે. આ બાપ ની જ મહિમા છે. ગતિ-સદ્દગતિ સંગમ પર જ મળે છે. સતયુગ માં તો છે એક
ધર્મ. આ પણ સમજ ની વાત છે ને? પરંતુ આ બુદ્ધિ આપે કોણ? તમે સમજો છો બાપ જ આવીને
યુક્તિ બતાવે છે. શ્રીમત આપે છે કોને? આત્માઓ ને. એ બાપ પણ છે, સદ્દગુરુ પણ છે,
શિક્ષક પણ છે. જ્ઞાન શીખવાડે છે ને? બાકી બધા ગુરુ ભક્તિ જ શીખવાડે છે. બાપ નાં
જ્ઞાન થી તમારી સદ્દગતિ થાય છે. પછી આ જૂની દુનિયા થી ચાલ્યાં જાય છે. તમારો આ બેહદ
નો સંન્યાસ પણ છે. બાપે સમજાવ્યું છે હવે ૮૪ જન્મો નું ચક્ર તમારું પૂરું થયું છે.
હવે આ દુનિયા ખતમ થવાની છે. જેમ કોઈ બિમાર સીરિયસ હોય છે તો કહેશે હવે આ તો જવાના
છે, તેમને યાદ શું કરીશું? શરીર ખતમ થઈ જશે. બાકી આત્મા તો જઈને બીજું શરીર લે છે.
આશા તૂટી જાય છે. બંગાળ માં તો જ્યારે જુએ છે ઉમ્મીદ (આશા) નથી તો ગંગા પર જઈને
ડુબાડે છે કે પ્રાણ નીકળી જાય. મૂર્તિઓ ની પણ પૂજા કરી પછી જઈને કહે છે ડૂબી જા,
ડૂબી જા… હમણાં તમે જાણો છો આ આખી જૂની દુનિયા ડૂબી જવાની છે. ફ્લડ્સ થશે, આગ લાગશે,
ભૂખ થી મનુષ્ય મરશે. આ બધી હાલતો આવવાની છે. અર્થક્વેક માં મકાન વગેરે પડી જશે. આ
સમયે પ્રકૃતિ ને ગુસ્સો આવે છે તો બધાને ખલાસ કરી દે છે. આ બધી હાલતો આખી દુનિયા
માટે આવવાની છે. અનેક પ્રકાર નાં મોત આવી જાય છે. બોમ્બસ માં પણ ઝેર ભરેલું છે. થોડી
વાસ આવવાથી બેહોશ થઈ જાય છે. આ આપ બાળકો જાણો છો કે શું-શું થવાનું છે. આ બધું કોણ
કરાવે છે? બાપ તો નથી કરાવતાં. આ ડ્રામા માં નોંધ છે. કોઈ પર દોષ નહીં આપશે. ડ્રામા
નો પ્લાન બનેલો છે. જૂની દુનિયા સો ફરી નવી જરુર થશે. નેચરલ કેલામિટીઝ (પ્રાકૃતિક
આપદાઓ) આવશે. વિનાશ થવાનો જ છે. આ જૂની દુનિયા થી બુદ્ધિ નો યોગ હટાવી દેવો, આને
બેહદ નો સંન્યાસ કહેવાય છે.
હવે તમે કહેશો વાહ
સદ્દગુરુ વાહ! જે અમને આ રસ્તો બતાવ્યો. બાળકો ને પણ સમજાવે છે-એવી ચલન ન ચાલો જે
એમની નિંદા થાય. તમે અહીં જીવતે જીવ મરો છો. દેહ ને છોડી પોતાને આત્મા સમજો છો. દેહ
થી ન્યારો આત્મા બની બાપ ને યાદ કરવાના છે. આ તો ખૂબ સારું કહે છે વાહ સદ્દગુરુ વાહ!
પારલૌકિક સદ્દગુરુ ની જ વાહ-વાહ થાય છે. લૌકિક ગુરુ તો અનેક છે. સદ્દગુરુ તો એક જ
છે સાચાં-સાચાં, જેમનું પછી ભક્તિમાર્ગ માં પણ નામ ચાલ્યું આવે છે. આખી સૃષ્ટિ નાં
બાપ તો એક જ છે. નવી સૃષ્ટિ ની સ્થાપના કેવી રીતે થાય છે, એ પણ કોઈને ખબર નથી.
શાસ્ત્રો માં તો દેખાડે છે પ્રલય થઈ ગયો પછી પીપળા નાં પાન પર શ્રીકૃષ્ણ આવ્યાં. હવે
તમે સમજો છો પીપળા નાં પાન પર કેવી રીતે આવશે? કૃષ્ણ ની મહિમા કરવાથી કાંઈ ફાયદો નથી
થતો. તમને હવે ચઢતી કળા માં લઈ જવા માટે સદ્દગુરુ મળ્યાં છે. કહે છે ને ચઢતી કળા
તેરે ભાને સર્વ કા ભલા. તો રુહાની બાપ આત્માઓ ને બેસીને સમજાવે છે. ૮૪ જન્મ પણ આત્મા
માટે છે. દરેક જન્મ માં નામ-રુપ બીજા થઈ જાય છે. એવું નહીં કહેશે કે ફલાણાએ ૮૪ જન્મ
લીધાં છે. ના, આત્માએ ૮૪ જન્મ લીધાં. શરીર તો બદલાતા જાય છે. તમારી બુદ્ધિ માં આ બધી
વાતો છે. બધી નોલેજ બુદ્ધિ માં રહેવી જોઈએ. કોઈપણ આવે તો તેમને સમજાવો. આદિ માં હતું
જ દેવી-દેવતાઓ નું રાજ્ય, પછી મધ્ય માં રાવણ રાજ્ય થયું. સીડી ઉતરતા રહ્યાં. સતયુગ
માં કહેવાશે સતોપ્રધાન પછી સતો, રજો, તમો માં ઉતરે છે. ચક્ર ફરતું રહે છે. કોઈ-કોઈ
કહે છે બાબા ને શું પડી હતી જે ૮૪ નાં ચક્ર માં અમને લાવ્યાં. પરંતુ આ તો સૃષ્ટિ
ચક્ર અનાદિ બનેલું છે, આનાં આદિ-મધ્ય-અંત ને જાણવાના છે. મનુષ્ય બનીને જો નથી જાણતા
તો તે નાસ્તિક છે. જાણવા થી તમને કેટલું ઊંચું પદ મળે છે. આ ભણતર કેટલું ઊંચું છે.
મોટી પરીક્ષા પાસ કરવા વાળા નાં દિલ માં ખુશી થાય છે ને, અમે મોટા માં મોટું પદ
મેળવીશું. તમે જાણો છો આ લક્ષ્મી-નારાયણ પોતાનાં પૂર્વજન્મ માં શીખીને પછી મનુષ્ય
થી દેવતા બન્યાં.
આ ભણતર થી આ રાજધાની
સ્થાપન થઈ રહી છે. ભણતર થી કેટલું ઊંચું પદ મળે છે. વન્ડર (આશ્ચર્ય) છે ને? આટલાં
મોટાં-મોટાં મંદિર જે બનાવે છે અથવા જે મોટાં-મોટાં વિદ્વાન વગેરે છે એમને પૂછો
સતયુગ વગેરે માં તેમણે જન્મ કેવી રીતે લીધાં તો બતાવી નહીં શકશે. તમે જાણો છો આ તો
ગીતા વાળો જ રાજયોગ છે. ગીતા વાંચતા આવ્યાં છે પરંતુ તેનાથી ફાયદો કાંઈ નથી. હમણાં
તમને બાપ સંભળાવે છે. તમે કહો છો બાબા અમે તમને ૫ હજાર વર્ષ પહેલાં પણ મળ્યાં હતાં.
કેમ મળ્યાં હતાં? સ્વર્ગ નો વારસો લેવાં. લક્ષ્મી-નારાયણ બનવા માટે. કોઈપણ નાનાં,
મોટા, વૃદ્ધ વગેરે આવે છે, આ જરુર શીખીને આવે છે. મુખ્ય ઉદ્દેશ જ આ છે. સત્ય નારાયણ
ની સાચ્ચી કથા છે ને? આ પણ તમે સમજો છો, રાજાઈ સ્થાપન થઈ રહી છે. જે સારી રીતે સમજી
લે છે તેમને આંતરિક ખુશી રહે છે. બાબા પૂછશે હિંમત છે ને રાજાઈ લેવાની? કહે છે બાબા
કેમ નહીં, અમે ભણીએ જ છીએ, નર થી નારાયણ બનવાં. આટલો સમય આપણે પોતાને દેહ સમજી બેઠાં
હતાં હવે બાપે આપણને સાચ્ચો રસ્તો બતાવ્યો છે. દેહી-અભિમાની બનવામાં મહેનત લાગે છે.
ઘડી-ઘડી પોતાનાં નામ-રુપ માં ફસાઈ પડે છે. બાપ કહે છે આ નામ-રુપ થી ન્યારા બનવાનું
છે. હવે આત્મા પણ નામ તો છે ને? બાપ છે સુપ્રીમ પરમપિતા, લૌકિક બાપ ને પરમપિતા નહીં
કહેવાશે. પરમ શબ્દ એક જ બાપ ને આપ્યો છે. વાહ ગુરુ પણ આમને કહે છે. તમે સિક્ખ લોકો
ને પણ સમજાવી શકો છો. ગ્રંથ સાહેબ માં તો પૂરું વર્ણન છે. બીજા કોઈ શાસ્ત્ર માં આટલું
વર્ણન નથી જેટલું ગ્રંથ માં છે, જપ સાહેબ સુખમણી માં છે. આ ઊંચા શબ્દ જ બે છે. બાપ
કહે છે - સાહેબ ને યાદ કરો તો તમને ૨૧ જન્મ માટે સુખ મળશે. આમાં મુંઝાવાની તો વાત જ
નથી. બાપ બહુ જ સહજ કરીને સમજાવે છે. કેટલાં હિન્દુ ટ્રાન્સફર થઈ જઈને સિક્ખ બન્યાં
છે.
તમે મનુષ્યો ને રસ્તો
બતાવવા માટે કેટલાં ચિત્ર વગેરે બનાવો છો. કેટલું સહજ સમજાવી શકો છો. તમે આત્મા છો,
પછી ભિન્ન-ભિન્ન ધર્મો માં આવ્યાં છો. આ વેરાઈટી (વિવિધ) ધર્મો નું ઝાડ છે બીજા
કોઈને આ ખબર નથી કે ક્રાઈસ્ટ કેવી રીતે આવે છે. બાપે સમજાવ્યું હતું-નવાં આત્મા ને
કર્મભોગ ન હોય શકે. ક્રાઈસ્ટ નાં આત્માએ કોઈ વિકર્મ થોડી કર્યા જે સજા મળે. તે તો
સતોપ્રધાન આત્મા આવે છે, જેમાં આવીને પ્રવેશ કરે છે તેમને ક્રોસ વગેરે પર ચઢાવે છે,
ક્રાઈસ્ટ ને નહીં. તે તો જઈને બીજો જન્મ લઈને ઊંચ પદ મેળવે છે. પોપ નાં પણ ચિત્ર
છે.
આ સમયે આ આખી દુનિયા
બિલ્કુલ વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) છે. તમે પણ હતાં. હવે તમે વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય)
બની રહ્યાં છો. એવું નથી કે તેમના વારીસ પાછળ ખાશે, કાંઈ પણ નથી. તમે પોતાનો હાથ
ભરપૂર કરીને જાઓ છો, બાકી બધા ખાલી હાથે જશે. તમે ભરપૂર થવા માટે જ ભણો છો. એ પણ
જાણો છો જે કલ્પ પહેલાં આવ્યાં છે, એ જ આવશે. થોડું પણ સાંભળશે તો આવી જશે. બધા ભેગા
તો જોઈ પણ નહીં શકશે. તમે અસંખ્ય પ્રજા બનાવો છો, બાબા બધાને થોડી જોઈ શકે છે?
થોડુંક સાંભળવાથી પણ પ્રજા બનતી જાય છે. તમે ગણતરી પણ નહીં કરી શકો.
આપ બાળકો સર્વિસ (સેવા)
પર છો, બાબા પણ સર્વિસ પર છે. બાબા સર્વિસ વગર રહી નથી શકતાં. રોજ સવારે સર્વિસ કરવા
આવે છે. સત્સંગ વગેરે પણ સવારે જ કરે છે. તે સમયે બધાને ફુરસદ હોય છે. બાબા તો કહે
છે આપ બાળકોએ ઘરે થી વહેલા સવારે પણ નથી આવવાનું અને રાત્રે પણ ન આવવું જોઈએ કારણકે
દિવસે-દિવસે દુનિયા બહુ જ ખરાબ થતી જાય છે એટલે ગલી-ગલી માં સેવાકેન્દ્ર એટલાં નજીક
હોવા જોઈએ, જે ઘરે થી નીકળી સેવાકેન્દ્ર પર આવે, સહજ થઈ જાય. તમારી વૃદ્ધિ થઈ જશે
ત્યારે રાજધાની સ્થાપન થશે. બાપ સમજાવે તો ખૂબ સહજ છે. આ રાજયોગ દ્વારા સ્થાપના કરી
રહ્યાં છે. બાકી આ આખી દુનિયા હશે જ નહીં. પ્રજા તો કેટલી અસંખ્ય બને છે. માળા પણ
બને છે. મુખ્ય તો જે અનેક ની સર્વિસ (સેવા) કરી આપસમાન બનાવે છે, એ જ માળા નાં દાણા
બને છે. લોકો માળા ફેરવે છે પરંતુ અર્થ થોડી સમજે છે? ઘણાં ગુરુ લોકો માળા ફેરવવા
માટે આપે છે કે બુદ્ધિ એમાં લાગેલી રહે. કામ મહાશત્રુ છે, દિવસે-દિવસે ખૂબ કઠોર થતું
જશે. તમોપ્રધાન બનતા જાય છે. આ દુનિયા ખૂબ ગંદી છે. બાબા ને ઘણાં કહે છે અમે તો ખૂબ
હેરાન થઈ ગયા છીએ, જલ્દી સતયુગ માં લઈ જાઓ. બાપ કહે છે ધીરજ ધરો, સ્થાપના થવાની જ
છે - આ ખાતરી છે. આ ખાતરી જ તમને લઈ જશે. બાળકો ને એ પણ બતાવ્યું છે કે તમે આત્માઓ
પરમધામ થી આવી છો પછી ત્યાં જવાનું છે, ફરી આવશો પાર્ટ ભજવવાં. તો પરમધામ ને યાદ
કરવું પડે. બાપ પણ કહે છે મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આ જ સંદેશ બધાને
આપવાનો છે બીજા કોઈ પેગંબર, મેસેન્જર વગેરે નથી. તે તો મુક્તિધામ થી નીચે લઈ આવે
છે. પછી તેમણે સીડી નીચે ઉતરવાની છે. જ્યારે પૂરાં તમોપ્રધાન બની જાય છે ત્યારે ફરી
બાપ આવી બધાને સતોપ્રધાન બનાવે છે. તમારા કારણે બધાએ પાછા જવું પડે છે કારણકે તમને
નવી દુનિયા જોઈએ છે ને - આ પણ ડ્રામા બનેલો છે. બાળકો ને ખૂબ નશો રહેવો જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ દેહ નાં
નામ-રુપ થી ન્યારા બની દેહી-અભિમાની બનવાનું છે. એવી ચલન નથી ચાલવાની જે સદ્દગુરુ
ની નિંદા થાય.
2. માળા નો દાણો બનવા
માટે અનેક ને આપ સમાન બનાવવાની સેવા કરવાની છે. આંતરિક ખુશી માં રહેવાનું છે કે અમે
રાજાઈ લેવા માટે ભણી રહ્યાં છીએ. આ ભણતર છે જ નર થી નારાયણ બનવાનું.
વરદાન :-
નિરંતર યાદ
દ્વારા અવિનાશી કમાણી જમા કરવા વાળા સર્વ ખજાનાઓ નાં અધિકારી ભવ
નિરંતર યાદ દ્વારા
દરેક કદમ માં કમાણી જમા કરતા રહો તો સુખ, શાંતિ, આનંદ, પ્રેમ આ બધા ખજાનાઓ નાં
અધિકાર નો અનુભવ કરતા રહેશો. કોઈ કષ્ટ, કષ્ટ અનુભવ નહીં થશે. સંગમ પર બ્રાહ્મણો ને
કોઈ કષ્ટ હોય ન શકે. જો કોઈ કષ્ટ આવે પણ છે તો બાપ ની યાદ અપાવવા માટે જેવી રીતે
ગુલાબ નાં પુષ્પ સાથે કાંટા એમનાં બચાવ નું સાધન હોય છે. એમ આ તકલીફો વધારે જ બાપ
ની યાદ અપાવવા ને નિમિત્ત બને છે.
સ્લોગન :-
સ્નેહ રુપ નો
અનુભવ તો સંભળાવો છો હવે શક્તિ રુપ નો અનુભવ સંભળાવો.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
જેવી રીતે સાકાર માં
જોયું લાસ્ટ કર્માતીત સ્ટેજ નો પાઠ ફક્ત બ્લેસિંગ આપવાનો રહ્યો, બેલેન્સ ની પણ
વિશેષતા અને બ્લેસિંગ ની પણ કમાલ રહી. એવી રીતે ફોલો ફાધર. સહજ અને શક્તિશાળી સેવા
આ જ છે. હવે વિશેષ આત્માઓ નો પાર્ટ છે બ્લેસિંગ આપવાનો. ભલે નયનો થી આપો કે મસ્તકમણી
દ્વારા.