22-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
જ્યારે કોઈને પણ સમજાવો છો કે ભાષણ કરો છો તો બાબા - બાબા કહીને સમજાવો , બાપ ની
મહિમા કરો ત્યારે તીર લાગશે”
પ્રશ્ન :-
બાબા ભારતવાસી બાળકો ને વિશેષ કયો પ્રશ્ન પૂછે છે?
ઉત્તર :-
આપ ભારતવાસી બાળકો જે આટલાં સાહૂકાર હતાં, સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ દેવતા
ધર્મ નાં હતાં, તમે પવિત્ર હતાં, કામ કટારી નહોતાં ચલાવતાં, ખૂબ ધનવાન હતાં. પછી તમે
આટલું દેવાળું કેવી રીતે કાઢ્યું છે - કારણ ની ખબર છે? બાળકો, તમે ગુલામ કેવી રીતે
બની ગયાં? આટલી બધી ધન-સંપત્તિ ક્યાં ગુમાવી દીધી? વિચાર કરો તમે પાવન થી પતિત કેવી
રીતે બની ગયાં? આપ બાળકો પણ આવી-આવી વાતો બાબા-બાબા કહી બીજાઓ ને પણ સમજાવો - તો
સહજ સમજી જશે.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ
કહેવાથી પણ બાપ જરુર યાદ આવવા જોઈએ. બાપ નું પહેલું-પહેલું કહેવું છે મનમનાભવ. જરુર
પહેલાં પણ કહ્યું છે ત્યારે તો હમણાં પણ કહે છે ને? આપ બાળકો બાપ ને જાણો છો, જ્યારે
ક્યાંય સભા માં ભાષણ કરવા જાઓ છો, તે લોકો તો બાપ ને જાણતા નથી. તો તેમને પણ એમ
કહેવું જોઈએ કે શિવબાબા કહે છે, એ જ પતિત-પાવન છે. જરુર પાવન બનાવવા માટે અહીં આવીને
સમજાવે છે. જેમ બાબા અહીં તમને કહે છે-હે બાળકો, તમને સ્વર્ગ નાં માલિક બનાવ્યાં હતાં,
તમે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા વિશ્વ નાં માલિક હતાં, એમ તમારે પણ બોલવું જોઈએ
કે બાબા આ કહે છે. આવાં ભાષણ નાં કોઈનાં સમાચાર આવ્યાં નથી. શિવબાબા કહે છે મને ઊંચા
માં ઊંચા માનો છો, પતિત-પાવન પણ માનો છો, હું આવું પણ છું ભારત માં અને રાજયોગ
શીખવાડવા આવું છું, કહું છું મામેકમ્ યાદ કરો, મુજ ઊંચ બાપ ને યાદ કરો કારણકે એ બાપ
આપવા વાળા દાતા છે. બરોબર ભારત માં તમે વિશ્વ નાં માલિક હતાં ને? બીજો કોઈ ધર્મ
નહોતો. બાપ અમને બાળકો ને સમજાવે છે, અમે પછી તમને સમજાવીએ છીએ. બાબા કહે છે આપ
ભારતવાસી કેટલાં સાહુકાર હતાં. સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ દેવતા ધર્મ હતો, તમે
પવિત્ર હતાં, કામ કટારી ચલાવતાં નહોતાં. બહુ જ ધનવાન હતાં. બાપ કહે છે તમે આટલું
દેવાળું કેવી રીતે કાઢ્યું છે-કારણ ની ખબર છે? તમે વિશ્વ નાં માલિક હતાં. હવે તમે
વિશ્વ નાં ગુલામ કેમ બન્યાં છો? બધા પાસે થી કર્જો લેતા રહો છો. આટલાં બધા પૈસા ક્યાં
ગયાં? જેમ બાબા ભાષણ કરી રહ્યાં છે એમ તમે પણ ભાષણ કરો તો અનેક ને આકર્ષણ થાય. તમે
લોકો બાબા ને યાદ નથી કરતા તો કોઈને તીર લાગતું નથી. તે તાકાત નથી મળતી. નહીં તો
તમારું એક જ ભાષણ એવું સાંભળે તો કમાલ થઈ જાય. શિવબાબા સમજાવે છે ભગવાન તો એક જ છે.
જે દુ:ખહર્તા-સુખકર્તા છે, નવી દુનિયા સ્થાપન કરવા વાળા છે. આ જ ભારત પર સ્વર્ગ હતું.
હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં, એક જ રાજ્ય હતું. બધા ક્ષીરખંડ હતાં. જેમ બાપ ની મહિમા
અપરમઅપાર છે, તેમ ભારત ની મહિમા પણ અપરમઅપાર છે. ભારત ની મહિમા સાંભળીને ખુશ થશે.
બાપ બાળકો ને પૂછે છે - આટલી ધન-સંપત્તિ ક્યાં ગુમાવી દીધી? ભક્તિમાર્ગ માં તમે
કેટલો ખર્ચો કરતા આવ્યાં છો? કેટલાં મંદિર બનાવો છો. બાબા કહે છે વિચાર કરો - તમે
પાવન થી પતિત કેવી રીતે બન્યાં છો? કહો પણ છો ને - બાબા દુઃખ માં તમારું સિમરણ કરીએ
છીએ, સુખ માં નથી કરતાં. પરંતુ દુઃખી તમને બનાવે કોણ છે? ઘડી-ઘડી બાબા નું નામ લેતા
રહો. તમે બાબા નો સંદેશ આપો છો. બાબા કહે છે-મેં તો સ્વર્ગ, શિવાલય સ્થાપન કર્યું,
સ્વર્ગ માં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું ને? તમે આ પણ ભૂલી ગયા છો. તમને એ પણ
ખબર નથી કે રાધા-કૃષ્ણ જ સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બને છે. કૃષ્ણ જે વિશ્વ નાં
માલિક હતાં, તેમને કલંક લગાવો છો, મને પણ કલંક લગાવો છો. હું તમારો સદ્દગતિ દાતા,
તમે મને કૂતરા, બિલાડી, કણ-કણ માં કહી દો છો. બાબા કહે છે તમે કેટલાં પતિત બની ગયા
છો. બાપ કહે છે સર્વ નો સદ્દગતિ દાતા, પતિત-પાવન હું છું. તમે પછી પતિત-પાવની ગંગા
કહી દો છો. મારી સાથે યોગ ન લગાવવાથી તમે વધારે જ પતિત બની જાઓ છો. મને યાદ કરો તો
તમારા વિકર્મ વિનાશ થશે. ઘડી-ઘડી બાબા નું નામ લઈને સમજાવો તો શિવબાબા યાદ રહેશે.
બોલો, અમે બાપ ની મહિમા કરીએ છીએ, બાપ સ્વયં કહે છે હું કેવી રીતે સાધારણ પતિત તન
માં અનેક જન્મો નાં અંત માં આવું છું. આમનાં જ અનેક જન્મ છે. આ હવે મારા બન્યાં છે
તો આ રથ દ્વારા તમને સમજાવું છું. આ પોતાનાં જન્મો ને નથી જાણતાં. ભાગીરથ આ છે, આમની
પણ વાનપ્રસ્થ અવસ્થા માં હું આવું છું. શિવબાબા આવું સમજાવે છે. આવું ભાષણ કોઈનું
સાંભળ્યું નથી. બાબા નું તો નામ જ નથી લેતાં. આખો દિવસ બાબા ને તો બિલકુલ યાદ જ નથી
કરતાં. ઝરમુઈ-ઝઘમુઈ માં લાગ્યાં રહે છે અને લખે છે કે અમે આવું ભાષણ કર્યું, અમે આ
સમજાવ્યું. બાબા સમજાવે છે હમણાં તો તમે કીડી જેવાં છો. મકોડા પણ નથી બન્યાં અને
અહંકાર કેટલો રહે છે. સમજતા નથી કે શિવબાબા બ્રહ્મા દ્વારા કહે છે. શિવબાબા ને તમે
ભૂલી જાઓ છો. બ્રહ્મા પર ઝટ બગડે છે. બાપ કહે છે - તમે મને જ યાદ કરો, તમારું કામ
છે મારી સાથે. મને યાદ કરો છો ને? પરંતુ તમને પણ ખબર નથી કે બાપ શું ચીજ છે? ક્યારે
આવે છે? ગુરુ લોકો તમને કહે છે કે કલ્પ લાખો વર્ષ નું છે અને બાપ કહે છે કે કલ્પ છે
જ ૫ હજાર વર્ષ નું. જૂની દુનિયા સો પછી નવી થાય છે. નવી તો પછી જૂની થાય છે. હવે નવી
દિલ્લી છે ક્યાં? દિલ્લી તો જ્યારે પરિસ્તાન હશે ત્યારે નવી દિલ્લી કહેવાશે. નવી
દુનિયા માં નવી દિલ્લી હતી, જમુના ઘાટ ઉપર. તેનાં પર લક્ષ્મી-નારાયણ નાં મહેલ હતાં.
પરીસ્તાન હતું. હવે તો કબ્રસ્તાન થવાનું છે, બધા દફન થઈ (માટી માં ભળી) જવાનાં છે
એટલે બાપ કહે છે - મુજ ઊંચા માં ઊંચા બાપ ને યાદ કરો તો પાવન બનશો. હંમેશા આમ
બાબા-બાબા કહીને સમજાવો. બાબા નામ નથી લેતા એટલે તમારું કોઈ સાંભળતું નથી. બાબા ની
યાદ ન હોવાથી તમારા માં બળ નથી ભરાતું. દેહ-અભિમાન માં તમે આવી જાઓ છો. બાંધેલીઓ જે
માર ખાય છે તે તમારા કરતાં વધારે યાદ માં રહે છે, કેટલું પોકારે છે. બાપ કહે છે તમે
બધા દ્રૌપદીઓ છો ને? હવે તમને નિર્વસ્ત્ર થવાથી બચાવે છે. માતાઓ પણ એવી કોઈ હોય છે
જેમને કલ્પ પહેલાં પણ પૂતના વગેરે નામ આપ્યાં હતાં. તમે ભૂલી ગયા છો.
બાપ કહે છે ભારત
જ્યારે શિવાલય હતું તો એને સ્વર્ગ કહેવાતું હતું. અહીં પછી જેમની પાસે મકાન, વિમાન
વગેરે છે તે સમજે છે અમે સ્વર્ગ માં છીએ. કેટલાં મૂઢમતી છે. દરેક વાત માં બોલો, બાબા
કહે છે. આ હઠયોગી તમને મુક્તિ થોડી આપી શકે છે? જ્યારે સર્વ નાં સદ્દગતિ દાતા એક છે
પછી ગુરુ શા માટે કરો છો? શું તમારે સંન્યાસી બનવું છે કે હઠયોગ શીખીને બ્રહ્મ માં
લીન થવું છે? લીન તો કોઈ થઈ ન શકે. પાર્ટ બધાએ ભજવવાનો છે. બધા એક્ટર્સ અવિનાશી છે.
આ અનાદિ અવિનાશી ડ્રામા છે, મોક્ષ કોઈને મળી કેવી રીતે શકે છે? બાપ કહે છે હું આ
સાધુઓ નો પણ ઉદ્ધાર કરવા આવું છું. પછી પતિત-પાવની ગંગા કેવી રીતે હોઈ શકે?
પતિત-પાવન તમે મને કહો છો ને? તમારો મારી સાથે યોગ તૂટવાથી આ હાલ થયો છે. હવે ફરી
મારી સાથે યોગ લગાવો તો વિકર્મ વિનાશ થશે. મુક્તિધામ માં પવિત્ર આત્માઓ રહે છે. હમણાં
તો આખી દુનિયા પતિત છે. પાવન દુનિયા ની તો તમને ખબર જ નથી. તમે બધા પુજારી છો,
પૂજ્ય એક પણ નથી. તમે બાબા નું નામ લઈને બધાને સુજાગ (જાગૃત) કરી શકો છો. બાપ જે
વિશ્વ નાં માલિક બનાવે છે - એમની તમે ગ્લાનિ કરો છો. શ્રીકૃષ્ણ નાનું બાળક, સર્વગુણ
સંપન્ન તે આવાં ધંધા કેવી રીતે કરશે? અને શ્રીકૃષ્ણ બધાનાં ફાધર કેવી રીતે થઈ શકે?
ભગવાન તો એક જ હોય છે ને? જ્યાં સુધી મારી શ્રીમત પર નહીં ચાલશે તો કાટ (જંક) કેવી
રીતે ઉતરશે. તમે બધા ની પૂજા કરતા રહો છો તો શું હાલત થઈ ગઈ, એટલે પછી મારે આવવું
પડે છે. તમે કેટલાં ધર્મ કર્મ ભ્રષ્ટ થઈ ગયા છો. બતાવો હિંદુ ધર્મ કોણે, ક્યારે
સ્થાપના કર્યો? આમ બુલંદ લલકાર થી ભાષણ કરો. તમને ઘડી-ઘડી બાપ યાદ જ નથી આવતાં.
ક્યારેક-ક્યારેક કોઈ લખે છે કે અમારા માં તો, જાણે બાબાએ આવીને ભાષણ કર્યું. બાબા
ખૂબ મદદ કરતા રહે છે. તમે યાદ ની યાત્રા માં નથી રહેતાં એટલે કીડી માર્ગ ની સેવા કરો
છો. બાબા નું નામ લેશો ત્યારે જ કોઈને તીર લાગશે. બાબા સમજાવે છે બાળકો તમે જ
ઓલરાઉન્ડ (આદિ થી અંત) ૮૪ નું ચક્ર લગાવ્યું છે તો તમારે જ આવીને સમજાવવું પડે. હું
ભારત માં જ આવું છું. જે પૂજ્ય હતાં તે પુજારી બને છે. હું તો પૂજ્ય પુજારી નથી બનતો.
“બાબા કહે છે, બાબા
કહે છે”, આ તો ધૂન લગાવી દેવી જોઈએ. તમે જ્યારે આવું-આવું ભાષણ કરો, જ્યારે એવું
હું સાંભળું ત્યારે સમજાય કે હવે તમે કીડી થી મકોડા બન્યાં છો. બાપ કહે છે હું તમને
ભણાવું છું, તમે ફક્ત મામેકમ્ યાદ કરો. આ રથ દ્વારા તમને ફક્ત કહું છું કે મને યાદ
કરો. રથ ને થોડી યાદ કરવાના છે? બાબા આવું કહે છે, બાબા આ સમજાવે છે, આવું-આવું તમે
બોલો પછી જુઓ તમારો કેટલો પ્રભાવ નીકળે છે. બાપ કહે છે દેહ સહિત બધા સંબંધો થી
બુદ્ધિ નો યોગ તોડો. પોતાનો દેહ પણ છોડ્યો તો બાકી રહી ગયો આત્મા. સ્વયં ને આત્મા
સમજી મુજ બાપ ને યાદ કરો. ઘણાં કહે છે “અહમ્ બ્રહ્મસ્મિ” માયા નાં અમે માલિક છીએ.
બાપ કહે છે તમે આ પણ નથી જાણતા કે માયા કોને કહેવાય છે અને સંપત્તિ કોને કહેવાય છે!
તમે ધન ને માયા કહી દો છો. આવું-આવું તમે સમજાવી શકો છો. બહુજ સારા-સારા બાળકો મોરલી
પણ નથી વાંચતાં. બાપ ને યાદ નથી કરતા તો તીર નથી લાગતું કારણકે યાદ નું બળ નથી મળતું.
બળ મળે છે યાદ થી. જે યોગબળ થી તમે વિશ્વ નાં માલિક બનો છો. બાળકો, દરેક વાત માં
બાબા નું નામ લેતા રહો તો ક્યારેય કોઈ કાંઈ કહી ન શકે. સર્વ નાં ભગવાન બાપ તો એક છે
કે બધા ભગવાન છે? કહે છે અમે ફલાણા સંન્યાસી નાં ફોલોઅર્સ (અનુયાયી) છીએ. હવે તે
સંન્યાસી અને તમે ગૃહસ્થી તો તમે ફોલોઅર્સ કેવી રીતે થયાં? ગાય પણ છે જુઠી માયા જુઠી
કાયા જુઠા સબ સંસાર… સાચાં તો એક જ બાપ છે. એ જ્યાં સુધી ન આવે તો આપણે સાચાં નથી
બની શકતાં. મુક્તિ-જીવનમુક્તિ દાતા એક જ છે. બાકી કોઈ પણ મુક્તિ થોડી આપે છે જે આપણે
તેમનાં બનીએ. બાબા કહે છે આ પણ ડ્રામા માં હતું. હવે સાવધાન થઈ આંખો ખોલો. બાબા આવું
કહે છે, આમ કહેવાથી તમે છૂટી જશો. તમારી ઉપર કોઈ બકવાસ નહીં કરશે. ત્રિમૂર્તિ
શિવબાબા કહેવાનું છે, ફક્ત શિવ નહીં. ત્રિમૂર્તિ ને કોણે રચ્યાં? બ્રહ્મા દ્વારા
સ્થાપના કોણ કરાવે છે? શું બ્રહ્મા ક્રિયેટર (રચયિતા) છે? એવું-એવું નશા થી બોલો
ત્યારે કામ કરી શકો છો. નહીં તો દેહ-અભિમાન માં બેસી ભાષણ કરે છે.
બાપ સમજાવે છે આ અનેક
ધર્મો નું કલ્પવૃક્ષ છે. પહેલાં-પહેલાં છે દેવી-દેવતા ધર્મ. હવે તે દેવતા ધર્મ ક્યાં
ગયો? લાખો વર્ષ કહી દે છે આ તો પાંચ હજાર વર્ષ ની વાત છે. તમે મંદિર પણ એમનાં જ
બનાવતા રહો છો. દેખાડે છે પાંડવો અને કૌરવો ની લડાઈ લાગી. પાંડવ પહાડો પર ગળી મર્યા
પછી શું થયું? હું કેવી રીતે હિંસા કરીશ. હું તો તમને અહિંસક વૈષ્ણવ બનાવું છું.
કામ કટારી ન ચલાવવી, એને જ વૈષ્ણવ કહેવાય છે. તે છે વિષ્ણુ ની વંશાવલી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસ માં
સફળતા પ્રાપ્ત કરવા માટે અહંકાર ને છોડી દરેક વાત માં બાબા નું નામ લેવાનું છે. યાદ
માં રહીને સેવા કરવાની છે. ઝરમુઇ-ઝઘમુઈ માં પોતાનો સમય વ્યર્થ નથી કરવાનો.
2. સાચાં-સાચાં
વૈષ્ણવ બનવાનું છે. કોઈ પણ હિંસા નથી કરવાની. દેહ સહિત બધા સંબંધો માંથી બુદ્ધિયોગ
તોડી દેવાનો છે.
વરદાન :-
હા - જી નાં
પાઠ દ્વારા સેવાઓ માં મહાન બનવા વાળા સર્વ ની દુવાઓ નાં પાત્ર ભવ
કોઈ પણ સેવા ખુશી અને
ઉમંગ થી કરવા સાથે સદા ધ્યાન રહે કે જે સેવા હોય એમાં સર્વ ની દુવાઓ પ્રાપ્ત થાય
કારણકે જ્યાં દુવાઓ હશે ત્યાં મહેનત નહીં હશે. હવે આ જ લક્ષ હોય કે જેમનાં પણ
સંપર્ક માં આવો એમની દુવાઓ લેતા જાઓ. હા-જી નો પાઠ જ દુવાઓ લેવાનું સાધન છે. કોઈ
રોંગ (ખોટું) પણ છે તો એને રોંગ કહીને ધક્કા આપવાની બદલે સહારો આપીને ઉભા કરો.
સહયોગી બનો. તો એમાં પણ સંતુષ્ટતા ની દુવાઓ મળશે. જે દુવાઓ લેવામાં મહાન બને છે તે
સ્વત: મહાન બની જાય છે.
સ્લોગન :-
હાર્ડ વર્કર
ની સાથે-સાથે પોતાની સ્થિતિ પણ હાર્ડ (મજબૂત) બનાવવાનું લક્ષ રાખો.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો .
યોગ નો પ્રયોગ અર્થાત્
પોતાનાં શુદ્ધ સંકલ્પો નો પ્રયોગ તન પર, મન પર, સંસ્કારો પર અનુભવ કરતા આગળ વધતા
જાઓ, એમાં એક-બીજા ને ન જુઓ. આ શું કરે, આ નથી કરતા, જૂનાં કરે છે કે નથી કરતા, આ ન
જુઓ. પહેલા હું આ અનુભવ માં આગળ આવી જાઉં કારણકે આ પોતાનાં આંતરિક પુરુષાર્થ ની વાત
છે. જ્યારે એવાં વ્યક્તિગત રુપ માં આ જ પ્રયોગ માં લાગી જશો, વૃદ્ધિ થતી રહેશે ત્યાં
સુધી એક-એક નો શાંતિ ની શક્તિ નાં સંગઠિત રુપ માં વિશ્વ ની સામે પ્રભાવ પડશે.