22-12-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“́ મીઠાં બાળકો - બાપ જે છે , જેવા છે , એમને યથાર્થ ઓળખીને યાદ કરો , એનાં માટે પોતાની બુદ્ધિ ને વિશાળ બનાવો”

પ્રશ્ન :-
બાપ ને ગરીબ-નિવાઝ કેમ કહેવાયા છે?

ઉત્તર :-
કારણકે આ સમયે જ્યારે આખી દુનિયા ગરીબ અર્થાત્ દુઃખી બની ગઈ છે ત્યારે બાપ આવ્યાં છે બધાને દુ:ખ થી છોડાવવાં. બાકી કોઈ પર તરસ ખાઈ ને કપડાં આપી દેવા, પૈસા આપી દેવા તે કોઈ કમાલ ની વાત નથી. એનાથી એ કોઈ સાહૂકાર નથી બની જતાં. એવું નથી હું કોઈ આ ભીલો ને પૈસા આપીને ગરીબ-નિવાઝ કહેવાઈશ. હું તો ગરીબ અર્થાત્ પતિતો ને, જેનામાં જ્ઞાન નથી, એમને જ્ઞાન આપીને પાવન બનાવું છું.

ગીત :-
યહી બહાર હૈ દુનિયા કો ભૂલ જાને કી…

ઓમ શાંતિ!
મીઠાં -મીઠાં બાળકો એ ગીત સાંભળ્યું. બાળકો જાણે છે ગીત તો દુનિયાવી મનુષ્યોએ ગાયેલું છે. શબ્દ ખૂબ સરસ છે, આ જૂની દુનિયા ને ભૂલવાની છે. પહેલાં એવું નહોતાં સમજતાં. કળિયુગી મનુષ્યો ને પણ સમજ માં નથી આવતું કે નવી દુનિયા માં જવાનું હશે તો જરુર જૂની દુનિયા ને ભૂલવી પડશે. ભલે એટલું સમજે છે જૂની દુનિયા ને છોડવાની છે પરંતુ તે સમજે છે હજી ઘણો સમય પડ્યો છે. નવી થી જૂની થશે, આ તો સમજે છે પરંતુ લાંબો સમય લખવાથી ભૂલી ગયા છે. તમને હવે સ્મૃતિ અપાવાય છે, હવે નવી દુનિયા સ્થાપન થાય છે એટલે જૂની દુનિયા ને ભૂલવાની છે. ભૂલી જવાથી શું થશે? આપણે આ શરીર છોડી નવી દુનિયા માં જઈશું. પરંતુ અજ્ઞાનકાળ માં આવી-આવી વાતો નાં અર્થ પર કોઈનું ધ્યાન નથી જતું. જે પ્રકારે બાપ સમજાવે છે, એમ કોઈ પણ સમજાવવા વાળું નથી. તમે આનાં અર્થ ને સમજી શકો છો. આ પણ બાળકો જાણે છે - બાપ છે ખૂબ સાધારણ. અનન્ય, સારા-સારા બાળકો પણ પૂરું સમજતા નથી. ભૂલી જાય છે કે આમનાં માં શિવબાબા આવે છે. કોઈ પણ ડાયરેક્શન (માર્ગદર્શન) આપે છે તો સમજતા નથી કે આ શિવબાબા નું ડાયરેક્શન છે. શિવબાબા ને આખો દિવસ જાણે કે ભૂલેલા છે. પૂરું ન સમજવાના કારણે તે કામ નથી કરતાં. માયા યાદ કરવા નથી દેતી. સ્થાઈ તે યાદ રહેતી નથી. મહેનત કરતાં-કરતાં પાછળ થી અંતે તે અવસ્થા થવાની જરુર છે. એવું કોઈ પણ નથી જે આ સમયે કર્માતીત અવસ્થા પ્રાપ્ત કરી લે. બાપ જે છે, જેવા છે એમને જાણવામાં વિશાળ બુદ્ધિ જોઈએ.

તમને પૂછશે બાપદાદા ગરમ કપડા પહેરે છે? કહેશે બંને નાં પડેલા છે. શિવબાબા કહેશે હું થોડી ગરમ કપડા પહેરીશ? મને ઠંડી નથી લાગતી. હા, જેમનાં માં પ્રવેશ કર્યો છે એમને ઠંડી લાગશે. મને તો ન ભૂખ, ન તરસ કાંઈ નથી લાગતું. હું તો નિર્લેપ છું. સર્વિસ કરવા છતાં પણ આ બધી વાતો થી ન્યારો છું. હું ખાતો, પીતો નથી. જેમ એક સાધુ પણ કહેતાં હતાં ને, હું ન ખાઉં છું, ન પીવું છું… તેમણે પછી આર્ટિફિશિયલ (બનાવટી) વેશ ધારણ કરી લીધો છે. દેવતાઓ નાં નામ પણ તો અનેકે રાખ્યાં છે. બીજા કોઈ ધર્મ માં દેવી-દેવતા બનતા નથી. અહીંયા કેટલાં મંદિર છે. બહાર તો એક શિવબાબા ને જ માને છે. બુદ્ધિ પણ કહે છે પિતા તો એક હોય છે. પિતા પાસે થી જ વારસો મળે છે. આપ બાળકો ની બુદ્ધિ માં છે - કલ્પ નાં આ પુરુષોત્તમ સંગમયુગ પર જ બાબા પાસે થી વારસો મળે છે. જ્યારે આપણે સુખધામ માં જઈએ છીએ તો બાકી બધા શાંતિધામ માં રહે છે. તમારા માં પણ આ સમજ નંબરવાર છે. જો જ્ઞાન નાં વિચારો માં રહે છે તો એમનાં બોલ જ તેવા નીકળશે. તમે રુપ-વસંત બની રહ્યાં છો-બાબા દ્વારા. તમે રુપ પણ છો અને વસંત પણ છો. દુનિયા માં બીજું કોઈ કહી ન શકે કે અમે રુપ-વસંત છીએ. તમે હમણાં ભણી રહ્યાં છો, અંત સુધી નંબરવાર પુરુષાર્થ અનુસાર ભણી લેશો. શિવબાબા આપણા આત્માઓ નાં બાપ છે ને? આ પણ દિલ થી લાગે તો છે ને? ભક્તિમાર્ગ માં થોડી દિલ થી લાગે છે? અહીંયા તમે સન્મુખ બેઠાં છો. સમજો છો બાપ પછી આ સમયે જ આવશે પછી કોઈ બીજા સમયે બાપ ને આવવાની જરુર જ નથી. સતયુગ થી ત્રેતા સુધી આવવાનું નથી. દ્વાપર થી કળિયુગ સુધી પણ આવવાનું નથી. એ આવે જ છે કલ્પ નાં સંગમયુગ પર. બાપ છે પણ ગરીબ-નિવાઝ અર્થાત્ આખી દુનિયા જે દુઃખી ગરીબ થઈ જાય છે એમનાં બાપ છે. આમનાં દિલ માં શું હશે? હું ગરીબ નિવાઝ છું. બધાનું દુઃખ અથવા ગરીબી દૂર થઈ જાય. તે તો જ્ઞાન સિવાય ઓછી થઈ ન શકે. બાકી કપડા વગેરે આપવાથી કોઈ સાહૂકાર તો નહીં બની જશે ને? ગરીબ ને જોવા થી દિલ થશે એમને કપડા આપી દઈએ, કારણકે યાદ આવે છે ને - હું ગરીબ નિવાઝ છું. સાથે-સાથે આ પણ સમજુ છું-હું ગરીબ નિવાઝ કોઈ આ ભીલો માટે નથી. હું ગરીબ નિવાઝ છું જે બિલકુલ જ પતિત છે એમને પાવન બનાવું છું. હું છું જ પતિત-પાવન. તો વિચાર ચાલે છે, હું ગરીબ નિવાઝ છું પરંતુ પૈસા વગેરે કેવી રીતે આપું? પૈસા વગેરે આપવા વાળા તો દુનિયા માં ઘણાં છે. ખુબ ફંડ્સ કાઢે (પૈસા ભેગાં કરે) છે, જે પછી અનાથ આશ્રમ માં મોકલી દે છે. જાણે છે અનાથ હોય છે અર્થાત્ જેમને નાથ નથી. અનાથ એટલે ગરીબ. તમારા પણ નાથ નહોતાં અર્થાત્ બાપ નહોતાં. તમે ગરીબ હતાં, જ્ઞાન નહોતું. જે રુપ-વસંત નથી, તે ગરીબ અનાથ છે. જે રુપ-વસંત છે એમને સનાથ કહેવાય છે. સનાથ સાહૂકાર ને, અનાથ ગરીબ ને કહેવાય છે. તમારી બુદ્ધિ માં છે કે બધા ગરીબ છે, કાંઈક એમને આપી દઈએ. બાપ ગરીબ-નિવાઝ છે તો કહેશે એવી વસ્તુ આપીએ જેનાથી સદા નાં માટે સાહૂકાર બની જાય. બાકી આ કપડા વગેરે આપવા તો સામાન્ય વાત છે. એમાં આપણે શું કામ પડીએ? આપણે તો એમને અનાથ થી સનાથ બનાવી દઈએ. ભલે કેટલાં પણ કોઈ પદમપતિ છે, પરંતુ તે પણ બધા અલ્પકાળ માટે છે. આ છે જ અનાથો ની દુનિયા. ભલે પૈસા વાળા છે, તે પણ અલ્પકાળ માટે. ત્યાં છે સદૈવ સનાથ. ત્યાં આમ કર્મ નથી કૂટતાં. અહીં કેટલાં ગરીબ છે. જેમને ધન છે, એમને તો પોતાનો નશો ચઢેલો રહે છે - અમે સ્વર્ગ માં છીએ. પરંતુ નથી, આ તમે જાણો છો. આ સમયે કોઈ પણ મનુષ્ય સનાથ નથી, બધા અનાથ છે. આ પૈસા વગેરે તો બધું માટી માં ભળી જવાનું છે. મનુષ્ય સમજે છે અમારી પાસે આટલું ધન છે જે પુત્ર-પૌત્રા ખાતા રહેશે. પરંપરા ચાલતું રહેશે. પરંતુ એમ ચાલવાનું નથી. આ તો બધું વિનાશ થઈ જશે એટલે તમને આ આખી જૂની દુનિયા થી વૈરાગ છે.

તમે જાણો છો નવી દુનિયા ને સ્વર્ગ, જૂની દુનિયા ને નર્ક કહેવાય છે. આપણને બાબા નવી દુનિયા માટે સાહૂકાર બનાવી રહ્યાં છે. આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે. બાપ કેટલાં સાહૂકાર બનાવે છે. આ લક્ષ્મી-નારાયણ સાહૂકાર કેવી રીતે બન્યાં? શું કોઈ સાહૂકાર પાસે થી વારસો મળ્યો કે લડાઈ કરી? જેમ બીજા રાજગાદી મેળવે છે, શું એમ રાજગાદી મેળવી? કે કર્મો અનુસાર આ ધન મળ્યું? બાપ નું કર્મ શીખવાડવાનું તો બિલકુલ જ ન્યારું છે. કર્મ-અકર્મ-વિકર્મ શબ્દ પણ ક્લિયર (સ્પષ્ટ) છે ને? શાસ્ત્રો માં થોડા શબ્દ છે, લોટ માં મીઠા જેટલું રહી જાય છે. ક્યાં આટલાં કરોડ મનુષ્ય, બાકી ૯ લાખ રહે છે. ક્વાર્ટર (પા) ટકા પણ ન થયું. તો આને કહેવાય છે લોટ માં મીઠું. દુનિયા આખી વિનાશ થઈ જાય છે. બહુ જ થોડા સંગમયુગ માં રહે છે. કોઈ પહેલાં થી જ શરીર છોડીને જાય છે. તે પછી રિસીવ (આહવાન) કરશે. જેમ મોગલી બાળકી હતી, સારી હતી તો જન્મ બિલકુલ સારા ઘર માં લીધો હશે. નંબરવાર સુખ માં જ જન્મ લે છે. સુખ તો એમણે જોવાનું છે, થોડું દુઃખ પણ જોવાનું છે. કર્માતીત અવસ્થા તો કોઈની થઈ નથી. જન્મ મોટા સુખી ઘર માં જઈને લેશે. એવું ન સમજો અહીં કોઈ સુખી ઘર નથી. ઘણાં પરિવાર એવાં સારા હોય છે, વાત ન પૂછો. બાબા નું જોયેલું છે. વહુઓ એક જ ઘર માં એવાં શાંત મિલનસાર માં રહે છે જે બસ, બધા સાથે ભક્તિ કરે છે, ગીતા વાંચે છે… બાબાએ પૂછ્યું આટલાં બધા સાથે રહે છે, ઝઘડો વગેરે નથી થતો! કહ્યું અમારી પાસે તો સ્વર્ગ છે, અમે બધા સાથે રહીએ છીએ. ક્યારેય લડતાં-ઝઘડતાં નથી, શાંતિ માં રહીએ છીએ. કહે છે અહીંયા તો જાણે કે સ્વર્ગ છે તો જરુર સ્વર્ગ ભૂતકાળ થઈ ગયું છે ત્યારે તો કહેવામાં આવે છે ને કે અહીંયા તો જાણે કે સ્વર્ગ આવી ગયું છે. પરંતુ અહીં તો ઘણાં નાં સ્વભાવ સ્વર્ગવાસી બનવાના દેખાતા નથી. દાસ-દાસીઓ પણ બનવાના છે ને? આ રાજધાની સ્થાપન થાય છે. બાકી જે બ્રાહ્મણ બને છે તે દૈવી ઘરાના (વંશજ) માં આવવા વાળા છે. પરંતુ નંબરવાર છે. કોઈ તો બહુ જ મીઠાં હોય છે, બધાંને પ્રેમ કરતા રહેશે. ક્યારેય કોઈને ગુસ્સો નહીં કરશે. ગુસ્સો કરવાથી દુઃખ થાય છે. જે મન્સા-વાચા-કર્મણા કોઈને દુઃખ જ આપતા રહે છે - એમને કહેવાય છે દુઃખી આત્મા. જેમ પુણ્ય આત્મા, પાપ આત્મા કહેવાય છે ને? શરીર નું નામ લે છે શું? હકીકત માં આત્મા જ બને છે, બધા પાપ આત્માઓ પણ એક જેવાં નથી હોતાં. પુણ્ય આત્મા પણ બધા એક જેવાં નથી હોતાં. નંબરવાર પુરુષાર્થ અનુસાર હોય છે. વિદ્યાર્થી પોતે સમજતા હશે ને કે અમારા કેરેક્ટર્સ (ચરિત્ર), અવસ્થા કેવી છે? અમે કેવી રીતે ચાલીએ છીએ? બધાંને મીઠું બોલીએ છીએ? કોઈ કાંઈ કહે તો અમે ઉલ્ટો-સુલ્ટો જવાબ તો નથી આપતાં? બાબા ને ઘણાં બાળકો કહે છે - બાળકો પર ગુસ્સો આવી જાય છે. બાબા કહે છે જેટલું થઈ શકે પ્રેમ થી કામ લો. નિર્મોહી પણ બનવું જોઈએ.

આ તો આપ બાળકો સમજો છો - આપણે આ લક્ષ્મી-નારાયણ બનવાનું છે. મુખ્ય ઉદ્દેશ સામે છે. કેટલો ઊંચો મુખ્ય ઉદ્દેશ છે. ભણાવવા વાળા પણ હાઈએસ્ટ (સર્વોચ્ચ) છે ને? શ્રીકૃષ્ણ ની મહિમા કેટલી ગાય છે - સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપન્ન… હવે આપ બાળકો જાણો છો આપણે એવાં બની રહ્યાં છીએ. તમે અહીં આવ્યાં છો જ આ બનવા માટે. તમારી આ સાચ્ચી સત્યનારાયણ ની કથા છે જ નર થી નારાયણ બનવાની. અમર કથા છે અમરપુરી જવાની. કોઈ સંન્યાસી વગેરે આ વાતો ને નથી જાણતાં. કોઈ પણ મનુષ્ય માત્ર ને જ્ઞાન નાં સાગર કે પતિત-પાવન નહીં કહેવાશે. જ્યારે આખી સૃષ્ટિ જ પતિત છે તો આપણે પતિત-પાવન કોને કહીએ? અહીં કોઈ પુણ્ય આત્મા હોય ન શકે. બાપ સમજાવે છે - આ દુનિયા પતિત છે. શ્રીકૃષ્ણ છે અવ્વલ નંબર. તેમને પણ ભગવાન નથી કહી શકાતાં. જન્મ-મરણ રહિત એક જ નિરાકાર બાપ છે. ગવાય છે શિવ પરમાત્માય નમઃ, બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને દેવતા કહી પછી શિવ ને પરમાત્મા કહે છે. તો શિવ સૌથી ઉપર થયા ને? એ છે બધાનાં બાપ. વારસો પણ બાપ પાસે થી મળવાનો છે, સર્વવ્યાપી કહેવાથી વારસો નથી મળતો. બાપ સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા છે તો જરુર સ્વર્ગ નો વારસો જ આપશે. આ લક્ષ્મી-નારાયણ છે નંબરવન. અભ્યાસ થી આ પદ મેળવ્યું. ભારત નો પ્રાચીન યોગ કેમ નહીં પ્રસિદ્ધ થશે જેનાથી મનુષ્ય વિશ્વ નાં માલિક બને છે એને કહે છે સહજયોગ, સહજજ્ઞાન. છે પણ ખૂબ સહજ, એક જ જન્મ નાં પુરુષાર્થ થી કેટલી પ્રાપ્તિ થઈ જાય છે. ભક્તિમાર્ગ માં તો જન્મ પછી જન્મ ઠોકરો ખાતા આવ્યાં, મળતું તો કાંઈ પણ નથી. આ તો એક જ જન્મ માં મળે છે એટલે સહજ કહેવાય છે. સેકન્ડ માં જીવનમુક્તિ કહેવાય છે. આજકાલ તો જુઓ કેવાં-કેવાં ઇન્વેન્શન (સંશોધન) કાઢતા રહે છે. સાયન્સ (વિજ્ઞાન) નું પણ વન્ડર (અદ્દભુત) છે. સાઈલેન્સ (શાંતિ) નું પણ વન્ડર જુઓ કેવું છે? તે બધું કેટલું દેખાય છે. અહીં કાંઈ નથી. તમે શાંતિ માં બેઠાં છો, નોકરી વગેરે પણ કરો છો, હથ કાર ડે… અને આત્મા નું દિલ યાર તરફ, આશિક માશૂક પણ ગવાયેલા છે ને? તેઓ એક-બીજા નાં ચહેરા પર આશિક થાય છે, વિકાર ની વાત નથી રહેતી. ક્યાંય પણ બેઠાં યાદ આવી જશે. રોટલી ખાતા રહેશે બસ સામે એમને જોતા રહેશે. અંત માં તમારી આ અવસ્થા થઈ જશે. બસ, બાપ ને જ યાદ કરતા રહેશો. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રુપ-વસંત બની મુખ થી સદા સુખદાઈ બોલ બોલવાનાં છે, દુઃખદાઈ નથી બનવાનું. જ્ઞાન નાં વિચારો માં રહેવાનું છે, મુખ થી જ્ઞાન રત્ન જ બોલવાના છે.

2. નિર્મોહી બનવાનું છે, દરેક પાસે થી પ્રેમ થી કામ લેવાનું છે, ગુસ્સો નથી કરવાનો. અનાથ ને સનાથ બનાવવાની સેવા કરવાની છે.

વરદાન :-
પોતાનાં ફરિશ્તા રુપ દ્વારા ગતિ - સદ્દગતિ નો પ્રસાદ વહેંચવા વાળા માસ્ટર ગતિ સદ્દગતિ દાતા ભવ

વર્તમાન સમયે વિશ્વ નાં અનેક આત્માઓ પરિસ્થિતિઓ નાં વશ ચિલ્લાવી રહ્યાં છે, કોઈ મોંઘવારી થી, કોઈ ભૂખ થી, કોઈ તન નાં રોગ થી, કોઈ મન ની અશાંતિ થી… બધાની નજર ટાવર ઓફ પીસ ની તરફ જઈ રહી છે. બધા જોઈ રહ્યાં છે કે હાહાકાર નાં પછી જય-જયકાર ક્યારે થાય છે? તો હવે પોતાનાં સાકારી ફરિશ્તા રુપ દ્વારા વિશ્વ નાં દુઃખ દૂર કરો, માસ્ટર ગતિ સદ્દગતિ દાતા બની ભક્તો ને ગતિ અને સદ્દગતિ નો પ્રસાદ વહેંચો.

સ્લોગન :-
મન ને એટલું શક્તિશાળી બનાવી લો જે કોઈ પણ પરિસ્થિતિ મન ને હલચલ માં ન લાવી શકે.

અવ્યક્ત ઈશારા - હવે સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો

હવે સેવા નાં કર્મ નાં પણ બંધન માં ન આવો. અમારું સ્થાન, અમારી સેવા, અમારા વિદ્યાર્થી, અમારા સહયોગી આત્માઓ, આ પણ સેવા નાં કર્મ નું બંધન છે, આ કર્મબંધન થી કર્માતીત. તો કર્માતીત બનવાનું છે અને “આ એ જ છે, આ જ સર્વસ્વ છે,” આ મહેસુસતા અપાવી આત્માઓ ને સમીપ ઠેકાણે પર લાવવાના છે.