24-10-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાબા
આવ્યાં છે તમને ઘર નો રસ્તો બતાવવાં , તમે આત્મ - અભિમાની બનીને રહો તો આ રસ્તો સહજ
દેખાશે”
પ્રશ્ન :-
સંગમ પર કઈ એવી નોલેજ મળે છે જેનાથી સતયુગી દેવતાઓ મોહજીત કહેવાયાં?
ઉત્તર :-
સંગમ પર તમને બાપે અમરકથા સંભળાવી, અમર આત્મા ની નોલેજ આપી. જ્ઞાન મળ્યું - આ
અવિનાશી પૂર્વ નિર્ધારિત ડ્રામા છે, દરેક આત્મા પોત-પોતાનાં પાર્ટ ભજવે છે. તે એક
શરીર છોડી બીજું લે છે, આમાં રડવાની વાત નથી. આ જ નોલેજ થી સતયુગી દેવતાઓ ને મોહજીત
કહેવાય છે. ત્યાં મૃત્યુ નું નામ નથી. ખુશી થી જૂનું શરીર છોડી નવું લે છે.
ગીત :-
નયનહીન કો રાહ
દિખાઓ…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ કહે છે કે રસ્તો તો બતાવું છું પરંતુ પહેલાં સ્વયં
ને આત્મા નિશ્ચય કરી બેસો. દેહી-અભિમાની બનીને બેસો તો પછી તમને રસ્તો ખૂબ સહજ જ
દેખાશે. ભક્તિમાર્ગ માં અડધોકલ્પ ઠોકરો ખાધી છે. ભક્તિમાર્ગ ની અથાહ સામગ્રી છે. હવે
બાપે સમજાવ્યું છે બેહદ નાં બાપ એક જ છે. બાપ કહે છે તમને રસ્તો બતાવી રહ્યો છું.
દુનિયા ને આ પણ ખબર નથી કયો રસ્તો બતાવે છે? મુક્તિ-જીવનમુક્તિ, ગતિ-સદ્દગતિ નો.
મુક્તિ કહેવાય છે શાંતિધામ ને. આત્મા શરીર વગર કાંઈ પણ બોલી નથી શકતો. કર્મેન્દ્રિયો
દ્વારા જ અવાજ થાય છે, મુખ થી અવાજ થાય છે. મુખ ન હોય તો અવાજ ક્યાંથી આવશે? આત્મા
ને આ કર્મેન્દ્રિઓ મળી છે કર્મ કરવા માટે. રાવણ રાજ્ય માં તમે વિકર્મ કરો છો. આ
વિકર્મ છી-છી કર્મ થઈ જાય છે. સતયુગ માં રાવણ જ નથી તો કર્મ અકર્મ થઈ જાય છે. ત્યાં
૫ વિકાર હોતાં નથી. તેને કહેવાય છે - સ્વર્ગ. ભારતવાસી સ્વર્ગવાસી હતાં, હમણાં પછી
કહેવાશે નર્કવાસી. વિષય વૈતરણી નદી માં ગોથા ખાતા રહે છે. બધા એક-બીજા ને દુઃખ આપતા
રહે છે. હવે કહે છે બાબા એવી જગ્યાએ લઈ ચાલો જ્યાં દુઃખ નું નામ ન હોય. તે તો ભારત
જ્યારે સ્વર્ગ હતું ત્યારે દુઃખ નું નામ નહોતું. સ્વર્ગ થી નર્ક માં આવ્યાં છે, હવે
ફરી સ્વર્ગ માં જવાનું છે. આ ખેલ છે. બાપ જ બાળકો ને સમજાવે છે. સાચ્ચો-સાચ્ચો
સત્સંગ આ છે. તમે અહીં સત્ બાપ ને યાદ કરો છો એ જ ઊંચા માં ઊંચા ભગવાન છે. એ છે
રચયિતા, એમની પાસે થી વારસો મળે છે. બાપ જ બાળકો ને વારસો આપશે. હદ નાં બાપ હોવા છતાં
પણ પછી યાદ કરે છે-હે ભગવાન, હે પરમપિતા પરમાત્મા રહેમ કરો. ભક્તિમાર્ગ માં ધક્કા
ખાતા-ખાતા હેરાન થઈ ગયા છીએ. કહે છે - હે બાબા, અમને સુખ શાંતિ નો વારસો આપો. એ તો
બાપ જ આપી શકે છે તે પણ ૨૧ જન્મો માટે. હિસાબ કરવો જોઈએ. સતયુગ માં જ્યારે આમનું
રાજ્ય હતું તો જરુર થોડા મનુષ્ય હશે. એક ધર્મ હતો, એક જ રાજાઈ હતી. તેને કહેવાય છે
સ્વર્ગ, સુખધામ. નવી દુનિયા ને કહેવાય છે સતોપ્રધાન, જૂની ને તમોપ્રધાન કહેવાશે.
દરેક ચીજ પહેલાં સતોપ્રધાન પછી સતો-રજો-તમો માં આવે છે. નાનાં બાળકો ને સતોપ્રધાન
કહેવાશે. નાનાં બાળક ને મહાત્મા કરતાં પણ ઊંચ કહેવાય છે. મહાત્માઓ તો જન્મ લે છે પછી
મોટા થઈને વિકારો નો અનુભવ કરીને ઘરબાર છોડીને ભાગે છે. નાનાં બાળક ને તો વિકારો ની
ખબર નથી. બિલકુલ ઈનોસેંટ (નિર્દોષ) છે એટલે મહાત્મા કરતાં પણ ઊંચ કહેવાય છે. દેવતાઓ
ની મહિમા ગાય છે - સર્વગુણ સંપન્ન… સાધુઓ ની આ મહિમા ક્યારેય નહીં કરશે. બાપે હિંસા
અને અહિંસા નો અર્થ સમજાવ્યો છે. કોઈને મારવું આને હિંસા કહેવાય છે. સૌથી મોટી હિંસા
છે કામ કટારી ચલાવવી. દેવતાઓ હિંસક નથી હોતાં. કામ કટારી નથી ચલાવતાં. બાપ કહે છે
હવે હું આવ્યો છું તમને મનુષ્ય થી દેવતા બનાવવાં. દેવતા હોય છે સતયુગ માં. અહીં કોઈ
પણ પોતાને દેવતા નથી કહી શકતાં. સમજે છે અમે નીંચ, પાપી, વિકારી છીએ. પછી પોતાને
દેવતા કેવી રીતે કહેશે એટલે હિંદુ ધર્મ કહી દીધો છે. હકીકત માં આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ હતો. હિન્દુ તો હિન્દુસ્તાન થી નીકાળ્યું છે. તેમણે પછી હિંદુ ધર્મ કહી દીધો
છે. તમે કહેશો - અમે દેવતા ધર્મ નાં છીએ તો પણ હિન્દુ માં લગાવી દેશે. કહેશે અમારી
પાસે કૉલમ (ખાનું) જ હિંદુ ધર્મનું છે. પતિત હોવાનાં કારણે પોતાને દેવતા કહી નથી
શકતાં.
હવે તમે જાણો છો -
આપણે પૂજ્ય દેવતા હતાં, હવે પુજારી બન્યાં છીએ. પૂજા પણ પહેલાં ફક્ત શિવ ની કરે છે
પછી વ્યભિચારી પુજારી બન્યાં. બાપ એક છે એમની પાસે થી વારસો મળે છે. બાકી તો અનેક
પ્રકારની દેવીઓ વગેરે છે. તેમની પાસે થી કોઈ વારસો નથી મળતો. આ બ્રહ્મા પાસે થી પણ
તમને વારસો નથી મળતો. એક છે નિરાકારી બાપ, બીજા છે સાકારી બાપ. સાકારી બાપ હોવા છતાં
પણ હે ભગવાન, હે પરમપિતા કહેતાં રહે છે. લૌકિક બાપ ને એવી રીતે નહીં કહેશે. તો વારસો
બાપ પાસે થી મળે છે. પતિ અને પત્ની હાફપાર્ટનર (જીવનસાથી) હોય છે તો તેમને અડધો ભાગ
મળવો જોઈએ. પહેલાં અડધો તેમનો કાઢી બાકીનો અડધો બાળકો ને આપવો જોઈએ. પરંતુ આજકાલ તો
બાળકો ને જ બધું ધન આપી દે છે. કોઈ-કોઈ નો મોહ ખૂબ હોય છે, સમજે છે અમારા મર્યા પછી
બાળક જ હકદાર રહેશે. આજકાલ નાં બાળકો તો બાપ નાં ચાલ્યાં જવા પર મા ને પૂછતા પણ નથી.
કોઈ-કોઈ માતૃ સ્નેહી હોય છે. કોઈ પછી માતૃ-દ્રોહી હોય છે. આજકાલ વધારે કરીને માતૃ
દ્રોહી હોય છે. બધા પૈસા ઉડાવી દે છે. ધર્મ નાં બાળકો પણ કોઈ-કોઈ એવાં નીકળી પડે છે
જે ખૂબ હેરાન કરે છે. હવે બાળકોએ ગીત સાંભળ્યું, કહે છે બાબા અમને સુખ નો રસ્તો
બતાવો - જ્યાં ચેન (સુખ-શાંતિ) હોય. રાવણ રાજ્ય માં તો સુખ હોઈ ન શકે. ભક્તિમાર્ગ
માં તો એટલું પણ નથી સમજતા કે શિવ અલગ છે, શંકર અલગ છે. બસ, માથું નમાવતા રહો,
શાસ્ત્ર વાંચતા રહો. સારું, આનાંથી શું મળશે, કાંઈ પણ ખબર નથી. સર્વ માટે શાંતિ અને
સુખ નાં દાતા તો એક જ બાપ છે. સતયુગ માં સુખ પણ છે તો શાંતિ પણ છે. ભારત માં
સુખ-શાંતિ હતાં, હમણાં નથી એટલે ભક્તિ કરતા દર-દર ધક્કા ખાતા રહે છે. હવે તમે જાણો
છો શાંતિધામ, સુખધામ માં લઈ જવા વાળા એક જ બાપ છે. બાબા, અમે ફક્ત તમને જ યાદ કરીશું,
તમારી પાસે થી જ વારસો લઈશું. બાપ કહે છે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધો ને ભૂલી
જવાના છે. એક બાપ ને યાદ કરવાના છે. આત્માએ અહીં જ પવિત્ર બનવાનું છે. યાદ નહીં કરશો
તો પછી સજાઓ ખાવી પડશે. પદ પણ ભ્રષ્ટ થઈ જશે એટલે બાપ કહે છે યાદ ની મહેનત કરો.
આત્માઓ ને સમજાવે છે. બીજા કોઈ પણ સત્સંગ વગેરે આવાં નહીં હશે જ્યાં એવું કહે છે -
હે રુહાની બાળકો. આ છે રુહાની જ્ઞાન, જે રુહાની બાપ પાસે થી જ બાળકો ને મળે છે. રુહ
અર્થાત્ નિરાકાર. શિવ પણ નિરાકાર છે ને? તમારો આત્મા પણ બિંદુ છે, ખૂબ નાનો. તેને
કોઈ જોઈ ન શકે, દિવ્ય દૃષ્ટિ સિવાય. દિવ્ય દૃષ્ટિ બાપ જ આપે છે. ભગત બેસી હનુમાન,
ગણેશ વગેરે ની પૂજા કરે છે હવે એમનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? બાપ કહે છે દિવ્ય
દૃષ્ટિ દાતા તો હું જ છું. જે ખૂબ ભક્તિ કરે છે તો પછી હું જ તેમને સાક્ષાત્કાર
કરાવું છું. પરંતુ એનાથી ફાયદો કાંઈ પણ નથી. ફક્ત ખુશ થઈ જાય છે. પાપ તો છતાં પણ કરે
છે, મળતું કાંઈ પણ નથી. ભણતર વગર કાંઈ બની થોડી શકશે? દેવતાઓ સર્વગુણ સંપન્ન છે. તમે
પણ એવાં બનો ને! બાકી તો તે છે બધો ભક્તિમાર્ગ નો સાક્ષાત્કાર. સાચ્ચે જ છે
શ્રીકૃષ્ણ સાથે ઝૂલો, સ્વર્ગ માં તેમની સાથે રહો. તે તો ભણતર પર છે. જેટલું શ્રીમત
પર ચાલશો એટલું ઊંચ પદ મેળવશો. શ્રીમત ભગવાન ની ગાયેલી છે. શ્રીકૃષ્ણ ની શ્રીમત નહીં
કહેવાશે. પરમપિતા પરમાત્મા ની શ્રીમત થી શ્રીકૃષ્ણ નાં આત્માએ આ પદ મેળવ્યું છે.
તમારો આત્મા પણ દેવતા ધર્મ માં હતો અર્થાત્ શ્રીકૃષ્ણ નાં કુળ માં હતો. ભારતવાસીઓ
ને આ ખબર નથી કે રાધા-કૃષ્ણ પરસ્પર માં શું થતા હતાં? બંને અલગ-અલગ રાજધાની નાં હતાં.
પછી સ્વયંવર પછી લક્ષ્મી-નારાયણ બને છે. આ બધી વાતો બાપ જ આવીને સમજાવે છે. હમણાં
તમે ભણો જ છો સ્વર્ગ નાં પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) બનવા માટે.
પ્રિન્સ-પ્રિન્સેસ નો જ્યારે સ્વયંવર થાય છે ત્યારે પછી નામ બદલાય છે. તો બાપ બાળકો
ને એવાં દેવતા બનાવે છે. જો બાપ ની શ્રીમત પર ચાલશે તો. તમે છો મુખ વંશાવલી, તે છે
કુખ વંશાવલી. તે બ્રાહ્મણ લોકો હથિયાલો (બંધન) બાંધે છે કામ ચિતા પર બેસાડવાનો. હવે
તમે સાચ્ચી-સાચ્ચી બ્રાહ્મણીઓ કામ ચિતા થી ઉતારી જ્ઞાન ચિતા પર બેસાડવા હથિયાલો
બાંધો છો. તો તે છોડવું પડે. અહીં નાં બાળકો તો લડે-ઝઘડે પૈસા પણ પૂરા બરબાદ કરે
છે. આજકાલ દુનિયા માં ખૂબ ગંદકી છે. સૌથી ગંદી બીમારી છે સિનેમા. સારા બાળકો પણ
સિનેમા માં જવાથી ખરાબ થઈ જાય છે એટલે બી.કે. ને સિનેમા માં જવાની મનાઈ છે. હા, જે
મજબૂત છે, તેમને બાબા કહે છે ત્યાં પણ તમે સર્વિસ કરો. તેમને સમજાવો આ તો છે એ હદ
નું સિનેમા. એક બેહદ નું સિનેમા પણ છે. બેહદ નાં સિનેમા થી જ પછી આ હદ નાં જુઠ્ઠા
સિનેમા નીકળ્યાં છે.
હવે આપ બાળકો ને બાપે
સમજાવ્યું છે - મૂળવતન જ્યાં સર્વ આત્માઓ રહે છે પછી વચ્ચે છે સૂક્ષ્મવતન. આ છે -
સાકાર વતન. ખેલ પૂરો અહીં ચાલે છે. આ ચક્ર ફરતું જ રહે છે. આપ બ્રાહ્મણ બાળકોએ જ
સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. દેવતાઓએ નહીં. પરંતુ બ્રાહ્મણો ને આ અલંકાર નથી આપતા
કારણ કે પુરુષાર્થી છે. આજે સારા ચાલી રહ્યાં છે, કાલે પડી જાય છે એટલે દેવતાઓ ને
આપી દે છે. શ્રીકૃષ્ણ માટે દેખાડે છે સ્વદર્શન ચક્ર થી અકાસુર-બકાસુર વગેરે ને
માર્યાં. હવે તેમને તો અહિંસા પરમોધર્મ કહેવાય છે પછી હિંસા કેવી રીતે કરશે? આ બધી
છે ભક્તિમાર્ગ ની સામગ્રી. જ્યાં જાઓ શિવ નાં લિંગ જ હશે. ફક્ત નામ કેટલાં અલગ-અલગ
રાખી દીધાં છે. માટી ની દેવીઓ કેટલી બનાવે છે. શૃંગાર કરે છે, હજારો રુપિયા ખર્ચ કરે
છે. ઉત્પત્તિ કરી પછી પૂજા કરશે, પાલના કરી પછી જઈને ડુબાડે છે. કેટલો ખર્ચો કરે
છે, ગુડ્ડીઓ (ઢીંગલીઓ) ની પૂજા માં. મળ્યું કાંઈ પણ નથી. બાપ સમજાવે છે આ બધું પૈસા
બરબાદ કરવાની ભક્તિ છે, સીડી ઉતરતા જ આવ્યાં છે. બાપ આવે છે તો બધાની ચઢતી કળા થાય
છે. બધાને શાંતિધામ-સુખધામ માં લઈ જાય છે. પૈસા બરબાદ કરવાની વાત નથી. પછી
ભક્તિમાર્ગ માં તમે પૈસા બરબાદ કરતા-કરતા ઇનસોલવેન્ટ (કંગાળ) બની ગયા છો. સોલવેન્ટ
(ભરપુર), ઇનસોલવેન્ટ બનવાની કથા બાપે સમજાવી છે. તમે આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની
નાં હતાં ને? હમણાં તમને નર થી નારાયણ બનવાની શિક્ષા બાપ આપે છે. તે લોકો તીજરી ની
કથા, અમરકથા સંભળાવે છે. છે બધું જુઠ્ઠું. તીજરી ની કથા તો આ છે, જેનાથી આત્મા નું
જ્ઞાન નું ત્રીજું નેત્ર ખુલે છે. આખું ચક્ર બુદ્ધિ માં આવી જાય છે. તમને જ્ઞાન નું
ત્રીજું નેત્ર મળી રહ્યું છે, અમરકથા પણ સાંભળી રહ્યાં છો. અમર બાબા તમને કથા
સંભળાવી રહ્યાં છે - અમરપુરી નાં માલિક બનાવે છે. ત્યાં તમે ક્યારેય મૃત્યુ ને નથી
મેળવતાં. અહીં તો કાળ નો મનુષ્યો ને કેટલો ડર રહે છે. ત્યાં ડરવાની, રડવાની વાત નથી.
ખુશી થી જૂનું શરીર છોડી નવું લઈ લે છે. અહીં કેટલું મનુષ્ય રડે છે. આ છે જ રડવાની
દુનિયા. બાપ કહે છે આ તો પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. દરેક પોત-પોતાનો પાર્ટ ભજવતા
રહે છે. આ દેવતાઓ મોહજીત છે ને? અહીં તો દુનિયા માં અનેક ગુરુ છે જેમની અનેક મતો મળે
છે. દરેક ની મત પોતાની. એક સંતોષી દેવી પણ છે જેમની પૂજા થાય છે. હવે સંતોષી દેવીઓ
તો સતયુગ માં હોય શકે છે, અહીંયા કેવી રીતે હોઈ શકે? સતયુગ માં દેવતાઓ સદૈવ સંતુષ્ટ
હોય છે. અહીં તો કાંઈ ન કાંઈ આશા રહે છે. ત્યાં કોઈ આશા નથી હોતી. બાપ બધાને
સંતુષ્ટ કરી દે છે. તમે પદમપતિ બની જાઓ છો. કોઈ અપ્રાપ્ત વસ્તુ નથી રહેતી જેની
પ્રાપ્તિ ની ચિંતા થાય. ત્યાં ચિંતા હોતી જ નથી. બાપ કહે છે સર્વ નો સદ્દગતિ દાતા
તો હું જ છું. આપ બાળકો ને ૨૧ જન્મો માટે ખુશી જ ખુશી આપે છે. આવાં બાપ ને યાદ પણ
કરવા જોઈએ. યાદ થી તમારા પાપ ભસ્મ થશે અને તમે સતોપ્રધાન બની જશો. આ સમજવાની વાતો
છે. જેટલું બીજાઓ ને વધારે સમજાવશો એટલી પ્રજા બનતી જશે અને ઊંચ પદ મેળવશો. આ કોઈ
સાધુ વગેરે ની કથા નથી. ભગવાન બેસી આમનાં મુખ દ્વારા સમજાવે છે. હવે તમે સંતુષ્ટ
દેવી-દેવતા બની રહ્યાં છો. હવે તમારે વ્રત પણ રાખવું જોઈએ - સદૈવ પવિત્ર રહેવાનું
કારણકે પાવન દુનિયા માં જવાનું છે તો પતિત નથી બનવાનું. બાપે આ વ્રત શીખવાડ્યું છે.
મનુષ્યોએ પછી અનેક પ્રકાર નાં વ્રત બનાવ્યાં છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ ની
મત પર ચાલી સદા સંતુષ્ટ રહી સંતોષી દેવી બનવાનું છે. અહીં કોઈ પણ આશા નથી રાખવાની.
બાપ પાસે થી સર્વ પ્રાપ્તિઓ કરી પદમપતિ બનવાનું છે.
2. સૌથી ગંદુ બનાવવા
વાળું બાયસ્કોપ (સિનેમા) છે. તમને સિનેમા જોવાની મનાઈ છે. તમે બહાદુર છો તો હદ અને
બેહદ નાં બાયસ્કોપ નું રહસ્ય સમજી બીજાઓ ને સમજાવો. સર્વિસ (સેવા) કરો.
વરદાન :-
પુરુષાર્થ અને
સેવા માં વિધિ પૂર્વક વૃદ્ધિ પ્રાપ્ત કરવા વાળા તીવ્ર પુરુષાર્થી ભવ
બ્રાહ્મણ અર્થાત્
વિધિપૂર્વક જીવન. કોઈ પણ કાર્ય સફળ ત્યારે થાય છે જ્યારે વિધિ થી કરાય છે. જો કોઈ
પણ વાત માં સ્વયં નાં પુરુષાર્થ તથા સેવા માં વૃદ્ધિ નથી થતી તો જરુર કોઈ વિધિ ની
કમી છે એટલે ચેક કરો કે અમૃતવેલા થી રાત સુધી મન્સા-વાચા-કર્મણા તથા સંપર્ક
વિધિપૂર્વક રહ્યાં અર્થાત્ વૃદ્ધિ થઈ? જો નહીં તો કારણ ને વિચારી ને નિવારણ કરો પછી
દિલશિકસ્ત નહીં થશો. જો વિધિપૂર્વક જીવન છે તો વૃદ્ધિ અવશ્ય થશે અને તીવ્ર
પુરુષાર્થી બની જશો.
સ્લોગન :-
સ્વચ્છતા અને
સત્યતા માં સંપન્ન બનવું જ સાચ્ચી પવિત્રતા છે.
અવ્યક્ત ઈશારા - સ્વયં
અને સર્વ પ્રત્યે મન્સા દ્વારા યોગ ની શક્તિઓ નો પ્રયોગ કરો
જ્યાં વાણી દ્વારા
કોઈ કાર્ય સિદ્ધ નથી થતું તો કહો છો-આ વાણી થી નહીં સમજશે, શુભ ભાવના થી પરિવર્તન
થશે. જ્યાં વાણી કાર્ય ને સફળ નથી કરી શકતી, ત્યાં સાઈલેન્સ ની શક્તિ નું સાધન
શુભ-સંકલ્પ, શુભ-ભાવના, નયનો ની ભાષા દ્વારા રહેમ અને સ્નેહ ને અનુભૂતિ કાર્ય સિદ્ધ
કરી શકે છે.