24-12-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
અવિનાશી જ્ઞાન - રત્નો નું દાન જ મહાદાન છે , આ દાન થી જ રાજાઈ પ્રાપ્ત થાય છે એટલે
મહાદાની બનો”
પ્રશ્ન :-
જે બાળકો ને સર્વિસ
નો શોખ હશે તેમની મુખ્ય નિશાનીઓ કઈ હશે?
ઉત્તર :-
૧. તેમને જૂની દુનિયા નું વાતાવરણ બિલકુલ નહીં ગમશે. ૨. તેમને અનેક ની સેવા કરી આપ
સમાન બનાવવામાં જ ખુશી થશે. ૩. તેમને ભણવા અને ભણાવવામાં જ આરામ આવશે. ૪.
સમજાવતાં-સમજાવતાં ગળું પણ ખરાબ થઈ જાય તો પણ ખુશી માં રહેશે. ૫. તેમને કોઈની પણ
મિલકત નહીં જોઈએ. તે કોઈની પણ પ્રોપર્ટી ની પાછળ પોતાનો સમય નહીં ગુમાવશે. ૬. એમની
રગો (બુદ્ધિ) બધી તરફ થી તૂટેલી હશે. ૭. તે બાપ સમાન ઉદારચિત્ત હશે. તેમને સેવા
સિવાય બીજું કાંઈ પણ મીઠું નહીં લાગે.
ગીત :-
ઓમ્ નમઃ શિવાય…
ઓમ શાંતિ!
રુહાની બાપ
જેમની મહિમા સાંભળી, એ બાળકો ને પાઠ ભણાવે છે, આ પાઠશાળા છે ને? તમે બધા અહીં પાઠ
ભણી રહ્યાં છો શિક્ષક પાસે થી. આ છે સુપ્રીમ શિક્ષક, જેમને પરમપિતા પણ કહેવાય છે.
પરમપિતા રુહાની બાપ ને જ કહેવાય છે. લૌકિક બાપ ને ક્યારેય પરમપિતા નહીં કહેવાશે. તમે
કહેશો હમણાં અમે પારલૌકિક બાપ ની પાસે બેઠાં છીએ. કોઈ બેઠાં છે, કોઈ મહેમાન બનીને
આવે છે. તમે સમજો છો અમે બેહદ નાં બાપની પાસે બેઠાં છીએ, વારસો લેવા માટે. તો અંદર
કેટલી ખુશી થવી જોઈએ? મનુષ્ય તો બિચારા ચિલ્લાવતા રહે છે. આ સમયે દુનિયા માં બધા કહે
છે દુનિયામાં શાંતિ થાય. આ તો બિચારાઓ ને ખબર નથી, શાંતિ શું વસ્તુ છે. જ્ઞાન નાં
સાગર, શાંતિ નાં સાગર બાપ જ શાંતિ સ્થાપન કરવા વાળા છે. નિરાકારી દુનિયા માં તો
શાંતિ જ છે. અહીં ચિલ્લાવે છે કે દુનિયા માં શાંતિ કેવી રીતે થાય? હવે નવી દુનિયા
સતયુગ માં તો શાંતિ હતી જ્યારે એક ધર્મ હતો. નવી દુનિયા ને કહે છે પેરેડાઇઝ (વૈકુંઠ),
દેવતાઓ ની દુનિયા. શાસ્ત્રો માં જ્યાં-ત્યાં અશાંતિ ની વાતો લખી દીધી છે. દેખાડે છે
દ્વાપર માં કંસ હતો, પછી હિરણ્યકશ્યપ ને સતયુગ માં દેખાડે છે, ત્રેતા માં રાવણ નાં
હંગામા… બધી જગ્યાએ અશાંતિ દેખાડી દીધી છે. મનુષ્ય બિચારા કેટલાં ઘોર અંધકાર માં
છે. પોકારે પણ છે બેહદ નાં બાપ ને. જ્યારે ગોડફાધર આવે ત્યારે એ જ આવીને શાંતિ
સ્થાપન કરે. ગોડ ને બિચારા જાણતા જ નથી. શાંતિ હોય જ છે નવી દુનિયા માં. જૂની દુનિયા
માં હોતી નથી. નવી દુનિયા સ્થાપન કરવા વાળા તો બાપ જ છે. એમને જ બોલાવે છે કે આવીને
પીસ સ્થાપન કરો. આર્ય સમાજી પણ ગાય છે શાંતિ દેવા.
બાપ કહે છે પહેલાં છે
પવિત્રતા. હમણાં તમે પવિત્ર બની રહ્યાં છો. ત્યાં પવિત્રતા પણ છે, પીસ પણ છે,
હેલ્થ-વેલ્થ બધું છે. ધન વગર તો મનુષ્ય ઉદાસ થઈ જાય છે. તમે અહીંયા આવો છો આ
લક્ષ્મી-નારાયણ જેવા ધનવાન બનવાં. એ વિશ્વ નાં માલિક હતાં ને? તમે આવ્યાં છો વિશ્વ
નાં માલિક બનવાં. પરંતુ તે દિમાગ બધાનું નંબરવાર છે. બાબાએ કહ્યું હતું - જ્યારે
પ્રભાતફેરી કાઢો છો તો સાથે લક્ષ્મી-નારાયણ નું ચિત્ર જરુર લો. એવી યુક્તિ રચો. હવે
બાળકો ની બુદ્ધિ પારસબુદ્ધિ બનવાની છે. આ સમયે હજી તમોપ્રધાન થી રજો સુધી ગયા છે.
હવે સતો, સતોપ્રધાન સુધી જવાનું છે. તે તાકાત હજી નથી. યાદ માં રહેતા નથી. યોગબળ ની
ખૂબ કમી છે. ફટ થી સતોપ્રધાન નથી બની શકતાં. આ જે ગાયન છે સેકન્ડ માં જીવનમુક્તિ,
તે તો ઠીક છે. તમે બ્રાહ્મણ બન્યાં છો તો જીવનમુક્ત બની જ ગયા, પછી જીવનમુક્તિ માં
પણ સર્વોત્તમ, મધ્યમ, કનિષ્ટ હોય છે. જે બાપ નાં બને છે તો જીવનમુક્તિ મળે જરુર છે.
ભલે બાપ નાં બની પછી બાપ ને છોડી દે છે તો પણ જીવનમુક્તિ જરુર મળશે. સ્વર્ગ માં ઝાડૂ
લગાવવા વાળા બની જશે. સ્વર્ગ માં તો જશે. બાકી પદ ઓછું મળી જાય. બાપ અવિનાશી જ્ઞાન
આપે છે, એનો ક્યારેય વિનાશ નથી થતો. બાળકો ની અંદર ખુશી નાં ઢોલ વાગવા જોઈએ. આ
હાય-હાય થયા પછી વાહ-વાહ થવાની છે.
તમે હમણાં ઈશ્વરીય
સંતાન છો. પછી બનશો દૈવી સંતાન. આ સમયે તમારું આ જીવન હીરાતુલ્ય છે. તમે ભારત ની
સેવા કરી ભારત ને પીસફુલ બનાવો છો. ત્યાં પવિત્રતા, સુખ, શાંતિ બધું રહે છે. આ જીવન
તમારું દેવતાઓ કરતાં પણ ઊંચું છે. હમણાં તમે રચયિતા બાપ ને અને સૃષ્ટિ ચક્ર ને જાણો
છો. કહે છે આ તહેવાર વગેરે જે પણ છે પરંપરા થી ચાલતાં આવે છે. પરંતુ ક્યાર થી? એ
કોઈ નથી જાણતું. સમજે છે જ્યાર થી સૃષ્ટિ શરુ થઈ, રાવણ ને બાળવો વગેરે પણ પરંપરા થી
ચાલ્યું આવે છે. હવે સતયુગ માં તો રાવણ હોતો નથી. ત્યાં કોઈ પણ દુઃખી નથી એટલે
ભગવાન ને પણ યાદ નથી કરતાં. અહીં બધા ભગવાન ને યાદ કરતા રહે છે. સમજે છે ભગવાન જ
વિશ્વ માં શાંતિ કરશે, એટલે કહે છે આવીને રહેમ કરો. અમને દુઃખ થી લિબરેટ (મુક્ત) કરો.
બાળકો જ બાપ ને બોલાવે છે કારણકે બાળકોએ જ સુખ જોયું છે. બાપ કહે છે - તમને પવિત્ર
બનાવીને સાથે લઈ જઈશ. જે પવિત્ર નહીં બનશે તે તો સજા ખાશે. આમાં મન્સા, વાચા, કર્મણા
પવિત્ર રહેવાનું છે. મન્સા પણ ખૂબ સારી જોઈએ. એટલી મહેનત કરવાની છે જે પાછળ થી મન્સા
માં કોઈ વ્યર્થ વિચાર ન આવે. એક બાપ નાં સિવાય કોઈ પણ યાદ ન આવે. બાપ સમજાવે છે હમણાં
મન્સા સુધી તો આવશે જ્યાં સુધી કર્માતીત અવસ્થા થાય. હનુમાન સમાન અડોલ બનો, એમાં જ
તો ખૂબ મહેનત જોઈએ. જે આજ્ઞાકારી, વફાદાર, સપૂત બાળકો હોય છે બાપ નો પ્રેમ પણ એમનાં
પર વધારે રહે છે. ૫ વિકારો પર જીત ન મેળવવા વાળા એટલાં પ્રિય લાગી ન શકે. આપ બાળકો
જાણો છો આપણે કલ્પ-કલ્પ બાપ પાસે થી આ વારસો લઈએ છીએ તો કેટલો ખુશી નો પારો ચઢવો
જોઈએ. એ પણ જાણો છો સ્થાપના તો જરુર થવાની છે. આ જૂની દુનિયા કબ્રદાખલ થવાની છે
જરુર. આપણે પરિસ્તાન માં જવા માટે કલ્પ પહેલાં ની જેમ પુરુષાર્થ કરતા રહીએ છીએ. આ
તો કબ્રસ્તાન છે ને? જૂની દુનિયા અને નવી દુનિયા ની સમજ સીડી માં છે. આ સીડી કેટલી
સારી છે તો પણ મનુષ્ય સમજતા નથી. અહીં સાગર નાં કાંઠા પર રહેવા વાળા પણ પૂરું સમજતા
નથી. તમારે જ્ઞાન-ધન નું દાન તો જરુર કરવું જોઈએ. ધન આપવાથી ધન ન ખૂટે. દાની,
મહાદાની કહો છો ને? જે હોસ્પિટલ, ધર્મશાળા વગેરે બનાવે છે, એમને મહાદાની કહેવાય છે.
એનું ફળ પછી બીજા જન્મ માં અલ્પકાળ માટે મળે છે. સમજો ધર્મશાળા બનાવે છે તો બીજા
જન્મ માં મકાન નું સુખ મળશે. કોઈ બહુ જ-બહુ જ ધન-દાન કરે છે તો રાજા નાં ઘર માં કે
સાહૂકાર નાં ઘર માં જન્મ લે છે. એ દાન થી બને છે. તમે ભણતર થી રાજાઈ પદ મેળવો છો.
ભણતર પણ છે, દાન પણ છે. અહીં છે ડાયરેક્ટ, ભક્તિમાર્ગ માં છે ઈનડાયરેક્ટ. શિવબાબા
તમને ભણતર થી આવાં બનાવે છે. શિવબાબા ની પાસે તો છે જ અવિનાશી જ્ઞાન-રત્ન. એક-એક
રત્ન લાખો રુપિયા નાં છે. ભક્તિ માટે એવું નથી કહેવાતું. જ્ઞાન આને કહેવાય છે.
શાસ્ત્રો માં ભક્તિ નું જ્ઞાન છે, ભક્તિ કેવી રીતે કરાય એનાં માટે શિક્ષા મળે છે.
આપ બાળકો ને છે જ્ઞાન નો કપારી (રુહાની) નશો. તમને ભક્તિ પછી જ્ઞાન મળે છે. જ્ઞાન
થી વિશ્વ ની બાદશાહી નો કપારી નશો ચઢે છે. જે વધારે સર્વિસ કરશે, એમને નશો ચઢશે.
પ્રદર્શન અથવા મ્યુઝિયમ માં પણ સારા ભાષણ કરવાવાળા ને બોલાવે છે ને? ત્યાં પણ જરુર
નંબરવાર હશે. મહારથી, ઘોડેસવાર, પ્યાદા હોય છે. દેલવાડા મંદિર માં પણ યાદગાર બનેલું
છે. તમે કહેશો આ છે ચૈતન્ય દેલવાડા, તે છે જડ. તમે છો ગુપ્ત એટલે તમને જાણતા નથી.
તમે છો રાજઋષિ, તે છે
હઠયોગ ઋષિ. હમણાં તમે જ્ઞાન જ્ઞાનેશ્વરી છો. જ્ઞાન સાગર તમને જ્ઞાન આપે છે. તમે
અવિનાશી સર્જન નાં બાળકો છો. સર્જન જ નસ જોશે. જે પોતાની નસ ને જ નથી જાણતા તો બીજા
ને પછી કેવી રીતે જાણશે? તમે અવિનાશી સર્જન નાં બાળકો છો ને? જ્ઞાન અંજન સદ્દગુરુ
દિયા… આ જ્ઞાન ઈન્જેકશન છે ને? આત્મા ને ઈન્જેકશન લાગે છે ને? આ મહિમા પણ હમણાં ની
છે. સદ્દગુરુ ની જ મહિમા છે. ગુરુઓ ને પણ જ્ઞાન ઈન્જેકશન સદ્દગુરુ જ આપશે. તમે
અવિનાશી સર્જન નાં બાળકો છો તો તમારો ધંધો જ છે જ્ઞાન ઈન્જેકશન લગાવવાનો. ડોક્ટરો
માં પણ કોઈ મહિના માં લાખ, કોઈ ૫૦૦ પણ મુશ્કેલ કમાશે. નંબરવાર એક-બીજા ની પાસે જાય
છે ને? હાઈકોર્ટ, સુપ્રીમકોર્ટ માં જ્જમેન્ટ (નિર્ણય) મળે છે - ફાંસી પર ચઢવાનું
છે. પછી પ્રેસિડેન્ટ (રાષ્ટ્રપતિ) પાસે અપીલ કરે છે તો તે માફ પણ કરી દે છે.
આપ બાળકો ને તો નશો
રહેવો જોઈએ, ઉદારચિત્ત હોવું જોઈએ. આ ભાગીરથ માં બાપ પ્રવેશ થયા તો આમને બાપે
ઉદારચિત્ત બનાવ્યાં ને? પોતે તો કાંઈ પણ કરી શકે છે ને? એ આમાં આવીને માલિક બની બેઠાં.
ચલો આ બધું ભારત નાં કલ્યાણ માટે લગાવવાનું છે. તમે ધન લગાવો છો, ભારત નાં જ કલ્યાણ
માટે. કોઈ પૂછે ખર્ચો ક્યાંથી લાવો છો? બોલો, અમે પોતાનાં જ તન-મન-ધન થી સેવા કરીએ
છીએ. આપણે રાજ્ય કરીશું તો પૈસા પણ આપણે જ લગાવીશું. આપણે પોતાનો જ ખર્ચો કરીએ છીએ.
આપણે બ્રાહ્મણ શ્રીમત પર રાજ્ય સ્થાપન કરીએ છીએ. જે બ્રાહ્મણ બનશે એ જ ખર્ચો કરશે.
શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં પછી દેવતા બનવાનું છે. બાબા તો કહે છે બધા ચિત્ર એવાં
ટ્રાંસલાઈટ નાં બનાવો જે મનુષ્ય ને કશિશ (ખેંચ) થાય. કોઈને ઝટ થી તીર લાગી જાય. કોઈ
જાદૂ નાં ડર થી આવશે નહીં. મનુષ્ય થી દેવતા બનાવવાં - આ જાદૂ છે ને? ભગવાનુવાચ, હું
તમને રાજયોગ શીખવાડું છું. હઠયોગી ક્યારેય રાજયોગ શીખવાડી ન શકે. આ વાતો હમણાં તમે
સમજો છો. તમે મંદિર લાયક બની રહ્યાં છો. આ સમયે આ આખું વિશ્વ બેહદ ની લંકા છે. આખાં
વિશ્વ માં રાવણ નું રાજ્ય છે. બાકી સતયુગ-ત્રેતા માં આ રાવણ વગેરે હોય કેવી રીતે શકે?
બાપ કહે છે હમણાં હું
જે સંભળાવું છું, તે સાંભળો. આ આંખો થી કાંઈ જુઓ નહીં. આ જૂની દુનિયા જ વિનાશ થવાની
છે, એટલે આપણે આપણા શાંતિધામ-સુખધામ ને જ યાદ કરીએ છીએ. હમણાં તમે પુજારી થી પૂજ્ય
બની રહ્યાં છો. આ નંબરવન પુજારી હતાં, નારાયણ ની બહુજ પૂજા કરતા હતાં. હવે ફરી
પૂજ્ય નારાયણ બની રહ્યાં છે. તમે પણ પુરુષાર્થ કરી બની શકો છો. રાજધાની તો ચાલે છે
ને? જેમ કિંગ એડવર્ડ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ચાલે છે. બાપ કહે છે તમે સર્વવ્યાપી
કહીને મારો તિરસ્કાર કરતા આવ્યાં છો. તો પણ હું તમારા પર ઉપકાર કરું છું. આ ખેલ જ
એવો વન્ડરફુલ બનેલો છે. પુરુષાર્થ જરુર કરવાનો છે. કલ્પ પહેલાં જે પુરુષાર્થ કર્યો
છે, તે જ ડ્રામા અનુસાર કરશે. જે બાળક ને સર્વિસ નો શોખ રહે છે, એમને રાત-દિવસ આ જ
ચિંતન રહે છે. આપ બાળકો ને બાપ દ્વારા રસ્તો મળ્યો છે, તો આપ બાળકો ને સર્વિસ વગર
બીજું કાંઈ ગમતું નથી. દુનિયાવી વાતાવરણ સારું નથી લાગતું. સર્વિસ વાળા ને તો
સર્વિસ વગર આરામ નથી. શિક્ષક ને ભણાવવામાં મજા આવે છે. હવે તમે બન્યાં છો બહુ જ ઊંચા
શિક્ષક. તમારો ધંધો જ આ છે, જેટલાં સારા શિક્ષક અનેક ને આપ સમાન બનાવશે, એમને એટલું
ફળ મળે છે. તેમને ભણાવ્યાં વગર આરામ નહીં આવે. પ્રદર્શન વગેરે માં રાત્રે ૧૨ પણ વાગી
જાય છે તો પણ ખુશી થાય છે. થાક લાગે છે, ગળું ખરાબ થઈ જાય છે તો પણ ખુશી માં રહે
છે. ઈશ્વરીય સર્વિસ છે ને? આ બહુ જ ઊંચી સર્વિસ છે, તેમને પછી કાંઈ પણ મીઠું નથી
લાગતું. કહેશે અમે આ મકાન વગેરે લઈને પણ શું કરીશું, અમારે તો ભણાવવાનું છે. આ જ
સર્વિસ કરવાની છે. મિલકત વગેરે માં ખીટપીટ જોશે તો કહેશે આ સોનું જ શું કામ નું જે
કાન કપાય? સર્વિસ થી તો બેડો પાર થવાનો છે. બાબા કહી દે છે, મકાન પણ ભલે તેમનાં નામ
પર હોય. બી.કે. એ તો સર્વિસ કરવાની છે. આ સર્વિસ માં કોઈ બહાર નું બંધન સારું નથી
લાગતું. કોઈની તો રગ જાય છે. કોઈની રગ તૂટેલી હોય છે. બાબા કહે છે મનમનાભવ તો તમારા
વિકર્મ વિનાશ થશે. ખૂબ મદદ મળી જાય છે. આ સર્વિસ માં તો લાગી જવું જોઈએ. આમાં આવક
છે બહુ જ. મકાન વગેરે ની વાત નથી. મકાન આપે અને બંધન નાખે તો એવું લેશે નહીં. જે
સર્વિસ નથી જાણતા તે તો આપણા કામ નાં નથી. શિક્ષક આપસમાન બનાવશે. નથી બનતા તો તે
શું કામ નાં. હેન્ડ્સ (મદદગાર) ની બહુ જ જરુર હોય છે ને? એમાં પણ કન્યાઓ, માતાઓ ની
વધારે જરુર રહે છે. બાળકો સમજે છે - બાપ શિક્ષક છે, બાળકો પણ શિક્ષક જોઈએ. એવું નથી
કે શિક્ષક બીજું કોઈ કામ ન કરી શકે. બધું કામ કરવું જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દિવસ-રાત
સેવા નાં ચિંતન માં રહેવાનું છે અને બધી રગ તોડી દેવાની છે. સર્વિસ વગર આરામ નથી,
સર્વિસ કરી આપ સમાન બનાવવાનાં છે.
2. બાપ સમાન
ઉદારચિત્ત બનવાનું છે. બધાની નસ જોઈ સેવા કરવાની છે. પોતાનાં તન-મન-ધન ભારત નાં
કલ્યાણ માં લગાવવાનાં છે. અચલ-અડોલ બનવા માટે આજ્ઞાકારી, વફાદાર બનવાનું છે.
વરદાન :-
કેમ , શું નાં
પ્રશ્ન ની જાળ થી સદા મુક્ત રહેવાવાળા વિશ્વ સેવાધારી ચક્રવર્તી ભવ
જ્યારે સ્વદર્શન ચક્ર
સાચ્ચી તરફ ચાલવાને બદલે ખોટી તરફ ચાલ્યું જાય છે ત્યારે માયાજીત બનવાને બદલે પર
નાં દર્શન ની મૂંઝવણ નાં ચક્ર માં આવી જાઓ છો જેનાથી કેમ અને શું નાં પ્રશ્ન ની જાળ
બની જાય છે જે સ્વયં જ રચે છે અને પછી સ્વયં જ ફસાઈ જાય છે એટલે નોલેજફુલ બની
સ્વદર્શન ચક્ર ફેરવતા રહો તો કેમ, શું નાં પ્રશ્ન ની જાળ થી મુક્ત થઈ યોગયુક્ત,
જીવનમુક્ત, ચક્રવર્તી બની બાપ ની સાથે વિશ્વ કલ્યાણ ની સેવા માં ચક્ર લગાવતા રહેશો.
વિશ્વ સેવાધારી ચક્રવર્તી રાજા બની જશો.
સ્લોગન :-
પ્લેન બુદ્ધિ
થી પ્લાન ને પ્રેક્ટિકલ માં લાવો તો સફળતા સમાયેલી છે.
અવ્યક્ત ઈશારા - હવે
સંપન્ન અથવા કર્માતીત બનવાની ધૂન લગાવો
જ્યારે કર્માતીત
સ્થિતિ ની નજીક પહોંચશો ત્યારે કોઈ પણ આત્મા તરફ બુદ્ધિ નો ઝુકાવ, કર્મ નું બંધન નહીં
બનાવશે. કર્માતીત અર્થાત્ સર્વ કર્મ બંધનો થી મુક્ત, ન્યારા બની, પ્રકૃતિ દ્વારા
નિમિત્ત-માત્ર કર્મ કરાવવા. કર્માતીત અવસ્થા નો અનુભવ કરવા માટે ન્યારા બનવાનો
પુરુષાર્થ વારંવાર નહીં કરવો પડે, સહજ અને સ્વત: જ અનુભવ થાય કે કરાવવા વાળા અને
કરવા વાળી આ કર્મેન્દ્રિયો છે જ અલગ.