25-04-2026   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ દૂરદેશ થી આવ્યાં છે આપ બાળકો નાં માટે નવું રાજ્ય સ્થાપન કરવાં , તમે હમણાં સ્વર્ગ નાં લાયક બની રહ્યાં છો”

પ્રશ્ન :-
જે બાળકો નો શિવબાબા માં અતૂટ નિશ્ચય છે તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે આંખ બંધ કરીને બાબા ની શ્રીમત પર ચાલતાં રહેશે, જે આજ્ઞા મળે. ક્યારેય વિચાર પણ નહીં આવશે કે આમાં કંઈ નુકસાન ન થઈ જાય કારણ કે એવાં નિશ્ચયબુદ્ધિ બાળકો નાં રિસપોન્સીબલ (જવાબદાર) બાપ છે. તેમને નિશ્ચય નું બળ મળી જાય છે. અવસ્થા અડોલ અને અચળ થઈ જાય છે.

ગીત :-
તુમ્હીં હો માતા, તુમ્હીં પિતા હો…

ઓમ શાંતિ!
આ મહિમા કોની સાંભળી? જેમને સિવાય આપ બાળકોનાં દુનિયામાં બીજું કોઈ નથી જાણતું. આ છે ઊંચ થી ઊંચ બાપ ની મહિમા. બાકી જેમની પણ મહિમા કરે છે તે ફાલતૂ થઈ જાય છે. ઊંચા માં ઊંચા એક જ બાપ છે. પરંતુ બાપ ની ઓળખ કોણ આપે? સ્વયં આવીને આત્માની અને પોતાની ઓળખ આપે છે. કોઈ પણ મનુષ્ય ને આત્મા ની પણ ઓળખ નથી. ભલે કહે છે મહાન આત્મા, જીવ આત્મા. શરીર જ્યારે છૂટી જાય છે તો કહે - આત્મા નીકળી જાય છે. શરીર મડદું થઈ જાય છે. આત્મા અવિનાશી છે. તે ક્યારેય ખતમ થતો નથી. આત્મા તો સ્ટાર જેવો છે, તે અતિ સૂક્ષ્મ છે. આ આંખો થી જોવામાં નથી આવતો. કર્તવ્ય બધું આત્મા કરે છે. પરંતુ ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી જાય છે તો કહે છે હું ફલાણો છું, હું આ કરું છું. હકીકત માં કરે બધું આત્મા છે. શરીર તો આર્ગન્સ (અવયવો) છે. આ સાધુ વગેરે પણ જાણે છે કે આત્મા ખૂબ સૂક્ષ્મ છે, જે ભ્રકુટી ની વચ્ચે રહે છે. પરંતુ તેમને આ જ્ઞાન નથી કે આત્મા માં આ પાર્ટ ભજવવાનાં સંસ્કાર છે. કોઈ કહે - આત્મા માં સંસ્કાર હોતાં નથી, આત્મા નિર્લેપ છે. કોઈ કહે - સંસ્કારો અનુસાર જન્મ મળે છે. મતભેદ ઘણાં છે. આ પણ કોઈને ખબર નથી કે કઈ આત્માઓ ૮૪ જન્મ લે છે. તમે જાણો છો કે સૂર્યવંશીઓ ને જ ૮૪ નું ચક્ર લગાવવું પડે છે. આત્મા જ ૮૪ નું ચક્ર લગાવી પતિત બને છે. તેને હવે પાવન કોણ બનાવે? પતિત-પાવન ઊંચા માં ઊંચા એક જ બાપ છે, એમની મહિમા સૌથી ઊંચ છે. ૮૪ જન્મ બધા તો નથી લેતાં. પાછળ આવવા વાળા તો ૮૪ જન્મ લઈ ન શકે. બધા સાથે તો આવતાં નથી. જે પહેલાં-પહેલાં સતયુગ માં આવશે, સૂર્યવંશી રાજા અને પ્રજા, તેમનાં ૮૪ જન્મ હોય છે. પાછળ તો મનુષ્યો ની ખૂબ વૃદ્ધિ થાય છે ને. પછી કોઈ નાં ૮૩ કોઈ નાં ૮૦ જન્મ થાય છે. ત્યાં સતયુગ માં તો પૂરી ૧૫૦ વર્ષ આયુ હોય છે. કોઈ જલ્દી મરી ન શકે. આ વાતો બાપ જ બેસી સમજાવે છે. હમણાં કોઈ પરમપિતા પરમાત્મા ને જાણતું નથી. બાપ કહે છે કે જેમ તમારો આત્મા છે, તેમ મારો પણ આત્મા છે. તમે ફક્ત જન્મ-મરણ માં આવો છો, હું આવતો નથી. મને બોલાવે પણ ત્યારે છે જ્યારે પતિત બને છે. જ્યારે ખૂબ દુઃખી થઈ જાય છે ત્યારે બોલાવે છે. આ સમયે આપ બાળકોને શિવબાબા ભણાવી રહ્યાં છે.

કોઈ પૂછે છે કે આ કેવી રીતે માનીએ કે પરમાત્મા આવે છે? તો તેમને સમજાવાનું છે કે બધા પોકારે છે - હે પતિત-પાવન, આવો. હવે એ છે નિરાકાર. એમને પોતાનું શરીર નથી, આવવાનું પણ છે પતિત દુનિયામાં. પાવન દુનિયામાં તો આવશે નહીં. એવી રીતે સમજાવવું જોઈએ. આ પણ સમજાવવાનું છે કે પરમાત્મા આટલાં નાનાં છે જેમ આત્મા નાનો છે, પરંતુ એ છે મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ, નોલેજફુલ. બાપ કહે છે કે તમે મને પરમપિતા પરમાત્મા કહો છો. પોકારો છો તો જરુર આવશે ને? ગાયન પણ છે કે દૂરદેશ કાં રહને વાલા આયા દેશ પરાયે… હમણાં બાપ દ્વારા ખબર પડી છે કે હમણાં આપણે પારકા દેશ અર્થાત્ રાવણ નાં દેશમાં છીએ. સતયુગ-ત્રેતા માં આપણે ઈશ્વરીય દેશ અર્થાત્ પોતાનાં દેશ માં હતાં પછી દ્વાપર થી લઈને આપણે પારકા દેશ, પારકા રાજ્ય માં આવી જઈએ છીએ. વામમાર્ગ માં આવી જઈએ છીએ. પછી ભક્તિ શરું થઈ જાય છે. પહેલાં-પહેલાં શિવબાબા ની ભક્તિ કરવા લાગી જાય છે, તે લોકો શિવ નું આટલું મોટું લિંગ બનાવે છે, પરંતુ આટલાં મોટાં તો એ નથી. હવે તમે સમજ્યાં છે કે આત્મા અને પરમાત્મા માં શું ફરક છે? એ નોલેજફુલ સદા પાવન, સુખ નાં સાગર, આનંદ નાં સાગર છે. આ પરમ આત્મા ની મહિમા છે ને! હવે બોલાવે છે કે હે પતિત-પાવન આવો. એ છે પરમપિતા જે કલ્પ-કલ્પ આવે છે. દૂરદેશ માં રહેવા વાળા મુસાફર ને બોલાવે છે, એમની મહિમા ગાય છે. બ્રહ્મા, સરસ્વતી ને તો બોલાવતાં નથી. પોકારે છે નિરાકાર પરમાત્મા ને. આત્મા બોલાવે છે કે દૂરદેશ નાં રહેવા વાળા હવે આવો દેશ પરાયા કારણકે બધા પતિત બની ચૂક્યાં છે. હું પણ આવીશ ત્યારે, જ્યારે રાવણ રાજ્ય ખતમ થવાનું હશે. હું આવું પણ છું - સંગમયુગે. આ કોઈને પણ ખબર નથી. કહે પણ છે કે એ પરમ આત્મા, બિંદી છે. આજકાલ પછી કહે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. આત્મા સો પરમાત્મા થઇ ન શકે. આત્મા, પરમાત્મા બંને અલગ-અલગ છે. રુપ બંને નું એક જેવું છે. પરંતુ આત્મા પતિત બને છે, ૮૪ જન્મો નો પાર્ટ ભજવવો પડે છે. પરમાત્મા જન્મ-મરણ રહિત છે. જો આત્મા સો પરમાત્મા કહે તો શું સતોપ્રધાન પરમાત્મા, તમોપ્રધાન માં આવે છે. ના, આ તો થઈ ન શકે. બાપ કહે છે કે હું આવું છું, સર્વ આત્માઓની સર્વિસ કરવાં. મારો જન્મ પણ નથી કહેવાતો. હું આવું જ છું નર્કવાસીઓ ને સ્વર્ગવાસી બનાવવાં. પારકા દેશ માં આવ્યાં છે, પોતાનું સ્વર્ગ સ્થાપન કરવાં. બાપ જ આવીને આપણ ને સ્વર્ગ નાં લાયક બનાવે છે. આ પણ સમજાવ્યું છે કે બીજી આત્માઓ નો પાર્ટ પોત-પોતાનો છે. પરમાત્મા જન્મ-મરણ રહિત છે. આવે પણ જરુર છે ત્યારે તો શિવરાત્રી મનાવે છે. પરંતુ એ ક્યારે આવ્યાં, આ કોઈ નથી જાણતું. એમ જ શિવજયંતી મનાવતાં આવ્યાં છે. જરુર સંગમ પર આવ્યાં હશે, સ્વર્ગ સ્થાપન કરવાં. પતિતો ને પાવન બનાવવા જરુર સંગમ પર આવશે ને? પાવન સૃષ્ટિ છે સ્વર્ગ. કહે છે પતિત-પાવન આવો. પછી જરુર પતિત દુનિયાનાં વિનાશ નો સમય હશે, ત્યારે જ પાવન દુનિયા સ્થાપન કરશે. યુગે-યુગે તો આવતાં નથી. બાપ કહે છે - મારે સંગમ પર જ આવીને પતિત દુનિયાને પાવન બનાવવાની છે. આ પારકો દેશ છે, રાવણ નો દેશ. પરંતુ આ કોઈ મનુષ્ય થોડી જાણે છે કે રાવણ નું રાજ્ય ચાલી રહ્યું છે. ક્યાર થી આ રાવણ રાજ્ય શરું થયું, કાંઈ પણ ખબર નથી. પહેલી-પહેલી મુખ્ય વાત આત્મા અને પરમાત્મા નું રહસ્ય સમજાવવાનું છે, પછી સમજાવવાનું છે કે એ કલ્પ નાં સંગમયુગ પર આવે છે પાવન બનાવવાં. આ કામ એમનું જ છે, ન કે શ્રીકૃષ્ણ નું. શ્રીકૃષ્ણ પોતે જ ૮૪ જન્મ લઈ નીચે ઉતરે છે. સૂર્યવંશી બધાં નીચે ઉતરે છે. ઝાડ અડધું તાજું, અડધું જૂનું થોડી હશે. જડજડીભૂત અવસ્થા બધાની થાય છે. કલ્પ ની આયુ ની પણ મનુષ્યો ને ખબર નથી. શાસ્ત્રો માં લાંબી-પહોળી આયુ આપી દીધી છે. આ બાપ જ બેસી સમજાવે છે. આમાં બીજા પ્રશ્ન ઉઠી ન શકે. રચતા બાપ સાચું જ બોલે છે. અમે આટલાં બી.કે. છીએ, બધા એવું માને છે. તો જરુર છે ત્યારે તો માને છે. આગળ ચાલી જ્યારે નિશ્ચય થશે તો સમજ માં પણ આવી જશે. પહેલાં-પહેલાં મનુષ્યો ને આ સમજાવવાનું છે કે પરમપિતા પરમાત્મા નિરાકાર દૂરદેશ થી આવ્યાં છે. પરંતુ કયા શરીર માં આવ્યાં? સૂક્ષ્મવતન માં આવી ને શું કરશે? જરુર અહીં આવવું પડે. પ્રજાપિતા બ્રહ્મા પણ અહીંયા જોઈએ. બ્રહ્મા કોણ છે, આ પણ બાપ બેસી સમજાવે છે. જેમાં પ્રવેશ કર્યો છે તે પોતાનાં જન્મો ને જાણતાં નહોતાં તો બાળકો પણ નહોતાં જાણતાં. બાળકો પણ ત્યારે બને જ્યારે હું એડોપ્ટ કરું છું. હું આમનાં (સાકાર) સહિત બાળકો ને સમજાવું છું કે શું તમે પોતાનાં જન્મો ને ભૂલી ગયાં છો. હમણાં સૃષ્ટિ નું ચક્ર પૂરું થાય છે પછી રિપીટ થશે. હું આવ્યો છું પાવન બનાવવા માટે, રાજયોગ શીખવાડવાં. પાવન બનવાનો બીજો કોઈ રસ્તો નથી. જો આ રહસ્ય મનુષ્ય જાણે તો ગંગા વગેરે પર સ્નાન કરવા, મેળા વગેરે પર જાય નહીં. આ પાણી ની નદીઓમાં તો હમેશાં સ્નાન કરતાં રહે છે. દ્વાપર થી લઈને કરતાં આવ્યાં છે. સમજે છે કે ગંગા માં ડૂબકી મારવાથી પાપ નાશ થશે. પરંતુ કોઈનાં પણ પાપ નાશ નથી થતાં. પહેલાં-પહેલાં તો આત્મા અને પરમાત્મા નું જ રહસ્ય બતાવો. આત્માઓ જ પરમાત્મા બાપ ને પોકારે છે. એ નિરાકાર છે, આત્મા પણ નિરાકાર છે. આ ઓર્ગન્સ (અવયવો) દ્વારા આત્મા પોકારે છે. ભક્તિ પછી ભગવાને આવવાનું છે, આ પણ ડ્રામા માં પાર્ટ છે.

બાપ કહે છે - મારે નવી દુનિયા સ્થાપન કરવા આવવું પડે છે. શાસ્ત્રોમાં પણ છે કે ભગવાન ને સંકલ્પ ઉઠ્યો તો જરુર ડ્રામા પ્લાન અનુસાર સંકલ્પ ઉઠ્યો હશે. પહેલાં આ વાતો ને થોડી સમજતાં હતાં. દિવસે-દિવસે સમજતાં જાય છે. બાપ કહે છે - હું તમને નવી-નવી ગુહ્ય થી ગુહ્ય વાતો સંભળાવું છું. સાંભળતા-સાંભળતા સમજતાં જાય છે. પહેલાં એવું નહોતાં કહેતા કે શિવબાબા ભણાવે છે. હવે તો સારી રીતે સમજી ગયાં છે, હજું પણ સમજવાનું ઘણું બાકી છે. રોજ સમજાવતાં રહે છે કે કેવી રીતે કોઈને સમજાવવું જોઈએ. પહેલાં આ નિશ્ચય કરો કે બેહદ નાં બાપ સમજાવે છે તો એ જરુર સત્ય બતાવશે. આમાં મૂંઝાવાની પણ વાત નથી. બાળકો કોઇ પાક્કા છે, કોઈ કાચ્ચા છે. કાચ્ચા છે તો કોઈને સમજાવી નથી શકતાં. આ તો સ્કૂલ માં પણ નંબરવાર હોય છે. ઘણાઓ ને આ સંશય પડે છે કે અમે કેવી રીતે સમજીએ કે પરમપિતા પરમાત્મા આવી ને ભણાવે છે કારણકે તેમની બુદ્ધિમાં છે શ્રીકૃષ્ણએ જ્ઞાન સંભળાવ્યું. હવે પતિત દુનિયા માં તો કૃષ્ણ આવી ન શકે. આ તેમને સિદ્ધ કરો કે પરમાત્માએ જ આવવું પડે છે, પતિત દુનિયા અને પતિત શરીર માં. બાપ આ પણ સમજે છે કે દરેક ની પોત-પોતાની બુદ્ધિ છે. કોઈ તો ઝટ સમજી જાય છે. જેટલું થઈ શકે સમજાવવાનું છે. બ્રાહ્મણ બધા એક જેવા નથી હોતાં. પરંતુ દેહ-અભિમાન બાળકો માં ખૂબ છે. આ બાબા પણ જાણે છે કે નંબરવાર છે. ડાયરેક્શન પર બાળકોને ચાલવું પડે. મોટા બાબા જે કહે, એ માનવું જોઈએ. ગુરુઓ વગેરે ની તો માનતા આવ્યાં છો. હવે બાપ જે સ્વર્ગ માં લઈ જવાવાળા છે, એમની વાત તો આંખો બંધ કરી માનવી જોઈએ. પરંતુ એવાં નિશ્ચયબુદ્ધિ છે નહીં. ભલે એમાં નુકસાન થાય કે ફાયદો થાય, માની લેવું જોઈએ. ભલે સમજો નુકસાન પણ થઈ જાય. છતાં પણ બાબા કહે છે ને - હંમેશા એવું સમજો કે શિવબાબા જ કહે છે, બ્રહ્માનાં માટે નહીં સમજો. રિસપોન્સીબલ (જવાબદાર) શિવબાબા હશે. એમનો આ રથ છે, એ ઠીક કરી દેશે. કહેશે કે હું બેઠો છું. હંમેશા સમજો કે શિવબાબા જ કહે છે, આ કાંઈ જાણતાં નથી. એવું જ સમજો. એક તરફ તો નિશ્ચય રાખવો જોઈએ, શિવબાબા કહે મારું માનતા રહો તો તમારું કલ્યાણ થતું રહેશે. આ બ્રહ્મા પણ જો કંઈ કહે છે, તો એમનો પણ રિસપોન્સીબલ હું છું. આપ બાળકો ફિકર નહીં કરો. શિવબાબા ને યાદ કરવાથી અવસ્થા ખૂબ જ પાક્કી થતી જશે. નિશ્ચય માં વિકર્મ પણ વિનાશ થશે, બળ પણ મળશે. જેટલું બાબા ને યાદ કરશો એટલું બળ વધારે મળશે. જે શ્રીમત પર ચાલી સર્વિસ કરે છે એજ ઉંચ પદ પામશે. અનેકો માં દેહ-અભિમાન ખૂબ રહે છે. બાબા જુઓ બધાં બાળકો સાથે કેવી રીતે પ્રેમ થી ચાલે છે! બધાથી વાત કરતાં રહે છે. બાળકો થી પૂછે છે કે ઠીક બેઠાં છો! કોઈ તકલીફ તો નથી! પ્રેમ હોય છે બાળકોનાં માટે. બેહદ નાં બાપ ને બાળકોનાં માટે ખૂબ-ખૂબ પ્રેમ છે. જે જેટલી શ્રીમત પર સર્વિસ કરે છે તે અનુસાર પ્રેમ હોય છે. સર્વિસ માં જ ફાયદો છે. સર્વિસ માં હડ્ડી (હાડકાં) આપવાની છે. કોઈ પણ કામ કરતાં રહેશે તો તે પછી દિલ પર પણ રહે છે કે આ બાળક ફર્સ્ટક્લાસ છે. પરંતુ ચાલતાં-ચાલતાં કોઈ પર ગ્રહચારી પણ બેસે છે. માયા નો સામનો થાય છે ને. ગ્રહચારી નાં કારણે પછી જ્ઞાન ઉઠાવી શકતાં નથી. કોઈ તો પછી કર્મણા સેવા અથક થઈને કરે છે.

તમારું કામ છે બધાને સુખધામ નાં માલિક બનાવવાં. કોઈને દુઃખ નથી આપવાનું. જ્ઞાન નથી તો પછી ખૂબ દુઃખ આપે છે. પછી કેટલું પણ સમજાવો તો સમજતાં નથી. પહેલાં-પહેલા સમજણ આપવાની છે આત્મા અને પરમાત્મા ની. કેવી રીતે આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે, જે અવિનાશી પાર્ટ છે. ક્યારેય બદલાવાનો નથી, ડ્રામા માં નોંધાયેલું છે. આ નિશ્ચય વાળા ક્યારેય હલશે નહીં. ઘણાં હલી જાય છે. અંત માં જ્યારે ભંભોર ને આગ લાગશે ત્યારે અચળ બની જશે. હમણાં તો ખૂબ યુક્તિ થી સમજાવવાનું છે. સારા-સારા બાળકો તો સર્વિસ પર રહે છે. દિલ પર ચઢતાં રહે છે. ખૂબ આગળ જતા રહે છે. ખૂબ મહેનત કરે છે. તેમને સર્વિસ નો ખુબ જ શોખ હોય છે. જેમાં જે ગુણ છે તે બાબા વર્ણન કરે છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસ માં હડ્ડી (હાડકાં) આપવાની છે, કોઈ પણ વાત માં સંશય નથી ઉઠાવવાનો. બધાને સર્વિસ થી સુખ આપવાનું છે, દુઃખ નહીં.

2. નિશ્ચય નાં બળ થી પોતાની અવસ્થા ને અડોલ બનાવવાની છે. જે શ્રીમત મળે છે, એમાં કલ્યાણ સમાયેલું છે, કારણ કે રિસપોન્સીબલ બાપ છે એટલે ફિકર નથી કરવાની.

વરદાન :-
યોગયુક્ત સ્થિતિ દ્વારા સૂક્ષ્મ કે કઠોર બંધનો ને ક્રોસ કરવાવાળા બંધનમુક્ત ભવ

યોગયુક્ત ની નિશાની છે - બંધનમુક્ત. યોગયુક્ત બનવામાં સૌથી મોટું અંતિમ બંધન છે - સ્વયં ને સમજદાર સમજી શ્રીમત ને પોતાની બુદ્ધિની કમાલ સમજવી અર્થાત્ શ્રીમત માં પોતાની બુદ્ધિ મિક્સ કરવી, જેને બુદ્ધિનું અભિમાન કહેવાય છે. ૨. જ્યારે ક્યારેય કોઈ કમજોરી નો ઈશારો આપે છે અથવા બુરાઈ કરે છે - જો એ સમયે જરા પણ વ્યર્થ સંકલ્પ ચાલ્યો તો પણ બંધન છે. જ્યારે આ બંધનો ને ક્રોસ કરી હાર-જીત, નિંદા-સ્તુતિ માં સમાન સ્થિતિ બનાવો ત્યારે કહેવાશે સંપૂર્ણ બંધનમુક્ત.

સ્લોગન :-
પહેલાં વિચારવું પછી કરવું - આ જ જ્ઞાની તૂ આત્મા નો ગુણ છે.

આ અવ્યક્ત ઇશારા - મહાન બનવા માટે મધુરતા અને નમ્રતા નો ગુણ ધારણ કરો

જેવી રીતે અજાણ બાળક નુકસાન વાળી વસ્તુને રમકડું સમજે છે તો એમને કંઈક આપીને છોડાવવું પડે છે, એવી રીતે જો અલ્પકાળનું માન-શાન કે અલ્પકાળ ની ઈચ્છા રાખે છે, એમને માન આપીને સ્વયં નિર્માણ બની જાઓ. તે સમયે જો એમને શિક્ષા આપશો તો ટકરાવ થશે એટલે એવાં સમય પર યુક્તિયુક્ત ચલન થી, પરોપકારી બની ક્ષમા-ભાવ થી સંપન્ન થઈને પહેલાં એમને સમજદાર બનાવો, જેનાથી તે સ્વયં મહેસૂસ કરે કે આ વાત નુકસાનકારક છે.